અનુયાયીઓ

ગુરુવાર, 21 જુલાઈ, 2011

જેતપુર પોલીસ ને તહોમતદારો મળતા નથી.


જેતપુરના કારખાનેદાર જીતુભાઈ પટેલ ને મારવા મજબુર કરનારા ભૂ માફિયા એવા આઠ તહોમતદારો પોલીસ ને મળતા ના હોય કોઈ ની નજરમાં પડે તો જાણ કરવા અપીલ કરી છે.
પોલીસ તંત્ર માટે નામોશી ભરેલી વાત એવી છે કે જેતપુર ના ભરત કામ ના કારખાનેદાર જીતુભાઈ ગોન્દલીયા એ તાજેતરમાં કેતન કોયાણી સહીત આઠ ભૂ માફિયા ના ત્રાસ થી આપઘાત કરી લીધો હતો.
પોલીસ એ સરુઆતમાં માં આ ઘટનાની તપાસ માટે ભારે ડોળ કર્યો. ચાર ચાર તપાસ એજન્સી ને આ બનાવ ની તપાસ સોંપી પણ કોઈ થોમત્દારોને પકડી ના શક્યું.
આ ઘટનાના આરોપી ઓને પકડવા આંદોલન પણ કરવું પડ્યું. છતાં આજની તારીખે જીતુભાઈ ને મારવા મજબુર કરનારા પકડાયા નથી.
છેવટે પોલીસે હવે લોકો સામે અપીલ નો ખોળો પાથરી અનુરોધ કર્યો છે કે તમોને કેતન કોયાણી સહીત કોઈ જોવા મળે તો અમોને જાણ કરશો. આ તમામ આરોપીઓને પકડવા જેતપુર ધોરાજી વીરપુર પોલીસ રીતસરની ધંધે લાગી છે.

ટિપ્પણીઓ નથી: