અનુયાયીઓ

ગુરુવાર, 25 જૂન, 2015

જેતપુરમાં 6 દિવસ પાણી વિતરણ બંધ રહેશે

વરસાદી પાણીમાં ફિલ્ટર પ્લાન્ટ ધોવાઈ જતા 
જેતપુરમાં 6 દિવસ પાણી વિતરણ બંધ રહેશે 
જેતપુર તા.25
ગઈકાલે જેતપુરના અમરનગર રોડ સ્થિત જેતપુર પાલિકાના ફિલ્ટર પ્લાન્ટમાં વરસાદી પાણી ઘુસી જતા મોટા ભાગની મશીનરીને નુકશાન થયું હોય, આગામી 6 દિવસ સુધી જેતપુરના એક પણ વિસ્તારમાં પાણી વિતરણ નહિ કરી શકાય તેવી જાહેરાત કરતી એક રિક્ષાને પાલિકા સુત્રોએ આજે દિવસ દરમિયાન ફેરવી હતી.
આ બાબતે જેતપુર પાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ ભાઈ વ્યાસે એક પ્રજાજોગ નિવેદનમાં જણાવ્યું છે કે ગઈકાલે વરસાદી પાણી પાલિકાના અમરનગર રોડ ઉપર આવેલ ફિલ્ટરપ્લાન્ટમાં ઘુસી જતા મશીનરી પાણીમાં ડૂબી ગઈ હતી. એક તબક્કે વરસાદી પાણી કોઈ પણ ભોગે ઓસરતા ના હોય મશીનરી 24 કલાક સુધી પાણીમાં ડૂબી રહી હતી. હવે પાણી ઓસરતા મશીનરીને પૂર્વવત કરવાની કાર્યવાહી પુરજોશમાં શરુ કરી દેવાઈ છે. પણ આ કામગીરીમાં 5-6 દિવસ નીકળી જનાર હોય, આટલા દિવસ જેતપુર શહેરમા એક પણ વિસ્તારમાં પાણી વિતરણ શક્ય ના બનનાર હોય, જેતપુરવાસીઓ પાણીનો બને તેટલો ઓછો બગાડ કરી સમજણપૂર્વક પાણી વાપરી તંત્રને સહકાર આપે તે જરૂરી છે. બીજી બાજુ જાણકારો કહે છે કે જેતપુર પાલિકાના ફિલ્ટર પ્લાન્ટની મશીનરી(ઇલેક્ટ્રિક મોટર્સ) ભલે પાણીમાં ડૂબી ગઈ, પણ આવી મોટર્સને તાત્કાલિક બહાર કાઢી હીટ આપી પૂર્વવત કરી શકાય, સંબંધિતો બળેલી મોટર્સના બીલો સરકારી ચોપડે ના ઉધારે તે હવે તંત્રે જોવાનું રહ્યું..દુખની વાત એ બની કે જેતપુર રાજકોટનો ભાદર ડેમ એક રાતમાં છલકી ગયો અને આ બંને શહેરોને દોઢ વર્ષ ચાલે એટલો કુદરતે જળજથ્થો પણ ડેમમાં ઠાલવી દીધો છે, પણ જેતપુર શહેરમાં જે જગ્યાએથી પાણી વિતરણ થાય છે તેવા જેતપુરના ફિલ્ટર પ્લાન્ટમાં પાણીને હિસાબે ખોટકો સર્જાયો હોય, જેતપુરના લોકો માટે આ કમનશીબી કહેવાય!!

કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

જેતપુરમાં પાણીના તાંડવમાં તણાયેલ યુવાનની લાશ મળી, અમરનગરના આધેડ હજુ લાપતા

જેતપુરમાં પાણીના તાંડવમાં તણાયેલ યુવાનની 
લાશ મળી, અમરનગરના આધેડ હજુ લાપતા
જેતપુર તા.25
ગઈકાલે જેતપુરમાં ભરાયેલા પાણીમાં તણાઈને ગાયબ થયેલા એક યુવાનની લાશ આજે તંત્રને હાથ લાગી હતી જયારે અમરનગરના આધેધ ની લાશ હજુ મળી ના હોવાનું પોલીસ અને સરકારી તંત્રો કહે છે.
મળતી વિગતો મુજબ ગઈકાલે જેતપુરના વાડાસડા, ચારણીયા અને અમરનગરમાં 15-20 ઇંચ પડેલા વરસાદથી આ ત્રણેય ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા. એટલુજ નહિ વાડીયાનાનો સુરવો ડેમ પણ છલકી જતા આ ડેમ ઉપરાંત વરસાદી પાણી ખીરસરા થઈને ઘસમસતી અવસ્થામાં છેક જેતપુર ના શારણના પુલ, પાલિકાનો ફિલ્ટર પ્લાન્ટ અને ગોંદરા વિસ્તારમાં ફરી વળ્યા હતા. જ્યાં જુઓ ત્યાં પાણી અવસ્થામાં સરકારી તંત્રો બીચારવાસ્થામાં કામે લાગ્યા હતા. પણ વરસાદી પાણીએ ભાધના મગજ બંધ કરી દીધા હોય શું કરવું ? કે શું નાં કરવું ? એવી નોબતમાં સૌ પટકાઈ ગયા હતા.
બીજી બાજુ પાણી ઉતારે તો કોઈ જાન હાની થઇ છે કે નહિ તેનો ખ્યાલ આવી શકે તેવી સ્થિતિમાં રાચતા જેતપુરના સંબંધિત સરકારી તંત્રો પાસે કોઈ વિગતો નહોતી ! કેટલા પશુઓ માર્યા ગયા ? કેટલા મકાનો પડી ગયા ? કેટલા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડાયા ? વિગેરે પ્રશ્નો મોડી રાત સુધી અનુત્તર રહ્યા હતા. દરીયાન જેતપુરના શારણના પુલ અને ગોંદરા વિસ્તારમાં વરસાદી પાણી રાત દરમિયાન ઓસરી જતા ગોંદરા વિસ્તારમાં ચાંપરાજની બારી પાસે રહેતા અને કાલે વરસાદી પાણીમાં ગરક બનેલા કિશન ખીમજીભાઈ રાઠોડ નામના 30 વર્ષના યુવાનની લાશ મળી આવતા  સરકારી તંત્રોએ આ ડેડબોડીને પીએમ માટે અહીની સરકારી હોસ્પીટલમાં ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી બાજુ જેતપુર તાલુકા પોલીસમાં અને મામલતદાર કચેરીમાં જાહેર થયા મુજબ તાલુકાના અમરનગર ગામના બાબુભાઈ જીવાભાઈ મોરબીયા નામના આધેડ પણ વરસાદી પાણીમાં ગુમ થયા હોય આજે 24 કલાક પછી પણ  તેમનો ક્યાય પત્તો લાગ્યો ના હોવાનું સરકારી તંત્ર જણાવે છે.

ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર 9974262812

સાંવરકુંડલાના વિઠ્ઠલપુર ગામની સહારે નવી સાંકળી

સાંવરકુંડલાના વિઠ્ઠલપુર ગામની સહારે નવી સાંકળી 
જેતલસર તા.25
જેતલસર પંથકના નવી સાંકળીના સેવાભાવીઓ આજે સાંવરકુંડલાના વિઠ્ઠલપુર ગામે દોડી જઈને અસરગ્રસ્તોને સહાય કરી હતી. 
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેતલસર પંથકના નવી સાંકળી ગામના સમસ્ત પ્રજાજનોએ આજે ગામમાં ફરી ફરીને ઘઉં, લોટ, ગાદલા, ગોદડા, બિસ્કીટ વિગેરે ચીજ વસ્તુઓ એક આખું મેટાડોર ભરીને વિઠ્ઠલપુર ગામે જઈને અસરગ્રસ્તોને વિતરણ કર્યું હતું, નવી સાંકળીના એક સેવાભાવીએ કહેલ કે તેઓના ગામથી અસરગ્રસ્તો માટે ઉપરોક્ત ગામે લઇ જવાયેલ રાહત સામગ્રીમાં જેતપુરના એકતા ડાઈંગવાળા વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા આપાયેલ રૂપિયા 11 હજારની ચાદર અને રૂપિયા 5 હજારના ઘઉંનો પણ સમાવેશ થતો હતો. નાનકડા એવા નવી સાંકળી ગામના પ્રજાજનોએ અસરગ્રસ્ત વિઠ્ઠલપુર ગામની વહારે જવાની પહેલ કરી હોવાનું જાણવા મળે છે.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812

5000 અસરગ્રસ્તોને નાસ્તો જમાડ્યો, ભાદર નદી કાંઠે જ અન્નક્ષેત્ર ચાલુ કરી દીધું !! જેતપુરમાં અસરગ્રસ્તોની વહારે આવતું હરિઓમ અન્નક્ષેત્ર

5000 અસરગ્રસ્તોને નાસ્તો જમાડ્યો, ભાદર નદી કાંઠે જ અન્નક્ષેત્ર ચાલુ કરી દીધું !!
જેતપુરમાં અસરગ્રસ્તોની વહારે આવતું હરિઓમ અન્નક્ષેત્ર
જેતપુર તા.25
જેતપુરમાં વરસાદી પાણીથી અસરગ્રસ્ત બનેલા અને ઉપર આભ-નીચે ધરતી જેવી દારુણ હાલતમાં પટકાયેલા ગરીબોની વહારે આવી શાહિરના હરિઓમ ભોજ્નાલાયે નદી કાંઠે જ રસોડું ચાલુ કર્યાની સરાહનીય સેવા ધ્યાને આવી છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ ગઈકાલે જેતપુર શહેરમાં પાંચ ઇંચ વરસાદથી શહેરમાં જેટલી તારાજી ના થઇ તેટલી તારાજી ઉપરવાસના ગામોના પાણીથી જેતપુરની આજુબાજુના છેવાડાના વિસ્તારોમાં થઇ છે. કોઈના કાચા પોચા મકાનો વરસાદી પાણીમાં ગરક થઇ ગયા તો કોઈના દ્વસ્ત થઇ ગયા. ખાસ કરીને શારણના પુલ વિસ્તાર, ગોંદરા વિસ્તાર અને ભાદર નદી કાંઠાના ઘણા મકાનોમાં 10-10 ફૂટ ભરાયેલા પાણીથી આવા મકાનોમાં રહેતા લોકોને રોડ ઉપર કે જ્યાં આશરો મળ્યો  પડી હતી. 
વરસાદી પાણીમાં રોટી, કપડા ઔર મકાન એમ સર્વસ્વ ગુમાવનાર પ્રજા માટે જેતપુરનું હરિઓમ અન્નક્ષેત્ર મેદાને આવ્યું છે. ગઈકાલે અસરગ્રસ્તોને નાસ્તા પાણી કરાવનાર આ મંડળના કાળુભાઈ જોશી(જોશીબાપા) સહિતના સેવાભાવીઓએ આજે સવારથીજ અમરનગર રોડ ઉપર 2000 અસરગ્રસ્તોને નાસ્તા કરાવી અહીના ભાદર નદી કાંઠે આવેલ હિંગલાજ હોલ ખાતે રસોડું ચાલુ કરી આસપાસના 3000 જેટલા ગરીબો, ભૂખ્યા અને વરસાદથી અસર પામેલા લોકોને ભોજન કરાવવા માટે રસોડું ચાલુ કરી દેતા આ સરાહનીય સેવાની સુવાસ આખા જેતપુરમાં ફેલાઈ ગઈ ગઈ છે. જોશીબાપાએ આ તકે કહેલ કે તેઓ તો સેવા માટે નિમિત બની રહ્યા છે, દેવા વાળા દાતાઓને માં જોગમાયા, ને ભોલાનાથ હજારગણું આપી દેશે !! ત્યારે સમયાંતરે અનેકવિધ સેવાઓ માટે ઉદાર હાથે દાન કરતા દાતાઓએ જોશીબાપાની સેવાને મજબુત બનાવવા સધિયારો આપવો જોઈએ તેવું કહેવું ઉચિત જણાય છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812

જાનના જોખમે 7 માણસોને હેમખેમ બચાવ્યા !!

જેતપુરની મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર નીખીલ મહેતાએ 
જાનના જોખમે 7 માણસોને હેમખેમ બચાવ્યા !!
અમરનગર રોડ પર ફિલ્ટર પ્લાન્ટ નજીક વરસાદી પાણીના તાંડવ વચ્ચે પહોચનાર જેતપુરના 
નીખીલ મહેતા કહે છે કે ફિક્સ પગારદાર જાનનું જોખમ ઉઠાવે તેવી તેમની પહેલી ઘટના ગણાવી 
જેતપુર તા.25
ગઈકાલે જેતપુરના અમરનગર રોડ ઉપર આવેલ જેતપુર પાલિકાના ફિલ્ટર પ્લાન્ટની આસપાસ વરસાદી પાણીએ તારાજી સર્જી સૌને ભયભીત કરી દીધા હતા.
આં સમયે જાનના જોખમે જેતપુર મામલતદાર કચેરીના યુવાન સર્કલ ઓફિસર નિખીલભાઈ મહેતાએ ભયંકર પાણીના પ્રવાહ વચ્ચેથી 7-7 માનવ જિંદગીને બચાવવાની રેસ્ક્યુ ટીમની સફળ કામગીરીમાં મહત્વનું યોગદાન આપતા,  ત્યાં ઉપસ્થિત જેતપુરના  ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડિયાએ નીખીલ મહેતાની પીઠ થાબડી હતી.

કોઈ સરકારી કચેરીમાં ફિક્સ પગારદાર હોય અને કોઈ મોતની આકસ્મિક ઘટના બને તો સરકાર એક પણ પૈસો ના આપે તેવા સરકારી નિયમોને અવગણી નૈતિક ફરજના ભાગરૂપે બજાવેલ સેવાને વર્ણવતા ઇખીલ મહેતાએ જણાવેલ કે ગઈકાલે બુધ્વારેજેત્પુરના અમરનગર - ખીરસરા રોડ સ્થિત જેતપુર પાલિકના ફિલ્ટર પ્લાન્ટ નજીક વરસાદી પાણીએ વિકરાળ રૂપ ધારણ કરતા આ લોકોએ નીખીલ મહેતાને જાણ કરતા એઓએ વિલંબ કર્યા વગર બનાવ સ્થળે દોડી જઈ, પરિસ્થિતિનો તાગ મેળવતા ફસાયેલા માણસોને બચાવવા રેસ્ક્યુ ટીમની જરૂર હોય તાત્કાલિક રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનની બોટ સાથે રેસ્ક્યુ ટીમ બોલાવી હતી.

દરમિયાન જેતપુર પહોચેલી રેસ્ક્યુ તિમી બોટમાં બેસી નીખીલ મહેતાએ પણ સાહસ ખેડી પાણીના પ્રવાહમાં ગયા હતા. પરંતુ સમય જતા સુરવો ડેમના પાણીનો પ્રવાહ વધતા બોત્માના તમામ જવાનોને પાણીમાં ઉભેલા એક વીજ સબસ્ટેશન (ટીસી) નો સહારો લેવો પડ્યો હતો. બીજીબાજુ રાજકોટ ખાતેથી રેસ્ક્યુ ટીમની બીજી ટીમને બોલાવી વીજ ટીસી પર જીવ બચાવવા લટકાયેલા 7 માણસો વિગેરેને  આબાદ બચાવાયા હતા, નીખીલ મહેતા એમ પણ જણાવેલ કે રેસ્ક્યુ ટીમના 2 જવાનો લાપતા થયા હોવાની વાત એકદમ ખોટી છે, જ્યારે ફિક્સ પગારમાં નોકરી કરતો કોઈ સરકારી કર્મચારી પોતાની જેમ જોખમ  બચાવ કામગીરીમાં   જોડાય તે નગ્ન સત્ય વાત બની ગઈ છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 99742 62812
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 


URGENT NEWS KASHYAP JOSHI JETPUR

---------- Forwarded message ----------
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: 25-Jun-2015 11:52 am
Subject: URGENT NEWS KASHYAP JOSHI JETPUR
To: "akiladailyphoto" <akiladailyphoto@gmail.com>, "kkumarjoshi" <kkumarjoshi@gmail.com>
Cc:

KASHYAP JOSHI JETPUR

બુધવાર, 24 જૂન, 2015

જેતપુર પંથકમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ વાડાસડા - ચારણીયા - અમરનગર બેટમાં ફેરવાયા તાલુકાના તમામ ગામોમાં 3 થી 7 ઇંચ વરસાદ

જેતપુર પંથકમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ 
વાડાસડા - ચારણીયા - અમરનગર બેટમાં ફેરવાયા 
તાલુકાના તમામ ગામોમાં 3 થી 7 ઇંચ વરસાદ 
વાડાસડામાં કાચાપોચા 25 મકાનો વરસાદી પાણીમાં ગરક..એક બાળકી તણાઈ ગઈ, 4 કાલાકે પણ ભાળ મળી નથી. બેટમાં ફેરવાયેલા ગામો સુધી પહોચવામાં જેતપુરના નેતાઓ અને સત્તાધીસો  વામણા પુરવાર, જેતપુરના દાતા જગદીશ પામ્ભરની દીલેરીથી અસરગ્રસ્તોને ભારે રાહત, 
-----------------------------------------------------------------------------------
જેતપુર 24
.જેતપુર શહેર અને પંથકના તમામ ગામોમોમાં આખીરાત વરસેલા વરસાદી  પાણીએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ઠેક ઠેકાણે ભારે નુકશાન સર્જી વિસ્તારો, ખેતરો, મકાનોમાં ઘુસી ગયાની પ્રજાની બુમરાણો જેતપુરના ભીરુ સત્તાધીશો અને નપાણીયા નેતાઓના કાન સુધી નાં પહોચ્યાની પ્રજાએ થોકબંધ ફરિયાદો કરી હતી.

ખાસ કરીને તાલુકાના વાડાસડા, ચારણીયા અને અમરનગરમાં વરસાદી પાણીએ તારાજી સર્જી દેતા  ત્રણેય ગામોમના 5 હજાર લોકોને મજબૂરીવશ ભયાવહ પરિસ્થિતિમાં અન્યત્ર સ્થળાંતર થવું પડ્યું હતું.
જેતપુરના આ ત્રણેય ગામોની પ્રજા વરસાદી પાણીથી બચવું કેમ ? તેનો ઉપાય શોધતી હતી ત્યારે કહેવાય છે કે જેતપુરના લાગતા વળગતા સત્તાધીશો વાડાસડા, ચારણીયા અને અમરનગર ક્યાંથી જવાય ? જેવી વાતોના વડા વચ્ચે રસ્તાઓ શોધતા હોવાની વાતો ઉપરોક્ત ગામોના અસરગ્રસ્તોમાં ટીકારૂપ બની હતી. તો  માત્ર અખબારોના પાને યેનકેન પ્રકારે ચમકી પ્રજા કામોનો દેખાડો કરતા જેતપુરના એક પણ આગેવાન આજે પૂરગ્રસ્ત પ્રજાની વહારે આવ્યો ના હોવાની ફરિયાદો મળી હતી.

બીજીબાજુ જેતપુરમાં રહી સેવાનેજ ધર્મ બનાવી ચુકેલા જાણીતા ઉદ્યોગપતિ અને દાતા જગદીશભાઈ પામ્ભર પોતાની સાથે જેતપુર તાલુકા પંચાયતના માજી પ્રમુખ હંસાબેનના પતિદેવ વિપુલભાઈ વૈષ્ણવ, વર્તમાન તાલુકા પંચાયત સદસ્ય કિશોર પાદરીયા અને  ભાજપના સૌથી જુના આગેવાન વજુભાઈ કોઠારી વિગેરેને લઈને વાડાસડા ગામે પહોચી અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડાવી પોતાની રાબેતા મુજબની અન્ન સેવાની ધૂણી ધખાવી અસરગ્રસ્તોની ભૂખથી કળકળતી હોજરીને  ઠંડી કરી હતી. અહી એટલેકે વાડાસડા ગામે જગદીશભાઈ અને ગામના સ્થાનિક માજી  ઉપસરપંચ અશોકસિંહ ચૌહાણ સહિતના આગેવાનોના જણાવ્યા પ્રમાણે વાડાસડામાં વરસાદી પાણીથી 25 જેટલા મકાનો તણાઈ ગયા છે. 30-15 ઘેટા બકરા અને 10-15 ગાયો ભેંસો તણાઈ જવાથી મોતને ભેટેલી અને પુરના પાણીમાં તણાતી હોવાની  વિગતો આપી હતી. આ સિવાય ગામની એક કિશોરી પુરના પાણીમાં તણાઈ ગયી છે જે બાબતે જેતપુરના સરકારી તંત્રો આ બાબતે કોઈ જાણ કે માહિતી નાં હોવાનું જણાવે છે. જયારે ગામલોકો  કહે છે કે પટેલ પરિવારની એક કિશોરી પાણીમાં લાપત્તા બની છે પણ વાલીઓને કહી શકાતું નથી.

આ લખાય છે ત્યારે સાંજના સવા છ વાગ્યાની આસપાસ અમરનગર ખાતેથી જગદીશભાઈ પામ્ભર અને વિપુલ વૈષ્ણવે વિગતો આપતા જણાવેલ કે અહી 300 માણસોને પુરના પાણીમાંથી સમાલત રીતે બહાર કાઢી ગામની પ્રાથમિક શાળામાં ખસેડાયા છે. જ્યાં શાળાના આચાર્યની પણ પ્રશંશનીય સેવા વચ્ચે જગદીશભાઈએ અસરગ્રસ્તોને શ્રીખંડ અને ગાઠીયા ખવડાવી સવારની ભૂખ હળવી કરી હતી. અમરનગરમાં વરસાદી પાણીએ ભારે તારાજી સર્જી અનેક કાચા પોચા મકાનો ધ્વસ્ત કરી દીધા છે. ગામના પ્લોટ વિસ્તારમાં ઘુસેલા પાણીથી પ્રજા ભયભીત ભણી હતી.

તાલુકાના ખીરસરા ગામે પણ ઉપરવાસના વાડિયા અને બાવળ બરવાળામાં પડેલા વ્યાપક વરસાદના પાણી છેક જેતપુરના દેરડી-ખીરસરા રોડ ઉપર પહોચી જતા અને રોડ ઉપર 5-5 ફૂટ પાણીના ઘસમસતા પ્રવાહને ધ્યાને લઈને સરકારી તંત્રોએ આ રોડનો વાહન વ્યવહાર બ્લોક કરી દીધો છે. વરસાદી પાણી જેતપુર પાલિકાના ફિલ્ટર પ્લાન્ટમાં પણ ઘુસી જતા ત્યાના મજુરોને માંડ માંડ બચાવાયા હોવાનું સુધારાઈ સભ્ય અરવિંદ વણઝારાએ જણાવ્યું હતું, આ ઉપરાંત વરસાદી પાણીથી ખીરસરા રોડ પર દરિયા જેવું વાતાવરણ ખડું થતા પાણી વચ્ચે આવી ગયેલા 2 થી 4 લોકો બચવા વીજપોલ ઉપર ચડી ગયા હોય તેઓને બચાવવા જેતપુરના નાયબ  મહેતા સહિતના પાણી જાણકારોએ ભારે મહેનત કરી હતી પણ કહેવાય છે કે આ બધા ઘસમસતા પાણીમાં ભયજનક હાલતમાં મુકવા માંડતા નાયબ મામલતદાર નીખીલ મહેતા સહીત સૌ પાણી બહાર નીકળી ગયા હતા. આ તકે નીખીલ મહેતા કહેલ કે વિકરાળ પાણીની આવક સામે બિનતરવૈયા લોકોનું ગજું નાં હોય ગોંડલ ખાતેથી રેસ્ક્યુ ટીમ સાથેના તરવૈયાઓને બોલાવાયા છે. જેઓ વીજપોલ ઉપર જીવ બચાવી બેઠેલા લોકોને બચાવશે..

સરકારી ચોપડે તો ગઈ રાત્રીથી આજ બપોર સુધીમાં જેતપુર શહેરમાં પાંચેક ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે તાલુકાના વીરપુર, જેતલસર, વિગેરે તમામ ગામોમાં 3 થી 7 ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલો મળે છે.
જેતપુરના સેવાભાવી જગદીશભાઈનો આક્રોશ, જેતપુરની રાહત સમિતિ ક્યાં ગઈ ?
જેતપુર: જેતપુરના અમરનગર, વાડાસડા, ખીરસરા વિગેરે  જઈને બનતી મહેનત અને સેવા કરવાનો મોકો ઝડપી લીનાર જેતપુરના અગ્રણી દાતા જગદીશ પામ્ભર એ એક એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે જેતપુરમાં કાર્યરત રાહત સમિતિ પાસે લાખો રૂપિયાનું ફંડ પડ્યું છે. જેતપુરના ઉપરોક્ત ત્રણ ગામો બેટમાં ફેરવાયા અને આશરે પાંચેક હજાર અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કામગીરીમાં કેમ કોઈ રાહત સમિતિનો માઈ કે લાલ ના દેખાયો ? સસ્તી પ્રીસીધ્ધી માટે અખબારોના પાને હાકલા પડકાર કરતા જેતપુરના કેમ કોઈ આગેવાનો આજે વાડાસડા, અમરનગર કે ખીરસરા અને ચારણીયામાં ના ડોકાયા ? 

જેતપુરના નવાગઢમાં-નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી 
જેતપુર : ગઈ રાત્રીથી આજના બપોર સુધી વરસેલા પાંચેક ઇંચ વરસાદથી શહેરના નવાગઢ, ગોંડલ દરવાજા,સારણના પુલ, અમરનગર રોડ, વડલી  ચોક, વોંકળી કાંઠા વિસ્તારના મકાનો, ધોરાજી રોડ, વિગેરે જગ્યાએ વરસાદી પાણી ઘુસી ગયા હતા. નવાગઢ માં તો અમુક વિસ્તારોમાં ગોઠણદુબ પાણી ભરાયા હતા.
કશ્યપ જોશી જેતપુર ફોટો અને સમાચાર : 9974262812

મંગળવાર, 23 જૂન, 2015

કોરાકટ્ટ જેતલસર પંથકમાં 1 થી 1.5 ઇંચ વાવણી જોગ વરસાદથી જગતાત ખુશ

કોરાકટ્ટ જેતલસર પંથકમાં 1 થી 1.5 ઇંચ વાવણી જોગ વરસાદથી જગતાત ખુશ 
જેતપુર તા.23
ચોમાસાની ઋતુ ચાલુ થઇ ગયા પછી પણ માત્ર વરસાદી ઝાંપટાથી ચિંતિત જેતલસર સહીત પંથંકના મોટાભાગના ગામોમાં વાવણીજોગ વરસાદથી જગતાત આલમ ખુશીથી ઝૂમી ઉઠી છે.
બપોરના સખત બફારા બાદ પલટાયેલા  વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ધીમી ધારે એન્ટ્રી થયા પછી છેક સાંજના પાંચ વાગ્યા સુધી વરસાદ ચાલુ રહેતા જેતલસર, ડેડરવા, ટીંબડી, રૂપાવટી વિગેરે ગામોમાં અડધોથી દોઢ ઇંચ વાવણીજોગ વરસાદ પડી જતા ખેડૂતો ખુશ થયા છે. જયારે પંથકના નવી જૂની સાંકળી ગામે પણ આજે એકથી દોઢ ઇંચ વરસાદ પડી જતા કાલથી ખેડૂતો વાવણીના શ્રીગણેશ કરનાર હોવાનું ખેડૂત યુવાન મુકેશ લશ્કરી જણાવે છે.
 જયારે જેતપુરમાં આજે બપોરથી સાંજ સુધી ઓછા વધતા ઝાંપટા સ્વરૂપે 26 મીમી, ભાદર ડેમ વિસ્તારમાં 4 મીમી, સાંકરોલા ડેમ વિસ્તારમાં 18મીમી વરસાદ પડ્યાનું જેતપુર સ્થિત ભાદર ઇરીગેશનના મકવાણાભાઈએ જણાવેલ.

 કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812

સોમવાર, 22 જૂન, 2015

અવસાન નોંધ જેતપુર

કશ્યપ જોશી જેતપુર 

જેતપુરમાં સ્લેબ ભરતી સમયે બીજા માળેથી ગબડેલા આધેડનું મોત

જેતપુરમાં સ્લેબ ભરતી સમયે 
બીજા માળેથી ગબડેલા આધેડનું મોત 
જેતપુર તા.22
ગઈકાલે અહી મકાન બાંધકામ દરમિયાન એક  આધેડ બીજા માળેથી ગબડી પડતા તેમનું મોત થયાનું શહેર પોલીસ દફતરે નોંધાયું છે.
મળતી વિગતો મુજબ અહીના કણકિયા પ્લોટમાં એક જગ્યાએ ચાલતા મકાનના બાંધકામ દરમિયાન ગોડલ દરવાજા વિસ્તારમાં રહેતા ચંદુભાઈ લીંબાભાઈ સિંગલ (ઉ.વ.45) અકસ્માતે બીજા માળેથી ગબડી પડતા, માથામાં ગંભીર ઈજા થવાથી તેમનું ઘટના સ્થળેજ મોત થયું હતું. પીએમ માટે ચંદુભાઈની ડેડબોડી સરકારી હોસ્પીટલે લઇ જવાતા, પોલીસને જાણ કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુરમાં મજુર મહિલાને ઠેસ વાગતા ગંભીર ઈજા 
જેતપુર તા.22
ગઈકાલે મજુરીકામ કરી પરત  ફરી રહેલી કનુબેન સવજીભાઈ માથુકીયા નામની 45 વર્ષીય મહિલાને ભાદર કેનાલ નજીક ઠેસ વાગતા, અકસ્માતે પડી જતા તેમને બેભાન અવસ્થામાં સારવાર માટે અહીની સરકારી હોસ્પીટલે લવાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ કનુંબેનને પ્રાથમિક સારવાર આપી માથાની ગંભીર ઈજાઓની સારવાર માટે રાજકોટ રીફર કરી હોવાનું પોલીસમાં નોંધાતા પોલીસે કાયદેસરની વિધિ હાથ ધરી છે.

જેતપુરના સ્ટેશનવાવડી ગામે યુવાનને મોઢા પ હથોડી ઝીંકાઈ !!
જેતપુર તા.22
નજીવી બાબતે જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામે એક પટેલ યુવાને, વિપ્ર યુવાનને મોઢા પર હથોડી ઝીંકી દઈ લોહીલુહાણ કરી મુક્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુર સ્ટેશન વાવડી ગામની સીમમાં વાડી ધરાવતા હરીલાલ જેન્તીલાલ તેરૈયાએ શેઢા પાડોશી બીપીન કનું ભૂવાને શેઢે બાંધેલ તાર કાઢી લેવાનું કહેતા, બીપીને ઉશ્કેરાઈ જઈને હરિભાઈને મોઢા ઉપર લોખંડની હથોડી મારી દેતા, વિપ્ર યુવાનને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે જેતપુર દવાખાને લઇ અવાયો હતો. તાલુકા પોલીસે પટેલ યુવાન સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતલસરનો યુવાન  વિદેશી શરાબની 54 બોટલ્સ સાથે પકડાયો 
જેતપુર : રાજકોટની એલસીબી બ્રાંચે ગઈકાલે જેતલસર ખાતે બાતમીના આધારે દરોડો પાડી ઠુંમર ભાવિન જેઠા પટેલને વિલાયતી શરાબની 54 બોટલ્સ સાથે તેમની વાડીયેથી પકડી લીધો હતો. પોલીસ્સે એક મોબાઈલ મળી કુલ રૂ.16700/- નો મુદામાલ કબજે કરી ભાવિનની પૂછપરછ કરતા ભાવિને આ શરાબનો જથ્થો જુનાગઢના કાળા રબારીનો હોવાની કબુલાત આપતા આ રબારીની શોધખોળ આદરાઈ હોવાનું જમાદાર ભુરાભાઈ માલીવાડે જણાવ્યું હતું..

જેતપુરમાં ધૂમ બાઈક ચાલકને બચાવવા કારની પલટી 
જેતપુર તા.22
આજે વહેલી સવારે જેતપુરના અમરનગર રોડ પર જનતાનગર ચોકડી પાસેથી ધૂમ સ્ટાઈલથી પુરપાટ ઝડપે નીકળેલા એક બાઈક સવારને બચાવવા જતા ડોબરિયા વાડી વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ મોણપરાની કાર રોડ નજીકના વોંકળામાં જઈ પડી હતી. પુલની દીવાલ તોડીને નીચે પડેલી કારના બનાવમાં કોઈને ઈજા નથી થઇ પણ સાંકડા રોડને કારણે આવા બનાવ અવાર નવાર બનતા હોય કાર ચાલકે રોડ પહોળો કરી આ રોડ પર આવેલી શાળાના બાળકોની સલામતી બાબતે સંબંધીતો વિચારે તેવી માંગ કરી છે.

બેફામ ફી વધારાના વિરોધમાં જેતપુરમાં વધુ એક વખત 
કાલે વાલી મંડળ મામલતદારને પાઠવશે આવેદનપત્ર...
જેતપુર તા.22
જેતપુર અને નવાગઢમાં સરકારી નિયમોની ઐસીતેસી કરી શાળા સંચાલકોએ બેફામ ફી વધારો કરી દીધો હોય જેતપુરનું વાલીમંડળ ક્રમશઃ આંદોલનકારી પગલા અપનાવી રહ્યું છે. અગાઉ શહેરની સ્પેસ સ્કુલ સામે વાલીમંડળે આક્રમક રીતે રજુઆતો કરતા કહેવાય છે કે આ શાળાના સંચાલકોએ માત્ર 10 ટકા ફી વધારો અમલી બનાવી બાકીનો ઘટાડી નાખ્યો છે. પણ અન્ય શાળા સંચાલકો હજુ પગ તળે રેલો આવવાની રાહ જોતા હોય, તેઓની સામે પણ રજુઆતો કરવા, ફી વધારો પાછો ખેંચવાની માંગ દોહરાવતું એક આવેદન આવતીકાલ તા.24.6.ના રોજ, સવારે 10:30 કલાકે મામલતદારને અપાશે. 
ત્યાર બાદ મામલતદાર કચેરીથી શાશ્નાધીકારીની કચેરી સુધી એક રેલી યોજી ત્યાં રજુઆતો કરવાનું તેમજ 11:00 5:00 વાગ્યા સુધી ત્યાં એક ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જે વાલીઓને ફી વધારો ગેરકાયદેસર જણાતો હોય તેવા વાલીઓએ આ કાર્યક્રમમાં હાજર રહેવા વાલી મંડળના પ્રમુખ એડવોકેટ જીતુભાઈ લાડવાએ અનુરોધ કર્યો છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812


જેતપુર શહેર તાલુકાના વિવિધ વર્તમાન

જેતલસર જં.ના બેંક કર્મચારીને 
વિદાયમાન અપાયું..
જેતપુર તા.22
યુનિયન બેન્કની જેતલસર જંકશન સ્થિત બ્રાન્ચના કર્મચારી શીલુભાઈ તાજેતરમાં વય મર્યાદાને કારણે નિવૃત થતા બેંક મેનેજર ચાવડાના અધ્યક્ષ સ્થાને વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાબુભાઈ જેઠવા, નાનજીભાઈ મકવાણા, અખેરાજભાઈ, જીતુભાઈ પાણેરી, બંશીભાઈ, રાજુભાઈ તિવારી તથા ડાયાભાઇ વિગેરે રેલવેના નિવૃત કર્મચારીઓની હાજરીમાં શીલુભાઈની સેવાને વાગોળી, સન્માન સાથે વિદાયમાન અપાયું હતું.

ભારત વિકાસ પરિષદ જેતપુરના નવા હોદેદારો 
જેતપુર : તાજેતરમાં જેતપુરની ભારત વિકાસ પરિષદ નામની સંસ્થાના નવા હોદેદારોની વરણીના એક કાર્યક્રમનું સંગીતસંધ્યા વચ્ચે આયોજન થયું હતું. આ તકે સૌરાષ્ટ્ર વિભાગના મંત્રી પ્રફુલભાઈ ગોસ્વામીની હાજરી વચ્ચે જેતપુર શાખાના વર્ષ-2015 ના વરાયેલા નવા હોદેદારોમાં પ્રકાશ અગ્રાવત(પ્રમુખ), હરિભાઈ પરમાર(ઉપપ્રમુખ), નરેન્દ્ર કોટડીયા(મંત્રી) તથા ખજાનચી તરીકે અશ્વિનભાઈ ચોટાઈની નિમણુક કરાઈ હોવાનું જણાવાયું છે.

જેતપુરની સંસ્થાઓનું એકીસાથે ''યોગાસન''
જેતપુર: ગઈકાલે વિશ્વ યોગ દિન નિમિત્તે જેતપુરમાં નગર પાલિકા, તાલુકા પંચાયત, નામી અનામી સંસ્થાઓ, શાળાઓ, શાશ્નાધિકારી, ડાઈંગ એશોશીયેશન, વિગેરેના આગેવાનો, કાર્યકરો, સંચાલકોએ મોટી સંખ્યામાં અત્રેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગાસન યોજી વડાપ્રધાન મોદીના અભિયાનને સફળ બનાવવા પ્રયાસ કર્યો હતો. તો આવીજ રીતે જેતપુર એસટી ડેપોમાં કર્મચારીઓએ ડેપોના મેદાનમાં યોગ દિવસની ઉજવણી કરી હતી.
(ફોટો કશ્યપ જોશી - જેતલસર )


જેતલસર હાઈસ્કુલમાં યોગાસન 
જેતપુર : જેતલસરની હાઈસ્કુલમાં વિધાર્થીઓ, શિક્ષકો સાથે ગામના કૌશલ્ય વર્ધક કેન્દ્રના સ્ટાફે પણ યોગાશન અભિયાનમાં જોડાયા હતા.
(ફોટો કશ્યપ જોશી - જેતલસર )