જેતપુર શહેર અને તાલુકામાં વસતા
ભુદેવોના તેજસ્વી છાત્રોને મફત
પાઠ્યપુસ્તકો આપવાનું આયોજન.
(કશ્યપ જોશી દ્વારા) જેતલસર(જેતપુર) તા.૧૩
પરશુરામ સેના જેતપુર દ્વારા આગામી તારીખ ૧૭.૬.૨૦૧૨ ના રોજ જેતપુર ખાતે, જેતપુર શહેર અને તાલુકામાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓને મફત પાઠ્યપુસ્તકો આપવાનું એક આયોજન
કરવામાં આવ્યું છે.
જેનો લાભ લેવા માંગતા છાત્રો એ જરૂરી ફોર્મ જ્ઞાનજ્યોત વિદ્યાલય જુના પાંચ પીપળા રોડ , જેતપુર ખાતેથી તા.૩૧-5-૨૦૧૨ સુધીમાં મેળવી લેવા અને પરત પણ ત્યાંજ કરી જવા પ્રમુખ ની યાદીમાં જણાવ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો