
જેતપુરના કણકીયા પ્લોટ માં આવેલ શારદા વિદ્યા મંદિર નામની શાળાના સંચાલકોને શું જાને કબુદ્ધિ સુજી છે કે તેઓએ ગુજરાત બહારના કેટલાક તાંત્રિકોને શાળાનો એક રૂમ ભાડે આપી જ્યોતિષના ખેલ ખેલ ચાલુ કાર્ય છે.
આ તાંત્રિકો મુંજવણમાં મુકાયેલા લોકોને ઉગારવાના આંબા આંબલી બતાવીને રીતસરના છેતરી રહ્યા હોવાની વિગતો મળી છે.જાણકારો કહે છે કે આ તાંત્રિકો પાસે કોઈ લાયસન્સ કે જરૂરી સરકારી દસ્તાવેજો નથી કે તેઓ આમ પ્રજાને છેતરી શકે.
અમુક વાલીઓએ આ વાતને ગેરવાજબી બતાવીને એવો રોષ વ્યક્ત કર્યો છે કે સંસ્કારો અને વિદ્યાનું ધામ એવી શાળાઓમાં આવા ગેરકાયદેસર ધીકતા ગોરખ ધાંધ હરગીજ નાં ચાલવા દેવાય.
રાજ્યના શિક્ષણ મંત્રી તમો ક્યાં છો ? જેતપુરની આ શાળાના સંચાલકોને કઈક વિદ્યાના પાઠ ભણાવો, ભણાવો..તેઓને શું શાળાની આવક ઓછી પડી કે આમ આવા તંત્રીકોને રૂમ ભાડે આપી જ્યોતિષના નામે ધીકતો ધંધો ચાલુ કરવા દીધો ????
જેતપુરની શૈક્ષણિક સંસ્થાઓના માંધાતાઓ એવા
ડોક્ટર પ્રિયવદન કોરાટ અને દિનેશભાઈ ભુવા તમો ક્યાં છો ? ક્યાં છો ?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો