અનુયાયીઓ

બુધવાર, 25 નવેમ્બર, 2020

વીંછીયા યાર્ડમાં મગફળીની સરકારી ખરીદીમાં બેદરકારીના આક્ષેપો કરતું કિસાન સંઘ


 વિછીયા તાલુકા ની અંદર હાલ અત્યારે માર્કેટીંગ યાર્ડની અંદર સરકાર દ્વારા ટેકાના ભાવની જે  મગફળીની ખરીદી કરવામાં આવે છે, તેમાં ખૂબ જ બેદરકારી છે. જેમાં ખેડૂતોને સવારે બોલાવવામાં આવે છે, પરંતુ સાંજ સુધી ક્યાંય માલ ઉતારવા દેવામાં આવતો નથી, જેથી અસંખ્ય ખેડૂત ખૂબ તકલીફમાં હોય ગામડેથી પોતાના હજારો રૂપિયાના ખર્ચે વાહન ભાડે કરી અને મગફળી ઉતારવા આવતા હોય અને અહીંયા માર્કેટીંગ યાર્ડની અંદર અધિકારીઓની બેદરકારી તથા મજુર એસોસિયન મજૂર સંઘ ને કામ આપ્યું છે, મજૂરોની બેદરકારીના લીધે સવારથી સાંજ સુધીમાં જે માલ નો નિકાલ કરવાનો હોય તે નિકાલ થતો ન હોય અને મજૂરની ખૂબ જ ઘટ હોય દરેક ખેડૂત એકથી બે દિવસ ત્રણ દિવસ ખૂબ હેરાન થતા હોય તેમ છતાં ના સંચાલકો અને અધિકારીઓ તથા મજુર એસોસિએશન દ્વારા પણ નિકાલ કરવામાં આવતો ન હોય જેથી ભારતીય કિસાન સંઘના રાજકોટ જિલ્લા ની ટીમ ખેડૂતને મુલાકાતે પહોંચી અને ત્યાં તમામ દ્રશ્યો જોયા તો ખેડૂતને સવારથી સાંજ સુધીમાં માત્ર ને માત્ર લાઈનમાં ઉભા રાખવા સિવાય કશું કરવા આવું થવા દેવામાં આવતું નથી તો ભારતીય કિસાન સંઘ ની માગણી છે કે એક પણ ખેડૂતને પોતાને પોતાના વાહનો તથા પોતાનો ટાઈમ ન બગડે તમામને તાત્કાલિક યુદ્ધના ધોરણે વારો આવી જાય અને વ્યવસ્થાપકો પૂરતું ધ્યાન આપે મજૂરો પૂરતું ધ્યાન આપે નહીં તો આગામી દિવસોની અંદર વિછીયા માર્કેટિંગ યાર્ડની અંદર ગાંધીચીંઘ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવીને તમામ અધિકારીઓ  ને ભાન કરાવવામાં આવશે એવું ભારતીય કિસાન સંઘ ના જિલ્લા સદસ્ય   મુકેશભાઈ રાજપરા તેમજ તાલુકા પ્રમુખ ઝાલાભાઇ તેમજ તાલુકા ના સદસ્યો દ્વારા એ જણાવ્યું


- દિલીપભાઈ સખીયા ભારતીય કિસાન સંઘના પ્રમુખ રાજકોટ

ટિપ્પણીઓ નથી: