અનુયાયીઓ

શુક્રવાર, 28 નવેમ્બર, 2014

કોમ્પ્યુટર એન્જીનીયર બનવા માંગતો જેતપુરનો યુવાન ભયંકર રોગ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં સપડાઈ ગયો !!

કોમ્પ્યુટર એન્જીનીયર બનવા માંગતો જેતપુરનો યુવાન 

ભયંકર રોગ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં સપડાઈ ગયો !! 

બહેન નિમિષાના સહારે જીવન જીવતો રાજેશ ભાટિયા 

શિક્ષણનું બલિદાન આપનાર બહેનની સેવા છાપરે ચડીને પોકારે તેવી જોવા મળી !!

(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર) તા.28

     જેતપુરના મોટા ચોકમાં રહેતો અને અભ્યાસમાં તેજસ્વીતા ધરવતો યુવાન છેલ્લા સાત સાત વરસ થયા એક ભયંકર રોગમાં પીડાઈ રહ્યો હોય, કોઈ પાસે રોગની નક્કર સારવાર કે ઈલાજ હોય તો જણાવવા પીડિત યુવાનના પરિવારજનોએ ભીની  આંખે ભીની આંખે અપીલ કરી છે.

     જન્મના 15 વર્ષ પછી અચાનક ઉક્ત ભયંકર રોગમાં સપડાઈ ગયેલા જેતપુરના ભાટિયા રાજેશ સતીશભાઈ ગોકળ ગાંધી (..22) જીવનને ધૂંધળું બનાવી દેનાર હકીકતો જાણીએ તો રાજેશે ધો.1 થી 10 નો અભ્યાસ બિલકુલ સજા નરવા અને પરફેક્ટ ફિઝીકલી ફિટનેસ સાથે પૂર્ણ કર્યો..

આગળ વધુ ભણી કોમ્પ્યુટર એન્જીનીયર બનવા માંગતા રાજેશની જીંદગીમાં એકાએક પીડાદાયક ગંભીર વળાંક આવ્યો હોય તેમ તેમના શરીરમાં નબળાઈ, રહેવા, બેસવા, હરવા, ફરવા તેમજ ભોજન અને મોજ શોખમાં દિન પ્રતિદિન વધતી જતી 

     અરુચિ બાદ એકદમ શારીરિક શક્તિઓ ખતમ થતી જતી હોવાનો અહેસાસ થવા લાગતા પિતા સતીશભાઈ કરશનદાસ ભાટિયા, માતા ઇલાબેન, બે બહેનો ખુશ્બુબેન અને નીમીશાબેન સહિતના પરિવારજનો રાજેશની સારવાર માટે સૌરાષ્ટ્ર-ગુજરાત ખુંદી વળ્યા હતા પણ કોઈ જગ્યાએ અસરકારક સારવાર મળતી નહોતી.

      બીજીબાજુ રાજેશને હલવા-ચાલવામાં, ઉઠવા બેસવામાં ટેકાની જરૂરીયાત ઉભી થવા લાગતા એક તબ્બક્કે શરીર સાથ છોડી રહ્યાનું તે દુખ અનુભવતો હતો. પછી  તો ચાલતા ચાલતા પણ ગબડી પડવાની ઉપાધિમાં સપડાઈ રહેલા યુવાનના પરિવારજનો રાજકોટ, અમદાવાદ, સુરતબરોડા અને મુંબઈ સુધી ધોળા કરી આશરે રૂપિયા 10 લાખનું રાજેશની સારવારમાં આંધણ કરી નાંખ્યું, પણ કોઈ સારવાર ફળી નહોતી

     દરમિયાન રાજકોટના એક નામાંકિત તબીબના નિદાનમાં એવું બહાર આવ્યું હતું કે મેજોરીટી પુરુષમાં અને 1 થી 15 વર્ષ દરમિયાન લાગુ પડી જતા ભયંકર  મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં રાજેશ સપડાઈ ગયો છે. જરૂરી અને ઝડપી સારવાર મળે તોજ માણસ બચી શકે તેવા તબીબોના ત્રણ વચ્ચે યુવાનનો પરિવાર મુંબઈની સાયન હોસ્પિટલ ખાતેથી ડોક્ટર ખાંડેલકર અને હરિદ્વાર ખાતે યોગ ગુરુ બાબાના આશ્રમ ખાતેથી દવાઓ લઈને રાજેશની સારવાર કરતા  જતા હતા. જેમાં હરિદ્વારની દવાએ યુવાનના શરીરમાં ફેલાતા ઉપરોક્ત રોગના ફેલાવાને અટકાવવામાં મહદઅંશે ભાગ ભજવ્યો હોવાનું તેમના પરિવારજનોએ  જણાવ્યું હતું, જો કે હાલના દિવસોમાં રાજેશ પોતાની રીતે કઈ પણ કરવા અસમર્થ બની ગયો છે.

 

બોક્સ: બહેને આપ્યું અભ્યાસનું બલિદાન !!

જેતલસર : રાજેશથી મોટી બહેન નીમીષાએ લખનારને જણાવેલ કે, તેણીએ એસવાયબીકોમ સુધી અભ્યાસ કરી બાકીનો અભ્યાસ છોડી દીધો, એક એવો મક્કમ નિર્ધાર કરી લીધો છે કે જ્યાં સુધી ભયલો રાજેશ પુનઃ ચાલવા ના લાગે, દોડવા નાં માંડે ત્યાં સુધી અભ્યાસ તો શું લગ્ન પણ નહિ કરે !  તો માતા ઇલાબહેને રડમસ અવાજે જણાવેલ કે તેઓની વયોવૃદ્ધ અવસ્થામાં મદદ માટે લાકડી સમાન દીકરો સાજો નરવો થઇ જાય તેનાથી વિશેષ એક માતાની શું અપેક્ષા  હોય ? જ્યારે નાનો અમથો ધંધો ધરાવતા રાજેશના પિતા સતીશભાઈએ જણાવેલ કે દવા અને દુઆઓ સાથે રાખી પુત્રની સારવાર માટે આમથી તેમ ભટકી રહ્યા છીએ. કોઈ આવા રોગમાંથી છુટકારો મેળવી ચુક્યું હોય તો બસ એકવાર આવા દર્દીઓએ મળવા અનુરોધ કર્યો છે.

 

બોક્સ:  રોગના ક્યાં ક્યાં લક્ષણો છે ?

જેતલસર :મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રો ગમાં સપડાયેલ દર્ધીની શારીરિક તાકાત દિન પ્રતિદિન ખતમ થતી જાય છે.  દર્દી પોતે સેલ્ફ કોઈ પણ કાર્ય, હલન ચલન માટે મજબુર થઇ જાય છે. રોગના રક્તકણો એટલી બધી માત્રામાં શરીરમાં ફેલાઈ જાય છે કે આપના મૂળભૂત રક્તકણોને વિકાસમાં અવરોધ ઉભો કરે છે. તાવ-શરદીથી કાયમ દર્દી ઘેરાયેલો રહે છે. 5 થી 15 વર્ષના પુરુષ જાતિમાં રોગ વધારે વળગી જતો હોવાનું જાણકાર તબીબોનું કહેવું છે. અમુક તબીબોએ એવા પણ તારનો રજુ કર્યા કે તેઓની સમાજ અને જાણકારી મુજબ આજથી વર્ષો પહેલા રોગ 7500 વ્યક્તિઓમાં એક માં જોવા મળતો, આજે રોગનો ફેલાવો 3500 વ્યક્તિઓમાં એક માં જોવા મળે છે. સમયસરની સારવાર ના મળે તો દર્દીને જીવનથી હાથ ધોવા પડે એટલેકે દર્દી મોતને પણ ભેટે તેવી દહેશત તબીબી વર્તુળોએ વ્યક્ત કરી છે.

 

બોક્સ: કેટલા પ્રકારના મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગ??

જેતલસર: દર્દીને શારીરિક રીતે ભાંગી નાંખનાર અને બેદરકારી દાખવાય તો દર્દીને મોતના મુખમાં ધકેલી દેનાર આ રોગ દસ પ્રકારે થઇ છે તેમાં ડસેન, બેકર, માયોટોનીક, કોન્જેનાઈટલ માયોપેથી , મેટાબોલિક માયોપેથી, હાઈપેર કેલેમિક પીડીયોટ્રીક, પેરમાયોટોનીયા કોન્જેનાઇટા, અને એક્વાયર્ડ માયોપેથી વિગેરે 10 પ્રકારના મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગ થાય છે.


બોક્સ: સ્ટેમસેલ થેરાપી અસરકારક ?!

જેતલસર: ઉપરોક્ત રોગનો ભોગ બનનાર રાજેશના પિતા તથા બહેન સહિતના પરીવારજનોએ જણાવેલ કે, આવા પ્રકારના રોગની સારવારમાં સ્ટેમસેલ થેરાપી અસરકારક હોવાનું સાંભળવા મળ્યું છે પણ  કોઈ આવા દર્દીનો ભેટો ના થયો હોય આવી ખર્ચાળ સારવારનો અમારે લાભ લેવો કે કેમ ? તેની ચિંતા કોઈ દુર કરી  શકે તેમ હોય તો 9998266937 ઉપર રાજેશ ભાટિયાનો સંપર્ક સાધવા અપીલ કરાઈ છે.


ફોટો અને અહેવાલ કશ્યપ જોશી જેતલસર(જેતપુર)

ફોટો લાઈન : ગંભીર માંદગીમાં પટકાયેલ રાજેશ માતા અને બહેન સાથે નજરે પડે છે. 

  


 

 

 

 

બુધવાર, 26 નવેમ્બર, 2014

જેતપુરના પીઠડીયા નઝીક ટ્રેન હેઠળ ઝંપલાવી આદિવાસી પ્રેમી પંખીડાનો આપઘાત




વીરપુર જલારામ બાપાનાં દર્શન કરી 
જેતપુરના પીઠડીયા નઝીક ટ્રેન હેઠળ ઝંપલાવી 
આદિવાસી પ્રેમી પંખીડાનો આપઘાત 
જેતલસર  તા.26  KASHYAP  JOSHI DWARA 
જેતપુરના પીઠડીયા નઝીક આજે બપોરે એક આદિવાસી પ્રેમી પંખીડાઓએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધાની ઘટના બનતા નઝરે જોનારના કાળજા કંપી ગયા હતા.
ચાર ચાર પોલીસ સ્ટેશનોમાં સત્તાધીસોની બનાવમાં હદ નક્કી કરવામાં વટી  ગયેલી માનવતાની હદ ની ચર્ચા કરીએ તો આજે બપોરના 2:30 થી 3:00  વિરપુરથી નીકળેલી ત્રિવેન્દ્રમ ટ્રેન હેઠળ એક યુવતી અને એક યુવાને ઝંપલાવી આપઘાત કરી લેતા બંનેના શરીરના કુરચે કુરચા ઉડી ગયા હતા.
આ સમયે સંબંધી રેલ બાબુઓએ ગાડી થોભી બંનેની લાશોના ટુકડા ટ્રેનના ડબ્બામાં મૂકી  જેતલસર જંકશન લઇ ગયા હતા.
બાદમાં આ બનાવ ક્યાં પોલીસની હદમાં બન્યો છે તેની ચિંતામાં પડેલ રેલ્વે પોલીસ, તાલુકા પોલીસ, વીરપુર પોલીસ તેમજ જેતપુર સીટી પોલીસ એમ તમામ જવાબદારીઓમાંથી  છટકવાની રીતસરની ગતિવિધિઓ કરી રહ્યા હતા.
બીજી બાજુ યુવક અને યુવતીની લાશો જેતલસર જંકશન માં વેઈટીગ રૂમમાં રાખી પોલીસ જવાનો બંને લાશની ઓળખવિધિ કરવાને બદલે હદ નક્કી કરવાની માથાકુટમાં પડી જતા કહેવાય છે કે મૃતકોનો મલાજો જાળવવામાં તમામ પોલીસ બિલકુલ નિષ્ફળ જોવા મળી હતી.  આ લખાય છે ત્યારે રાત્રીના નવ વાગ્યે જીઆરપીના જવાન માધાભાઈ એ અખબારી પ્રતિનિધીઓને લાશો ઓળખાઈ ગયાની માહિતી આપી હતી. 

બોક્સ: વીરપુર દર્શન કરી કર્યો આપઘાત !!
જેતલસર: જીઆરપી પોલીસે માહિતી આપતા જણાવેલ કે સોનલબેન દિનેશભાઈ વસાવા (ઉ.વ.17) તેમજ લાલો ભીખાભાઈ પાટણવાડિયા (ઉ.વ.22) એમ બંને પ્રેમી પંખીડા(રહે.મોકણ, તા.કરજણ, જી.ભરૂચ) આજે સવારે વીરપુર જલારામ બાપાનાં દર્શન કરીને કોઈ વાહનમાં જેતપુરના પીઠડીયા નઝીક રેલ્વે ટ્રેક (પાટા ) ઉપર આવી ગયા હતા. આ સમયે સમાજ આપણને એક થવા નહિ દે અને જીવ્યા સાથે તો મરિયે પણ સાથે તેવો એકબીજાને જાણે  કોલ આપી બેઠા હોય, થોડીવાર વાતો કરી, બરાબર  અઢી થી ત્રણ વાગ્યાની આસપાસ ત્યાંથી ઘસમસતી નીકળેલ ત્રિવેન્દ્રમ ટ્રેન હેઠળ ઝંપલાવી મોત વહાલા કરી દેતા બંનેના શરીરના કુરચા ઉડયા હતા.

બોક્સ: લાશો કેમ ઓળખાઈ ??
જેતલસર: જીઆરપીના જવાન માધાભાઈ પરમારે જણાવેલ કે જીઆરપીના ફોજદાર કુબાવતની સુચનાથી ગુજરાત પોલીસ જેતલસર જંકશનના માધાભાઈ, કાન્તીભાઈ વિગેરેએ બાંનેની લાશોની અંગજડતી લેતા એક મોબાઈલ મળી આવ્યો હતો. જેમાં 
 વાયા મીડિયા સંપર્કો કરી વાલીઓને જાણ  કરી પૂછપરછ કરતા આ બંને સોનલ દિનેશ વસાવા  અને લાલો ભીખાભાઈ હોવાનું અને પ્રેમ સબબ ભાગ્યા હોવાનું કરજણ કે ભરૂચ પોલીસ મથકોમાં નોંધાયાનું બહાર આવ્યું હતું

બોક્સ: 2 લાશો, 4 પોલીસ સ્ટેશનો, 6 કલાક હદ નક્કી કરવામાં પોલીસ લાચાર !!
જેતલસર: કરજણ પંથકના પ્રેમી પંખીડાઓએ જેતપુર નઝીક આત્મા હત્યા કરી લીધાની બપોરની ઘટનામાં જેતલસર રેલ્વે પોલીસ, વીરપુર પોલીસ, જેતપુર તાલુકા પોલીસ અને જેતપુર શહેર પોલીસ એમ ચાર ચાર પોલીસ મથકોના જવાબદારો બનાવની હદ નક્કી કરવામાં માનવતાની હદ વટાવી નાખતા જાણકારોમાં પોલીસની ટીકાઓ થઇ રહી છે. છેક રાત્રીનાં સાડા આઠ વાગ્યા થી નવ વાગ્યા દરમીયાન પ્રેમીઓની લાશો પીએમ માટે જેતપુર ની સરકારી હોસ્પીટલમાં લાવી હતી. બપોરથી રાતના નવ વાગ્યા સુધીમાં શહેરના પત્રકારોએ અનેક ફોન ચારે પોલીસ સ્ટેશનોમાં કર્યા હતા પણ બધા એકજ કેસેટ વગાડતા હતા કે કાગળો આવ્યા નથી, અમારી હદનો બનાવ નથી.

કશ્યપ જોશી જેતપુર જેતલસર 
9974262812