અનુયાયીઓ

બુધવાર, 16 મે, 2012

NEW BLOG POST IN GUJARATI

ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

ચંદ્ર ઝાંખો થાય છે, 'રોકાઈ જાવ'! હમણાં વા'ણું વાય છે, 'રોકાઈ જાવ'!
એક ઘડીભર રાતની છે શી વિસાત? વર્ષો વીતી જાય છે, 'રોકાઈ જાવ'!
-સાબિર વટવા
અગર આપ કુછ પાને કે લીયે જી રહે હો તો ઉસે વક્ત પર હાંસિલ કરો, ક્યું કિ
જિંદગી મોકે કમ ઔર ધોકે જ્યાદા દેતી હૈ...' એક મિત્રએ આવો મેસેજ મોકલ્યો.
આપણે કોઈને દોષ આપી નથી શકતા ત્યારે જિંદગીને દોષ આપીએ છીએ. આખરે કંઈક તો
જોઈએને જેના પર આપણે દોષનો ટોપલો ઢોળી શકીએ અને થોડુંક આશ્વાસન મેળવી
શકીએ. આપણે આપણી ઉદાસી અને નિષ્ફળતા માટે હંમેશાં કોઈક બહાનું શોધતા હોઈએ
છીએ. એક કારણ આપણે જોઈતું હોય છે અને એ આપણે ગમે ત્યાંથી શોધી કાઢીએ છીએ.
કંઈ જ ન મળે તો છેલ્લે નસીબને તો દોષ દઈ જ શકીએ છીએ. મારી કિસ્મત જ ખરાબ
છે. નિદા ફાઝલીનો એક શેર છે, કુછ તબિયત હી મિલી થી ઐસી, ચૈન સે જિને કી
સૂરત ન હુઈ, જિસે ચાહા ઉસે અપના ન શકે, જો મિલા ઉસસે મુહોબ્બત ન હુઈ.
ગાલીબના એક શેરની પંક્તિ આવી છે કે 'દિલ કો બહેલાને કે લીયે ગાલીબ, યે
ખયાલ અચ્છા હૈ...' આપણે રોજ દિલને બહેલાવીએ છીએ, પંપાળીએ છીએ. આશ્વાસન
મેળવવામાં આમ જોઈએ તો કંઈ ખોટું નથી પણ આવા આશ્વાસનની આદત પડી જવી ન
જોઈએ, નહિતર આપણે આશ્વાસન જ શોધતા રહેશું. ઘણા લોકો તો પરિણામ પહેલાં
આશ્વાસન તૈયાર રાખે છે. જો નિષ્ફળ જશું તો શું કારણ
આપશું?......................................PLEASE READ FULL LOG POST
IN GUJARATI (http://gujarati.nu/profiles/blogs/5239948:BlogPost:137039)

http://gujarati.nu/profiles/blogs/5239948:BlogPost:137039

Visit GUJARATI-ગુજરાતી at: http://gujarati.nu/?xg_source=msg_mes_network

ટિપ્પણીઓ નથી: