અનુયાયીઓ

શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2015

બળાત્કાર અને સુધરાઈ સભ્ય પર હુમલો કશ્યપ જોશી જેતપુર જેતલસર

મિલકતના પ્રશ્ને બે ભાઈઓની ચકમકમાં મધ્યસ્થી બનવા ગયા ને ખાવો પડ્યો માર !

જે  મહીલાને પાલિકાની ચુંટણી જીતવામાં મદદ કરેલી તે સુધરાઈ સભ્યને 

માથા-હાથ પર ધોકો ફટકારી ફ્રેકચર કરી દેતો વિજેતા મહિલા સદસ્યનો જેઠ

જેતપુર તા.13

જેતપુરના એક સુધરાઈ સભ્ય પર થોડા દીવશો પહેલાજ જેતપુર પાલિકાના સદસ્ય તરીકે વિજેતા મહિલા ઉમેદવારના જેઠે ધોકા લાકડી વતી હુમલો કરી ફ્રેકચર જેવી ઈજા કર્યાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાતા પીએસઆઈ સંઘાણીએ બનાવની તપાસ હાથ ધરી છે.

બાબતે મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પર પંચમીયા હોસ્પિટલ પાસે રહેતા પટેલ કૈલાસભાઈ બાવિષા અને તેમની પત્ની દિપ્તીબેન કૈલાસભાઈ બાવિષાએ જેતપુર નવાગઢ નગર પાલિકાના સદસ્ય અનીલ રતિલાલ કાછડિયા (.વવ.52) ઉપર એક સંપ કરી લાકડી તથા ધોકા વતી 

હુમલો કરતા અનિલભાઈને માથામાં તથા હાથે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓની સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

બનાવની ફરિયાદમાં જણાવાયું છે કે તહોમતદાર કૈલાશ બાવિષા અને તેમના નાનાભાઈ વિનુભાઈ બાવીશાને મિલકત બાબતે રકઝક થતી હોય સમાધાન માટે વિનુભાઈએ સુધરાઈ સભ્ય અનિલભાઈ કાછડિયાને ગઈ કાલે રાત્રીના 11.30 વાગ્યે પોતાના ઘરે બોલાવ્યા હતા.

ત્યારે અનિલભાઈ કઈ બોલે તે પહેલાજ વિનુભાઈના મોટાભાઈ કૈલાશભાઈ અને તેમની પત્ની દીપ્તીબેને અનિલભાઈ ઉપર હુમલો કરી લોહીલુહાણ કરી મુક્યા હતા. ફોજદાર સંઘાણીએ ઉક્ત બંને તહોમતદારો સામે જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાંના ભંગ સહિતની કલમો અન્વયે ગુનો નોંધી બંનેની ધરપકડની કવાયત આદરી છે.

 

બોક્સ: હુમલાખોર વિજેતા મહિલા ઉમેદવારના જેઠ

જેતપુર : બનાવ બાદ દુખની એક વાત શહેરીજનોમાં ચર્ચાતી જોવા મળી કે તાજેતરમાંજ જેતપુરના વોર્ડ નંબર 1 ની પેટા ચુંટણીમાં અનિલભાઈ કાછડીયાની વિકાસ સમિતિ પેનલમાંથી આશાબેન બાવિષા નામના મહિલા ઉમેદવારે ઝુન્કાવતા અનિલભાઈએ આશાબેનને ચુંટણી જીતાડવા ગજબની જહેમત ઉઠાવી હતી. હવે તે વિજેતા મહિલા પાલિકા સદસ્ય આશાબેનના જેઠ એવા કૈલાશ બાવીશાએ અનિલભાઈ ઉપર હુમલો કરતા શહેરીજનોમાં તરેહ તરેહની ચર્ચાઓ જાગી છે.   

 

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

કાગવડની પરિણીતા પર  તે ગામના યુવાને દુષ્કર્મ આચરતા ફરિયાદ

મારા બાઈક પાછળ બેસી નહીતર તારા ઘરવાળા અને છોકરાઓને મારી  નાખીશ તેવી ધમકી આપી યુવાન પરિણીતાને  જુદા જુદા શહેરોમાં લઇ ગયો અને આચર્યું દુષ્કર્મ

જેતપુર તા.13

જેતપુર તાલુકાના કાગવડ ગામની એક પરિણીતાને ધાક ધમકીઓ આપી અન્ય શહેરોમાં ફેરવી તે ગામના ભરવાડ યુવાને દુષ્કર્મ આચાર્યની વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા ફોજદાર જાડેજાએ ધોરણસરની વિધિ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના કાગવડ ગામે રહેતી એક પરિણીતા ગામમાં એક દુકાને બ્લાઉઝ સીવડાવવા જતી હતી ત્યારે તે ગામનો કમલેશ ઉર્ફે કાનો રતિભાઈ ભરવાડ નામનો યુવાન બાઈક લઈને પાછળ જઈને પરિણીતાને ધમકી આપી હતી કે ચાલ મારી પાછળ બેસી જા, નહીતર તારા ઘરવાળા અને બાળકોને મારી નાખીશ.

પરિણામે ગભરાઈ ગયેલી પરિણીતા ગત તા.25.1.2015 ના રોજ કમલેશના બાઈક પાછળ બેસી ગઈ હતી. દરમિયાન કમલેશ પરિણીતાને સારંગપુર, તારાપુર વિગેરે શહેરોમાં લઇ જઈને જુદા જુદા ગેસ્ટ હાઉસમાં રોકીને રાત્રીના પરિણીતા ઉપર મરજી વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

સતત 8 દિવસ સુધી આવો દુષ્કર્મનો સિલસિલો ચાલુ રાખનાર કમલેશ ગઈ તા.3.2.15 ના રોજ પરિણીતાને પાછો કાગવડ મૂકી ગયો હતો. સમયે પણ કમલેશે પરિણીતાને પોલીસ ફરિયાદ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

બીજીબાજુ પરિણીતાએ પોતાના પતિ સહિતના સગાવહાલાઓને પોતાની સાથે વીતેલી કહાની કહેતા, જો બારાની ફરિયાદ નહિ કરીએ તો તહોમતદારને પ્રોત્સાહન મળશે તેવું વિચારી આજે વિરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ જાડેજાએ કમલેશ ઉર્ફે કાનો રતિલાલ સાસણા સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની વિધિ હાથ ધરી છે.

 

 

SxI5S]DFZ H[P HMQL<H[T5]Z<H[T,;Z<((&$Z^Z*!Z

LOKCHARCHA UPDATES 12-2-2015



ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2015

અગાઉના મનદુઃખનો ખાર રાખી જેતપુરના નવાગઢમાં દલિત યુવાન પર 12 શખ્શોનો હુમલો


અગાઉના મનદુઃખનો ખાર રાખી જેતપુરના નવાગઢમાં 
દલિત યુવાન પર 12 શખ્શોનો હુમલો 
પોલીસે એસ્ટ્રોસીટી-રાયોટીંગનો ગુનો નોંધી હુમલાખોરોને પકડવા આદરી કવાયત 
જેતપુર તા.12
જેતપુરના નવાગઢ વિસ્તારમાં આજે બપોરે એક દલિત યુવાન પર નવાગઢનાજ 12 શખ્શોએ હુમલો કરી જાતી પ્રત્યે હડધૂત કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાતા પોલીસે એસ્ટ્રોસીટી અને રાયોટીંગનો ગુનો નોંધી હુમલાખોર સુધી પહોંચવા કવાયત આદરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢમાં કડિયા પ્લોટ, વણકરવાસમાં રહેતા જગદીશ રવજીભાઈ બગડા ઉ.વ.28 આજે બપોરે નવાગઢ ચોકડી રવિ પાન સામે ઉભો હતો ત્યારે યુવરાજ, રાજદીપ, શાહરૂખ અને જયપાલ તથા 8 અન્ય અજાણ્યા માણસો મળી કુલ 12 શખ્શોએ જગદીશને ઢીકા પાટુનો માર મારી સાહેદ જયાબેન(જગદીશની માતા)ને પણ ઝાપટ મારી, જાતી પ્રત્યે હડધૂત કરી, મારી નાખવાની ધમકી આપી લાકડી વતી હુમલો કરતા બઘડાટી બોલી ગઈ હતી. દરમિયાન જગદીશે ઉપરોક્ત 4 સહીત 12 જણા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગોંડલના ડીવાયએસપી આર.ડી.દેસાઈએ તહોમતદારો સામે એસ્ટ્રોસીટી અને રાયોટીંગની કલમોનો ગુનો નોંધી હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદી જગદીશે ફરિયાદમાં જણાવેલ છે કે ઉપરોકત શખ્શો સાથે અગાઉ બાઈક ભટકાવા બાબતે બોલાચાલી થઇ હોય, આ વાતનો ખાર રાખી તેમની ઉપર હુમલો કરાયો હતો.
KASHYAP JOSHI JETPUR JETALSAR 99742 62812


ભેદભરમના ઝાળા વચ્ચે રાષ્ટ્રીય પક્ષી 2 મોરના 2 ઢેલના મળતા ખગપ્રેમીઓમાં અરેરાટી.....

જેતપુરના મોટા ગુંદાળા ગામની ઘટના ટોક ઓફ ધી વિલેજ 
ભેદભરમના ઝાળા વચ્ચે રાષ્ટ્રીય પક્ષી  2 મોરના
2 ઢેલના મળતા ખગપ્રેમીઓમાં અરેરાટી.....
ખેત પાકોની ઝેરી દવાથી મોર-ઢેલના મોત થયાનું અનુમાન લગાવતું જંગલખાતું 
જેતપુર તા.12
જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામેથી ગઈકાલે રાષ્ટ્રીય પક્ષી મોરના 2 અને ઢેલ ના 2 એમ ચાર મૃતદેહો મળી આવ્યાની ઘટનાથી સંબંધિત જંગલખાતાના અધિકારીએ બનાવ સ્થળે દોડી જઈ આ ચારેય મૃત પક્ષીઓના લોહીના નમૂનાઓ રાજકોટ લાબોરેટરીમાં મોકલી પક્ષીઓના મોતનું કારણ જાણવા ચક્રો ગતિમાન કાર્ય છે.
બનાવ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે ગઈકાલે સવારે અમુક જાગૃત માણસોની નજરમાં પાંજરાપોળ નજીકની કેનાલ કાંઠે મૃત મોર-ઢેલ જોવા મળતા લાગતા વળગતા જંગલખાતાને આ બાબતે જાણ કરાઈ હતી. દરમિયાન ઘટના સ્થળે દોડી ગયેલ આરએફઓ નંદાણીયા સહિતના સ્ટાફને 2 મોર અને 2 ઢેલ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. આવા સમયે આરએફઓએ તબીબ રૂપાપરાને બોલાવી મોર-ઢેલના લોહીના નમુના લઈને પરીક્ષણ માટે રાજકોટ લેબોરેટરીમા મોકલ્યા છે.
આરએફઓ નંદાણીયાએ ટેલીફોનીક મુલાકાત દરમિયાન જણાવેલ કે અમારા ધ્યાને માત્ર 2 મોર અને 2 ઢેલ જ મૃત મળેલા, અને આ ચારેયના મોત આજુબાજુના ખેત પાકોમાં છંટાયેલી દવા ચણમાં ખાઈ જવાથી થયા હોવાનું પ્રાથમિક અનુમાન નીકળે છે. પણ સાચું કારણ રાજકોટના લેબો. રીપોર્ટ પછી જાણી શકાય..

બોક્સ: વીશેક મોર-ઢેલના મોતની આશંકા !?
જેતપુર: મોટા ગુંદાળાની આ ઘટના બાબતે જંગલ ખાતાને જાણ કરના જાગૃત માણસોમાં એવી ગોસીપ થતી હતી કે એક સાથે વીશેક મોર-ઢેલના મૃતદેહોને સવારના પહોરમાં ભૂંડ તેમજ કુતરા ફંફોળતા હતા. પણ માણસોના ટોળાના અવાજથી સ્વાન અને ભૂંડ આવ્યા તેટલા મોર ઢેલ મોઢામાં લઈને નજીકની જંગલની ઝાળીમાં ઘુસી જતા મૃત ઢેલ-મોરની સાચી સંખ્યા જાણવી મુશ્કેલ બની હતી.

બોક્સ: મોરના ટહુકાઓથી ગામલોકો આફરીન !
જેતપુર: મનીષભાઈ સહિતના મોટા ગુંદાળાવાસીઓએ જણાવેલ કે પાંજરાપોળના સેવાભાવીઓ રોજ મોર, ઢેલ, કબર, ચકલીઓને ચણ નાખતા હોય, સવારે અહી પક્ષીઓના કલરવથી વાતાવરણમાં મધુરતા ફેલાય છે, તો મોરના ટહુકાથી ગુંજતા આહલાદક વાતાવરણની મોજ માણ વા ઘણા ગ્રામજનો નિયમિત પાંજરાપોળની આજુબાજુ વોકિંગ કરવા પહોચી જાય છે.

કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 99742 62812