LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 16 ડિસેમ્બર, 2020
રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ગૌમાતા સંબંધિત ગ્રંથો, કાગળો, અધ્યયનોનું એક વિશાળ પુસ્તકાલય બનશે. > ઉપલબ્ધ સાહિત્ય મોકલવા ડો. વલ્લભભાઈ કથીરિયાની અપીલ
રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ગૌમાતા સંબંધીત ગ્રંથો, કાગળો, અધ્યયનોનું એક વિશાળ પુસ્તકાલય બનશે. ઉપલબ્ધ સાહિત્ય મોકલવા સૌને રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ પુસ્તક રાષ્ટ્રીય સ્તરે બધા લોકો માટે ઉપલબ્ધ હશે તથા ઘણી જ ભાષામાં હશે. સમગ્ર દેશની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે, જેમની પાસે જે-જે સાહીત્ય ગૌ વિષયક હોય તે પી.ડી.એફ. ફાઈલ, પુસ્તકો તથા તેમના લેખકનું નામ સાથે કોઈપણ ભાષામાં મોકલાવવા વિનંતી. ગૌમાતાનું અંગેનું સાહિત્ય મોકલવા માટે amitabh_bhatnagar@gavyachetnaa.com, અને shivangisharma1309192@gmail.com તથા વ્હોટેસએપ નં. ૬૩૦૯૫૬૮૮૮૮ પર અમીતાભ ભટ્ટનાગરનો સંપર્ક કરવા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયાની યાદીમાં જણાવાયું છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો