અનુયાયીઓ

શનિવાર, 1 જૂન, 2013

સુધારેલી ખેતીથી જ નફાકારકતા વધશે - પ્રાંત અધિકારીશ્રી વાધેલા ગોરીયાદની કૃષિ મહોત્સવ સમાપન સભામાં સરગવાનું મૂલ્યવર્ધન કરવાનો અનુરોધ

નવમા કૃષિ મહોત્સવનું વડોદરા જિલ્લામાં સમાપન થયું છે. તેના ભાગરૂપે પ્રગતિશીલ ખેતી માટે જાણીતા પાદરા તાલુકાના ગોરીયાદ ગામે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, પાદરાના સંયુક્ત ઉપક્રમે ખેડૂત શિબિર અને કૃષિ સભા યોજવામાં આવી હતી. સભામાં પ્રાંત અધિકારીશ્રી જે.એન.વાધેલા, જિલ્લા ખરીદ વેચાણ સંધના અધ્યક્ષશ્રી પ્રવિણભાઇ પટેલ, એપીએમસી, પાદરાના અધ્યક્ષશ્રી ભાસ્કરભાઇ પટેલ, તાલુકા પંચાયત અધ્યક્ષા કાંતાબેન અને મહાનુભાવોના હસ્તે ખેડૂતોને કૃષિ અને બાગાયતના કીટસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પરંપરાગત ખેતીમાં સમયની માંગ પ્રમાણે વૈજ્ઞાનિક સુધારા કરવામાં આવે તો ખેતી નફાકારક બને તેવી લાગણી વ્યક્ત કરતાં પ્રાંત અધિકારીશ્રી વાધેલાએ જણાવ્યું હતું કે, એટલે કૃષિ સભાઓમાં કૃષિ વિશ્વવિઘાલયોના વૈજ્ઞાનિકો અને તજજ્ઞો સંશોધીત ખેતીના સલાહ-સૂચનો અને માર્ગદર્શન આપે છે. જેનો અમલ કરવો જરૂરી છે. સમયને અનુરૂપ મેનેજમેંટથી ખેતી સફળ બનશે તેવી લાગણી વ્યક્ત કરતાં શ્રી પ્રવિણભાઇ પટેલે જણાવ્યું હતું કે, પાદરા તાલુકાના ખેડૂતો જમીન વેચીને રોકડી કરી લેવાની લાલચ છોડીને, લાંબાગાળાના લાભ માટે ઉપલબ્ધ જમીનમાં સુધારેલી ખેતી કરવાનું આયોજન કરે.

ભારતમાં આરોગ્યપ્રદ સરગવાનું સહુથી વધુ ઉત્પાદન પાદરા તાલુકો કરે છે. તેનો ઉલ્લેખ કરતા કૃષિ વૈજ્ઞાનિક ડૉ. સુભાષ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્યપ્રદ સરગવાની વિદેશોમાં મોટી માંગ છે. રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓ વગર, સેન્દ્રીય પદ્ધતિથી ઉછેરવામાં આવેલ સરગવાની કટકાના રૂપમાં, તેના પાનના પાવડરના રૂપમાં અને ભાજીના રૂપમાં નિકાશ કરવાની ઉજળી શક્યતાઓ છે. બાગાયત ખાતા દ્વારા સરગવાના મૂલ્યવર્ધનનું માર્ગદર્શન આપવામાં આવે છે. ખેડૂતો તેનો લાભ લે. ડૉ. જે.બી.પટેલે લો કોસ્ટ અને નો કોસ્ટ ટેકનોલોજીઓ અપનાવીને ખેતીને લાભદાયક બનાવવાનો અનુરોધ કર્યો હતો. ખેતીમાં પ્લાસ્ટીકના ફાયદાકારક ઉપયોગનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

 

મોટા પડીકાના બીટી બિયારણની સાથે નાના પડીકાના નોન બીટી બિયારણનું વાવેતર અવશ્ય કરવું

 

પાદરા તાલુકાના ગોરીયાદ ગામે મળેલી કૃષિ મહોત્સવ સમાપન સભામાં આણંદ કૃષિ વિશ્વવિઘાલયના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. સુભાષ પટેલે બીટી બિયારણોના વાવેતરમાં લેવા યોગ્ય તકેદારીઓનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બીટી બિયારણના મોટા પડીકાની સાથે નોન બીટી બિયારણનું નાનું પડીકું આપવામાં આવે છે. યોગ્ય જાણકારીના અભાવે ખેડૂતો નાના પડીકાના નોન બીટી બિયારણનું વાવેતર કરતાં નથી. ખરેખર તો બીટી બિયારણની સફળતા માટે, તેની સાથે નોન બીટી બિયારણનું વાવેતર કરવું જરૂરી છે. નોન બીટી બિયારણનું ચાર ચાસે એક ચાસ પ્રમાણે અથવા મોચમમાં એટલે કે શેઢે શેઢે વાવેતર કરવું જોઇએ. તેના કારણે બીટી પાકને રોગ જીવાત સામે સંરક્ષણ મળે છે. જો બીટીની સાથે નોન બીટીનું વાવેતર કરવામાં આવે તો ત્રીજા-ચોથા વર્ષે બીટી બિયારણ પણ નોન બીટી બની જશે તેવી ચેતવણી તેમણે આપી હતી.

ખેડૂતોએ મોનોક્રોટોફોસનો ઉપયોગ કરવો

વડોદરા,

કૃષિ વૈજ્ઞાનિક ડૉ. સુભાષ પટેલે પાદરા તાલુકાના ગોરીયાદ ગામે મળેલી કૃષિ સભામાં ખેડૂતોને ધણી નુકશાનકારક જણાયેલી મોનોક્રોટોફોસ દવાનો ઉપયોગ સદંતર બંધ કરી દેવા અનુરોધ કર્યો હતો. પાદરા તાલુકો ગુજરાતની શાકભાજીની વાડી (વેજીટેબલ હબ) તરીકે ઓળખાય છે તેનો ઉલ્લેખ કરતાં ડૉ. પટેલે જણાવ્યું હતું કે, અગાઉ કૃષિ વૈજ્ઞાનિકો શાકભાજીના પાકોમાં ઇયળોનો ઉપદ્રવ ડામવા મોનોક્રોટોફોસ દવાનો છંટકાવ કરવાની ખાસ ભલામણ કરતાં હતા. હવે નવા સંશોધન પ્રમાણે તેની હાનીકારક અસરોને અનુલક્ષીને મોનોક્રોટોફોસ દવા ખેડૂતો ખરીદે કે વાપરે નહી તેની ખાસ લામણ કરવામાં આવે છે. 

 

જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં લેબર કોન્ટ્રાકટર્સ અને મુકાદમોએ શ્રમિકોની માહિતી પોલીસ મથકમાં જમા કરાવવી

વડોદરા,

ત્રાસવાદી પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વો પર નિયંત્રણ રાખવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, વડોદરાએ કાયદાની લાગુ પડતી જોગવાઇઓ હેઠળ જાહેરનામુ બહાર પાડીને, તેમની હકુમત હેઠળના જિલ્લાના સમગ્ર ગ્રામ વિસ્તારના લેબર કોન્ટ્રાકટર્સ અને મુકાદમોએ તેમના દ્વારા કામે રાખવામાં આવતા શ્રમિકોની માહિતી નિર્ધારીત નમૂનાના પત્રકમાં સંબંધિત વિસ્તારના પોલીસ મથકમાં જમા કરાવવાનો નિયમ કર્યો હતો. તેનો અમલ તાત્કાલિક અસરથી તા. ૨૬/૦૭/૨૦૧૩ સુધી લંબાવવામાં આવ્યો છે. તેનું ઉલ્લંધન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.

 

જિલ્લાના ગ્રામ વિસ્તારોના મોબાઇલ અને સીમકાર્ડ વિક્રેતાઓએ પાળવાના નિયમોનો અમલ લંબાવાયો

વડોદરા,

આતંકવાદી પ્રવૃત્તિઓને ડામવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, વડોદરાએ કાયદાની જોગવાઇઓ પ્રમાણે જિલ્લાના ગ્રામ વિસ્તારના મોબાઇલ અને સીમકાર્ડ વિક્રેતાઓએ પાળવાના નિયમો અમલી બનાવ્યા હતા. તેનો અમલ હવે તાત્કાલિક અસરથી તા. ૨૬/૦૭/૨૦૧૩ સુધી લંબાવવામાં આવ્યો છે. તેનું ઉલ્લંધન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.

 

શ્રેષ્ઠ શિક્ષકના રાજ્ય પારિતોષિકો માટે મંગાવાતી અરજીઓ 

વડોદરા, ૩૧ મે, ૨૦૧૩ (શુક્રવાર) રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં હાલમાં શૈક્ષણિક કાર્ય કરતાં પ્રાથમિક / માધ્યમિક વિભાગના શિક્ષકો તેમજ મુખ્ય શિક્ષક/ આચાર્યમાંથી દર વર્ષ પ્રમાણે રાજ્ય સરકારશ્રી દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરી સપ્ટેમ્બર-૨૦૧૩માં પારિતોષિક એનાયત કરવા માટે જિલ્લાની પ્રાથમિક/માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક/મુખ્ય શિક્ષક આચાર્યો પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવે છે.

રાજ્ય પારિતોષિક-૨૦૧૩ મેળવવાની ઇચ્છા ધરાવતા પ્રાથમિક/માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, મુખ્ય શિક્ષકો/ આચાર્યોએ નિયત નમુનાના પત્રકોમાં તમામ માહિતી ભરી જરૂરી આધાર પુરાવા સાથેની દરખાસ્ત બાઇન્ડિંગ કરાવી ત્રણ નકલમાં રજૂ કરવાની રહેશે. માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક/આચાર્યએ સંબંધિત એસ.વી.એસ.સંકુલ ખાતેથી તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સંબંધિત તાલુકા પંચાયત કચેરી તેમજ મહાનગર પાલિકાના શિક્ષકો/ મુખ્ય શિક્ષકોએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાંથી ફોર્મ મેળવવાનું રહેશે અને દરખાસ્ત જે તે તાલુકાના  કેળવણી નિરીક્ષકને રૂબરૂમાં પહોંચતી કરવાની રહેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોએ વડોદરા તાલુકાના કેળવણી નિરીક્ષકને પહોંચતી કરવાની રહેશે. રાજ્ય પારિતોષિક-૧૩ની દરખાસ્તો તા. ૧૭/૦૬/૨૦૧૩ને સોમવાર સુધીમાં રજૂ કરવા જિલ્લા શિક્ષણાધિકારી, વડોદરાએ જણાવ્યું છે.

 

ગુમાસ્તા ધારા હેઠળના શ્રમયોગીઓ/કર્મચારીઓ મત આપી શકે તેવી વ્યવસ્થા કરવા સૂચના

વડોદરા,

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૨/૬/૨૦૧૩ને રવિવારના રોજ પંચમહાલ જિલ્લાની ૧૨૫-મોરવા હડફ (અજજા) ગુજરાત વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટે મતદાન રાખવામાં આવ્યું છે.

તેને અનુલક્ષીને ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ-૧૯૪૮ની કલમ ૧૮-(૧)(બ)(ક) હેઠળ શ્રમયોગીઓ/કર્મચારીઓ મતદાનનના દિવસે પોતાના મતાધિકારથી વંચિત રહે અને મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગ્રામીણ બેન્કો, રાષ્ટ્રીય અને ખાનગી બેન્કો અને સહકારી બેન્કો અને રાજ્ય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરી, રેલવે, ટેલીફોન, તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, હોટલો, ઔઘોગિક એકમો, કારખાનાઓ, ફેકટરીઓ, સરકારી હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બિ્રગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ/કચેરીઓ માટે તા. ૨/૬/૨૦૧૩ રવિવારના ચૂંટણીના સંબંધિત દિવસે ઉક્ત સમગ્ર વિસ્તારમાં જે દિવસે અઠવાડીક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/ બદલીમાં મતદાનના દિવસે રજા આપવાની રહેશે. સંબંધિત વિસ્તારમાં કોઇ કારણસર તેમ થઇ શકે તેમ હોય ત્યાં વૈકલ્પિક  વ્યવસ્થા તરીકે આવા કર્મચારીઓ/શ્રમયોગીઓને મતદાન માટે વારાફરતી (ત્રણ) કલાકની ખાસ રજા આપવા નાયબ શ્રમ આયુક્ત, વડોદરા દ્વારા સૂચના આપવામાં આવી છે.   

જિલ્લા કક્ષાની યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર

વડોદરા,

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય યુવક બોર્ડના ઉપક્રમે વડોદરા ગ્રામ્ય વિસ્તારની યુવક નેતૃત્વ તાલીમ શિબિર અને યોગાસન તાલીમ શિબિર જૂન મહિનામાં આયોજન કરવામાં આવનાર છે. શિબિરમાં ૧૫થી ૩૫ વર્ષ સુધીના યુવક યુવતીઓ ભાગ લઈ શકશે. રસ ધરાવતા યુવક યુવતીઅને સાદા કાગળમાં પુરુ નામ, સરનામું, ઉંમર વર્ષ, જન્મતારીખ, અન્ય પ્રવૃત્ત્િાઓમાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરિક યોગ્યતાનું ડૉકટરનું પ્રમાણપત્ર, વાલીની સંમતી વગેરે સાથેની અરજી તા. ૨૫/૬/૨૦૧૩ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી (ગ્રામ્ય) સી-૪, નર્મદા ભવન, જેલ રોડ, વડોદરા ખાતે મોદકલી આપવા જણાવાયું છે.    

 

ખારીવાવ રોડ પર અજાણ્યા પુરુષનું મરણ

વડોદરા, ૩૧

 મે, ૨૦૧૩ (શુક્રવાર) શહેરના ખારીવાવ રોડ પર તા. ૩૦/૦૫ના રોજ અંદાજે ૪૫ વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનું બીમારીથી મરણ થયું છે. મૃતકે સફેદ શર્ટ અને કાળુ પેન્ટ પહેર્યાં છે. તેના વાલીવારસોને તાત્કાલિક રાવપુરા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

 

 

માતર તાલુકાના સંધાણા ગામે જિલ્‍લા કક્ષાના કૃષિ મહોત્‍સવનું સમાપન

આધુનિક ખેતી પધ્‍ધતિથી ઓછી મહેનતે વધુ ઉત્‍પાદન મેળવી શકાય - તાલુકા પંચાયત પ્રમુખશ્રી શૈલેષભાઇ પટેલ                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 

 

રાજયમાં યોજાઇ રહેલ કૃષિ મહોત્‍સવ અન્‍વયે આજે ખેડા જિલ્‍લા કક્ષાના કૃષિ મહોત્‍સવનો સમાપન સમારોહ માતર તાલુકાના સંધાણા મુકામે યોજાયો હતો. સંધાણા ખાતે કૃષિ રથનું ભવ્‍ય સ્‍વાગત માતર તાલુકા પંચાયત પ્રમુખશ્રી શૈલેષભાઇ પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ઉપસ્‍થિત કૃષિકારોને સંબોધતા શેલેષભાઇએ જણાવ્‍યું હતું કે, ગુજરાતના કૃષિકારો આધુનિક ખેતી પધ્‍ધતિથી ઓછી મહેનતે વધુ ઉત્‍પાદન મેળવી શકે છે. ખેડૂત મિત્રોએ ખેતી અંગે આગોતરૂ આયોજન કરી સુધારેલા બિયારણ, ખાતર, દવા અને પાકની ઉચ્‍ચ ગુણવત્‍તા અને વધુ ઉત્‍પાદન મેળવવાની પધ્‍ધતિ તથા જમીનની ચકાસણી કરાવી લેવી જોઇએ. આના કારણે ઓછી મહેતને વધુ  ઉત્‍પાદન મેળવી શકાય છે. કૃષિ ઉત્‍પાદનનો સારો ભાવ મેળવી શકાય અને આર્થિક સમૃધ્‍ધિના દ્વાર ખોલી શકાય છે. આધુનિક ખેતી, આધુનિક ખેત ઓજારો, લેબ ટુ લેન્‍ડ અન્‍વયે પોતાની જમીનના નમુનાની ચકાસણી કરાવી ખેતરમાં ખૂટતાં પોષક તત્‍વો ઉમેરી કેવો પાક લેવાથી વધુ ઉત્‍પાદન મળે તે માટે સોઇલ હેલ્‍થ કાર્ડ, ટીસ્‍યુ કલ્‍ચર દ્વારા કેળાની ખેતી, ડ્રીપ પધ્‍ધતિ, સિંચાઇની નવી પધ્‍ધતિઓ, ગ્રીન હાઉસ, નેટ હાઉસ અને પોલી હાઉસ જેવી અત્‍યાધુનિક ખેત પધ્‍ધતિઓ સહિત અનેક વિધ વિષયોનું જ્ઞાન આ કૃષિ મેળા દ્વારા કિસાન મિત્રોને તેઓના ઘર આંગણે આપવામાં આવે છે. કૃષિ વૈજ્ઞાનિક શ્રી પરમારે કૃષિ સંલગ્‍ન જરૂરી વિગતો સવિસ્‍તર સમજાવી હતી. સરપંચશ્રી દિપેનભાઇ પટેલ સ્‍વાગત પ્રવચન કર્યુ હતું જયારે જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રી પરમારે આભારવિધિ કરી હતી.

સમારોહમાં કૃષિના ઋષિઓ અને સફળ ખેડૂતોનું સન્‍માન મહાનુભાવોના હસ્‍તે કરવામાં આવ્‍યું હતુ અને લાભાર્થીઓને કૃષિ કિટસ, સોઇલ હેલ્‍થ કાર્ડ તથા વિવિધ યોજનાઓના ચેકોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

સમારોહમાં ગ્રામ પંચાયતના ડેપ્‍યુટી સરપંચશ્રી, ગ્રા.પં.સદસ્‍યશ્રીઓ, જિલ્‍લા માહિતી અધિકારીશ્રી ભાવસિંહ રાઠવા, તાલુકા વિકાસ અધિકારીશ્રી પટેલ તથા વિવિધ અમલીકરણ યોજનાઓના અધિકારીઓ અને કમર્ચારીઓ, લાભાર્થીઓ અને વિશાળ સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહયાં હતાં.                         કિડની હોસ્‍પિટલ,નડિયાદ ખાતે યુરો-એન્‍કોલોજીઃ-યુરો પેથોલોજી પર સેમિનાર યોજાયો

કિડનીને લગતા રોગો વિષે પ્રજામાં જાગૃતતા લાવવાથી જીવલેણ રોગોથી બચી શકાય -ર્ડા.મેહુલ અમીન

 

નડિયાદની વિશ્‍વ વિખ્‍યાત મૂળજીભાઇ પટેલ યુરોલોજીકલ હોસ્‍પિટલ (કિડની હોસ્‍પિટલ)માં તા.૩૧, મે અને તા.૧, જૂન ૨૦૧૩ના રોજ 'ડાયલોગ્‍સ ઇન યુરો-એન્‍કોલોજીઃયુરોપેથોલોજી સમિટ'માં ઇન્‍ટરનેશનલ ફેકલ્‍ટી ર્ડા. મેહુલ અમીનની અધ્‍યક્ષતામાં ખુલ્‍લો મુકાયો હતો.

નડિયાદ કિડની હોસ્‍પિટલ દ્વારા લોકોમાં કિડનીના રોગો અંગે જાગૃતતા વધે તે માટે સતત પ્રયત્‍નો થાય છે. આ રોગો અંગેની જગૃતતાથી કિડનીના રોગો, પ્રોસ્‍ટેટ કેન્‍સર જેવી જીવલેણ બિમારીઓને ઉગતી જ ડામી દેવાય તેવા પ્રયત્‍નો થઇ રહયાં છે. જેથી અતિ ખર્ચાળ અને જોખમી રોગોથી બચી શકાય. તાજેતરમાં અમેરીકાના લોસ એન્‍જેલસમાં સેડાર્સ-સિનાઇ મેડિકલ સેન્‍ટરમાં ડિપાર્ટમેન્‍ટ ઓફ પેથોલોજી એન્‍ડ લેબોરેટરી મેડિસીનના ચેરમેન અને પ્રોફેસર ર્ડા. મેહુલ અમીનનો  બે દિવસીય સેમીનાર યોજવામાં આવ્‍યો છે. તેઓ પ્રોસ્‍ટેટ, યુરીનરી બ્‍લેડર, કિડની, વૃષણની ગાંઠ સહિતના રોગો બાબતના આંતરરાષ્‍ટ્રીય કન્‍સલ્‍ટન્‍ટ છે.  ર્ડા. અમીન જીનીટુરીનરી પેથોલોજીમાં વિશ્‍વવિખ્‍યાત નિષ્‍ણાત અને શિક્ષણકાર છે. યુરોપેથોલિયલ ટયુમર અને રિનલ નિયોપ્‍લાસમ્‍સ માટેની વર્તમાન ડબ્‍લ્‍યુએચઓ કલાસિફિકેશન સીસ્‍ટમના સહ લેખક છે. ર્ડો.અમીને ૧૯ દેશોમાં આયોજીત ૨૭૦ જેટલા વર્કશોપ, લેકચર, ગ્રાન્‍ડ રાઉન્‍ડસમાં પણ ભાગ લીધો છે. ર્ડા. મેહુલ અમીન દ્વારા નડિયાદ કિડની હોસ્‍પિટલમાં પેથોલોજી અને યુરોલોજીના ડોકટરો માટે એક તબીબી સેમિનારનું આયોજન કિડની હોસ્‍પિટલના સહયોગથી કરવામાં આવ્‍યું હતું.

આ સેમિનારના આયોજન અને હેતુ અંગે કિડની હોસ્‍પિટલના ર્ડા.દેસાઇએ જણાવ્‍યું હતું કે, ભારતમાં કેન્‍સરના પ્રમાણ અંગે તથા આ રોગની ગંભીરતા અંગે લોકોમાં જાગૃતતા લાવવા માટેનો છે. આ રોગને શરૂઆતમાં જ રોકવામાં આવે તો તે સહેલાઇથી મટી શકે છે તે અંગેના પગલા અને સાવચેતીઓ રાખવી જરૂરી છે.  સામાન્‍ય રીતે ૪૦ વર્ષથી મોટી ઉમરની વ્‍યકિતઓમાં પ્રોસ્‍ટેટ કેન્‍સરનો રોગ લાગુ પડતો હોય છે અને તે રોગના લક્ષણો ઝડપથી દેખાતા ના હોવાથી રોગનું પ્રમાણ શરીરમાં વધી ગયા બાદ તે દેખાય છે. જેથી લોકોમાં આવા રોગ પ્રત્‍યેની જાગૃતતા કેળવાય તે માટે ખેડા જિલ્‍લાના ૪૦થી ઉપરની વયના લોકો માટે તબીબી  ચકાસણી (કલીનીકલ કેમ્‍પ) આવનાર દિવસોમાં આયોજન કરવામાં આવશે તેમ તેઓશ્રીએ જણાવ્‍યું હતું.

આ સેમિનારમાં મોટી સંખ્‍યામાં જિલ્‍લાના તથા રાજયના તબીબો ઉપસ્‍થિત રહયાં હતાં.

 

 

 

 

નડિયાદ ખાતે વ્‍યસન મુકિત દિવસે રેલીનું આયોજન

યુવાધનને બચાવવું હશે તો વ્‍યસન મુકિત અંગે જાગૃતતા કેળવવી પડશે – મહંતશ્રી બાલમુકુન્‍દદાસજી

 

સમગ્ર વિશ્‍વમાં તા. ૩૧મી મેને વ્‍યસન મુકિત દિન તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે ખેડા જિલ્‍લાના મુખ્‍ય મથક નડિયાદ ખાતે સુપ્રસિધ્‍ધ સંતરામ મંદિરના પ્રાંગણમાંથી વ્‍યસન મુકિત એ સ્‍વાસ્‍થ્‍ય પર્યાવરણ રેલીને મંદિરના મહંતશ્રી   બાલમુકુન્‍દદાસજી  એ પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. આ રેલીને સંબોધતા મહંતશ્રીએ જણાવ્‍યું હતું કે, વિશ્‍વનું યુવાધન વ્‍યસનના રવાડે ચડી ગયું છે. તેઓ ક્ષણિક આનંદ માટે આખી જીંદગી અને સાથે સાથે કુટુંબની પાયમાલી નોતરી રહયા છે. આવા યુવાધનને બચાવવું હશે તો વ્‍યસન મુકિત અંગે જાગૃતતા કેળવવી પડશે. આના માટે સરકારી તંત્રની સાથે સાથે સમાજ અને ધાર્મિક સંસ્‍થાઓએ પણ સહભાગી થવું પડશે તોજ આવનારી પેઢી વ્‍યસનના દાનવથી મુકત થઇ શકશે.

આ રેલીમાં ખેડા જિલ્‍લા પંચાયતની આરોગ્‍ય શાખાના અધિકારીઓ, કર્મચારીઓએ વિવિધ પ્રકારના વ્‍યસનો, તે વ્‍યસનોના કારણે સમાજ અને વ્‍યકિતના જીવન પર પડનારી ખરાબ અસરો જેવા અનેક સૂત્રો દર્શાવતા બેનર સાથે સૂત્રો બોલાવી વ્‍યસનમુકિત રેલી યોજી હતી.

રેલીમાં ખેડા જિલ્‍લા ગાયત્રી પરીવારના કન્‍વીનર અને પત્રકારત્‍વ ક્ષેત્રના શ્રી વિનોદભાઇ ભટ્ટે સમગ્ર રેલીનું સફળ સંચાલન કર્યુ હતું. તેઓ દ્વારા અખીલ વિશ્‍વ ગાયત્રી પરીવાર શાંતિકુંજ  અંર્તગત ગુજરાત ગાયત્રી પરીવાર પ્રેરીત ખેડા જિલ્‍લા ગાયત્રી પરીવાર દ્વારા સ્‍વસ્‍થ વ્‍યકિત, સભ્‍ય સમાજ  અને સુસંસ્‍કૃત અને સંગઠીત રાષ્‍ટ્ર બને તેમજ વ્‍યસન મુકત ખેડા જિલ્‍લા ના નિર્માણ માટે આદરણીય ર્ડા. અનીલ જહા, કાર્ડીયાક સર્જન, મહાગુજરાત હોસ્‍પિટલ દ્વારા તેમજ સમગ્ર જિલ્‍લા માંથી પધારેલા પરીજનોએ સાથે મળીને કલેકટરશ્રીને વ્‍યસન મુકિતનું આવેદન પત્ર આપ્‍યું હતું. આ રેલીનો મુખ્‍ય ઉદે્શ વ્‍યકિત પરીવાર, સમાજ, રાષ્‍ટ્ર સમૃધ્‍ધ બને સંસ્‍કારી બને, સંગઠીત બને અને ઉત્‍તમ સ્‍વાસ્‍થય પ્રાપ્‍ત કરે તેના માટે પર્યાવરણનું રક્ષણ પણ થાય તેવા શુભ આશયથી આ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ રેલીમાં જિલ્‍લા આરોગ્‍ય શાખા, નશાબંધી આબકારી ખાતુ, વિભાબેન પટેલના રાહબર નીચે ચાલતા ભજન મંડળો સામેલ થયા હતા. જિલ્‍લા નશાબંધી સંયોજક શ્રી ગૌત્‍તમભાઇ બ્રહમભટ્ટે પણ આ રેલીને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્‍નો કર્યા હતા. નાયબ માહિતી  નિયામક શ્રી ભાવસિંહ રાઠવા  તેમજ એસીડીએચઓ શ્રી પટેલે સાથે મળીને લીલી ઝંડી અને મશાલ પ્રાગટય કરી રેલીનું પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. આ રેલી શહેરના રાજમાર્ગ ઉપર ફરી હતી.

 

શાળા, કોલેજો તમામ કચેરીઓમાં જાતિય સતામણી વિરોધ સમિતિ હોવી ફરજીયાત  - ડૉ.તૃપ્તિ શાહ

જાતિય સતામણી વિરોધ સમિતિની બેઠક યોજાઇ

 

મધ્ય ગુજરાતની જાતિય સતામણી વિરોધ સમિતિની બેઠક વડોદરા કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં મહિલાઓ સાથે કામના સ્થળો પર થતી જાતિય સતામણી વિશે ચર્ચા કરવામાં આવી હતી.

૧૯૯૭ના સુપ્રિમ કોર્ટના વિશાખા જજમેન્ટ તરીકે જાણીતા ચૂકાદાની રૂપરેખા આપતા સહિયર મહિલા સંગઠનના ડૉ.તૃપ્તિબહેનએ જણાવ્યું કે રાજસ્થાનમાં મહિલા વિકાસ કાર્યક્રમમાં કામ કરતી સ્ત્રી કાર્યકર ભંવરીદેવી જ્યારે પોતાના ગામમાં બાળલગ્નનો સામે વિરોધ ઉઠાવ્યો ત્યારે તેમને ચૂપ કરવા માટે ગામના આગેવાનો દ્વારા જાતિય શોષણ કરવામાં આવ્યું હતું. આ ઘટના સામે દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો. વિશાખા નામની સંસ્થાએ તેમને સુપ્રિમ કોર્ટ સુધી લડવામાં મદદ કરી. આથી જયારે કોર્ટ ચુકાદો બહાર પાડયો ત્યારે તેનું નામ વિશાખા જજમેન્ટ આપવામાં આવ્યું.

વિશાખા જજમેન્ટ અતર્ગત સુપ્રિમ કોર્ટે મહત્વનો નિર્ણય લઈ તમામ કામના સ્થળો પર જાતિય સતામણી વિરોધી સમિતિ રચવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો.આ ચુકાદાની જોગવાઈ તમામ સરકારી-ખાનગી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમ જ અન્ય કામનાં સ્થળોને પણ લાગુ પડે છે. સમિતિની કામગીરી વિશે જણાવતા તેમણે કહ્યું કે સમિતિની કામગીરી કામના સ્થળો પર ફકત ફરીયાદ લેવાની કે તેની તપાસ કરવાની નથી પરતું મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે સકારાત્મક અને અનુકુળ વાતાવરણનું નિર્માણ કરવાની છે.

ડૉ તૃપ્તિબહેનએ સરકારી અને ખાનગી ક્ષેત્રમાંથી આવેલા મહિલા સભ્યોને જાતિય સતામણી વિશે પ્રાથમિક માહિતી આપી હતી. સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઈન, જાતિય સતામણી રોકવા માટેના ઉપાય, જાતિય સતામણી વિરોધ સમિતિની રચના અને કામગીરી, શિસ્તભંગના પગલા જેવી બાબતો પર ઉપસ્‍થિત સભ્યો સાથે ચર્ચા કરી હતી.

આ પ્રસંગે સરકારી અને ખાનગી કચેરીઓમાં નિયુકત થયેલ જાતિય સતામણી વિરોધ સમિતિના સભ્યો, સહિયર (સ્ત્રી સંગઠન)ની બહેનો ઉપસ્થિત રહી હતી.

 

 

 

કૃષિ મહોત્સવ-૨૦૧૩

આણંદ જિલ્લામાં ૧૨૯ પશુ આરોગ્યના કેમ્પ યોજાયા

૨૩૬૯૯ પશુઓને સારવાર આપવામાં આવી

૭૯૫૫૧૧ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું

આણંદ

આણંદ જિલ્લામાં કૃષિ મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત ૧૪ મે-૨૦૧૩ થી ૩૧ મે-૨૦૧૩ દરમ્યાન યોજાયલ કૃષિરથના કાર્યક્મ દરમ્યાન આણંદ જિલ્લામાં પશુપાલન અંગેના કુલ ૧૨૯ કેમ્પ યોજવામાં આવ્યા હતા.

આ ૧૨૯ પશુ સારવાર કેમ્પ જિલ્લાના ૨૫૦ ગામડાઓ ખાતે કરવામાં આવ્યા હતા. જેમાં ૮૬૦૮ પશુપાલકો પોતાના પશુઓ સાથે હાજર રહ્યા હતા. જેમાંથી ૫૩૦૧ પશુઓને મેડીકલ સારવાર આપવામાં આવી  હતી. ૧૬૬ પશુઓને સર્જરી કરવામાં આવી ,૬૫૨૬ પશુઓને ગાયનેકોલોજીસ્ટની સારવાર આપવામાં આવી હતી. આમ, કુલ- ૨૩૬૯૯ પશુઓને સારવાર આપવામાં આવી તથા ૭૯૫૫૧ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું  હોવાનું નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, આણંદ દ્વારા જણાવાયું છે.

 

આણંદ જિલ્લાના બેસ્ટ ઓર્ગેનાઇઝડ ગ્રુપ ફાર્મર એવોર્ડ એનાયત કરાયા

દરેક ગ્રુપને રૂા.૧૦ હજારના ચેક આપી સન્માનિત કરાયા

આણંદ

કૃષિ મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત આણંદ જિલ્લામાં કાર્યરત બેસ્ટ ઓર્ગેનાઇઝડ ગ્રુપને રૂા.૧૦,૦૦૦/-ના ચેક આપી પ્રોત્સાહિત કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું.  આ અન્વયે કૃષિ મહોત્સવ-૨૦૧૩ કાર્યક્રમના સમાપન સમયે આણંદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી સંગીતાસિંધ અને કલેકટરશ્રી ડો.કુલદીપ આર્ય તથા મહાનુભાવોના હસ્તે  ખંભાત તાલુકાના રાલજ ગામે યોજાયેલ કૃષિ મહોત્સવ-૨૦૧૩ના સમાપન  સમારોહમાં જિલ્લાના ૧૦ બેસ્ટ ઓર્ગેનાઇઝડ ગ્રુપ ફાર્મર એવોર્ડમાં રૂા.૧૦,૦૦૦/-ના ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમાં ખેડૂત વિકાસ મંડળ ગ્રુપ-ઓડ, હળધરી ગ્રુપ- નાવલી, આરાધના ખેડૂત મંડળ- તારાપુર, પ્રગતી ખેડૂત મંડળ-આમલીયારા,શ્રી રામ ખેડૂત મંડળ-  દુગારી, સંજીવની ગ્રુપ- શેખડી, દિવ્યા ગૃપ-શેખડી, શ્રી ઓમ શાંતિ મહિલા પશુપાલન- પલોલ, નેજા યોગેશ્વર કૃષિ મંડળ- નેજા  અને જયઅંબે ગ્રુપ- આસોદરને સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

તાલુકા કક્ષાના આત્મા બેસ્ટ ફાર્મર્સ એવોર્ડ વિજેતાઓનું

 સન્માન કરતા જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી સંગિતાસિંધ

આણંદ

આણંદ જિલ્લામાં યોજાયેલ કૃષિ મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત આજે ખંભાત તાલુકાના રાલજ ગામે કૃષિ મહોત્સવનો સમાપન સમારંભ  યોજાયો હતો. આ પ્રસંગે આણંદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી સંગીતાસિંધ, જિલ્લા કલેક્ટરશ્રી ડો.કુલદીપ આર્ય અને મહાનુભાવોના હસ્તે તાલુકા કક્ષાના આત્મા બેસ્ટ ફાર્મર્સ એવોર્ડ વિજેતાઓને રૂા. ૧૦ હજારનો ચેક, ટ્રોફી, પ્રમાણપત્ર અને  શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

જેમાં સોજીત્રા તાલુકાના પલોલ ગામના ભરતસિંહ પરમારને સજીવ ખેતી માટે, સોજીત્રાના મનોજભાઇ પરમારને ધાન્ય અને રોકડીયા પાકોની ખેતીમાં ઓછા ખર્ચ વધુ ઉત્પાદન મેળવવા માટે, ઉમરેઠ તાલુકાના ભાટપુરાના કીન્નાબેન પટેલને આદર્શ પશુપાલન, બેચરી ગામના ગીરીશભાઇને મગફળીની ખેતીમાં વિક્રમજનક ઉત્પાદન મેળવવા, બોરસદ તાલુકાના ઝારોલાના સંદીપભાઇ પટેલને  આદર્શ પશુપાલન, આણંદ તાલુકાના બોરીયાવીના કનુભાઇ પટેલને ઓર્ગેનીક ખેતી માટે, નાવલી ગામના પ્રિતેશભાઇ પટેલને કોબીજ પાકનું  ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે તથા આંકલાવ તાલુકાના મુજકુવાના પઢિયાર દિનેશભાઇને ધંઉના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

આણંદ તાલુકાના ૪૫ ગામના રહીશો માટે ખાસ તાકીદ

નવીન બારકોડેડ રેશનકાર્ડ મેળવી લેવા અનુરોધ

આણંદ

આણંદ તાલુકામાં સમાવિષ્ટ ૪૫ ગામોના રહીશોએ નવીન બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટે વર્ષ ૨૦૧૦માં રેશનકાર્ડ ધારકોની જુના રેશનકાર્ડ મુજબ ફોર્મ-૧ની ડેટા એન્ટ્રી કરવામાં આવેલ છે. આ ડેટા એન્ટ્રીની કામગીરી થયેલ હોઇ નવા બારકોડેડ રેશનકાર્ડ આપવાના થાય છે.

આણંદ તાલુકાના ૪૫ ગામોના રહીશો જેમણે નવીન બારકોડેડ રેશનકાર્ડ મેળવેલ નથી તેમણે દિન-૭ માં નવી કલેક્ટર કચેરી ખાતે ગ્રામ્ય મામલતદારશ્રીની કચેરી (પુરવઠા શાખા) ખાતે ફોટો ફીંગર પ્રિન્‍ટ આપી જુનુ રેશનકાર્ડ જમા કરાવી નવીન બારકોડેડ રેશનકાર્ડ મેળવી લેવા મામલતદારશ્રી ગ્રામ્ય, આણંદની યાદીમાં જણાવાયું છે.

જે ગામના રહીશો નવીન બારકોડેઠ રેશનકાર્ડ મેળવવા માટે નહી આવે તેમનું ઓનલાઇન રેશનકાર્ડ રદ કરવામાં આવશે તેમ જણાવાયું છે. આ ઉપરાંત નવા બારકોડેડ રેશનકાર્ડ લેવા આવો ત્યારે તમામે જુનુ રેશનકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ સાથે લાવવા જણાવવામાં આવ્યું છે.

 

અનુસુચિત જાતિની કન્યાઓ જોગ

વલ્લભ વિઘાનગર ખાતે નવી છાત્રાલય શરૂ

વિનામૂલ્યે રહેવા-જમવાની સગવડ મળશે

આણંદ –

આગામી જૂન-૨૦૧૩ થી અનુસુચિત જાતિની  કન્યાઓ માટે વલ્લભ વિઘાનગર ખાતે ૫૦ કન્યાઓની માન્યતા ધરાવતી રહેવા તથા જમવાની સુવિધા સાથેની નવી કન્યા છાત્રાલય શરૂ કરવામાં આવનાર છે. કન્યા છાત્રાલયમાં એડમિશન મેળવવા માટે કોઇ આવક મર્યાદા રાખવામાં આવેલ નથી. અનુસુચિત જાતિની કન્યાઓ ધો.૧૧,૧૨, સ્નાતક, અનુ-સ્નાતક કે પી.ટી.સી. માં અભ્યાસ કરતી હોય તેવી કન્યાઓને પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ ફોર્મ મેળવવા માટે તથા વધુ વિગત માટે સરકારી કન્યા છાત્રાલય, મહેશ્વરી  પેલેસ પાછળ, જી.સેટ.કોલેજ રોડ, વલ્લભ વિઘાનગર અથવા જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, રૂમ નં.૨૨૯, ડી.એસ.પી.ઓફિસ સામે,આણંદનો રૂબરૂ કે ટેલીફોન નં.૦૨૬૯૨-૨૬૦૪૩૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

ખંભોળજના નિરલ કનુભાઇ પટેલે ૧૩ લાખની સબસીડી મેળવી

ઇઝરાયલી કલર કેપ્સીકમ અને ટામેટાની ખેતી દ્વારા ૧૦.૬૦ લાખની આવક મેળવી

આણંદ

વાત છે ખંભોળજના નિરલ કનુભાઇ પટેલની.  નિરલ પટેલ આત્મા પ્રોજેક્ટ્માં ગ્રુપ લીડર તેમજ ફાર્મસ્કુલ સંચાલક તરીકે કામ કરૂ છે. તેઓએ આત્મા પ્રોજેક્ટ તેમજ કૃષિ યુનિવર્ષિટીના વૈજ્ઞાનિકોના સંપર્કમાં રહી ખેતરમા એક એકર ફર્ટિગેશન અને ક્લાઇમેટ કંટ્રોલ ઓટોમાઇઝ ગ્રીન હાઉસ બનાવેલ છે. જેમાં ગયા વર્ષે ૨૦૧૦-૨૦૧૧ માં ઇઝરાઇલની ઝીલ કંપનીના કલર કેપ્સીકમ કરેલ હતા. જેમાથી ૪૦ ટન ઉત્પાદન મળેલ,  તેનો કુલ ખર્ચ રૂા.૩,૦૦,૦૦૦/ એક બીજની કિંમત દશ રૂપિયા છે, તે બાદ કરતાં રૂ. ૬૬૦૦૦૦/-ની ચોખ્ખી આવક નફો થયેલ છે, તેમજ ૮ ગુંઠા નેટ હાઉસમાં ઇઝરાઇલની ઝીલ કંપનીના ટામેટાનું ઉત્પાદન ૫૦૦ મણ લીધેલ છે, જેનો રૂા. ૨૫૦૦૦/-ખર્ચ (એક બીજની કિંમત રૂપિયા ત્રણ બાદ કરતા  રૂ.૭૫૦૦૦/-ની ચોખ્ખી આવક  નફો થયેલ છ,ે જે છોડની ઉંચાઇ ૧૭ ફુટ સુધી ડેવલોપ કરેલ છે ,જેને સ્વર્ણિમ ગુજરાત રક્ષાશક્તિ કાર્યક્રમ હેઠળ કૃષિ પ્રદર્શનમાં તેમજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પ્રદર્શનમાં મુકેલ હતો. ગ્રીન હાઉસ અને નેટ હાઉસની ખેતી ખેડૂતો માટે ઘણીજ લાભદાયક છે એક એકર ગ્રીનહાઉસ બનાવવા પાછળ  રૂા.૩૩,૦૦,૦૦૦/-નો ખર્ચ થયેલ છે જેમાં  બાગાયત ખાતા તરફથી સંકલ્પ પત્ર યોજનામાં રૂા.૧૩,૦૦,૦૦૦/- સબસીડી મળેલ  છે.

 

આઇબીએનએમ જેવી ઇનોવેટીવ ટેકનોલોજીની સમજ કેળવી પીપળાવના હર્ષદભાઇએ  તડબુચ, કલકત્તી તમાકુ અને ટામેટા જેવા પાકોમાં બમણું ઉત્પાદન મેળવ્યું

આણંદ –

આણંદ આત્મા પ્રોજેકટ હેઠળ ખેડૂતોને નવીન તાંત્રિકતાઓ અને આઈબીએનએમ જેવી ઈનોવેટીવ ટેકનોલોજીની સમજ, તાલીમ સાહિત્ય  નિદર્શન અને રાજયના ખેડૂતો અ૫નાવતા થયા છે. ત્યારથી ખેડૂતોને એકમ વિસ્તારમાંથી વધુ ઉત્‍પાદન મળતા હવે ઓફ સીઝનમાં વધુ ભાવ મળે તે હેતુથી નવીન પાકો કરતા થયા છે. આવી જ રીતે, સોજિત્રા તાલુકાના  પી૫ળાવ ગામના યુવા ખેડૂત  હર્ષદભાઈ રાવજીભાઈ ૫ટેલ, ગયા વર્ષે કલકત્તી તમાકુ 1 વિઘે ૬૫ મણ વિક્રમજનક ઉત્પાદન અને હા.ટામેટી પાકિસ્તાન અને દુબઈ ખાતે નિકાસ કરી આર્થિક રીતે સઘ્ધર થતા તેઓનું ફાર્મ આજે એક ખેતીશાળા સમાન બની ગયુ છે.

આણંદ આત્મા પ્રોજેકટ તથા કૃષિ. યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ  તેઓએ સાહસ કરી ૩ વિઘા માં હા.તડબૂચની ખેતી રમઝાન માસમાં વધુ ભાવ મળે તેવુ આયોજન ગોઠવી વિશાલા, કિરણ અને રેણુકા હા.તડબૂચનું બીજ ૪૫૦ ગ્રામ ખરીદયું અને ૩ વિઘામાં ડ્રી૫, મલ્ચીંગ, આઈબીએનએમ ટેકનોલોજી બરા ૪૫૦૦ છોડમાંથી છોડ દીઠ ૮ કિલો વજન મળતા કુલ ૩૬,૦૦૦ કિલોના તડબૂચ થયા, જેનો ભાવ રમઝાન હોય રૂા.૧ર/- ­તિ કિલો વેચાણ કરતા રૂા.૪,૩ર,૦૦૦/-ના તડબૂચની આવક થઈ અને ખર્ચ રૂા.૯૦,૦૦૦/- બાદ કરતા ચોખ્ખો નફો રૂા.૩,૪ર,૦૦૦/- થયો જે ચાલુ વર્ષે વરસાદ ખૂબ ઓછો થયો તેમ છતા આવી ઉત્તમ ટેકનોલોજી અ૫નાવી યુવા ખેડૂતો ખેતી કરતા થઈ ગયા છે. આજ રીતે, આત્મા ­પ્રોજેકટ તથા કૃષિ યુનિવર્સિટી સાથે જોડાઈ તમે ૫ણ આવા જ પાકોનુ ઉત્‍પાદન કરી, આર્થિક રીતે સઘ્ધર બની શકો છો.

તેઓએ કલકત્તી તમાકુ જી.સી.ટી.-રનું ધરૂવાડીયુ તૈયાર કરી, બીજ ૫ુુખી દીધુ. ધરૂવાડીયામાં દિવેલીખોળ, યુરીયા, એમોનીયમ સલ્ફેટ, રેડોમીલ, વનસ્૫તિજન્ય વનવૃબ્નિો વ૫રાશ કરી તંદુરસ્ત ધરૂ તૈયાર કરેલ હતુ અને ફેર રો૫ણી બે ચાસ વચ્ચે ૩૦ ઈંચ અને બે છોડ વચ્ચે ૧૫ થી ૧૭ ઈંચ (સવા ફૂટે ડ્રી૫ આવે તે રીતે)ના અંતરે કરી હતી. તમાકુના ધરૂને ફેર રો૫ણી કરતા ૫હેલા જરૂર પુરતા પાણીમાં ર કિલો વનવૃબ્વિેટેબલ પાઉડર ઓગાળી ધરૂના મૂળને આ ફાવણમાં ડી૫ (બોળી) કરી રો૫ણી કરેલ હતી. આ માવજતથી છોડના મૂળને સંપૂર્ણ કુદરતી બાયોપોષણ મળતા, તંતુમૂળનો વિકાસ થતા બધા જ છોડ ફેર રો૫ણીમાં ચોંટી ગયા અને નહીંવત ખાલા જોવા મળેલ, જેથી છોડની પુરતી સંખ્યા જળવાઈ રહેલ હતી. ફેર રો૫ણી ૫છી મેં ડ્રી૫ ૫બ્તિ બરા ૩ વિઘામાં રાસાયણિક ખાતરો, આઈબીએનએમનુ  ફાવણ (એટલે કે ર૦૦ લી.૫ાણીમાં ૧૫ કિલો ગાયનુ છાણ, ૧૦ લી. ગૌમુત્ર, ર કિલો ગોળ, ર લી. છાશ, ર કિલો લોટ, 1 કિલો વડના ઝાડ નીચેની માટી અને ૪૦૦ ગ્રામ વનસ્૫તિજન્ય વનવૃબ્ પાવડર નાંખી, ડ્રમ છાંયડે મૂકી દરરોજ સવાર-સાંજ હલાવેલ અને ૬ થી ૭ દિવસ ૫છી તૈયાર થતુ ફાવણ ગાળીને વા૫રવું), સલ્ફર અને સુ૧મતત્વોનો વ૫રાશ કરેલ. આ વિસ્તારમાં અન્ય ખેડૂતોને 1 વિઘે ફકત ૩૫ મણ (૭૦૦ કિલો) ઉત્‍પાદન મળેલ હતું. ડ્રી૫ અને આઈબીએનએમ ફાવણના વ૫રાશથી રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટાડી વધુ ઉત્‍પાદન મેળવ્યુ  છે..

ડ્ર્રી૫માં ઈનોવેટીવ ખેત જરૂરીયાતોના વ૫રાશથી તમાકુનો વિકાસ, પાનની તંદુરસ્તી, લીલાશ, જાડાઈ અને ૫હોળાઈ સાથે ચમક ગજબની હતી. ૫ાનમાં ­પ્રકાશ સંશ્લેષણની કિ્રયા વધુ થતાં કાર્બોદિત ૫દાર્થનુ ­પ્રમાણ વધારે જેથી તમાકુ વધુ ગુણવત્તાવાળી બનતા વે૫ારીઓને ખૂબ જ ૫સંદ ૫ડતા વધુ ભાવે મેળવી શકયા હતા. ડ્રી૫થી ઉર્જા/વિઘુત, પાણીની બચત થઈ, જીવાતો ઓછી આવી. આઈબીએનએમના ફાવણથી છોડના મૂળનો જથ્થો વધતા, મૂળના અગ્રભાગ બરા નિકોટીનનું ૫રિવહન, પાનમાં વધતા અને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્૫ાદન સાથે રાસાયણિક ખાતરોની બચત અને જમીન બગડતી અટકાવી શકયો. મને ડ્રી૫ અને આઈબીએનએના ફાવણની સમજ ન હતી. તે ૫હેલા જે તમાકુની ખેતી હું કરતો હતો, તેમાં ૩ વિઘામાં ર૦ ગુણ યુરીયા ખાતર વા૫રતો હતો. આ ઈનોવેટીવ ટેકનોલોજીથી મેં યુરીયા ખાતર ૮.૫ ગુણ (૪ર૫ કિલો) રૂા.ર૧૪ર/-ની બચત કરી. મારી જમીનનો પી.એચ.૮ અને પાણીનો ટીડીએસ ૧૮૦૦ હોવા છતાં, ખર્ચ ઘટાડી, વિક્રમજનક ઉત્‍પાદન મેળવ્યું.

પીપળાવના ખેડુતની આ ખેતીનુ નિદર્શન ખેડૂતો ફિલ્ડ ઉ૫ર જોઈ શકે તે હેતુથી આત્મા પ્રોજેકટ અને આણંદ કૃષિ યુનિવર્સિટી બરા વૈજ્ઞાનિકોની હાજરીમાં ફિલ્ડ મુલાકાત અને ખેડૂત શિબિરનું આયોજન હા.ટામેટી અને કલકત્તી તમાકુ ઉ૫ર ગોઠવેલ, જેમાં ૪૦૦ ખેડૂતોએ ભાગ લીધો હતો. હા.ટામેટાની ખેતીમાં ૫ણ ઉ૫ર મુજબ ખેત જરૂરીયાત વા૫રી વધુ ઉત્‍પાદન સાથે ટામેટા વેપારી મારફત પાકિસ્તાન, દુબઈ નિકાસ કરેલ હતા. ખરીફમાં ઓફ સીઝનના હા.તડબૂચ ૫ણ ડ્રી૫, મલ્ચીંગ અને આઈબીએનએમના ફાવણના ઉ૫યોગથી વધુ ઉત્‍પાદન સાથે વધુ નફો મેળવેલ. તેઓની આ સાહસિકતાના ૫રિણામ સ્વરૂપે કૃષિ મહોત્સવ-ર૦૦૯માં મને કૃષિના ઋષિ તરીકે આણંદ ખાતે રાજય સરકાર બરા માન. મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે સન્માન મળેલ. આ ઉ૫રાંત, ૧૫ મી ઓગસ્ટ, ર૦૧૦ના રોજ માન. કૃષિ મંત્રી દિલી૫ સંઘાણીના વરદહસ્તે સરદાર ૫ટેલ એવોર્ડથી મને સન્માનિત કરવામાં આવેલ. તેમજ ચાલુ વષૅ આત્મા ­પ્રોજેકટ ,આણંદ જીલ્લા લેવલે પણ તેમના ગ્રુ૫ને બેસ્ટ ફામૅર ગ્રુ૫નો એવોડૅ મળેલ છે.

ખેતીમાં ટેકનોલોજી અપનાવી નફો રળતા બેચરી ગામના ભગવતભાઇ પટેલ

આણંદ

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભગવતભાઇ નારણભાઇ પટેલની આ વાત છે. તેઓ આજથી ત્રણ વર્ષ પહેલા વર્ષોથી  ચાલી આવતી ચીલા ચાલુ ખેતી પધ્ધ્તિ અપનાવતા હતા. ખેતી ઉત્પાદન સારુ આવતુ નહોતુ. કયારેક રોગજીવાતનો પ્રશ્ન હોય તો કયારેક ખરાબ બીયારણ હોય પરંતુ જયારથી આત્મા પ્રોજેકટમાં જોડાયા ત્યારથી તેના દ્વારા ચાલતી વિવિધ વિસ્તરણથી વાકેફ થયા, ઉતરોતર તેમની ખેતી તેમજ પશુપાલનમાં ધણી પ્રગતિ થઇ. એફ.આઇ.જી. ગ્રુપમાં જોડાયા બાદ ખેડૂતોને આધુનિક વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અંગે તાલીમ મેળવી, જેનાથી જમીનનુ પૃથ્થકરણ કરાવવુ, ટપક પધ્ધતિ અપનાવી, વધુ ઉત્પાદન આપતી હાઇબ્રીડ બિયારણની જાતોની  વાવણી કરવી,બિયારણને વાવતા પહેલા બીજને જૈવિક કલચરનો પટ આપવો, રાસાયણિક ખાતરનો ખેતીમા વપરાશ ધટાડીને સેન્દ્રિય ખાતર, વર્મીકંપોસ્ટ જેવા જમીન સુધારક ખાતરોનો વપરાશ કરવો. ખેત ઉત્પાદન વધારવાના ઉપાયો ખેતી ખર્ચમા ધટાડો કરવાની માહિતી મેળવી ખેત ઉત્પાદનમાં અનેક ધણો વધારો કર્યો, તેવી જ રીતે બહેનોના જુથોએ પણ પશુપાલનની તાલીમ મેળવી સ્વચ્છ દૂધ ઉત્પાદનમાં વધારો થયો અને પશુપાલક બહેનાના કુટુબનું આર્થિક જીવન ઉંચુ આવ્યું અને માસિક બચત કરતા થયા. ગત વર્ષે ચોમાસું ડાંગરમાં ૩૬૪૦ કીલો ઉત્પાદન મેળવી ચોખ્ખો નફો રૂા. ૩૫૯૦૫/- મેળવ્યો હતો.

આત્મા પ્રોજેકટના ૧૪ એફ આઇ જી ગ્રુપમા બનેલ છે. જેમા  ૮ ગ્રુપ ખેતીના અને ૬ ગ્રુપ પશુપાલનના છે. એમ અમારા ગામમા આત્મા પ્રોજેક્ટમા  ૧૯૫ ખેડૂત સભ્યો જોડાયેલા છે અમારી એફ આઇ જી ગ્રુપની માસિક ખેડૂત મીટીગમા ખેડૂતોને સીઝનવાર વાવવામા આવતા પાકોની માહિતી બેન્કોની ખેતી વિષયક ધિરાણની જાણકારી અને  ખેતીવાડી ખાતા તરફથી વિવિધ સહાય યોજનાઓની જાણકારી આપવામા આવે છે.

સમગ્ર દેશમા સૌપ્રથમ વખત આણંદ જીલ્લામાં સ્વર્ણિમ કૃષિ મહોત્સવ ૨૦૧૦ દરમ્યાન તમામ બેચરી ગામની સરદાર કિસાન ક્લબ રાજય લેવલે બેસ્ટ ફાર્મસ ક્લબનો એવોર્ડ માનનીય કૃષિ મંત્રીશ્રી હસ્તે મળેલ હતો.

 

બિન વારસી લાશના વાલી વારસો સંપર્ક કરો

આણંદ –

આણંદ રેલ્વે પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યા મુજબ તા.૨૨-૫-૨૦૧૩ના રોજ  બપોરે ૧૩-૦૫ કલાકે એક હિન્દુ માણસ આણંદ રેલ્વે ગોદી ,તુલસી ગરનાળા પાસે કુદરતી રીતે મરણ પામેલ હાલતમાં મળી આવેલ છે. જેની ઉમર  આશરે ૪૫ વર્ષ ,રંગે શ્યામ, ઉચાઇ ૫.૫ ફૂટ, શરીરે જાબલી રંગનું સફેદ પટ્ટા વાળી ટી શટર્, સલેટીયા રંગનું પેન્ટ પહેરેલ છે. આ મૃતકના વાલી વારસોએ આણંદ રેલ્વે પોલીસ સ્ટશનનો સંપર્ક કરવા જણાવાયું છે.