અનુયાયીઓ

બુધવાર, 30 સપ્ટેમ્બર, 2015

GONDAL TALUKA NA SULTANPUR NA PREES PHOTOGRAPHER KAMLESH RAVRANI NO AAJE JANMDIVAS....

GONDAL TALUKA NA SULTANPUR NA PREES PHOTOGRAPHER KAMLESH RAVRANI NO AAJE JANMDIVAS....

નવમાં દિવસે વૃદ્ધનું ઉપવાસ આંદોલન સમેટાયું





૭૦ દિવસમાં વાયુ પ્રદુષણ બંધ કરવાની તંત્રએ ખાતરી આપતા

નવમાં દિવસે વૃદ્ધનું ઉપવાસ આંદોલન સમેટાયું

ગુજ.પોલ્યુશન કંટ્રોલ કચેરી, ડાઈંગ એશોશીયેશન, અને મામલતદારે ઉપવાસીને પારણા કરાવ્યા !

 

જેતપુર તા.૩૦ (કશ્યપ જે. જોશી દ્વારા) 

જેતપુર શહેરમાં ધોરાજી રોડ પરના લગભગ ૧૫ જેટલા વિસ્તારોને કારખાનાઓની ચીમનીમાંથી નીકળીને ઉડતી કાળી ભુક્કીની સમસ્યાને હલ કરવા નવ નવ દિવસ થયા અનશન ઉપવાસ આંદોલન છેડનાર શહેરના વૃદ્ધને આજે શહેરના મોભી ઉદ્યોગપતિઓ, પ્રદુષણ નિવારણ તંત્ર અને મામલતદાર એમ સૌએ મળીને ધોરાજી રોડ પરની આ સમસ્યા આગામી ૬૦-૭૦ દિવસમાં નાબુદ કરી દેવાની ખાતરી આપતા, નવાગઢ સ્વામીનારાયણ મંદિરના બે સંતો મહંતોએ ઉપવાસીને પારણા કરાવતા આંદોલન સમેટાઈ ગયું છે.

 

મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પરના ૧૫ જેટલા વિસ્તારોની પ્રજાને આ વિસ્તારના અમુક કારખાનાઓની ચીમનીમાંથી ધુમાડાવાટે ઉડાડતી કાળી ભુક્કીની સમસ્યા વર્ષો થયા હેરાન પરેશાન કરતી હોય, અગાઉ જતીન દેગડા નામના યુવાને લાગતા વળગતા સત્તાધીસોને લેખિત ફરિયાદ કરી હતી કે, જેતપુરના ધોરાજી રોડની હજારો પ્રજા પર થઇ રહેલ પ્રદુષિત હવાઈ હુમલાને નહિ અટકાવાય તો આ વિસ્તારોની પ્રજાને હિજરત કરવી પડશે.

પણ આ રજુઆતને કોઈએ દાદ ના આપતા ફરિયાદી યુવાન નાશીપાસ થયો હતો. પણ ધોરાજી રોડ પર ના રહેતા હોવા છતાં આ પ્રશ્નને એટલેકે કાળી ભુક્કીના ત્રાસમાંથી ૧૫ વિસ્તારોની પ્રજાને છોડાવવા શહેરના ટાકુંડીપરા વિસ્તારમાં રહેતા વલ્લભભાઈ હીરાભાઈ આંબલીયાએ અનશન ઉપવાસ આંદોલન છેડીને સંબંધિતોને જાગતા કરી દીધા હતા.

 

છેલ્લા નવ નવ દિવસ સુધી ઉપવાસી છાવણીમાજ સુતા રહીને પોતાના ઉપવાસ આંદોલન પરત્વે અડગ રહેનાર વલ્લભભાઈએ આજે રામબાણ સમું આત્મવિલોપનનું શસ્ત્ર ઉગામી લાગતા વળગતા તમામને લિખિતમાં જણાવ્યું હતું કે આ પ્રશ્ન ના હલ કરાઈ તો તેઓ આગામી ગાંધી જયંતીના દિવસે બીજી ઓક્ટોબરે જેતપુર તાલુકા સેવા સદનની ૪ માળની બિલ્ડીંગ પરથી પડતું મૂકી, કુદકો મારી આત્મવિલોપન કરશે, જેની જવાબદારી રાજ્ય સરકાર, રાજકોટ જીલ્લા અધિકારી અને જેતપુરના મામલતદારની રહેશે !

 

બસ ઉપવાસી વૃદ્ધ બાપાની આવી ચીમકીથી શહેરભરમાં ગરમાવો આવ્યો હોય તેમ પ્રથમ તો પોલીસે ઉપવાસીની ૧૫૧ હેઠળ અટકાયત કરતા ઉપવાસી મામલતદાર કચેરી પર છૂટ્યા હોવાનું જેતપુર પોલીસના પીએસઓ ડાયાભાઇ પારધીએ જણાવ્યું હતું.

 

બીજીબાજુ ઉપવાસી પોતાના આંદોલન બંધ કરવાની વાતમાં ટસ સે મસ ના થતા શહેરભરના ઉદ્યોગપતિઓએ ઉપવાસીની કમજોર કડી શોધી કાઢી સ્વામીનારાયણ મંદિર નવાગઢના સંતો મહંતોને મેદાનમાં ઉતારતા ગુરુઓની આજ્ઞાઓનું પાલન કરી ઉપવાસી વલ્લભભાઈએ પોતાનું આંદોલન સમેટી લીધું હતું. આ તકે નવાગઢના સ્વામીજીઓ ધર્મસ્વરૂપદાસજી સ્વામી, હરીપ્રસાદદાસજી સ્વામી, જેતપુર ડાઈંગ એશો.ના રાજુભાઈ પટેલ, જેન્તીભાઈ રામોલીયા, ધીરુભાઈ રાણપરીયા, દીપુભાઈ જોગી, પ્રદુષણ નિયંત્રણ કચેરી જેતપુરના એમ.એલ.શુક્લા, મામલતદાર ભોરણીયા, મહેશ ડોબરિયા, વિગેરેએ ઉપવાસી વલ્લભભાઈને પહેલા લીંબુ પાણી પીવડાવી, પારના કરાવી અને પછી લાડવા અને પેંડા ખવડાવી  મો મીઠું કરાવી આંદોલન સમેટાવ્યું હતું.

 

બોક્સ: ખાતરીમાં કઈ ચાર બાબતો સમાવાઈ ?

જેતપુર : શહેરના ઉદ્યોગપતિઓ અને પ્રદુષણ નિયંત્રણ કચેરીના અધિકારીઓ તેમજ મામલતદાર વિગેરેની સહીઓ દ્વારા ઉપવાસીને લેખિતમાં અપાયેલી ખાતરીમાં જણાવ્યું હતું કે, જે જે કારખાનાઓમાં હવા પ્રદુષણ ફેલાવતા સાધનો નહિ હોય તેઓની સામે કાયદેશરની કાર્યવાહી હાથ ધરાશે. સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડીયાએ જણાવ્યા મુજબ શહેરમાં વહેલી તકે ગેસ આધારિત યોજના અમલમાં મુકનાર હોય, કોઈ કારખાનામાં આવી સમસ્યા નહિ રહે, ૬૦ થી ૭૦ દિવસમાં શહેરના પ્રત્યેક કારખાનાઓમાં હવા પ્રદુષણ નિયંત્રણ સાધનો લગાવાશે. તેમજ સમગ્ર જેતપુરના પ્રજાના હિતમાં આંદોલન સમાપ્ત કરાયું છે.

 

બોક્સ: અમારો મોરચો ચાલુ રહેશે, આજે ઢોલ વગાડાશે !

જેતપુર તા.૩૦

જેતપુરની આ સમસ્યાના પ્રથમ ફરિયાદી એવા જતીન દેગળાએ આજે કોરા કાગળમાં મળેલી ખાતરીનો વિરોધ કરી, જણાવેલ કે આ યોગ્ય વાત છે, તેઓ આવતીકાલ તા.૧ ના રોજ ધોરાજી રોડ પરના વિસ્તારોમાં સાંજે ઢોલ વગાડી કાળી ભુક્કીની સમસ્યામાં કોણ જોડવા તૈયાર છે ? તેનો તાગ મેળવી આંદોલન ચાલુ રાખશે તેવું જણાવે છે.

કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

 


મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2015

JETPUR AVSAAN NONDH 29-9-2015 અવસાન નોંધ : જેતપુર : તા.૨૯-૯-૨૦૧૫

અવસાન નોંધ : જેતપુર : તા.૨૯-૯-૨૦૧૫

જેતપુર: જુનાગઢ નિવાસી બ્રહ્મક્ષત્રીય પ્રભુદાસભાઈ હરજીવનદાસભાઈ વાઢેર(ઉ.વ.૮૦) તે સ્વ.રમણીકભાઈના મોટાભાઈ, મુનીષભાઈ રમણીકલાલ વાઢેરના ભાઈજી તા. ૨૬ નારોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૧-૧૦. ને ગુરુવારે, સાંજે ૫ થી ૬, મોતીવાલા બિલ્ડીંગ, બ્લોક નંબર ૧૦૪, ફૂલવાડી ભાદર રોડ, જેતપુર ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨


સોમવાર, 28 સપ્ટેમ્બર, 2015

જેતપુરના ધોરાજી રોડ પરના અનેક વિસ્તારો વાયુ પ્રદુષણના અજગર ભરડામાં ??! અનસન ઉપવાસ આંદોલનના ૭ માં દિવસમાં પ્રવેશેલા વૃદ્ધની ફરિયાદ બહેરા તંત્રના કાને અથડાઈ પાછી ફરે છે !?

જેતપુરના ધોરાજી રોડ પરના અનેક વિસ્તારો વાયુ પ્રદુષણના અજગર ભરડામાં ??!

અનસન ઉપવાસ આંદોલનના ૭ માં દિવસમાં પ્રવેશેલા 

વૃદ્ધની ફરિયાદ બહેરા તંત્રના કાને અથડાઈ પાછી ફરે છે !?

 જેતલસર તા. ૨૮ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના ધોરાજી રોડ પરના અનેક સંલગ્ન વિસ્તારોને વાયુ પ્રદુષણથી મુક્ત કરાવવાની માંગ સાથે અહીના વલ્લભભાઈ આંબલીયા નામના વૃદ્ધે છેડેલ અનસન ઉપવાસ આંદોલનના આજે ૭ માં દિવસે પણ તેઓને માત્ર લુખ્ખા વચનોજ મળ્યા હોવાનો એક આક્ષેપ મુલાકાત દરમિયાન વલ્લભભાઈએ ઉચ્ચાર્યો હતો.

 

મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પર આવેલા વિરાશક્તિ આશ્રમ, પટેલ નગર, ધરમ વાડી, તીરુપત્તી બાલાજી, નયન પાર્ક, પંચવટી સોસાઈટી, સુદામા નગર, પંચમીયા હોસ્પિટલ વિસ્તાર, હાજી દાઉદ હોસ્પિટલ વિસ્તાર વેગેરે લતાઓની પ્રજા વર્ષો થયા અમુક સાડી એકમોની બેધારી નીતિને કારે ફેલાતા વાયુ પ્રદુષણના અજગર ભરડામાં આવી ગઈ હોય, આવું વાયુ પ્રદુષણ તાત્કાલિક બંધ કરાવવાની માંગ સાથે અહીના વલ્લભભાઈ એચ. આંબલીયા નામના વૃદ્ધે મામલતદાર કચેરી પાસે માંડવો નાખી અનસન ઉપવાસ આંદોલન છેડ્યું છે.

 

આ વાતને આજે સાત સાત દિવસ થઇ ગયા હોવા છતાં આ પ્રશ્ન હાલ કરાવવાની જેઓની જવાબદારી છે તેઓ રીતસરની સંતા કૂકડી રમતા હોય, કોઈ આગળની કાર્યવાહી ના કરતા હોવાનો ઉપવાસીનો આક્ષેપ છે. આ તકે ઉપવાસીએ એમ પણ જણાવેલ કે સ્થાનિક પાણી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના કાર્યવાહોકોએ તેમની છાવણીની મુલાકાત લઇ આગામી તા.૧૫-૧૦. સુધીમાં યોગ્ય કરવાની ખાતરી આપી છે. પણ તેઓએ પા.પ્ર.ની.બો.કચેરીના સત્તાધીશોને એવું જણાવેલ કે ૧૫-૧૦ સુધીમાં આ સમસ્યા હલ થઇ જશે તો તેઓ તા.૧૬-૧૦. થી ઉપવાસ આંદોલન સંકેલી લેશે.

 

અત્રે એ નોંધનીય છે કે ભૂતકાળમાં જતીન દેગડા નામના યુવાને પણ આ બારાની લગભગ તમામ લાગતાવળગતા સત્તાધીશોને લેખિત રજુઆતો કરી હતી. પણ કોઈ ન્યાયી જવાબ ક્યાયથી તેમને મળ્યો ના હતો, હવે વલ્લભભાઈ આમ્બલીયાએ આ પ્રશ્ન હાથમાં લઇ ગાંધીગીરી ચાલુ કરી છે. સમયજ બતાવશે કે આ ઉપવાસીનું કોઈ સાંભળશે કે નહિ ??

 

બોક્સ: સમસ્યા શું છે ?

જેતપુર: વર્તમાન ઉપવાસી વલ્લભભાઈ તથા અગાઉ રજૂઆત કરનાર જતીન એમ બંનેનું કહેવું છે કે શહેરના ધોરાજી રોડ પણ અનેક સાડીના એકમો આવેલા છે. આ તમામ કારખાનાના બોઇલરની ઉંચી ચીમનીઓમાંથી ઝેર ઓકતો ધુમાડો ઝેરી વાયુ પ્રદુષણ ફેલાવી રહી હોય આ રોડ પર રહેનાર ઉપરોક લત્તાવાસીઓ ત્રાસી ગયા છે. જાણકારો કહે છે સાડી કારખાનાઓના બોઈલરોમાં લિગ્નાઈટના વપરાશ સામે હાઇકોર્ટે સદંતર પાબંધી ફરમાવી માત્ર બાયોકોલ વાપરવાની છૂટ આપી છે. જેતપુર ડાઈંગ એશોશીયેશન સુત્રોએ પણ કોર્ટની આ ગાઈડલાઈન સખ્તપણે પાળવાની તમામ કારખાનેદારોએ સૂચનાઓ આપી દીધી છે. આમ છતાં અમુક કારખાનેદારો પોતાનું ધાર્યું કરતા હોય અહી કાળા ધુમાડાનો અને ઝેરી વાયુ પ્રદુષણનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે.

 

બોક્સ: મહિલાઓ કાળઝાળ ! આવો અમારા મકાનની છત ઉપર ખબર પડે, શું તકલીફ છે ?

જેતપુર : વાયુ પ્રદુષણ પ્રશ્ને ૭ દિવસ થયા અનસન ઉપવાસ આંદોલલન છેડી ચુકેલા શહેરના વૃદ્ધ વલ્લભભાઈ આંબલીયાની હિંમતને ધન્યવાદ આપવા અને તેમના આંદોલનને સમર્થન આપવા અહી રોજ ધોરાજી રોડ પર રહેતી મહિલાઓના ટોળા આવે છે. અને મામલતદારને રજુઆતો કરે છે કે સાહેબ, આવો અમારા રહેણાંક મકાનોની અગાસીઓ પર, સવારે ઉઠીને જુઓ તો કાળી ભૂકીની ચાદર છવાઈ ગઈ હોય છે, અમારે અમારા મકાનોની અગાશીમાં રાત્રીના કે દિવસના હરવું, ફરવું, સુવું કે બેસવું કઠીન થઇ ગયું છે. અગાસીઓ પર વસ્ત્રો સુકવી નથી શકાતા, મકાનોના બારી બારણા ઉપર કાળી મેશ લાગી જતી હોય સાફ કરી કરીને થાકી જઈએ છીએ. પણ આવી રોજીંદી તકલીફ, સમસ્યા હવે સહન નાં થતી હોય, આ પ્રશ્ન તાકીદે હલ કરવો જરૂરી છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર

 

 

 

 

આમાં કચરો કેમ નાંખવો ??

જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં આજે એક ડસ્ટબિન ઉંધે માથે રખડતું જોવા મળ્યું હતું. આ ડસ્ટબિન ઉપર લખેલ છે કે ''કચરો મને આપો '' પણ આ કચરા પેટીની આવી હાલત જોઇને તેમાં કચરો નાંખવા ઇચ્છતો મુસાફર પણ ગુસ્સામાં આવીને કચરો બહાર ફેંકી મનમાં એવું બબડી રહ્યો છે કે આમાં કચરો કેમ નાંખવો ? સંબધિત તંત્ર એ આવી ડસ્ટબિન મૂકી તે એક સ્વચ્છતા અભિયાનનો ભાગ ગણાવી શકાય, પણ તેની જાણવણી તો તંત્રની જ ગણાય કે બીજા કોઈની ? રામ જાને !!!

(ફોટો લાઈન : કશ્યપ જોશી જેતપુર )

 

જેતપુર તાલુકાના ઉમરાળી ગામે ખેડૂત શિબિર  યોજાઈ : ૨૦૦ ખેડૂતોએ સમજણ પ્રાપ્ત કરી..

જેતપુર તા. ૨૮

 

જેતપુર તાલુકાના ઉમરાળી ગામે તાજેતરમાં એક ખેડૂત શિબિર યોજવામાં આવી હતી. જેનો ૨૦૦ ખેડૂતોએ રસપૂર્વક લાભ લીધો હતો. જીએસએફસીના કે.જી.કોરાટ, એચ.એલ. ગીનોયા, વી.જે. વાછાણી, ખુંટ, ડી.એમ.વાળા, કટારીયા વિગેરેએ ગામના સરપંચ જયેશભાઈ સાવલિયા સહિતના ખેડૂતો અને ગ્રામજનોની હાજરીમાં ગામના જગદીશભાઈ રાંક દ્વારા ટપક પધ્ધતિથી વાવેતર કરાયેલ તરબૂચના પાકનું વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.  આ સિવાય કૃષિ અધિકારીઓએ બાગાયત ખેતીની સમજણ, કપાસમાં આવતી ગુલાબી ઈયળને અટકાવવાના ઉપાયો, રાસાયણિક ખતરો વિશેની માહિતી,  જમીનમાં ખૂટતી ઉણપને કેમ દુર કરવી વિગેરે બાબતે અસરકારક માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિરનો ઉમરાળી ઉપરાંત ત્રાકુડા, આંબરડી, મેવાસા અને હરીપર વિગેરે ગામોના ખેડૂતોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર

 

 

રવિવાર, 27 સપ્ટેમ્બર, 2015

અવસાન નોંધ : જેતલસર : ૨૭-૯-૧૫




અવસાન નોંધ : જેતલસર : ૨૭-૯-૧૫

            

જેતલસર : મૂળ ધંધુસર હાલ જેતલસર નિવાસી


મેર રાજાભાઈ ગીગાભાઈ થાપલીયા(ઉ.વ.૬૬) તે અર્જુનભાઈ(પેઇન્ટર), હમીરના પિતા, રામભાઈ, 


લખુભાઈ અને વિક્રમભાઈના મોટાભાઈ તા.૨૫ નારોજ અવસાન પામેલ છે. બેસણું તા.૧.૧૦. ને ગુરુવાર 


નારોજ તેમના નિવાસસ્થાન, ગાયત્રીનગર, ડેડરવા રોડ, જેતલસર ખાતે રાખેલ છે.

    

(કશ્યપ જે. જોશી જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨ )

--------------------------------------------------------------

અમરનગરની પરિણીતા ભેદી સંજોગોમાં ગુમ

જેતપુર તા.૨૭

જેતપુરના અમરનગર ગામે જુના વણકરવાસમાં રહેતી પ્રીયંકાબેન મનોજભાઈ પરમાર(ઉ.વ.૨૮) નામની પરિણીતા તા. ૨૬ ના રોજ બપોરના ૨ થી ૫ વાગ્યા દરમિયાન પોતાના ઘરેથી ભેદી સંજોગોમાં ગુમ થઇ છે. પતિ મનોજ ખોડા ગોહેલની જાણ પરથી જેતપુર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

       કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨






 



 

શનિવાર, 26 સપ્ટેમ્બર, 2015

જેતપુરમાં અન્નકૂટ દર્શન :

જેતપુરમાં અન્નકૂટ દર્શન :


જેતપુરમાં બાવાવાળાપરા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૧ મી વખત સફળ ગણેશોત્સવ ઉજવાઈ 


રહ્યો છે. ચોરા પાસે યોજાતા અને સ્થાપન કરેલ ગણેશ મહોત્સવ સ્થળે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં 


આવ્યું હતું જેનો લાભ લેતા ભાવિકો દેખાય છે. ફોટો : કશ્યપ જે. જોશી જેતલસર (જેતપુર)


જેતપુરની દેસાઈવાડી વિસ્તારના સંસ્કારધામ પાસેજ ખદબદતી ગંદકીથી વાલીઓ ત્રાહિમામ !

સફાઈ અભિયાનો હાથ ધરાયા પણ માત્ર કાગળ ઉપર
જેતપુરની દેસાઈવાડી વિસ્તારના સંસ્કારધામ 
પાસેજ ખદબદતી ગંદકીથી વાલીઓ ત્રાહિમામ !
જેતલસર તા.૨૬   (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં અત્યાર સુધી જે સફાઈ અભિયાનો હાથ ધરાયા તે માત્રને માત્ર કાગળ
ઉપરની કામગીરીરૂપ પબ્લીસીટી સ્ટંટ સાબિત થઇ હોય તેમ અહી ઠેર ઠેર ગંદકીના
ગંજ ખડકાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
આવા ગંદકીના સામ્રાજ્યમાં હવે શહેરના અમુક સંસ્કારધામો પણ બાકાત નથી તેની
ગવાહી આ તસ્વીર પૂરી પાડે છે. શહેરના દેસાઈવાડીમાં આવેલ ચભાડિયા સ્કુલ
સામેજ જમા થતી ગંદકીથી આ શાળાએ પોતાના ભૂલકાઓને લેવા, મુકવા આવતા વાલીઓ
પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાની ફરિયાદો મળી રહી છે. જાણકાર લોકો કહે
છે કે શાળા સામે જમા થયેલી ગંદકીથી અમોને ચિંતા એ વાતની થઇ રહી છે કે
''અમારા ફૂલની કળી સમા બાળકોને ઉપરોક્ત શાળાએ સંસ્કારોના સિંચન માટે
મોકલી રહ્યા છીએ, પણ ક્યાંક રોગનો ભોગ નાં બની જાય !!'' ત્યારે જેતપુર
નવાગઢ નગરપાલિકા ના લાગતા વળગતા સત્તાધીસો તાત્કાલિક ઉપરોકત શાળા પાસે
પહોંચી ગંદકી દુર કરે તે જરૂરી છે.
                                                                                                     ફોટો : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

virpurma sagir putri par balaatkaar gujarnaar tahomatdaar kalu solanki photo by kashyap joshi jetpur

પવિત્ર ધામ વીરપુરને કલંકિત કરતી ઘટના બનતા સર્વત્ર ચકચાર !
સગી પુત્રી પર નરાધમ પિતાનો બળાત્કાર
દેવીપૂજક માતાએ હિંમત કેળવી બીજા ભરથારના કાળા કામો પોલીસ થાણે જઈ
વર્ણવતા પોલીસ પણ ધ્રુજી ગઈ ! ફોજદાર ગોહિલે બળાત્કારી પિતાને ગણતરીની
કલાકોમાજ ઝડપી લીધો !
photo kashyap joshi jetpur

ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2015

KASHYAP J.JOSHI JETALSAR JETPUR

 

 

કોઇમ્બતુર ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં

જોડતા જેતપુરના અગ્રણી શિક્ષણશાસ્ત્રી હિરેન વ્યાસ

જેતપુર તા.૨૪ (કશ્યપ જોશી દ્વારા)

તાજેતરમાં કોઇમ્બતુર ખાતે યોજાયેલ ત્રીજી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઇન્ટરનેશનલ માર્કેટિંગ ઇન એશિયા પેસિફિક ઇસ્યુસ એન્ડ ચેલેન્જીસ-૨૦૧૫ સમગ્ર વિશ્વના ડેલીગેટ્સ જોડાયા હતા. ગ્લોબલાઈજેસન ઇનોવેશન અંગેની આ કોન્ફરન્સમાં અમેરિકા, ઓસ્ટ્રેલીયા, જાપાન, કેનેડા, ફ્રાંસ, મલેશિયા અને ભારતના એમ છ દેશોના ખ્યાતનામ મહાનુભાવોએ કીનોટ સ્પીકર્સ તરીકે વ્યાખ્યાનો આપ્યા હતા. આ તકે ગુજરાતના જાણીતા શિક્ષણશાસ્ત્રી હિરેનભાઈ વ્યાસ(જેતપુર)એ  શિક્ષણના વૈશ્વિક પ્રવાહો પર વ્યાખ્યાન રજુ કરી જેતપુરનું નામ રોશન કર્યું હતું. જયારે મારવાડી કોલેજના મેનેજમેન્ટ ફેકલ્ટીના દિન ડો.ચિન્મય રેડીએ ફાઈનાન્સ અંગે સ્પીચ આપી હતી.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર

 

 

જેતપુર નજીકના છાપરવાડી નદી-ડેમ વિસ્તારમાં ગેરકાયદે ચાલતા

સાડી ધોલાઈઘાટો બંધ કરવા મેવાસાના ખેડૂતોનું મામલતદારને પા.પ્રદુષણ તંત્રને આવેદન

જેતપુર તા.૨૫   (કશ્યપ જોશી દ્વારા)

 

જેતપુર તાલુકાના મેવાસા ગામના ખેડૂતોએ આજે જેતપુર દોડી આવી છાપરવાડી ડેમ અને નદીમાં પ્રદુષણ ફેલાવતા ગેરકાયદેસર સાડી ધોલાઈ ઘાટો તોડી પાડવાની માંગ કરી મામલતદાર અને પાણી પ્રદુષણ તંત્રને આવેદનો આપ્યા હતા.

 

મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના મેવાસા ગામના નીલકંઠ બરવાળીયા સહિતના ખેડૂતો આજે જેતપુર દોડી આવી મામલતદાર ભોરણીયા અને પાણી પ્રદુષણ કચેરી સુત્રોને આપેલા આવેદનમાં જણાવેલ કે છાપરવાડી ડેમ અને છાપર વાડી નદીની આજુબાજુ ગેરકાયદેસર ધમધમતા સાડધોલાઈ ઘાટોનાપ્રદુષિત પાણી ડેમ અને નદીના પાણીને પણ પ્રદુષિત કરતા હોય તાત્કાલિક બંધ કરવા જરૂરી છે. અરજદાર નીલકંઠ બરવાળીયાએ એવો આક્ષેપ કર્યો હતો કે આજથી એક થી દોઢ માસ પહેલા પણ આ બારાની રજુઆતો કરી હતી. પણ આ વાતનો કોઈ નિવેડો નાં આવ્યો હોય, છાપરવાડી ડેમ અને નદીના પાણી ભયંકર પ્રદુષિત થઇ રહ્યા છે.

અરજદારે એવું પણ જણાવેલ કે અગાઉ તમના દ્વારા રાજ્યના મુખ્ય મંત્રીને પણ આ બારામાં રજુઆતો કરવામાં આવતા મુખ્યમંત્રીના કાર્યાલયેથી ઉપસચિવે આ પ્રશ્ને વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવને મોકલી ફરીયાદવાળી જગ્યાએ ગેરકાયદેસર રીતે ચાલતા સાડીધોલાઈ ઘાટો, સોફરો બંધ કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

જ્યારે વન અને પર્યાવરણ તંત્રએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને આ પ્રશ્ન હલ કરવા આધેશો કર્યા છે, પણ સરકારના આવા હુકમોને સંબંધિતો ઘોળીને પી ગયા હોય તેમ આજની તારીખે ગેરકાયદેસર સાડીધોલાઈ ઘાટ સંચાલકો પ્રદુષિત પાણી છાપરવાડી ડેમ અને નદીમાં છોડી કુદરતના જળ જીવોને નાશ કરવા પ્રયાશો કરી રહ્યા છે.

 

 

બોક્સ: પાણી પ્રદુષણ તંત્રનો ઘાટ બંધ કરવા હુકમ...

જેતપુર : જેતપુર સ્થિત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના કાર્યવાહકોએ જણાવેલ કે અરજદારની રજૂઆત અન્વયે જીપીસીબી ગાંધીનગર દ્વારા જેતપુર તાલુકાના મેવાસા ગામે ગેરકાયદેસર ચાલતા અને ચલાવાતા સાડીધોલાઈ ઘાટ માલિક મનજી ડાયા સરવૈયાએ પોતાનો ધોલાઈઘાટ દિવસ ૧૫ માં બંધ કરવા હુકમ કરાયો છે. એટલુજ નહિ જીપીસીબીએ આ જગ્યાએ વીજ પુરવઠો અને પાણી પુરવઠો પણ કાપી(ઠપ્પ)કરી દેવાનો સંબંધિતોને હુકમ કર્યો છે.  જો આમ કરવામાં ઘાટ સંચાલક નિષ્ફળ નીવડશે તો પાણી અધિનિયમ ૧૯૭૪ ની કલમ ૪૧(૨) મુજબ ઘાટ સંચાલક અને તેમને સ્પર્શતા જવાબદા અધિકારીઓ કોર્ટમાં ફરિયાદ કરવાને પાત્ર ઠરશે તેવો જીપીસીબીના વરિષ્ઠ પર્યાવરણ ઈજનેર આર.વી.પટેલે હુકમ કર્યો છે.

 

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર જેતપુર

 

 

 

જેતપુરના વાલીમંડળનું મામલતદાર-પોલીસ અને ડીઈઓને આવેદન

સ્કુલ સંચાલકો બાળકોની સલામતી નહિ જુએ તો

દેવ જેવા બાળકોના અપહરણ થતા રહેશે !!?

જેતપુર તા.૨૪  (કશ્યપ જોશી દ્વારા)

 

જેતપુરમાંથી એક પાંચ વર્ષના વિદ્યાર્થી દેવ પટેલના અપહરણની ઘટનાને ધ્યાને લઈને જેતપુરની તમામ શાળા સંચાલકો પોત પોતાના વિદ્યાર્થી બાળકોની વિશેષ સલામતી માટે અસરકારક પગલાઓ શરુ કરાવે તેવી જેતપુરના વાલીમંડળે સ્થાનિક મામલતદાર, પોલીસ અને જીલ્લા શિક્ષણધીકારીને આવેદન પાઠવી રજુઆતો કરી છે.

 

જેતપુર વાલીમંડળના જીતુભાઈ લાડવા, મહમદભાઈ સાંધ, શૈલેશ સાવલિયા, જાતિન દેગડા, વિનોદ જોશી અને મહેશ ભેડા સહિતના વાલીમંડળે સ્થાનિક મામલતદાર, પોલીસ અને રાજકોટ જીલ્લા શિક્ષણધીકારીને આવેદનો આપી જણાવ્યું છે કે જેતપુરમાં તમામ શાળા સંચાલકો તેમના બાળકોને સંબધિત વાહનમાં છેક ઘર સુધી મુકવા જવાની વાહન ચાલકોને સુચના આપે, વિદ્યાર્થી બાળકોના રક્ષણ માટે દરેક શાળાના મેદાનમાં પણ સીસી કેમેરા ગોઠવે, તમામ શાળાઓમાં સિક્યુરીટી ગાર્ડ ફરજીયાત રાખવામાં આવે, શાળામાં ચાલતા વાહનોના નંબર્સ, ચાલકના તમામ નામ, સરનામાં જેવા આધારો લેવા, આરટીઓમાન્ય સ્કુલવેન કે રીક્ષાઓ રાખવી, વાલીઓએ પણ આવા વાહન ચાલકોના નામ, મોબાઈલ નંબરો રાખવા, તેમજ પોત પોતાની શાળાઓમાં ચાલતા વાહન ચાલકો બાળકોને ઘેટા બકરાની માફક ના બેસાડે વિગેરે સુચારુ નિયમો, આદેશો, પ્રથાઓ ચાલુ કરે તે જરૂરી છે. અન્યથા જેતપુરમાં જેમ તાજેતરમાજ દેવ પટેલ નામના શિશુનું અપહરણ થયું તેમ અન્ય બાળકોની પણ સલામતી જોખમાતી રહેશે તેવું જેતપુરના વાલમંડળ નું કહેવું છે.

કશ્યપ જે. જોશી જેતલસર – ૯૯૭૪૨ ૬૨૮૧૨  

 

 

 

મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2015

અવસાન નોંધ

અવસાન નોંધ : 
જેતલસર : છગનભાઈ સીદીભાઇ ઠુંમર(રી.રેલવે કર્મચારી) તે કૈલાશભાઈ(સીટીઆઈ-રેલ્વે રાજકોટ), વિપુલભાઈ(લોકો પાઈલોટ -અમદાવાદ)ના પિતા તા.22 ના રોજ અવસાન પામેલ છે.બેસણું તા.24 ને ગુરુવારે, સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન, બાલકેશ્વર મંદિર પાસે, જેતલસર જંકશન ખાતે રાખેલ છે.
                                                         કશ્યપ જે. જોશી જેતલસર 9974262812


સોમવાર, 21 સપ્ટેમ્બર, 2015

જેતપુરમાંથી વિલાયતી શરાબની 6 બોટલ પકડતી પોલીસ

જેતપુરમાંથી વિલાયતી શરાબની 6 બોટલ પકડતી પોલીસ 
જેતલસર તા.21
જેતપુર શહેર પોલીસના પોલીસમેન મનીષભાઈ વરુએ આજે સાંજે ફૂલવાડી એ/6 માં રહેતા રાજુ ઇન્દુલાલ નામના યુવાનના ઘરમાં દારુ દરોડો પાડી રૂપિયા 1800 ની કિમતની વિલાયતી શરાબની 6 બોટલ જપ્ત કરી હતી. જયારે રાજુ નાશી છૂટ્યો હોય તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

જેતપુરમાં માત્ર 2 મીમી 
ભાદર ડેમની સપાટી 32 ફૂટે પહોંચી 

જેતલસર તા.21
આજે આખો દિવસ ઝરફરાટ પડેલા વરસાદથી માત્ર 2 મીમી પાણી પડ્યું હતું.
જ્યારે ભાદર ડેમની સપાટી અત્યારે ફીટ 32 ફૂટે પહોંચી છે. ડેમ વિસ્તારમાં રાત્રીના અનરાધાર વરસાદ પડી જાય તો ભાદર ડેમ છલકાવાની શક્યતાઓ નકારી ના શકાય તેવું જેતપુર સ્થિત ભાદર ઈરીગેશન સુત્રો જણાવે છે.'
                                                                                                                                                        કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

જૈન મંદિરમાં ઘુસતા હોવાની રાવ પાલિકા તંત્ર છેલ્લા 1 વર્ષ થયા ધ્યાને લેતું ના હોવાનો આક્ષેપ !

જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર ગટરના ગંધાતા પાણી 
જૈન મંદિરમાં ઘુસતા હોવાની રાવ પાલિકા તંત્ર 
છેલ્લા 1 વર્ષ થયા ધ્યાને લેતું ના હોવાનો આક્ષેપ !
પાલિકાના દંડક અશોક મંગલાણી કહે છે કે જેતપુરમાં શહેર ભાજપ પ્રમુખ પણ જૈન છે ! 
પણ તેઓ કોઈ દિવસ આ સમસ્યા હલ નાં કરાવી શક્યા !? જૈન મુનીઓમાં પણ રોષ !
જેતલસર તા.20
જેતપુરના એમ જી રોડ પરની ગટરો સાફ કરવામાં તંત્રની ભારોભાર આળસથી ગંધાતા ગટરના પાણી આ રોડ પરના એક જૈન મંદિરમાં ઘુસતા હોય, દિન પ્રતિદિન દુભાતી જતી જૈન ધર્મીઓની લાગણીને રાજીપામાં ફેરવવા જેતપુર પાલિકાના દંડક અશોક મંગલાણીએ માંગ કરી છે.

મળતી વિગતો મુજબ જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર જતા જમણી બાજુએ જૈન સમાજનું દિગંબર જૈન મંદિર આવેલું છે. આ મંદિરના દરવાજાને અડકીને જ નીકળતી ગટર નિયમિત સાફ થતી ના હોય, ગંધાતા પાણી જૈન મંદિરમાં ઘુસી જતા હોય, દર્શનાર્થે આવતા જતા જૈન ભાવિકોમાં રોષ ફેલાયો છે. આ બાબતે જૈન સમાજના અમુક આગેવાનોએ છેલ્લા એક વરસ થયા સ્થાનિક પાલિકા તંત્ર, રાજકોટ જીલ્લા કલેકટર વિગેરેને રજુઆતો કરી આ કાયમી સમસ્યા હલ કરવા અવારનવાર માંગો કરી છે પણ, આ અંગે જેઓની જવાબદારી થાય છે તેવા જેતપુર પાલિકા સુત્રો આ બાબતે કઈ ઘટતું કરાવતા ના હોય હવે આ પ્રશ્ન જેતપુર પાલિકાના દંડક-સદસ્ય અને સિંધી સમાજના આગેવાન અશોકભાઈ મંગલાણીએ હાથમાં લઇ પોતાની મહેનત કામે લગાડી છે, ત્યારે તંત્ર શું કરશે ? તે તરફ જૈન સમાજના લોકોની મીટ મંડાઈ છે.

બોક્સ: દિગંબર મુનીઓ ગંદકી જોઇને ચાલ્યા જાય છે !
જેતલસર : જેતપુરમાં રહેતા અને જૈન સમાજના અમુક આગેવાનો અને કાર્યકરોએ જણાવેલ કે, દિગંબર જૈન મુનીઓ વરસ દરમિયાન સમયાંતરે આ જૈન મંદિરની મુલાકાતે વિહાર કરતા કરતા આવી પહોંચતા હોય છે. પણ ખરાબ અને ગટરના ગંધાતા પાણી જૈન મંદિરના પ્રવેશ દ્વારમાંજ ભરાયેલા જોઇને, દિગંબર મુનીઓ જૈન મંદિરમાં પ્રવેશવાને બદલે પાછા ચાલ્યા જાય છે. અને તે એટલા માટે કે તેઓને હિંસા ગમતી નથી. પાણીમાં અસંખ્ય જીવાણુઓ હોય છે, જેને ઠેકીને કે કચરીને મંદિરમાં પ્રવેશવાનું મુનીઓ મુનાશીબ માનતા નથી.
બોક્સ: શહેર ભાજપ પ્રમુખ જૈન ! તેઓને આ સમસ્યા નથી દેખાતી ?
જેતલસર: જેતપુર પાલિકાના સદસ્ય અશોક મંગલાણીએ એક દુખની વાત વ્યક્ત કરતા જણાવેલ કે ભાઈ જેતપુર શહેર ભાજપના પ્રમુખ કિશોરભાઈ શાહ જૈન સમાજના જ અગ્રણી છે. તેઓને પોતાના ધર્મના મંદિરની આવી દુર્દશા કેમ દેખાતી નથી ? કે હલ કરવા કેમ જાગતા નથી ? તે એક ચર્ચાસ્પદ વિષય કહેવાય !!

ફોટો અને સમાચાર કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 

ગંદકી વોંકળાની !


ગંદકી વોંકળાની !
જેતપુરના કોટડીયાવાડીમાં જતા પ્રોફેસર સાવલીયાના રહેણાંક મકાન પાસે આવેલ વોંકળીમાં તંત્ર ક્યારેય સાફ સફાઈ હાથ ધરતું નથી. આ વોંકળીમાં ગંદકીયુક્ત કચરો એટલો જમા થયો છે કે આજબાજુના લત્તાવાસીઓ ત્રાસી ગયા છે. પાલિકા તંત્ર તાત્કાલિક તસ્વીરમાં દ્રશ્યમાન વોંકળીના કચરાને દુર કરે તે જરૂરી છે.                                                                                       ફોટો લાઈન : કશ્યપ જે. જોશી જેતલસર 

ગણેશ વંદના :

ગણેશ વંદના :
જેતપુરના જૂની દેસાઈ વાડી વિસ્તારમાં રહેતા કાનભાઈ મિસ્ત્રી પોતાના ઘરે છેલ્લા 5 વર્ષથી પોતાના મકાનમાં 
ભાવભેર ગણેશજીનું સ્થાપન કરી 10 દિવસ સુધી ગણેશ મહોત્સવ ઉજવે છે. અહી ભાવિકોની દર્શનાર્થે ભીડ જામે છે. 
                    ફોટો લાઈન : કશ્યપ જે. જોશી - જેતલસર (જેતપુર)

જેતલસરના ગાયત્રીનગરમાં ભાવભેર ઉજવાઈ રહેલ ગણેશ મહોત્સવ


​જેતલસરના ગાયત્રી નગરમાં તુલસીભાઈ તેજાણીના નિવાસસ્થાને શિવ પુત્ર ગજાનંદની ભવ્ય મૂર્તિનું  સ્થાપન  ભાવભેર ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અહી રોજ રાત્રે યુવાનો અને મહિલાઓ દ્વારા ધૂન, કીર્તન અને દાંડિયા રાસની રમઝટ બોલાવાઈ રહી છે. 
                                                                                                                                          ફોટો : કશ્યપ જે. જોશી જેતલસર 9974262812  

શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2015

જુનાગઢના બે શખ્શોને વિલાયતી શરાબની 12 બોટલ્સ સાથે અટક

જુનાગઢના બે શખ્શોને વિલાયતી શરાબની 12 બોટલ્સ સાથે અટક 
જેતલસર  તા.18
જુનાગઢના કિરીટ તુલસીદાસ લોહાણા અને સંજય જેન્તીલાલ બ્રાહ્મણ એમ બંને આજે જુનાગઢથી જેતપુર તરફ જીજે 11બીએ 4340 નંબરના બાઈક પર આવતા હતા ત્યારે જેતલસર નજીકના સાંકળી ગામના પાટિયા પાસે લોકલ ક્રાઈમ બ્રાંચ રાજકોટના ભુરાભાઈ માલીવાડ અને નારણભાઈ આહિરે તેઓને રોકી તલાશી લેતા તેમની પાસેથી રૂપિયા 8200/- ની વિલાયતી શરાબની 12 બોટલ્સ મળી આવી હતી.
પોલીસે બંને શખ્શોની શરાબ અને રૂ.30000/- ના બાઈક સાથે અટક  કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812

જેતલસરના ગાયત્રીનગરમાં છોકરા-છોકરીના પ્રમ્લગ્ન મુદ્દે ખૂની હુમલાની ઘટના બની ! ખાંટ-વાણંદ પરિવાર વચ્ચે બઘડાટી : 3 ઘાયલ 1 ને છરી જીંકાઈ: બંને પક્ષોની ઋષિ પંચમી બગડી પ્રેમલગ્ન કરનાર વાણંદ યુવાન ખાંટ યુવતી સાથે જેતલસર આવતાજ બઘડાટી બોલી ગઈ !

જેતલસરના ગાયત્રીનગરમાં છોકરા-છોકરીના પ્રમ્લગ્ન મુદ્દે ખૂની હુમલાની ઘટના બની !
ખાંટ-વાણંદ પરિવાર વચ્ચે બઘડાટી : 3 ઘાયલ
1 ને છરી જીંકાઈ: બંને પક્ષોની ઋષિ પંચમી બગડી 
પ્રેમલગ્ન કરનાર વાણંદ યુવાન ખાંટ યુવતી સાથે જેતલસર આવતાજ બઘડાટી બોલી ગઈ !
જેતપુર તા.18
જેતપુર  તાલુકાના જેતલસર ગામે આજે બપોરે છોકરાવના પ્રેમલગ્ન મુદ્દે દીકરીના પિતા અને ભાઈએ મળી વાણંદ યુવાનના બે કાકાઓને પથ્થર અને છરી વતી હુમલો કરી ઘાયલ કરી બઘડાટી બોલાવ્યાની ઘટના પોલીસ દફતરે પહોચતા તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદો લઈને તહોમતદારોની ધરપકડની વિધિ હાથ ધરી છે.

સમગ્ર જેતલસર ગામમાં ચકચાર જગાડનાર ઘટના બાબતે મળતી વિગતો મુજબ વાણંદ તનસુખભાઈ વલ્લભભાઈ જોટંગીયાના ભત્રીજા આશિષે અહીના ગાયત્રી નગરમાં રહેતા ખાંટ  ગિરધર ગોબર સરવૈયાની પુત્રીને ભગાડીને આજથી છએક મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હોય, આ બંને ખાંટ અને વાણંદ પરિવાર આટલા સમય થયા એકબીજાને ભરી પીવા ઘૂરકિયા કરતા હતા.

એક તબક્કે દીકરીના પિતાએ યુવાન અને તેના પરિવારને એવી ધમકીઓ આપી હતી કે મારી દીકરી સાથે તમારો દીકરો જેતલસરમાં દેખાયો એટલે જોયા જેવી થશે.

દરીમીયાન આજે ઋષિ પંચમીના દિવસે વાણંદ પરિવારનો આશિષ પોતાના કાકાના ઘરે આવ્યો હોય તેમજ અન્ય મહેમાનો પણ હોય, પોતાની દીકરી આવી હોવાનું જાની ગયેલા ગિરધર સરવૈયાએ અને તેમના પુત્ર જયેશે પ્રથમ ફરિયાદી તનસુખ વલ્લભ જોટંગીયાને માથામાં પથ્થર મારી તેમજ તેમના એટલેકે તનસુખભાઈના ભાઈ નટુભાઈને પેટમાં છરીના ઘા મારી આતંકી વાતાવરણ ઉભું કરતા ગાયત્રીનગરમાં ચકચાર મચી ગયી હતી.
બીજીબાજુ તનસુખભાઈ અને નટુભાઈને લોહી નીગળતી હાલતમાં સરકારી એમ્બ્યુલન્સ 108 દ્વારા પ્રથમ જેતપુર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડ્યા છે.
બનાવની જાણ થતાજ જેતપુર તાલુકા પીએસાઈ આર.એન.કરમટીયા, સ્ટાફના મજનુંભાઈ વી. લઈને જેતલસર પહોચી જઈ હુમલાખોર ગિરધર સરવૈયા અને તેમના પુત્ર જયેશને પકડી પાડી તેમની સામે આઈપીસી 326(તીક્ષણ સાધન વડે કોઈના પ્રાણ લેવાની કોશિશ-મહાવ્યથા ઉભી કરવી)મુજબનો ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે સામા પક્ષે દીકરીના પિતા ગિરધર સરવૈયાએ પણ પોતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ તેમની દીકરીને આંખના ભાગે મારથી ઈજા કર્યાની આશિષ જોટંગીયા અને તેમના ઘરે આવેલા મહેમાનો સામે ફરિયાદ નોંધાવતા જમાદાર મજનુંભાઈએ આશિષની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
બોક્સ: 307 અને 326 બંનેમાં ગુનાની જોગવાઈ 10 વર્ષની !
જેતપુર: દીકરીના પિતા અને ભાઈએ વાણંદ પરિવારના યુવાનના બે કાકાઓ પર કરેલા હિચકારા હુમલાની ઘટનામાં આઈપીસી 307 ની કલમ ઉમેરાઈ કે કેમ ? તેવા સવાલના જવાબમાં જેતપુર તાલુકા પીએસાઈ કરમટીયાએ જણાવેલ કે 326 અને 307 એમ બંને કલમોમાં સજાની જોગવાઈ 10 વર્ષની છે. કલમ 307 માં ઈરાદો હોય છે જયારે 326 માં આરોપીની સામેની વ્યક્તિમાં જીવલેણ મહાવ્યથા ઉભી કરવાની પ્રેરવી હોય છે. એટલે આ ઘટનામાં આઈપીસી 307 ની કલમનો ઉમેરો કરવો જરૂરી નથી.

બોક્સ: દીકરીના પિતાના મળતીયાઓએ મકાનના બારી-દરવાજા તોડ્યા !?
જેતપુર: આ લખાય છે ત્યારે બઘડાટીવાળા ગાયત્રી નગર વિસ્તારમાંથી એવી વિગતો જાણવા મળી હતી કે, પ્રેમ લગ્ન કરનાર દીકરીના પિતાના કોઈ ભાડુતી માણસો એક બોલેરો કારમાં કુહાડી, તલવાર જેવા હથીયારો સાથે ઘસી આવી વાણંદ પરીવાના મકાનના બારી દરવાજામાં કુહાડી-તલવારોના ઘા જિંકી નુકશાન કરી ફિલ્મી દ્રશ્યો જેવી બઘડાટી બોલાવી નાશી છૂટતા આ વાત તરફ પણ ફોજદાર કરમટીયાએ તપાસ કેન્દ્રિત કરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812



ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2015

જેતલસરના ગાયત્રીનગરમાં 
ગણેસોત્સ્વનું આયોજન 
જેતલસર તા.17
જેતલસરના ગાયત્રીનગરમાં ગાયત્રીનગર યુવામંડળ દ્વારા તુલસીભાઈ તેજાણીના નિવાસસ્થાનની બાજુમાં છેલ્લા 6 વર્ષ થયા ઉજવાતા ગણેસોત્સવનું આ વર્ષે પણ આયોજન કરાયું છે. ગજનની ભવ્ય પ્રતિમાને જેતપુર થી જેતલસર લવાઈ ત્યારે બસ સ્ટેન્ડથી ગાયત્રીનગર સુધી ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે કઢાઈ હતી. ગણપતિની પંડાલમાં સ્થાપના બાદ ગ્રુપના સર્વે મિત્રો દ્વારા ગણેસોતસ્વના પ્રથમ દિવસે જ બટુક ભોજનનું પણ આયોજન કર્યું હતું જે પ્રસ્તુત તસવીરોમાં દેખાય છે.
આ સિવાય જેતલસરના રામજી મંદિર ચોક ખાતે પણ જય અંબે ગરબી મંડળ ચોકમાં પણ સમસ્ત ગામ લોકોના સહયોગ વચ્ચે ગણપતિજીની સ્થાપના કરી 10 દિવસ ગણેસોત્સવ ઉજવવાનું આયોજન થયું છે.                                   ફોટો કશ્યપ જ.જોશી જેતલસર જેતપુર
 

જેતપુર શહેરમાં અનેક જગ્યાએ પંડાલોમાં બિરાજેલા ગણનાયક ગજાનન

જેતપુર શહેરમાં અનેક જગ્યાએ પંડાલોમાં 
બિરાજેલા ગણનાયક ગજાનન 
જેતપુર તા.17
'' મૈને આપ કે સાથ એક દો દિન નહિ પુરા મહિના (સાવન) બિતાયા, અબ મેં  જા રહા હું, મેરે બચ્ચે કા ખયાલ રખના, દેવો કા દેવ-મહાદેવ'' સોશિયલ સાઈટમાં ફરતી આવી પોસ્ટની પૂર્ણતયા ઉજવણી અને સફળ ગણેસોત્સવ માટે આજે જેતપુરમાં સ્થપાયેલા અનેક પંડાલોમાં આજે વાજતે ગાજતે શિવ પુત્ર ગજાનનની અનેકવિધ પ્રતિમાઓના ધામધૂમથી સ્થાપનો થયા હતા.
જાણકારોના માટે જેતપુર શહેરમાં પ્રતિ વર્ષ મુખ્ય મોટા વિસ્તારો અને ચોક જેવી જગ્યાઓ અને રહેણાંક મકાનો સહીત 300 થી 400 જગ્યાએ ગણેશોત્સવ ઉજવાય છે.
ખાસ કરીને શહેરના દેસાઈવાડી વિસ્તારમાં વોંકળીના પુલ ઉપર સંકલ્પ ગ્રુપ દ્વારા, તે જ વિસ્તાર શાક માર્કેટ રોડ  પર યમુના ગ્રુપ, શાંતિનગર શેરી નંબર - 1, કણકિયા પ્લોટમાં બગીચામાં, પંચશીલ સોસાઈટી, ધોરાજી રોડ, શુભાષ ચોક, જૂની પોલીસ લાઇન, ફૂલવાડી રામજી મંદિર રોડ, મોટા રાજ મહેલમાં, નવાગઢ, જનતા નગર, તાકુડીપરા, બાવાવાળાપરા, કોટડીયાવાડી, ચાંદની ચોક વિગેરે જગ્યાએ હજારો ભાવિકો દ્વારા ગણપતિની મોટી મોટી પ્રતિમાના સ્થાપનો કરી 10 દિવસ સુધી ગણેસોત્સવ ભાવપૂર્વક ઉજવાશે. દેસાઈવાડી વોંકળી પુલ ઉપર સ્થપાયેલ ગણપતિ વંદનાના આયોજક એવા સંકલ્પ ગ્રુપના કાર્યકરો શૈલેશ વઘાસીયા, કલ્પેશ જોશી, ચિરાગ ડોબરિયા, ભાવેશ માથુકીયા, હિતેશ સાવલિયા, રવિ વઘાસીયા, અંકિત અજુડિયા, પંકજ શેખડા, અંકિત ધાનાણી, ગૌત્તમ ગીણોયા, રાજુભાઈ કલાલ, અમિત વઘાસીયા, અતુલ મિસ્ત્રી, પરેશ રાવરાણી, વિપુલ પટેલ, હરેશ સખીયા, દીપક નારિયા, કપિલ વડાલીયા વિગેરે ગણેસોતસવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર