----------
Sent via Nokia Email
------Original message------
From: "અભીવ્યક્તી" <donotreply@wordpress.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Thursday, July 19, 2012 2:49:37 PM GMT+0000
Subject: [New post] મન્ત્ર–તન્ત્રના નામે ધતીંગ કરતા તાન્ત્રીકો સામે કડક બનવા જેવું છે
Post : મન્ત્ર–તન્ત્રના નામે ધતીંગ કરતા તાન્ત્રીકો સામે કડક બનવા જેવું છે
URL : http://govindmaru.wordpress.com/2012/07/19/p-dhakecha/
Posted : July 19, 2012 at 2:48 pm
Author : ગોવીંદ મારુ
Categories : મીત્રોનાં લેખો / કાવ્યો
આપણો દેશ લોકશાહી રાજપદ્ધતી ધરાવતો વીશાળ દેશ છે, જ્યાં જુદાજુદા ધર્મો તેના સમ્પ્રદાયો અને અનેક જાતીઓ ધરાવતા લોકો વસે છે. મોટા ભાગના લોકો ગામડામાં વસે છે અને અભણ છે. ભણતર ન હોવાને કારણે તે વાંચી લખી શકતા નથી અને ભણેલા વાંચી લખી શકે છે; તેમ છતાં અમુક માન્યતાઓ મગજમાં ઘર કરી ગઈ હોવાથી તે છોડતા નથી. ધાર્મીક ખોટી માન્યતા અને શાસ્ત્રોના ખોટા અર્થો કરી લોકોને ઘીસરા(માછલાં પકડવાની એક પ્રકારની જાળ)ના માર્ગ બતાવનારા લેભાગુ ધર્મવાહકો, ખોટા જ્યોતીષીઓ, તાન્ત્રીકો, એ ભોળા લોકોનાં મગજ બગાડવાનો ધન્ધો કરે છે. દુ:ખ તો પાછું એનું છે કે આ બધા ધર્મવાહકો છે ભગવા અને સફેદ, કાળા, લીલા પહેરવેશ પહેરી રીતસર લોકોની આંખમાં ધુળ નાંખે છે. છતાં તેની સામે કાંઈ થઈ શકતું નથી; કારણ કે લોકશાહી સીદ્ધાન્તમાં દરેક લોકોને પોતાનો ધર્મ–સમ્પ્રદાય પાળવાનો અધીકાર મળ્યો છે. આવો અધીકાર સમજીને પળાય છે કે કેમ તે કોઈ જોતું નથી. પરીણામે લોકો માનસીક રીતે પીડા ભોગવી રહ્યા છે, આર્થીક રીતે પાયમાલ થઈ જાય છે; છતાં ભુતભુવા અને તાન્ત્રીકોની માયાજાળમાંથી છુટતા નથી. કોણ સત્યનો માર્ગ બતાવશે ?
આસ્તીક અને નાસ્તીક વીચારસરણી ધરાવતા વીશાળ ભારતમાં આસ્તીકો વધુ છે જે આવી ધાર્મીક બાબતોમાં શ્રદ્ધા રાખે છે. શ્રદ્ધા રાખવું એ જરાય ખોટું નથી; પણ શ્રદ્ધા હદવળોટી જઈ ક્યારે અન્ધશ્રદ્ધામાં પલટાઈ જાય છે એની લોકોને ખબર પણ પડતી નથી !
વીજ્ઞાન પહેલાં વીકસ્યુ નહોતું ત્યારે રુઢીઓ, માન્યતાઓ, ન સમજાય ત્યારે પશુબલીઓ, માનવબલીઓ ચડાવી વીધીઓ થતી; પરન્તુ અત્યારે જ્ઞાન સાથે વીજ્ઞાને પણ વીકાસ કર્યો છે અને લોકોને સાચી જાણકારી મળી રહે છે; છતાં આવી ખોટી માન્યતાઓમાં સબડ્યા કરવાનું ? ધર્મને નામે સાધુ આજે પણ તાન્ત્રીક બની માનવબલી ચડાવી યજ્ઞ કરે, ક્યાં જાય છે ધર્મ ? આવો ધર્મ ? કુમળાં બાળકોને બલી બનાવાય ? કોણ આવા લેભાગુ ધર્મવાહકને રોકશે ? લોકોની ફરજ ખરી; પરંતુ ધર્મને નામે આ બધું થાય છે એટલે લોકો સમજે છે છતાં બોલતા નથી. ધર્મ પાળવાનો અધીકાર મળ્યો છે ને ! આવો ધર્મ પાળવાનો ? આવી વાતો સમજાવનારા થોડાક સમજુ લોકોને પાછા બધા નાસ્તીકને નામે ધુત્કારે છે; પણ આજ લોકો સત્યની નજીક છે. ખોટાને રોકે છે તે, ઈશ્વરને કે ધર્મને માને કે ન માને; પરંતુ તે સાચો રાષ્ટ્રધર્મ બજાવે છે આપણે તેનું માનીએ છીએ ? લોકોનું માનસ બગાડવું એ પણ અપરાધ–ગુનો છે. શું કરવા સરકાર આવાં તત્ત્વોને જબ્બે નથી કરતી ? ત્યાં મતનું રાજકારણ નડે છે ? રાજસત્તા એવું માને છે પ્રજા ભલે આવી માન્યતાઓ અને અન્ધશ્રદ્ધામાં અટવાયા કરે, આપણી રાજકીય પ્રવૃત્તીમાં એટલું ઓછું માથું મારશે, આવું જ રાજસત્તા સમજે છે ને ? ક્યાં સુધી આવા ધતીંગો સરકાર ચાલવા દેશે ? કોઈને મારી નાખવાથી ગુનો બને છે તેને ૩૦૨ કલમ લગાડી ફાંસી સુધીની સજા થઈ શકે છે; પણ જીવતો માણસ મરેલો થઈ ફરે તેવો કરી નાખનાર તાન્ત્રીકોને કોઈ કલમ જ ન લાગે ? ગુનો એ ગુનો જ છે. શું કરવા કાયદાનો ઉપયોગ પ્રજાકલ્યાણના શુભહેતુમાં થતો નથી ? ધર્મ ખોટું ચલાવવાનું કહે છે ? ધર્મમાં ધતીંગ હોઈ શકે ? માંદળીયાં, દોરાધાગા, મન્ત્રતન્ત્ર, ડાકલાં, વીધીયજ્ઞો, વાસ્તુશાસ્ત્ર, જ્યોતીષના નામે માણસના મગજ મારી નાખવામાં આવે છે. કેમ આ બધું સમજાતું નથી ? શું આપણું મગજ બહેર મારી ગયું છે ?
કોઈ લેભાગુ એમ કહે તમારો બંગલો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નથી બન્યો, તો શું પૃથ્વી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બની છે ? જમીન પર પહેલાં ઝુપડું પણ નહોતું. ઝાડ ઉપર માણસ જંગલી દશામાં જીવતા હતા. પછી પૃથ્વી પર ઝુંપડું બન્યું હશે ત્યારે વાસ્તુશાસ્ત્ર નહોતું અને બંગલા બનવા માંડ્યા એટલે વાસ્તુશાસ્ત્ર આવ્યું અને નડતર ચાલુ થઈ ? રુપીયા આવ્યા અને બંગલો બન્યો તો શું રુપીયા નડતરરુપ છે ? રુપીયાના જોરે આવા ધતીંગ કરવાના અને એ પાછા ધર્મને નામે ? કેમ નાસ્તીકોને કે સમજણા માણસને વાસ્તુશાસ્ત્ર નડતું નથી ? કારણ કે તેનામાં સાચી સમજ છે, વાસ્તુ, વાસ્તુશાસ્ત્ર જેવું દુનીયામાં કંઈ નથી. આ બધું માણસોને હેરાન કરવા માટે, અમુકને રુપીયા કમાવા માટે વાસ્તુશાસ્ત્રને સાધન બનાવી દીધું છે અને તેના નામે લુંટ ચલાવાય છે. વાસ્તુશાસ્ત્રને નામે માણસના મગજમાં વહેમ પેદા કરવામાં આવે છે. પછી રસોડા અને બારણાંની દીશા બદલાવ્યા કરવાની. સમ્પત્તીવાન અને સત્તાધારીઓ આમાં વધુ માને છે. વાજપેયી વડાપ્રધાન બન્યા પછી સરકારી આવાસને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરાવે તેને શું કહેવું ? સત્તાધારીઓ અને પૈસાદારોને આવા નડતર પોસાય, સામાન્ય માણસે આનાથી દુર રહેવા જેવું છે. આપણે કયાં સત્તા કે રુપીયા જળવાઈ રહે તે માટે વીધી કરાવવાની હોય !
આ તે કેવી માન્યતા, કર્ણાટક રાજયના શીમોગા જીલ્લાના ચંદ્રગુટ્ટી ગામડામાં અત્યારે પણ હજારો સ્ત્રી-પુરુષો, બાળકો દીગમ્બર(વસ્ત્રહીન) થઈને દેવીની પુજા કરે છે શું આને ધર્મ કહેવાય ? આ દેવીનું મન્દીર આઠમી સદીમાં બનેલું, પ્રથમ જૈન મન્દીર હતું, મન્દીરમાં રેણુકાદેવીની મુર્તી જે ગૃહમ્બા, શીવેશ્વરી, જ્વાલામાલીની એવાં જુદાં જુદાં નામે ઓળખાય છે. દર ફાગણ સુદ નોમે આ ઉત્સવ ઉજવાય છે. ત્રણ દીવસ આ ઉત્સવ ચાલે છે. છેલ્લા દીવસે માતાજીની પુજા કરવામાં આવે છે. આ પુજા હજારો સ્ત્રી–પુરુષો નગ્ન દેહે કરે છે. તેમાં સ્ત્રી વધુ હોય છે. પોતે લીધેલી માનતા આ રીતે પુરી થાય છે. શું કહેવું આવી માનતાને ? નગ્નતા ઉપર સરકારનો પ્રતીબંધ છે; છતાં લોકો માનતા નથી ! અરે દુર દુરથી લોકો આવી નગ્નતા જોવા આવે છે ! જેણે આ માન્યતા ઘાલી દીધી હશે તે તો ગયો; પણ આજદીન સુધી આ પરમ્પરા જતી નથી. વીસમી સદી ભલે ગઈ; આપણે ત્યાંના ત્યાં જ છીએ. આ બધું ધર્મને નામે થતું હોય પછી શું કહેવું ?
લોકો વીધી અને માનતા–માન્યતાને નામે કેવા ખરડાય છે તેનો નમુનો સુરતમાં તાજો જ બન્યો હતો. સુરતમાં મુળ સૌરાષ્ટ્રના મધુભાઈ કાકડીયા રહે છે. એમની સત્ય માટેની શોધ અને તે બાબતની સમજણ ઘણી ઉંચી છે. મધુભાઈ, સુરતની 'સત્યશોધક સભા'ના વર્ષોથી સહમંત્રી છે; પરંતુ તેમને આસ્તીક માણસો 'નાસ્તીક' કહે છે ! જેની સમજણ ઉંચી હોય તેને 'નાસ્તીક' નામને બહાને અણસમજુ કહેવાના ? મધુભાઈને વરાછા રોડ પર રહેતા બાલુભાઈએ વાત કરી : સુરતની દીલ્હી ગેટ પાસે બેલ્જીયમ ચેમ્બરમાં જ્યોતીષને નામે ઓફીસ ધરાવતા 'ગુઢ મસ્તાનજી' અને તેના મળતીયાઓએ જુદી જુદી વીધીઓને નામે અત્યાર સુધીમાં પાંત્રીસ લાખ રુપીયા મારી પાસેથી પડાવી લીધા છે. બાલુભાઈ ડરના માર્યા છેતરાતા જ રહ્યા. પોતાના કુટુમ્બમાં સુખશાંતી રહે માટે વીધીના નામે બધું કરતા રહ્યા. છેવટે બાલુભાઈએ મધુભાઈને આ બધી વાત કરી. માધુભાઈ અકળાઈ ઉઠ્યા, આવા ધતીંગ ?
મધુભાઈએ બાલુભાઈ તથા તેના સગાસમ્બન્ધીઓની સાથે મસ્તાનને સીધો કરવાનું બીડું ઝડપ્યું. કઈ રીતે મસ્તાને પૈસા પડાવ્યા તે પણ જાણવા જેવું છે. નડતર દુર કરવાની સૌ પ્રથમ વીધી માટે ૩,૧૦૦ રુપીયા એડવાન્સ, ત્રણ ભેંસની બલી ચડાવવા માટે છાંસેઠ હજાર, પાંચ દીવસ પછી હાથીની બલી માટે બે લાખ સાંઈઠ હજાર, દસ દીવસ પછી ચાર હરણની બલી માટે દસ લાખ ! 'હરણની વીધી નકામી ગઈ' એવું કહી ફરી દસ દીવસ પછી પાછા દસ લાખ, પાછી વીધી ફેઈલ ગઈ. કારણ કે મસ્તાન એમ કહે કે નડતર ખુબ મોટી છે એટલે વીધી જરુરી છે. ફરી પાછાં બે હરણની વીધી માટે પાંચ લાખ. આમ જુદાં જુદાં પ્રાણીઓની બલી માટેની રકમ વધતી જ ગઈ. કુલ્લે પાંત્રીસ લાખ બાલુભાઈએ આપ્યાં છતાં; વીધી પુરી ન થઈ અને સુખશાંતી આવી નહીં. આર્થીક પાયમાલીને કારણે દુ:ખ વધી ગયું ! આ બધી વીગતની લેખીત ફરીયાદ મધુભાઈને તેમણે આપી. પછી સાચી વીધી મધુભાઈએ કરી 'ગુઢ મસ્તાનજી' અને તેના ચેલકાઓની. એની જ ઓફીસમાં જઈ બરાબરના ધોઈ નાખ્યા. એમાં લોકોએ પણ હાથ સાફ કરી લીધા. મસ્તાન પાસે તેની ભુલ કબુલ કરાવી. મસ્તાન તો ભાગી ગયો, ચેલકા પકડાયા, કોર્ટમાં કેસ થયો એ બધું ખરું; પણ બાલુભાઈના પૈસાનું શું ?
પ્રશ્ન એ થાય મધુભાઈએ આ રીતે કાયદો હાથમાં લેવો જોઈએ કે નહી? આવું ન થાય તો શું કાયદો બાલુભાઈને તાન્ત્રીકની ચુંગાલમાંથી છોડાવી શકત ? પોલીસ પાસે ફરીયાદ થઈ હોત તો, તાન્ત્રીકે પાંત્રીસમાંથી થોડાક ખરચી નાખ્યા હોત અને આ વળી પાછી ધર્મની બાબત હતી; એટલે રાજસત્તા મુંગી બની જાત ! કોઈને કાયદો હાથમાં લેવો પસંદ નથી; પરંતુ સરકાર સત્યને સમજી શકશે ? લોકો તો ભોળા હોય છે, સાચી સમજ મધુભાઈ જેવા સત્યના જાણકાર જ આપી શકશે. અન્ધશ્રદ્ધામાં સબડતા લોકોને આવા જ્યોતીષીઓ, તાન્ત્રીકોની માયાજાળમાંથી ઉગારવા સરકારે લાલ આંખ કરવા જેવી છે. વીધાનસભામાં કાલાજાદુનો કાયદો પસાર થયો હોત તો આવા ગોરખધન્ધા ઉપર બ્રેક લાગત; પણ સરકારની કોઈ સરકાર છે ? ધર્મ મુંગો બની જાય છે.
–પી. બી. ઢાકેચા
રાજકોટથી પ્રકાશીત થતા 'ફુલછાબ' દૈનીકમાં વર્ષોથી પ્રગટ થતી લેખક શ્રી પી. બી. ઢાકેચાની લોકપ્રીય કટાર 'હૈયું બોલે છે' પ્રગટ થાય છે. તેના તા. 03 એપ્રીલ, 2012ના અંકમાંથી, તેમ જ આ જ લેખ 'સૌજન્ય માધુરી' માસીક, રાજકોટના મે, 2012ના અંકમાં પણ પુન: પ્રકાશીત થયો છે. 'ફુલછાબ', 'સૌજન્ય માધુરી' તથા લેખકશ્રી.ના સૌજન્યથી સાભાર…
લેખક સંપર્ક:
શ્રી. પી. બી. ઢાકેચા, એ–02, 101 શુભમ્ રેસીડન્સી, નટવરનગર પાછળ, નાના વરાછા, સુરત ફોન: 0261 2901255 સેલફોન: 98251 36990
મધુભાઈનો સંપર્ક:
શ્રી. મધુભાઈ રામભાઈ કાકડીયા, 136 અમ્બીકા નગર વીભાગ–2, કતારગામ રોડ, સુરત-395 004 ફોન: 0261 253 0298 સેલફોન: 98255 32234
http://govindmaru.files.wordpress.com/2012/07/madhubahi.jpg
●♦●♦●♦● 'રૅશનલ–વાચનયાત્રા'માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા 'અભીવ્યક્તી'' બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
●♦● દર સપ્તાહે મુકાતા 'રૅશનલ વીચારો' માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: http://govindmaru.wordpress.com/
અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર, પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 19-07-2012
♦●♦●♦
Add a comment to this post: http://govindmaru.wordpress.com/2012/07/19/p-dhakecha/#respond
--
WordPress.com | Thanks for flying with WordPress!
Manage Subscriptions
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com
Unsubscribe:
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com&b=0%3FLCeX5FYjr%2F%5BoX0RdgFIbXJRbZFHuFIWzk-Uq7l0zV.TDg0w
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો