અનુયાયીઓ

ગુરુવાર, 27 ઑગસ્ટ, 2015

જેતપુર પાલિકાના વોર્ડ નંબર 6 ના સદસ્યની શહેરમાં આકાંતરા પાણી વિતરણ ના કરાય તો આંદોલનની ચીમકી

જેતપુર પાલિકાના વોર્ડ નંબર 6 ના સદસ્યની 
શહેરમાં આકાંતરા પાણી વિતરણ ના 
કરાય તો આંદોલનની ચીમકી 
જેતપુર તા.27
જેતપુર શહેરમાં આગામી 31 મી ઓગસ્ટ સુધીમાં એકાંતરા પાણી વિતરણ ના શરુ કરાય તો આંદોલનની ચીમકી પાલિકા સદસ્ય મંગલાણીએ ઉચ્ચારી છે.મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલિકાના વોર્ડ નંબર 6 ના સદસ્ય અશોકભાઈ મંગલાણીએ આજે ચીફ ઓફિસરને એક લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે હાલ શહેરમાં ત્રણ થી ચાર દિવસે પાણી વિતરણ થઇ રહ્યું હોય, શહેરીજનોમાં બોકાસો બોલી રહ્યો છે. રજુઆત કરનાર સદસ્યનું કહેવું છે કે ભાદર ડેમમાં પુરતું પાણી હોવા છતાં પાણી વિતરણમાં કેમ સંકલનનો અભાવ જોવા મળે છે ? જો તા.31-8 સુધીમાં શહેરમાં એકાંતરા પાણી વિતરણ શરુ નહિ કરવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.                                                                                                                                                    (કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812)

જેતપુરના 2 યુવાનો રેલવે ટ્રેકને નુકશાન કરતા ઝડપાયા 
જેતપુર તા.27
ગઈકાલે ગુજરાત બંધ એલાનના દિવસે જેતપુરમાં આંદોલનમાં જોડાયેલા 2  પટેલ યુવાનોએ રેલ્વે ટ્રેક પર નુકશાન કરવાની ફિરાક દરમિયાન પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ પાટીદાર અનામત માટે ગઈકાલે ગુજરાત બંધના એલાનના દિવસે જેતપુરમાં પણ અમુક પાટીદાર મિત્રો બંધને સફળ બનાવવા પોત પોતાની તાકાત કામે લગાડી હતી. અમુક આંદોલનકારીઓએ શાંતિપૂર્ણ બંધ રહે તે માટેની જહેમત ઉઠાવી હતી. તો અમુક સરકારી મિલકતોને નુકશાન કરવાની ફિરાકમાં હતા.
આવી જ  વાતમાં એટલેકે અહીના ધોરાજી રોડ ઉપર રેલવે ફાટક પાસે પહોચીને શહેરના ડોબરિયા  વાડી વિસ્તારના  બે યુવાનો ભાવેશ જસમત પટેલ તથા કેતન હારી દુધાત્રા એમ બંને રેલ્વે ટ્રેકને નુકશાન કરવાની વેંતરણમાં હતા ત્યાજ શહેર પોલીસે બંનેને ઝાલી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.                                                                                                             (કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812)




જેતલસરમાં શ્રી ધેનુંમાનસ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

ગામના ઇતિહાસમાં સૌ પ્રથમ વખતનું આયોજન !
જેતલસરમાં શ્રી ધેનુંમાનસ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન 
ગામના ડેડરવા રોડ પર આવેલ શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે યોજાનાર આ સપ્તાહના સાતેય દિવસ 
રાત્રીના ભજન, કીર્તન, સત્સંગના કાર્યક્રમોના આયોજનો, આજુબાજુના 12 ગામોના લોકોને કથા શ્રવણ કરવા અનુરોધ 

જેતલસર તા.27
જેતલસર ગામના ઇતિહાસમાં સૌ પ્રથમ વખતના ગણાવતા આયોજન મુજબ અહી શ્રી સૂર્યમુખી હનુમાનજીના પ્રાંગણમાં બિરાજેલા શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શ્રી ધેનુંમાનસ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોય, ભોળાનાથના ભક્તગણ અને ગૌસેવા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગામના ડેડરવા રોડ પર આવેલ સમસ્ત ગાયત્રીનગરવાસીઓના સાથ અને સહકાર વચ્ચે આગામી તા.6-9-2015 થી તા.13-9-2015 દરમિયાન ચાલનાર આ ધેનુંમાનસ જ્ઞાનયજ્ઞ-સપ્તાહના શાસ્ત્રી પદે જેતલસર જંકશનના હાર્દિકભાઈ પંડ્યા બિરાજી ધેનુંમાનસનું પોતાની  આગવી શૈલીમાં ભક્તોને રસપાન કરાવશે.

તા.6-9 થી શરુ થનાર આ ધેનુંમાનસ કથાના પ્રથમ દિવસે બપોરના 3 વાગ્યે ગામના રામજી મંદિર ખાતેથી ભવ્ય પોથી યાત્રાનું શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સુધી આયોજન કરાયું છે. જેમાં સમસ્ત જેતલસરવાસીઓને જોડવા અનુરોધ કરાયો છે. તે જ દિવસે સાંજના 4-30 વાગ્યે કથાનો શુભારંભ થશે.
તા. 7 ના રોજ સવારે 10 વાગ્યે ગૌ પૂજન, તા. 8 ના રોજ ગૌ મહિમા, તા. 9 ના રોજ શિવ પૂજન, તા.10 ના રોજ બપોરે 12 કલાકે શ્રી રામકથા, તે જ દિવસે સાંજે 6 વાગ્યે શ્રી કૃષ્ણકથાનું આયોજન કરવામાં આવ્યું છે. 

જયારે કથાના તમામ દિવસો દરમિયાન રાત્રીના ધૂન-ભજન-સત્સંગ-કીર્તનના કાર્યક્રમો રખાયા છે. કથાના સફળ આયોજન માટે જેતલસરના ગ્રામજનો ઉપરાંત, ગાયત્રીનગરવાસીઓ, કામધેનું ગૌસેવાના કાર્યકરો, ગામના નાના મોટા મહિલા સત્સંગમંડળો વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા હોય, ગામ ઉપરાંત આજુબાજુના 12 ગામોની ધર્મપ્રેમી જનતાને કથા આયોજક ગણના ગાયત્રી ન્યુઝ એજન્સીવાળા જીતુભાઈ જોશી(9898163131), કુલદીપ જોશી,   સહિતના નાના મોટા આયોજક ભાઈ-બહેનોએ કથા શ્રવણનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતલસર (જેતપુર ) 9974262812

બુધવાર, 26 ઑગસ્ટ, 2015

કશ્યપ જે. જોશી જેતલસર

જેતપુર સજ્જડ બંધ
જેતપુર તા.26
પાટીદાર અનામત આંદોલન સમિતિએ આજે ગુજરાત બંધના આપેલા એલાનના દિવસે આજે જેતપુરના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. પાટીદાર યુવાન આગેવાનો શાંતિપૂર્ણ રીતે શહેરમાં ફરી કોઈની દુકાનો ખુલી હોય તો બંધ કરી આંદોલનમાં જોડાવા સહકાર માંગ્યો હતો. જેને વેપારી આલમે સજ્જડ પ્રતિસાદ આપ્યો હતો. શહેરમાં કોઈ જગ્યાએ કોઈ છમકલા નાં થાય તે માટે શહેર પોલીસના પીઆઈ ગોહિલ, ફોજદાર સંઘાણી, ચૌહાણ, સહિતના સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો હતો. 
જ્યારે જેતપુરના જેતલસર અને સાંકળી ગામે આજે અમુક પાટીદાર આગેવાનોએ રોડ રસ્તા જામ કરવાના પ્રયાસો કર્યા હતા, પણ જેતપુર તાલુકા પોલીસે શાંતિથી અપીલ કરી આંદોલનકારીઓને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. આ લખાય છે ત્યારે મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રે 

સાંકળીમાં પોલીસ દમનનો નવતર વિરોધ, ડેરીમાં કોઈ દૂધ નહિ આપે 
જેતલસર પંથકના સાંકળી ગામોના માણસોએ જુનાગઢ રોડ ચક્કાજામ કર્યાની  ઘટના દરમિયાન પોલીસે બે ત્રણ ખેડૂતોને કડક કામગીરીનો પરચો દેખાડ્યાના વિરોધમાં બંને સાંકળીના ગ્રામ જનોમાં ભારે રોષ અસંતોષ જોવા મળતો હતો.  સાંકળી ગામના લોકો પાસેથી એક એવી પણ વિગત મળી છે કે અમદાવાદમાં મહિલાઓ પર પોલીસે કરેલા દમનના વિરોધમાં નવી અને જૂની સાંકળીની ખેડૂત મહિલાઓએ આ વાતને પોત પોતાનું દૂધ ઢોળી, વિરોધ વ્યક્ત કરી ગામની ડેરીઓમાં અચોક્કસ મુદત સુધી દૂધ નહિ આપવા ચીમકી ઉચ્ચારી છે. આજે મહિલાઓ ડેરી સામેજ દૂધ ઢોળી આકરા મિજાજ દર્શાવતા ડેરી સંચાલકો ડેરી બંધ કરીને ચાલ્યા ગયા હોવાની વિગતો મળવા પામી છે. આવતી કાલે પણ બંને ગામોની ખેડૂત મહિલાઓ એક પણ ડેરી પર દૂધ આપવા નહિ જાય તેવી પણ જાહેરાત કરાઈ હતી.
જેતલસરમાં રોડ ઉપર પથ્થરા-પોલ મૂકી વાહનો અટકાવવા પ્રયા
​સ
જેતલસર : જેતલસરમાં આજે પાટીદાર યુવાનોએ ગુજરાત બંધના એલાનને સફળ બનાવવા ગામના તમામ દુકાનદારોને વિનંતી કરતા આખા ગામના વેપારીઓએ આખો દિવસ પોત પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. બીજી બાજુ બપોરના સમયે જેતલસરમાંથી પસાર થતા જુનાગઢ હાઈવે પર અમુક યુવાનોએ પથ્થરા અને વીજ પોલ આડા મૂકી રસ્તાના વાહન વ્યવહારને અટકાવવા પ્રયાશ કર્યો હતો પણ જેતપુર તાલુકા ફોજદાર કરમટિયાએ સ્ટાફના મજનુભાઈ, દિવ્યેશ આહીર, રાણા, સહિતના સ્ટાફને જેતલસર મોકલી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા શાંતિમાં પલીતો ચાંપવા માંગતા આંદોલનકારીઓ છું થઇ ગયા હતા.  
ફોટો અને સમાચાર કશ્યપ જે.જોશી  જેતપુર 9974262812
અવસાન નોંધ :  તા.26-8-2015
જેતપુર : સ્વ. નરભેરામ ગોરધનદાસ નિર્મળના મોટાબેન શારદાબેન દુર્લભજીભાઈ વાધેર (ઉ.વ.80) તા.25 ના રોજ સાંવરકુંડલા ખાતે અવસાન પામેલ છે. સાદડીતા.27 ને ગુરુવારે સાંજે 4 થી 6, સ્વ.નરભેરામભાઈના નિવાસ સ્થાને, બવાવાળા પરા, ધરતી પાન વાળો રોડ, જેતપુર ખાતે રાખેલ છે. 
કશ્યપ જે.જોશી  જેતપુર 9974262812


મંગળવાર, 25 ઑગસ્ટ, 2015

Fwd: નેશનલ હાઈવે જુનાગઢ રોડ પર ચક્કાજામ કરતા સાંકળીને પટેલ આગેવાનો


પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની અમદાવાદમાં ધરપકડ થતા 
જેતલસર પંથકના સાંકળી ગામના પાટીયા પાસસે નેશનલ હાઈવે જુનાગઢ રોડ પર ચક્કાજામ કરતા સાંકળીને પટેલ આગેવાનો 
વાહનોની લાંબી લાઈનો લાગી 
જેતપુર થી પોલીસ દોડી  લોકોની રોડ પર ધાંધલ ધમાલ હાર્દિકને છોડો નહીતો જોયા જેવી થશે 
જીગ્નેશ પટેલ નામના યુવાને રોડ પર ચક્કાજામ કર્યાની ફરતી કરેલી તસવીરોથી સંબંધિતો ભારે દોડધામમાં 
ફોટો  અને મુદ્દા કશ્યપ જોશી જેતપુર જેતલસર 

રાત્રીના 10-40 વાગ્યે સાંકળીના લોકો પાસેથી મળતી વિગતો મુજબ જેતપુર તાલુકા પોલીસે 2/3 ખેડૂતોને લાકડી વતી માર મારી લાઠી ચાર્જ કરતા નવી અને જૂની સાંકળી ગામના ખેડૂતો ગામમાં જઈને લાકડીઓ લઈને પરત ફરી પોલીસ સાથે લડી લેવાની મળતી વિગતો,
કશ્યપ જોશી જેતલસર 

નેશનલ હાઈવે જુનાગઢ રોડ પર ચક્કાજામ કરતા સાંકળીને પટેલ આગેવાનો

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની અમદાવાદમાં ધરપકડ થતા 
જેતલસર પંથકના સાંકળી ગામના પાટીયા પાસસે નેશનલ હાઈવે જુનાગઢ રોડ પર ચક્કાજામ કરતા સાંકળીને પટેલ આગેવાનો 
વાહનોની લાંબી લાઈનો લાગી 
જેતપુર થી પોલીસ દોડી  લોકોની રોડ પર ધાંધલ ધમાલ હાર્દિકને છોડો નહીતો જોયા જેવી થશે 
જીગ્નેશ પટેલ નામના યુવાને રોડ પર ચક્કાજામ કર્યાની ફરતી કરેલી તસવીરોથી સંબંધિતો ભારે દોડધામમાં 
ફોટો  અને મુદ્દા કશ્યપ જોશી જેતપુર જેતલસર 

સોમવાર, 24 ઑગસ્ટ, 2015

જેતપુર નગર પાલિકાના પ્રમુખ પદે બારોટ ઉપ પ્રમુખ પદે પ્રમોદ ત્રાડા સત્તારૂઢ !

પ્રમુખ-ઉપપ્રમુખ માટે યોજાયેલી ચુંટણી દરમિયાન 
જેતપુર નગર પાલિકાના પ્રમુખ પદે બારોટ
ઉપ પ્રમુખ પદે પ્રમોદ ત્રાડા સત્તારૂઢ !
જેતપુર નવાગઢ નગર પાલિકામાં આજે પ્રમુખ-ઉપપ્રમુખના હોદાઓ માટેની યોજાયેલી ચુંટણી દરમિયાન પ્રમુખ તરીકે શારદાબેન બારોટ અને ઉપપ્રમુખ તરીકે પ્રમોદ ત્રાડા ચુંટાઈ આવ્યા હતા.

ભાજપના હાથમાંજ રહેલ જેતપુર પાલિકાની ચુંટણીની વિગતો જોઈએ તો આગામી અઢી વરસના સમય માટેના પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી આજે પાલિકાના સભાખંડમાં ગોંડલ ડેપ્યુટી કલેકટર જાડેજા, મામલતદાર ભોરણીયા, પાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસની હાજરીમાં યોજાયી હતી.

સૌ પ્રથમ પાલિકાના પ્રમુખની દાવેદારીમાં પાલિકાના સદસ્ય કિરણ લુંણીએ ભાજપના શારદાબેન  બારોટની પ્રમુખ તરીકે રજુ કરેલી દરખાસ્તને સદસ્ય દિલીપ વડાલીયાએ ટેકો જાહેર કર્યો હતો. પ્રમુખ તરીકેની આ દાવેદારી તરફેણમાં કોણ કોણ છે ? તેવા ચુંટણી અધિકારી ગોંડલના ડીસી જાડેજાના સવાલના જવાબમાં ઉપસ્થિત 42 માના 30 સદસ્યોએ પોત પોતાના હાથની આંગળી ઉંચી કરી ટેકો જાહેર કરતા આ  પછાત વર્ગના મહિલા સદસ્ય પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

ભાજપના આ ઉમેદવાર સામે કોંગ્રેસમાંથી પાલિકા પ્રમુખ તરીકેની દાવેદારી પ્રકાશ ગીડા નામના સદસ્યે નોંધાવી હતી પણ તેમને માત્ર 12 મતો જ મળ્યા હતા. જયારે જેતપુર પાલિકાના ઉપ પ્રમુખ તરીકેના ઉમેદવાર પ્રમોદ ત્રાડાની દરખાસ્ત સદસ્ય સુરેશ સખરેલિયાએ કરી હતી જેને દીપક લુંણીએ ટેકો જાહેર કર્યો હતો. અહી પણ ઉપપ્રમુખની તરફેણમાં 30 સદસ્યોએ આંગળી ઉંચી કરી પ્રમોદ ત્રાડાને વિજયી બનાવ્યા હતા. જ્યારે તેમની સામે ઉપપ્રમુખની દાવેદારી નોંધાવનાર ચેતના મનોજભાઈ પારધીને 12 મતો મળ્યા હતા.
વિજયી બંને ઉમેદવારોએ વાજતે ગાજતે વિજય સરઘસ કાઢ્યા હતા.

અત્રે એ નોંધનીય છે કે જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ પડે બેસવા ઘણા સદસ્યોએ પોત પોતાની તાકાત કામે લગાડી હતી, પણ ચુંટણી પંચે બક્ષીપંચ અનામત શીટ જાહેર કરતા અમુક પ્રતિસ્પર્ધી વચ્ચેજ મુકાબલો બચ્યો હતો. આ બાબતે જે હોય તે પણ એક લોકચર્ચા મુજબ પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની કુનેહતા વધુ એક વખત ગજબની સાબિત થઇ હોય તેમ જેતપુર પાલિકાનું સુકાન ભાજપ પાસેજ રહેતા હરીફ ઉમેદવારો મનમાને મનમાં મુંજાઈ રહ્યા છે. 

હાલ જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભાજપના 18, કોંગ્રેસના 12, અને અપક્ષના 12 એમ કુલ 42 નું સંખ્યાબળ છે. આજે પાલિકા પ્રમુખ અને ઉપ પ્રમુખની ચુંટણીમાં પણ બંને ભાજપનાજ ઉમેદવારો વિજેતા થતા ભાજપે પાલિકામાં આગામી અઢી વર્ષ સુધીની સત્તા અંકે કરી લીધી છે.
ફોટો  સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર 9974262812 


---------------------------------------------------

જેતપુરના વણિક વેપારીનું જેતલસર નઝીક અજાણ્યા વાહનની ઠોકરે મોત 
જેતપુર તા.24
ગઈકાલે મોડી રાત્રીના અજાણ્યા વાહનની હડફેટે ચડી ગયેલ જેતપુરના વણિક વેપારીનું મોત થતા જેતપુરના વણિક સમાજ અને વેપારી આલમમાં શોક છવાયો છે.
મળતી વિગતો મુજબ જેતપુરના મોટા ચોકમાં રહેતા અને કાપડ બઝારમાં કાપડની દુકાન ધરાવતા હિમાંશુભાઈ મુગુટલાલ બાવીશી(ઉ.વ.42) ગઈકાલે જેતપુર થી પોતાનું  નવેનવું બાઈક લઈને જેતલસર ગાંઠીયા ખાવા આવ્યા બાદ પરત ફરથી વખતે જુનાગઢ રોડ ઉપર, જેતલસર નજીક જ કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને પાછળથી હડફેટે લેતા હિમાંશુભાઈનું ઘટના સ્થળેજ મોત થયું હતું, બનાવની જાણ પરથી જેતપુર  તાલુકા પોલીસના જમાદાર મજનુંભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ, અંગ જડતી અને એકબીજાનો મોબાઈલ પર સંપર્ક કર્યા બાદ આ મૃતદેહ હિમાંશુ બાવીશીનો હોવાનું માલુમ પડ્યું હતું.
મૃતક વણિક વેપારી યુવાન હિમાંશુ બાબતે તેઓના નિકટતમ મિત્રોએ એવી વિગતો આપી હતી કે હિમાંશુ બાવીશી કોલેજકાળ દરમિયાન જ નેતાગીરી કરવામાં ભારે હોંશિયાર હતા. કદાચ જેતપુરમાં નેશનલ સ્ટુડંટ યુનિયનનો પાયો નાખવામાં તેમનો મહત્વનો ફાળો હતો. છેલ્લા થોડા સમય થયા તેમને રાજકારણને અલવિદા કરી પોતાનો કાપડનો વ્યવસાય શરુ કર્યો હતો. તેમના આકસ્મિક નિધનથી જેતપુર કાપડ બઝારના વેપારીઓ, જૈન સમાજ અને વિદ્યાર્થી આલમમાં શોક છવાયો છે.


કશ્યપ જે. જોશી જેતપુર 9974262812


રવિવાર, 23 ઑગસ્ટ, 2015

1442 લાભાર્થીઓને રૂ.70.76 લાખની સહાય અર્પણ

જેતપુરમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યમંત્રી જયેશ રાદડીયાના હસ્તે
1442 લાભાર્થીઓને રૂ.70.76 લાખની સહાય અર્પણ 
સરકારની 21 યોજનાઓની સાધન સહાય અર્પણ કરાઈ, ગરીબ લાભાર્થીઓ ખુશખુશાલ...
જેતપુર તા.23
જેતપુરની માર્કેટ યાર્ડમાં આજે જેતપુર-ગોંડલ પ્રાંત કક્ષાના યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના હસ્તે 1442 લાભાર્થીઓને રૂપિયા 70 લાખ 76 હજારની વિવિધ સાધન સહાય અર્પણ કરાતા ગરીબ લાભાર્થીઓ ખુશખુશાલ દેખાતા હતા.

રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદીપ વાળા(ગુજરાત રાજ્ય પછાત વર્ગ વિકાસ નિગમ), ડો.વલ્લભભાઈ કથીરિયા, જીલ્લા પંચાયત પ્રમુખ કંચનબેન બગડા, જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, યાર્ડ ચેમેન દિનેશ ભુવા, ગોંડલ પાલિકા પ્રમુખ ચંદુભાઈ ડાભી, જેતપુર ડાઈંગ એશોશીયેશનના પ્રમુખ રાજુભાઈ પટેલ વિગેરે અગ્રણી આગેવાનોની હાજરીમાં પ્રસંગોચિત બોલતા જયેશ રાદડીયાએ જણાવેલ કે, રાજ્યના છેવાડાના માનવી-લાભાર્થીઓ સુધી હાથો હાથ સરકારી સહાયો પહોચે તે માટે, ગરીબો સરકારની નાની મોટી સહાયોથી આર્થિક પગભર બને, અને આર્થિક સ્થિતિ સુધારે તે માટે ગુજરાત સરકારે શરુ કરેલા ગરીબ કલ્યાણ મેળાના આયોજનો સાચેજ ગરીબો માટે કલ્યાણકારી નીવડી રહ્યા છે.

સરકારની વિવિધ 21 યોજનાઓના 1442 લાભાર્થીઓને રૂપિયા 70.76 લાખની સાધન સહાય અર્પણ કરાઈ ત્યારે ગરીબ પરિવારજનોમાં ખુશાલી સાથે હર્ષાશ્રુ પણ જોવા મળ્યા હતા.  આ કાર્યક્રમ દરમિયાન રાજકોટ માહિતી ખાતા દ્વારા લોક સાહિત્ય ડાયરાનો કાર્યક્રમ રજુ કરાયો હતો. આ તકે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ગરીબો માટે ગરીબ કલ્યાણ મેલા આશીર્વાદરૂપ બની રહ્યા હોવાના આનંદ વ્યક્ત કરતા વક્તવ્યો આપ્યા હતા. જ્યારે ઉપસ્થિત અધિકારીગણ સહિતના મહેમાનોને ગોંડલના ડેપ્યુટી કલેકટર જાડેજાએ સૌને આવકાર્યા હતા. તો જેતપુરના તાલુકા વિકાસ અધિકારી ઘેડાએ આભારવિધિ કરી હતી.

બોક્સ: સ્વર્ગીય ખાતેદાર ખેડૂતોના પરિવારજનોને પણ સહાય 
જેતપુર : ગરીબ કલ્યાણ મેળા દરમિયાન ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ, માર્કેટિંગ યાર્ડ જેતપુર દ્વારા ગ્રુપ પર્શનલ વીમા યોજના હેઠળ અકાળે સ્વર્ગીય બનેલા ખાતેદાર ખેડૂતોના જેતપુર તાલુકાના થોરાળા, રૂપાવટી, અકાળા, સમઢીયાળા, નવી સાંકળી અને પાંચ પીપળા ગામોમાં વસતા પરિવારજનોને રૂપિયા 2-2 લાખના ચેક જેતપુરના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડીયાના હસ્તે અર્પણ કરાયા હતા.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

શુક્રવાર, 21 ઑગસ્ટ, 2015

જેતપુરમાં આવતીકાલે ગરીબ કલ્યાણ મેળો

જેતપુરમાં આવતીકાલે ગરીબ કલ્યાણ મેળો 
જેતપુર તા.21
જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ માર્કેટ યાર્ડ ખાતે આવતીકાલ તા.23 ના રોજ જેતપુર અને ગોંડલના લાભાર્થીઓ સરકારનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. સવારના 9-30 કલાકથી શરુ થનાર આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી જયેશ રાદડિયા, સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, ગુજરાત ગૌ વિકાસ નિગમના ચેરમેન વલ્લભભાઈ કથીરિયા, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ કંચનબેન બગડા, જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, ગોડલ પાલિકા પ્રમુખ ચંદુભાઈ ડાભી, ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગોંડલ તાલુકા પંચાયત પ્રમુખ સુમિતાબેન ડોબરિયા, માજી રાજ્ય મંત્રી જસુબેન કોરાટ વિગેરેની હાજરીમાં ગુજરાત સરકારની વિવિધલક્ષી કલ્યાણ યોજનાઓના લાભો છેવાડાના લાભાર્થીઓને હાથોહાથ અપાશે, વિતરણ કરાશે તેવું જેતપુર અને ગોંડલ વહીવટ તંત્ર જણાવે છે.


જેતપુરમાં પોલીસની કડક સુચના પછી પણ 
મટનની દુકાનો ચાલુ હોવાની રાવ 
જેતપુર તા.21
શહેરના તમામ હિંદુ સંગઠનોએ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન માંસ, મટનની દુકાનો બંધ રાખવાનું પોલીસ સહીત તમામ સત્તાધીશોને થોડા દિવસો પહેલા આવેદનો આપ્યા હતા.
પરિણામે સ્થાનિક પોલીસે આવા ધંધાર્થીઓની જગ્યાઓ પર રૂબરૂ જઈને અને પોલીસ થાણે પણ બોલાવીને કડક સૂચનાઓ આપી હતી કે કોઈ સમાજની ધાર્મિક લાગણી દુભાવાનો પ્રશ્ન ઉભો થાય ત્યારે સહકારની ભાવના વ્યક્ત કરી પોતપોતાના માંસ મટનના ધંધા રોજગારો બંધ રાખવા.

આવી સુચના પછી અનેક મુસ્લિમ ધંધાર્થી ભાઈઓ કે જેઓ આવા ધંધા સાથે સંકળાયેલા છે તેઓએ સહ્કારાત્મક વલણ અપનાવી પોતાના ધંધા હાલ બંધ કરી દીધાની વિગતો મળી રહી છે. કારણ આ તમામ મુસ્લિમ બિરાદરો જેતપુરમાં વર્ષો થયા હિંદુ-મુસ્લિમ વચ્ચેનો ભાઈચારો ટકાવવા માંગે છે. 
પણ કહેવાય છે કે હાથની પાંચેય આંગળીઓ સરખી ના હોય ! 

તેમ અહીના તાલુકા પંચાયત કચેરી નજીક આવેલ વોરા વોંકળી કાંઠે રહેતા અને કરિયાણાની દુકાનોની આડશ પાછળ અમુક વેપારીઓ દુકાનોના બે શટરોમાનું એક શટર બંધ કરી મુરઘી મટનનો ધોમધોકાર વેપલો કરતા હોય, ખુદ આવા ધંધા સાથે સંકળાયેલ અમુક વેપારીઓએ આજે સ્થાનિક પત્રકારોને વિગતો આપી જણાવ્યું હતું કે, અમે જો ધંધો બંધ કરી હિંદુ સમાજની લાગણી-માંગણી સમજી સહકાર આપતા હોય તો બીજા કેમ નહિ ? 
ત્યારે પોલીસ તંત્રએ ઉપરોક્ત સ્થળે અને વિસ્તારમાં સુચના પછી પણ માંસ મટનની દુકાનો ચાલુ  રાખતા વેપારીઓ સામે શિક્ષાત્મક લાલ આંખ કરવી જરૂરી હોવાની માંગ ઉઠી છે.


જેતપુરમાં વીર ચાંપરાજવાળા પ્રતિમા અનાવરણ તિથી નિમિત્તે 
26મીએ ભવ્ય લોકડાયરાનું આયોજન
જેતપુર તા.21
જેતપુરમાં વીર ચાંપરાજવાળા પ્રતિમા અનાવરણ તિથી નિમિતે તા.26 મી ઓગસ્ટે, અહીના વીર ચાપરાજવાળા યુવક મંડળ અને શહેર તેમજ તાલુકા વિસ્તારના કાઠી ક્ષત્રીય સમાજના  નાના મોટા આગેવાનો દ્વારા અહીના જીમખાના મેદાનમાં  રાત્રીના 9 વાગ્યે લોકડાયરાનું આયોજન કરાયું છે.
આ દિવસે બપોરે વીર ચાપરાજવાળા બાપુની બારીયેથી એક ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં જોડવા સમાજના તમામ કાર્યકરો, આગેવાનોને અનુરોધ  કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812


રૂપાવટી ગામે ચાલતા ભવ્ય ભક્તિ મનોરથમાં એક મહિનો ભક્તિના રંગે રંગાશે હજારો ભક્તો !

શ્રી લાલજી ધૂન કીર્તન મંડળ દ્વારા જેતલસર પંથકના 
રૂપાવટી ગામે ચાલતા ભવ્ય ભક્તિ મનોરથમાં 
એક મહિનો ભક્તિના રંગે રંગાશે હજારો ભક્તો !
તા.15-8 થી તા.13-9 એમ આખો શ્રાવણ માસ દરમિયાન ચાલનાર ભક્તિ મનોરથનો લાભ લેવા  ધર્મપ્રેમી જનતાને અનુરોધ 

જેતલસર તા. 21
જેતલસર પંથકના રૂપાવટી ગામે છેલ્લાં 20 વર્ષ થયા કાર્યરત શ્રી લાલજી ધૂન કીર્તન મંડળ દ્વારા ગામના ગોપાલભાઈ બાલધાના  નિવાસસ્થાને આખો શ્રાવણ માસ દરમિયાન ચાલનારા અને શરુ થયેલ ભક્તિ મનોરથમાં રોજ રાત્રીના બહોળી સંખ્યામાં ભક્તજનો ભક્તિના રંગે રંગાતા હોવાની વિગતો મળી રહી છે.
આ બાબતે વિગતો આપતા આયોજક ગણના ગોપાલભાઈ, ભાવેશભાઈ તથા ચિરાગભાઈએ જણાવેલ કે તેઓના રૂપાવટી ગામમાં છેલ્લાં 19 વર્ષથી ચાલતા શ્રી લાલજી ધૂન કીર્તન મંડળના 20 માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આ વાતને ધાર્મિક કાર્યક્રમોથી વધાવવા માટે આખો શ્રાવણ મહિનો ભક્તિ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે.

ગામના કનૈયા ગ્રુપ, ગજાનંદ ગ્રુપ, જય સરદાર ગ્રુપ, સ્વાધ્યાય યુવા ગ્રુપ, ગોપી મંડળ, પ્રેમવતી મહિલા મંડળ, જય ખોડલ લેઉવા પટેલ સમાજ, કામધેનું ગૌ રક્ષક ગ્રુપ અને જય ભગીરથ યુવક મંડળ એમ તમામ ધાર્મિક મંડળોના સાથ સહકાર વચ્ચે તા.15.8 થી તા.13.9 સુધી ચાલનારા આ ભક્તિ મનોરથ કાર્યક્રમમાં જેતલસર, ચાંપરાજપુર, વાંકુંના ખારચિયા, ખજૂરી ગુંદાળા, બોરડી સમઢીયાળા, જેતપુર, દેવકીગાલોલ, બામણગઢ, ખીરસરા, ફરેણી અને રાજકોટ વિગેરે શહેરો અને ગામોના ભક્તિ કીર્તન મંડળો પધારી પોતાના કાર્યક્રમો રજુ કરશે, તો નવા રણુંજાથી પુ. કરશનદાસ બાપુ, જેતપુર, નવાગઢ, ફરેણી અને અમરેલીના સંતો મહંતો રૂપાવટી ગામે પધારી પોત પોતાની અમૃતવાણી અને દર્શનનો લાભ આપનાર હોય, ધર્મપ્રેમી જનતાએ આ ભવ્ય ભક્તિ મનોરથનો લાભ લેવા ગોપાલભાઈ બાલધા સહિતના આયોજક ભક્તગણે અનુરોધ કર્યો  છે.

કશ્યપ જે. જોશી જેતલસર (જેતપુર) 9974262812

ગુરુવાર, 20 ઑગસ્ટ, 2015

જેતપુરમાં રૂ.117.50 લાખના ખર્ચે તાલુકા પંચાયત ભવન બનશે..

જેતપુરમાં રૂ.117.50 લાખના ખર્ચે તાલુકા પંચાયત ભવન બનશે..
રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના હસ્તે તા.પં.ભવનનું ખાતમુહુર્ત કરાયું, શહેરમાં ચાલતા 
નબળા ભૂગર્ભ ગટર કામને બ્રેક મરાવી બીજી એજન્સીને કામ સોંપાવતા રાજ્ય મંત્રી..

જેતપુર તા.20
જેતપુર તાલુકા પંચાયત ભવનની જર્જરિત અવસ્થાને ધ્યાને લઇ, સ્થાનિક આગેવાનોની અવારનવારની રજુઆતોને પ્રાધાન્ય અપાવી સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડીયાએ આજે પોતાની અંગત જહેમત વચ્ચે મંજુર થયેલ 117.50 લાખના ખર્ચે બનનાર જેતપુર તાલુકા પંચાયત ભવનનું આજે સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં ખાતમુહુર્ત કર્યું હતું.

મળતી વિગતો મુજબ જેતપુર શહેર અને તાલુકા ભરના આગેવાનોની હાજરીમાં ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડીયાએ તાલુકા પંચાયત ભવનનું શાસ્ત્રોક વિધિથી ભૂમિ પૂજન અને ખાતમુહુર્ત કર્યું હતું. આ તાલુકા પંચાયત ભવન સરકારની 100 ટકા ગ્રાન્ટમાંથી બનશે જે સુવિધા જેતપુર તાલુકાના તમામ ગામોના નાગરિકોને મળતી થશે.

માજી રાજ્ય મંત્રી જસુબેન કોરાટ, પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, પી.જી.કયાડા સહિતના ભાજપના આગેવાનોની હાજરીમાં રાજ્ય મંત્રી જયેશ રાદડીયાએ અન્ય વિગતો આપતા જણાવેલ કે તેમના પિતા અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની રૂપિયા 3 કરોડની ગ્રાન્ટમાંથી જેતપુર, જામકંડોરણા તાલુકામાં વિકાસના કામો વેગવંતા બનાવાયા છે.

જેતપુર, ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા શહેરોમાં પાણીની કાયમી સમસ્યા હલ થાય તે માટે રૂપિયા 600 કરોડની નર્મદા આધારિત પાણી પુરવઠા યોજનાને રાજ્ય સરકારે મંજુર કરતા આ યોજના સાકાર કરવા ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. તો જેતપુર અને જામકંડોરણાને પાઈપલાઈન વાટે ગેસ મળતો થાય તેનું કામ યુધ્ધના ધોરણે હાથ ધરાયું છે. આ તકે ઉપસ્થિત સૌ આગેવાનોએ પ્રસંગોચિત વક્તવ્યો આપી શહેરમાં નિર્માણાધીન તાલુકા પંચાયત ભવનની સેવા પરત્વે હરખ વ્યક્ત કર્યો હતો.

બોક્સ: ભૂગર્ભ ગટરના નબળા કામને રોકાવતા રાજ્ય મંત્રી રાદડિયા 
જેતપુર : જેતપુર શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટરની નબળી  કામગીરીની વ્યાપક ફરિયાદો બાદ ગિન્નાયેલા સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડીયાએ વર્તમાન કંપનીનો કોન્ટ્રાકટ રોકાવી અન્ય સંસ્થાને શહેરની ભૂગર્ભ ગટરની કામગીરી સોંપી હોવાનું જાણવા મળ્યું હતું, જયેશભાઈએ પોતાના વક્તવ્યમાં એવો પણ ધ્રુજારો વ્યક્ત કર્યો હતો કે વિકાસના કામો હાથ ધરાવવામાં કોઈ કચાસ નહિ રખાય, પણ વિકાસના કામોમાં લાલિયા વાડી કે લોટ, પાણી અને લાકડા જેવી કોઈની નીતિ પ્રત્યે બેધ્યાનપણું નહિ દાખવીએ, સમજીને વિકાસના કામો કરવા !

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી - જેતપુર - જેતલસર 

બુધવાર, 19 ઑગસ્ટ, 2015

ચકડોળ પરથી ગબડેલા બિહારી યુવાનનું જેતપુરમાં સારવાર દરમીયાન મોત

સુલતાનપુરમાં ચાલતા દશામાના મેળામાં ચાલતા ટ્રાયલ દરમિયાન 
ચકડોળ પરથી ગબડેલા બિહારી યુવાનનું જેતપુરમાં સારવાર દરમીયાન મોત 
15 ફૂટ ઉંચેથી ચકડોળ પરથી ગયા રવિવારે ગબડ્યો હતો, ચાર દિવસની સારવાર દરમિયાન જીંદગી ખલ્લાસ થઇ ગઈ !!
જેતપુર તા.19
આજથી ચાર દિવસ પહેલા ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે ચાલતા મનોરંજક મેળામાં ચકડોળ પરથી ગબડેલા એક બિહારી યુવાનનું આજે જેતપુરની ખાનગી હોસ્પીટલમાં સારવાર દરીમીયાન મોત થતા શહેર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જે પોષતું તે મારતું તેવી કહાવત જાણે અક્ષરશઃ સાબીત થઇ હોઈ તેમ સૌરાષ્ટ્ર ગુજરાતના જુદા જુદા લોકમેળાઓમાં ચકડોળ સંચાલકો સાથે મજુરી કામે રહી પોતાના પરીવાનના ગુજરાનમાં મદદ કરતા અને ગોંડલના સુલ્તાનપુર ગામે રહેતા મૂળ બિહારના આકાશ કુમાર રવિદાસ ચમાર ઉ.વ.20 નામનો યુવાન ચાર દિવસ પહેલા સુલતાનપુર ગામે દશામાના શરુ થયેલ મેળામાં એક ચકડોળના ટ્રાયલ દરીમીયાન ગયા રવિવારે 15 ફૂટ ઉંચેથી નીચે ગબડતા તેમને હાથે અને માથામાં ગંભીર ઈજાઓ સાથે ગંભીર હાલતમાં સારવાર માટે જેતપુરની એક ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો.
જ્યાં આજે ચાર દિવસની સારવાર દરમિયાન આકાશનું મોત થતા તેમની ડેડબોડી પીએમ માટે અહીના સરકારી દવાખાને લવાઈ હોવાની હોસ્પિટલ સુત્રોની જાણ પરથી જેતપુર શહેર પોલીસ હોસ્પીટલે દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની વધુ તપાસ જેતપુર સીટી પોલીસના એએસઆઈ નલીનભાઈ સોલંકીએ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

પ્રદુષણ નિયંત્રણ તંત્રએ રૂ.1.50 લાખની 600 ધોલાઈ થયેલી સાડીઓ સાથેનો ટેમ્પો પકડ્યો !

5 ગામના ખેડૂતોની ફરિયાદ બાદ તપાસ હાથ ધરાઈ 
પ્રદુષણ નિયંત્રણ તંત્રએ રૂ.1.50 લાખની 600 
ધોલાઈ થયેલી સાડીઓ સાથેનો ટેમ્પો પકડ્યો !
જો કે ફરિયાદ મુજબના કોઈ ધોલાઈઘાટો તંત્રના ધ્યાને આવ્યા નથી !!

જેતપુર તા.19
જેતપુર પંથકના ખેડૂતોની ગેરકાયદે ચાલતા સાડી ધોલાઈઘાટોની ફરિયાદો બાદ સ્થાનિક પ્રદુષણ નિયંત્રણ કચેરીના સત્તાધીસોએ તપાસના અંતે આજે એક કારખાનેદારના ટેમ્પોને ધોયેલી 600 સાડીઓ સાથે પકડી લઇ વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું ટી.સી. બારમેડા નામના અધિકારીએ જણાવ્યું હતું.

મળતી વિગતો મુજબ આજે જેતપુર તાલુકાના મેવાસા સહિતના 5 ગામોના ખેડૂતો તેઓના ગામોની સીમ વિસ્તારમાં અને છાપરવાડી ડેમ-નદી વિસ્તારમાં ગેરકાયદે સાડી ધોલાઈઘાટો ચલાવી બેફામ પ્રદુષણ ફેલાવી ખેત જમીનોને બંજર બનાવી, નદી-નાળાના પાણી પ્રદુષિત કરતા હોવાની ફરિયાદ માટે જેતપુર દોડી આવી, મામલતદાર અને પાણી પ્રદુષણ નિયંત્રણ કચેરી જેતપુરના સત્તાધીશોને આવેદન આપ્યા હતા.

ખેડૂતોની આવી ફરિયાદ બાદ પાણી પ્રદુષણ નિયંત્રણ કચેરીના પ્રાદેશિક અધિકારી શુક્લા, વૈજ્ઞાનિક અધિકારી બારમેડા તથા નાયબ પર્યાવરણ ઈજનેર કટેરિયા સહિતના સ્ટાફે મારતે ઘોડે મેવાસા વિસ્તારમાં તપાસ કરી હતી પણ કોઈ સાડીધોલાઈ ઘાટ ચાલતા નજરે પડ્યા નહોતા. પરંતુ આ જ અધિકારીઓ શિકારની શોધમાં હોય અને શિકાર મળ્યો હોય તેમ અહીના મેવાસા ચોકડી પાસેથી જીજે 3 વાય 6754 નંબરનો એક મેટાડોર રોકી તલાશી લેવાતા તેમાંથી  રૂપિયા 1.50 લાખની 600  ધોયેલી સાડીઓ મળી આવી હતી.

જીપીસીબી જેતપુરના અધિકારીઓની  તપાસમાં બહાર   આવેલ વિગતોમાં આ ટેમ્પો જેતપુરના જય ટેક્ષટાઈલ પ્રોસેસ(ખાનદાન નગર) નામના કારખાનેદારનો હતો. અને સાડી જ્યાં ધોવાઈ તે સોફર પ્લાન્ટ વાળી જમીન, વાડી હરીપરના કાશ્મીરાબેન અલ્પેશભાઈ પારેખની હોવાનું જાણવા મળ્યું હતું.

આ તકે જીપીસીબીના અધીકારીઓએ જણાવેલ કે ઉપરોક્ત કારખાનેદારનો સોફરવાળા પ્લાન્ટની  કન્સાઈન પૂરી થઇ ગઈ છે અને આ સોફર પ્લાન્ટને ક્લોઝર આપ્યું હતું, આમ છતાં ગેરકાયદેસર રીતે સોફર પ્લાન્ટ ચલાવતા હોવાનું માલુમ પડ્યું હતું, જ્યારે બીજી બાજુ આ ઘાટ માલિકે પ્રદુષણ નિયંત્રણ કચેરી જેતપુરના કાર્યવાહકોને એવો જવાબ આપ્યો હતો કે અત્યાર સુધીમાં તેઓને કોઈ ક્લોઝર નોટીસ મળી ના હોય, ઘાટ ચલાવતો હતો. જયારે જાણકારોમાં એક એવી ચર્ચાઓ થતા સાંભળવા મળી હતી કે જીપીસીબી એ આ ઘાટ માલિકને ક્લોઝરનો હુકમ આપ્યો તેને 15 દિવસ વીત્યા છતાં વીજ કંપનીએ કે આ ઘાટ સંચાલકનું વીજ કનેક્શન નાં કાપ્યું ? ઈ તપાસનો વિષય છે.

જ્યારે અન્ય એક જગ્યાએ ચાલતા સોફર પ્લાન્ટની તપાસ કરાતા વાડી માલિક લાખાભાઈ સરવૈયાના સોફર પ્લાન્ટની કાન્સાઈન પૂરી થઇ ગઈ હોવા છતાં સોફર પ્લાન્ટ ચાલુ હોય, તેમને પણ લેખિતમાં નોટીસ ફટકારીને તેમને ભાટગામ સ્થિત સાડીધોલાઈના સામુહિક ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જોડાઈ જવા જણાવાયું છે. આમ આજની ખેડૂતોની ફરિયાદ પરથી આજે જેતપુર પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ તપાસ અને કાર્યવાહી હાથ ધરતા ગેરકાયદેસર સાડી ધોલાઈ ઘાટો ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812



ગુરુવાર, 13 ઑગસ્ટ, 2015

અવસાન નોંધ :

અવસાન નોંધ :                                                      13-8-2015
જેતપુર : ખજૂરીગુંદાળા નિવાસી હાલારી વાણંદ સ્વ.પરસોત્તમભાઈ ભાણજીભાઈ ભટ્ટીના પત્ની સાકરબેન(ઉ.વ.90) તે અમૃતભાઈ, જીવનભાઈના માતા, સાગર, પંકજ, હેતલબેન, ધીરુભાઈ, નટુભાઈ અને રસિકભાઈના મોટાબા તા.13 ના રોજ અવસાન પામેલ છે.
                          કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812
 

જેતપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન-યજ્ઞોપવિતનું આયોજન

જેતપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન-યજ્ઞોપવિતનું આયોજન 
જેતપુર તા.13
આગામી 16 મી ડીસેમ્બર-2015 ના રોજ જેતપુર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન અને સમૂહ યાગ્નોપવિતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બંને કાર્યક્રમોમાં જોડવા ઈચ્છતા બ્રહ્મ સમાજના વાલીઓએ તા.6-11-15 સુધીમાં લગ્ન ફોર્મ ભરીને વિજય ઝેરોક્ષ(તીનબત્તી ચોક), જૂની નવજીવન હોટેલ(સ્ટેન્ડચોક) તથા સુભાષ જોશી(જય માતાજી-નવાગઢ) પહોચતા કરવા અને વધુ માહિતી માટે પ્રોજેક્ટ ચેરમેન પ્રવીણભાઈ વ્યાસ(9879683835), બ્રહ્મ સમાજ પ્રમુખ જેન્તીભાઈ જોશી, મંત્રી હિતેશ રાવલ, ઉપેન્દ્ર વ્યાસ, મહિલા મંડળના પ્રમુખ નીતાબેન મહેતા, યુવા બ્રહ્મ સમાજના પ્રમુખ અલ્પેશ વ્યાસ વિગેરેનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

જેતપુરની એ કેનાલ નજીકના ખુલ્લા 
ફાટક ઉપર નાનો પુલ બનાવવા માંગ
જેતપુર તા.13
જેતપુર શહેરમાં ધોરાજી રોડ પર મુખ્ય માર્ગને સેન્ટફ્રાન્સીસ સ્કુલ તરફ નેશનલ હાઈવે નજીકની કેનાલ રોડ પર એક રેલ્વેનું ખુલ્લું ફાટક આવેલું છે. આ રેલ્વે ફાટક ઉપર નાનો  પુલ બનાવાય તો કેનાલની બંને બાજુની માનવ વસાહત અને સ્કુલમાં આવતા જતા વિદ્યાર્થી બાળકોની સલામતી જોખમમાં મુકાતી અટકે તેમ હોવાનું અમિત ભીમની અને રાજુભાઈ વાળા સહિતના જાગૃત નાગરિકોએ માર્ગ અને મકાન તંત્ર ઉપરાંત સ્થાનિક મામલતદારને આવેદન આપી લેખિત રજુઆતો કરાઈ હતી તે તસ્વીરમાં દેખાય છે.( ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી 99742 62812)

જેતપુરમાં આજે આરએસએસ દ્વારા સર્વેક્ષણ-વ્યાખ્યાનનું આયોજન
જેતપુર તા.13
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જેતપુર દ્વારા આજે અખંડ ભારત સ્મૃતિ દિન નિમિત્તે  તા.14.8. ના રોજ રાત્રીના 9-30 કલાકે લોહાણા મહાજન વાડી ખાતે સર્વેક્ષણ અને અખંડ ભારતની સ્મૃતિ જન માનસપટ પર તાજી કરવાના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિવૃત આર્મી ઓફિસર કેપ્ટન જયદેવભાઈ જોશી ખાસ હાજર રહી પોતાના ભક્તિના વિચારો રજુ કરનાર હોય શહેરીજનો ઉપરાંત વિદ્યાર્થી ભાઈ બહેનોએ હાજર રહેવા આરઆરએસના દીપક ત્રિવેદીએ અનુરોધ કર્યો છે. 

જેતપુરના સેવાભાવીએ જન્મદિન નિમિતે 
આફ્રિકા ખાતે અનાથ આશ્રમને કરી મદદ 
જેતપુર તા.13
તાજેતરમાં જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને સેવાભાવી રવિ આંબલિયાએ  પોતાના જન્મદિન નિમિત્તે જેતપુરમાં રક્તદાન અને સરકારી હોસ્પીટલમાં ફ્રુટ વિતરણ કરેલ તેમજ આફ્રિકાના એક અનાથ આશ્રમને ભોજનનો સરસામાન પહોચાડી અદકેરી સેવા કરી હતી. પ્રસ્તુત તસવીરોમાં આફ્રિકાના જરૂરીયાતમંદોને સહાય કરતા રવિભાઈના સમર્થકો દેખાય છે.
( ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી 99742 62812)


કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812