અનુયાયીઓ

શુક્રવાર, 2 નવેમ્બર, 2012

ટ્રેનના સ્લીપર ક્લાસમાંય ઓળખપત્ર ફરજિયાત

----------
Sent via Nokia Email

------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Friday, November 2, 2012 1:04:23 PM GMT+0800
Subject: ટ્રેનના સ્લીપર ક્લાસમાંય ઓળખપત્ર ફરજિયાત

પહેલી ડિસેમ્બરથી  ટ્રેનના સ્લીપર ક્લાસમાંય ઓળખપત્ર ફરજિયાત

નવી દિલ્હીઃ આ વર્ષના ડિસેમ્બર મહિનાની પહેલી તારીખથી સ્લીપર ક્લાસના પ્રવાસીઓ માટે ઓળખનો પુરાવો સાથે રાખવાનું ફરજિયાત બનશે એવી જાહેરાત રેલવે તંત્ર દ્વારા ગુરુવારે કરવામાં આવી હતી. આ જાહેરાતને કારણે હવે રેલવેમાં યોગ્ય પ્રવાસીઓ જ પ્રવાસ કરી શકશે અને દલાલો દ્વારા રેલવે ટિકિટના કરવામાં આવતા દુરુપયોગ પર લગામ તણાશે. અગાઉ એસી ક્લાસના પ્રવાસીઓ માટે જ ઓળખપત્ર સાથે
રાખવાનું ફરજિયાત હતું. હવે અમે સ્લીપર ક્લાસના પ્રવાસીઓ માટે પણ ઓળખપત્ર સાથે રાખવાનું ફરજિયાત બનાવ્યું છે. યોગ્ય પ્રવાસીઓ જ કન્ફર્મ ટિકિટનો ઉપયોગ કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું વરિષ્ઠ રેલવે અધિકારીએ કહ્યું હતું. ફેબ્રુઆરી મહિનામાં રેલવેએ એસી ક્લાસના પ્રવાસીઓ માટે ઓળખપત્ર સાથે રાખવાનું ફરજિયાત બનાવ્યું હતું. તત્કાલ કે ઇ-ટિકિટ મારફતે પ્રવાસ કરતા
પ્રવાસીઓએ પણ પ્રવાસ કરતી વખતે ઓળખપત્ર સાથે રાખવું પડશે. હાલને તબક્કે નોન-એસી પ્રવાસીઓને આમાંથી બાકાત રાખવામાં આવ્યા હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે રેલવે તંત્રએ આ નીતિ વધુ વ્યાપક બનાવી છે જેથી કરીને રિઝર્વેશન કરીને પ્રવાસ કરતા તમામ પ્રવાસીઓએ હવે પ્રવાસ દરમિયાન ઓળખપત્ર સાથે રાખવું પડશે. પહેલી ડિસેમ્બરથી ઓળખપત્ર વિના પ્રવાસ કરનારને ટિકિટ 'વિધાઉટ ટિકિટ' ગણી
તેમની પાસેથી નિર્ધારિત દંડ વસૂલવામાં આવશે. સ્લીપર ક્લાસ સહિત રેલવેની કમ્પ્યૂટરાઇઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ) કે ઈન્ટરનેટ મારફતે કઢાવવામાં આવેલી ટિકિટ પર પ્રવાસ કરનાર તમામને આ નિયમ લાગુ પડશે.

ટિપ્પણીઓ નથી: