રાજકોટમાં રૂડા અને આણંદપરના ખેડુતોને
મળીને પાઇપલાઇન નાખશે
મહાનગરપાલિકાની ગૌરીદડ ખાતેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ખેતીના ઉપયોગ માટે જરૂરી પાઈપલાઈનમાંથી પાણી આપવા આણંદપર ગામના ખેડૂતોની રજૂઆત હતી. રાજ્યના ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અભિગમ રહ્યો છે, આણંદપરના ખેડૂતોની રજૂઆત અંગે આજરોજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થળ મુલાકાત લેતા મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, ડ્રેનેજ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, ડે.એન્જીનીયર મોરી તેમજ આણંદપર ગામના સરપંચ વિજયભાઈ ડોડીયા, અજીતભાઈ વાઢેર, દેવાભાઈ ડોડીયા તેમજ ખેડૂત અગ્રણી જેમલભાઇ કાનાભાઈ વાઢેર, વિગેરે ઉપસ્થિત રહેલ હતા.
ગૌરીદડ 70 એમએલડી પ્લાન્ટનું પ્રીપેડ પાણી હાલમાં આજી-2 ડેમમાં છોડવામાં આવે છે. આ પાણી સિંચાઇના ઉપયોગ માટે આવી શકે તે માટે આણંદપર નાની સિંચાઇ યોજના હેઠળ આવેલ ડેમમાં ઠાલવવામાં આવે તો આજુબાજુના ખેડૂતોને પાણીનો લાભ મળે અને હૈયાત કુવાના તળો પણ ઉંચા આવે આ માટે સ્થળ મુલાકાત બાદ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી આપવા માટે રૂડા દ્વારા અને ખેડૂતોની બનાવવામાં આવનાર સહકારી મંડળીના સયુંકત જનભાગીદારીથી પાઈપલાઈન નાંખવા સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવેલ છે.
મળીને પાઇપલાઇન નાખશે
મહાનગરપાલિકાની ગૌરીદડ ખાતેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ખેતીના ઉપયોગ માટે જરૂરી પાઈપલાઈનમાંથી પાણી આપવા આણંદપર ગામના ખેડૂતોની રજૂઆત હતી. રાજ્યના ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અભિગમ રહ્યો છે, આણંદપરના ખેડૂતોની રજૂઆત અંગે આજરોજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થળ મુલાકાત લેતા મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, ડ્રેનેજ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, ડે.એન્જીનીયર મોરી તેમજ આણંદપર ગામના સરપંચ વિજયભાઈ ડોડીયા, અજીતભાઈ વાઢેર, દેવાભાઈ ડોડીયા તેમજ ખેડૂત અગ્રણી જેમલભાઇ કાનાભાઈ વાઢેર, વિગેરે ઉપસ્થિત રહેલ હતા.
ગૌરીદડ 70 એમએલડી પ્લાન્ટનું પ્રીપેડ પાણી હાલમાં આજી-2 ડેમમાં છોડવામાં આવે છે. આ પાણી સિંચાઇના ઉપયોગ માટે આવી શકે તે માટે આણંદપર નાની સિંચાઇ યોજના હેઠળ આવેલ ડેમમાં ઠાલવવામાં આવે તો આજુબાજુના ખેડૂતોને પાણીનો લાભ મળે અને હૈયાત કુવાના તળો પણ ઉંચા આવે આ માટે સ્થળ મુલાકાત બાદ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી આપવા માટે રૂડા દ્વારા અને ખેડૂતોની બનાવવામાં આવનાર સહકારી મંડળીના સયુંકત જનભાગીદારીથી પાઈપલાઈન નાંખવા સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવેલ છે.



























