----------
Sent via Nokia Email
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Sunday, October 7, 2012 12:47:55 PM GMT+0800
Subject: ગુનેગારોની માહિતી ડિજિટલાઇઝ કરવાનો પ્રયોગ
ગુનેગારોની માહિતી ડિજિટલાઇઝ કરવાનો પ્રયોગ
અમદાવાદઃ શહેરમાં ચેઈન સ્નેચીંગ, લૂંટ અને ધાડ જેવા મિલકતલક્ષી ગુનાઓમાં ગુનેગારો સુધી પહોંચવા માટે છેલ્લા ૧૬ વર્ષમાં પકડાયેલા ૩૫ હજાર જેટલા આરોપીઓના ડેટા અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે એકત્ર કરી 'પ્રોગ્રામ ફોર આઈડેન્ટીફિકેશન એન્ડ એરેસ્ટ ઓફ ક્રિમીનલ' (પીનાક) નામનો પ્રોગ્રામ બનાવ્યો છે. આ પ્રોગ્રામ શહેરના તમામ ૪૧ પોલીસ મથકોના પી.સી.માં ફિટ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા
અનુસાર ક્રાઈમબ્રાન્ચે પીનાક નામનો એક પ્રોગ્રામ તૈયાર કર્યો છે. જેમાં ચેઈન સ્નેચીંગ, ઘરફોડ, ધાડ અને લૂંટ જેવા મિલકતલક્ષી ગુનામાં વર્ષ ૧૯૯૬થી ૨૦૧૨ સુધીમાં પકડાયેલા ૩૫ હજાર ગુનેગારોની ગુનાહિત કુંડળી મૂકવામાં આવી છે તેમજ દર મહિને નવા પકડાતા ગુનેગારોના ડેટા અપલોડ કરવામાં આવશે. આ સોફ્ટવેર દિલીપ ઠાકોર નામના કોન્સ્ટેબલે બનાવ્યું છે. આ પ્રોગ્રામ પોલીસ મથકના પીસીમાં
નાખ્યા બાદ પોલીસ અધિકારી તેને ફક્ત સર્ચ કરીને ગુનેગારની કુંડળીની પ્રિન્ટઆઉટ જ કાઢી શકશે. જેના કારણે તેમાં ચેડા થવાની શક્યતા નહીંવત છે. ક્રાઈમબ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે, મિલકતલક્ષી ગુનામાં ફરિયાદી ગુનો નોંધાવા જાય ત્યારે આ સોફ્ટવેરની મદદથી પોલીસ ગુનેગારની ઓળખ કરી તેને ઝડપથી પકડી શકશે. આ પ્રોગ્રામ અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય પોલીસ મથક દ્વારા માંગવામાં
આવશે તો તેમના પીસીમાં પણ નાખી આપવામાં આવશે. એક જ સપ્તાહમાં શહેરના તમામ પોલીસ મથકોમાં આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી આપવામાં આવશે જેના કારણે ગુનેગારો અંગેની માહિતી તુરંત ઉપલબ્ધ બનશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો