LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 13 ઑગસ્ટ, 2015
જેતપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન-યજ્ઞોપવિતનું આયોજન
: દ્વારકા ખાતે જિલ્લા કક્ષાના સ્વાંતત્ર્ય પર્વની ઉજવણીમાં શ્રી જયેશ રાદડીયાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે.
દ્વારકા ખાતે જિલ્લા કક્ષાના સ્વાંતત્ર્ય પર્વની ઉજવણીમાં
શ્રી જયેશ રાદડીયાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે.
૬૯માં સ્વાતંત્ર્ય દિનની રાજયકક્ષાની ઉજવણી પૂર્વે વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મહિસાગર જિલ્લાના ખાનાપુર તાલુકાના અંદાજે રૂા. ૮૩ લાખના કુલ- ૧૪ કામોનું રાજયકક્ષાના પાણી પૂરવઠા અને પ્રવાસન મંત્રી શ્રી જયેશ રાદડીયાના હસ્તે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વધુમાં દ્વારકા જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર દિનની ઉજવણીનો કાર્યક્રમ પી.ડબલ્યુ.ડી. ગ્રાઉન્ડ, સરકીટ હાઉસ પાછળ, દ્વારકા ખાતે ૧૫મી ઓગષ્ટ-૨૦૧૫, શનિવારના રોજ સવારે ૦૯.૦૦ કલાકે યોજાનાર છે. જેમાં માનનીય રાજયકક્ષાના મંત્રીશ્રી - પ્રવાસન અને પાણી પૂરવઠા, શ્રી જયેશ રાદડીયાના વરદ્હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત વિવિધ સાંસ્કૃત્તિકઅકાર્યક્રમોમાં માનનીય રાજયકક્ષાના મંત્રીશ્રી - પ્રવાસન અને પાણી પૂરવઠા ઉપસ્થિત રહેશે.
કશ્યપ જે. જોશી જેતલસર (જેતપુર) 9974262812
બુધવાર, 12 ઑગસ્ટ, 2015
મમ્મી-પપ્પા મારી પત્ની શીતલનું ધ્યાન રાખજો હું મારી મરજીથી ઈશ્વરશરણે જઉં છું !!
મંગળવાર, 11 ઑગસ્ટ, 2015
અવસાન નોંધ :
સોમવાર, 10 ઑગસ્ટ, 2015
જેતપુરમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી આરઆર સેલનો જુગાર દરોડો જેતલસર રેલવેના સ્ટેશન માસ્તર સહીત 7 શખ્શો પત્તા ટીંચતા ઝડપાયા
શનિવાર, 8 ઑગસ્ટ, 2015
12મીએ યોજવાની રેલી અનુસંધાને કાલે રાત્રીના બેઠક એસપીજી-એલપીએસ ગ્રુપ દ્વારા જેતપુરમાં ભવ્ય પાટીદાર અનામત રેલીનું આયોજન
12મીએ યોજવાની રેલી અનુસંધાને કાલે રાત્રીના બેઠક
એસપીજી-એલપીએસ ગ્રુપ દ્વારા જેતપુરમાં
ભવ્ય પાટીદાર અનામત રેલીનું આયોજન
(કશ્યપ જોશી દ્વારા) જેતલસર(જેતપુર) તા.8
જેતપુર શહેરમાં પણ પાટીદાર અનામત રેલી માટે ખાંડા ખખડાવવા એસપીજી અને એલપીએસ ગ્રુપના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ હોવાનું જાણવા મળે છે.
આ બાબતે મળતી વિગતો મુજબ વર્તમાન સમયમાં અનામત માંગવાની લડાઈમાં જેતપુર પાટીદાર સમાજે પણ ઝુંકાવીને આગામી 12.8.ના રોજ ભવ્ય રેલી કાઢી મામલતદારને આવેદન આપવાનું આયોજન કર્યું છે.
શહેરના એસપીજી અને એલપીએસ ગ્રુપના યુવાન આગેવાનો સુરેશ ખાચરીયા, રોહિત વડાલીયા, શૈલેશ રામાણી, હરેશ ખાચરીયા, કૌશિક બરવાડીયા, કલ્પેશ રાંક, ચેતન નંદાણીયા, નીલેશ રીબડીયા, હરેશ રીબડીયા, રાજેશ વેકરીયા, જેનીશ રાંક, કૌશિક બાલધા, જનક સુવાગીયા, નેમીશ ભુવા, મુકેશ સીધ્ધપરા, મનીષ ઠુંમર, રાજેશ બાવીશા, રાજેશ રાબડીયા, વિગેરે યુવાનોએ જણાવેલ કે પાટીદાર સમાજને અનામતનો લાભ આપવાની માંગ સાથે જેતપુરમાં જુનાગઢ રોડ પર આવેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સવારે 9-30 કલાકે હારતોરા કરી ભવ્ય રેલીનું આયોજન કરાયું છે.
તા.12 ના રોજ નીકળનારી આ રેલીમાં સમસ્ત લેઉંવા તેમજ કડવા પટેલ જ્ઞાતિજનો મોટી સંખ્યામાં જોડાશે, રેલી સરદાર ચોકથી, તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, બસસ્ટેન્ડ રોડ, કણકિયા પ્લોટ, થઈને પુનઃ સરદાર ચોક તરફ જશે. આ પહેલા જુનાગઢ રોડ પર આવેલ મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદન અપાશે. અહી પાટીદાર સમાજના આગેવાનો તેઓના હક્ક સમાન અનામતની માંગ દોહરાવી મામલતદારને રજૂઆત કરશે કે તેઓની માંગ ઉપલી કક્ષા સુધી પહોચાડાય.
ટૂંકમાં જેતપુર શહેર અને તાલુકાના પાટીદાર સમાજે હવે અનામત મેળવવા ખાંડા ખખડાવી પટેલ સમાજનો પરચો બતાવી દેવાની તમામ તૈયારીઓ આરંભી દીધી છે. તા.12 મી ઓગસ્ટના દિવસે જેતપુરમાં યોજાનાર આ અનામત રેલીને પાટીદાર ક્રાંતિ રેલી બનાવવા આયોજક ગ્રુપના આગેવાનો, કાર્યકરોએ સમસ્ત પટેલ સમાજને અનુરોધ કર્યો છે.
અનામત રેલી બાબતે કાલે જેતપુરમાં બેઠક...
જેતપુર: 12 મી ઓગસ્ટના દિવસે અનામત રેલીની ભવ્ય સફળતા માટે આવતીકાલ તા.10 ના રોજ રાત્રીના 9-00 કલાકે જુનાગઢ રોડ પર, સરદાર ચોક નજીક આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે રાત્રીના 9-00 એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક પટેલ સમાજના લોકોએ અનામતની માંગ માટે નૈતિક ભાગીદારી સમજી બહોળી સંખ્યામાં હાજર રહેવા સુરેશ ખાચરીયા સહિતના આગેવાનો દ્વારા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર)9974262812
શુક્રવાર, 7 ઑગસ્ટ, 2015
જેતપુરની પરિણીતાએ એસીડ પીતા ગંભીર
જેતપુર ખાતે આત્મજનોને રૂા. ૮.૦૦ લાખના ચેક અર્પણ કરતાં પાણી પૂરવઠા મંત્રીશ્રી જયેશ રાદડીયા
જેતપુર ખાતે આત્મજનોને રૂા. ૮.૦૦ લાખના ચેક અર્પણ કરતાં
પાણી પૂરવઠા મંત્રીશ્રી જયેશ રાદડીયા
(કશ્યપ જોશી દ્વારા ) જેતલસર (જેતપુર ) તા.7
સૌરાષ્ટ્ર વિસ્તારમાં અતિવૃષ્ટિ થતાં જેતપુર તાલુકાની ભાદર નદીના વિસ્તારમાં ઘોડાપૂર આવતા જેતપુર તાલુકાના અમરનગર ગામના સ્વ. બાબુભાઇ મોરબીયા તથા જેતપુર ગામના સ્વ.મનસુખભાઇ રોકડનું દુઃખદ અવસાન થયેલ. જેમના આત્મજનો હંસાબેન બાબુભાઇ મોરબીયા (રહે. અમરનગર)ને રૂા. ૪.૦૦ લાખ તથા નિમુબેન મનસુખભાઇ રોકડ (રહે. જેતપુર) રૂા.૪.૦૦ લાખ મળીને કુલ રૂા.૮,૦૦,૦૦૦/- (આઠ લાખ)ના સહાયના ચેકનું આજરોજ માન.રાજયકક્ષા મંત્રીશ્રી જયેશ રાદડીયા (પ્રવાસન અને પાણી પૂરવઠા) ના હસ્તે મામલતદાર કચેરી, જેતપુર ખાતે અર્પણ કરવામાં આવેલ.
આ પ્રસંગે જયેશ રાદડીયા, માન.રાજકયક્ષા મંત્રી(પ્રવાસન અને પાણી પુરવઠા), રમાબેન મકવાણા – પ્રમુખ, નગરપાલિકા જેતપુર, નિતાબેન ગુંદારીયા – પ્રમુખ, પ્રમોદ ત્રાડા – સદસ્ય, જેતપુર નગરપાલિકા, દિનકરભાઇ ગુંદારીયા, જે. એમ. ભોરણીયા – મામલતદાર, જેતપુર, બી. એમ. વ્યાસ-ચીફ ઓફીસર, જેતપુર,ડી. વી. ધેડા – ટી.ડી.ઓ., જેતપુર, નિખિલ મહેતા – સર્કલ ઓફીસર, જેતપુર વિગેરે હાજર રહી સરકારની સરાહના કરી હતી ઉપસ્થિત રહેલ હતાં.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812
જેતપુરનો આશાસ્પદ યુવાન બાઈક સાથે ભેદી સંજોગોમાં ગુમ
ગુરુવાર, 6 ઑગસ્ટ, 2015
બુધવાર, 5 ઑગસ્ટ, 2015
સમાચારમાં સુધારો :
જેતલસરના જડેશ્વર મહાદેવ મંદિરે આજે 14 તલાટી મંત્રીઓનો વિદાય સમારોહ..એક સ્વર્ગીય તલાટી મંત્રીને મરણોત્તર સન્માન અપાશે। ......એક ટકો'ય પાક વીમો મંજુર ના કરતા આજે 500 ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ આપશે સંબંધિતોને આવેદન...
મંગળવાર, 4 ઑગસ્ટ, 2015
જેતપુર તાલુકાના ખેડૂતો સાથે સરકારનો હળાહળ અન્યાય ! 2014-15 ના વર્ષમાં.... એક ટકો'ય પાક વીમો મંજુર ના કરતા કાલે 500 ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ આપશે સંબંધિતોને આવેદન...
સોમવાર, 3 ઑગસ્ટ, 2015
કાલાવડ પોલીસ સ્ટેશનના એક ફોજદારી ગુનામાં જામીન પડેલા શખ્શના દસ્તાવેજો બોગસ નીકળતા ખળભળાટ, જેતપુરના સર્કલ ઓફિસરે કાલાવડ પોલીસને ગુનો નોંધવા જણાવતા ચકચાર
જેતપુર ના વાણીજ્ય વેરા અધિકારી નો વિદાયસમાંરભ યોજાયો
જેતપુરના વાણીજ્ય વેરા અધિકારીને વિદાયમાન અપાયું
જેતપુર તા.3
જેતપુર ખાતે આવેલ વાણીજ્ય વેરા કચેરી ના અધિકારી તરીકે ફરજ બજાવતા કે.પી.વ્યાસ વય મર્યાદાને કારણે નિવૃત થતા હોઈ તેથી તમને અહીની વાણીજ્ય વેરા સ્ટાફ તેમજ ટેક્ષ કન્સલ્ટ આસો.દ્વારા તેમને વિદાય આપવામાં આવી હતી
વિદાય સમારંભ માં વેચાણ વેરા વિભાગ માં અધિકારી દેસાઈ, ચીચ્યા ,ધોળિયા, હઠીલા, શાહ , મામલદાર ભોરણીયા , નીખીલ મેહતા, તેમજ ટેક્ષ આસો. ના પ્રમુખ મુકેશભાઈ મેર ઉપસ્તિત રહ્યા હતા અને વિદાયમાન વ્યાસને શાલ ઓઢાડી સન્માન કરી તેમની યાદગીરી રૂપી મોમેન્ટો આપેલ હતો. પત્રકારત્વ કરી વાણીજ્ય વેરા તંત્રમાં ક્લાર્ક થી માંડી એક અધિકારી સુધી પહોચેલા વ્યાસે પોતાની ફરજને વાગોળી, ફરજ દરમિયાન સાથ અને સહકાર આપનાર તમામ કર્મીઓ અભાર માની હજુ પણ કોઈ કામ હોય તો હાકલ કરવા અનુરોધ કર્યો હતો.
જેતપુર ચેમ્બરમાથી બે અગ્રણિ ઉધ્યોગપતિઓના
અચાનક રાજીનામાથી શહેરભરમા ચક્ચાર
જેતપુર તા 3
જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સની તાજેતરમાજ રચાયેલી નવી બોડીમા શહેરના મોટા ગજાના બે અગ્રણી ઉધ્યોગ્પતિઓ રાજુભાઇ પટેલ અને જયંતીભાઈ રામોલિયાણી પણ નિમણુંકો થઇ હતી.
બિજીબાજુ કોઇ રાજ્કીય સમીકરણો રચાયા હોય કે જે હોય તે પણ ઉપરોક્ત બન્ને ખમતિધર ઉધ્યોગપતિઓ અચાનક રાજીનામાં ધરી દેતા શહેરભરમા એવી ચર્ચાઓ જાગી છે કે શહેરની વ્યાપારી સંસ્થા એવી ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફ્થી પોત પોતાના મોઢા ફેરવી લેવામા આ મોટા ગજાના માથાઓને ક્યા પરિબળો અસર કરી ગયા કે તેઓને આમ અચાનક રાજીનામા ધરી દેવા પડ્યા ??
કે કઇ બાબતોએ તેઓને આમ કરવા મજ્બુર કર્યા ?
જો કે આ વાતનુ સત્ય ખાળવા કરાયેલ સંપર્ક દરમિયાન ઉધ્યોગપતિ જયંતિભાઈ રામોલિયાએ જણાવેલ કે જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સમા હાલ પટેલ ઉમેદ્વારોની સંખ્યા વધી હોય તેમજ અન્ય ઉમેદ્વારોને તક મળે તે માટે તેઓએ રાજીનામા ધરી દિધા છે. શહેરીજનોમા ચર્ચાતી એક અન્ય ચર્ચા મુજબ ઉપરોક્ત બન્ને માન્ધાતાઓએ વર્તમાન પ્રમુખથી નારાજ થઇને રાજીનામા આપ્યા છે ?!
પણ આ વાતને અસમર્થન આપી બન્ને ઉધ્યોગપતિઓ રાજુભાઇ અને જયંતીભાઈએ જણાવેલ કે ના ભાઇ એવુ કાઇ નથી. અત્રે એ પણ નોંધનીય છે કે આ બંને ઉદ્યોગપતિઓના રાજીનામાથી ખાલી પડેલી જગ્યાઓ પર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરીંગ એશો.ના સભ્ય હરેશભાઈ ગાંધી અને પ્લાઈવુડ એશો.ના સભ્ય જયેશભાઈને રૈયાણીને આમંત્રિત સભ્યો તરીકે નિમાયા હોવાનું ચેમ્બર મંત્રી હરેશ ગઢિયાએ જણાવ્યું છે.
જેતપુરની ભાદર નદીમાંથી રેતી ચોરવાનો સિલસિલો જારી
વધુ 4 શખ્શો રેતી ચોરી કરતા પકડાયા
જેતપુર તા.3
જેતપુરની ભાદર નદીમાં બેરોકટોક રેતીની ચોરીની સંબંધિત ખાણ ખનીજ તંત્રને અનેક વખત ફરિયાદો કરાઈ હોવા છતાં કોઈએ રેતી ચોરી અટકાવી નહોતી. બીજીબાજુ આ ફરિયાદ સ્થાનિક ડીવાયએસપીને કરાતા તેઓએ રવિવારની રાત્રીના ભાદર નદીમાં ચેકિંગ હાથ ધરતા ત્યાં વરસાદી પાણીથી તણાઈને આવેલી રેતીનો મોટો જથ્થો ચોરતા દેવશી પાલા, ભૂપત રાણા અને ભીખુ રણમલ સહીત ચાર શખ્શો રેતી ચોરતા ટ્રેકટરો સમેત પકડાઈ જતા તમામ સામે ખનીજ ચોરીનો શહેર પોલીસ દફતરે ગુનો નોંધાવ્યો હતો. સ્થાનિક એસપી જાતે રેતી ચોરીનો મામલો પકડી પાડી કડક કાર્યવાહી કરતા આવી ખનીજ ચોરી સાથે સંકળાયેલ તત્વો ભયભીત બન્યા છે.
જેતપુરના અગ્રણી વેપારીને ભુમાફીયાએ
આપી જાનથી મારી નાખવાની ધમકી
જેતપુર તા.3
જેતપુરના એક અગ્રણી વેપારીને જુનાગઢના એક ભુમાફીયાએ મોબાઈલ ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ અહી અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા દયાનંદ એન્જીનીયરીંગવાળા પ્રવીણભાઈ મનુભાઈ ગજેરાની જેતપુરની સીમમાં આવેલી જમીન બાબતે લાંબા સમય થયા તકરારો થતી આવે છે.
બીજીબાજુ જુનાગઢના યુવરાજ ગોવાળિયા નામના કોઈ યુવાને સાટાખત કરી દેજે નહીતર જાનથી મારી નાખીશ તેવી પ્રવીણભાઈ ગજેરાને મોબાઈલ ઉપર ધમકી દેતા આ વેપારીએ શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવરાજની શોધખોળ આદરી છે.
જેતપુરના યુવાને ઝેરી દવા પિતા દવાખાને
જેતપુર તા.3
જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં રહેતા પ્રજાપતિ યુવાન નીલેશ રમેશભાઈએ કોઈ અકળ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે અહીના દવાખાને ખસેડેલ છે. પોલીસે દવાખાને દોડી જઈને નિલેશની પૂછપરછ હાથ ધરી હતી.
KASHYAP JOSHI JETPUR JETALSAR 99742 6282



































