અનુયાયીઓ

બુધવાર, 4 એપ્રિલ, 2012




ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો

કાળઝાળ ગરમી વધી રહી છે તો એક તરફ વેકેશનના પ્લાનીંગ થઈ રહ્યા છે. ઘણાં એવા રસિકો પણ છે જેમને ગુજરાત ફરવુ છે પણ ગરમીને સહન કરવી નથી. ગરમીથી દૂર થવા માટે ગુજરાતનો કોસ્ટલ એરિયા યુવાનોને ઠઁડક સાથે એડવેન્ચરની મજા કરાવી શકે તેમ છે. ગુજરાતના દરીયાઈ વિસ્તારમાં સૌરાષ્ટ્રનો દરીયા કિનારો, કચ્છનો દરીયા કિનારો અને દક્ષિણ ગુજરાતનો દરીયા કિનારામાંથી કોઈપણ એક રુટ તમે પસંદ કરી શકો. જો કે અત્યાર સુધી આપણે વિકેન્ડ ડેસ્ટિનેશનની વાત કરતા હતા પણ ગુજરાતના દરીયાઈ વિસ્તારો અમદાવાદથી ઓછામાં ઓછા આઠેક કલાકના અંતરે આવેલા હોવાથી વિકેન્ડમાં આ પ્રવાસ પૂરો કરવામાં થોડી ઉતાવળ થઈ જાય. જો કે અત્યારે 'ખુશ્બૂ ગુજરાત કી'માં અમિતાભ બચ્ચનના બ્રાન્ડીંગ સાથે આવતી સાસણ ગીરની ખુશ્બૂ પણ આ રુટથી નજીક છે. આજે સૌરષ્ટ્રના સિંહ દર્શન માટે સસ્તામાં સસ્તા ઓપ્શન માટે ઘણાં યુવાનોના પત્રો આવે છે માટે વેકેશન પડે તે પહેલા આ રુટની વાત કરી લઈએ જેથી સસ્તામાં સિંહ દર્શન કરવાવાળા યુવાનોને સરળતા રહે. પહેલા તો સાસણ ગીર પહોંચવા માટે જૂનાગઢથી પણ જઈ શકાય અને સોમનાથથી વાયા-તાલાળાના રસ્તેથી પણ જઈ શકાય. રાત્રે ટ્રાવેલ્સમાં કે ટ્રેઈન કે જે રોજ રાત્રે કાલુપુર રેલ્વે સ્ટેશનથી સોમનાથ અને ગીરનાર એક્સપ્રેસ ઉપડે છે. સવારે જુનાગઢ ઉતરીને ગીરનારની તળેટીમાં આવેલી કોઈપણ ધર્મશાળામાં રોકાઈને તમે સવારે સાસણગીર જતી એસ.ટી કે પ્રાઈવેટ વાહન લઈને જઈ શકો છો. અહીંથી સાસણ ગીર લગભગ સવા કલાક જેટલું દૂર થાય છે. જ્યારે સોમનાથથી માત્ર ૨૫ કિ.મીના અંતરે આવેલા તાલાળા ખાતે રોકાઈને તમે તમારો પ્રવાસ આગળ ધપાવી શકશો. તાલાળા ખાતે આવેલી શ્રીબાઈ છાત્રાલય એકદમ સસ્તા ભાવે રહેવાની વ્યવસ્થા પૂરી પાડે છે. સાસણગીર પ્રોપરમાં પણ રહેવાની વ્યવસ્થા છે પરંતુ ત્યાં નેશનલ માર્કેટ પ્રમાણે હોટલના ભાવ આસમાને છે. તાલાળાથી છકડામાં બેસીને અડધો કલાકના અંતરે આવેલા દેવળીયા પાર્ક પહોંચીને તમે રૃ.૧૨૫ની ટિકિટ લઈને સિંહદર્શન કરી શકો છો. અહીં દેવળીયા સફારી પાર્કમાં ફોરેસ્ટની ગાડીમાં જ બેસીને સિંહ દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સાસણ ગીરથી ગીરના અન્ય રુટ માટેની સફારીની વ્યવસ્થા છે. જેના માટે રૃ.૭૫૦ પ્રતિ વાહન અને રૃ.૭૫૦ અન્ય ભાડા પેટે ચૂકવવા પડે છે. અહીં સમયસર પરમીટ લઈને સિંહ દર્શન જોવા માટે જવું વધુ સલાહભર્યું છે. આ વિસ્તારમાં કેટલાંક સ્થાનિક લોકો દ્વારા પ્રાઈવેટલી સિંહ દર્શન માટે પ્રવાસીઓને લાલચ આપીને લૂંટવામાં આવે છે જે ગેરકાયદેસર છે. આમ અમદાવાદથી આવવા જવા માટેના ભાડાને બાદ કરતા માત્ર રૃ.૧૦૦૦થી રૃ.૧૫૦૦માં યુવાનો કરકસરયુક્ત રીતે ગુજરાતની ગરીમા એવા સાવજના દર્શન કરી શકે છે.



--
KKUMARJOSHI

ટિપ્પણીઓ નથી: