અનુયાયીઓ

રવિવાર, 30 ઑક્ટોબર, 2011

એટીએમ કાર્ડ ખોવાઇ જાય તો બેંકને માત્ર SMS કરવાથી બ્લોક કરી શકાશે



વડોદરા,:  બેંકોમાં ગ્રાહક સેવાઓ વધારવા માટે દામોદરન કમિટીએ સૂચવેલી ભલામણોનો અમલ કરવાની રિઝર્વ બેંકે જાહેરાત કરી છે. તેના પગલે હવે જો કોઇ ખાતેદારનુ એટીએમ કાર્ડ ગુમ થઇ જાય તો તેણે મોબાઇલ પરથી એક એસએમએસ કરીને બેંકને એલર્ટ કરી કાર્ડ બ્લોક કરાવી શકશે. જ્યારે બેંકના ખાતેદારને હાલમાં થાપણ પર રૂ.૧ લાખ સુધીનું વીમા કવચ મળતુ હતુ. તેમાં વધારો થઇને રૂ.૫ લાખ સુધીનું કવચ મળશે. આ ભલામણોના અમલ માટે ટૂંક સમયમાં જ આઇબીએ દ્વારા વિધિવત રીતે જાહેરાત કરાશે, તેમ બેંકિગ સૂત્રોએ જણાવ્યુ છે. રિઝર્વ બેંકના ગવર્નરે કરેલી જાહેરાત મુજબ ટૂંક સમયમાં જ ઇન્ડિયન બેંકસ એસોસિએશન (આઇબીએ) દ્વારા દામોદરન કમિટીની ભલામણોના અમલ માટે વિધિવત નિર્ણય લેવામાં આવશે. એટીએમ કાર્ડ ચોરાઇ જાય તો વર્તમાન પધ્ધતિ મુજબ ખાતા નંબર અને બેંકના સંબંધિત અધિકારીનો સંપર્ક સાધવામાં જ સમય જતો હોય છે. આ સમયમાં જ કૌભાંડીઓ ઘણી વખત એટીએમ કાર્ડનો દુરૂપયોગ કરીને નાણાં ઉપાડી લેતા હોય છે. પણ દામોદરન કમિટીની ભલામણ મુજબ બેંક દ્વારા ગ્રાહકને અપાયેલા નંબર પર માત્ર એસએમએસ કરવાનો અને તેમાં પણ માત્ર’ બ્લોક ‘ લખાતા જ ગ્રાહકનું એટીએમ કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે. જ્યારે ગ્રાહક સેવા માટે પણ દરેક બેંકો માટે એક જ ટોલ ફ્રી નંબર જાહેર કરવાનો રહેશે. જે નંબર ખાતેદાર ડાયલ કરે ત્યાર બાદ ખાતેદાર જે બેંકની સેવાની વાત કરતો હોય તે બેંકના પ્રતિનિધિની સાથે વાત કરાવાશે. ટોલ ફ્રી નંબરના પગલે પણ ઘણા ખાતેદારોની સમસ્યાઓનો ઝડપી નિકાલ થશે.બેંકો દ્વારા થર્ડ પાર્ટી કોમન સિંગલ નોયોર કસ્ટમર ડેટા બેંક પણ તૈયાર કરાશે. જેથી અલગ અલગ રીતે પોતાની માહિતી અલગ અલગ બેંકોને આપનારા કૌભાંડીઓ પણ ઝડપાઇ જશે. કેવાયસી ડેટા બેંક હોવાથી ઝડપથી દેશભરમાં બેંક અધિકારીઓ જરૂરી નિર્ણય લઇ શકશે.જ્યારે પેન્શનરો માટે પણ એવી ભલામણ કરવામાં આવી છે કે, જો પેન્શનરો પોતાની હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરે તેની સાથે જ  બેંકની કોર બેંકિંગ સુવિધા ધરાવતી કોઇ પણ બ્રાન્ચમાં સિનિયર સિટીજન તરીકેની નવી માહિતી ઉમેરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બેંકોમાં ગ્રાહક સેવાને વધુ મજબૂત બનાવવા માટે ગત વર્ષે રિઝર્વ બેંકે એમ.દામોદરન વડપણ હેઠળની એક કમિટીની રચના કરી હતી. આ કમિટીએ તેનો અહેવાલ તાજેતરમાં જ રિઝર્વ બેંકને રજૂ કર્યો હતો.
 Reply
 Reply to all
 Forward

ટિપ્પણીઓ નથી: