અનુયાયીઓ

બુધવાર, 10 ઑક્ટોબર, 2012

Fwd: ATM માંથી નાણાં ન નીકળે

------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
Date: Wednesday, October 10, 2012 12:53:15 PM GMT+0800
Subject: ATM માંથી નાણાં ન નીકળે

ATM માંથી નાણાં ન નીકળે અને ખાતામાં ડેબિટ બોલે તો બેન્ક જવાબદાર

અમદાવાદ,
મંગળવાર : બેકિંગ લોકપાલને એટીએમમાં નાણાં ન નીકળે પરંતુ બેન્ક ખાતામાંથી
રકમ ડેબિટ થવાની સંખ્યાબંધ ફરિયાદો મળે છે. આમાં રિઝર્વ બેન્કે જારી કરેલા
નિર્દેશો પ્રમાણે બેન્કે આ રકમ ખાતેદારના ખાતામાં સાત દિવસમાં જમા કરાવવી
પડે. જો આ
રકમ સાત દિવસમાં જમા ન થાય તો રોજના રૃ. ૧૦૦ બેન્કે ભરવા પડે. અમદાવાદ
ખાતે આવા એક કિસ્સામાં ગ્રાહકે એટીએમમાંથી રૃ. ૫૦૦૦ની રકમ ઉપાડી હતી પરંતુ
મશીનમાંથી નાણા ન નીકળતા તેણે બેન્કમાં ફરિયાદ લખાવી હતી. બેન્કે ગ્રાહકની
વાત કાને ન ધરતા બેન્કિંગ લોકપાલમાં ફરિયાદ થઈ. દરમિયાન મહિના ઉપરનો ગાળો
વીતી ગયો આથી બેન્કને ગ્રાહકને ૫૦૦૦ના બદલે રૃ. ૯૦૦૦ ચુકવવા પડયા હતા.
બેન્કને લેખિત
ફરિયાદ આપ્યા પછી ૩૦ દિવસમાં સંતોષકારક નિવારણ ન મળે તો લોકપાલ સમક્ષ
ફરિયાદ કરી શકાય છે. લોન મંજૂર કરવામાં વિલંબ, એટીએમ કાર્ડ આપવામાં વિલંબ,
ચેક, ડ્રાફ્ટ જમા કરવામાં વિલંબ બદલ પણ લોકપાલ સમક્ષ ફરિયાદ કરી શકાય છે.

Lokpal Address

Reserve Bank of India
La Gajjar Chambers, Ashram Road, Ahmedabad-380 009

Tel.No.079- 26582357 - 26586718 - 2657 5807

ટિપ્પણીઓ નથી: