અનુયાયીઓ

ગુરુવાર, 9 મે, 2013

૧૧ વર્ષના એક બાળકે અકસ્માતમાં મૃત્યુ પામેલી પોતાની માતાના હૃદયના વાલ્વનું દાન કર્યું.

૧૧ વર્ષના એક બાળકે અકસ્માતમાં મૃત્યુ પામેલી પોતાની માતાના હૃદયના વાલ્વનું દાન કર્યું. અકસ્માતમાં મૃત્યુ પામેલી સ્ત્રી અને તેનો એક માત્ર પુત્ર રવિવારે સમુદ્રને કિનારે ફરવા માટે ગયા હતા, જ્યાં એક અકસ્માત થતાં આ બાળકની માતાનું મૃત્ય ુથયું હતું.

રાધિકા એક સરકારી કર્મચારી હતી અને તે પોતાના પુત્ર વિષ્ણુ સાથે ટુ-વિહિલર પર જઈ રહી હતી તે દરમિયાન તેનું ટુ-વિહિલર એક રિક્ષા સાથે અથડાતા આ અક્સમાત સર્જાયો હતો, ત્યાર બાદ રાધિકાને તુરંત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામા આવી હતી પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી અને વિષ્ણુને સામાન્ય ઈજા થઈ હતી.

આ વાલ્વ દ્વારા હૃદયના બે દર્દીઓના જીવન બચાવી શકાય છે

વિષ્ણુ પોતાની માતાના મૃત્યુના શોકમાંથી બહાર આવ્યો પણ નહોતો અને મેડિકલ કોલેજના ડોક્ટરોએ તેને પોતાની માતાના હૃદયના વાલ્વનું દાન કરવા અંગે પૂછયું તો તેણે જરા પણ ખચકાટ નહોતો કર્યો. પોસ્ટ મોર્ટમ બાદ તેની માતાના હૃદયના વાલ્વને દૂર કરાયા હતા જેને શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ અને ટેકનોલોજીને સોંપવામાં આવ્યા હતા. શ્રી ચિત્રા ઇન્સ્ટિટયૂટના ડો. એસ.કે. જવાહર અનુસાર આ વાલ્વ દ્વારા હૃદયના બે દર્દીઓનાં જીવન બચાવી શકાય છે. આ વાલ્વને હાલ આ ઇન્સ્ટિટયૂટની ઓર્ગન બેન્કમાં રાખવામાં આવ્યા છે. થોડાક વર્ષો પહેલાં જ વિષ્ણુના પિતાનું મૃત્યુ થયું હતું અને હવે તેની માતાના મૃત્યુ બાદ તે અનાથ થઈ ગયો હોવાથી તે પોતાના કાકા સાથે રહેશે.

ટિપ્પણીઓ નથી: