અનુયાયીઓ

બુધવાર, 13 જાન્યુઆરી, 2016

જેતપુરમાં આજથી ૨ દિવસ પતંગ દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરશે છાત્ર સંગઠનના આગેવાનો

જેતપુરમાં આજથી ૨ દિવસ પતંગ દોરીથી ઘવાયેલા

પક્ષીઓની સારવાર કરશે છાત્ર સંગઠનના આગેવાનો

જેતપુર તા.૧૩ (કશ્યપ જોશી )

મકરસંક્રાંત પર્વ દરમિયાન મનુષ્યના આનંદ વચ્ચે અનેક અબોલ પક્ષીઓ રીતસરના મોતને ભેટશે, અનેક પક્ષીઓ પતંગની દોરીથી ઘવાઈને છેક  ઉંચેથી જમીન પર પટકાશે, ત્યારે આવા ઘાયલ પક્ષીઓની ભાળ મળ્યે જેતપુરમાં સ્ટુડંટ યુનિયન ગ્રુપના યુવાન આગેવાનો ત્વરિત સારવાર માટે દોડશે. આ બાબતે વિગતો આપતા મયુર સરવૈયા, ભદ્રેશ વ્યાસ અને રવિ વઘાસીયા વી. જણાવ્યું છે કે આજે તા.૧૪ અને ૧૫ એમ બે દિવસ દરમિયાન પતંગોત્સવ દરમિયાન કોઈ ઘાયલ પક્ષીઓની સારવાર કરવાની હોય તો તાત્કાલિક આ સેવાની હેલ્પલાઈન એવા મોબાઈલ નંબરો ૯૦૩૩૭૯૧૨૦૨, ૯૮૨૪૩૮૪૨૮૪, ૯૧૭૩૭૯૧૨૦૨, ૮૧૪૦૯૯૫૬૭૮ ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

                                                                               કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ 


જેતપુર પોલીસ કસ્‍ટડીમાં ચોરીના આરોપીનાં મોતના બનાવમાં હત્‍યાનો ગુન્‍હો નોંધાતા ચકચાર

જેતપુર પોલીસ કસ્‍ટડીમાં ચોરીના આરોપીનાં 
મોતના બનાવમાં હત્‍યાનો ગુન્‍હો નોંધાતા ચકચાર 
બનાવના ત્રણ દિ' પૂર્વે માથામાં બોથડ પદાર્થના ઘા થી મોત થયાના ફોરેન્‍સીક પી. એમ. રીપોર્ટના આધારે કાર્યવાહી

જેતપુર તા. ૧૩ (કશ્યપ જોશી )
આજથી સવાએક વર્ષ પહેલા જેતપુરમાં પોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલ એક તસ્કરનું મોત માથામાં બોથડ પદાર્થના મારથી મોત થયું હોવાનું ફોરેન્સિક લેબો.ના રીપોર્ટ પરથી શહેર પોલીસે અજાણ્યા શખ્શો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે.
   મળતી વિગત મુજબ શાપરની એક મહિલાની ડોક અળવી (સોનાના ચેનની ચીલઝડપ) કરનાર રસીક ઉર્ફે કાળુ ભીખા સોલંકીને એલસીબીએ ઝડપી લઇ જેતપુર પોલીસને સોંપ્યો હતો. દરમિયાન  તા. ૯-૯-ર૦૧૪ ના રોજ રાત્રીના રસિકને બેભાન હાલતમાં સરકારી હોસ્‍પીટલમાં તપાસ માટે લઇ જવાયો હતો. પણ તે સમયે ફરજ પરના તબીબે  તેને મૃત જાહેર કરી પીએમ વિધિ કરવામાં આવી હતી.
   બીજી બાજુ પોલીસ કસ્‍ટડીમાં રસિકના મોતની વિશેષ તપાસ હાથ ધરી તે વખતના જીલ્લા પોલીસ વડાએ રસિકની બોડી ફોરેન્‍સીક પી. એમ. માટે રાજકોટ મોકલી હતી. જે એફએસએલ રીપોર્ટમાં આરોપીનું મોત બનાવના ૩ દિવસ પહેલા કોઇ પણ સમયે માથામાં બોથડ પદાર્થના ઘા મારવાથી  થયાનું બહાર આવતા ગઈકાલે જેતપુરના ડીવાયએસપી એસ. જી. પાટીલે સરકાર તરફે ફરીયાદી બની અજાણ્‍યા શખ્શો સામે ખુનનો ગુન્‍હો નોંધાવી બનાવની વધુ તપાસ પી. આઇ. એન. કે. વ્‍યાસને સોંપી હોવાનું જાણવા મળે છે.
કશ્યપ જે. જોશી જેતપુર  



જેતપુરનાં મેવાસામાં સમસ્ત ખાંટ રાજપુત સમાજની મળેલી બેઠકમાં મિટીંગમાં હોદેદારોની વરણી

જેતપુરનાં મેવાસામાં સમસ્ત ખાંટ રાજપુત સમાજની મળેલી બેઠકમાં  મિટીંગમાં હોદેદારોની વરણી

જેતપુર તા.૧૩ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના મેવાસા ગામે આવેલ ખાંટ રાજપુત સમાજના સંતશિરોમણી ભકતશ્રી રામબાપાની જગ્યામાં  સમસ્ત ખાંટ રાજપુત સમાજની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે જગ્યાના પ્રમુખ તરીકે ભુપતભાઇ કે. સોલંકી(વાળાડુંગરા)

અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઇ એ. સરવૈયા(રાજકોટ)ની નિમણુંક કરવામાં આવી હતી. આ બેઠકમાં   ગુજરાત પછાત વર્ગ વિકાસના ડાયરેકટર વેલજીભાઇ સરવૈયા, રીટાયર્ડ ડી.જી.પી. એન. ડી. મોરી, અખીલ ભારતીય ખાંટ સમાજના પ્રમુખ નરશીભાઇ સરવૈયા, માજી પુરવઠા મામલતદાર કે. પી. ગુજરાતી, માજી જીલ્લા શિક્ષણાધિકારી ભાણજીભાઇ સરવૈયા, યુવા શકિત સંગઠ્ઠનના પ્રમુખ હસમુખભાઇ વાગડીયા, એડવોકેટ દિલીપભાઇ કંડોલીયા, સરવૈયા વિગેરે બહોળી સંખ્યામાં સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ 

 

 

જેતપુર માર્કેટ યાર્ડમાં તમામ ૧૪ બેઠકો કબજે કરી ભાજપે યાર્ડમાં પગપેસારો કરવા માંગતા ઉમેવારોને આપી ભૂંડી હાર !

 કિશાન નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાએ રાજકારણમાંથી શન્યાસ લેતા લેતા હરીફોને હંફાવ્યા !
જેતપુર માર્કેટ યાર્ડમાં તમામ ૧૪ બેઠકો કબજે કરી ભાજપે 
યાર્ડમાં પગપેસારો કરવા માંગતા ઉમેવારોને આપી ભૂંડી હાર !
રાજકોટ જીલ્લા પંચાયતમાં મોટા ગજાના ગણાતા સદસ્ય ધીરુભાઈને તો એકી આંકમાં માત્ર ૪ મત મળ્યા !!

જેતપુર તા.૧૩  (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર માર્કેટ યાર્ડની મંગળવારે  યોજાયેલ ચુંટણીની આજે મતગણના દરમિયાન પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા પ્રેરિત તમામ ૧૪ બેઠકો કબજે કરી ભાજપે અહીની યાર્ડમાં અન્યોનો પગપેસારો અટકાવી દેતા કોંગી ઉમેદવારો અને છાવણીમાં સોંપો પડી ગયો છે.
અમે યાર્ડના શાશનમાં આવીશું તો યાર્ડની અનેકવિધ ગેરરીતિઓ ખુલ્લી પાડીશું તેવા નિરાધાર સાથે યાર્ડની ચુંટણીમાં જુંકાવનાર કોંગ્રેસી ઉમેદવારોને તમામ ૧૪ બેઠકો પર કારમો પરાજય અપાવનાર ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાએ આજે યાર્ડના વિજેતા ઉમેદવારોની હાજરીમાં પત્રકારોને જણાવ્યું હતું કે ભાઈ જંગ લડતા પહેલાજ તમારી ભાવના સારી ના હોય, તમે પરિણામો ક્યાંથી સારા મેળવી શકો ?! એટલુજ નહિ સૌરાષ્ટ્રબહારની યાર્ડમાં જેતપુર યાર્ડનું નામ ગુંજતું કરવા કાઈ ઓછી મહેનત નથી કરવી પડી !
યાર્ડ ચુંટણીના પરિણામો પર નજર કરીએ તો અહી ત્રણ વિભાગમાં યોજાયેલી ચુંટણીમાં ખેડૂત મત વિભાગની ૮ બેઠકો માટે ૮ કોંગ્રેસ અને ૮ ભાજપના ઉમેદવારોએ ચુંટણીમાં જુંકાવ્યુ હતું. પણ તેમાં કોંગ્રેસના આઠેય ઉમેદવારોને હારની લપડાક આપી આઠેય ભાજપના ઉમેદવારો વિજેતા થયા હતા.જેમાં જયંતીભાઈ ગોરધનભાઈ હીરપરા(૩૮૦), વિનોદભાઈ વલ્લભભાઈ પાઘડાર(૩૭૯),  સુભાષ બાંભરોલીયા(૩૭૩), શિવલાલ બચુભાઈ ભુવા(૩૭૩),હિતેશ વેલજીભાઈ કોટડીયા(૩૭૨), રમેશભાઈ વશરામભાઈ મુળિયા(૩૬૫), બાબુલાલ કરશનભાઈ સાકરિયા(૩૬૫) અને નારદભાઈ શંભુભાઈ દાવરા(૩૫૭)નો સમાવેશ થાય છે. ભાજપના આ આઠેય ઉમેદવારોએ હરીફ કોંગ્રેસના ઉમેદવારોને ત્રણ આંકના મતો સુધી નથી પહોચવા દીધા. ચુંટણી અધિકારી સંગીતાબેન રૈયાણીના કહેવા મુજબ આ પેનલમાં પરાજય પામનાર એક પણ ઉમેદવારની ડીપોજીત જપ્ત(ડુલ) થઇ નથી.

ખરીદ વેચાણ મત વિભાગની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો ચુંટણી સ્પર્ધામા હતા. જેમાં કોંગ્રેસના  જીલ્લા પંચાયત સદસ્ય કે જેઓ જીલ્લા પંચાયતમાં પર પ્રમુખના દાવેદારોની હરોળમાં ગણાતા ચારણ સમઢીયાળાના ધીરુભાઈ પાઘદારની નામોશી ભરેલી હાર થઇ હોય તેમ તેઓને માત્ર ૪ મત જ મળતા તેઓની આબરુનું ધોવાણ થયાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો ભાજપના દિનેશભાઈ કેશવભાઈ ભૂવાને ૪૧ મત અને શૈલેશભાઈ ખોડાભાઈ ભંડેરીને ૩૯ મત મળ્યા હતા. આ બેઠકમાં ધીરુભાઈએ ડીપોજીટ પણ ગુમાવી છે.

જયારે વેપારી મત વિભાગમાં ૪ બેઠકો માટે ચુંટણી લડેલા કુલ છ ઉમેદવારોમાંના ચારેય ભાજપના ઉમેદવારોએ પોતપોતાના હરીફોને હરાવી વિજય હાંસલ કર્યો હતો. વિજેતા ભાજપના ઉમેદવારોમાં કુમનભાઈ સાવલિયા(૧૬૬), દિનેશભાઈ ગોંડલિયા(૧૫૫), હરેશભાઈ ગઢિયા(૧૪૪) અને દોલતરામ પારવાણી(૧૨૯)નો સમાવેશ થાય છે. આમ જેતપુર યાર્ડની ચુંટણીમાં ભાજપે તમામ ૧૪ બેઠકો પર વિજય પ્રાપ્ત કરી સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા અને રાજ્યમંત્રી જયેશભાઈ રાદડિયાની પ્રતિષ્ઠાને અકબંધ રાખી છે. આજે મત ગણના બાદ તમામ વિજેતા ઉમેદવારોએ પૈસાની છોળો ઉડાડતા ઉડાડતા વિજય સરઘસ કાઢી પરાસ્ત પામેલા ઉમેદવારોને વધુ ઢીલા કરી દીધા હતા.

વિજેતા આગેવાનો શું કહે છે ?
જેતપુર : જેતપુર યાર્ડમાં વિજય પામનાર માજી ચેરમેન દિનેશ ભુવા સહિતના વિજેતાઓએ જણાવેલ કે તેઓનો વિજય જેતપુર તાલુકા જીલ્લા પંચાયંતમાં થયેલી હારનો બદલો છે. પોતપોતાની જીત પાછળ સાંસદ વિઠ્ઠલભાઈનો સિંહફાળો હોવાની વાત દોહરાવતા દિનેશ ભુવાએ જણાવેલ કે આગામી દિવસોમાં જેતપુર યાર્ડ દ્વારા ખેડૂતો માટે સબયાર્ડ મસાલા માર્કેટ, ડ્રીપ ઈરીગેશનમાં સબસીડી, ઉચ્ચ શિક્ષણ સહાય, ગંભીર બીમારી સબબની અકસ્માત સહાય, કોલ્ડ સ્ટોરેજ વિગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરવાના પ્રયાસો ચાલુ છે. અત્રે એ પણ નોંધનીય છે કે વિઠ્ઠલભાઈ રાદડિયા પ્રેરિત પેનલનો જેતપુરની યાર્ડમાં ત્રીજો વિજય છે. અને ચેરમેન પદે પણ દિનેશ ભુવા હેટ્રિક સર્જશે તે નક્કી છે.

કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 


મંગળવાર, 12 જાન્યુઆરી, 2016

જેતપુર યાર્ડ ચૂંટણી ના ફોટો કશ્યપ જોશી જેતપુર

જેતપુર યાર્ડની આજે યોજાયેલ ચૂંટણી દરમિયાન કિશાન નેતા અને.પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયા વી આગેવાનો હાજર રહ્યા હતા.
ફોટો..કશ્યપ જોશી જેતપુર

જેતપુર માર્કેટ યાર્ડની યોજાયેલ ચુંટણીનો આજે ફેંસલો ખેડૂત પેનલમાં 99.70 ટકા, વેપારી પેનલમાં 94.67 ટકા અને ખરીદ વેચાણ મંડળીમાં 100 ટકા મતદાન નોંધાયું.. જેતપુર તા.12

જેતપુર માર્કેટ યાર્ડની  યોજાયેલ ચુંટણીનો આજે  ફેંસલો

ખેડૂત પેનલમાં 99.70 ટકા, વેપારી પેનલમાં 94.67 ટકા અને

ખરીદ વેચાણ મંડળીમાં 100 ટકા મતદાન નોંધાયું..

જેતપુર તા.12

જેતપુર માર્કેટ યાર્ડની ગઈકાલ તા.12 ના રોજ યોજાયેલ ચુંટણીનો આજે તા.13 નારોજ ફેંસલો થશે

જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ સ્વ.જમનાદાસ વેકરીયા માર્કેટ યાર્ડની આજે યોજાયેલ ચુંટણીમાં સંબંધિત મતદારોએ ભારે ઉત્સાહ દાખવી મતદાન કર્યું હતું..

બાબતે માહિતી આપતા જેતપુર યાર્ડના સેક્રેટરી જયસુખભાઈ ઠુંમરે જણાવેલ કે, આજે યાર્ડની ચુંટણી, ચુંટણી અધિકારી સંગીતાબેન રૈયાણી, રજીસ્ટ્રાર તથા યાર્ડના કાર્યવાહ્કોની હાજરીમાં યોજાયેલ મતદાનમાં કુલ 14 બેઠકોમાં ખેડૂત પેનલની 8 શીટ માટે ઉભા રહેલા 8-8 ભાજપ-કોંગ્રેસ સહીત કુલ 42 ઉમેદવારો માટે કુલ 462 મતદારોમાંથી 459 (99.70 ટકા) મતદારોએ મતદાન કર્યું હતું,

ખરીદ વેચાણ મંડળીની 2 શીટ માટે ઉભેલા 3 ઉમેદવારો માટે 43 તમામ મતદારોએ(100 ટકા) મતદાન કર્યું હતું. જયારે વેપારી પેનલની 4 બેઠક માટે ઉભેલા 6 ઉમેદવારો માટેના સંબંધિત 225 માંથી 213(94.67) મતદારોએ મતદાન કર્યું હતું. યાર્ડની ચુંટણીની રસાકસીની વાત જાણવા મળી છે કે એક બાજુ યાર્ડના જુના જોગી દિનેશ ભુવા સામે કોંગ્રેસના જગદીશ પામ્ભર તાલુકા-જીલ્લા પંચાયતવાળી કરવાના મૂડમાં છે. તો શહેરના એક સિધ્ધાંતવાદી નાગરિક નરેન્દ્ર પટેલ પણ યાર્ડ ચુંટણીના મેદાનમાં ઉતર્યા હોય તેઓ પણ યાર્ડમાં કંઈક નવા જૂની કરવા થનગની રહ્યા છે. એક વાત એવી પણ જાણવા અને અનુભવવા મળી કે, યાર્ડમાં ચેરમેન તરીકે દિનેશ ભુવા પુનઃ સત્તા હાંસલ કરે અને તેમના મતદારો કોઈનાથી ખરીદાય જાય તે પહેલાજ કાંડાબળિયા કિશાન નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાએ સાડા પાંચસો જેટલા મતદારોને છેલ્લા ત્રણ દિવસ થયા શ્રીનાથજી(નાથદ્વારા) સહેલગાહે મોકલી દીધા હતા. જે તમામ આજે સવારે પાછા જેતપુર આવી મતદાન કર્યું હોય જુના ચેરમેનું  પલડું ભારે હોવાની વાતે ચર્ચા જગાવી છે.

કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

 

 


જેતપુરમાં કારખાનાના કેશીયર પાસેથી 

ત્રણ લાખ લુંટી લેનાર બે શખ્સોની શોધખોળ

જેતપુર, તા.૧ર

ગઈકાલે  જેતપુરમાં છરીની અણીએ કારખાનાના કેશીયરને લુંટી લેનાર બે શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગતો  મુજબ જેતપુરના થાણાગાલોળ ગામ પાસે આવેલ આર્યન પ્રોસેસમાં કેશીયર તરીકે નોકરી કરતા જીજ્ઞેશ સવજીભાઇ ચાવડા (રહે. ડેડરવા) ગઇકાલે બપોરે જેતપુરના કાણકીયા પ્લોટ વિસ્તારમાં આવેલ આઇસીઆઇસીઆઇ બેંકમાંથી લાખ ઉપાડી બાઇક પર જતો  હતો ત્યારે  ખીરસરા રોડ પર કાચા માર્ગે બે અજાણ્યા શખ્સોએ બાઇક આડુ નાખી છરી દેખાડી લાખની રોકડ ભરેલો થેલો લુંટી નાસી છુટયા હતા. અંગે જીજ્ઞેશભાઇ કારખાને પહોંચી માલીકને જાણ કરતા પોલીસને જાણ કરાતા નાકાબંધી કરાઇ હતી પણ બંન્ને શખ્સોના કોઇ સગડ મળ્યા હતા.

   બાઇક સવાર બે શખ્સો પૈકી એકે કાળા કલરનું જેકેટ અને મોઢે બુકાની બાંધેલ હતું. જયારે બીજાએ ભુરા કલરનું જેકેટ અને માથે મફલર બાંધ્યું હતું. ઘટના બાદ પોલીસે નજીકના સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા પણ બંન્ને લુંટારૂઓના કોઇ સગડ મળ્યા હતા. વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે

કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

 

 

 

 

 

અવસાન નોંધ : જેતપુર : 12-01-2016

અવસાન નોંધ : જેતપુર : 12-01-2016
જેતપુર : મૂળ ભૂણાવા, હાલ રાજકોટ નિવાસી ઔદીચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રાહ્મણ ઈશ્વરલાલ વૃજલાલ ત્રિવેદીના પત્ની કુસુમબેન(ઉ.વ.55) તે રાજેશભાઈ અને કેતનભાઈના માતા, જેતપુરના વિનોદભાઈ, ભરતભાઈ, અશોકભાઈ, મધુબેન મણિશંકર ઠાકરના બહેન તા.9 ના રોજ અવસાન પામ્યા છે. પિયર પક્ષનું બેસણું તા.15 ને શુક્રવારના રોજ, સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન, ખોડપરા, ગોપાવાડી પાસે,શેરી નં. 9/આઈ, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

સોમવાર, 11 જાન્યુઆરી, 2016

અવસાન નોંધ..11.1.2016

જેતપુર : નવાગઢ નિવાસી સહજાનંદ ફરસાણવાળા ધીરજલાલ મોહનભાઇ પાદરિયા(ઉ.વ.55) તે મહેશભાઈ, કપિલભાઈ અને ચેતનાબેનના પિતા તેમજ ગીરીશભાઈ અને પ્રવિણભાઇના મોટાભાઈ તા.11.1. ના રોજ અવસાન પામ્યા છે.
                                      કશ્યપ જે.જોશી જેતપુર 99742 62812

2015_16 નો સ્ટુડન્ટ ઓફ ધી યરનો તાજ રૂપાલિને

2015_16 નો સ્ટુડન્ટ ઓફ ધી યરનો તાજ રૂપાલિને
જેતપુર :રાજકોટમાં સદગુરુ મહિલા કોલેજ અને એમ
જે.કુંડલીયા કોલેજના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં સ્ટુડન્ટ ઓફ ધી યર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જોડાયેલા 1200 વિદ્યાર્થીઓના એક પછી એક યોજાયેલા રાઉન્ડ દરમિયાન મૂળ જેતપુરના અને હાલ રાજકોટ રહેતા માનિષભાઈ(મુન્નાભાઈ) સગાલાની પુત્રી રૂપાલિએ સ્ટુડન્ટ ઓફ ધી યર 2015-16 નો તાજ જીતીને સમગ્ર જેતપુર, રાજકોટ અને સગાલા પરિવારનું ગૌરવ વધારેલ છે.
                                    (કશ્યપ જે. જોશી,જેતપુર)

શનિવાર, 9 જાન્યુઆરી, 2016

જેતપુરમાં કિશોરનું ગળું ચિરતો પતંગનો દોરો..

જેતપુરમાં કિશોરનું ગળું ચિરતો પતંગનો દોરો..
જેતપુર તા.9
આજે સાંજે જેતપુરના અમરનગર રોડ પર એક કિશોરના ગળામાં પતંગનો દોરો ફસાઈ જતા કિશોરના વાલીઓ ભારે દોડધામમાં પડીને ખાનગી દવાખાને પોતાના પુત્રને સારવાર અપાવી હતી.
મળતી વિગતો મુજબ આજે સાંજે અહીંના અમરનગર રોડ પર ડોબરિયાવાડી બસસ્ટોપ નજીકથી પસાર થઇ રહેલ નરેશ નામના 14 વર્ષીય કિશોરના ગળામાં પતંગની દોરી ફસાઈ જતા તેમને લોહીલુહાણ હાલતમાં અહીંના ખાનગી દવાખાને સારવારમાં ખસેડાયો હતો..જ્યાં નરેશને ગળામાં 8 થી 10 ટાંકાઓ લેવાની સારવાર લેવી પડી હોવાનું જાણકારો કહે છે.
અમુક જાગૃત લોકોએ ત્યાં સુધી કહ્યું કે ગુજરાતના મોટાભાગના શહેરોમાં ચાઇનીઝ પતંગની દોરી વાપરવા પર લગભગ પ્રતિબંધ લદાયો છે. ત્યારે જેતપુરમાં પણ આ બાબતે સંબંધિતો કડક અમલવારી કરાવે તેવું પ્રજા ઇચ્છે છે.
કશ્યપ જે.જોશી જેતપુર

જેતપુરમાં આજે રવિવારના કાર્યક્રમો..કશ્યપ જોશી..

જેતપુરમાં આજે રક્તદાન શિબિર..
જેતપુર તા.9
જેતપુર મોટી હવેલીના યુવા વૈષ્ણવાચાર્ય પ્રિયંકરાયજીના આજે તા.10 ના રોજ જન્મદિન નિમિત્તે એમ.વાય.એમ.ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. અહીંના ભાદર રોડ પરની બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી ખાતે સવારના 9 થી 12 યોજાનાર આ શિબિરના ઉદ્ઘાટક તરીકે સ્થાનિક પોલીસ ઇન્સપેક્ટર એન.કે.વ્યાસ, મુખ્ય મહેમાનો તરીકે રાજ્યમંત્રી જયેશ રાદડિયા, મોટી હવેલી ઉત્સવ સમિતિના પ્રમુખ રાજુભાઇ પટેલ હાજર રહેશે. આ તકે રક્તદાન કરવા સંસ્થાના પ્રમુખ કિશોર કાકડીયા અને મંત્રી મનીષ ધ્રુવનો અનુરોધ છે...

જેતપુરમાં આજે સમર્પણ ગ્રુપ દ્વારા
અનેકવિધ કાર્યક્રમોના આયોજનો..
જેતપુર તા.9
માનવ હૃદયને સ્પર્શવાની ઝંખના સાથે શહેરમાં અવિરત સેવાઓ કરતી સંસ્થા સમર્પણ ગ્રુપનો પાયો નંખાયો તે વાતને 20 વર્ષ પૂર્ણ થતા, વીશ વર્ષની સેવાકીય સફરોને વાગોળવા તેમજ 21 માં વર્ષમાં મંગલ પ્રવેશને ઉજવવા આજે તા.10 ના રોજ અનેકવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમોના આયોજનો કરાયા છે.જૂની લોહાણા મહાજન વાડીમાં સાંજના 4.30 વાગ્યે યોજાનાર આ કાર્યક્રમોને માણવા રાજ્યમંત્રી જયેશ રાદડિયા, માજી ધારાસભ્ય જશુબેન કોરાટ વી.હાજર રહેનાર હોવાનું સંસ્થાના પ્રમુખ હરીશ મણિયાર વી. સભ્યોએ જણાવ્યું છે..
કશ્યપ જે. જોશી..જેતપુર..99742 62812

શુક્રવાર, 8 જાન્યુઆરી, 2016

જેતપુરમાં આવતીકાલે વિવિધ રોગોનો નિદાન કેમ્પ યોજાશે...

જેતપુરમાં આવતીકાલે વિવિધ 
રોગોનો નિદાન કેમ્પ યોજાશે... 
જેતપુર તા.8
સીટી કાઉન્સિલ ઓફ જેતપુરના સ્થાપક પ્રમુખ સ્વર્ગીય પરબતભાઈ પટેલની પુણ્યતિથી નિમિતે આવતીકાલ તા.10 ના રોજ સીટી કાઉન્સિલ, બી.ટી.સવાણી કીડની હોસ્પિટલ અને રાહત સમિતિ દ્વારા કીડની, પેશાબ, તેમજ આંતરડા, અને લીવરના રોગોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના કણકિયા પ્લોટમાં આવેલ વણિક જ્ઞાતિની વાડી ખાતે સવારના 8-30 વાગ્યે યોજાનાર આ કેમ્પમાં ઉદ્ઘાટક તરીકે પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, અધ્યક્ષ તરીકે રાજ્ય પ્રધાન જયેશભાઈ રાદડિયા તેમજ મહેમાનોમાં જેતપુર ડાઈંગ એશોશીયેશનના પ્રમુખ રાજુભાઈ હિરપરા સહિતના ઉદ્યોગપતિઓ, તબીબો હાજર રહેશે. કેમ્પનો લાભ લેવા સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ સીદ્પરા, જેન્તીભાઈ રામોલીયા વિગેરેએ અનુરોધ કર્યો છે.                                                                                                                                                                     કશ્યપ જે. જોશી જેતપુર 

દસેક દિવસ પહેલા માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત જેતપુરના આધેડનું મોત...

દસેક દિવસ પહેલા માર્ગ અકસ્માતમાં 
ઈજાગ્રસ્ત જેતપુરના આધેડનું મોત...
જેતપુર તા.8
આજથી દસેક દિવસ પહેલા જેતપુરના હરીપર નજીક એક માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા જેતપુરના ખાંટ આધેડનું આજે મોત થયાનું વીરપુર પોલીસ જણાવે છે.
મળતી વિગતો મુજબ આજથી દસેક દિવસ પહેલા જેતપુરના હરીપર ઉમરાળી ગામના રોડ પર એક બાઈક અકસ્માતમાં જેતપુરના ઘેટાવાળા પ્લોટ વિસ્તારમાં રહેતા ભગવાનજીભાઈ લક્ષ્મણભાઈ ગુજરાતી(ઉ.વ.50)ને ગંભીર ઈજાઓ થતા પ્રથમ જેતપુરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ, જ્યાંથી પણ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયેલ ભગવાનજીભાઈ નું આજે સાંજે પાંચ વાગ્યે સારવાર દરમિયાન મોત થયાનું વીરપુર પોલીસમાં જાહેર કરાયું છે. વીરપુર પોલીસના પીએસઓ હસમુખભાઈના જણાવ્યા પ્રમાણે આ બનાવની વધુ તપાસ નાથાભાઈ દાફડાને સોંપાઈ છે. 
કશ્યપ જે. જોશી જેતપુર 
 

જેતપુરના જેપુર ગામે યુવાનને ભરખી જતો વીજશોક જેતપુર તા.8

જેતપુરના જેપુર ગામે યુવાનને ભરખી જતો વીજશોક

જેતપુર તા.8

જેતપુર તાલુકાના જેપુર ગામે આજે પોતાની વાડીયે નાનું મોટું કામ કરતા ખાંટ યુવાનનું વીજશોકથી મોત થયાની ઘટનાથી નાનકડા એવા જેપુર ગામમાં શોક ફેલાયો છે. મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેપુર ગામનો ખાંટ યુવાન ભૂપત કાળું ગુજરાતી (ઉ.વ.28) આજે રાબેતા મુજબ પોતાની વાડીયે કામ કરી રહ્યો હતો. દરમિયાન ઇલેક્ટ્રિક વાયરને અડકી જવાથી તેમને બેભાન હાલતમાં નજીકના વિરપુરના સરકારી દવાખાને ખસેડાયો હતો. પણ ફરજ પરના તબીબી વર્તુળોએ ભૂપતને મૃત જાહેર કર્યો હતો. ગામનો જુવાનજોધ અને આશાસ્પદ યુવાનના અકાળે મોતના બનાવથી ખાંટ સમાજ ઉપરાંત જેપુરવાસીઓમાં શોક વ્યાપી ગયો છે. બનાવની વધુ તપાસ વીરપુર પોલીસના જમાદાર દાફડાએ હાથ ધરી છે.                                                                                                                                                                        કશ્યપ જે. જોશી જેતપુર)


         

જેતલસર સ્થિત NRI ગૃહસ્થનું પ્રેરણાદાયી પગલું !!

જેતલસર સ્થિત NRI ગૃહસ્થનું પ્રેરણાદાયી પગલું !!

પુત્રના જન્મ દિવસે જેતપુર તાલુકાનાં 36 કેન્સરગ્રસ્ત
દર્દીઓને રૂ.20-20 હજાર સહાય ચુકવતા સરાહના..
(કશ્યપ જોશી) જેતલસર તા.7
આજે સૌરાષ્ટ્ર ગુજરાતમાં એવા અનેક દાનવીર મહાનુભાવો જીવી અને વસી રહ્યા છે કે  તેઓની નાની મોટી સેવાઓ અન્યો માટે પ્રેરણારૂપ બની જતી હોય છે.
આવી જ વાતને મૂળ જેતલસર ગામના અને હાલ અમેરિકા ખાતે વ્યવસાય કરતા રસિકભાઈ ગોંડલિયા અક્ષરસઃ સાબિત કરી રહ્યા છે.
ખાસ કરીને ભારત દેશની બહાર રહીને પણ વતન પ્રત્યેનું સમયાંતરે અનન્ય ઋણ ચૂકવવાનું નહિં ચુકતા રસિકભાઈ છેલ્લાં લાંબા સમય થયા પ્રતિ દશેરાના દિવસે આખા ગામમાં ગરીબો અને જરૂરિયાતમંદોને મીઠાઇના બોક્સ પહોંચાડી રહ્યા છે.
તો છેલ્લાં 2 વર્ષ થયા રસિકભાઈ પોતાના પરિવારજનોની ખુશી જેતપુર તાલુકામાં વસતા કેન્સર પીડિતો વચ્ચે ઉજવીને આર્થિક સહાય કરી રહ્યાં છે. આ સેવા બાબતે આજે તેઓએ જણાવેલ કે હૂં કોઈ મોટા ગજાનો માણસ નથી, કે નથી મારે કોઈ ટ્રસ્ટ બનાવવું, મારા સત્કર્મો સમસ્ત દરેક સમાજના લોકો, દાતાઓ વચ્ચે પ્રેરણાત્મક બને અને તેવી સેવાઓ જરૂરિયાતમંદો વચ્ચે નિરંતર થતી રહે કે કરાતી રહે તેવા ઉદ્દેશ સાથે આ વર્ષે પણ તાજેતરમાજ રસિકભાઈ માધાભાઈ ગોંડલિયાએ તેમના જ્યેષ્ઠપુત્ર અંજનીશભાઈના જન્મદિવસે જેતપુર તાલુકાના ગામડાઓમાં રહેતા 36 કેન્સરગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને રૂપિયા 20-20 હજાર (7 લાખ, 20 હજાર)રોકડ સહાય કરી હતી. જે વાતનો અન્ય દાતાઓ ઘડો લ્યે અને સેવાઓની સુવાસ પ્રસરાવતા રહે તેવો અનુરોધ જેતલસર ગામના રસિકભાઈ ગોંડલિયા અને તેમના પુત્ર અંજનીશભાઈ સહિતના પરિવારજનો કરી રહ્યાં છે.
(કશ્યપ જે.જોશી, જેતલસર, જેતપુર..9974262812)

ગુરુવાર, 7 જાન્યુઆરી, 2016

જેતલસર સ્થિત NRI ગૃહસ્થનું પ્રેરણાદાયી પગલું !!

જેતલસર સ્થિત NRI ગૃહસ્થનું પ્રેરણાદાયી પગલું !!

પુત્રના જન્મ દિવસે જેતપુર તાલુકાનાં 36 કેન્સરગ્રસ્ત
દર્દીઓને રૂ.20-20 હજાર સહાય ચુકવતા સરાહના..
(કશ્યપ જોશી) જેતલસર તા.7
આજે સૌરાષ્ટ્ર ગુજરાતમાં એવા અનેક દાનવીર મહાનુભાવો જીવી અને વસી રહ્યા છે કે  તેઓની નાની મોટી સેવાઓ અન્યો માટે પ્રેરણારૂપ બની જતી હોય છે.
આવી જ વાતને મૂળ જેતલસર ગામના અને હાલ અમેરિકા ખાતે વ્યવસાય કરતા રસિકભાઈ ગોંડલિયા અક્ષરસઃ સાબિત કરી રહ્યા છે.
ખાસ કરીને ભારત દેશની બહાર રહીને પણ વતન પ્રત્યેનું સમયાંતરે અનન્ય ઋણ ચૂકવવાનું નહિં ચુકતા રસિકભાઈ છેલ્લાં લાંબા સમય થયા પ્રતિ દશેરાના દિવસે આખા ગામમાં ગરીબો અને જરૂરિયાતમંદોને મીઠાઇના બોક્સ પહોંચાડી રહ્યા છે.
તો છેલ્લાં 2 વર્ષ થયા રસિકભાઈ પોતાના પરિવારજનોની ખુશી જેતપુર તાલુકામાં વસતા કેન્સર પીડિતો વચ્ચે ઉજવીને આર્થિક સહાય કરી રહ્યાં છે. આ સેવા બાબતે આજે તેઓએ જણાવેલ કે હૂં કોઈ મોટા ગજાનો માણસ નથી, કે નથી મારે કોઈ ટ્રસ્ટ બનાવવું, મારા સત્કર્મો સમસ્ત દરેક સમાજના લોકો, દાતાઓ વચ્ચે પ્રેરણાત્મક બને અને તેવી સેવાઓ જરૂરિયાતમંદો વચ્ચે નિરંતર થતી રહે કે કરાતી રહે તેવા ઉદ્દેશ સાથે આ વર્ષે પણ તાજેતરમાજ રસિકભાઈ માધાભાઈ ગોંડલિયાએ તેમના જ્યેષ્ઠપુત્ર અંજનીશભાઈના જન્મદિવસે જેતપુર તાલુકાના ગામડાઓમાં રહેતા 36 કેન્સરગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને રૂપિયા 20-20 હજાર (7 લાખ, 20 હજાર)રોકડ સહાય કરી હતી. જે વાતનો અન્ય દાતાઓ ઘડો લ્યે અને સેવાઓની સુવાસ પ્રસરાવતા રહે તેવો અનુરોધ જેતલસર ગામના રસિકભાઈ ગોંડલિયા અને તેમના પુત્ર અંજનીશભાઈ સહિતના પરિવારજનો કરી રહ્યાં છે.
(કશ્યપ જે.જોશી, જેતલસર, જેતપુર..9974262812)

બુધવાર, 6 જાન્યુઆરી, 2016

Beautiful India

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Jan 6, 2016 8:43 PM
Subject: Beautiful India
To: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Cc:

Beautiful India


A Baptist Church in Alichen, Nagaland.

Nohkalikai Falls at Cherapunji, Meghalaya.
View from Ooty, Tamil Nadu.



Raigad Fort, Maharashtra.




Tea Gardens at Munnar, Kerala.

Kanchenjunga (8586m) viewed from Sandakphu, Sikkim.


Temple Tank, Bhoga Nandeeshwara temple, Karnataka.


Temple Tank , Bhoga Nandeeshwara temple, Karnataka.


Temple Tank, Bhoga Nandeeshwara temple, Karnataka.



Enroute to Kibber, Himachal Pradesh.


Nubra Valley, Ladakh, Jammu and Kashmir.


The blue range of mountains that run along the western coast of India.This shot was taken in mid May from Palivasal Tea Estate in Munnar, Kerala.



Kargil District, Ladakh, Jammu and Kashmir.




Kaveri river running through Hogenakkal, Tamil Nadu.




Lake Pichola , Udaipur , Rajasthan.


Chittorgarh Fort, Rajasthan.




Kumbalgarh Fort, Rajasthan.




Thirumalai Nayak Palace, inner courtyard, Madurai,Tamil Nadu.


The port city of Vishakhapatnam (Vizag for short), Andhra Pradesh.



Lake Palace, Udaipur, Rajasthan.





Eravikulam National Park, Kerala.




Tso-kyo Lake, Tawang, Arunachal Pradesh.




Valley of Flowers National Park, Uttaranchal.




Silent Valley, Palakkad, Kerala.




A boathouse on the placid backwaters of Kumarakom, Kerala.




A Cathedral in Thiruvalla, Kerala incorporating the features of a traditional Hindu Temple, a Mosque and a Church.




Munnar, Kerala.




Gaganachukki Falls, Mandya, Karnataka.





Vellore fort, Tamil Nadu.