અનુયાયીઓ

બુધવાર, 22 જુલાઈ, 2015

કોણે કહ્યું આગામી 13 માસ સુધી લગ્નોના મૂહુર્તો નથી ?!! જાવ..મોજ કરો..કર્મકાંડીઓ !! જેતલસર(જં.)ના યુવા જ્યોતિષીએ શાસ્ત્રોના પાનાં ફંફોસી શોધી કાઢ્યા શુભ લગ્નોના 27 મૂહુર્તો !!

કોણે કહ્યું આગામી 13 માસ સુધી લગ્નોના મૂહુર્તો નથી ?!! જાવ..મોજ કરો..કર્મકાંડીઓ !!
જેતલસર(જં.)ના યુવા જ્યોતિષીએ શાસ્ત્રોના પાનાં 
ફંફોસી શોધી કાઢ્યા શુભ લગ્નોના 27 મૂહુર્તો !!
(કશ્યપ જોશી દ્વારા) જેતલસર તા.21
વર્તમાન જુલાઈ મહિના પછી આગામી તેર માસ સુધી સતત લગ્નોના કોઈ શુભ મૂહુર્તો નથી તેવી કર્મકાંડી બ્રાહ્મણોમાં થઇ રહેલી ચર્ચાઓ અને અટકળો  પૂર્ણવિરામ મૂકી જેતલસર જંકશનના યુવા જ્યોતિષી અને કર્મકાંડી ભૂદેવ હાર્દિક સુરેશભાઈ પંડયાએ ધાર્મિક ગ્રંથોસમા શાસ્ત્રોના પાનાં ફંફોસી શુભ લગ્નોના 27 મૂહુર્તો કાઢી આપતા ચિંતિત કર્મકાંડી ભૂદેવોએ રાજી થવા જેવી વિગતો મળી છે.

કર્મકાંડ અને જ્યોતિષ સાથે સંકળાયેલા, બીલખા આનંદ આશ્રમના આચાર્ય નીતિનભાઈ મહેતાના શિષ્ય તરીકે ત્રણ વર્ષ દમિયાન જ્યોતિષ, ભાગવત અને કર્મકાંડીનું બિરુદ મેળવનાર શાસ્ત્રી હાર્દિકભાઈ પંડ્યાએ કર્મકાંડી ભૂદેવો અને યજમાનોની ચિંતા દુર કરવા આપના શાસ્ત્રોસમા પ્રાચીન ગ્રંથો "મુહુર્ત ચિંતામણી",  "નિર્ણયસિંધુ" અને "જ્યોતિનિબંધ" એમ ત્રણેય ઉપયોગી પુસ્તકોમાંથી આગામી નવેમ્બર-15 થી માર્ચ 2016 દરમિયાન શુભ લગ્નોના 27 મૂહુર્તો શોધી કાઢી પોતાની મહેનત ભૂદેવો વચ્ચે મૂકી છે.

દરેક ભૂદેવોને ગળે ઉતરે તેવી અને પડકારીએ તોય કોઈ ના પાડી શકે નહિ તેવી અમુક બાબતો વર્ણવતા હાર્દિક પંડ્યાએ જણાવેલ કે અન્ય એક પ્રાચીન ગ્રંથ(શાસ્ત્ર) " પારાશર" ના મતે ગંગા અને ગોદાવરી વચ્ચેના પ્રદેશોમાં સિંહસ્થ ગુરુ દરમિયાન વિવાહ થઇ શકે નહિ. પણ આપણે એટલેકે મુંબઈ, ગુજરાત, રાજસ્થાન ગંગા- ગોદાવરી વચ્ચે આવતા નથી.

મુહુર્તચિંતામણી નામના ગ્રંથમાં સિંહસ્થ ગુરુ માટેના ત્રણ અપવાદો આલેખાયા છે..જેમાં સિહાંસ ત્યજ્યો એટલે ગુરુના 13-20 થી 16-40 કળા સુધીનો સમય (14-9-2015 થી 30-9-2015), મઘા નક્ષત્ર અને પૂર્વા ફાલ્ગુનીનું પ્રથમ ચરણ તા.13-7-2015 થી 30-9-2015) સુધી સિંહસ્થ ગુરુ દરમિયાન મેષ સંક્રાંતિમાં વિવાહ કાર્ય થઇ શકે.(તા.14.4.16 થી 14.52016)..

સિંહસ્થ ગુરુ મઘા નક્ષત્રમાં હોય, કારતક માસ અને તુલા સંક્રાંતિ ચાલતી હોય તો લગ્ન કરી શકાય છે.(તા.12.11.2015 થી 16.11.2015 ).. જ્યાર્રે ગુરુ પુરવા ફાલ્ગુની નક્ષત્રમાં હોય ત્યારે પણ લગ્નો શુભ નીવડે છે. આવી વાતનો  ખોંખારો ખાઈ જેતલસર જંકશનના યુવા જ્યોતિષીએ સમગ્ર કર્મકાંડી આલમને અનુરોધ કરતા જણાવેલ છે કે બહુ ચિંતા નાં કરશો, લગ્નોના શુભ મૂહુર્તો યજમાનને આપવા માંડો, જાવ મોજ કરો બાપા !!

બોક્સ: ચિંતિત ભૂદેવોની ચિંતા દુર થશે ! 
જેતલસર: સાંપ્રત સમયમાં એવા અનેક ભુદેવોના પરિવારો સૌરાષ્ટ્ર ગુજરાતમાં વસે છે કે જેઓનું ગુજરાન માત્રને માત્ર કર્મકાંડ ઉપર નિર્ભર છે. આવા કર્મકાંડી ભૂદેવ પરિવારો એવી વાતથી ચિંતિત બન્યા હતા કે જુલાઈ-2015 પછી લગાતાર 13 મહિના સુધી કોઈ લગ્નોના શુભ મૂહુર્તો નાં હોય, આવકનો સ્ત્રોત ક્યાંથી ઉભો કરીશું ??  પણ ભૂદેવોની આવી ચિંતા જેતલસરના જ્યોતિષી હાર્દિકભાઈ પંડયાએ દુર કરી હોય તેવું જણાય છે.

બોક્સ: ક્યાં મહિનાની કઈ તારીખે શુભલગ્ન ?
જેતલસર: નવેમ્બર-2015 માં તા.24, 26 અને 27, ડીસેમ્બર-2015 માં તા.6, 7, 8, જાન્યુઆરી-2016 માં તા.17, 20, 21, 26, 30, 31, ફેબ્રુઆરી-2016 માં 1, 2, 4, 5, 13,16 અને તા.17 તેમજ માર્ચ-2016 માં તા.3, 5, 6 અને તા. 11.3. એમ તમામ 27 મૂહુર્તો લગ્નો માટે શુભ હોય, યજમાનોને મૂહુર્તો આપી દેવા તેમજ વિશેષ જાણકારી માટે 99740 49449 પર સંપર્ક કરવા હાર્દિક પંડયાનો અનુરોધ છે. 

ફોટો અને સમાચાર: કશ્યપ જોશી જેતલસર(જેતપુર) 9974262812


ટિપ્પણીઓ નથી: