અનુયાયીઓ

ગુરુવાર, 6 ડિસેમ્બર, 2018

રાજ્યના ૫૦ હજાર હોમગાર્ડ જવાનોના
વેતનમાં વધારા બાબતે સરકારની
ઘોર ઉપેક્ષા : મુખ્યમંત્રીને રજૂઆત
શહેરના માજી હોમગાર્ડ ગજેન્દ્રસિંહ ઝાલાનો વસવસો :
બધાના વેતન વધે છે, હોમગાર્ડનું ફદિયું'ય ના વધ્યું

રાજકોટ તા,૬
ગુજરાત રાજ્યના આશરે ૫૦ હજાર હોમગાર્ડ જવાનોના વેતન વધારા બાબતે સરકાર ઓરમાયું વર્તન રાખતી હોવાના આક્ષેપ સાથે શહેરના માજી હોમગાર્ડ જવાન ગજેન્દ્રસિંહ ઝાલાએ મુખ્ય મંત્રી સહિતના સંબંધિતોને લેખિત રજુઆતો કરી છે.

રજુઆતમાં ઝાલાએ જણાવ્યું છે કે રાજ્યના આશરે ૫૦ હજાર હોમગાર્ડ જવાનોને હાલ રૂ.૩૦૪/- ફરજ ભથ્થું અને ૪૦/- રૂપિયા પરેડ ભથ્થું ચૂકવાઈ રહ્યું છે. જે અન્ય રાજ્યો કરતા ખુબ ઓછું છે. આ માનદ  વેતનમાં વધારો કરવા અગાઉ અનેક વખત રજુઆતો પછી પણ કોઈ નિરાકરણ આવ્યું નથી.

બીજીબાજુ તાજેતરમાં કોર્પોરેટર, ધારાસભ્યોના વેતનમાં વધારો કરાયો પણ હોમગાર્ડ જવાનોના વેતનમાં ફદિયું'ય વધારાયું નથી. આ સિવાય રાજ્યના અનામત પોલીસદળમાં હાલ લોકરક્ષક દળમાં તાલીમબદ્ધ જવાનો માટે સરકાર દ્વારા અનામત બેઠકો રાખવાની પણ માંગણી કરાઈ છે.

રજુઆતમાં એવું પણ જણાવાયું છે કે, ગુજરાત રાજ્યના ૩૮ જીલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝના મહેકમ સામે ૨૨ જીલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક દ્વારા વહીવટ ચલાવાય છે. રાજકોટમાં બંને જગ્યાઓ ઇન્ચાર્જ દ્વારા ચલાવાતી હોય, તાકીદે દરેક જીલ્લામાં જીલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝની નિમણુંકો કરવી જરૂરી છે.

પોલીસ ભરતીની રદ્દ થયેલી પરીક્ષાના મુદ્દે ગૃહમંત્રીનું રાજીનામું માંગતું સીટી-તાલુકા કોંગ્રેસ ધારાસભ્યની રાહબરી તળે મામલતદારને આવેદન



પોલીસ ભરતીમાં લેખીત પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાથી નવ લાખ જેટલા વિદ્યાર્થીઓની કારકિર્દીને અસર થવા પામી છે. આ નિંદનીય ઘટનાનાં કારણે સરકાર તથા વહીવટી તંત્ર નિષ્ફળ ગયેલ છે. આ સમગ્ર ઘટનામાં સામેલ તત્વો સામે સરકાર દ્વારા આકરા પગલા ભરવામાં આવે તેમજ ગૃહમંત્રીનાં રાજીનામાની માંગ સાથે ધ્રોલ તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા ધારાસભ્યની આગેવાનીમાં મામલતદાર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

    ધ્રોલ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ૭૬-કાલાવડનાં ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડીયાની આગેવાનીમાં ધ્રોલ તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ જીજુભા જાડેજા, કોંગ્રેસ અગ્રણી રઘુભાઇ મુંગરા, શહેર કોંગ્રેસ મહામંત્રી રજનીભાઇ ટંકારીયા સહિતનાં આગેવાનો તેમજ કાર્યકરોએ મુખ્યમંત્રીને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છેકે તા ૨ ડિસેમ્બરનાં રોજ પોલીસ ભર્તીની લેખીત પરીક્ષાનું પશ્નપત્ર લીક થતા આસરે નવ લાખ જેટલા વિદ્યાર્થીઓની કારકિર્દી રોળાઇ ગઇ છે. આ સમગ્ર ઘટના ખરેખર નિંદનીય છે. આ બાબતમાં રાજય સરકાર અને વહીવટી તંત્ર નિષ્ફળ ગયેલ છે. આ ઘટનામાં સામેલ આવા તત્વો ઉપર સરકાર દ્વારા ખુબજ આકરા પગલા લેવામાં આવે તેમજ રાજયનાં ગૃહમંત્રીનું તાત્કાલીક રાજીનામુ લેવામાં આવે પેપર લીક થવાની વારંવારની ઘટનાઓ બનતા લોકોનો તેમજ પરીક્ષાર્થીઓનો વિશ્વાસ આ રાજયસરકાર ગુમાવી બેઠી છે.

    આવી ઘટનાઓમાં શિક્ષણમંત્રી અને ગૃહમંત્રી જવાબદાર હોય તો તાત્કાલીક ધોરણે બંનેનાં રાજીનામા લઇ લેવામાં આવે. આ બાબતે ગંભીરતા નહીં દાખવાય અને રાજીનામા નહીં લેવામાં આવેતો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સમગ્ર જવાબદારી સરકારની રહેશે તેવી ચિમકી ઉચ્ચારાઇ છે.

ધ્રોલમાં ટેકાના ભાવે મગફળી થતી ખરીદીમાં રખાતા ભેદભાવ સામે કોંગી આગેવાનો ખફા મામલતદારને મગફળીના સેમ્પલ બતાવી ઉગ્ર રજુઆતો કરી


   
    ધ્રોલમાં ટેકાનાં ભાવે મગફળીની ખરીદીમાં ભેદભાવની નીતી રખાતી હોવાની ખેડૂતોની ફરિયાદ પરથી ધારાસભ્ય અને કોંગી આગેવાનોએ ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતેનાં ખરીદીનાં સેન્ટર પર જઇ જાત તપાસ કરવા પહોંચી ગયા હતાં. સારી કવોલીટીની રીજેકટ મગફળીનાં સેમ્પલ લઇ મામલતદાર પાસે પહોંચ્યા અને યોગ્ય કરવાની માંગ કરી હતી.
   
ધ્રોલમાં સરકાર દ્વારા ટેકાનાં ભાવે મગફળીની ખરીદી ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે થાય છે. આ ખરીદીમાં સારી ગુણવતાની મગફળીને રીજેકટ કરવામાં આવે છે. તેમજ તેનાંથી હલકી ગુણવતાની મગફળીની ખરીદી થાય છે. તેવા આરોપો ખેડૂતો લગાવી રહયા હતાં. આ બાબતે ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડીયાને ખેડૂતોએ રજુઆતો કરતાં ધારાસભ્ય તથા ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીજુભા જાડેજા, કોંગ્રેસ અગ્રણી અને ખેડૂત આગેવાન રઘુભાઇ મુંગરા તથા કોંગ્રેસનાં આગેવાનો ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતેનાં મગફળીની ટેકાનાં ભાવે મગફળીનાં સેન્ટરે પહોંચી ગયા હતાં..
    ત્યાં ખેડૂતોની મગફળી રીજેકટ થવાનાં કારણો જાણ્યા હતાં. તેમાં ખેડૂતોની ટેકાનાં ભાવે ખરીદાયેલી મગફળી કરતાં પણ સારી ગુણવતા વાળી મગફળી રીજેકટ થયાનું માલુમ પડયું હતું. આથી ધારાસભ્ય સહીત કોંગી આગેવાનો મામલતદારને રીજેકટ મગફળીનાં સેમ્પલ સાથે રજુઆત કરવા દોડી ગયા હતાં. આ બાબતે મામલતદારને ઉગ્ર રજુઆતો કરી મગફળીની ખરીદીમાં ભેદભાવની નીતિ રખાયાનો આક્ષેપ કર્યો હતો. ખરીદાયેલી મગફળી કરતાં પણ ઉચ્ચ ગુણવતાવાળી રીજેકટ થયેલ મગફળી મામલતદાર સમક્ષ રજુ કરી હતી.

    ધ્રોલ મામલતદાર  જણાવ્યું હતું કે યોગ્ય ગુણવતા વાળી મગફળીની ખરીદી થાય છે. તેમજ ખેડુતોને અન્યાય ન થાય તે બાબતોનું પણ ધ્યાન રખાય છે. ધારાસભ્ય તેમજ આગેવાનોની રજુઆત મુજબ આ બાબતે યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી કોઇ ખેડૂતને અન્યાય ન થાય તેનું ધ્યાન રખાશે.


જેતપુરના પત્રકાર કિશોર મારુના પિતા રતિલાલ મારૂનું અવસાન


જેતપુર : જેતપુર નિવાસી રતિલાલ લાલજીભાઈ મારું તે પ્રવીણભાઈ, અશોકભાઈ, રાજેશભાઈ, કિશોરભાઈ મારું(પત્રકાર), નીલેશ મારું(પત્રકાર) અને ભાવનાબેન ભાવેશભાઈ કાચાના પિતા તા.૫.૧૨.ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૭ ને શુક્રવારે,  સાંજે ૪ થી ૬, લુહાર જ્ઞાતિની વાડી, ખોડપરા, જેતપુર ખાતે રાખેલ છે. 
સદગતની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં પ્રિન્ટ-ઇલો.મીડિયાના પત્રકારો, રાજકીય, સામાજિક આગેવાનો જોડાયા હતા.

પરસાણાનગર-૬ માંથી દારૂના ગુનામાં નાસતો ફરતો અબ્દુલ લંજા પકડાઈ ગયો

વિદેશી દારૂની ૧૫૬ બોટલ સાથેની
રીક્ષા મૂકી અગાઉ ભાગી ગયો હતો

રાજકોટ તા.૬
આજથી ૧૨ દિવસ પહેલા પોપટપરા નાળા પાસે વિદેશી શરાબની ૧૫૬ બોટલ સાથેની ટેમ્પો રીક્ષા મૂકી ભાગી ગયેલા સ્લમ ક્વાર્ટર, જામનગર રોડ પર રહેતા શખ્શને એસઓજીએ પરસાણાનગરની ૬ નંબરની શેરીમાંથી પકડી પાડી ધોરસરની કાર્યવાહી વચ્ચે પ્ર.નગર પોલીસને સોંપ્યો હતો.


પ્રાપ્ત વિગતો મુજબ ગઈ તા.૨૪-૧૧ ના રોજ શહેરના પોપટ પરા વિસ્તારના નાળા સામે, શાસ્ત્રી નગર નજીના રોડ પરથી પોલીએ વિદેશી શરાબ સાથેની એક ટેમ્પો રીક્ષા પકડી પાડી હતી. જ્યારે રીક્ષા માલિક અબ્દુલ દાઉદ લંજા(રહે.સ્લમ ક્વાર્ટર, જામનગર રોડ) નાશી છૂટ્યો હતો.

દરમિયાન શહેર એસ.ઓ.જી.ના પીઆઈ એસ.એન.ગડ્ડુંની સુચનાથી પેટ્રોલિંગ કરી રહેલા પીએસઆઈ એચ.એમ.રાણા સહિતના સ્ટાફના માંનૃપ્ગીરી ગૌસ્વામી અને નીર્માંલ્સિંહ ઝાલા તથા જયંતગીરી ગૌસ્વામીને મળેલી બાતમીના આધારે અબ્દુલને ગઈકાલે પરસાણાનગર-૬ માંથી ઝડપી લઈને પ્રદ્યુમન નગર પોલીસને સોંપાયો હતો.

પલીસે વધુમાં જણાવ્યું હતું કે, અબ્દુલ અગાઉ પાસા તળે જેલની હવા ખાઈ ચુક્યો છે. તેમજ રાયોટીંગ અને ખૂનની કોશીષ અને પ્રોહીબીશન ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

પડધરીના અમરેલી ગામના યુવાનને ધોકાવી લુંટ ચલાવનાર શખ્શના આગોતરા જામીન રદ્દ કરતી સેશન્સ કોર્ટ



રાજકોટ તા.૬
પડધરી તાલુકાના અમરેલી ગામના યુવાનને માર મારી રૂપિયા ૪૭ હજાર રોકડની લુંટ ચલાવનાર મહુવાના રમેશ રાણાએ કરેલી આગોતરા જામીન અરજીને રાજકોટની સેશન્સ કોર્ટે રદ કરી છે.

કેસની વિગતો મુજબ પડધરી તાલુકાના  અમરેલી ગામે રહેતા હિતેશ પરસોતમભાઈ અકબરી પોતાનું બાઈક લઈને  કાલાવડ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે  મોટલ ધ વિલેજ હોટેલ પાસે સ્કોર્પયો કાર સાથે ઘસી આવેલા મહુવાના રમેશ રાણા સહિતના શખ્શોએ હિતેશભાઈ પર હુમલો કરી રોકડ, મોબાઈલ, સોનાના ચેઈન સહિતના રૂ.૪૭૦૦૦ ના મુદ્દામાલની લુંટ ચલાવી નાશી છૂટ્યા હતા. ઉપરોકત આરોપી પૈકી ૨મેશ રાણા મક્વાણાએ સંભવિત ધ૨પકડ સામે આગોતરા જામીન અરજી કરી પોતે નિર્દોષ હોવાનું, અગાઉની સામ સામે થયેલ ફરીયાદોનો ખાર રાખી ખોટી રીતે સંડોવી દીધો હોવાનું કોર્ટમાં જણાવ્યું હતું.

બીજી બાજુ નજરે જોનારા સાહેદો હિતેશભાઈને સમર્થન આપતા હોય, કસ્ટોડીયલ  ઈન્ટ્રોગેશનની આવશ્યકતા અને મુદ્દામાલ કબજે કરવાનો બાકી હોય આગોતરા જામીન રદ્દ કરવા રજુઆતો થતા,રાજકોટના એડી. સેશન્સ જજે રમેશ રાણાની આગોતરા જામીન અરજી રદ્દ કરતો હુકમ કર્યો હતો.
આ કેશમાં સરકાર તરફથી એ.પી.પી. અતુલ જોષી તથા ફરીયાદ પક્ષેથી રાજકોટના  એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુલાલ શાહી, સહદેવ દુધાગરા,  જય પારેડી, , કૈલાશ જાની, હિરેન ડોબરીયા, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

જેતપુરના ડેડરવા ગામનો વિજય મુળિયા વરલીનો જુગાર રમતા-રમાડતા પકડાયો


પેઢલા ગામે નજીવી બાબતે યુવાન પર હુમલો

જેતપુર તાલુકાના ડેડરવા ગામે જાહેરમાં વરલી ફીચરના આંકડા રમતો અને રમાડતા એક શખ્શને તાલુકા પોલીસે રોકડ ૧૧૦૬૦/- સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના ડેડરવા ગામે દુધની ડેરી ચલાવતો વિજય બચું મુળિયા નામનો શખ્શ દૂધ ભરતા ભરતા વરલી ફીચરનો જુગાર પણ ચલાવતો હોવાની પોલીસને બાતમી મળી હતી. દરમિયાન ગઈકાલે તાલુકા પોલીસેના એમ.ટી. ચુડાસમાએ ડેડરવા ગામે પહોચી તપાસ કરતા વિજય જાહેરમાં વરલી ફીચરના આંકડા લખી નશીબ આધારિત હારજીતનો જુગાર રમાડતો રોકડ રૂપિયા ૧૧૦૬૦/- સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે આ તકે આંકડા લખેલી ડાયરી, બોલપેન વિગેરે કબજે કરી વિજય સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પેઢલા ગામે હુમલો
જેતપુર તાલુકનાં પેઢલા ગામે દલિતવાસ, રામાપીરના મંદિર પાસે રહેતા ઉકાભાઈ મીઠાભાઈ મકવાણાના ઘર પાસે કારાભાઈ ચંદુભાઈ સાવરિયા નામનો શખ્શ ગાળો બોલતો હતો. જેને દીપકભાઈ ઉકાભાઈ મકવાણાએ ટપારતા ઉશ્કેરાયેલા કારાએ દીપકભાઈને કપાળે લાડીનો ટુકડો મારી દઈને ઈજા કરી હતી. આ વાતની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા જમાદાર એમ.ટી.ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.
*******************

મોટીમારડ-ઉપલેટામાં વરલીનો
જુગાર રમતા ૪ શખ્શો ઝડપાયા


ગઈકાલે મોટીમારડ અને ઉપલેટામાં સંબંધિત પોલીસે ત્રણ સ્થળો પર જુગાર દરોડા પાડી ૪  શખ્શોને વરલી ફીચરના જુગાર રમતા રૂ.૨૬૧૮૦ /- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ પાટણવાવ આઉટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા મોટીમારડ ગામે, બસસ્ટેન્ડ પાસે વરલીનો જુગાર રમાતો હોવાની બાતમી પરથી એ.એસ.આઈ. એમ.વી.સુવા, બાપાલાલ ચુડાસમા વિગેરેએ દરોડો પાડતા બે શખ્શો રોકડ રૂ.૬૨૪૦/-  ૨ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૧૨૪૦/-ના મુદ્દામાલ સાથે વરલી ફીચરના આંકડાનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. જેમાં રાજુ બાબુ ભરડા તથા પરેશ વાછાણીનો સમાવેશ થાય છે.

ઉપલેટામાં ગાંધી ચોક, કીર્તિવિજય હોટેલ પાસેથી જમાદાર કે.એચ.શ્યારા તેમજ ગગુભાઈ ચારણ સહિતના સ્ટાફે મહેબુબ ઉર્ફે સુલતાન હશન સોરા નામના શખ્શને વરલીના આંકડાનો જુગાર રમતા રોકડ રૂપિયા ૩૩૦/- સાથે પકડી પાડ્યો હતો. 

તો જમાદાર એસ.વી.જાડેજા અને મનોજભાઈ બાયલે ઉપલેટા સ્મશાન રોડ પર વરલી ફીચરનો આંકડા લખતા મરીયમબેન જુસબ શેખના પકડી પાડેલ છે. સલીમ ઉમર રફાઈ નામનો શખ્શ બંને પગે અપાહીઝ હોય તેમને પોલીસ થાણે હાજર થવા પોલીસે તાકીદ કરી હતી. તો રઝાક ઉર્ફે બાવલો ઓસમાણ નામનો શખ્શ વરલીના આંકડાની કપાત ખાતો હોવાનું ખુલતા પોલીસે તેમની શોધખોળ આદરી છે. પોલીસે આ દરોડામાં રૂપિયા ૧૪૬૧૦ રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
******************
પડધરી અને કોટડાસાંગાણી પંથકમાંથી
૨ બાઈકની ઉઠાંતરી કરતા વાહન ચોર

રાજકોટ તા.૬
કોટડાસાંગાણીના સોળીયા ગામ અને પડધરીમાંથી બે બાઈકોની ઉઠાંતરી કરીને વાહન ચોર ગેંગે પોલીસને પડકાર ફેંક્યો છે. બંને બાઈક ચોરીની પડધરી અને કોટડાસાંગાણી પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીમાં શાંતિનિકેતન સોસાયટી, શિવમ એપાર્ટમેન્ટ, સત્યમ સ્કુલ સામે રહેતા કમલેશભાઈ  વિશાભાઈ દરજીનું પોતાના ઘર પાસેથી ૪૯૭૩ નંબરનું હોન્ડા કોઈ ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાવતા જમાદાર એફ.ડી.બલોચે તપાસ હાથ ધરી છે.

જ્યારે કોટડા સાંગાણી તાલુકાના સોળીયા ગામના બાબુભાઈ ઘુસાભાઈ મેટારિયાનું કોટડાસાંગાણીની સીમ, વાછપરી નદીના કાંઠે રમેશભાઈ ભૂતની વાડીમાં પાર્ક કરેલ ૫૨૪૩ નંબરનું બાઈક કોઈ ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા જમાદાર એમ.બી.કટેસીયાએ તપાસ હાથ ધરી છે.
*******************

નિવૃત આર્મીમેનના પુત્ર પાસેથી રૂપીયા
ત્રણ લાખની લાંચ લેતા ફોજદાર ઝબ્બે



આર્મીમેનને સાંથણીમાં મળેલી જમીન પર ફેન્સીગ બાંધવામાં ભુમાફિયાઓ અડચણ કરતા હોય અરજી કરી હતી: ભુમાફિયા સામે કાર્યવાહી કરવા લાંચ માંગી: કલ્યાણપુરનો બનાવ

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પોલીસ મથકનો ફોજદાર નિવૃત આર્મીમેનના પુત્ર પાસેથી રૂ.3 લાખની પોલીસ મથકમાં જ લાંચ લેતા એસીબી  છટકામાં ઝડપાઇ ગયો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ
કલ્યાણપુર પોલીસ મથકના પી.એસ.આઈ
શૈલેન્દ્રસિંહ સુરેશસિંહ ભદોરીયાને રૂ ત્રણ લાખની લાંચ લેતા પોલીસ મથકમાં જ એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધો હતો.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ કામના ફરીયાદીના પિતા એકસ આર્મી મેન હોય અને તેઓને સરકારશ્રી તરફથી સાંથણીની ખેતીની જમીન મળેલ જે જમીન પૈકી અમુક જમીનમાં અન્ય લોકોએ દબાણ કરેલ હોય અને મામલતદાર કલ્યાણપુર તરફથી દબાણ ગ્રસ્ત જમીન સિવાયની જમીનનો કબ્જો ફરીયાદીને સોપવામાં આવેલ જે ફરીયાદીને સોપવામાં આવેલ જમીનમાં ફેન્સીગ  તથા બાવળ કાઢવાનુ કામ કરવામાં દબાણ કરનાર વ્યકિતઓ અડચણ કરતા હોય જે બાબતે ફરીયાદીએ કલ્યાણપુર પોલીસ મથકમાં અરજી કરી હતી.

દરમિયાન ફરીયાદીની ઉપરોકત કામ કરાવી આપવાના અવેજ પેટે આ ફોજદારે ફરીયાદી પાસેથી રૂા.૩,૦૦,૦૦૦/- ની લાંચની રકમની માંગણી કરેલ, જે ફરીયાદીએ લાંચ આપવી ન હોય  ફરીયાદીએ એસીબી મા ફરીયાદ કરતા એસીબી એ આજરોજ  ગોઠવેલ લાંચના છટકા ફોજદાર સપડાઈ ગયા હતા.રાજકોટ એસીબી પી.આઈ સી.જે.સુરેજા દ્વાર આ કાર્યવાહી કરાઈ હતી.





બુધવાર, 5 ડિસેમ્બર, 2018

રાજકોટમાં સ્વામીનારાયણ નગરમાં અાજે મહોત્સવનો પ્રારંભ થતાં જ હજારો હરિભકતો ઉમટી પડયા


જય સ્વામિનારાયણના દિવ્ય નાદથી અાજે રાજકોટમાં માધાપર ચોકડીરુમોરબી બાયપાસ રોડ પર વિશ્ર્વવિભૂતિ પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતિ મહોત્સવનું સ્વામિનારાયણ નગરમાં બીઅેપીઅેસના અઘ્યક્ષ પૂ. મહંત સ્વામી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે ઉદઘાટન કરવામાં અાવ્યું હતું. જયારે દીપ પ્રાગટય થયું ત્યારે ઉપસ્થિત હજારોની સંખ્યામાં અાવેલા હરિભકતોઅે 'જય સ્વામિનારાયણ'નો નાદ કયોૅ હતો.

અાજથી અગિયાર દિવસ સુધી ચાલનારા મહોત્સવ દરમ્યાન વીસ લાખથી વધારે લોકો ઉમટી પડશે. અાજે ધોરાજી, ગોંડલ, જામનગર, મોરબી, જેતપુર, વીરપુર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી લોકો ઉમટી અાવ્યા છે. પ૦૦ અેકર જમીન પર સ્વામિનારાયણ નગર ઉભુ કરવામાં અાવેલ છે. મુખ્ય સભાગૃહ, પ્રદશૅન ખંડો, લાઈટ અેન્ડ સાઉન્ડ શો સહિતની વિવિધતા લોકોને પ્રભાવિત કરશે. અાજે દોઢ લાખથી વધારે લોકો ઉમટી પડે તેવી સંભાવના છે. અાજે દરેક માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં અાવી છે.

ધ્રોલ માર્કેટ યાર્ડ નજીક એસટી બસે બાઈકને હડફેટે લેતા યાર્ડના ડીરેક્ટર સહીત ૨ ને ગંભીર ઈજા

દ્વારકા-મોરબી-અમદાવાદ તરફ જતી બસે અકસ્માત સર્જ્યો 
બંને ઈજ્ગ્રસ્તોને ધ્રોલથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પીટલે ખસેડાયા


આજે બપોરના બારેક વાગ્યાની આસપાસ ધ્રોલ માર્કેટ યાર્ડ પાસે અમદાવાદ તરફ જતી એક એસટીની બસે બે બાઈક સવારોને હડફેટે લેતા બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર ધ્રોલ હોસ્પીટલે અપાવી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પીટલે ખસેડાયા છે. ઘવાયેલા બંનેમાં એક ધ્રોલ માર્કેટ યાર્ડના ડીરેક્ટરનો સમાવેશ થાય છે. ધ્રોલના ડીરેક્ટર સહીત બંને યાર્ડમાંથી ધ્રોલ તરફ જતા હતા ત્યારે આ બનાવ બનવા પામ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ધ્રોલ માર્કેટ યાર્ડના ડીરેકટર ડાયાભાઇ વશરામભાઈ ગઢિયા તેમજ રાજમલસિંહ ભુપતસિંહ જાડેજા એમ બંને આજે જી.જી.૧૦ સી.એ. ૫૯૦૩ નંબરના બાઈક પર ધ્રોલ માર્કેટ યાર્ડમાંથી નીકળી ધ્રોલ તરફ જતા હતા ત્યારે જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ માર્કેટ યાર્ડ સામે જ પહોચેલી, અમદાવાદ તરફ જતી જી.જે.૧૮ ઝેડ ૦૨૫૪ નંબરની એસટી બસ ચાલકે આ બંને બાઈક સવારોને હડફેટે લેતા બંનેને ગંભીર ઈજાઓ પહોચી હતી.





બનાવ બાદ રાજમલસિંહ અને ડાયાભાઇને લોહી લુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર ધ્રોલ હોસ્પીટલમાં આપવી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પીટલે ખસેડાયા છે. બનાવ બાદ એસટી બસ ઘટના સ્થળે રોકાઈ ગઈ હતી. સ્થાનિક પોલીસને બનાવની જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને એસટી બસ ચાલક સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવા કવાયત આદરી હતી.

આજે અચાનક બનેલા અકસ્માતમાં ધ્રોલ માર્કેટ યાર્ડના ડીરેક્ટર ડાયાભાઇ ગંભીર રીતે ઘવાતા યાર્ડના અન્ય ડીરેક્ટર, યાર્ડ સુત્રો અને વેપારીઓમાં ચિંતા પ્રસરી છે. (ફોટો : સંજય ડાંગર)

કાલાવડમાં વિશ્વ વિકલાંગ દિનની તંત્ર દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાઈ

બી.આર.સી.ભવન, આઈ.ઈ.ડી. વિભાગ, કાલાવડ દ્વારા ગઈ તા.૩ ના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે આર્ટ, ક્રાફ્ટ, સંગીત, વાર્તા, અભિનય સહિતના વિવિધ કાર્યક્રમો બાળકોને પ્રોત્સાહન આપવા યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો જોડાયા હતા.
આ તમમાં કાર્યક્રમોમાં બાળકોનાં માર્ગદર્શંક તરીકે બીઆરસી કોઓર્ડીનેટર રાહુલભાઈ વાણંદ હાજર રહ્યા હતા. જ્યારે કાર્યક્રમોના સફળ આયોજન માટે બ્લોક સ્ટાફ તેમજ બીઆરટી આઈઇડી સંદીપભાઈ મહેતાએ જહેમત ઉઠાવી હતી.


તા.૪-૧૨ થી ૧૫-૧૨ દરમિયાન શાળા છોડનાર બાળકોનો સર્વે ચાલુ : નજીકની શાળાનો સંપર્ક કરવા અનુરોધ


સર્વ શિક્ષા અભિયાન-બી.આર.સી. ભવન-કાલાવડ દ્વારા
શરુ કરાયેલી સર્વે કામગરીમાં સહકાર આપવા અનુરોધ

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બી.આર.સી.ભવન, કાલાવડ દ્વારા ૪ થી ૧૮ વર્ષના બાળકો કે જેઓએ અધવચ્ચેથી અભ્યાસ છોડ્યો હોય અથવા તો શાળાએ  જ ના ગયા હોય તેવા બાળકોનો સર્વે શરુ કરાયો છે.

તા.૪-૧૨ થી ૧૫-૧૨ દરમિયાન હાથ ધરાનાર આ સર્વેમાં ક્યારેય શાળાએ ના ગયા હોય, વચ્ચેથી શાળા છોડી દીધી હોય, દિવ્યાંગતાના કારેણે શાળાએ ના પહોચી શક્યા હોય, તેમજ ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા વગર અભ્યાસ છોડી દીધો હોય તેવા કોઈ બાળકો મળી આવે તો નજીકની પ્રાથમિક શાળાનો અથવા તો તાલુકાના બીઆરસી ભવનનો સંપર્ક કરવા જણાવાયું છે.

શાપર(વેરાવળ)ના કારખાનામાં ભીષણ આગ : લાખોની મત્તા ભસ્મીભૂત


આજે વહેલી સવારે શાપર વેરાવળમાં એક પ્લાસ્ટીકના કારખાનામાં ભભૂકેલી આગમાં લાખોની મત્તા બળીને રાખ થઇ ગઈ હતી. આગને બુઝાવવા રાજકોટ, ગોંડલથી ફાયર ફાઈટરની મદદ લેવાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ મસ્તક પોલીમર્સ નામના પ્લાસ્ટીકના કારખાનામાં આજે વહેલી સવારે આગ લાગ્યાની જાણ પરથી રાજકોટ, ગોંડલના ફાયર ફાઈટરની મદદ લેવાઈ હતી. અગ્નિશામક દળના સ્ટાફે આગને કાબુમાં લઇ લીધી હતી પણ ત્યાં સુધીમાં લાખોની મત્તા આગમાં ખાક થઇ ગઈ હતી. બનાવની અરવિંદસિંઘની જાણ પરથી સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈને આગનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.




પ્રસ્તુત તસવીરોમાં મસ્તક પોલીમર્સમાં લાગેલી આગથી નાશ પામેલી મત્તા અને ફાયર સ્ટાફ આગ બુઝાવતા નજરે પડે છે.

લોધીકાના પાળ ગામેથી બાઈકની ઉઠાંતરી


રાજકોટ તા.૫
લોધિકા તાલુકાના પાળ ગામે રહેતા કાન્તિલાલ કાળુભાઈ ટીલાળાએ પોતાના ઘર પાસે પાર્ક કરેલ જી.જે.૦૩ ડી.એફ.૬૨૯૫ નંબરનું હોન્ડા કોઈ ગઈ તા.૨૭-૧૧ ના રોજ ચોરી કરી લઇ ગયા હતા. આ બારાની લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા એ.એસ.આઈ.ગજુભા જાડેજાએ તપાસ આદરી છે.

શાપર(વેરાવળ)માં બોલેરો કાર ઝુંપડામાં ઘુસી જતા ૪ વર્ષની બાળકીને ગંભીર ઈજા

શાંતિધામ નજીક બાઈક હડફેટે આધેડને ગંભીર ઈજા

રાજકોટ તા.૫
ગઈકાલે શાપર વેરાવળમાં એક બોલેરો કાર અકસ્માતે તળાવની પાલ નજીકના એક ઝુંપડામાં ઘુસી જતા ચાર વર્ષની બાળકીને ગંભીર ઈજા પહોચી હતી. પોલીએ કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે. તો અહી શાંતિધામ મેઈન રોડ પર એક બાઈક ચાલકે આધેડને હડફેટે લઈને ગંભીર ઈજા પહોચાડ્યાની પણ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરના બે વાગ્યાની આસપાસ ગ્લેર કંપનીના કમ્પાઉન્ડ સામે તળાવની પાલ નજીક ઝુપડપટ્ટીમાં જી.જે. ૦૧ કે.સી. ૪૫૮૬ નંબરની કાર પુરઝડપે આવી ઘુસી જતા એક ઝુંપડામાં દિનેશભાઈ ભીખુભાઈ ચારોલાની ૪ વર્ષની બાળકી કોમલને ગંભીર ઈજા થતા સારવાર માટે દવાખાને ખસેડાઈ હતી.

બનાવની હંસાબેન દિનેશભાઈની ફરિયાદ પરથી શાપર(વે)ના પીએસઆઈ એ.એ.ખોખરે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના બીજા બનાવમાં શાપર(વે)ના શાંતિધામ-૧ માં રહેતા હરસુખભાઈ મોહનભાઈ ટીલવા(ઉ.વ.૪૮)ને શાંતિધામ મેઈન રોડ પર ડીસીએમ બેરીંગ આગળ જી.જે.૧૪ ૭૬૮૬ નંબરના બાઈક ચાલકે હડફેટે લઇ ગંભીર ઈજા કરતા હરસુખભાઈને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા. આ બનાવની રમેશભાઈ મોહનભાઈ ટીલવાની ફરિયાદ પરથી એ.એસ.આઈ. એન.બી.રાઠોડે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

જસદણ તાલુકાના જુંડાળા ગામે પરિણીતાને મરવા મજબુર કરનાર પતિ કિશન સામે ગુનો નોંધાયો

મૃતક મહિલાના ભાઈની ફરિયાદ પરથી કિશન
 દેવમુરારીને શોધતી આટકોટ પોલીસ

રાજકોટ તા.૫
જસદણ તાલુકાના જુંડાળા ગામે પતિના શારીરિક ત્રાસથી કંટાળી જઈને ઝેરી દવા પી મોતને ભેટેલી પરિણીતાના ભાઇની ફરિયાદ પરથી આટકોટ પોલીસે પતિ કિશન દેવમુરારી સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણ તાલુકાના જુંડાળા ગામે રહેતી કવિતાબેન કિશન દેવમુરારી નામની પરિણીતાને પતિ કિશન છેલ્લા ત્રણ વર્ષના લગ્નગાળા દરમિયાન શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. આ વાતથી કંટાળેલા કવિતાબેને આજથી ચાર પાંચ દિવસ પહેલા ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

બીજીબાજુ પોતાની બહેનને બનેવી કિશન ભૂપત દેવમોરારીએ ત્રાસ આપી મરવા મજબુર કરી હોવાની કવીતાબેનના ભાઈ સંજયભાઈ નરશીભાઈ રાઠોડ(રહે.કૈલાશનગર, ભઠ્ઠાની બાજુમાં, આટકોટ)ની ફરિયાદ પરથી આટકોટ પોલીસે કિશન સામે ગુનો નોંધ્યો છે. આ બનાવની વધુ તપાસ પીએસઆઈ બી.એફ.ચૌધરીએ હાથ ધરી છે.

સોમવાર, 3 ડિસેમ્બર, 2018

રહેવર સ્કૂલમાં યોજાયેલ વિનામૂલ્ય સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેતા 171 દર્દીઓ

રહેવર સ્કૂલમાં યોજાયેલ વિનામૂલ્ય સર્વરોગ

નિદાન કેમ્પનો લાભ લેતા 171 દર્દીઓ


(કશ્યપ જોશી) :     રાજકોટ : રાજકોટમાં રહેવર સ્કૂલ અને શ્રી બી.જી. ગરૈયા આયુર્વેદિક એન્ડ હોમિયોપેથીક હોસ્પિટલના સંયુકત ઉપક્રમે તા.2.ને રવિવારે વિનામૂલ્યે  'સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
                    રહેવર સ્કૂલનાના સંચાલકો જયવીરસિંહ રહેવર, રઘુવીરસિંહ રહેવર, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, માજી કોર્પોરેટર હરિભાઈ ડાંગર, શૈલેષભાઈ ડાંગર, કોર્પોરેટર નિતિનભાઈ રામાણી, પ્રભાત ભાઇ ડાંગર, રવજીભાઈ ખીમસુરીયા, વિજય સિંહ જાડેજા(ચાંદલી), દામજીભાઈ અઘેરા, નારણભાઈ બોળીયા, સુરેશભાઈ ચાવડા (કૃષ્ણ ડેરી), સંજય સિંહ વાઘેલા (વોર્ડ 13 ના મંત્રી ના મહામંત્રી) વિગેરેની હાજરીમાં ડો.શીતલ ભાગીયા, ડો.દેવાંગી લશ્કરી, ડો.સુજનાન જૈન, ડો.ક્રિષ્નાબેન, ડો.માનસીબેન વી.તબીબી ટીમ દ્વારા









        સાંધા તથા મણકાના દુખાવાની, વાળ તથા ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, હાઈ બી.પી. કોલેસ્ટેરોલ, ડાયાબીટીસ, થાઇરોઇડ, માનસિક તણાવ, અનિતા, માથાનો દુઃખાવો, માનસિક રોગો, હરસ, ભગંદર, ફિશર, આંખ, નાક, કાન, ગળાના રોગોનું નિદાન અને આયુર્વેદિક પધ્ધતિથી 124 દર્દીઓને આયુર્વેદિક અને 47 દર્દીઓને હોમિયોપેથીક સારવાર  તેમજ આ માટેની દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હોવાનું શ્રી સંસ્કૃતિ એજ્યુકેશનલ અને કલ્ચરલ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટના પ્રમુખ આર.વી.રહેવર દ્વારા જણાવાયું હતું

શનિવાર, 1 ડિસેમ્બર, 2018

ગામડાઓની પોસ્ટ ઓફિસોમાં શરુ થયેલી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્કનો લાભ લેવા પ્રજાને અનુરોધ


બ્રાંચ પોસ્ટ માસ્તર-કર્મચારીઓને માહિતીઓ અપાઈ:
હવે છેવાડાના ગ્રામજનો પણ ખાતા ખોલી શકશે


રાજકોટ તા.૧
પ્રવર્તમાન હરીફાઈના યુગમાં હવે પોસ્ટ તંત્ર પણ અન્ય બેંકો સાથે કદમોકદમ ચાલવા બેન્કિંગ સેવા શરુ કરી છે. આ બેન્કિંગ સેવાનો મહત્તમ લોકો લાભ લે તેવું પોસ્ટ તંત્રના સુત્રોનો અનુરોધ છે.

ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકના નામથી પોસ્ટમાં શરુ થયેલી આ સેવાનો હવે છેવાડાના ગામડાના લોકો પણ વિના મુશ્કેલીએ લાભ લઇ શકશે. અન્ય બેન્કોની જેમ જ ઇન્ડિયન પોસ્ટ બેંકમાં તમામ પ્રકારની સુવિધાઓ ગ્રાહકોને મળી શકશે.


આ બાબતે ગ્રામીણ પોસ્ટ ઓફીસના બ્રાંચ પોસ્ટ માસ્તર સહિતના કર્મચારીઓને ટ્રેઈનર જી.આર.સાંબલે જણાવ્યું હતું કે આઈ.પી.પી.બી. સેવા દ્વારા લોકો પોતાના ખાતાની રકમ અન્ય બેંકમાં આસાનીથી ટ્રાન્સફર કરી શકશે. એટલું જ નહી બીલના ચુકવણા, લાઈટ બીલ, રીચાર્જ વિગેરે સેવાઓ પણ મેળવી શકશે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખાતું ધરાવનાર ગ્રાહક ઓનલાઈન પેમેન્ટ સુવિધા પણ અન્ય બેંકોની જેમજ મેળવી શકશે.

જે ગામડાઓમાં કોઈ પણ બેંક ના હોય તેવા ગામડાઓના ગ્રાહકોએ હવે નિરાશ થવાની જરૂર નથી. આવા ગામડાઓના લોકો, ગ્રાહકો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્કનો મહત્તમ લાભ લે તેવો પોસ્ટ સુત્રોએ અનુરોધ કર્યો છે.  (કશ્યપ જે.જોષી, રાજકોટ, જેતપુર, જેતલસર-૯૧ ૫૭ ૮૧૨ ૮૧૨ )

જેતલસર ગામે સમસ્ત ગર્ગસ ગૌત્ર પરિવારજનોનું સ્નેહમિલન યોજાયું


વિદ્યાર્થી સત્કાર સમારંભ-યજ્ઞ પણ યોજાયા

રાજકોટ તા.૧
તાજેતરમાં જેતપુર તાલુકાના જેતલસર ગામે જેતલસરા દાદાની જગ્યાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગર્ગસ ગૌત્ર પરિવારજનોનું સ્નેહમિલન, યજ્ઞ અને વિદ્યાર્થી સત્કાર સમાંરભ કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં બહોળી સંખ્યામાં બ્રહ્મસમાજ પરિવારજનો હાજર રહ્યા હતા. આ બાબતે વિગતો આપતા ગર્ગસ ગૌત્ર જેતલસરા દાદાના પ્રમુખ વિનોદભાઈ દયાશંકરભાઈ જોશીએ જણાવેલ કે, ગર્ગસ બ્રહ્મ પરિવારજનોના કુળદેવતા પુ.જેતલસરદાદાની જગ્યાએ જયંતભાઈ ઇન્દુલાલ જોષી(લુણાગરા)ના શાસ્ત્રીજી પદે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

અ તકે તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ, સ્નેહમિલન અને દાદાના ઉતારાની બાજુમાં સામુહિક પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે ત્રિવિધ કાર્યક્રમોનો બહોળી સંખ્યામાં ગર્ગસ ગૌત્ર પરિવારજનોને લાભ લીધો હતો.

વાંકાનેરનાં અમરસર ગામે બે યુવાનો પર ૫ શખ્શોનો ધોકા વડે હુમલો


રાજકોટ તા.૧
વાંકાનેર તાલુકાના અમરસર ગામે ગઈકાલે રાત્રીના ૨ યુવાનો પર તે જ ગામના ૫ શખ્શોએ કોઈ કારણોસર લાકડાના ધોકા વડે હુમલો કરતા બંને ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે શહેરની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા તકદીર હુશેન બલોચ(ઉ.વ.૨૫) અને પરવેઝ અનવર નાનાણી (ઉ.વ.૧૯) એમ બંને પર ગત રાત્રીના પોતાના ઘર પાસે ચડી આવેલા સમીર બલોચ સહિતના ૫ શખ્શોએ ધોકા વડે હુમલો કરી માર મારતા બંનેને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટી સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે. હુમલાનું કારણ જાની શકાયું નથી. હોસ્પિટલ ચોકી સુત્રોએ કાગળો કરી વાંકાનેર પોલીસ તરફ મોકલવા તજવીજ હાથ ધરી છે.

માતાના મોતનું નિમિત પુત્ર જ બન્યો વિશાપર-બિલડી રોડ પર અકસ્માતે બાઈક પરથી ગબડેલી મહિલાનું સારવારમાં મોત


આજથી ૬ દિવસ પહેલા બાબરા પંથકમાં પુત્રના બાઈક પરથી ગબડેલી માતાનું સારવાર દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મોત થયું હતું.

માતાના મોતનું પુત્ર જ નિમિત બન્યો હોય તેવી કરુણાંતિકાની વિગતો મુજબ બાબરા તાલુકાના ઈશાપર ગામના વિલાશબેન ધરમદાસ(ઉ.૪૨) નામના મહિલા તેમના પુત્રના બાઈક પર બેસીને જતા હતા.
ત્યારે વિશાપર-બિલડી રોડ પર અકસ્માતે બાઈકનું ટાયર ફાટતા ડ્રાઈવિંગ પરનો કાબુ ગુમાવતા વિશાલબેન બાઈક પરથી રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજાઓ થઇ હતી. દરમિયાન ૬ દિવસની સારવાર દરમિયાન ગઈકાલે વિશાલબેનનું રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મોત થતા હોસ્પિટલ ચોકી સુત્રોએ બાબરા પોલીસને જાણ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જંગવડ ગામના બાઈક ચાલકનું અકસ્માતમાં મોત નીપજાવનાર કાર ચાલક ઓળખાયો


પોકેટ કોપ એપ્લીકેશન વધુ એકવાર પોલીસ માટે આશીર્વાદરૂપ
રાજકોટ તા.૧
આજથી પંદરેક દિવસ પહેલા આટકોટ પંથકમાં જંગવડ ગામના બાઈક ચાલકને હડફેટે લઈને મોત નીપજાવી નાશી છુટેલા કાર ચાલકને આટકોટ પોલીસે પોકેટ કોપ એપ્લીકેશન દ્વારા ઓળખી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ જંગવડ ગામના હંસરાજભાઈ જાદવભાઈ રંગાણી પોતાનું જીજે ૦૩ સી એફ ૩૪૩૭ નંબરનું બાઈક લઈને વીરનગરથી આટકોટ તરફ આવતા હતા ત્યારે જસદણ-આટકોટ રોડ પર ચંદુભાઈની વાડી સામે ૩૭૧૩ નંબરની સફેદ કલરની મારુતિ ઝેનના ચાલકે હડફેટે લઈને હંસરાજભાઈનું મોત નીપજાવેલ.

બનાવ સમયે અકસ્માત સર્જનાર કારના પુરા સીરીઝ સાથેના નંબર ના હોય આટકોટ પોલીસ તંત્ર ધંધે લાગ્યું હતું. પણ આવા અધૂરા કલર અને કારનો કલર સહિતની વિગતો પોકેટકોપ એપ્લીકેશનમાં અપલોડ કરી પોલીસે તપાસ કરતા ઉપરોક્ત નંબરની કાર પાંચવડાના મહેન્દ્ર નાનાલાલ વ્યાસની હોવાનું બહાર આવતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું આટકોટ પોલીસના પીએસઆઈ બી.એફ.ચૌધરી જણાવે છે.

કોટડાસાંગાણીના રાજપરા ગામે વ્યાજખોરોના ત્રાસથી યુવાને ફીનાઈલ પીધું : સારવારમાં

રૂ.૧૨.૫૦ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા બાદ ચૂકવી દીધા છતાં ત્રાસ યથાવત રહેતા

રાજકોટની રેટીના હોસ્પીટલના ડો.મુકેશ પોરવાલ સહીત ૫ શખ્શો સામે
કોટડાસાંગાણી પોલીસમાં નોંધાયો ગુનો : પોલીસ તપાસનો ધમધમાટ


રાજકોટ તા.૧
રાજકોટ જીલ્લાના, કોટડાસાંગાણી તાલુકાના રાજપર ગામના એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી જતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયો છે. હોસ્પિટલ બિછાનેથી રાજકોટના ડોક્ટર સહિતના પાંચેક શાખ્શોના ત્રાસ-ધમકીથી કંટાળીને આ પગલું ભર્યાનું પોલીસને જણાવ્યું હતું. કોટડાસાંગાણી પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો અન્વયે પાંચેક શખ્શો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ કોટડાસાંગાણી તાલુકાના રાજપરા ગામે રહેતા નીલેશભાઈ લલીતભાઈ ગોહેલ(ઉ.વ.૩૦) નામના યુવાને પોતાના ઇંટોના ભઠ્ઠાના ધંધા માટે સગાભાઈ હરીશભાઈ મારફતે રાજકોટમાં રેટીના હોસ્પિટલના ડો. મુકેશ પોરવાલ પાસેથી અલગ અલગ સમયે રૂપિયા ૧૨.૫૦ લાખ ૧૦ ટકાનાં વ્યાજે લીધા હતા.

જે પૈસા ચૂકવાઈ ગયા હોવા છતાં નીલેશભાઈ અને તેમના ભાઈ હરીશભાઈ પાસેથી વધારે પૈસા પડાવવા, બંનેને ફોન પર ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય તેમજ આજથી આઠેક માસ પહેલા હરીશભાઈનું અપહરણ કરી, જાતી પ્રત્યે હડધૂત કરી તેમને હેરાન પરેશાન કરતા હોય, આ વાતી ડરી ગયેલા નીલેશભાઈએ ફિનાઈલ ગટગટાવી લીધું હોવાનું બાહર આવ્યું છે.

ફિનાઈલ પી જવાથી અસરગ્રસ્ત નીલેશભાઈના નિવેદન પરથી કોટડાસાંગાણી પોલીસે રેટીના હોસ્પિટલ રાજકોટના ડો.મુકેશ પોરવાલ, તેમનો માણસ, રજુ તેમજ તમની સાથેના ૨ અજાણ્યા માણસો મળી કુલ પાંચેક શખ્શો સામે આઈપીસી ૩૮૭, ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭, ૨૯૪(ખ), ૧૧૪, એટ્રોસિટી ની કલમ ૩(૧)(આર)(એસ) તથા ૩(૨)(૫-એ) તથા મી લેણદાર એક્ટ ૫,૪૦ અન્વયે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કરેલ છે.

વિસાવદરના મોટાકોટડા ગામે દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ રાજકોટની હોસ્પીટલમાં બાળકીને જન્મ આપ્યો

૮ મહિના પહેલા ગામના નરાધમે દુષ્કર્મ ગુજાર્યું'તું


વિસાવદર પોલીસે રમેશ નાથા નામના શખ્શ સામે દુષ્કર્મનો ગુનો પણ નોંધ્યો'તો : ૧૪
વર્ષની સગીરા કુંવારી માતા બનતા જાણકારોમાં આરેરાટી : દુષ્કર્મી પર ફીટકારની લાગણી

રાજકોટ તા.૧
વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે આજથી ૮ મહિના પહેલા નરાધમના હાથે દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ આજે વહેલી સવારે રાજ્કોતી ઝનાના હોસ્પીટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. બનાવના જાણકારોમાં માત્ર ૧૪ વર્ષની સગીરા કુંવારી માતા બનતા અરેરાટી ફેલાઈ છે તેઓ દુષ્કર્મી નરાધમ સામે ફિટકાર વરસાવ્યો છે. આ બનાવ બાબતે અગાઉ આઠ મહિના પહેલા વિસાવદર પોલીસે મોટા કોટડા ગામના એક શખ્સ સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો. આજે ઝનાના હોસ્પિટલ સુત્રોએ વિસાવદર પોલીસેને સગીરાએ બાળકીનો જન્મ આપ્યો હોવાની વાતની જાણ કરતા પોલીસ પણ ચૌંકી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે રહેતી એક ૧૪ વર્ષની સગીરા ઉપર આજથી ૮ મહિના પહેલા રમેશ નાથા નામના ઢગાએ દુશ્કારમાં ગુજાર્યું હોવાની વિસાવદર પોલીસમાં ગઈ તા.૨૨-૧૦-૨૦૧૮ ના રોજ ફરિયાદ નોંધાવાતા પોલીસે રમેશ સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો.

દરમિયાન બાળકીને મેડીકલ ચેકઅપ કરાવતા તેણી પર દુષ્કર્મ થયું હોવાની વાત સાચી પુરવાર થઇ હોય, પોલીસે તે તરફ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બીજીબાજુ સગીરાને ગર્ભ રહી જતા અને સમય જતા પ્રસવ વેદના ઉપડતા સગીરાને સારવાર માટે રાજકોટની ઝનાના હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી.

જ્યારે આજે વહેલી સવારે બાળકીને પ્રસુતિની પીડા એકદમ વધી જતા તબીબોની સલાહ મુજબ સગીરાને સિઝેરિયન ક્રિયા વચ્ચે પ્રસુતિ કરાવાતા આજે સવારના ૪-૪૪ વાગ્યે  એક બાળકીનો જન્મ થયો હતો. કોઈ પણ પરિવારમાં બાળકનો જન્મ થાય ત્યારે પરિવારજનો હરખ ઘેલા બનતા હોય છે, પણ અહી દુષ્કર્મના શિકાર બાદ બાળકી અવતરી હોય પરિવારજનોમાં અરેરાટી સાથે દુ:ખ વ્યાપ્યું હતું.
************************

ગોંડલ-રાજકોટ હાઈવે પર શાપર(વેરાવળ) નજીક જુનાગઢના કાર ચાલકનો પીછો કરી રોકડ-મોબાઈલની લુંટ ચલાવતા રાજકોટના ત્રણ શખ્શો સામે ગુનો નોંધાયો



રાજકોટના રાહુલ બોરીચા સહિતના ત્રણ શખ્શો જુનાગઢના ગીરીશ પીઠીયા સાથે ઝપાઝપી કરી રોકડ ૪ હજાર તેમજ મોબાઈલ લુંટી નાશી છૂટ્યા : ઝપાઝપી દરમિયાન ગીરીશનો દોઢ તોલા સોનાનો ચેઈન ખોવાયો : અલ્ટો કાર સાથે એકટીવા અથડાતા એકટીવા ચાલકોએ આદરી લુખ્ખાગીરી : શાપર(વેરાવળ) પોલીસે શરુ કરી તપાસ

રાજકોટ તા.૧

આજથી ચાર દિવસ પહેલા રાત્રીના રાજકોટ ગોંડલ હાઈવે પર શાપર વેરાવળ નજીક એક અલ્ટો કાર પાછળ અથડાયેલા એકટીવાના બનાવમાં રાજકોટના ત્રણ શખ્શોએ કારનો પીછો કરી જુનાગઢના કાર ચાલકને રોકી, પંચ જેવા હથિયારથી મોઢા પર વાર કરી, રોકડ રૂપિયા અંદાજે ૪ હજાર અને વિવો મોબાઈલ લુંટી નાશી છૂટ્યા હોવાની શાપર વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમત શરુ કર્યો છે. બનાવ સમયે ફરિયાદી જુનાગઢના યુવાનનો દોઢ ટોળાનો સોનાનો ચેઈન પણ ગુમ થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ગીરીશભાઈ ભીખુભાઈ પીઠીયા(ઉ.વ.૩૨) અને તેમનો મિત્ર મહેશભાઈ લક્ષમણભાઈ જીજે ૦૩ ઈ સી ૫૦૭૫ નંબરની અલ્ટો કાર લઈને માવડી મેઈન રોડ ચોકડી પાસેથી પસાર થતા હતા. ત્યારે ત્રણ સવારી એક એકટીવા ચાલકે આ કારની ઓવરટેઇક કરતા, કાર પાછળ એકટીવા અથડાતા ત્રણેય એકટીવા સવારોએ કારનો પીછો કરી ગોંડલ ચોકડી પાસે કાર રોકાવવા પ્રયાસ કર્યો હતો.

પણ કાર ચાલકે કાર ના રોકતા પુરપાટ ઝડપે આગળ થઈને ત્રણેય એકટીવા સવારોએ રાજકોટ ગોંડલ હાઈવે પર શાપર વેર્વાલ નજીકના કિશન પેટ્રોલ પંપથી આગળ કારને આંતરી, કારના કાચ તોડી નાખી ગીરીશભાઈના ખિસ્સામાંથી રૂપિયા અંદાજે ૪ હજાર રોકડા તેમજ વિવો કંપનીનો મોબાઈલ લુંટી, પંચ જેવા હથીયારથી વાર કરી ઈજા પહોચાડી નાશી છૂટ્યા હતા. તા.૨૭-૧૧ ના રાત્રીના 8-૩૦ વાગ્યે બનેલા આ બનાવની ગીરીશ ભીખુ પીઠીયાએ ગઈકાલે શાપર વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી યુવાને રાજકોટના રાહુલ બોરીચા અને તેમની સાથેના બે અજાણ્યા માણસોએ તેમને માર માર લુંટી લીધા હોવાની કેફિયત આપી હતી. ગિરીશે પોલીસ ફરિયાદમાં એવું પણ જણાવેલ છે કે,બનાવ સમયે થયેલી ઝપાઝપી દરમિયાન તેમનો દોઢ ટોળાનો સોનાનો ચેઈન પણ ગુમ થયો છે. ફોજદાર એ.એ.ખોખરે આ બનાવમાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

યુવા એજ્યુકેશન ચેરી.ટ્રસ્ટ દ્વારા અજમેર શરીફ ટુરનું આયોજન


૩૦ મહિલાઓને વિનામૂલ્યે અજમેર મોકલાયા

રાજકોટ તા.૧
યુવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા શહેરના ૩૦ મુસ્લિમ બિરાદર મહિલાઓએ વિનામૂલ્યે અજમેર શરીફના દર્શનાર્થે મોકલવાની સેવા કરવામાં આવી છે.

આ બાબતે વિગતો આપતા યુવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના હાજી યુસુફભાઈ જુણેજા તેમજ રાજનભાઈ જુણેજાએ જણાવેલ કે આજે તા.૧-૧૨ ના રોજ સાંજે ૭ કાલકે રાજકોટથી અજમેર શરીફ જવા મહિલાઓને લઈને નીકળાશે. દિલ્હી-સરાઈ રોહિલા એક્સપ્રેસ માં તમામ મહિલાઓને વિનામૂલ્યે મોકલવામાં આવ્યા છે.

મુસાફરી દરમિયાન આવવા જવાનો તેમજ સવાર, બપોર, રાત્રી ભોજન અને નાસ્તાનો ખર્ચ પણ આયોજક સંસ્થા ઉઠાવશે.તા.૨-૧૨ ના રોજ અજમેર શરીફ પહોચ્યા બાદ ત્યાં રિક્ષાભાડું તેમજ હોટેલ ખર્ચ પણ સંસ્થા દ્વારા ચુકવાશે. શહેરની સંસ્થા યુવા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ કરાયેલી આવી સેવા બદલ સૌમાં સરાહના થઇ રહી છે.



આજના મુખ્ય સમાચાર 01 12/ 2018



સુરત: 10 વર્ષ બાદ સિટી પોલીસની હદમાં ફેરફાર થશે સુરત: શહેર પોલીસની વહીવટી પ્રક્રિયા સરળ બને તે માટે વર્ષ 2008માં સુરતમાં પોલીસ સ્ટેશનની સંખ્યા વધારી હદમાં ફેરફાર કર્યાના 10 વર્ષ બાદ ફરી વખત ફેરફાર કરાયો છે. અત્યારે મદદનીશ સીપીની 7 કચેરી કાર્યરત છે તેમાં એકનો ઉમેરો થશે એટલે કે આઠ થશે.તમામ ફેરફાર તા. 1-12-18થી લાગુ થઈ જશે

મોદી સરકારને ઝટકો : વિકાસનો પરપોટો ફૂટી ગયો, જાહેર થયો GDP નો આ આંક દેશના વિકાસ દરમાં બીજા ત્રિમાસીકમાં મોટું ગાબડું પડ્યું છે. સરકારના તાજા આંકડા મુજબ હાલના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપી પાછલા ત્રિમાસિકના સરખામણીમાં ગગડીને 7.1 ટકા થઈ ગયો છે. પહેલા ત્રિમાસિકમાં દેશનો જીડીપી 8.2 ટકા નોંધાયો હતો. જે પ્રમાણે માત્ર ત્રણ મહિનામાં જ જીડીપીમાં 1.1 ટકાનો ઘટાડો નોંધાયો છે. વિકાસ દરમાં ઘટાડાનું મુખ્ય કારણ ડોલરની સામે રૂપિયો સતત નબળો પડતાં અને ગ્રામીણ માગોમાં આવેલી કમી છે. બીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસદર ઘટીને 7.1% થયો છે.

ત્રણેય રાજ્યોમાં પહેલાથી વધુ સીટ આવશેઃ અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પર પોતાનું મંતવ્ય જણાવ્યું. એમણે કહ્યું કે ભાજપ ત્રણેય રાજ્યોમાં સરકાર બનાવશે. અમિત શાહે કહ્યું કે, મેં બધા રાજ્યોનો પ્રવાસ કર્યો. કાર્યકર્તાઓમાં જોશ છે અને અમે જીતીને દેખાડીશું. મુખ્યમંત્રીઓ સાથે મતભેદ અને ટકરાવના સવાલ પર તેમણે કહ્યું કે આ મીડિયાએ બનાવેલી વાત છે.

સરકારે નર્મદા કેનાલ બંધ કરતાં સૌરાષ્ટ્રના ખેડૂતોનું આંદોલન આ વર્ષે ચોમાસું અતિશય નબળું રહ્યું છે, અને તેને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં અતિશય વધારો થયો છે. મોટાભાગના વિસ્તારોના ખેડૂતોનો પહેલો ફાલ નકામો ગયો છે, જૂનાગઢમાં તો વાવણી પર ભારે વરસાદ થતાં પાક પર બબ્બે વાર પાણી ફરી વળ્યું હતું. હવે ખેડૂતોએ માંડ કરીને પાક ઉગવ્યો છે ત્યાં પાણીની અછત તેમને મારી રહી છે. પાણીની અછતને કારણે સરકારે નર્મદા કેનાલ પણ બંધ કરી દીધી

વિવિધ માંગણીઓ સાથે ખેડૂતો સંસદ સુધી કૂચ કરશે દિલ્હીમાં પોતાની માંગણીઓ લઇને હજારો ખેડૂતો રામલીલા મેદાનમાં એકત્ર થયા છે. અહીંથી તેઓ સંસદ ભવન સુધી માર્ચ કરશે. ખેડૂતોએ કેન્દ્ર સરકાર પાસેથી સંપૂર્ણ દેવા માફી, પાકના ખર્ચના દોઢ ગણા પૈસાની માંગણી રજૂ કરી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી દિલ્હી આવી પહોંચેલા અંદાજે 1 લાખ ખેડૂતોએ બ્રિજવાસનથી રામલીલા મેદાન તરફ કૂચ કરી હતી.

NRI પતિને પોતાની પત્નીઓને છોડવું હવે ભારે પડશે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે એક મોટું એલાન કર્યું છે તેમને કહ્યું કે સંસદના આવનારા સત્રમાં તેઓ એક બિલ લઈને આવશે જેમાં એવી મહિલાઓને સુરક્ષા આપવામાં આવશે. જેમના એનઆરઆઈ પતિએ લગ્ન પછી તેમને છોડી દીધી છે. તેમને કહ્યું કે આ બિલ ઘ્વારા તેઓ એવી બધી જ મહિલાઓને સુરક્ષા આપવાનો પ્રત્યન કરશે જેઓ એનઆરઆઈ વ્યક્તિ સાથે લગ્ન કરે છે.

પહેલીવાર 50 ડૉલર પ્રતિ બેરલથી નીચે આવી કિંમત, ભારત માટે લાભ ગ્લોબલ ક્રૂડ ઓઈલ માર્કેટમાં ઓપેક દેશ હાલ કોઈ આવાં પગલાં નથી ભવા જઈ રહ્યો જેનાથી ઓઈલની કિંમતો પ્રભાવિત થાય, માટે આ વર્ષે પહેલીવાર આવું જોવા મળ્યું છે જ્યારે ન્યૂયોર્કમાં ઓઈલની કિંમતો 50 ડૉલર પ્રતિ બેરલથી પણ નીચે ચાલી ગઈ હોય. હવે સૌની નજર અર્જેન્ટીનામાં થવા જનાર જી20 સંમેલન પર છે જ્યાં ઓઈલ ઉત્પાદક દેશો વાતચીત કરશે.
રાફેલની જેમ નોટબંધી પણ મોટું કૌભાંડ છેઃ રાહુલ ગાંધી નોટબંધી પર પૂર્વ મુખ્ય સલાહકાર અરવિંદ સુ્બ્રમણ્યનના નિવેદન બાદ રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે નોટબંધી પણ રાફેલની જેમ જ એક મોટું કૌભાંડ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તપાસ કરાવીને દોષિતોને સજા આપવી જોઈએ. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જ્યારે અરવિંદ સુબ્રમણ્યને રાજીનામું કેમ ન આપ્યું.

2019માં મધ્યમ વર્ગ વચ્ચે પકડ જમાવવા કોંગ્રેસનો ‘ખાસ પ્લાન લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. આગામી લોકસભા ચૂંટણી માટે મધ્યમ અને વ્યવસાયી વર્ગ વચ્ચે પોતાની પકડ મજબૂત બનાવવા માટે કોંગ્રેસની તૈયારી ચાલી રહી છે. આ ક્રમમાં પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજન અને પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમાર જેવા મોટા ચહેરાઓ ઉપરાંત અલગ અલગ વિચારધારા સાથે જોડાયેલા લોકોને એકજૂથ કરવામાં આવી રહ્યા છે.

ભારતમાં આવનારા 2-3 વર્ષમાં સાઉદી અરબ મોટું રોકાણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી20 સમિટમાં ભાગ લેવા માટે આર્જેન્ટિના પહોંચી ચુક્યા છે. અહીં તેમને યોગા ફોર પીસ કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે તેઓ અર્જેન્ટિનાની ટીમને વિશ્વ્ હોકી કંપની પહેલી મેચ જીતવા માટે અભિનંદન આપે છે. પીએમ મોદીએ કહ્યું કે યોગ આપણે માનસિક શાંતિની સાથે સાથે શારીરિક શાંતિ પણ આપે છે.

ફિલ્મ ઝીરોના સેટ પર લાગી આગ, બચી ગયો શાહરૂખ ખાન ગોરેગાંવ ફિલ્મસિટીના સ્ટુડિયોમાં શાહરુખની આગામી ફિલ્મ ઝીરોના સેટ પર આગ ફાટી નીકળી હતી. આ હોનારતમાં શાહરૂખ માંડ માંડ બચ્યો હતો. સ્ટુડિયોને ઘણું નુકસાન પહોંચ્યુ હતું. ફિલ્મ સિટીની બુકિંગ મેનેજરે જણાવ્યું કે આગ એક કલાકમાં કાબુમાં લેવાઈ ગઈ હતી. સ્ટુડિયો આખો કવર કરાયેલો હોવાથી અંદર ખાસ્સો ધૂમાડો થઈ ગયો હતો. આ કારણે આગ કાબુમાં લાવેમાં પણ વાર લાગી હતી.

તેલંગાણામાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો : દર વર્ષે એક લાખ લોકોને મફતમાં આપશે ગાય ભાજપે ગુરુવારે તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ઢંઢેરામાં વચન અપાયાં છે કે સત્તામાં આવશે તો ખેડૂતોનું રૂપિયા 2 લાખ સુધીનું દેવું માફ કરશે. સ્નાતકોને મફતમાં લેપટોપ આપશે. દારૂનું વેચાણ નિયમિત કરવામાં આવશે. આ સાથે દર વર્ષે એક લાખ કુટુંબોને મફતમાં ગાય આપવાનો વાયદો પણ કર્યો છે. તેલંગાણામાં 7 ડિસેમ્બેર મતદાન યોજાશે.

ડીસામાં પુત્રના લગ્ન કરીને પરત ફરી રહેલા માતા-પિતા સહિત 5 ત્રિપલ અકસ્માતમાં ભડથું ડીસા મંડાર હાઇવે પર ગુરૂવારે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વિફ્ટ કાર અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા વાહનોમાં આગ લાગી હતી. જેના કારણે લગ્નમાંથી પરત ફરી રહેલા વરરાજાના માતા-પિતા સહિત 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. ડીસા મંડાર હાઇવે પર કૂચાવાડા ટોલ પ્લાઝા પાસે આ દૂર્ઘટના સર્જાઇ હતી

નિપાહ વાયરસ અંગે કેરળમાં ફરીથી એલર્ટ 17 લોકોએ જીવ ગુમાવ્યા કેરળ સરકારે નિપાહ વાયરસ માટે સંક્રમણ નિયંત્રણ પ્રક્રિયાઓનું કડક રીતે પાલન કરવા માટે બધા જિલ્લા ચિકિત્સાલય અધિકારીઓ (ડીએમઓ) ને એલર્ટ કરી દીધા છે. એડિશનલ ડાયરેક્ટર (પબ્લિક હેલ્થ) ડૉ. મીનાક્ષીએ કહ્યુ કે બધા ડીએમઓને ચેતવણી આપી છે કે બધી સરકારી હોસ્પિટલોએ સંક્રમણ નિયંત્રણ પ્રેકટીસનું કડક રીતે પાલન કરવાનું છે. નિપાહ વાયરસને કારણે આ વર્ષે 17 લોકોના જીવ ગયા હતા

રામલીલા મેદાનમાં બોલ્યા દેવગૌડા; ખેડૂતો સરકારને સજા આપશે કેન્દ્ર સરકારને ઘેરવા માટે દેશના વિવિધ ભાગમાં ખેડૂતો રાજધાની દિલ્હી સ્થિત રામલીલા મેદાનમાં એકઠા થઈ રહ્યા છે. આની વચ્ચે પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના નેતા એડી દેવગૌડા ખેડૂતોનું સમર્થન કરવા માટે દિલ્હીના રામલીલા મેદાન પહોંચ્યા હતા. જણાવી દઈએ કે ખેડૂતો પોતાના દેવાં માફી અને અન્ય લઘુત્તમ ટેકાના ભાવમાં યોગ્ય ભાવ મળે

ભાજપના ‘કુંવરજી’ પાસે છે કેટલી સંપત્તિ,છે જસદણ બેઠક જે હંમેશા કોંગ્રેસનો ગઢ રહી છે. પરંતુ આ ગઢમાં હવે કોંગ્રેસના બાવળીયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જસદણની પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા કુંવરજી બાવળીયા જસદણ પહોંચ્યા હતા. જ્યા તેમણે ઉમેદવારી નોંધાવતા પહેલ મંદિરમાં દર્શન કર્યા હતા. જે બાદ તેઓ મસ્જિદમાં પણ ગયા હતા. કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવા બાવળીયાએ જસદણમાં રેલી કરી શક્તિ પ્રદર્શન કર્યું હતુ ત્યાર બાદ કુંવરજી બાવળીયાએ જસદણ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા અને ભરત બોઘરા હાજર રહ્યા હતા. કુંવરજી બાવળીયાને સોગંદનામા પર નજર કરીએ તો, તેમની કુલ આવક 14 લાખ 78 હજાર 820 રુપિયા છે. હાથ પર રોકડ 50 હજાર અને બાવળીયા પાસે ફકત એક તોલા સોનું છે. બાવળિયાના પત્ની પાસે ચાર તોલા સોનું અને એક કરોડથી વધુની સ્થાવર-જંગમ મિલકત છે.

કોલસાકાંડ : કોલસા સચિવ સહિત 6ને થશે સજા,કોર્ટેનો ચૂકાદો દિલ્હી કોલસા કાંડમાં ભૂતપૂર્વ કોલસા સચિવ સહીત છ આરોપીઓને દિલ્હીની કોર્ટે દોષિત ઠેરવ્યા છે. આ તમામ દોષિતોને કસ્ટડીમાં લીધા છે. દિલ્હીની એક અદાલતે ભૂતપૂર્વ કોલ સેક્રેટરી એચ. સી. ગુપ્તાને કોલસા કાંડના એક મામલામાં ભ્રષ્ટાચાર અને ગુનાહિત ષડયંત્રના આરોપો હેઠળ દોષિત ઠેરવ્યા છે. આ મામલો પશ્ચિમ બંગાળમાં કોલ બ્લોકની ફાળવણી સાથે સંબંધિત છે.
સુરત બાદ ભાવનગરમાં 6 વર્ષની બાળકી સાથે બની દુષ્કર્મ ઘટના  બોટાદના ભાંભણ રોડ પર છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. પોતાના ઘર પાસે રમતી બાળકીને હવસખોર ઇસમે પતંગ બતાવવાની લાલચ આપીને અજ્ઞાત સ્થળે લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. ઘટના બાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓના કાફલોએ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. તપાસ માટે ડોગ સ્કવોર્ડ અને એફએસએલની મદદ પણ લેવામાં આવી હતી. પોલીસે જનતાને અપીલ કરી હતી. અને કહ્યું હતું કે ઘટના કે આરોપી અંગે કોઇપણ પ્રકારની માહિતી કે જાણકારી હોય તો ડર્યા વિના પોલીસનો સંપર્ક કરે. જેથી આરોપી સુધી પહોંચવામાં સરળતા રહે.

દુબઈથી મુંબઈ સુધી દરિયામાં દોડશે સુપરફાસ્ટ ટ્રેન અબુધાબી- દુબઇથી મુંબઇ સુધીની દરિયાની અંદર સફર થાય તો તે એક અચરજ છે. નજીકના ભવિષ્યમાં આ પરિકલ્પના સાકાર થઇ રહી છે. આ બન્ને સ્થળોનું અંતર દરિયાનો પેટાળ નક્કી કરશે જ્યાં સુપરફાસ્ટ ટ્રેન ચાલશે અને મુસાફરોની અવરજવર થશે. હાઇપરલૂપ અને ડ્રાઇવરલેસ ફ્લાઇંગ કાર પછી યુએઇ એક વધુ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર વિચાર કરી રહ્યું છે, જે ભારત સાથે સંકળાયેલો છે. દુબઇ થી મુંબઇની વચ્ચે સમુદ્રની નીચે ટ્રેન દોડી શકે છે.

ગુજરાતના મંત્રીમંડળની દશા બેસી ગઈ છે પ્રદિપસિંહ બાદ નીતિનભાઈ પટેલ પહોંચ્યા હોસ્પિટલમાં  ગુજરાતના મંત્રીમંડળની દશા બેસી ગઈ છે. એક પછી એક મંત્રીઓ સર્જરીઓ કરાવવા લાગ્યા છે, પ્રદીપસિંહ જાડેજા પર કેન્સરની સર્જરી થયા પછી હવે નીતિન પટેલ પણ ઘૂંટણની સર્જરી કરાવવા માટે મુંબઇ પહોંચી ગયા છે. સમગ્ર દેશમાં ગુજરાત 25,000 ઘૂંટણની સર્જરી સાથે પ્રથમ નંબરે છે. આવા સંજોગોમાં નાયબ મુખ્યમંત્રી અને જેમની પાસે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો પણ હવાલો છે તેવા નીતિન પટેલ મુંબઇ બ્રિચકેન્ડીમાં સર્જરી કરાવવા પહોંચ્યા છે. નાયબ મુખ્યમંત્રીના કાર્યલયે નીતિન પટેલ બે અઠવાડિયા સુધી સચિવાલય નહી આવે તેમ જણાવ્યુ હતુ. ગુજરાતના મંત્રી મંડળની હાલમાં માઠી દશા બેસી ગઈ છે
ગુજરાતના નકશામાંથી 7 જિલ્લા ગાયબ ગુજરાતના પાઠ્ય પુસ્તક મંડળની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. ગુજરાતના નકશામાંથી 7 જિલ્લા ગાયબ છે. ધોરણ-6ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાંવિદ્યાર્થીઓને મોડા મળેલા આ પુસ્તકમાં છબરડો દેખાયો છે. બોટાદ, અરવલ્લી, છોટાઉદેપુર, મહિસાગર જિલ્લાનો સીમાકંન નહીં. તેમજ તાપી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પણ સીમાંકનનો સમાવેશ નહીં.ધોરણ-6ના પાઠ્યપુસ્તકમાં છબરડાના મામલે GCERTના ડાયરેક્ટર ટી.એસ.જોશીએ નિવેદન આપ્યું છે. જોશીએ જણાવ્યું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ક્ષતિ હશે તો નવા પાઠ્યપુસ્તકમાં સુધારો કરાશે

ગુજરાતમાં પણ અમેરિકાની જેમ હથિયાર હવે લગભગ દરેક ઘરમાં થઇ જાય તો નવાઇ નહી હથિયાર રાખવું સ્ટેટ્સ સિમ્બોલ બન્યું, ગુજરાતના આ શહેરમાં છે સૌથી વધુ હથિયારધારકો ગુજરાતમાં પણ અમેરિકાની જેમ હથિયાર હવે લગભગ દરેક ઘરમાં થઇ જાય તો નવાઇ નહી. પહેલા લોકો સ્વરક્ષણ અને મોટા ભાગે ખેડૂતો પાક બચાવવા હથિયાર રાખતા હતા. પણ હવે હથિયાર રાખવું એક સ્ટેટ્સ સિમ્બોલ બની ગયુ છે. ગુજરાતના મધ્ય ગુજરાતમાં સૌથી વધુ પરવાનેદાર હથિયારધારકો છે.મધ્ય ગુજરાતના 8 શહેર જિલ્લામાં 14,629થી વધુ હથિયારધારકો છે. લોકો હવે સ્ટેટ્સ, સ્વરક્ષણ તેમજ પ્રભાવ પાડવા હથિયાર રાખવાનું ચલણ વધી રહ્યું છે. હથિયારનું લાયસન્સ મેળવવામાં દાહોદ બાદ વડોદરા શહેર મોખરે છે. દેશમાં સૌથી વધુ યુપીમાં 13 લાખ લાયસન્સ ધારકો છે. ગુજરાતના વડોદરા શહેરમાં 1956 અને જિલ્લામાં 602 સ્વરક્ષણ માટે લોકો હથિયારો રાખે છે. તેમજ ઘણા લોકો સ્વરક્ષણ અને પાકના બચાવ માટે હથિયારના લાઇસન્સ મેળવતા હોય છે.

હિંદુસ્તાન પેટ્રોલિયમ ફ્રીમાં પેટ્રોલ ભરાવવાની કંપની ઓફર નવી દિલ્હીઃ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ તમને 1 લીટર પેટ્રોલ મફતમાં મેળવવાની તક આપી રહી છે. પરંતુ સાથે જ એક શરત પણ મૂકવામાં આવી છે. શરત એ છે કે આના માટે આપને કંપનીની એચપી રીફ્યૂલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે.હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની વેબસાઈટ અનુસાર ફ્રી પેટ્રોલ આપવા માટે કસ્ટમરને HP રીફ્યૂલ એપ્લિકેશનથી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરવાનું રહેશે અથવા સિલિન્ડર રીફિલ કરાવવો પડશે.

2020 માં બીએસ-4 વાહનો ગણાશે ભંગાર- સુપ્રીમ દેશમાં વધી રહેલા પ્રદુષણને લઇને સુપ્રીમ કોર્ટે કડક નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે 1 એપ્રિલ 2020 પછી દેશમાં બીએસ-4 વાહનોના વેચાણ અને તેના રજિસ્ટ્રેશન પર રોક લગાવી દીધી છે. દેશમાં અત્યારે બની રહેલા આશરે તમામ વાહનો બીએસ-4 શ્રેણીમાં આવે છે. કોર્ટે ચુકાદો સંભળાવતા કંપનીઓને બીએસ-4 વાહનોનો સ્ટોક ખત્મ કરવા માટે એપ્રિલ 2020 સુધીનો સમય આપ્યો છે, ત્યારબાદ બીએસ-4 વાહનોનું વેચાણ અને રજિસ્ટ્રેશન નહીં કરાવી શકાય.

બાવળિયાએ શુભ મુહૂર્તમાં ભર્યું ફોર્મ કેન્દ્રિય મંત્રીઓ રહ્યાં હાજર જસદણ બેઠક પરથી પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ બેઠક પરથી કુંવરજી બાવળીયાએ ફોર્મ ભર્યુ છે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા અને ભરત બોઘરા હાજર રહ્યા હતા. બાવળીયાએ પક્ષ પલટો કરતા જસદણ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કુંવરજી બાવળીયાએ ફોર્મ ભરતા પહેલા જસદણમાં ભાજપના નેતાઓ સાથે મોટી રેલી કાઢી હતી. કુવરજી બાવળિયાએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસમાં હજુ નામ બાબતે ઠેકાણા પણ નથી.આ પહેલા ભાજપના નેતાઓએ સભા પણ સંબોધી હતી.

ભારતનું ભવિષ્ય અંધકારમાં ગ્લોબલ ન્યૂટ્રિશન રિપોર્ટ ભારતના બાળકો સંદર્ભે ગ્લોબલ ન્યૂટ્રિશન રિપોર્ટ-2018 દ્વારા ઘણાં ખતરનાક સંકેતો સાંપડી રહ્યા છે. બાળકોના પોષણ અને વિકાસના મામલે ભારત ઘણું પાછળ છે. અવિકસિત, અલ્પવિકસિત અને ઓવરવેટ બાળકોની સંખ્યા રિપોર્ટ પ્રમાણે ભારતમાં ઘણી વધારે છે. વિશ્વના અવિકસિત બાળકોમાંથી લગભગ એક તૃતિયાંશ બાળકો ભારતીય છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલ દુનિયામાં 150.8 મિલિયન બાળકો અવિકસિત છે અને તેમાના 46.6 મિલિયન બાળકો ભારતમાં છે. કુપોષણના મામલામાં પહેલા જ ભારતની સ્થિતિ ચિંતાજનક છે. આ રિપોર્ટ વધુ કેટલાક ખતરનાક સંકેતો આપી રહ્યો છે.

આહવા માહિતી ખાતાની કચેરી જર્જરીત ગમે ત્યારે તૂટી પડે તેવી હાલત આહવા હંમેશા સરકારી યોજનાઓ-સરકારી કાર્યક્રમો અને વિકાસનાં કામોની વાહવાહી કરતું આહવા માહિતી ખાતાની કચેરીની હાલત દિવાતળે અંધારા જેની છે. આજથી ૩૮ વર્ષ જુનું માહિતીનું બિલ્ડિંગ ગમે ત્યારે તુટી પડે તેવી હાલતમાં છે. ત્યાં ટોઈલેટ-બાથરૂમ પાણી વગર બંધ છે જ પરંતુ પીવાનું શુધ્ધ પાણી પણ મળતું નથી.તા.૨૦-૫-૧૯૮૧માં તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનાં બહસ્તે આહવાની માહિતી કચેરીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.(સાભાર : લોકાર્પણ)

શુક્રવાર, 30 નવેમ્બર, 2018

બોલો લ્યો, રાજકોટમાં હવે ટ્રાન્સપોર્ટ વાટે દારૂ મંગાવતા બુટલેગરો !!

રાજકોટની ભાગોળે નવાગામમાં આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસે તપાસ કરતા ૧૦૩ બોટલ દારૂ-૯૬ ચપલા, ૧૬૪ બીયરના ટીન મળ્યા : મુંબઈના સોનું ટ્રેડીંગમાંથી ભાવનગર, જામનગર અને રાજકોટના શખ્શનું પાર્સલ આવ્યું'તું
રાજકોટ તા.૩૦
શહેરમાં દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસે ઘોંસ બોલાવી છે ત્યારે બુટલેગરોએ દારૂની હેરફેર માટે નવો પેંતરો શોધી કાઢ્યો હોય તેમ હવે પાર્સલમાં દારૂ મંગાવવામાં આવતો હોવાના કારસ્તાનનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટની ભાગોળે નવાગામમાં બી-ડીવીઝન પોલીસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં તપાસ કરતા પાર્સલમાંથી ૧૦૩ બોટલ દારૂ-૯૬ ચપલા, ૧૬૪ બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે આ અંગે તપાસ કરતા મુંબઈના સોનું ટ્રેડીંગમાંથી આ પાર્સલ રાજકોટ, જામનગર અને ભાવનગરના શખ્શો દ્વારા મંગાવવામાં આવ્યા હોવાનું માલુમ પડતા પોલીસે આ આરોપીઓને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ બી-ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે ગઈકાલે છકડો રીક્ષામાંથી ૫૭ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો બાદમાં આ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એવી વિગતો મળી હતી કે બુટલેગરો દ્વારા ટ્રાન્સપોર્ટ મારફત દારૂનો જથ્થો મંગાવવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે બી-ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ એમ.એફ.ડામોર તથા સ્ટાફે નવાગામમાં આવેલ એચ.એચ.રોડવેઝ નામની ટ્રાન્સપોર્ટની  ઓફિસમાં તપાસ હાથ ધરી હતી.

પોલીસે અહી રહેલા પાર્સલો કે જેમની ડીલીવરી લેવા કોઈ આવ્યું ના હોય, તેવા પાર્સલો ખોલી તપાસ કરતા આવા અલગ અલગ ચાર પાર્સલોમાંથી વિદેશી દારૂની ૧૦૩ બોટલ, ૯૬ દારૂના ચપલા તેમજ ૧૬૪ બીયરના ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે રૂપિયા ૭૯૫૦૦/- નો દારૂનો આ જથ્થો કબજે કરી તપાસ હાથ ધરી હતી.

પોલીસે એચ.એચ.રોડવેઝના ટ્રાન્સપોર્ટર યુસુફભાઈની પૂછપરછ કરતા મુંબઈની સોનું ટ્રેડીંગ નામની પેઢી દ્વારા આ પાર્સલો અહી મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આ પાર્સલો જામનગરના ધર્મેશ, ભાવનગરના ઉમર, ધવલ તમજ રાજકોટના સુનીલ નામના વ્યક્તિના હોવાનું માલુમ પડતા પોલીસે મુંબઈની સોનું ટ્રેડીંગ પેઢીના સંચાલક તેમજ જેમના નામના પાર્સલ આવ્યા હતા તે તમામ સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

રાપરમાં એસીડ પી ગયેલી યુવતીનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત


રાજકોટ તા.૩૦
રાપર(કચ્છ)માં રેહતી એક યુવતીએ અગ્મ્યો કારણોસર એસીડ પી ગયા બાદ ૧૫ દિવસની સારવાર દરમિયાન રાજકોટની ખાનગી હોસ્પીટલમાં મોત થયાનું જાણવા મળે છે.

મળતી વિગતો મુજબ રાપર(કચ્છ)માં રહેતી મનીષાબેન નરશીભાઈ ચૌધરી(ઉ.વ.૨૨) નામની યુવતીએ ગઈ તા.૧૫-૧૧ ના રોજ કોઈ અગમ્યો કારણોસર એસીડ પી લેતા તેણીને રાજકોટની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં ૧૫ દિવસની સારવાર દરમિયાન ગઈકાલે તેણીનું મૃત્યુ થયું હતું. પોલીસે જરૂરી કાગળો કરી સંબંધિત પોલીસને મોકલવા તજવીજ હાથ ધરી છે.

ધ્રોલ નજીક બેફામ રીક્ષા ચલાવતો શખ્સ પકડાયો


 
રાજકોટના એક શખ્શને
ગઈકાલે ધ્રોલ પોલીસે
બેફામ રીક્ષા ચલાવવા
બદલ પકડી પડી તેમની
સામે ધોરણસરની કાર્યવાહી
હાથ ધરી હતી.
    મળતી વિગતો
મુજબ  માધવ હોટલ સામે,
જામનગર-રાજકોટ હાઇવે
પરથી ઓટો રિક્ષા રજી નં.
જીજે-૦૩ એઝેડ-૦૯૩૮
ની હાઇવે પર બેફામ રીતે
સર્પાકારે ચલાવતા નીકળતા
તેમને તેમને અટકાવી ધ્રોલ
પોલીસના જમાદાર એન.એમ.
ભીમાણીએ પકડી પાડી તેમની
સામે ધોરણસરની કાર્યવાહી
હાથ ધરી હતી. 

રાજકોટમાં કાઠીયાવાડ બાલાશ્રમમાંથી 8 વર્ષની બાળકી પૂજાનું ભેદી સંજોગોમાં અપહરણ : પોલીસ તપાસ શરુ



બાલાશ્રમ સંચાલકો ચિંતિત : છેલ્લા છ મહિના થયા જુનાગઢથી ટ્રાન્સફર થઈને પૂજા રાજકોટ કાઠીયાવાડ બાલાશ્રમમાં આવી હતી : પૂજા ત્રીજું ધોરણ ભણતી હતી : માલવિયાનગર  પોલીસ દ્વારા તપાસ શરુ

રાજકોટ તા.૩૦
ગઈકાલે રાજકોટમાંથી જસાણી સ્કુલ (બાલાશ્રમ)ના વિદ્યાર્થી એવા 8 વર્ષની વિદ્યાર્થીની બાળકીનું ગઈકાલે સાંજે સ્કુલ ખાતેથી જ ભેદી સંજોગોમાં અપહરણ થઇ ગયાની ઘટના બની જતા બાલાશ્રમ સંચાલકોમાં દોડધામ સાથે ચિંતા પ્રસરી છે. સૌ પ્રથમ પોલીસમાં પૂજા ગુમ થયાની જાણ કરાયા બાદ માલવિયાનગર પોલીસે આ બનાવમાં બાળકીના અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા કાઠીયાવાડ બાલાશ્રમ( એ.વી.જસાણી સ્કુલ)માં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી પુજાબેન રતનભાઈ બાદી નામની 8 વર્ષની બાળકી ગઈકાલે બપોરના ૧૨-૩૦ થી સાંજના ૬-00 વાગ્યા દરમિયાન ભેદી સંજોગોમાં ગુમ થતા બાલાશ્રમ સંચાલકો સધન શોધખોળ કરી હતી. પણ પૂજા ક્યાય જોવા નાં મળતા માલવિયા નગર
પોલીસ સ્ટેશનમાં પૂજા ગુમ થયાની જાણ કરવામાં આવી હતી.

દરમિયાન રાત્રી સુધી પૂજાની તપાસમાં લાગેલા બાલાશ્રમ સંચાલકોની શોધખોળ બાદ પણ પૂજાનો પત્તો નહિ લાગતા બનાવની ગંભીરતા સમજીને કાઠીયાવાડ બાલાશ્રમના ભાનુબેન નામના મહિલાએ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં પુજાના અપહરણની ફરિયાદ નોંધાવતા માલવિયા નગર પોલીસે તપાસ હાથ ધરી છે. માલવિયા નગર પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એન.ચુડાસમાના જણાવ્યા અનુસાર રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા એ.વી.જસાણી સ્કુલ(કાઠીયાવાડ બાલાશ્રમ)માંથી ગુમ થયેલી પૂજાએ બ્લુ કલરનું ટીશર્ટ અને બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે.

બોયકટ વાળ ધરાવતી પૂજે પગમાં સફેદ મોજા અને બંને કાનમાં ત્રિકોણાકાર પીળી ધાતુની બુટ્ટી પહેરેલી છે. કોઈને ભાળ મળે તો માલવિયા નગર પોલીસનો સંપર્ક સાધવા આ બનાવના તપાસનીસ પીએસઆઈ જે.એ.ખાચરે લોકોને અનુરોધ કર્યો છે.

માલવિયા નગર પોલીસને પૂજા ગુમ થઇ હોય અને તેણીનું અપહરણ થઇ ગયાની ફરિયાદ નોંધાવનાર ભાનુબેને જણાવેલ કે, સાંજે બાળકોના છૂટવાના સમયે કોઈ પૂજાને ભોળવીને લઇ ગયું હોય તેવું જણાય છે. તેઓએ એવું પણ જણાવેલ કે, ૬ મહિના પહેલા જ જુનાગઢ બાલાશ્રમ ખાતેથી ટ્રાન્સફર કરીને પૂજાને રાજકોટ લવાઈ હતી. જે ગઈકાલ સાંજથી ગુમ થયેલી જોવા મળતા તેના અપહરણની ફરિયાદ માલવિયા પોલીસમાં નોંધાવાઈ છે.

અત્રે એ નોંધનીય છે કે આ જ બાલાશ્રમમાંથી અગાઉ પણ ધોળેદિવસે બાળકો વંડી ટપી બાલાશ્રમમાંથી ભાગી જવાની ઘટના બની હતી. ત્યારે સંબંધિત સંચાલકોએ બનાવની વિગતો આપવામાં રીતસરની સંતાકુકડી રમી હતી. આજે ફરી એક ધોરણ ૩ ની વિદ્યાર્થીની એવી પૂજા નામની 8 વર્ષની બાળકીનું અપહરણ થઇ જતા બાલાશ્રમ સંચાલકોએ બાળકોની સાર-સંભાળમાં થોડી વધુ જાગૃતતા અને તકેદારી રાખવી જોઈએ તેવું જાગૃત માણસો કહે છે.

બનાવની ફરિયાદ બાબતે માલવિયા નગર પોલીસના પીઆઈ એન.એન.ચુડાસમાએ જણાવ્યું હતું કે, પૂજા નામની બાળકીનું કોઈ અજાણ્યો શખ્શ અપહરણ કરીને લઇ ગયો હોવાનો ગુનો નોંધ્યા બાદ પોલીસ તંત્રે બાલાશ્રમ ખાતે પહોચી જરૂરી વિગતો મેળવી છે. આજુબાજુના અને બાલાશ્રમના સીસી કેમેરા ચેક કરવા કવાયત આદરવામાં આવી છે. આ સિવાય ગોંડલ રોડ પર પોલીસે મુકેલા સીસી કેમના ફૂટેજો પણ તપાસાઈ રહ્યા છે. આ બાબતે જે હોય તે પણ રાજકોટમાંથી 8 વર્ષની વિદ્યાર્થીની બાળકીનું ગઈકાલે સમીસાંજે અપહરણ થઇ ગયાની ઘટનાએ શહેરભરમાં ચકચાર જગાવી છે.

ગાયકવાડીમાં રાજન આણી મંડળીનો આતંક સિંધી પરિવારનાં 4 સભ્યો પર કર્યો હુમલો



સિંધી પરિવારે પ્ર.નગર પોલીસમાં અરજી કરી : રાજનનાં ત્રાસ વિરૂઘ્ધ પોલીસને આવેદનપત્ર આપવાની થતી તૈયારીઓ


શહેરનાં ગાયકવાડી વિસ્તારમાં પોતાના ઘરેથી મંદિર તરફ જઇ રહેલા સિંધી પરિવારનાં એક મહિલા સહિત 4 સભ્યો ઉપર હુમલો કરનાર રાજન અને તેમના સાગ્રીતો વિરૂઘ્ધ પ્રદ્યુમનનગર પોલીસમાં અરજી કરી છે. આ સિવાય સિંધી સમાજના આગેવાનો આગામી દિવસોમાં રાજન આણી મંડળીનાં ત્રાસ સામે પોલીસ કમિશ્નર સહિતનાં પોલીસ તંત્રને આવેદનો આપવા તૈયારીઓ કરતાં હોવાની વિગતો મળી રહી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરનાં ગાયકવાડી વિસ્તારની શેરી નં.પમાં રહેતા અંજનાબેન હરીદાસભાઇ વાઘવાણી ગઇકાલે પોતાના ઘરેથી પોતાના પરિવારજનો પતિ હરીદાસ જવાહરભાઇ વાઘવાણી, પુત્ર વિનિતભાઇ, ભાઇ સચ્ચાનંદભાઇ વિ. સાથે મંદિર તરફ જતા હતા. ત્યારે ગેબનશા પીરની દરગાહ પાસે, કોલસાવાડી વિસ્તાર તરીકે ઓળખાતી જગ્યાએ આ વિસ્તારનાં રાજન, સિકંદર અને બે અજાણ્યા મળી કુલ 4 શખ્સોએ તેઓને આંતરી ખોટી વાતો ઉપજાવી, ઝગડો કરી હુમલો કર્યો હતો.


બનાવ બાબતે અંજનાબેને જણાવેલ કે રાજન નામનો શખ્સ ખોટી રીતે તેમની પાછળ પડયો હોય, તેમજ તેમના ભાઇઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હાલતા ચાલતા આતંક મચાવે છે. અંજનાબેને જણાવ્યું હોય કે ભૂતકાળનાં કોઇ વેરઝેર કે મનદુ:ખ વગર રાજન સહિતનાં શખ્સો તેઓના પરિવારજનોને ત્રાસ આપી રહ્યા હોય સંબંધીત પોલીસે તપાસ કરવી જોઇએ. બીજી બાજુ રાજન સહિતનાં સાગરીતોના ખોટા આતંક/ત્રાસ સામે સિંધી સમાજનાં આગેવાનોએ એકઝૂટ થવાનો નિર્ણય કરી, ગુરૂ ગુલરાઝ કુટીયા સાહેબ, શ્રી ઝુલેલાલ મંદિર પાસે એકત્ર થઇને મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પોલીસ કમિશ્નરને આવેદન આપવાની તૈયારીઓ આરંભી હોવાનું સિંધી સમાજનાં આગેવાનો જણાવે છે. ત્યારે પોલીસ આ બાબતે સિંધી પરિવારે કરેલી અરજી અંગે ગુનો નોંધશે કે કેમ? તે સમય જ બતાવશે.

કાલથી ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટનો પ્રારંભ



4 પ્રકારની કેટેગરીમાં વિજેતા સ્પર્ધકોને રોકડ ઈનામ એનાયત
 વન્ડર ચેસ કલબ રાજકોટ તથા મીનાસ મેરિડેન બેંક વેટ અને દેવ મોટર્સના સંયુકત ઉપક્રમે તા.1 અને તા.2 ડીસેમ્બરનાં રોજ ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ મેરિડેન બેંક વેટ, યુનિક આર્કેડ, પુષ્કરધામ મંદિર સામે, પુષ્કરધામ મેઈન રોડ, રાજકોટ ખાતે અન્ડર 9, 13, 17 અને ઓપન કેટેગરીની ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે.

 આ ટુર્નામેન્ટમાં કલેકટર ડો. રાહુલ ગુપ્તા, મ્યુનિ. કમિશ્ર્નર બંછાનીધી પાની, પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 4 કેટેગરીમાં વિજેતા સ્પર્ધકોને રૂા.38 હજારના રોકડ પુરસ્કાર એનાયત કરાશે.

 આ ટુર્નામેન્ટમાં સ્પર્ધકો માટે ડીનર-લંચની વ્યવસ્થા રાખેલ છે. સ્પર્ધકે ચેસ એટ અને ચેસ કલોક સાથે લાવવાની રહેશે.આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ધર્મેન્દ્રભાઈ ભગત, જીમ્મી દક્ષિણી, મુકેશભાઈ ભટ્ટ, નટુભાઈ સોલંકી, કિશોરસિંહ જેઠવા, ગૌરવ ત્રિવેદી, અભય કામદાર, જય ડોડીયા, વલ્લભભાઈ પીપડીયા, દીપકભાઈ જાની, પ્રિયંક કાટકોરીયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

રાજકોટના અધિક સેસન્સ જજ બાબીની બઢતી સાથે બદલી : અન્ય આઠ અધિક સેસન્સ જજ આંતરીક બદલાયા

રાજકોટના એડીશ્નલ જજને ડીસ્ટ્રીકટ જજ તરીકે બઢતી આપી બદલીનો હુકમ હાઈકોર્ટ દ્વારા ગઈકાલે મોડી સાંજે કરવામાં આવ્યો હતો.જયારે રાજકોટ શહેર અને જીલ્લાના આઠ જજોની બદલીનો હુકમ થયો છે.
રાજકોટ એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ તરીકે ફરજ બજાવતાં એમ.એમ.બાબીને બઢતી આપી ગીર સોમનાથ વેરાવળ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ તરીકે બદલી કરવામાં આવી છે.

જયારે ગીર સોમનાથ વેરાવળ ડીસ્ટ્રીકટ જજ એ.ટી.મોગલ નિવૃત થતા તેમના સ્થાને એમ.એમ.બાબીને બઢતી ડીસ્ટ્રીકટ જજ તરીકે બદલી કરવામાં આવ્યા છે.રાજકોટ જીલ્લાનાં ધોરાજીનાં બીજા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એચ.એ.દવેને એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ જે.એન.વ્યાસને એડીશન જજ તરીકે સાતમાં એડીશન જજ એમ.પી.પુરોહીત છઠ્ઠા એડીશન જજ તરીકે જેતપુરમાં નવમાં એડીશ્નલ જજ જે.એ.ઠકકરને આઠમાં એડીશ્નલ જજ તરીકે, રાજકોટ શહેરના આર.એલ.ઠકકર, ડી.ડી.ઠકકર, એચ.બી. ત્રીવેદી અને ટી.એસ.બ્રહ્મભટ્ટની કોર્ટ દ્વારા બદલી કરવામાં આવી છે

સ્વામિનારાયણ નગરમાં નારી-બાળ ઉત્કર્ષનો અમૂલ્ય સમન્વય




પ.પુ. પ્રમુખસ્વામી મહારાજનાં 98માં જન્મ જયંતિ મહોત્સવ નિમિતે

અબાલ વૃદ્ધ સૌ કોઈમાં મહોત્સવ ઉજવણીનો અનેરો થનગનાટ

સ્વયંસેવકો-હરિભકતોનો ઉદગાર: પુ.બાપાને રાજી કરવા દેહ ઘસી નાંખીશું

1800 મહિલાઓ, 275 યુવતીઓ, 100 બાળકીઓની 15 કલાકની અનન્ય સેવા


પ.પુ. પ્રમુખ સ્વામી મહારાજનાં 98માં જન્મ જયંતિ મહોત્સવ માટે શહેરનાં માધાપર-મોરબી બાયપાસ રોડ પાસે ઉભા કરાયેલ વિશાળ સ્વામીનારાયણ નગરમાં નારી અને બાળ ઉત્કર્ષનો અમુલ્ય સમન્વય થતો જોવા મળી રહ્યો છે.

તા.5/12 થી 15/12 દરમિયાન યોજાનાર પૂ. પ્રમુખ સ્વામી મહારાજશ્રીનાં 98માં જન્મ જયંતિ મહોત્સવ પુર્વે સ્વામીનારાયણનગરમાં સંતો સાથે અબાલ-વૃદ્ધ સૌ કોઈ સ્વયંસેવકો શ્રદ્ધાથી સેવાયજ્ઞમાં જોડાઈ રહ્યા છે.
ઉમંગ અને ઉત્સાહથી ઉજવાનાર આ મહોત્સવમાં 400થી વધુ સંતો અને 4000થી વધુ સ્વયંસેવકો મહોત્સવની આગવી તૈયારીઓમાં જોડાઈને રાત-દિવસ શ્રમદાન સેવાથી અભિભૂત થઈ રહ્યા છે.




















મહોત્સવ દરમિયાન અનેકવિધ નાટક, નૃત્ય, પ્રદર્શન ખંડ, વ્યસન મુક્તિ સંદેશા માટેના કાર્યક્રમો યોજાનાર હોય, બાળકોથી લઈને યુવાનો-મહિલાઓ સહીતનાં હરિભકતોમાં મહોત્સવને ઉજવવા અનેરો સેવાભાવ જોવા મળી રહ્યો છે.

બીએસએનએલના અધિકારીઓ-કર્મચારીઓ તા.3 થી અચોક્કસ મુદતની રાષ્ટ્રવ્યાપી હડતાલ પર

નવા પગારપંચ સહિતના પ્રશ્ર્નો નહીં ઉકેલાતા લડત : ગુજરાતના 20 હજાર સહિત 
દેશના 2 લાખ કર્મચારીઓ જોડાશે : બીએસએનએલની સેવા ઠપ્પ થવાની સંભાવના


બીએસએનએલના કર્મચારીએ અને અધિકારીઓ દ્વારા વિવિધ માંગણીઓ સબબ આગામી તા.3 ડિસેમ્બરથી રાષ્ટ્ર વ્યાપી હડતાલ પર ઉતરનાર છે. જેમાં રાજકોટ સહિત ગુજરાતના 20 હજાર સહિત દેશભરના બે લાખથી વધુ કર્મચારીઓ  અને અધિકારીઓ જોડાનાર છે.
બીએસએનએલના કર્મચારીઓના તમામ યુનિયનો દ્વારા આ અનિશ્ર્ચિત મુદતનું હડતાલનું એલાન આપવામાં આવેલ છે.  આ સંદર્ભે બીએસએનએલના કર્મચારીઓના યુનિયન લીડરોએ જણાવ્યું હતું કે બીએસએનએલના અધિકારીઓ અને કર્મચારીઓને નવા પગારપંચ સહિતના અનેક પ્રશ્ર્નો લાંબા સમયથી અઘ્ધરતાલ અટકી રહ્યા છે. આ બાબતે બીએસએનએલ મેનેજમેન્ટને અગાઉ વારંવારની રજૂઆત કરી મેમોરન્ડમ આપવામાં આવેલ હતું.

તેમ છતાં બીએસએનએલ મેનેજમેન્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન દ્વારા તેના પરત્વે કોઇપણ જાતનું લક્ષ નહી અપાતા અંતે આગામી તા.3 ડિસેમ્બરથી રાષ્ટ્ર વ્યાપી હડતાલનું એલાન આપવામાં આવેલું છે. યુનિયન લીડરોએ વધુમાં એવુ પણ જણાવ્યું હતું કે બીએસએનએલના અધિકારીઓ અને કર્મચારીઓને નવુ પગાર પંચ નહી અપાતા કર્મચારીઓની હાલત કફોડી બની જવા પામેલ છે.
આ ઉપરાંત બીએસએનએલને ફોરજી સ્પેકટ્રમ એલોટમેન્ટ કરવામાં આવતા નથી. જયારે ખાનગી કંપનીઓ પાસે ફોરજીની ટેકનોલોજી આવી ગયેલ છે. જયારે બીએસએનએલે હાલ માત્ર ફોરજીના સીમકાર્ડથી જ કામ ચલાવી રહ્યું છે. ફોરજીની જે નવી ટેકનોલોજી ગ્રાહકોને મળવી જોઇએ તે કોઇ કારણોસર અપાતી નથી. આ ઉપરાંત પેન્શનરોનું પેન્શન પણ રીવાઇઝ કરવામાં આવતું નથી. આ સહિતના અનેક મહત્વના પ્રશ્ર્નો છેલ્લા લાંબા સમયથી અણઉકેલ હોય, આ પ્રશ્ર્નો ઉકેલવાની માંગ સાથે બીએસએનએલના યુનિયનો દ્વારા આગામી તા.3 ડિસેમ્બરથી રાષ્ટ્ર વ્યાપી હડતાલનું એલાન આપવામાં આવેલ છે. આ હડતાલના પગલે તા.3 ડિસેમ્બરથી બીએસએનએલની તમામ સેવાઓ ઠપ્પ બની જવાની શકયતા પણ વ્યકત કરવામાં આવી રહી છે.

રાજકોટમાં ત્રણ પીઆઇની આંતરીક બદલીનો હુકમ કરતા પોલીસ કમિશ્નર


યુનિવર્સિટી પોલીસ મથકનાં પીઆઇ દવેને રીડર શાખામાં અને તેમના સ્થાને આર.વાય.રાવલની બદલી : લાયસન્સ બ્રાંચના બી.એમ.જાડેજાને મહિલા પોલીસ મથકનો વધારાનો ચાર્જ

શહેરમાં ત્રણ પીઆઇની આંતરીક બદલીના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા હુકમ કરવામાં આવ્યા છે. જેમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇની રીડર શાખામાં અને તેમના સ્થાને મહિલા પોલીસ મથકના પીઆઇની બદલી કરવામાં આવી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના ત્રણ પીઆઇની આંતરીક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ ડી.વી.દવેની રીડર શાખામાં બદલી કરવામાં આવી છે. તેમજ તેમના સ્થાને મહિલા પોલીસ મથકમાંથી પીઆઇ રાવલની બદલી કરવામાં આવી છે. જયારે લાયસન્સ બ્રાંચના પીઆઇ બી.એમ.જાડેજાને મહિલા પોલીસ મથકનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

રાજકોટ ભાજપમાં લોકસભા ચુંટણીની તૈયારીઓ ચાલુ: બેઠક યોજાઈ: માર્ગદર્શન આપતા ભંડેરી

કમલેશ મીરાણી, પુષ્પદાન ગઢવી, બાવનજીભાઈ મેતલીયા, ભરતભાઈ ડેલીવાળા સહીતના ઉપસ્થિત રહ્યા: ભાજપના કાર્યકર્તા માટે લોકોના કામ એ જ સર્વોપરી છે: કમલેશ મીરાણી
 

ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા વિસ્તારક છે: ભરત ડેલીવાળા રાજકોટ ભાજપનો કાર્યકર્તા ગુજરાતના સંગઠનનું રોલમોડલ છે: પુષ્પદાન ગઢવી



 ગઈકાલે લોકસભા ચુંટણીની તૈયારીઓ અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય પર શહેર ભાજપ દ્વારા કાર્યકરો, આગેવાનો અને પ્રભારીઓએ બેઠક બોલાવી હતી.
 આ તકે રાજકોટ લોકસભાના ઈન્ચાર્જ અને ગુજરાત મ્યુનિ. ફાઈ. બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ રાજકોટ લોકસભાની સમિક્ષા કરતા જણાવ્યું હતું કે ગઈ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં લીડમાં સૌથી પ્રથમ ક્રમાંકે ભાજપનો ભવ્ય વિજય થાય તે દિશામાં હવે કાર્યકર્તાએ સક્રિય થવુ પડશે અને બુથથી લઈ બુથ સમિતિઓ, શકિત કેન્દ્રો અને વોર્ડમાં આવતા તમામ ક્ષેત્રના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડી આવનારી લોકસભાની ચૂંટણીમાં ફરી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી સરકાર બને અને તેના આપણે સૌ સાક્ષી બનીએ તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

બુધવાર, 28 નવેમ્બર, 2018

સરકારી ડોકટરે નશાની હાલતમાં પ્રસૂતિ કરાવતા પ્રસૂતા-શિશુનાં મોત

 બોટાદની સરકારી હોસ્પિટલમાં તબીબની બેદરકારીએ માતા-નવજાતનો જીવ લીધાનો આક્ષેપ
-તબીબે નશો કર્યાનું ખૂલતાં પોલીસે કરી અટકાયત
 
બોટાદ/ભાવનગર,:
બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં અલમપર ગામની 22 વર્ષની સગર્ભા યુવતી કામીનીબહેન જયંતીભાઇ ચાચિયા અને નવજાત શિશુના મૃત્યુ થયા હતાં. નશો કરેલ તબીબની બેદરકારીના કારણે બન્નેના મૃત્યુ થયાના આક્ષેપ સાથે પગલાં લેવાની મૃતકના પરિવારજનોએ માગણી કરી હતી. તબીબે નશો કર્યાનુ ખુલતા તેની અટકાયત કરવામાં આવી હતી. 
બોટાદના રાણપુર તાલુકાના અલમપર ગામની કામીનીબહેન જયંતીભાઇ ચાચિયા નામનીસગર્ભા યુવતીની બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો. એ પછી નવજાત બાળકી અને તેની માતા કામીનીબહેનના મૃત્યુ નિપજ્યા હતાં. આ અંગે મૃતકના પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે, હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. પી.જે. લાખાણી (પરેશ જેરામભાઇ લાખાણી)એ દારૂ પીધેલી હાલતમાં ફરજમાં બેદરકારી દાખવી હોવાથી બન્નેના મૃત્યુ થયા છે. 

પરિવારજનોના આક્ષેપને હોબાળા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પીઆઇ એન.કે.વ્યાસે માતા-પુત્રીના મૃતદેહને ફોરેન્સીક નિષ્ણાત પાસે પોસ્ટમોર્ટમ કરાવવા માટે  ભાવનગરની હોસ્પિટલમાં મોકલી આપ્યા હતાં. મૃતકના સગા વહાલાઓના આક્ષેપના પગલે પીઆઇ વ્યાસે તપાસ કરી હતી અને તબીબે નશો કર્યાનું જણાતા જાતે ફરિયાદી બની ડૉ. પરેશ જેરામભાઇ લાખાણી સામે ગુનો નોંધીને તેની અટકાયત કરી હતી. આ સમયે તેણે નશો કર્યો હોવાનું જણાયું હતું. સોનાવાલા હોસ્પિટલના નર્સીંગ સ્ટાફના જણાવ્યા પ્રમાણે અલમપરની પ્રસૂતાને તા. 26મીએ સાંજના પોણા પાંચેક વાગ્યાના સુમારે સારવાર માટે  દાખલ કરવામાં આવી હતી. આ સગર્ભા યુવતી પ્રથમ વખત જ હોસ્પિટલમાં આવી હતી. તબીબની બેદરકારીના કારણે નવજાત બાળકી અને માતાના મૃત્યુ થતાં બોટાદ પંથકમાં અરેરાટી સાથે આઘાતની લાગણી ફેલાઇ હતી.