સોમવારથી રાજકોટ-સોમનાથ લોકલ ટ્રેનનો પ્રારંભ
રાજકોટ-સોમનાથ પંથકના હજારો મુસાફરો જેની આતુરતાથી રાહ જોઇ રહયા હતા તે રાજકોટ-સોમનાથ લોકલ ટ્રેન આગામી સોમવારથી શરૂ થઇ રહી હોવાનું રેલ્વે તંત્રના સુત્રોમાંથી જાણવા મળે છે. આ અંગે પશ્ચિમરેલ્વે વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, તા. ૧ લી જુલાઇથી રાજકોટ-સોમનાથ સુધીની એક વધારાની લોકલ ટ્રેન પાટ્ટા ઉપર દોડવા લાગશે. આ ટ્રેન રાજકોટથી વહેલી સવારે પ.ર૦ કલાકે ઉપડયા બાદ સવારે ૯.૩૦ વાગ્યા સુધીમાં સોમનાથ અને સોમનાથથી સવારે ૧૧ વાગ્યે ઉપડી બપોરે ૪ વાગ્યા સુધીમાં રાજકોટ પહોંચશે.ટ્રેન ચાલુ કરાવવા વિવિધ આગેવાનો અને મુસાફરો દ્વારા અવાર નવાર રેલ્વે તંત્ર સમક્ષ રજુઆતો થઇ હતી. વર્ષોની માંગણી અંતે સંતોષાતા પંથકના હજારો પેસેન્જરોને રાજકોટ-સોમનાથ સુધીની સીધી સુવિધા મળનાર હોવાથી રાહતની લાગણી પ્રસરી છે.
રાજકોટ-સોમનાથ પંથકના હજારો મુસાફરો જેની આતુરતાથી રાહ જોઇ રહયા હતા તે રાજકોટ-સોમનાથ લોકલ ટ્રેન આગામી સોમવારથી શરૂ થઇ રહી હોવાનું રેલ્વે તંત્રના સુત્રોમાંથી જાણવા મળે છે. આ અંગે પશ્ચિમરેલ્વે વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, તા. ૧ લી જુલાઇથી રાજકોટ-સોમનાથ સુધીની એક વધારાની લોકલ ટ્રેન પાટ્ટા ઉપર દોડવા લાગશે. આ ટ્રેન રાજકોટથી વહેલી સવારે પ.ર૦ કલાકે ઉપડયા બાદ સવારે ૯.૩૦ વાગ્યા સુધીમાં સોમનાથ અને સોમનાથથી સવારે ૧૧ વાગ્યે ઉપડી બપોરે ૪ વાગ્યા સુધીમાં રાજકોટ પહોંચશે.ટ્રેન ચાલુ કરાવવા વિવિધ આગેવાનો અને મુસાફરો દ્વારા અવાર નવાર રેલ્વે તંત્ર સમક્ષ રજુઆતો થઇ હતી. વર્ષોની માંગણી અંતે સંતોષાતા પંથકના હજારો પેસેન્જરોને રાજકોટ-સોમનાથ સુધીની સીધી સુવિધા મળનાર હોવાથી રાહતની લાગણી પ્રસરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો