અનુયાયીઓ

બુધવાર, 27 જુલાઈ, 2011

શોહરાબુદ્દીનના ભાઈ નયામુદ્દીને કેમેરા સમક્ષ સી.બી.આઈ.ની તપાસ ખોટી છે તે પૂરવાર કર્યુ છે. ગુજરાત સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસનું નિવેદન

કેન્દ્રની કોંગ્રેસ શાસીત સરકાર સી.બી.આઈ.નો માત્રને માત્ર રાજકીય ઉપયોગ લોકપ્રિય ગુજરાત સરકારને ભીંસમાં લેવા કરે છે તે હકિકત ખુલ્લી પડી ગઈ

ગુજરાત સરકારના પ્રવકતા શ્રી જયનારાયણભાઈ વ્યાસે જણાવ્યુ છે કે કેન્દ્રની કોંગ્રેસ શાસીત સરકાર દ્વારા સી.બી.આઈ. જેવી તપાસ એજન્સીનો, ગુજરાતની લોકશાહી ઢબે ચૂંટાયેલી લોકપ્રીય સરકારને ભીંસમાં લેવાના માત્રને માત્ર રાજકીય ઉપયોગ જ કરી રહી છે તે વાત દીવા જેવી સ્પષ્ટ રીતે પુરવાર થઈ ગઈ છે. દેશની એક ટીવી ન્યુઝ ચેનલ શોહરાબુદ્દીન કેસમાં સ્ટીંગ ઓપરેશન કરીને સત્યને બહાર લાવી છે તેના પરિણામે કેન્દ્રની કોંગ્રેસ સરકારની ગુજરાત સરકારને બદનામ કરવાની આ હકિકત સપાટી ઉપર આવી ગઈ છે એમ તેમણે ઉમેર્યુ હતું.

રાજય સરકારના પ્રવકતા મંત્રીશ્રીએ સ્પષ્ટપણે એમ પણ જણાવ્યું છે કે શોહરાબુદ્દીન કેસમાં રાજય સરકારના કોઈ મંત્રી અથવા કોઈ એજન્સી કોઈ રીતે સંકળાયેલા નથી તેવી સચ્ચાઈ, ખુદ જેને સી.બી.આઈ.એ શામ, દામ, દંડ, ભેદથી સાક્ષી તરીકે રજુ કરેલ છે તે શોહરાબુદ્દીનના ભાઈ નયામુદ્દીને ટીવી ચેનલના કેમેરા સામે જગજાહેર સ્પષ્ટ કરી દીધી છે.

શ્રી જયનારાયણ વ્યાસે આ સ્ટીંગ ઓપરેશનની સત્યતાના મહત્વના મુદ્દાઓની ભૂમિકા પ્રસ્તુત કરતા જણાવ્યું કે આ બાબતો સ્વયંસ્પષ્ટ રીતે સી.બી.આઈ.ના શંકાસ્પદ વર્તન અને ભૂમિકા અંગે ઘટસ્ફોટ કરે છે. આ કિસ્સામાં, રાજય સરકારની સી.આઈ.ડી. ક્રાઈમે જે તપાસ કરી હતી તેનું તારણ એવું હતું કે શોહરાબુદ્દીન અને કૌસરબી સાથે જે ત્રીજી વ્યકિત હતી તે તુલસી પ્રજાપતિ નહીં પરંતુ અતીખ્યાત કલીમુદ્દીન હતા. આ જ હકિકત કેમેરા સામે આવી છે અને શોહરાબુદ્દીનના ભાઈ નયામુદ્દીને જ કહી છે જે કોઈ પણ શંકા વગર સાબીત કરે છે કે ગુજરાત પોલીસે જે તપાસ આ કેસમાં કરી હતી અને જે હકીકતો તથા તથ્યો ને આધારે તુલસીરામ શોહરાબુદ્દીન સાથે નહીં હોવાનું કહેવાયું હતું તે તપાસ સાચી હતી. ૫રંતુ ગુજરાત પોલીસની આ તપાસને કેટલાક તથાકથીત (NGO) બીન સરકારી સંગઠનોએ પડકારી અને એવી શંકા વ્યકત કરેલી કે જેના કારણે આ સમગ્ર તપાસ સી.બી.આઈ.ને સોંપવાનો નિર્ણય લેવાયો હતો. હવે આ છેલ્લા બે દિવસથી ટીવી પર પ્રસારીત થતા શોહરાબુદ્દીનના સગા ભાઈ નયામુદ્દીનના સ્ટીંગ ઓપરેશન પછી સી.બી.આઈ.ની તપાસ ખોટી છે તેવું પુરવાર થયું છે અને ખૂદ CBIની તટસ્થતા ઉપર જ મૂળમાં ઘા થયેલો છે ત્યારે સી.બી.આઈ.ની તપાસ એજન્સી ઉપર વિશ્વસનીયતાનો પ્રશ્નાર્થ સ્વયં ખડો થઈ ગયેલો છે અને હવે આ સમગ્ર મામલામાં વળી પાછી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT) જેવી તપાસ એજન્સી બનાવીને ફરીથી તપાસ થાય તો આવું જ સત્ય બહાર આવ્યું ગણાશે.

આવા જ અગાઉ ટીવી ચેનલના એક બીજા સ્ટીંગ ઓપરેશનમાં અમદાવાદ શહેરના એક ખાનગી બીલ્ડર ઉપર ફાયરીંગ કરવાના કિસ્સામાં પણ માત્રને માત્ર ડરાવવા અને ધમકાવવાની વૃત્તિ જ કારણભૂત હતી અને તેની પાછળ કોઈ રાજકીય હસ્તક્ષેપ નહોતો તેવું પુરવાર થયેલું છે તેમ આ શોહરાબુદ્દીના કિસ્સામાં હવે જે તથ્યો બહાર આવેલા છે તેમાં સી.બી.આઈ. રાજય સરકારને ભીંસમાં મૂકવાનો પ્રયાસ કરી રહી છે તે, કેન્દ્રની કોંગ્રેસ શાસીત સરકારનો સી.બી.આઈ.નો રાજકીય દુરુપયોગ કરવાની હકિકત જ નિઃશંક પુરવાર કરે છે એમ શ્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું છે અને ઉમેર્યુ છે કે કેન્દ્ર સરકાર દ્વારા સી.બી.આઈ.ને ગુજરાતની લોકશાહી ઢબે ચૂંટાયેલી અને અવિરત લોકચાહના મેળવી રહેલી રાજય સરકાર સામે અવરોધો ઉભા કરવાનું હથીયાર બનાવી રહી છે જે દેશના લોકતંત્ર માટે સંકટ સમાન છે જેને લોકશાહીના કોઈ હિતચિંતકો સાંખી લેશે નહીં.

કિસાનોના હિતમાં રાજય સરકારનો અગત્‍યનો નિર્ણય

નર્મદા મુખ્‍ય નહેરમાંથી ૧૧૧૩૦ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્‍થો ખરીફ પાકને બચાવવા માટે અપાશે - સિંચાઇ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

ર૭ જુલાઇ થી ૧૫ ઓગસ્‍ટ દરમ્‍યાન પાણી છોડાશે

દશક્રોઇ, ધોળકા, ખેડા, આણંદ અને ઉત્તર ગુજરાત વિસ્‍તારના કિસાનોને લા

ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ગુજરાતના કિસાનોના ખરીફ પાકને બચાવી લેવા માટે મહત્‍વાકાંક્ષી નિર્ણય કરી નર્મદા મુખ્‍ય નહેરમાંથી ૧૧૧૩૦ એમ.સી.એફ.ટી. પાણનો જથ્‍થો છોડવાનો અગત્‍યનો નિર્ણય કર્યો છે એમ સિંચાઇ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યું છે.

મંત્રીશ્રી પટેલે ઉમેર્યુ હતું કે, રાજયમાં ચોમાસાની મોસમમાં કેટલાક વિસ્‍તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું જણાતા કિસાનોનો ઉભો પાક, જેમાં ખાસ કરીને ડાંગરની ખેતીને બચાવવા માટે ધારાસભ્‍યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા ખેડૂતો ધ્‍વારા સિંચાઇની સુવિધા ઉપલબ્‍ધ બનાવવા માટે રજૂઆતો મળતા મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ત્‍વરિત નિર્ણય કરી આ પાણીનો જથ્‍થો નર્મદા મુખ્‍ય નહેરમાંથી ૧૧૧૩૦ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્‍થો છોડવાનો હિતકારી નિર્ણય કર્યો છે. નર્મદા મુખ્‍ય નહેરમાંથી આ પાણી છોડાતા ફતેવાડી નહેર યોજના, ખારીકટ નહેર યોજના, મહી કમાન્‍ડ વિસ્‍તારમાં પાણી આપવામાં આવશે અને ઉત્તર ગુજરાતના તળાવો ભરવામાં આવશે. જેનો લાભ ધોળકા, દશક્રોઇ, ખેડા, આણંદ જિલ્‍લાના વિસ્‍તારો અને ઉત્તર ગુજરાતના હજારો કિસાનોને મળશે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, નર્મદા મુખ્‍ય નહેરમાંથી આ પાણી છોડાતા ફતેવાડી નહેર યોજનાના કમાન્‍ડ માટે કુલ ૧૩૦૦ કયુસેક, ખારીકટ નહેર યોજના માટે ૩૫૦ કયુસેક, મહી કમાન્‍ડ માટે ૪૫૦૦ કયુસેક અને ઉત્તર ગુજરાતના તળાવો ભરવા માટે ૪૦૦ કયુસેક મળી કુલ ૬૫૫૦ કયુસેક એટલે કે, ૧૧૧૩૦ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્‍થો છોડવામાં આવશે. આ પાણીનો લાભ તા.ર૭ જુલાઇ,૨૦૧૧ થી ૧૫ ઓગસ્‍ટ, ૨૦૧૧ દરમ્‍યાન સિંચાઇ માટે ઉપલબ્‍ધ બનશે.

યમર્યાદા ધરાવતાં હોય, તેઓએ નિયત નમૂનામાં જેમાં, પૂરું નામ, સરનામું (ફોન નંબર સાથે), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, રમત-ગમત સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર, અનુસૂચિત જન જાતિનું પ્રમાણપત્ર, વાલીની સંમતિ અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તા. ૩૦-૮-૨૦૧૧ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારી, શિવશક્તિ બિલ્ડીંગ, જિલ્લા પંચાયત સામે, પાલનપુર, જિ. બનાસકાંઠા-૩૮૫૦૦૧ને મોકલી આપવાની રહેશે તેમ કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.

વિઝા મેળવવા માટેની અરજીઓ સાથે નેટીવીટી પ્રમાણપત્ર જરૂરી

ગાંધીનગર, વિદેશ જવા ઇચ્છતા ભારતીય નાગરિકોને વિઝા મેળવવા માટેની અરજીઓ સાથે નેટીવીટી પ્રમાણપત્ર જરૂરી છે. સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રમાં જણાવ્યાનુસાર, અરજદારના ડોમીસાઇલ પ્રમાણપત્રના આધારે નેટીવીટી પ્રમાણપત્ર આપી શકાશે. આ પ્રમાણપત્રો માટે પણ જન્મ-મરણ, લગ્ન, ડ્રાઇવીંગ, શૈક્ષણિક લાયકાત કે ‘‘પર્સન ઓફ ઇન્ડિયન ઓરીજીન’’ જેવા દસ્તાવેજોને પ્રમાણિત કરવા માટે કરવામાં આવતી કાર્યવાહી કરીને પ્રમાણપત્રો પ્રમાણિત કરવાના રહેશે.

ટિપ્પણીઓ નથી: