અનુયાયીઓ

બુધવાર, 10 જૂન, 2015

જેતલસર જંકશનમાં સગીરા પર આચરાયું દુષ્કર્મ

જેતલસર જંકશનમાં સગીરા પર આચરાયું દુષ્કર્મ 
જેતપુર તા.10
જેતલસર જંકશનમાં રહીને ભિક્ષાવૃતિ કરતા એક પરિવારની સગીર પુત્રી સાથે સ્થાનિક કોળી ઢગાએ દુષ્કર્મ આચાર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ કરમટીયાએ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેતલસર જંકશન ખાતે રહેતા એક પરિવારની 13 વર્ષની સગીર પુત્રીને ઘરે એકલી છોડી પરિવારજનો ધાર્મિક પ્રસંગ સબબ બહારગામ ગયા હતા. આ મોકાનો ગેરફાયદો ઉઠાવી જંકશનમાં રહેતાજ અજય ગોરધન નામના કોળી ઢગાએ શારીરિક છેડછાડ કરી દુષ્કર્મ આચર્યાની જાણ થયા બાદ ભોગ બનનાર કિશોરીની માતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા તાલુકા ફોજદાર આર એન કરમટીયાએ ગણતરીની કલાકોમાં અજયને ઝડપી લીધો હતો. આ લખાય છે ત્યારે એક ટેલીફોનીક  દરમિયાન ફોજદાર કરમટીયાએ જણાવેલ કે અજયની દાકતરી તપાસ આટોપાઈ ગઈ છે. તેમજ અજય સામે પોસ્કો મુજબની કલમનો પણ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

-----------------------------------------------------------------------------------------------------------------
જેતપુરમાં સ્લેબનું છજુ માથે 
પડતા પરપ્રાંતીય મજુરનું મોત 
જેતપુર તા.10
ગઈ કાલે જેતપુરના ફિલ્ટર પ્લાન્ટના એક કામમાં ભરાયેલ સ્લેબનું એક છજુ નીચે પડતા ઘાયલ એક પરપ્રાંતીય નું મોત થયાની ઘટના શહેર પોલીસ દફતરે નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુર પાલિકાના ખીરસરા રોડ પર આવેલ પાણીના ફિલ્ટર પ્લાન્ટ ઉપર નાનું મોટું બાંધકામ થઇ રહ્યું છે. આ બાંધકામના એક સ્લેબના ટેકા ચોકા હટાવતી વખતે એક સ્લેપનું છજુ(પતરું) નીચે પડતા, નીચે કામ કરી રહેલ પરપ્રાંતીય મજુર સુજીતને લાગતા ગંભીર ઈજાઓ સાથે અહીના સરકારી દવાખાને ખસેડેલ પણ તેને હોસ્પિટલસુત્રોએ મૃત જાહેર કરેલ, પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812




જેતપુર બ્રહ્મસમાજના પ્રમુખની મામલતદારને રજૂઆત જેતપુરના નવાગઢ ચોકડીની બંને બાજુ અત્યંત બિસ્માર રોડ તાકીદે રીપેર કરાવો




જેતપુર બ્રહ્મસમાજના પ્રમુખની મામલતદારને રજૂઆત 
જેતપુરના નવાગઢ ચોકડીની બંને બાજુ 
અત્યંત બિસ્માર રોડ તાકીદે રીપેર કરાવો 
જેતપુર તા.10
જેતપુરના નવાગઢમાં ચોકડીની બંને બાજુના સર્વિસ રોડ અત્યંત બિસ્માર બન્યા હોય તાકીદે રીપેર કરાવવા સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના પ્રમુખ કાળુભાઈ જોશીએ આજે સ્થાનિક મામલતદારને લેખિત રજૂઆત કરી હતી.
રજુઆતમાં જણાવાયું છે કે જેતપુરના નવાગઢ અંડર બ્રીજની બંને બાજુનો સર્વિસ રોડ એટલી હદે ખાડા ખબડાથી બિસ્માર બન્યો છે કે નાના મોટા વાહન ચાલકો ત્રાસી ગયા છે. આ રોડ પરના ખાડા તારવવા રોજ બરોજ નાના મોટા અકસ્માતોના બનાવો બનતા હોય તંત્રએ વાહન ચાલકોની ફરિયાદ તાકીદે નિવારવી જરૂરી છે.
રજૂઆત કરનારે એક એવું પણ દુઃખ વ્યક્ત કર્યું છે કે તાલુકા મથક એવા જેતપુર શહેર કે તાલુકાના ગામડાઓમાં બનતા અકસ્માતોના બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તોને રાજકોટ રીફર કરાય ત્યારે નવાગઢનો આ જ રોડ ઉપયોગ કરવો પડતો હોય, ઘણીવાર ગંભીર ઈજાગ્રસ્તોની હાલત આ રોડ પરથી પસાર થતી વખતે જોખમાય છે. 
કાળુભાઈએ એવું પણ જણાવેલ છે કે નવાગઢ રેલવેના બેઠા પુલ નીચેનો રસ્તો પણ બિસ્માર બન્યો હોય, તેમજ આ પુલ નીચે વરસાદી પાણી ભરાતા હોય, સંબંધિત તંત્રએ તાકીદે ઘટતું કરવું જરૂરી છે.
જેતલસર-જુનાગઢ રોડની પણ દયનીય હાલત !
જેતપુર : તત્કાલ હનુમાન જેતપુરથી સોમનાથ સુધીનો બનેલો ફોર ટ્રેક રોડ જેતલસરમાંથી પસાર થાય છે. આ રોડ બન્યો એટલે જુનાગઢ રોડને ટચ રોડ સુધીનો બાઈપાસ રસ્તો સારો કરાયો પણ, આ બાઈપાસથી જેતલસર રેલ્વે ફાટક(જુનાગઢ રોડ, જેતપુર જતા ) એટલી હદે બગડ્યો કે અહી પણ અવારનવાર અકસ્માતો બને છે. નેશનલ હાઈવે ઓથોરીટીએ આ બંને રોડની હાલત સુધારવી જરૂરી હોવાનું વાહન ચાલકો જણાવે છે.
---------------------------------------------------------------------------------------------------------
જેતપુરના લેખકની રવિવારે 
આકાશવાણી પર બાળવાર્તા 
જેતપુર તા.10
આગામી 14.6.2015 ને રવિવારે આકાશવાણી રાજકોટ કેન્દ્ર પરથી, સવારે 9-30 વાગ્યે પ્રસારિત થતા બાલસભા કાર્યક્રમમાં જેતપુરના લેખક, વાર્તાકાર હરીશભાઈ મણિયારનો 24 મો કાર્યક્રમ ''બાળવાર્તા'' પ્રસારિત થનાર હોવાનું જણાવાયું છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812






મંગળવાર, 9 જૂન, 2015

જેતપુરમાં સમર્પણ ગ્રુપ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

જેતપુરમાં સમર્પણ ગ્રુપ દ્વારા 

સરસ્વતી સન્માન સમારોહનું આયોજન 

જેતપુર તા.9

સમર્પણ ગુર્પ જેતપુર દ્વારા માત્ર ધોરણ 4 થી 8 ના વિદ્યાર્થીઓ કે જેઓ પોત પોતાની શાળામાં પ્રથમ નંબરે ઉતીર્ણ થયા હોય તેઓને સન્માનિત કરાશે.  સન્માન સમારોહમાં જોડવા ઈચ્છુક ઉપરોક્ત ધોરણના વિદ્યાર્થી ભાઈ બહેનોએ પરિણામની ઝેરોક્સ કોપી સંસ્થા કાર્યાલય, પરાગ પુસ્તકાલય, ખોડપરા મેઈન રોડ, જેતપુર ખાતે પહોંચતી કરવા સંસ્થા પ્રમુખ હરીશભાઈ મણીયારનો અનુરોધ છે.

 

 

 

 

 

જેતપુરમાં નવનિર્મિત શીતળા 

માતાજીના મંદિરનું લોકાર્પણ

જેતપુર તા.9

જેતપુરમાં ભાદર નદી કાંઠે આવેલ વર્ષોજુના શીતળા માતાજીના મંદિરની કાયાપલટ શહેરના જાણીતા દાતા જગદીશ પાંભરે કરાવી હતી. નવનિર્મિત મંદિરના લોકાર્પણ માટે ગઈકાલે મંદિરની જગ્યામાં હોમ-હવનનું આયોજન કરાતા ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જગદીશભાઈ પાંભરે પોતાની સેવાનો સિલસિલો ચાલુ રાખી મંદિરનું પોતાના હસ્તે લોકાર્પણ કર્યું હતું તે તસ્વીરમાં દેખાય છે.

 

 

 

પાલિકા પ્રમુખના સ્વર્ગીય પુત્રના માનમાં 

શ્રી સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

જેતપુર તા.9

જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાના સ્વર્ગીય પુત્ર દેવેન્દ્ર(દેવ)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે ગઈકાલે મેઘવાળ જ્ઞાતિના મુક્તિધામ ખાતે બનાવાયેલ દેવસ્મૃતિ જગ્યામાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકા કર્મીઓ સહીત મોટી સંખ્યામાં ભાવિકોએ કથાશ્રવણનો  લાભ લીધો હતો. તકે બટુકભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેવું યોગેશ મકવાણાએ જણાવ્યું હતું.. 

કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812

 

સોમવાર, 8 જૂન, 2015

જેતપુર પાલિકા દ્વારા આયોજિત 

રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટમાં મેદાન 

મારી જતી ઉપલેટાની ટીમ 

જેતપુર તા.8

જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા તાજેતરમાં યોજાયેલ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ઉપલેટાની યોગી ટીમનો વિજય થયો હોવાનું પાલિકાના રમ્મત ગમ્મત ચેરમેન અરવિંદ વણજારાએ જણાવ્યું હતું.

મળતી વિગતો મુજબ અહીના જીમખાના મેદાનમાં જેતપુર નગર પાલિકા દ્વારા ઓપન સૌરાષ્ટ્ર રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 દિવસ ચાલેલી ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની 40 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના ફાઈનલ મેચમાં ધોરાજીની શિવશક્તિ ઇલેવનના ખેલાડીઓએ નિર્ધારિત ઓવર્સમાં 106 રન બનાવ્યા હતા. જે લક્ષ્યાંકને પાર પાડવાની નેમ સાથે ઉતરેલ ઉપલેટાની યોગી ઈલેવનના ખેલાડીઓએ આસાનીથી 107 રન બનાવી લેતા તેનો વિજય થયો હતો.

દરમિયાન રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયા, ભાજપ અગ્રણી મનસુખભાઈ ખાચરીયા જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા વિગેરેની હાજરીમાં ફાઈનલ મેચ દરમિયાન જાહેર કરાયેલા મેન ઓફ ધી સીરીજ સંજય ડેર, બેસ્ટ બેટ્સમેં મજહરખાન, બેસ્ટ બોલર જયદીપસિંહ ઝાલાને પારિતોષિક ઇનામો એનાયત કરાયા હતા. ફાઈનલ મેચની વિજેતા ઉપલેટાની ટીમને રાજ્ય મંત્રી જયેશ રાદડિયા દ્વારા રોકડ રૂ.11000, તથા રનર્સઅપ ટીમને રોકડ રૂ.5000 અપાયા હતા. તકે પાલિકા પ્રમુખના સ્વર્ગીય પુત્ર દેવેન્દ્ર મકવાણાની યાદમાં શિલ્ડ તેમજ ઇનામો અપાયા હોવાનું અરવિંદ વણજારા જણાવે છે.

કશ્યપ જે. જોશી જેતલસર 99742 62812

 

 

 

જેતપુર ડાઈંગ એશો.- પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 

ભાટગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ 

જેતપુર તા.8

તાજેતરમાં જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો. તેમજ જેતપુર પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સુત્રો દ્વારા જેતલસર પંથકના ભાટગામ(સાડી ધોલાઈઘાટ ટ્રીટમેન્ટ)  ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તકે બંને સંસ્થાના પદાધિકારીઓ દ્વારા અનેક જગ્યાએ વૃક્ષરોપણ કરી અન્યોને વૃક્ષારોપણનો રાહ ચીંધ્યો હતો.

કશ્યપ જે. જોશી જેતલસર 99742 62812

 

 

ગૌસેવાના લાભાર્થે 

જેતલસર પંથકના રૂપાવટી ગામે આજે રામામંડળ 

જેતલસર તા.8

જેતલસર પંથકના રૂપાવટી ગામે કામધેનું ગૌ રક્ષક ગ્રુપ દ્વારા, ગૌશાળાના લાભાર્થે આજે તા.9.6. ને મંગળવારે રાત્રીના 9 વાગ્યે રામામંડળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નવા રણુજા જગ્યાના મહંત કરશનદાસબાપુરાજ્યમંત્રી જયેશ રાદડિયા, જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, જેતપુરમાં દાનવીર તરીકે જાણીતા જગદીશ પાંભર સહિતના અગ્રણી આગેવાનોની હાજરીમાં યોજાનાર ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આજુબાજુની ધર્મપ્રેમી જનતાને કામધેનું ગૌ રક્ષક ગ્રુપ કમિટી, રૂપાવટી દ્વારા અનુરોધ કરાયો છે.

કશ્યપ જે. જોશી જેતલસર 99742 62812