અનુયાયીઓ

શુક્રવાર, 29 મે, 2015

જેતલસર ખૂન કેશના ચોથા આરોપીને ઝડપી લેતી તાલુકા પોલીસ 
જેતલસર તા.29
જેતલસરના દલિત યુવાનની હત્યા કેશમાં સંડોવાયેલ ચોથા આરોપીને પણ જેતપુર તાલુકા ફોજદાર કરમટીયાએ ઝડપી લઇ તેને પણ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. જયારે અગાઉ પકડાયેલા અને 3 દિવસના રિમાન્ડ પર લેવાયેલા ત્રણેય આરોપીઓએ આજે રીમાન્ડના બીજા દિવશે પણ કઈ નવી વિગતો ઓકતા ના હોય પોલીસ મુંજવણ ભરેલી સ્થિતિમાં તપાસ આગળ ધપાવી રહી છે.
આ અંગે મળતી વિગતો મુજબ જેતલસર ના દલિત યુવાન મહેશ જેન્તી ગોહેલની જુના મન દુઃખને કારણે તેનાજ કૌટુંબિક બે ભાઈ સમાન મિત્રો જેતલસરના જીતેશ હીરા ગોહેલ અને કિરણ ભલા ગોહેલ ના સહારે જુનાગઢના સાગર બાબુ રાઠોડ અને સમીર ઉર્ફે જયેશ ઉર્ફે ભૂરો દેવશી ચાંડપ્પા એમ ચારેયે હત્યા કરી નાંખતા જેતલસર પંથકમાં ચકચાર જાગી હતી. 
બીજીબાજુ જેતપુર તાલુકા પીએસઆઈ  આર.એન.કરમટીયાએ માત્ર્રા મૃતક મહેશ ગોહેલના લોહીવાળું ટીશર્ટ અને ચપલને આધારે ગણતરીની કલાકોમાં મહેશને ઢાળી દેનારા 2 જેતલસરના સહીત 3 ને પકડી પાડ્યા હતા. જયારે ભૂરિયો દેવશી (રહે. મૂળ વેરાવળ તાલુકાના ઉમવાળા) નાશી છૂટ્યો હતો. પોલીસે ભૂરિયાની શોધખોળ વચ્ચે જીતેશ, સાગર, અને કિરણને જેતપુરની કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જે રીમાન્ડના આજે બીજા દિવશે પણ ઉક્ત ત્રિપુટીએ જેતપુર તાલુકા પોલીસને કોઈ અસરકારક વિગતો કે કબુલાત આપી નથી.
પરંતુ મહેશની હત્યા બાદ ભાગતો ફરતો ભૂરિયો જૂનાગઢમાં હોવાની બાતમી પરથી આજે તાલુકા ફોજદાર કરમટીયાએ સ્ટાફના ગૌત્તમભાઈ ત્રીવેદી , અનિલભાઈ વિગેરેને સાથે રાખી આજે જુનાગઢના રાજીવનગરમાં ત્રાટકી ત્યાં રહેતા ભૂરિયાને દબોચી લઇ જેતપુર લઇ આવ્યા હતા. ભુરીયાએ પોલીસ ટ્રીટમેન્ટ વચ્ચે મહેશના ખૂનમાં વપરાયેલ મૂળ લોહીવાળી છરી આજે રોડ પરના રસિકભાઈના મકાનની કંપાઉંડ વોલ પાસે દાટી હતી તે કાઢી આપી હોવાનું ફોજદાર કરમટીયા જણાવે છે. 
તાલુકા પોલીસે આજે પકડાયેલા ભૂરિયાને પણ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
તાલુકા પોલીસે એમ પણ જણાવેલ કે ચારેય ખૂનીઓ પકડાઈ ગયા છે પણ મહેશની લાશનું લોકેશન બતાવવામાં ચારેય ગલ્લા તલ્લા કરતા હોય, મહેશની લાશ મળવી મુશ્કેલ હોવાનું ખુદ પોલીસને સ્વીકારવું પડે તેવી હાલત ઉભી થઇ છે.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812

અમરનગર જૈન દેરાસરમાં ધ્વજારોહણ કરાયું 
જેતપુર તા.29
તાજેતરમાં જેતપુરના અમરનગર ગામે જૈન દેરાસરમાં દેવળકીના વયોવૃદ્ધ વણિક બટુકલાલ મહેતાના અધ્યક્ષસ્થાને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધર્મપ્રેમી જનતા, જેતપુર ટેલીફોન એક્ષચેન્જના અધિકારી સોનીગ્રા, વડીયા બ્રહ્મસમાજના અશ્વિનભાઈ મહેતા, દેરાસરના પુજારી ભીખુભાઈ, બેંકસુત્રો વિગેરેની હાજરીમાં મહાવીર ભગવાનની પૂજા અર્ચના બાદ ધામધૂમથી ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન કરાયો હતો. આ તકે ઉપસ્થિત ભાવિકોને બટુકભાઈ મહેતાએ પ્રસાદ અને પ્રભાવના આપી હતી.
ફોટો : કશ્યપ જોશી જેતપુર - 9974262812

જેતપુરમાં બ્રહ્મ છાત્રોને મફત પાઠ્ય પુસ્તકો વિતરણ કરાશે

શ્રી પરશુરામ સેના દ્વારા 
જેતપુરમાં બ્રહ્મ છાત્રોને મફત 
પાઠ્ય પુસ્તકો વિતરણ કરાશે
જેતપુર તા.29
જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં વસતા અને ધો.1 થી 12 માં અભ્યાસ કરતા બ્રહ્મસમાજના વિદ્યાર્થી બાળકોને પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વિના મુલ્યે પાઠ્ય પુસ્તકો આપવાનું આયોજન શ્રી પરશુરામ સેના જેતપુર દ્વારા આયોજન કરાયું છે. જેનો લાભ લેવા ઈચ્છાતા છાત્રોના વાલીઓએ ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 5-6-2015 ધ્યાને લઇ, જરૂરી ફોર્મ્સ, જેતપુરમાં જુના પાંચ પીપળા રોડ પર આવેલ જ્ઞાન જ્યોત વિદ્યાલય ખાતેથી મેળવી લેવા તેમજ વધુ વિગતો માટે 98258 11278 / 99981 94790 મો. ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

જેતપુરમાં અખિલ સૌરાષ્ટ્ર ઝાલોરી પિંજારા 
મુસ્લિમ પરિવારના પ્રથમ સમુહલગ્નનું આયોજન 
જેતપુર તા.29
ઝાલોરી પિંજારા મુસ્લિમ સમાજ એજ્યુકેશન-ચેરીટેબલ ટ્રસ્ટ, જેતપુર દ્વારા તા.31.5. ને રવિવારે અહીના મહાત્મા ગાંધી રોડ પર આવેલ તાલુકા શાળા ખાતે અખિલ સૌરાષ્ટ્ર ઝાલોરી પિંજારા મુસ્લિમ પરિવારના સૌ પ્રથમ સમૂહલગ્નોત્સવનું આયોજન કરાયું છે. 
જેતપુરના ઉપરોક્ત  આયોજક સંસ્થા સાથે બાગે મુસ્તુફા યંગ કમિટી-જેતલવડ, બાગે મુસ્તુફા કમિટી-રાણપુર, બાગે મુસ્તુફા કાદરીયા યંગ ગ્રુપ ધોરાજી, બાગે મુસ્તુફા યુવા સર્કલ જુનાગઢ, બાગે મુસ્તુફા યુવા મંડળ  બાગે મુસ્તુફા યંગ કમિટી મોણવેલ એમ તમામ કમિટીઓની સેવા અને મુસ્લિમ સમાજના અગ્રણીઓની હાજરીમાં 11 નવયુગલો નિકાહ પઢનાર હોય, ઝાલોરી પિંજારા મુસ્લિમ સમાજના લોકોએ સમૂહલગ્નનો લાભ લેવા સમૂહ લગ્ન સમિતિ જેતપુરના પ્રમુખ મહેબુબભાઈ પઠાણ, મંત્રી રફીકભાઈ તર્ખેસા વી. નો અનુરોધ છે.
કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812



જેતપુર પાલિકાએ દેરડી રોડ પર બનાવેલ

ધર્મપ્રેમી જનતાની માંગને ધ્યાને લઈને 
જેતપુર પાલિકાએ દેરડી રોડ પર બનાવેલ 
મૃત પશુના ઓરડાનું 8મીએ લોકાર્પણ 
જેતપુર તા.29 જેતપુરના દેરડી રોડ પર નગર પાલિકાએ સ્વભંડોળમાંથી મૃત પશુઓને ખોલવા માટે બનાવેલા 2 ઓરડાનું આગામી 8.6.2015 ના રોજ લોકાર્પણ થનાર હોવાનું પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા જણાવે છે.
મળતી વિગતો મુજબ જેતપુરના સારણના પુલ વિસ્તારમાં ખુલી જગ્યાએ મૃત પશુઓને ખોલવાનું કામ થતું હોય, આ વાત ધર્મપ્રેમી જનતા માટે કાયમ માથાના દુખાવા સમાન બની રહેતી. આ વાતનું તાકીદે નિવારણ લાવી આ પ્રકિયા કોઈ બંધ મકાનમાં કરાઈ તેવી અવારનવારની માંગોને ધ્યાને લઇ, જેતપુર નવાગઢ નગર પોલીકાએ સ્વભંડોળમાંથી દેરડી રોડ પર 2 રૂમ બાંધી આપ્યા છે. જે બાંધકામની ચકાસણી માટે તાજેતરમાં પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, પાલિકા ઉપપ્રમુખ, વણકર સમાજના પ્રમુખ માધાભાઈ ડાયાભાઇ વેગડા,હરિભાઈ મંગાભાઈ બગડા, સોમાભાઈ બારોટ અને સિંઘલ, જેઠાભાઈ વાઘેલા વી. એ મુલાકાત લીધી હતી.
ફોટો : કશ્યપ જોશી જેતપુર 9974262812
 

દુવિધા બસસ્ટેન્ડની :

દુવિધા બસસ્ટેન્ડની :
જેતપુર-સોમનાથ ફોરલાઈન કામગીરી કરતી કંપનીએ જેતલસરમાં બસસ્ટેન્ડ ઉભું કર્યું છે. પણ સંબંધિત તંત્રએ આ બસસ્ટેન્ડમાં કોઈ પણ પ્રકારની બેઠક વ્યવસ્થા ઉભી કરી ના હોય, પ્રસ્તુત તસ્વીરમાં દેખાઈ રહ્યા મુજબ લોકોને બેસવું પડે છે. આ બાબતે તત્કાલીલ ઘટતું કરવા ગામના ખોડિયાર પાનવાળા શૈલેશ(ગીધો)વલ્લભભાઈ ઠુંમર સહિતના જાગૃત માણસોએ માંગ કરી છે.
ફોટો લાઈન : કશ્યપ જોશી જેતલસર 

મંગળવાર, 26 મે, 2015

જુનાગઢ પંથકના 2 યુવાનોએ જેતલસર સ્થિત 2 મિત્રોની મદદથી જેતલસરના દલિત યુવાનને ઠંડા કલેજે પતાવી દેતા ચકચાર !! પોલીસે જેતલસરના 2 સહીત 3 ની કરી ધરપકડ : લાશ હજુ હવામાં !?

જુનાગઢ પંથકના 2 યુવાનોએ જેતલસર સ્થિત 2 મિત્રોની મદદથી 
જેતલસરના દલિત યુવાનને ઠંડા કલેજે પતાવી દેતા ચકચાર !!
પોલીસે જેતલસરના 2 સહીત 3 ની કરી ધરપકડ : લાશ હજુ હવામાં !?
જેતપુર તાલુકા પોલીસે પકડેલા જેતલસર ખૂન કેશના 3 આરોપીઓ 

જેતલસરના દલિત યુવાનને ઠંડા કલેજે પતાવી દેતા ચકચાર !!

જુનાગઢ પંથકના 2 યુવાનોએ જેતલસર સ્થિત 2 મિત્રોની મદદથી 
જેતલસરના દલિત યુવાનને ઠંડા કલેજે પતાવી દેતા ચકચાર !!
પોલીસે જેતલસરના 2 સહીત 3 ની કરી ધરપકડ : લાશ હજુ હવામાં !?
હત્યાના કારણમાં જુની તકરાર કારણભૂત..દોઢ મહિના થયા ભેદી સંજોગોમાં ગુમ મહેશના લોહીયાળ કપડા, હાથનું કડુ, તથા ચપલ મળી આવતા તાલુકા પોલીસના ફોજદાર રઘુભાઈ કરમટીયાએ શરુ કરેલ તપાસના દૌર મળેલી સફળતા : પંથકમાં સનસનાટી !!
(કશ્યપ જોશી ) જેતલસર તા.26
જેતલસરમાંથી દોઢ મહિના થયા ભેદી સંજોગોમાં ગુમ થયેલ એક દલિત યુવાનની જુના મનદુઃખને કારણે પૂર્વયોજિત ઘટના હત્યામાં પરિણમતા જેતપુર તાલુકા પોલીસે  ઘટનામાં સંડોવાયેલ જેતલસરના 2 અને એક જૂનાગઢનો એમ 3 લવરમુછીયાંને ઝડપી લઇ, હવામાં ઓગળી ગયેલા ડુંગરપુરના ભૂરાની શોધખોળ આદરી છે. 
સમગ્ર જેતલસર પંથકમાં ચકચાર જગાડનાર અને દલિત સમાજમાં રોષ સાથે અરેરાટી ઉપજાવનાર બનાવની  મળેલી સિલસિલાબદ્ધ હકીકતો જોઈએ તો જેતલસરના ડેડરવા રોડ પર ગાયત્રી નગરની સામે આવેલ આંબેડકરનગરમાં રહેતો મહેશ જેન્તી ગોહેલ નામનો 33 વર્ષીય દલિત યુવાન ગત તા.15-4-2015 ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યો જતા, તેમના નાનાભાઈ રોહિત અને માતા સહિતના પરિવારજનોએ આજુબાજુ તેમજ સગાવહાલાઓમાં તપાસ કરી હોવા છતાં મહેશનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો..પરિણામે મહેશના નાનાભાઈ રોહિતે જેતપુર તાલુકા પોલીસમાં મોટોભાઈ મહેશ ગુમ હોવાની તા.24-4-2015 ના રોજ નોંધ કરાવી હતી.
બીજીબાજુ મહેશની ચાલચલગત અને રહેણીકહેણી અંગે જેતપુર તાલુકા ફોજદાર રઘુભાઈ કરમટીયાએ જીણવટ ભરેલી તપાસ દરમિયાન પણ મહેશના ક્યાય પોલીસને સગડ મળ્યા નહોતા. આમ છતાં પોલિસની ગુપ્ત તપાસ વચ્ચે ગઈકાલે કોઈએ પોલીસને જાણ કરી હતી કે, જેતલસરના મામાદેવવાળી જગ્યાની પાછળના જંગલી વિસ્તારમાં કોઈનું લોહીવાળું ટીશર્ટ, હાથનું કડુ તેમજ ચપલ પડ્યા હોય તપાસ કરવી જરૂરી છે.
જેતપુર તાલુકા પોલીસને આવી બાતમી મળતાજ ફોજદાર રઘુભાઈ કરમટીયાએ સ્ટાફના ગૌત્તમભાઈ ત્રિવેદી, મજનુભાઇ મનાત, દિવ્યેશ આહીર, જયવીરસિંહ રાણા સહિતનો કાફલો મારતે ઘોડે જેતલસર પહોંચી, બાતમીવાળી વસ્તુઓ(કપડા વી.) જેસીબી મારફત ખાડો ખોદાવી બહાર કાઢી, ગામના ભેદી સંજોગોમાં ગુમ યુવાન મહેશના ભાઈ રોહિતને બતાવતા રોહિતે આ બધું તેમના મોટાભાઈ મહેશનું જ હોવાની વિગતો આપતા, ગુમસુધ્ધા યુવાનની ઘટના હત્યાના બનાવમાં ફેરવાઈ હોવાની શંકા સાથે મહેશના મોબાઈલની કોલ્સ ડીટેઈલ્સ તપાસતા જુનાગઢના બીલખા રોડ પર આવેલ આંબેડકરનગરમાં રહેતા સાગર ઊર્ફે સચિન બાબુ રાઠોડ (ઉ.વ.22) અને ભૂરો (રહે.ધરાર નગર-ડુંગરપુર) ના કોલ્સને શંકાના દાયરામાં રાખી પોલીસે બંનેની શોધખોળ આદરતા સાગર રાઠોડ પકડાઈ ગયો હતો. જેની આગવી ઢબે સરભરા કરતા સાગર પોપટ બની જઈ, મહેશની મર્ડરમિસ્ટ્રી વર્ણવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. સાગરે મહેશની હત્યામાં તેમનો એક ભૂરો નામનો મિત્ર અને જેતલસરના 2 લવરમૂછીયા જીતેશ ઉર્ફે જીતો હીરાભાઈ ગોહેલ(ઉ.વ.21), કિરણ ઉર્ફે કટીયો ભલાભાઈ ગોહેલ(ઉ.વ.19)ના નામો આપતા જેતપુર તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જેતલસરના આ બંને યુવાનોને પણ ઝાલી લીધા હતા. જયારે નાશતા ફરતા ભૂરિયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બોક્સ: મહેશનું શુંકામ ઢીમ ઢાળી દેવાયું ??
જેતલસર: પોલીસને એવી વિગતો સાંપડી છે કે જુનાગઢના સાગર રાઠોડની બહેન  જેતલસરમાં ભરત ઉર્ફે ભલીયો કરશન ચૌહાણના પરિવારમાં શ્વસુરગૃહ ધરાવતી હોય, સાગર સમયાંતરે જેતલસર આવતો, ત્યારે કોઈ પારિવારિક બોલાચાલી દરમિયાન મહેશ અને સાગર વચ્ચેની ઉગ્ર તકરાર મારામારીમાં ફેરવાતા જ્યારે જ્યારે સામસામા આવી જતા મહેશ અને સાગર વચ્ચે બોલાચાલી અને માથાકુટો થયા કરતી. જે વાતનો કાયમી નિવેડો લાવવા સાગરે તેમના મિત્ર ભૂરો અને મહેશના એક તબક્કે કૌટુંબિક મિત્રો એવા જેતલસરના જીતેશ અને કિરણની મદદથી મહેશનું ઢીમ ઢાળી દીધાની પોલીસને પ્રાથમિક વિગતો મળી રહી છે.
બોક્સ: ઘટનાને અંજામ કઈ રીતે અપાયો ??!
જેતલસર: બનાવની સચોટ માહિતીઓ આપવામાં બંધ મોઢાને ખોલવા ના માંગતી પોલીસ વચ્ચેજ મળેલી અને ચર્ચાતી વિગતો એવી હતી કે જુનાગઢના સાગરે મિત્રો ભૂરો, જીતેશ અને કિરણની મદદથી મહેશને મામાંદાદાની જગ્યા પાછળના એક અવાવરું ગોદામ (જુનવાણી ટોટાનું ગોદામ) માં દારૂ પીવા બોલાવ્યો હતો. જ્યાં શરાબ પાર્ટી પતાવ્યા પછી ચારેય મિત્રોએ મહેશને ઉપરાછાપરી છરીઓના ઘા ઝીંકી, નજીકના એક ઊંડા ખાડામાં ગબડાવી, પથ્થરો અને ધૂળ નીચે મહેશને દાંટી ચારેય નાશી છુટ્યા હતા. આવી મર્ડરમિસ્ત્રી પકડાયેલ ત્રણેય તહોમતદારોએ પોલીસ સમક્ષ કબુલી હતી. પણ પોલીસ આવી વિગતોમાં સતત આઘી ભાગતી જોવા મળી હતી.
બોક્સ: પોલીસની તપાસ સમયે જીતેશ અને કિરણ સાથેજ રહેતા !!
જેતલસર: ગામના જાણકારો અને અને અમુક પોલીસમિત્રોમાં ચર્ચાતી વિગતો મુજબ ગુમસુધાં મહેશની શોધખોળ કરવા જ્યારે જયારે તાલુકા પોલીસ જેતલસરમાં આવતી ત્યારે અજાણ્યા બની જેતલસરનો કિરણ અને જીતેશ પોલીસની આજુબાજુજ ફરતા અને મહેશની સાથે કોણ કોણ ઘરોબો રાખતા તેની વાયા મીડયા માહિતીઓ પોલીસને આપતા, પણ આ બંને જ મહેશની હત્યાની ઘટનામાં સંડોવાયા હોવાની વિગતો બહાર આવતા પોલીસ પણ હબક ખાઈ ગઈ છે.
બોક્સ: મૃતકના ભાઈએ શું કહ્યું એફ.આઈ.આર.માં ??
જેતપુર: જેતલસરમાં ચાર યુવાનોના કારસા વચ્ચે હત્યાનો ભોગ બનેલા મહેશ જેન્તી ગોહેલના નાના ભાઈ રોહિતે નોંધાવેલી એફઆઈઆર માં જણાવેલ છે કે તેમનો મોટોભાઈ શરાબ પીવાની ટેવવાળો હતો. તેમજ સાગર અને ભુરીયા સાથે દારૂ જેવી બદીમાં ફસાઈ ગયો હોય, તેમજ અગાઉના મનદુઃખનો ખાર રાખી એકબીજાએ મદદગારી કરી, તીક્ષણ હથિયાર વડે મહેશને મોતને ઘાટ ઉતારી, પુરાવાના નાશ માટે મહેશની લાશને સગેવગે કરી નાખી છે. પોલીસે રોહિતની ફરિયાદ ફરથી સાગર, ભૂરિયો, જીતેશ અને કિરણ સામે ઈપીકો કલમ 302, 201 અને 114 મુજબ ગુનો નોંધી સાગર, જીતેશ અને કિરણની ધરપકડ કરી, નાશી છુટેલા ભુરીયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બોક્સ: મૃતકના કોઈ અસ્થી મળ્યા નથી : પોલીસ 
જેતલસર: જેતલસરના ગુમ યુવાનનો બનાવ હત્યામાં ફેરવાયા બાદ મૃતક યુવાનના હાડકા, ખોપડી, કે શરીરના અંગો મળ્યા છે કે કેમ ? તે વાતની પૂછપરછ દરમિયાન પોલીસ સુત્રોએ જણાવેલ કે મહેશના લોહીવાળા કપડા અને ચપલ સિવાય કશું મળ્યું નથી. મોઢા એટલી વાતો એ કહેવત મુજબ આ બધી વાતોને પોલીસે અફવામાં ખપાવી છે.
બોક્સ: 24 કલાક પછી પણ પોલીસ લાશ ક્યા છે ? તેનાથી અજાણ ??
જેતલસર: ગત મોડી રાત્રીના જ બનાવ સ્થળે મળેલા પત્રકારોને માહિતી આપવાની વાતમાં મોઢું ફેરવી લેતી પોલીસે છેલ્લી 24 કલાક થયા મહેશની હત્યામાં સંડોવાયેલ મનાંતા સાગર, કિરણ અને જીતેશ પાસેથી તેઓએ મહેશની લાશ ક્યા સગેવગે કરી છે ? તેની માહિતી ઓંકાવવામાં નિષ્ફળતા મેળવી હોય, જો સાંયોગિક પુરાવાઓ નહિ મળે તો આ હત્યાના કસુરવારો પોલીસ સકંજાની બહાર ચાલ્યા જશે તેવી જાણકારોએ દહેશત વ્યક્ત કરી છે.
બોક્સ: ડોગસ્કવોડ આંટો મારી ચાલી ગઈ !!
જેતલસર: ગઈ મોડી રાત્રીના ફોજદાર રઘુભાઈ કરમટીયા, મોટો પોલીસ કાફલો, ગ્રામજનો અને મામલતદાર કચેરીના નીખીલ મહેતા, પત્રકારો વી ની હાજરીમાં જેતલસર બનાવ સ્થળે આવી પહોંચેલ રાજકોટની ડોગસ્કવોડના સ્વાનને લોહીવાળું ટીશર્ટ, ચપલ સુંઘાડાયા હતા, પણ બનાવ સ્થળે લાંબી ચક્કર મારી ડોગસ્કવોડ પરત ચાલી ગઈ હતી. જતા જતા ડોગસ્કવોડના સ્ટાફે જણાવેલ કે 45 દિવસ જેવો સમય થઇ ગયો હોય, આ પ્રકરણ ઘેરું બન્યું છે. જો આઠેક દિવસનો બનાવ હોત તો ડોગસ્કવોડ ધણી અસરકારક કામગીરી કરી શકી હોત.
અહેવાલ અને ફોટો : કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર) 99742 62812

     
 

સોમવાર, 25 મે, 2015

જેતલસર નઝીક રીક્ષા હડફેટે યુવાન ઘાયલ

જેતલસર નઝીક રીક્ષા હડફેટે યુવાન ઘાયલ 
જેતલસર તા.25
જેતલસર જંકશનમાં રહેતો અમિત મીના નામનો 20 વર્ષનો યુવાન જુનાગઢ તરફ પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે જેતલસર ગામ નઝીક જીજે3 ડબલ્યુ 1993 નંબરની પેસેન્જર રીક્ષા ચાલકે અમિતના બાઈકને હડફેટે લઇ નાશી છૂટ્યો હતો. જયારે ઘાયલ અમિતને સારવાર માટે જેતપુર ખસેડાયાની જાણ પરથી તાલુકા પોલીસે નાશી છુટેલા ઉક્ત રીક્ષા ચાલકને પકડવા તપાસ આદરી છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 99742 62812

જેતપુરમાં રાજ્યમંત્રી-પાલિકાસુત્રોએ સાફસફાઈ હાથ ધરી


જેતપુરમાં રાજ્યમંત્રી-પાલિકાસુત્રોએ સાફસફાઈ હાથ ધરી
જેતપુર તા.25
ગઈકાલે રવિવારે જેતપુરમાં રાજ્યમંત્રી જયેશભાઈ રાદડિયા અને જેતપુર નવાગઢ નગર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાના નેજા હેઠળ મહાત્મા ગાંધી રોડ પર સાફસફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં ભાજપના હિતેશ રાવલ, મીનાક્ષીબેન સોજીત્રા, બિંદીયા મકવાણા, કિશોર શાહ, જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન, વિગેરે જોડાયા હતા.
કશ્યપ જોશી જેતપુર 99742 62812

જેતપુરમાં કોઈ શાળા સંચાલકો ગરીબોને ભણાવવા તૈયાર નથી, બોલો !!

જેતપુરમાં કોઈ શાળા સંચાલકો ગરીબોને ભણાવવા  તૈયાર નથી, બોલો !!
આરટીઈ અંતર્ગત બાળકોને પ્રવેશ આપવામાં જેતપુરના શાળા સંચાલકોના રીતસરના ઠાગાઠૈયા ! વાલીઓ ભારે મુજવણમાં !?
જેતપુર તા.25
જેતપુર શહેરના મોટાભાગના શાળા સંચાલકો પોત પોતાની શાળામા ધોરણ 1 ના વિદ્યાર્થીઓની સંખ્યા અને ફીના ધોરણ બાબતે સ્થાનિક વાલીઓ અને શાશનાધીકારીને જાણે ઉંધા ચશ્માં પહેરાવી ગરીબ બાળકોને પ્રવેશ(આરટીઈ અંતર્ગત) આપવામાં રીતસરના ઠાગાઠૈયા કરતા હોવાના આક્ષેપ સાથે જેતપુર નવાગઢ શહેર વાલી મંડળે લાગતા વળગતા શૈક્ષણિક સત્તાધીશોને લેખિત રજુઆતો કરી છે.
 આ બાબતે મળતી વિગતો મુજબ, રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિગેરેને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે જેતપુર શહેરમાં સરકારના રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત શિક્ષણ મેળવવા 268 જેટલા બાળકોએ ધો.1 માં પ્રવેશ ફોર્મ ભર્યા છે. બીજીબાજુ દરેક ખાનગી શાળામાં સરકારના આ નિયમ મુજબ 25 ટકા બાળકોને પ્રવેશ ફરજીયાત આપવો તેવો સરકારના આદેશ છે. 
પણ અહીના શાળા સંચાલકો પોત પોતાની શાળામાં ભણતા ધોરણ 1 ની સંખ્યામાં વ્યાપક ગોટાળા કરી, સ્થાનિક શાશનાધિકારીને અને વાલીઓને ઉંધા ચશ્માં પહેરાવાની કોશિશ કરતા હોય, ઉક્ત 268 છાત્રોમાંથી પણ અનેક બાળકો પ્રવેશથી વંચિત રહી જાય તેવો તાલ સર્જાયો છે.
બોક્સ: છાત્રોની સંખ્યા બાબતે શાળા સંચાલકોએ આવું કર્યું !!?? 
જેતપુર: સરકારી નિયમ મુજબ ફરજીયાત 25 ટકા બાળકોને પોતાની નિશાળમાં પ્રવેશ આપવાના સરકારી પરિપત્રથી મુંજાયેલા જેતપુરના મોટાભાગના શાળા સંચાલકોએ પોત પોતાની શાળામાં ધો.1 ના છાત્રોની ઓછી સંખ્યા દેખાડવા માંડ્યા?! દા.ત. જો કોઈ શાળા સંચાલક પોતાની શાળામાં ધો.1 ના છાત્રોની સંખ્યા 100 બતાવે તો 25 ગરીબ બાળકોને પ્રવેશ આપવો પડે. તેના બદલે 26, 36, 42 એવી સંખ્યા બતાવતા સ્થાનિક વાલીમંડળને શંકા જતા આ બારાની ઉચ્ચ શિક્ષણ તંત્રને રજુઆતો કરી છે.
બોક્સ: જી.શિક્ષણાધિકારી આટલું તપાસે એટલે સત્ય બહાર આવે !?
જેતપુર: જેતપુર નવાગઢ વાલી મંડળના પ્રમુખ જીતુભાઈ લાડવા(એડવોકેટ), ઉપપ્રમુખ મહમદભાઈ વી. જણાવે છે કે ધો.1 ના બાળકોને સંખ્યા બાબતે વાલીઓ સહીત સૌને ઉંધી ટોપી પહેરાવી રહેલા જેતપુરના શાળા સંચાલકોની આંખો ઉઘાડવા છેલ્લા 3 વર્ષ (2013-14-15) ના હાજરી પત્રકો, છાત્રોની માસિક ફી, સત્ર ફી, પ્રવેશ ફી વી.ની તાત્કાલિક કાર્બન કોપી જીલ્લા શિક્ષણાધિકારી મંગાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જવાની શક્યતાઓ નકારી શકાય નહિ !? (કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812)
++++++++++++++++++++++++++++++++++++++++++
જેતપુરના લેખકનું સન્માન 
જેતપુર તા.25
તાજેતરમાં વઢવાણમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન નિર્મિત મેગેઝીન દ્વારા જેતપુરના લેખક જીતુભાઈ ધાધલને શ્રી ઝવેરચંદ મેઘાણી સાહિત્યિક પત્રકારત્વ એવોર્ડ(2014-15) એનાયત કરીને સન્માનિત કરાયા હતા.
ફોટો : જીતુભાઈ ધાધાલનો એવોર્ડ સાથે  (કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812)
++++++++++++++++++++++++++++++++++++++++++++++
રાજકોટ રૂરલ એલસીબીના જમાદાર ભુરાભાઈ માલીવાડે પકડી લીધો 
પોરબંદર-જુનાગઢ-રાજકોટ જીલ્લામાંથી નાશતો ફરતો 
પ્રોહીબીશન બુટલેગર જેતપુરના બસસ્ટેન્ડમાંથી પકડાયો
જેતપુર તા.25
દેશી દારૂ પકડાવાના અનેક ગુનાઓમાં સંડોવાયેલ અને લાંબા સમય થયા પોરબંદર, જુનાગઢ અને રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકા પોલીસના ગુનાઓમાં નાશતા ફરતા જુનાગઢના આરોપીને આજે જેતપુરમાંથી એલસીબી રાજકોટના ભુરાભાઈ માલીવાડે પકડી પાડ્યો હતો.
મળતી વિગતો મુજબ જુનાગઢના ઘંટેશ્વર વિસ્તારમાં રહેતો મુળુ અરજણ રબારી પોરબંદરના કુતિયાણા પોલીસ સ્ટેશનમાં, જુનાગઢના ઈ ડીવીજન પોલીસ સ્ટેશનમાં અને રાજકોટના જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં અનેક વાર દેશી દારૂના વેંચાણમાં પકડવાના ગુના સબબ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. પણ વખતો વખત સંબંધિત પોલીસને દારુ દરોડા દરમિયાન હાથતાળી આપી મુળુ  નાશવામાં સફળ રહેતો હોય, ત્રણ જીલ્લાની પોલીસ તેમને શોધતી હતી.
દરમિયાન આ પ્રોબીશન બુટલેગર જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં આવ્યો હોવાની રાજકોટ રૂરલ એલસીબીના જમાદાર ભુરાભાઈ માલીવાડને બાતમી મળતા, એલસીબીના પીઆઈ ઉનડકટની સુચનાથી સ્ટાફના નીલેશભાઈ, નરેન્દ્રસિંહ રાણા વિગેરેએ અહીના બસસ્ટેન્ડમાંથી મુળુને પકડી પાડી જેતપુર તાલુકા પોલીસને સોંપ્યો છે. જ્યાં કાયદેસરની વિધિ બાદ મુળુંને ટ્રાન્સફર વોરંટ દ્વારા જુનાગઢ અને કુતિયાણા પોલીસ તરફ રવાના કરાશે.(કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812)

શનિવાર, 23 મે, 2015

ચાર ચાર દિવસની જહેમત છતાં દીપડી પાંજરે પુરાતી નથી ! જેતપુરના વાડાસડા ગામની સીમમાંથી દીપડીના 15-15 દિવસના 2 બચ્ચાને ઉછેરતું જંગલખાતું !!

ચાર ચાર દિવસની જહેમત છતાં દીપડી પાંજરે પુરાતી નથી ! 
જેતપુરના વાડાસડા ગામની સીમમાંથી દીપડીના  
15-15 દિવસના 2 બચ્ચાને ઉછેરતું જંગલખાતું !!
જેતપુર તા.23
જેતપુરના વાડાસડા ગામે આજથી ચાર દિવસ પહેલા ગામલોકોની બાતમી પરથી જેતપુર સ્થિત વનખાતાના સ્ટાફે વાડાસડા દોડી જઈ, પાંજરું ગોઠવી દીપડીને પકડવા પ્રયાસો કર્યા હતા. પણ શેરડીના વાડમાં ધીંગામસ્તી કરતા 15-15 દિવસના 2 બચ્ચા મળી આવતા બચ્ચાને દૂધ પીવડાવી ઉછેરવાની વનખાતું સેવા કરતુ હોવાનું આરએફઓ નંદાણીયે જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ ગઈ 19-5.  રોજ જેતપુર તાલુકાના વાડાસડા ગામે એક દીપડી બચ્ચા સાથે સીમમાં ફરી રહી હોવાની બાતમી મળતા જેતપુર વનખાતાના એમ.ડી.નંદાણીયા સ્ટાફ સાથે આ ગામની સીમમાં દોડી જઈ પાંજરું ગોઠવ્યું હતું.
પણ દીપડી પાંજરા તરફ ફરકતી નહોતી. બીજીબાજુ વાડાસડાના યુવા આગેવાન અશોકસિંહ ચૌહાણના જણાવ્યા પ્રમાણે વનખાતું દીપડીની શોધમાં હતું ત્યારે ગામની સહકારી મંડળીના પ્રમુખ ગોવિંદભાઈ કાનજીભાઈ ચૌહાણની વાડીમાંથી ખેતપાકની વચ્ચેથી ધીંગામસ્તી કરતા કરતા 2 બચ્ચા (15-15 દિવસના) મળી આવતા વન તંત્રે આ બંને બચ્ચાને વહાલથી ઉપાડી લઇ ગુપ્ત સ્થળે રાખી છેલ્લા 4 દિવસ થયા દુધની બોટલ દ્વારા દૂધ પાઈ ઉછેર કરી રહ્યા છે. જો કે દીપડી હજુ પકડાઈ નાં હોય ગામના સીમ ખેડૂત વર્ગમાં ભયનું લખુંલખું પસાર થઇ ગયું છે. અમુક ધીરજ ગુમાવી બેસેલા ખેડૂતોએ ત્યાં સુધી કહ્યું કે દીપડી નાં પકડાય તો કોઈ વાંધો નહિ, પણ વન તંત્ર દીપડીના બચ્ચા જ્યાંથી હાથ લાગ્યા ત્યાં મૂકી જાય તો માં તે માં ની કથની મુજબ દીપડી ગમે ત્યાંથી બચ્ચા સુધી પહોચી જશે.

બોક્સ:  રોજ બચ્ચા રાત્રે પાંજરે મુકાય છે !
જેતપુર: વનખાતાના આરએફઓ નંદાણીયાએ એક મુલાકાત દરમિયાન જણાવેલ કે છેલ્લા ચાર દિવસ થયા રોજ રાત્રીના દીપડીના બચ્ચાને વાડાસડા સીમમાં લઇ જઈને પાંજરે રાખી દીપડીને પકડવા કવાયત આદરાઈ રહી છે. પણ દીપડી જાણે ડરપોક હોય તેમ પાંજરા પાસે ફરકતી નથી.તેઓએ એમ પણ જણાવેલ બચ્ચા ખુબ નાના હોય, બંનેનો જન્મ વાડાસડાની સીમમાં જ થયો હોવો જોઈએ અને દીપડી પણ તેટલા વિસ્તારમાંજ હોવી જોઈએ. આ બાબતે જે હોય તે પણ વાડાસડા ના ખેડૂતોનો ભય દુર કરવા દીપડી પાંજરે પુરાય તે જરૂરી છે.
કશ્યપ જોશી જેતપુર 
++++++++++++++++++++++++++++++++++++++++++++++
15 દિવસ પહેલા અકસ્માતે દાઝેલા 
જેતપુરના વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત
જેતપુર તા.23
જેતપુરના ગોંડલ દરવાજા વિસ્તારમાં રહેતા સવિતાબેન ભાણાભાઈ નામના વૃધ્ધા આજથી એક પખવાડિયા પહેલા રસોડામાં પ્રાયમસની ઝાળે દાઝી જતા પ્રાથમિક સારવાર જેતપુર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ. જ્યાં તેમનું સારવાર દરમિયાન આજે મોત થયાનું શહેર પોલીસ દફતરે જાહેર કરાયું હતું.
જેતપુરમાં જુગાર દરોડો, ખેલંદો ભાગી ગયો !
જેતપુર તા.23
જેતપુરમાં ભાદરના સામા કાંઠા વિસ્તારમાં એક કે યુવાન પોતાના મોબાઈલ પર જુગાર રમાડતો હોવાની અહીના એએસપી દેસાઈને બાતમી મળી હતી. જેના આધારે ગઈકાલે એએસપીએ સ્ટાફને સાથે રાખી ઉપરોક્ત વિસ્તારમાં ત્રાટકતા મહિપત ઝીલુભાઈ નામનો દરબાર યુવાન પોલીસેને જોઇને નાશી છૂટ્યો હતો. પોલીસે મહીપતના ઘરમાંથી એક મોબાઈલ, રોકડ રૂ.26000 તથા એક બાઈક મળી કુલ રૂ.57000 નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
 કશ્યપ જોશી -જેતપુર 
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++



શુક્રવાર, 22 મે, 2015

જેતપુરમાં રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનો પ્રારંભ - (કશ્યપ જોશી - જેતપુર – 9974262812)

ટ્રેન હડફેટે અજાણ્યા યુવાનનું મોત 

જેતપુર તા.22

આજે વહેલી સવારે જેતપુર નઝીક ધોરાજી રેલ્વે ફાટક પરથી પસાર થતી ટ્રેન હડફેટે ચડી ગયેલ એક અજાણ્યા યુવાનું મોત થયું હતું.

મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પરની ફાટક પાસેથી પસાર થયેલી વેરાવળ તરફ જતી ટ્રેન હડફેટે ચડી ગયેલ એક યુવાનનું કરુણ મોત થયાની ઘટનાની જાંણ પરથી શહેર પોલીસ ઘટના સ્થળે દોડી જઈ લાશ સરકારી હોસ્પીટલે ખસેડી છે. 30 વર્ષના અજાણ્યા યુવાનને કોઈ જાણતું  હોય કે વાલી વારસ હોય તો શહેર પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. (કશ્યપ જોશી - જેતપુર – 9974262812)

 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

જેતપુરમાં રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનો પ્રારંભ 

જેતપુર તા.22

જેતપુર નગર પાલિકા આયોજિત રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનો ગઈકાલથી જેતપુરના જીમખાના મેદાનમાં ભવ્ય શુભારંભ થયો હતો.

બાબતે માહિતી આપતા પાલિકાના રમ્મત ગમ્મત ચેરમેન અરવિંદ વણઝારાએ જણાવેલ કે પાલિકા દ્વારા ઓપન સૌરાષ્ટ્ર રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનો પ્રારંભ ગઈકાલે સ્થાનિક એએસપી સુધીર દેસાઈના હસ્તે પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, ચીફ ઓફિસર વ્યાસ, સુધરાઈ સભ્યો પ્રમોદ ત્રાડા, જીમખાના પ્રમુખ વસંત પટેલ વિગેરેની હાજરીમાં થયો હતો. ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમોએ ભાગ લીધો છે. 10 દિવસ ચાલશે તેમજ 29.5. ના રોજ ફાઈનલ મેચ રમાશે.   

(ફોટો : કશ્યપ જોશી - જેતપુર – 9974262812)

 

 


ગુરુવાર, 21 મે, 2015

વરલી ફીચરના આંકડા લેતા ચાર સામે પોલીસની કાર્યવાહી

જેતપુર તાલુકાના ડેડરવા-સ્ટેશન વાવડીમાં 
વરલી ફીચરના આંકડા લેતા ચાર સામે પોલીસની કાર્યવાહી 
જેતપુર તાલુકા પોલીસે ગઈકાલે તાલુકાના ડેડરવા સ્ટેશન વાવડી ગામે વરલી ફીચરનો જુગાર રમતા ચાર શખ્શોને પડકી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકા પોલીસના ફોજદાર આર.એન.કરમટીયાએ સ્ટાફના દિવ્યેશ આહીર, વિગેરેને સાથે રાખી પ્રથમ  ડેડરવા ગામે રાત્રીના વરલીના આંકડા લખતા પ્રવીણ ભીમજી ચાવડાને વરલીના સાહિત્ય અને રોકડ 1970 રૂપિયા સાથે પકડી પાડ્યો હતો. પ્રવીણ, મનું નામના યુવાનને આંકડા કપાત કરાવતો હોવાની વિગતો પોલીસે પોલીસે તેમને પણ પકડવાની કવાયત હાથ ધરી છે.
જયારે સ્ટેશન વાવડી ગામે પણ વરલીના આંકડા લખતા વિક્રમ ગોવિંદ આહિરને રોકડ 5520 રૂપિયા અને વરલીના સાહિત્ય સાથે પકડી પાડ્યો હતો. ફોજદાર કરમટીયાએ જણાવેલ કે વાવડીનો વિક્રમ આહીર જેતપુરના પ્રવીણ દામોદર લોહાણાને કપાત કરાવતો હોય તેમની પણ અટક કરવાની વિધિ હાથ ધરાઈ છે.
કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812


બુધવાર, 20 મે, 2015

રાજકોટ જીલ્લાના જેતપુર શહેર તાલુકાના વિવિધ વર્તમાન - કશ્યપ જોશી - પત્રકાર - જેતપુર - 9974262812

જેતપુર નગર પાલિકા આયોજિત 

રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી જેતપુરમાં પ્રારંભ 

જેતપુર તા.20

જેતપુર નવાગઢ નગર પાલિકા દ્વારા ઓપન સૌરાષ્ટ્ર રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનો આજે તા.21 ના રોજ રાત્રીના 7-45 વાગ્યેથી, બસ સ્ટેન્ડ સામેના જીમખાના મેદાનમાં પ્રારંભ થશે. ગામડા અને શહેરોના ઉગતા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના હેતુસર શરુ થનાર આ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટક તરીકે રાજ્ય મંત્રી જયેશ રાદડિયા અને સહઉદ્ઘાટકો તરીકે જેતપુરના મદદનીશ પોલીસ અધિક્ષક સુધીરકુમાર દેસાઈ તેમજ પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, પાલિકા ઉપપ્રમુખ સુરેશ સખારેલીયા, જેતપુર જીમખાના પ્રમુખ વસંતભાઈ પટેલ વી.હાજર રહેશે. ક્રિકેટ ટુર્નામેન્ટનો નઝારો માણવા ક્રિકેટ રસિકોને રમતગમત ચેરમેન અરવિંદ વણઝારા અને ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસનો અનુરોધ છે.

કશ્યપ જોશી જેતપુર 

--------------------------------------------------------------------------

જેતપુરના ગોંદરા વિસ્તારમાં વોંકળાની સફાઈ કરાઈ 

જેતપુર તા.20

જેતપુર શહેરમાં પ્રતિ ચોમાસાની ઋતુ દરમિયાન જુદા જુદા વોંકળામાં ચારે તરફથી વરસાદી પાણીમાં કચરો તણાઈને આવતા હોય ઘણી વખત વોંકળાના પાણી છલકીને રોડ રસ્તા પર આવી ગયા હોવાની ઘટનાઓ બની છે. ત્યારે આગામી ચોમાસાને ધ્યાને લઇ, ''પાણી પહેલા પાળ'' જેવી કહેવત સાબિત કરીને જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ રમાબેન મકવાણાએ શહેરના ગોંદરા વિસ્તારમાં પાલિકાની સેનિટેશન શાખાને સાથે રાખી વોંકળાની સફાઈ કરાવી હતી તે પ્રસ્તુત તસ્વીરમાં દ્રષ્ટિગોચર થાય છે.  ફોટો : કશ્યપ જોશી જેતપુર 

---------------------------------------------------------------------------------------

સન્માન: જેતપુર પાલિકા પ્રમુખનું 

તાજેતરમાં રાજકોટ ખાતે ભારતીય જનતા પક્ષની એક બેઠક યોજાયી હતી. જેમાં જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ રમાબેન મકવાણાનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું તે તસ્વીરમાં દેખાય છે.   ફોટો : કશ્યપ જોશી જેતપુર 

-----------------------------------------------------------------------------------------

જેતપુરના વાર્તાકારની 24 મીએ, આકાશવાણી પર વાર્તા રજુ થશે

જેતપુર તા.20

જેતપુરની સેવાભાવી સંસ્થા સમર્પણ ગ્રુપના પ્રમુખ અને જાણીતા વાર્તાકાર હરીશભાઈ મણિયાર આગામી 24.5.ને રવિવારના રોજ, આકાશવાણી કેન્દ્રના બાલસભા કાર્યક્રમમાં, સવારે 9:30 કલાકે બાળવાર્તા રજુ કરશે.તેઓનો આ 23 મો કાર્યક્રમ રેડિયો પરથી રજુ થનાર હોવાનું વાર્તાકાર જણાવે છે.     ફોટો : કશ્યપ જોશી જેતપુર 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

જેતપુરના વેપારી સહીત 2 જણા  

ભેળશેળની ફરિયાદમાં નિર્દોષ છૂટ્યા 

જેતપુર તા.20

જેતપુરમાં કરીયાણાના વેપારી કેશુભાઈની દુકાનમાં ત્રાટકેલા ફૂડ ઇન્સ્પેકટરને હિંગમાં ભેળશેળની શંકા જનતા નમુનો લઇ દુકાન માલિક તથા હિંગ ઉત્પાદક સુનીલ કાચા સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. જે ફરિયાદનો કેઈસ જેતપુરની જ્યું.મેજી.કોર્ટમાં ચાલી જતા તહોમતદાર પક્ષે વકીલ જનક પટેલની દલીલોને ધ્યાને લઇ જજ રાજપૂતે બંનેને નાં કસુરવાર માની નિર્દોષ છોડવા હુકમ કર્યો હતો..

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

જેતપુરના દેરડી ગામે પરણીતાને ધમકી મળી !

ગામ મૂકી જતી રહેજે નહીતર આખા પરિવારને મારી નાંખીશ !

જેતપુર તા.20

જેતપુર તાલુકાના દેરડી ગામે એક પરિણીતાને તે જ ગામના શખ્શે ગામ મૂકી જતી રહેવા અન્યથા આખા પરિવારને મારી નાંખવાની ધમકી આપ્યાની તાલુકા પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાઈ છે.

મળતી વિગતો મુજબ તાલુકાના દેરડી ગામે રહેતી રશ્મિતાબેન જયેશભાઈ ભાયાણીને તે જ ગામના દીલું શેખવા નામના યુવાને ''ગામ મુકીને જતી રહેજે અન્યથા તારા આખા પરિવારને જાનથી મારી નાખવાની મોબાઈલમાં ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જણાવેલ કે ફરિયાદી અને તહોમતદાર કોઈ ચક્કર ચાલતું હોય, અગાઉ પણ આ બારાની ફરીયાદ કરાઈ હતી. બનાવની વધુ તપાસ જમાદાર બાબુભાઈ સોસાએ હાથ ધરી છે.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++


મંગળવાર, 19 મે, 2015

જેતપુરના વૃદ્ધાનું ઝેરી ટીકડા ખાતા મોત - જેતલસર નઝીક રીક્ષા પલટી ખાતા ચાલકનું મોત - જેતપુરમાં રૂ.72 હજારની ઘરફોડ ચોરી

જેતપુરના વૃદ્ધાનું  ઝેરી ટીકડા ખાતા મોત 
જેતપુર તા.19
જેતપુરના અમરનગર રોડ પર જમાદારની વાડી વિસ્તારમાં  રહેતા શારદાબેન પરસોત્તમભાઈ કયાડા નામના 70 વર્ષના વૃધ્ધાએ આજે કોઈ અગમ્યો કારણોસર ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મોત થયાનું શહેર પોલીસના એડી રજીસ્ટરમાં નોંધાયું છે. પોલીસે શારદાબેનને આવું પગલું કેમ ભરવું પડ્યું ? તે અંગે તપાસ હાથ ધરી છે.
જેતલસર નઝીક રીક્ષા પલટી ખાતા ચાલકનું મોત 
જેતપુર તા.19
જેતલસર ગામના દલિત કાનજીભાઈ ઘેલાભાઈ મહીડા(ઉ.વ.60) ગત રાત્રીના પોતાની તલની ગુણો ભરેલી છકડો રીક્ષા લઈને જેતલસર થી ગોંડલ તરફ જતા હતા. ત્યારે તત્કાલ બાઈપાસ રોડ ઉપર શાળા પાસેની ગોળાઈમાં રીક્ષા પલટી ખાઈ જતા ચાલક કાનજીભાઈ રીક્ષા અને તલના કોથળા નીચે દબાઈ જવાથી મોત પામ્યા હતા. બનાવની જાણ પરથી તાલુકા પોલીસે મૃતકની ડેડબોડી પીએમ અર્થે જેતપુરની સરકારી હોસ્પીટલમાં ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુરમાં રૂ.72 હજારની ઘરફોડ ચોરી
જેતપુર તા.19
જેતપુરના અમરનગર રોડ પર વિપ્ર પરિવારના એક બંધ મકાનને નિશાન બનાવી, શહેર પોલીસને પડકાર ફેંકી તસ્કરો રૂ.72 હજારની મત્તા ચોરી કરી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગત મુજબ અહીના અમરનગર રોડ પર આવેલ નંદનવન સોસાઈટી પાછળ રહેતા કાન્તિલાલ મોહનલાલ જોશીના બંધ મકાનનો મોકો જોઇને, મકાનના તાળા-નકુચા તોડી તસ્કરોએ, અંદર પ્રવેશી, કબાટ તેમજ રસોડા સહીત જુદી જુદી જગ્યાએ રાખેલા રોકડ 40 હજાર, રૂ.5 હજારનો એક મોબાઈલ તેમજ રૂપિયા 27 હજારના સોનાના પેડલ-બુટી મળી કુલ 72 હજારની મત્તા ચોરી જતા શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
કશ્યપ જોશી- જેતપુર - 9974262812 



જેતપુરના વૃદ્ધાનું ઝેરી ટીકડા ખાતા મોત - જેતલસર નઝીક રીક્ષા પલટી ખાતા ચાલકનું મોત - જેતપુરમાં રૂ.72 હજારની ઘરફોડ ચોરી

જેતપુરના વૃદ્ધાનું  ઝેરી ટીકડા ખાતા મોત 
જેતપુર તા.19
જેતપુરના અમરનગર રોડ પર જમાદારની વાડી વિસ્તારમાં  રહેતા શારદાબેન પરસોત્તમભાઈ કયાડા નામના 70 વર્ષના વૃધ્ધાએ આજે કોઈ અગમ્યો કારણોસર ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મોત થયાનું શહેર પોલીસના એડી રજીસ્ટરમાં નોંધાયું છે. પોલીસે શારદાબેનને આવું પગલું કેમ ભરવું પડ્યું ? તે અંગે તપાસ હાથ ધરી છે.
જેતલસર નઝીક રીક્ષા પલટી ખાતા ચાલકનું મોત 
જેતપુર તા.19
જેતલસર ગામના દલિત કાનજીભાઈ ઘેલાભાઈ મહીડા(ઉ.વ.60) ગત રાત્રીના પોતાની તલની ગુણો ભરેલી છકડો રીક્ષા લઈને જેતલસર થી ગોંડલ તરફ જતા હતા. ત્યારે તત્કાલ બાઈપાસ રોડ ઉપર શાળા પાસેની ગોળાઈમાં રીક્ષા પલટી ખાઈ જતા ચાલક કાનજીભાઈ રીક્ષા અને તલના કોથળા નીચે દબાઈ જવાથી મોત પામ્યા હતા. બનાવની જાણ પરથી તાલુકા પોલીસે મૃતકની ડેડબોડી પીએમ અર્થે જેતપુરની સરકારી હોસ્પીટલમાં ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુરમાં રૂ.72 હજારની ઘરફોડ ચોરી
જેતપુર તા.19
જેતપુરના અમરનગર રોડ પર વિપ્ર પરિવારના એક બંધ મકાનને નિશાન બનાવી, શહેર પોલીસને પડકાર ફેંકી તસ્કરો રૂ.72 હજારની મત્તા ચોરી કરી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગત મુજબ અહીના અમરનગર રોડ પર આવેલ નંદનવન સોસાઈટી પાછળ રહેતા કાન્તિલાલ મોહનલાલ જોશીના બંધ મકાનનો મોકો જોઇને, મકાનના તાળા-નકુચા તોડી તસ્કરોએ, અંદર પ્રવેશી, કબાટ તેમજ રસોડા સહીત જુદી જુદી જગ્યાએ રાખેલા રોકડ 40 હજાર, રૂ.5 હજારનો એક મોબાઈલ તેમજ રૂપિયા 27 હજારના સોનાના પેડલ-બુટી મળી કુલ 72 હજારની મત્તા ચોરી જતા શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
કશ્યપ જોશી- જેતપુર - 9974262812 



વડલી ચોક વિસ્તારની ભૂગર્ભ ગટર સાફ કરતુ પાલિકા તંત્ર

પ્રજા ફરિયાદને કારસામાં ખપાવતા જેતપુર પાલિકા પ્રમુખ !! 
વડલી ચોક વિસ્તારની ભૂગર્ભ ગટર 
સાફ કરતુ પાલિકા તંત્ર
પાલિકા પ્રમુખ રમાબેન કહે છે કોઈ હિતશત્રુઓ જાણીજોઇને ભૂગર્ભ ગટર બુરવાના હીન પ્રયાસો કરે છે !
(કશ્યપ જોશી દ્વારા) જેતપુર તા.19
જેતપુરના વડલી ચોક વિસ્તારમાં એક ભૂગર્ભ ગટરને કોઈ હિતશત્રુઓ જાણી જોઇને બુરવાનો પ્રયત્ન કરતા હોવાનો આક્ષેપ કરી આજે આ ભૂગર્ભ ગટર સાફ કરાવી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના વડલી ચોક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈને રસ્તા ઉપર ફરી વળતા હોવાની ફરિયાદ બાદ જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ તંત્રના માણસોને લઈને જેસીબી સાથે ફરિયાદવાળી જગ્યાએ દોડી ગયા હતા. 
જ્યાં ભૂગર્ભ ગટર ખોલીને તપાસ કરાતા ગટરમાંથી કચરો, ગાભા, અને પથ્થરો નીકળતા, કોઈ હિતશત્રુઓ તેમની પાછળ પડ્યા હોવાનો પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાએ પત્રકારો સમક્ષ આક્ષેપો કર્યા હતા. પાલિકા પ્રમુખે એક લેખિત યાદીમાં એવું પણ જણાવેલ છે કે તેમને બદનામ-હેરાન કરવા કોઈ તત્વો ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈ જાય તે રીતે ગટરમાં ગાભાના ડુચ્ચા, પથ્થરો નાખી દે છે. પણ આ વાતની ખાનગી રાહે તપાસ કરાવી, ભૂગર્ભ ગટર બુરવા પ્રયાસો કરતા તત્વો પકડાશે તો કાયદેશરની કાર્યવાહી હાથ ધરાશે..
ફોટો : - કશ્યપ જોશી જેતપુર  
 

સોમવાર, 18 મે, 2015

AVSAAN NONDH JETALSAR KASHYAP JOSHI JETPUR JETALSAR


​અવસાન નોંધ :
જેતલસર(ગામ): જમનભાઈ રૂડાભાઈ ઠુંમરના પુત્ર જીજ્ઞેશભાઈ(ઉ.વ.39) તે દિશાન્તના પિતાનું તા.17.5.15 ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.21 ને ગુરુવારના રોજ, સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાન, જેતલસર(ગામ) ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812

રવિવાર, 17 મે, 2015

જૂની સાંકળીની સીમમાંથી કોહવાઈ ગયેલી લાશ મળી

ભિક્ષાવૃતિ કરતી અને માનસિક અસ્થિરતા ધરાવતી મહિલાની
જૂની સાંકળીની સીમમાંથી કોહવાઈ ગયેલી લાશ મળી 
જેતલસર તા.17
આજે બપોરે જેતલસર પંથકના જૂની સાંકળી ગામની સીમમાંથી એક ભટકતી અસ્થિર મગજની મહિલાની કોહવાઈ ગયેલી લાશ મળતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જૂની સાંકળી ગામની સીમમાં, જેતલસરના રમેશભાઈ ભુવાની વાડીના કુવા નઝીકની એક અવાવરું ઝાળીમાં એક મહિલાની લાશ પડી હોવાની જાણ કરતા તાલુકા ફોજદાર કરમટીયા સ્ટાફના ગૌત્તમભાઈ ત્રિવેદી, દિવ્યેશ  આહીર,જયવીરસિંહ રાણા, બાબુભાઈ સોસા વિગેરેને લઈને જૂની સાંકળીની સીમમાં પહોચ્યા હતા.
દરમિયાન આજુબાજુના સીમ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ લાશ આશરે 35 થી 40 વર્ષ ધરાવતી, ભિક્ષાવૃત્તિ કરતી અને માનસિક અસ્થિરતા વચ્ચે રખડતી ભટકતી મહિલાની હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે આ કોહવાઈ ગયેલી લાશને પીએમ માટે પ્રથમ જેતપુરની સરકારી હોસ્પીટલે ખસેડ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા, વિશેષ પીએમ માટે રાજકોટ મેડીકલ કોલેજમાં ખસેડી છે. બનાવની વધુ તપાસ ફોજદાર કરમટીયા અને બાબુભાઈ સોસાએ હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતલસર 99742 62812

જેતલસર પંથકનું એક ગામ, નવી સાંકળી જ્યાં... ચાની એક પણ દુકાન નથી ! ગુટખા વેંચાણ પર પ્રતિબંધ !

જેતલસર પંથકનું એક ગામ,  નવી સાંકળી જ્યાં...
ચાની એક પણ દુકાન નથી ! ગુટખા વેંચાણ પર પ્રતિબંધ !
ગામમાં દરેક શેરી-રોડ સીસીથી પાકા, ઘરે ઘરે કબૂતરના માળા, ટ્યુબ લેવલથી પાણી વિતરણ ગામની ખાસિયત !
(કશ્યપ જોશી) જેતલસર તા.17
  જેતલસર પંથકના 12 ગામો પૈકીના એક નવી સાંકળી ગામના લોકોની રહેણી-કેહણી, જીવનશૈલી અને ખાસિયતો જાણવા જેવી છે.
આજથી આશરે 150 વર્ષ પહેલા થાણાદેવળી(અમરનગર) સ્ટેટના  રાજાશાહીનો દબદબો હતો ત્યારે આ સ્ટેટના ગણાતાં જૂની સાંકળીના દરબાર પરિવારોના ભાઈઓમાં ભાયુંભાગ પડતા નવી સાંકળી અસ્તિત્વમાં આવ્યું હતું.
     આવા સમયે ગણ્યાંગાંઠ્યા જ ખેડૂતો હોય, તેમજ તમામ સુખી સંપન્ન, ઢોર- ઢાંખર ધરાવતા હોય, બધા દૂધ, છાસ, દહીં, માખણ અને ધી નો છૂટથી ખાવાપીવામાં ઉપયોગ કરતા. મોટાભાગના બધા નિર્વ્યસની હતા. અમુક બીડીના બંધાણી હતા, પણ દુધની વ્યાપક ઉપજથી કોઈને ચાના પીણાનું વ્યસન નહોતું, એટલે ચાની દુકાન કરવી પડે તે વાતને કોઈ સ્થાન અપાયું નહોતું..
આટલી વાતો પછી ગામની ખાસિયતો અને સુવિધાઓ પર પ્રકાશ ફેંકતા 96 વર્ષની જૈફ વય ધરાવતા જેરામભાઈ જેઠાભાઈ ઠુંમર નામના ખેડૂત આતાએ જણાવેલ કે ભાઈ ગામમાં કોઈ એક કિલો ફરસાણ બનાવે તોય ખાધા વગર બગડી જતું !
      માત્ર વીશેક ખાતેદાર ખેડૂતોથી વસેલો નવી સાંકળી ગામનો ટીંબો અત્યારે 740 જનસંખ્યા, 6 વોર્ડમાં વસેલું અને 521 મતદારોનું ગામ બની ગયું છે. આજે અહી 150 જેટલા ખાતેદાર ખેડૂતો ખેતીકામ કે નાના મોટા ધંધા, રોજગાર અને વ્યવસાયો સાથે સંકળાયેલા છે. ગામના વયોવૃધ્ધો ધર્મપરાયણતામાં રચ્યા પચ્યા રહે તે માટે અહી શ્રી રામજી મંદિર, શિવ મંદિર અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરો પણ બંધાયેલા છે.
બોક્સ: ગામમાં ગુટખા વેંચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ !
જેતલસર: ગામના સેવાભાવી યુવાન મુકેશભાઈ લશ્કરી સહિતના યુવાનોએ જણાવેલ કે નવી સાંકળીમાં અત્યારે પાંચેક પાન-સોડાની દુકાનો છે, પણ ગુટખા વેંચાણ પર સ્વયં દુકાનદારોએ પ્રતિબંધ લાદયો હોય ગામની એક આ ખાસિયત ગણાવાય છે.
બોક્સ: ઘરે ઘરે કબુતર-પક્ષીઓના માળા ! 
જેતલસર: વર્તમાન હાઈટેક યુગમાં દયા-પ્રેમની લાગણીઓનું અધઃપતન થતું જોવા મળે છે ત્યારે નવી સાંકળીના પ્રજાજનોનો પક્ષીપ્રેમ છાપરે ચડીને પોકારતો હોય તેમ અહી ઘરે ઘરે કબૂતરના-પક્ષીઓના માળા જોવા મળ્યા હતા. આવા માળાઓ ઘરે ઘરે લટકાવાની સેવામાં ગામના પ્રભુદાસભાઈ ગીરધરભાઈ રૂપાપરા ઉર્ફે દાસભાઈની ઉઘાડા પગે કરાતી સેવાની સૌમાં સરાહના થતી સાંભળવા મળી હતી. દાસભાઈ ગામની જય અંબે ગરબી મંડળમાં પણ પોતાની સેવાનું મહત્તમ યોગદાન  આપતા હોવાનું જાણવા મળ્યું હતું..
બોક્સ: ટ્યુબ લેવલથી પાણી વિતરણ, અન્ય ગામોએ ધડો લેવા જેવું !!
જેતલસર: ગામના પ્રભુદાસભાઈ ઉર્ફે દાસભાઈએ પોતાની માસ્ટરી દ્વારા નવી સાંકલીમા રહેણાંક મકાનના ડેલે ડેલે ટ્યુબ લેવલથી પાણી વિતરણની વ્યવસ્થા ગોઠવાઈ છે. જેમાં પહેલા ગામનું પાણી વિતરણ  ટાંકીમાંથી પાણી છોડાય ત્યારે પાણી સૌ પ્રથમ મકાનોના ડેલા બહાર ઉભા કરાયેલ નળમાંથી નીચેના પાઈપમાં પાણી છોડાય છે જે પાઈપ વાટે પાણી ઘરમાં આવે  છે. આવી વ્યવસ્થાથી કોઈ દિવસ કોઈને પાણી ખેંચવા ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવો પડતો નથી. આજુબાજુના કે જેતપુર તાલુકા બહારના ગામડાઓના પંચાયતસુત્રોએ નવી સાંકળી પહોચી દાસભાઈએ અમલી બનાવેલ ટ્યુબ લેવલથી પાણી વિતરણનો ધડો લેવો જોઈએ..
બોક્સ: છેલ્લા 30 વરસથી સમરસ થતા 
નવી સાંકળીમાં અત્યારે 9 માં સરપંચનું રાજ !
જેતલસર: નવી સાંકળીના વયોવૃદ્ધ જેરામબાપા સહિતના  લોકોના કહેવા અનુસાર  આ ગામમાં અત્યાર સુધીમાં એટલેકે જ્યારથી નવી સાંકળી પંચાયત બની ત્યારથી 9 સરપંચોના પંચાયતમાં રાજ ચાલ્યા. તેમાં સૌ પ્રથમ ડાયાલાલ પોપટલાલ પંડયા,  હરિભાઈ રણછોડભાઈ રૂપાપરા, કરમશીભાઈ નાથાભાઈ ઠુંમર, વેલજીભાઈ પોપટભાઈ રૂપાપરા, વજુભાઈ વસ્તાભાઈ વાલાણી, રમેશભાઈ નારણભાઈ રૂપાપરા, નીતાબેન લખુભાઈ વાલાણી, કુમનભાઈ છગનભાઈ ઠુંમર તથા વર્તમાનમાં કાંતાબેન ભગવાનજીભાઈ રૂપાપરા સરપંચ તરીકે સેવા આપે છે. મુકેશ લશ્કરી સહિતના યુવાનોએ જણાવેલ કે 1985 થી નવી સાંકળી ગામની પંચાયત સમરસ થતી આવે છે. હાલ આ ગામમાં સૌથી મોટી ઉમરના ગોબરભાઈ ભાણાભાઈ માંગરોલીયા હયાત છે.

 સમાચાર અને ફોટો કશ્યપ જોષી- જેતલસર(જેતપુર) 9974262812
ફોટો ની વિગત : 
1..સિમેન્ટના રસ્તાઓની સુવિધાવાળું નવી સાંકળી ગામ, ઇન્સેટમાં જેરામબાપા વિગતો આપતા દેખાય છે.
2..ગામલોકોનો પક્ષીપ્રેમ, ઘરે ઘરે કબૂતરના માળા દેખાયા..
3..પાન માવાની દુકાનો પણ ગુટખા વેંચાણ પર સદંતર પ્રતિબંધ..
4..ટ્યુબ લેવલ પાણી વિતરણના જન્મદાતા દાસભાઈ આ સુવિધા બતાવતા દેખાય છે.