LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 27 માર્ચ, 2015
નજીવી બાબતે ગોંડલ મહિલા પોલીસની ધરારીના વિરોધમાં જેતપુરની મહિલા આગેવાનોનું પોલીસને આવેદન..
મંગળવાર, 24 માર્ચ, 2015
JETALSAR : JETPUR COURT DWARA KHEDUTNE 2 MAHINAANI SAJA KASHYAP JOSHI JETALSAR
સોમવાર, 23 માર્ચ, 2015
JETPURMA SHAHID DIN NIMITTE PUSHPAANJALI YOJAAYEE..KASHYAP JOSHI JETPUR JETALSAR
આજે 23 મી માર્ચ ને શહીદ દિન નિમિત્તે જેતપુર ખાતે શિવાજી ચોકમાં રાષ્ટ્રીય સેવક સંઘ (આરએસએસ) દ્વારા વીર સપુતોને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જાહેર જનતાએ લાભ લીધો હતો.I
KASHYAP JOSHI JETPUR JETALSAR 9974262812
રવિવાર, 22 માર્ચ, 2015
જેતપુરના દેરડી રોડ પરથી માનવ જેવું કંકાલ મળી આવતા ચકચાર પૂર્ણ
જેતપુરના સાડી કારખાનામાં ભેદી રીતે કિશોરના મોતથી ચકચાર
જેતપુર તા.22
ગઈ કાલે જેતપુરના એક સાડી કારખાનામાં મોતને ભેટેલા એક કિશોરના બનાવે સર્જેલા ભેદભરમના આટાપાટા વિંધવા પોલીસે કવાયત આદરી છે.
મળતી વિગતો મુજબ ગઈ મોડી રાત્રીના જેતપુરના ભાદરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ શિયારામ નામના સાડી કારખાનામાં રહેતા કોળી
વિશાલ મનસુખભાઈ મકવાણા (ઉ.વ.15) ની ડેડબોડી પીએમ માટે અહીની સરકારી હોસ્પીટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ આ બારાની શહેર પોલીસને જાણ કરી હતી.
બીજીબાજુ સરકારી હોસ્પિટલ ના મેડીકલ ઓફિસર ડોક્ટર કૌશિક ધીરજલાલ ઢોલરીયાએ વિશાલના મૃતદેહનું પીએમ કરી વિશેરા લઇ વિશેષ ચકાસણી માટે રાજકોટ મેડીકલ કોલેજ તરફ મોકલ્યા છે. હોસ્પિટલ મેદાનમાં વીજ શોક લાગવાથી વિશાલનું મોત થયાની ચર્ચાઓ બાબતે પૂછપરછ દરમિયાન ડો.ઢોલરીયાએ જણાવેલ કે વિશાલનું મોત વીજશોક થી તો થયુજ નથી પણ તેના મોતનું ચોક્કસ કારણ જાણવા વિશેરા રાજકોટ મોકલાયા હોય, પીએમ રીપોર્ટમાં ડેથ ઓફ કોઝ આવી જશે.
આ બાબતે જે હોય તે પણ ભેદભરમના આટાપાટા સર્જનાર આ બનાવને ભોમાં ભંડારી દેવાની કવાયાતોને ફગાવી પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812
જેતપુરના દેરડી રોડ પરથી માનવ જેવું
કંકાલ મળી આવતા ચકચાર
જેતપુર તા.22
આજે સાંજે જેતપુરના દેરડી રોડ પરથી એક માનવ જેવું જણાતું માનવ કંકાલ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ કંકાલ કબજે કરી તેના પ્રુથકરણની વિધિ હાથ ધરી છે.
શહેરભરમાં ચકચાર જગાડનાર બનાવની મળતી વિગતો મુજબ જેતપુરના દેરડી રોડ પાંજરાપોળની ઘાંસની વીડીમાં માનવ ખોપડી પડી હોવાની જાણ પરથી ઇન્ચાર્જ પીઆઈ સંઘાણી સહિતનો પોલીસ કાફલો દેરડી રોડ પર દોડી જતા એક ખોપડી અને છુટા છુટા અસ્થીઓ મળી આવતા પોલીસે તે કબજે લઇ જેતપુરની સરકારી હોસ્પીટલે લઇ ગયા હતા. જ્યાંથી ફરજ પરના તબીબી સુત્રોએ આ અસ્થીઓ ખરેખર માનવના છે કે કેમ ? તેની ચકાસણી માટે રાજકોટ ફોરેન્સિક લેબોરેટરી તરફ મોકલ્યા છે. હાલ માનવ જેવા જણાતાં કંકાલની તપાસ ફોજદાર જાડેજાએ હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812
જેતપુરમાં BAPS સત્સંગ મંડળના 60 સ્વયં સેવકોએ એસટી બસસ્ટેન્ડ સાફ કર્યું
શનિવાર, 21 માર્ચ, 2015
AVSAAN NONDH JETPUR KASHYAP JOSHI JETPUR JETALSAR અવસાન નોંધ : જેતપુર :
[New post] જેતપુર શહેરના આજના વિવિધ સમાચારો TODAY’S NEWS VERITES OF JETPUR CITY आज की अलग अलग जेतपुर शहर की खबरें
kjoc posted: "જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ દ્વારા આગામી ગુરુવારે ---------------------------------------------------------------------- જેતપુરના સ્મશાનઘાટમાં પૂર્ણ રીતે ભરાયેલ અસ્થી કુંભને વિદાયમાન કાર્યક્રમ અને પ્રાર્થનાસભાનું આયોજન ----------------------------"
|
KASHYAP JOSHI JETALSAR
વાલી મંડળ જેતપુરના હોદેદારો
જેતપુર તા.21
તાજેતરમાં જેતપુરમાં રચાયેલ જેતપુર નવાગઢ શહેર વાલી મંડળના મુખ્ય હોદાઓ ઉપર હોદેદારોની નિમણુંકો કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે યોગેન્દ્રસિંહ ગોહિલ, ઉપપ્રમુખોમાં મહમદભાઈ સાંઘ અને ચાવડા, સેક્રેટરી તરીકે જીતેન્દ્ર લાડવા, જોઈન્ટ સેક્રેટરી તરીકે જતીન દેગડા, શૈલેશ સાવલિયા(ખજાનચી) અને સહ ખજાનચી તરીકે વિનોદ જોશી ની નીમણુંકો કરાઈ હોવાનું જણાવાયું છે.
કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812


































