(૧) વૃદ્ધાવસ્થા અથવા વૃદ્ધત્વ આપણા બાળપણનું જ પુનરાગમન છે.
(૨) વ્યક્તિએ શાંતિ અને સુખ મેળવવા માટે પોતાના વિચાર
મુજબની અભિવ્યક્તિ અને તે મુજબનું જ કાર્ય કરવું જોઈએ.
(૩) સમાધાન એ એક સરસ છત્રીરૂપ જરૂર બની શકે છે પણ
એ કદી છત બની શકતી નથી.
(૪) સદગુણ એકમાત્ર એવું રોકાણ છે જેમાં ક્યારેય નુકસાન થતું નથી.
(૫) પરિવારમાં જો પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને સમર્પણ હોય
તો સૌનાં જીવન સ્વર્ગ સમાન બની જાય છે.
(૬) આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે- જે કામથી તમે
ડરો છો તે જ કરો.
(૭) જે કામ ઉપાયથી થઈ શકે છે, તે પરાક્રમથી થઈ શકતું નથી.
(૮) અપવિત્ર કલ્પના પણ એટલી જ ખરાબ હોય છે, જેટલું અપવિત્ર કર્મ.
(૯) જે દ્રઢનિશ્ચયી છે, તે દુનિયાને પોતાના બીબામાં ઢાળી શકે છે.
(૧૦) કોઈ પણ શ્રેષ્ઠ કામ આપમેળે જન્મતું નથી, તેણે વિચારોના
ખોળામાં ખૂંદવું પડે છે.
(૧૧) દેવું એક એવું મહેમાન છે જે એક વખત આવ્યા પછી જવાનું
નામ નથી લેતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો