જેતપુર : નવાગઢ નિવાસી સહજાનંદ ફરસાણવાળા ધીરજલાલ મોહનભાઇ પાદરિયા(ઉ.વ.55) તે મહેશભાઈ, કપિલભાઈ અને ચેતનાબેનના પિતા તેમજ ગીરીશભાઈ અને પ્રવિણભાઇના મોટાભાઈ તા.11.1. ના રોજ અવસાન પામ્યા છે.
કશ્યપ જે.જોશી જેતપુર 99742 62812
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
સોમવાર, 11 જાન્યુઆરી, 2016
અવસાન નોંધ..11.1.2016
2015_16 નો સ્ટુડન્ટ ઓફ ધી યરનો તાજ રૂપાલિને
2015_16 નો સ્ટુડન્ટ ઓફ ધી યરનો તાજ રૂપાલિને
જેતપુર :રાજકોટમાં સદગુરુ મહિલા કોલેજ અને એમ
જે.કુંડલીયા કોલેજના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં સ્ટુડન્ટ ઓફ ધી યર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જોડાયેલા 1200 વિદ્યાર્થીઓના એક પછી એક યોજાયેલા રાઉન્ડ દરમિયાન મૂળ જેતપુરના અને હાલ રાજકોટ રહેતા માનિષભાઈ(મુન્નાભાઈ) સગાલાની પુત્રી રૂપાલિએ સ્ટુડન્ટ ઓફ ધી યર 2015-16 નો તાજ જીતીને સમગ્ર જેતપુર, રાજકોટ અને સગાલા પરિવારનું ગૌરવ વધારેલ છે.
(કશ્યપ જે. જોશી,જેતપુર)
શનિવાર, 9 જાન્યુઆરી, 2016
જેતપુરમાં કિશોરનું ગળું ચિરતો પતંગનો દોરો..
જેતપુરમાં કિશોરનું ગળું ચિરતો પતંગનો દોરો..
જેતપુર તા.9
આજે સાંજે જેતપુરના અમરનગર રોડ પર એક કિશોરના ગળામાં પતંગનો દોરો ફસાઈ જતા કિશોરના વાલીઓ ભારે દોડધામમાં પડીને ખાનગી દવાખાને પોતાના પુત્રને સારવાર અપાવી હતી.
મળતી વિગતો મુજબ આજે સાંજે અહીંના અમરનગર રોડ પર ડોબરિયાવાડી બસસ્ટોપ નજીકથી પસાર થઇ રહેલ નરેશ નામના 14 વર્ષીય કિશોરના ગળામાં પતંગની દોરી ફસાઈ જતા તેમને લોહીલુહાણ હાલતમાં અહીંના ખાનગી દવાખાને સારવારમાં ખસેડાયો હતો..જ્યાં નરેશને ગળામાં 8 થી 10 ટાંકાઓ લેવાની સારવાર લેવી પડી હોવાનું જાણકારો કહે છે.
અમુક જાગૃત લોકોએ ત્યાં સુધી કહ્યું કે ગુજરાતના મોટાભાગના શહેરોમાં ચાઇનીઝ પતંગની દોરી વાપરવા પર લગભગ પ્રતિબંધ લદાયો છે. ત્યારે જેતપુરમાં પણ આ બાબતે સંબંધિતો કડક અમલવારી કરાવે તેવું પ્રજા ઇચ્છે છે.
કશ્યપ જે.જોશી જેતપુર
જેતપુરમાં આજે રવિવારના કાર્યક્રમો..કશ્યપ જોશી..
જેતપુરમાં આજે રક્તદાન શિબિર..
જેતપુર તા.9
જેતપુર મોટી હવેલીના યુવા વૈષ્ણવાચાર્ય પ્રિયંકરાયજીના આજે તા.10 ના રોજ જન્મદિન નિમિત્તે એમ.વાય.એમ.ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. અહીંના ભાદર રોડ પરની બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી ખાતે સવારના 9 થી 12 યોજાનાર આ શિબિરના ઉદ્ઘાટક તરીકે સ્થાનિક પોલીસ ઇન્સપેક્ટર એન.કે.વ્યાસ, મુખ્ય મહેમાનો તરીકે રાજ્યમંત્રી જયેશ રાદડિયા, મોટી હવેલી ઉત્સવ સમિતિના પ્રમુખ રાજુભાઇ પટેલ હાજર રહેશે. આ તકે રક્તદાન કરવા સંસ્થાના પ્રમુખ કિશોર કાકડીયા અને મંત્રી મનીષ ધ્રુવનો અનુરોધ છે...
જેતપુરમાં આજે સમર્પણ ગ્રુપ દ્વારા
અનેકવિધ કાર્યક્રમોના આયોજનો..
જેતપુર તા.9
માનવ હૃદયને સ્પર્શવાની ઝંખના સાથે શહેરમાં અવિરત સેવાઓ કરતી સંસ્થા સમર્પણ ગ્રુપનો પાયો નંખાયો તે વાતને 20 વર્ષ પૂર્ણ થતા, વીશ વર્ષની સેવાકીય સફરોને વાગોળવા તેમજ 21 માં વર્ષમાં મંગલ પ્રવેશને ઉજવવા આજે તા.10 ના રોજ અનેકવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમોના આયોજનો કરાયા છે.જૂની લોહાણા મહાજન વાડીમાં સાંજના 4.30 વાગ્યે યોજાનાર આ કાર્યક્રમોને માણવા રાજ્યમંત્રી જયેશ રાદડિયા, માજી ધારાસભ્ય જશુબેન કોરાટ વી.હાજર રહેનાર હોવાનું સંસ્થાના પ્રમુખ હરીશ મણિયાર વી. સભ્યોએ જણાવ્યું છે..
કશ્યપ જે. જોશી..જેતપુર..99742 62812
શુક્રવાર, 8 જાન્યુઆરી, 2016
જેતપુરમાં આવતીકાલે વિવિધ રોગોનો નિદાન કેમ્પ યોજાશે...
દસેક દિવસ પહેલા માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત જેતપુરના આધેડનું મોત...
જેતપુરના જેપુર ગામે યુવાનને ભરખી જતો વીજશોક જેતપુર તા.8
જેતપુરના જેપુર ગામે યુવાનને ભરખી જતો વીજશોક
જેતપુર તા.8
જેતપુર તાલુકાના જેપુર ગામે આજે પોતાની વાડીયે નાનું મોટું કામ કરતા ખાંટ યુવાનનું વીજશોકથી મોત થયાની ઘટનાથી નાનકડા એવા જેપુર ગામમાં શોક ફેલાયો છે. મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેપુર ગામનો ખાંટ યુવાન ભૂપત કાળું ગુજરાતી (ઉ.વ.28) આજે રાબેતા મુજબ પોતાની વાડીયે કામ કરી રહ્યો હતો. દરમિયાન ઇલેક્ટ્રિક વાયરને અડકી જવાથી તેમને બેભાન હાલતમાં નજીકના વિરપુરના સરકારી દવાખાને ખસેડાયો હતો. પણ ફરજ પરના તબીબી વર્તુળોએ ભૂપતને મૃત જાહેર કર્યો હતો. ગામનો જુવાનજોધ અને આશાસ્પદ યુવાનના અકાળે મોતના બનાવથી ખાંટ સમાજ ઉપરાંત જેપુરવાસીઓમાં શોક વ્યાપી ગયો છે. બનાવની વધુ તપાસ વીરપુર પોલીસના જમાદાર દાફડાએ હાથ ધરી છે. કશ્યપ જે. જોશી જેતપુર)
જેતલસર સ્થિત NRI ગૃહસ્થનું પ્રેરણાદાયી પગલું !!
જેતલસર સ્થિત NRI ગૃહસ્થનું પ્રેરણાદાયી પગલું !!
પુત્રના જન્મ દિવસે જેતપુર તાલુકાનાં 36 કેન્સરગ્રસ્ત
દર્દીઓને રૂ.20-20 હજાર સહાય ચુકવતા સરાહના..
(કશ્યપ જોશી) જેતલસર તા.7
આજે સૌરાષ્ટ્ર ગુજરાતમાં એવા અનેક દાનવીર મહાનુભાવો જીવી અને વસી રહ્યા છે કે તેઓની નાની મોટી સેવાઓ અન્યો માટે પ્રેરણારૂપ બની જતી હોય છે.
આવી જ વાતને મૂળ જેતલસર ગામના અને હાલ અમેરિકા ખાતે વ્યવસાય કરતા રસિકભાઈ ગોંડલિયા અક્ષરસઃ સાબિત કરી રહ્યા છે.
ખાસ કરીને ભારત દેશની બહાર રહીને પણ વતન પ્રત્યેનું સમયાંતરે અનન્ય ઋણ ચૂકવવાનું નહિં ચુકતા રસિકભાઈ છેલ્લાં લાંબા સમય થયા પ્રતિ દશેરાના દિવસે આખા ગામમાં ગરીબો અને જરૂરિયાતમંદોને મીઠાઇના બોક્સ પહોંચાડી રહ્યા છે.
તો છેલ્લાં 2 વર્ષ થયા રસિકભાઈ પોતાના પરિવારજનોની ખુશી જેતપુર તાલુકામાં વસતા કેન્સર પીડિતો વચ્ચે ઉજવીને આર્થિક સહાય કરી રહ્યાં છે. આ સેવા બાબતે આજે તેઓએ જણાવેલ કે હૂં કોઈ મોટા ગજાનો માણસ નથી, કે નથી મારે કોઈ ટ્રસ્ટ બનાવવું, મારા સત્કર્મો સમસ્ત દરેક સમાજના લોકો, દાતાઓ વચ્ચે પ્રેરણાત્મક બને અને તેવી સેવાઓ જરૂરિયાતમંદો વચ્ચે નિરંતર થતી રહે કે કરાતી રહે તેવા ઉદ્દેશ સાથે આ વર્ષે પણ તાજેતરમાજ રસિકભાઈ માધાભાઈ ગોંડલિયાએ તેમના જ્યેષ્ઠપુત્ર અંજનીશભાઈના જન્મદિવસે જેતપુર તાલુકાના ગામડાઓમાં રહેતા 36 કેન્સરગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને રૂપિયા 20-20 હજાર (7 લાખ, 20 હજાર)રોકડ સહાય કરી હતી. જે વાતનો અન્ય દાતાઓ ઘડો લ્યે અને સેવાઓની સુવાસ પ્રસરાવતા રહે તેવો અનુરોધ જેતલસર ગામના રસિકભાઈ ગોંડલિયા અને તેમના પુત્ર અંજનીશભાઈ સહિતના પરિવારજનો કરી રહ્યાં છે.
(કશ્યપ જે.જોશી, જેતલસર, જેતપુર..9974262812)
ગુરુવાર, 7 જાન્યુઆરી, 2016
જેતલસર સ્થિત NRI ગૃહસ્થનું પ્રેરણાદાયી પગલું !!
જેતલસર સ્થિત NRI ગૃહસ્થનું પ્રેરણાદાયી પગલું !!
પુત્રના જન્મ દિવસે જેતપુર તાલુકાનાં 36 કેન્સરગ્રસ્ત
દર્દીઓને રૂ.20-20 હજાર સહાય ચુકવતા સરાહના..
(કશ્યપ જોશી) જેતલસર તા.7
આજે સૌરાષ્ટ્ર ગુજરાતમાં એવા અનેક દાનવીર મહાનુભાવો જીવી અને વસી રહ્યા છે કે તેઓની નાની મોટી સેવાઓ અન્યો માટે પ્રેરણારૂપ બની જતી હોય છે.
આવી જ વાતને મૂળ જેતલસર ગામના અને હાલ અમેરિકા ખાતે વ્યવસાય કરતા રસિકભાઈ ગોંડલિયા અક્ષરસઃ સાબિત કરી રહ્યા છે.
ખાસ કરીને ભારત દેશની બહાર રહીને પણ વતન પ્રત્યેનું સમયાંતરે અનન્ય ઋણ ચૂકવવાનું નહિં ચુકતા રસિકભાઈ છેલ્લાં લાંબા સમય થયા પ્રતિ દશેરાના દિવસે આખા ગામમાં ગરીબો અને જરૂરિયાતમંદોને મીઠાઇના બોક્સ પહોંચાડી રહ્યા છે.
તો છેલ્લાં 2 વર્ષ થયા રસિકભાઈ પોતાના પરિવારજનોની ખુશી જેતપુર તાલુકામાં વસતા કેન્સર પીડિતો વચ્ચે ઉજવીને આર્થિક સહાય કરી રહ્યાં છે. આ સેવા બાબતે આજે તેઓએ જણાવેલ કે હૂં કોઈ મોટા ગજાનો માણસ નથી, કે નથી મારે કોઈ ટ્રસ્ટ બનાવવું, મારા સત્કર્મો સમસ્ત દરેક સમાજના લોકો, દાતાઓ વચ્ચે પ્રેરણાત્મક બને અને તેવી સેવાઓ જરૂરિયાતમંદો વચ્ચે નિરંતર થતી રહે કે કરાતી રહે તેવા ઉદ્દેશ સાથે આ વર્ષે પણ તાજેતરમાજ રસિકભાઈ માધાભાઈ ગોંડલિયાએ તેમના જ્યેષ્ઠપુત્ર અંજનીશભાઈના જન્મદિવસે જેતપુર તાલુકાના ગામડાઓમાં રહેતા 36 કેન્સરગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને રૂપિયા 20-20 હજાર (7 લાખ, 20 હજાર)રોકડ સહાય કરી હતી. જે વાતનો અન્ય દાતાઓ ઘડો લ્યે અને સેવાઓની સુવાસ પ્રસરાવતા રહે તેવો અનુરોધ જેતલસર ગામના રસિકભાઈ ગોંડલિયા અને તેમના પુત્ર અંજનીશભાઈ સહિતના પરિવારજનો કરી રહ્યાં છે.
(કશ્યપ જે.જોશી, જેતલસર, જેતપુર..9974262812)
બુધવાર, 6 જાન્યુઆરી, 2016
Beautiful India
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Jan 6, 2016 8:43 PM
Subject: Beautiful India
To: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Cc:
મંગળવાર, 5 જાન્યુઆરી, 2016
કશ્યપ જોશી જેતપુર
જેતપુર પાલિકાના માજી પ્રમુખનો આઈફોન
ચોરનાર નજીકનોજ યુવાન નીકળતા ચકચાર
જેતપુર તા.5
બે દિવસ પહેલા જેતપુરમાં માજી પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાનો આઈફોન ચોરનાર તેમનોજ મદદનીશ યુવાન નીકળતા ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ જેતપુર પાલિકાના માજી પ્રમુખ અને વર્તમાન સદસ્યા રમાબેન રામજીભાઈ મકવાણાએ પોતાનો રૂ.32 હજારનો આઈફોન પોતાના મકાનની બારીમાં ચાર્જીંગ માટે રાખ્યો હતો.
દરમિયાન કોઈ શખ્સ આ ફોન બારીમાંથી ઉઠાવી જતા આ બારાની શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
બીજીબાજુ રમાબેનનો મોબાઈલ તેમનીજ સાથે નાના મોટા કામમાં મદદરૂપ બનતાં સાગર નામના યુવાને ઉઠાવ્યો હોવાનું બહાર આવતા રામબેને પોલીસને જાણ કરતા પોલીસે સાગરની પૂછપરછ હાથ ધરી હોવાનું એક ટેલિફોનિક મુલાકાતમાં રમાબેને જણાવ્યું હતું.
કશ્યપ જોશી જેતપુર
જેતપુરની યુવતી ભેદી સંજોગોમાં ગૂમ..
જેતપુરની યુવતી ભેદી સંજોગોમાં ગૂમ..
જેતપુર તા.5
અહીંના નાઝાવાળા પરા વિસ્તારમાં રહેતા જ્યોતિબેન ધીરુભાઈ ઝાલા નામની મહિલાએ પોતાની યુવાન પુત્રી હેતલ સવારે કુદરતી હાજતે ગયા બાદ પરત નહિ ફરતા, ગૂમ થયાની શહેર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે.જોશી જેતપુર
જેતલસર જંક્શનમાં જુગાર દરોડો..
જેતલસર જંકશનમાં જુગાર દરોડો
જુગાર રમતા 5 પંટરો ઝડપાયા..
જેતપુર તા.5
જેતલસર જંક્શનના પોપટપરા વિસ્તારમાં આજે જાહેરમાં જુગાર રમતા જમાલ, હરેશ મનજી, નથુ પાલા, કાળું મનસુખ અને મુકેશ એમ 5 પંટરોને તાલુકા પોલીસ જમાદાર મજનુંભાઈ એ પકડી પાડ્યા હતા.
કશ્યપ જે. જોશી જેતપુર
જેતપુરમાં ચલણી નોટ નંબર પર જુગાર રમતા 3 પકડાયા.
જેતપુરમાં ચલણી નોટ નંબર પર જુગાર રમતા 3 પકડાયા.
જેતપુર તા.5
જેતપુરમાં આજે રાજકોટની લોકલ ફ્રાઇમ બ્રાંચે ચલણી નોટોના નંબર પર એકિબેકીનો જુગાર રમતા 3 ઇસમોને રોકડ રૂપિયા 26770 સાથે પકડી પાડ્યા હતા.
મળતી વિગતો મુજબ જેતપુરમાં કાણકિયા પ્લોટમાં આવેલ સવજીભાઈ કોરાટ શોપિંગ સેન્ટરમાં રોજ ચલણી નોટોના નંબર ઉપર જુગાર રમાતો હોવાની રાજકોટ લોકલ ફ્રાઇમ બ્રાન્ચના ભુરાભાઈ માલીવાડને બાતમી મળતા આજે તેઓએ શોપિંગ મોલમાં ત્રાટકતા ત્યાં ચલણી નોટોના નંબર પર પૈસાથી એકિબેકીનો જુગાર રમતા 3 શખ્સો પકડાઈ ગયા હતા..પકડાયેલ શખ્શોમાં બાવાજી ધર્મેશ ઉર્ફે કાનજી મગન ગોંડલિયા(રહે.આશાપુરા હોલ પાછળ, ગોંડલ), પટેલ જયેશ ઉર્ફે જલો રવજી ગોધસારા(રહે.નવાગઢ) તથા અશ્વિન નાનજી પંચાસરા(રહે.બોખલા દરવાજા, જેતપુર) નો સમાવેશ થતો હોવાનું ભુરાભાઈ માલીવાડે જણાવ્યું હતું.
કશ્યપ જે.જોશી જેતપુર
નવાગઢમાંથી વિદેશી શરાબની 172 બોટલ પકડાઈ
નવાગઢમાંથી વિદેશી શરાબની 172 બોટલ પકડાઈ
જેતપુર તા.5
ચોક્કસ બાતમીના આધારે જેતપુરના પોલીસ ઇન્સપેક્ટર વ્યાસે નવાગઢમાંથી વિલાયતી શરાબની 172 બોટલ પકડી પાડી હતી. જો કે વિક્રેતા નાશી છૂટવામાં સફળ થયો હોવાનું તપાસનીશ પીએસઆઈ સંઘાણીએ જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ નવાગઢના ખાટકીવાસ વિસ્તારમાં ફારૂક મહમદ ઘાચી-લાખાણીએ વેંચાણ માટે વિદેશી શરાબનો મોટો જથ્થો પોતાના ઘરમાં ઉતાર્યો હોવાની જેતપુર પોલીસના પીઆઇ એન.કે.વ્યાસને બાતમી મળતા તેઓએ પીએસઆઈ પી.બી.સંઘાણી સહિતના સ્ટાફને સાથે રાખી દરોડો પાડતા ફારુકના મકાનમાંથી રૂપિયા 51600 ની વિલાયતી શરાબની 172 બોટલ મળી આવી હતી. પોલીસે તે કબ્જે કરી ફારુકની શોધખોળ આદરી છે.. (કશ્યપ જે.જોશી જેતપુર)
જેતપુરમાં ગંદકીની માઝા યથાવત..તંત્રના કાગળ પર પડકારા..
જેતપુરમાં ગંદકીની માઝા યથાવત..તંત્રના કાગળ પર પડકારા..
જેતપુર તા.5
જેતપુર શહેરમાંથી ગંદકી હટવાનું નામ લેતી નથી..અગાઉ સ્વચ્છતા અભિયાનનું સૌએ ફોટો શેશન પૂરું કર્યું, હવે લત્તાવાસીઓ કચરો બતાવતા ફોટો પાડાવીને ગંદકી હટાવવાની માંગણીઓ દોહરાવી રહ્યા છે..ત્યારે ગંદકી હટાવ્યાના કાગળ પર હાકલા પડકારા કરનાર જેતપુર પાલિકાના સત્તાધીશો અહીંના કણકિયા પ્લોટમાં મહાકાળી ઇલેક્ટ્રિકવાળી શેરીમાં લટાર મારે તો ગંદકી હટાવવાની જેઓની જવાબદારી છે તેઓની બેદરકારી બહાર આવે તેમ છે..
(કશ્યપ જે.જોશી..જેતપુર)
સોમવાર, 4 જાન્યુઆરી, 2016
અવસાન નોંધ..જેતપુર..4.1.16
અવસાન નોંધ..જેતપુર..4.1.16
જેતપુર : નવાગઢ નિવાસી બાજ ખેડાવાળ બ્રાહ્મણ અનિરુદ્ધભાઈ પોપટભાઈ દવે તે રોહિતભાઈ(મીનુભાઈ) તથા બાલકૃષ્ણભાઈ (બનાભાઈ)ના પિતા તા. 4 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.7 ને ગુરુવારે, સાંજે 4થી6, તેમના નિવાસસ્થાન, સ્વામી વિવેકાનંદ સોસાયટી, સ્ટેટ બેન્ક રોડ, નવાગઢ ખાતે રાખેલ છે..
કશ્યપ જોશી જેતપુર 99742 62812
રવિવાર, 3 જાન્યુઆરી, 2016
જેતપુરમાં ભરવાડ યુવાન પર બિહારીનો તલવાર વતી હુમલો..
જેતપુરમાં ભરવાડ યુવાન પર બિહારીનો તલવાર વતી હુમલો..
જેતપુરમાં તલવાર વતી બિહારી શખ્શનો ભરવાડ યુવાન પર હુમલો...
જેતપુર તા.3
જેતપુરમાં આજે વહેલી સવારે સામાન્ય બોલાચાલી દરમિયાન એક બિહારી શખશે એક ભરવાડ યુવાન પર તલવાર વતી હુમલો કર્યાની જેતપુર શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુરના ગોંદરા વિસ્તારમાં રહેતો યુવાન રાજુ હમીર ટોળિયા ઉ.વ.35 આજે સવારે પોતાના વિસ્તારમાંથી નીકળતો હતો ત્યારે સામે મળેલ શિવો બિહારીએ ભૂતકાળની બોલાચાલી અને ઝગડાને તાજો કરી રાજુને જમણા હાથ ઉપર તલવાર વતી હુમલો કરતા રાજુને લોહીલુહાંણ હાલતમાં પ્રાથમિક સારવાર જેતપુર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે.
પોલીસે ઘટના સ્થળે દોડી શિવાને પકડવા પ્રયત્નો કરેલ પણ તે નાશી છૂટ્યો હતો..બનાવથી ભરવાડ સમાજમાં રોષ ફેલાયો છે..અત્રે એ નોંધનીય છે કે જેતપુરના સાડી કારખાનાઓમાં હજારો પરપ્રાંતીય મજૂરો બેરોકટોક મજૂરી કરી રહ્યા છે.ઘણા સમાજ સેવકોએ અનેક વખત પોલીસને રજૂઆતો કરી છે કે અહીં કોઈ પરપ્રાંતીય મજૂરોની વિગતો રાખવામાં આવતી ના હોય, આવા તત્વો કોઈ પણ ગુનો કરતા જરાય અચકાતા ના હોવાની અનેક ઘટનાઓ બની રહી છે.ત્યારે સંબંધિત કારખાનેદારો પરપ્રાંતીય મજૂરોના રજીસ્ટર મેઇન્ટેન્ડ કરી પોલીસને પહોંચાડે તો પોલીસને ગુનેગારોને પકડવામાં સરળતા રહે..
કશ્યપ જે.જોશી જેતપુર
સમાચારમાં કરેક્શન..સુધારો..
સમાચારમાં કરેક્શન..સુધારો..
આજે મારા દ્વારા કૃષિ મેળાના સમાચારમાં રાજ્ય મંત્રી જયેશ રાદડિયા ની અટકાયત એવું ભૂલથી લખાઈ ગયું હોવાનું મને અત્યારે માલુમ પડ્યું છે...
હકીકતમાં રાજ્ય મંત્રી જયેશ રાદાડિયાં ની હાજરીમાં કૉંગ્રેસી આગેવાનોની અટકાયત થઇ છે તેમ સમજવું..
હાજરીમાં શબ્દ ઉતાવળથી ભુલાઈ ગયો હતો..જે બદલ ક્ષમા બક્ષી હવેથી ધ્યાન રાખીશ તે વાત ધ્યાને લેવા વિનંતી છે.
કશ્યપ જોશી
જેતપુર..જેતલસર
જેતપુરમાં આજથી ક્રિકેટ ટુર્નામેન્ટ..
જેતપુરમાં આજથી ક્રિકેટ ટુર્નામેન્ટ..
જેતપુરમાં આજથી રાત્રી પ્રકાશ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન...
જેતપુર તા.3
એકતા ક્રિકેટ કલબ જેતપુર દ્વારા આજે તા.4.1. થી અહીંના જીમખાના મેદાનમાં ઓપન રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ શરુ થશે.જેમાં સૌરાષ્ટ્ર ભરની ટિમો જોડાશે તેવું સંસ્થાના મિતેશ ચૌહાણ જણાવે છે..આયોજકોએ એવું પણ જણાવેલ છે કે ચાલુ મેચ દરમિયાન પણ કોઈ ટીમોએ જોડાવું હોય તો જોડાઈ શકશે.
કશ્યપ જે. જોશી....જેતપુર.
જેતપુરમાં પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત...
જેતપુરમાં પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત...
જેતપુર નગર પાલિકા શહેરમાં પીવાના પાણીની સારી વ્યવસ્થા થઇ શકે તે માટે ઘણી જગ્યાએ પાણીના સ્ટોરેજ માટે ટાંકીઓ ઉભી કરવામાં આવી રહી છે. જે સુવિધાના ભાગરૂપે આજે મહાત્મા ગાંધી રોડ પર આવેલા પોલીસ સ્ટેશન પાછળ આવેલ ખડપીઠ વિસ્તારમાં વધુ એક પાણીની ટાંકીના કામનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યમંત્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે કરાયું હતું. જે વેળાએ પાલિકા પ્રમુખ શારદાબેન હરસુરભાઈ બારોટ, માજી ધારાસભ્ય જશુબેન કોરાટ, પાલિકા ઉપપ્રમુખ પ્રમોદભાઈ ત્રાડા, અરવિંદ વણઝારા, જેસુખ ગુજરાતી તથા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા..
ફોટો : કશ્યપ જે.જોશી જેતપુર 99742 62812

































