LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
સોમવાર, 12 નવેમ્બર, 2018
રાજગઢ ના યુવાનનો ઝેરી દવા પી આપઘાત
રાજગઢ ના યુવાનનો ઝેરી દવા પી આપઘાત
રાજકોટ નજીકના
રાજગઢ ગામે રહેતા જગદીશ બાબુ નામના 35 વર્ષના યુવાને ગઈકાલે પોતાની વાડીએ કોઈ
અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
હતો જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવતા લાગતી
વળગતી પોલીસે આ બનાવમાં કાગળ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ નજીક બેડી ગામ બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા સવા લાખની મતાની ચોરી તસ્કરોએ નવા વર્ષનીબોણી કરી
રાજકોટ નજીક બેડી ગામ બંધ મકાનને નિશાન બનાવી
રૂપિયા સવા લાખની મતાની ચોરી તસ્કરોએ નવા વર્ષનીબોણી કરી
રાજકોટમાં દિવાળી બાદ તસ્કરોએ રાજકોટ નજીકના બેડી વિસ્તારમાં
એક બંધ મકાનને નિશાન બનાવીને રૂપિયા સવા લાખના દાગીનાની ચોરી કરીને નવા વર્ષની કરી
છે નવા વર્ષની કરી છે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે બનાવની મળતી વિગતો
મુજબ રાજકોટ બેડી ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ સામે ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા વિજયભાઈ
કરસનભાઈ ઝરમરીયા પ્રસંગોપાત પોતાના પરીવાર સાથે બહાર ગામ ગયા હતા ત્યારે આ વાત નો મોકો
જોઈને વિજયભાઈ ના મકાન માં તસ્કરોએ રૂમમાં અંદર પડેલ કબાટ નો લોક તોડી રૂપિયા એક લાખ
રોકડા રૂપિયા સવા લાખની કિંમતના દાગીના ચોરી કરી ગયા છે આ બાબતે વિજય ભાઈ ને તેમના
ભાઈ સંજયભાઈ જાણ કરતા વિજયભાઈ બહારગામથી બેડી દોડી આવ્યા હતા આ બાબતે કુવાડવા પોલીસ
મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે ફુલ દાર ફોજદાર બીપી આહીર તેમજ dog squad તેમજ ફિંગર પ્રિન્ટ ના નિષ્ણાંતોને
મદદ વચ્ચે તસ્કરોનું પગેરુ શોધવા કવાયત હાથ ધરી છે
રાજકોટમાં એસટી તંત્રને તહેવારો ફળ્યા ! પાંચ દિવસમાં બે કરોડની આવક થઈ
રાજકોટમાં એસટી તંત્રને તહેવારો ફળ્યા ! પાંચ દિવસમાં બે કરોડની આવક થઈ
દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના એસ.ટી દિવાળી તહેવારો
અનુલક્ષીને 50 જેટલી વધારાની બસો મુકી હતી જેનું સંચાલન આગામી તારીખ 20 નવેમ્બર સુધી
ચાલુ રાખવામાં આવશે રાજકોટના એસ.ટી વાઘ બારસ ધન તેરસ દિવાળી નવું વર્ષ અને ભાઈબીજ એમ
પાંચ દિવસ દરમિયાન ટ્રાફિક મળી રહ્યો હતો રાજકોટ રાજકોટ ડિવિઝનના આ દિવસો દરમિયાન રોશની
રૂપિયા 45 લાખની આવક થઇ હતી.
જે પાંચ દિવસો દરમિયાન ગણવામાં આવતા આશરે સવા બે કરોડ રૂપિયાની
રાજકોટના એસટી તંત્રને આવક થઇ હતી scott એસ.ટી.ના વિભાગીય નિયામક દિનેશભાઈ જેઠવાએ જણાવ્યું હતું
કે લોકોના ટ્રાફિકના ઘસારાને ધ્યાને લઇને રાજકોટમાં ખાસ વધારાની બસો દોડાવવાનું આયોજન
કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને રાજકોટ થી સોમનાથ દ્વારકા જામનગર ગોધરા સહિતના
વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા રાજકોટ ડિવિઝન રોજની 45 લાખ રૂપિયાની આવક થઈ હતી
તેમજ છેલ્લા પાંચ દિવસમાં સવા બે કરોડ રૂપિયાની આવક થઈ છે ખાસ બસો દોડાવવાનું ચાલુ
જ રહેશે અને વેકેશન પૂરું થશે હજુ વધુ ટ્રાફિક મળતો જ રહેશે આ વર્ષે પણ ગીરનાર પરિક્રમા
માટે પણ એક્સ્ટ્રા બસો દોડાવાશે તેઓ દિનેશભાઈ જેઠવાએ જણાવ્યું હતું.
રાજકોટમાં પ્રમુખસ્વામી મહારાજના જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ મંદિર વર્ષના દિવસો સૌથી વધારે વાનગી અન્નકુટ દર્શન યોજાયા
ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો મહોત્સવ તેમજ રાજકોટમાં શ્રી
સ્વામિનારાયણ મંદિર ના પરિસરમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જન્મદિવસ છે પાણી મી જન્મ
જયંતી નિમિત્તે કલાત્મક ગોળીઓ બનાવી હતી દિવાળીના દિવસે બે હજારથી વધુ હરિભક્તોએ અહીં
ચોપડા પૂજન નો લાભ લીધો હતો નૂતન વર્ષના પ્રથમ દિવસે સવારના ૬ થી ૭ દરમિયાન પ્રમુખ
સ્વામી સભાગૃહમાં મોંગલ મહા પૂજા વિધિ યોજાઇ હતી.
નૂતન વર્ષે ભગવાનના અન્નકુટનો આશરે
૨૦ હજાર થી વધુ શહેરીજનોએ દર્શનનો લાભ લીધો હતો વિશ્વના 55 દેશોમાં 1300 મંદિરમાં નૂતન
વર્ષે વાનગીઓ દર્શનના કાર્યક્રમો યોજાયા હતા રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આ વર્ષે
500 જેટલી મીઠાઈ ૪૫૦ જેટલા વિવિધ ફરસાણ 450 જેટલા શાકભાજી તેમજ ની વાનગીઓ સો જાતના
આઇસ્ક્રીમ જ્યુસ તેમજ કેક મળીને પંદરસોથી વધુ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવ્યો
હતો આ ઉત્સવની પ્રથમ આરતી કર્ણાટકના વજુભાઇ વાળા રાજકોટ જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તા
રેલવેના ડી.આર.એમ પોલીસ કમિશનર સિદ્ધાંત ખત્રી રાજકોટ શહેરના મેયર બીનાબેન આચાર્ય વિગેરે
અનુકૂળ દર્શનનો લાભ લીધો હતો
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
