LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 24 જાન્યુઆરી, 2015
જેતપુર વોર્ડ નંબર 1 ની પેટા ચુંટણી માટે 11 ફોર્મ્સ ભરાયા
શુક્રવાર, 23 જાન્યુઆરી, 2015
ડેડરવાના શખ્શને વરલી ફીચરના સાહિત્ય સાથે પકડી લેતી પોલીસ
ખુનના આરોપીએ પેરોલ ઉપર છૂટી કત્તલખાનું ચાલુ કર્યું !! જેતપુરના નવાગઢમાંથી 135 કિલો ગૌમાંસ સાથે એક પકડાયો..
જેતપુર નવાગઢ નગર ભસ્ટ્રાચાર રહિત કરવા પ્રમુખ-ઉપપ્રમુખ મેદાને
મંગળવાર, 20 જાન્યુઆરી, 2015
: સંપતિને સાચવનારા વોચમેન અને વાપરનારા માલિક કહેવાય
કપાસની ખરીદીમાં વ્હાલાદવલાની નીતિ વપરાતા ખેડૂતોમાં રોષ
KASHYAP JOSHI JETALSAR URGENT METTERસંભારણું : 21-1-1915 બરાબર 100 વર્ષ પહેલા, આજની તારીખે મહાત્મા ગાંધીજી જેતપુર પધારેલા
આજના દિવસે તા.21-1-1915 એટલેકે બરાબર એકસો વર્ષ પહેલા પૂજ્ય મહાત્મા ગાંધીજી(બાપુ) નો જાણે જેતપુર(કાઠી ) સાથે ઘરોબો હોવાની ગવાહી પુરતી તસ્વીરો બતાવતા જેતપુરના લેખક અને ઇતિહાસવિદ જીતુભાઈ ધાધલ ધાધલની આંખોમાં જયારે જળજળીયા દેખાયા ત્યારે તેમની વાત અટકી ગઈ કે ભાઈ..શહેરના જુના માસ્તરોને ખબર નથી કે પૂજ્ય બાપુ જેતપુરમાં ક્યાં રોકાયા હતા ? આ લોકોએ(માસ્તરોએ) શું ઉકાળ્યું હશે ઈતિહાસ ભણાવવામાં ?!, બસ હવે કઈ નથી બોલવું ! આટલું બોલી જીતુભાઈ ધાધલે ઇતિહાસના પાનાં ખોલ્યા તે કૈક આવા હતા..
ઈ.સ.1915 ની 21 મી જાન્યુઆરી ના દિવસે મહાત્મા ગાંધીજી, પુ. કસ્તુરબા, બેરિસ્ટર શુકલ સહિતના દેશપ્રેમીઓ સાથે જેતપુરના દીલાવરગઢના રેલવે સ્ટેશને ઉતર્યા હતા. ગોંડલ થઈને પૂજ્ય બાપુ જેતપુર પધાર્યા હોવાની જાણ પરથી તેમને બા અદબ સન્માન સાથે તેડવા માટે જેતપુરના રાજવી દરબાર સાહેબ શ્રી મુળુવાળા સુરગવાળા સાહેબ, ડોક્ટર દીનશા સાહેબ, એદલજી વારછાસાહેબ, શ્રી દેવચંદ ઓતમચંદ પારેખ, બચુભાઈ પ્રેસવાળાના કાકા વલ્લભભાઈ કાગદી સહિતના હિંદુ-મુસ્લિમ અગ્રણીઓ રેલવે સ્ટેશને દોડી ગયા હતા.
બાપુને દિલાવરગઢ(અત્યારનું નવાગઢ) રેલવે મથકે તેડવા ગયેલા ઉપરોક્ત તમામ યેનકેન સહયોગી બની આઝાદીની ચળવળના સેનાનીઓ હતા..પણ જેતપુરની કમનશીબી કે ઇતિહાસના પાનાઓમાં આ વિગતો ક્યાય ઉલ્લેખાયી ના હોવાનો જીતુભાઈ ધાધલને વસવસો છે.
બોક્સ: પૂજ્ય બાપુએ રાતવાસો ક્યાં કર્યો ??
મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાતેજ તેઓ જેતપુરમાં ક્યાં રાતવાસો કર્યો હતો ? તેનો જવાબ વાળતા જીતુભાઈ એ જણાવેલ કે શહેરના લાદી રોડ પર અત્યારે જે સિંધી સમાજના દેવ શ્રી ઝૂલેલાલ ભગવાનનું મંદિર છે તે જગ્યા પહેલા ઓત્તમચંદ કામદારની મેડી તરીકે ઓળખાતુ..આ મકાન આમતો પૂજ્ય બાપુના સગા અને સ્નેહી દેવચંદભાઈના પિતા ઓત્તમચંદ્જીનું હતું. આ જગ્યાએ બાપુ અને કસ્તુરબાએ અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે રાત ગાળી રાષ્ટ્રીય હિતની તેમજ આઝાદી લડતની વાતો કરેલી.. ત્યારબાદ સવારે બાપુ ધોરાજી તરફ રવાના રવાના થયા હતા.
બોક્સ: પૂજ્ય બાપુની જેતપુરમાં બીજી મુલાકાત
જીતુભાઈએ અથાગ મહેનત બાદ પૂજ્ય બાપુના જેતપુરમાં બીજીવાર થયેલા પગરવ, મુલાકાત બાબતે જણાવેલ કે ગોખલે સ્મારક નિધિ માટે ફરતા ફરતા જેતપુર બીજીવાર આવેલા બાપુ દરબારગઢ સ્થિત રાજવી મુળુબાપુના નિવાસસ્થાને, અંજુમનવાળી બિલ્ડીંગમાં તેમજ ભાદર મહેલ તરીકે ઓળખાતા શેઠ અબ્દુલ્લાના નિવાસસ્થાને પણ ગયા હતા.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
ફોટો કેપ્શન:
બાપુ, યુ આર મોસ્ટ વેલકમ્ડ ટુ દિલાવરગઢ..
બરાબર આજની તારીખે સો વર્ષ પહેલા દિલાવરગઢ(નવાગઢ) રેલવે સ્ટેશને ઉતર્યા ત્યારે એક સંભારણારૂપ લેવાયેલી પ્રસ્તુત તસ્વીરમાં ખુરશીમાં બેઠેલાઓમાં (ડાબેથી) બેરિસ્ટર શુકલ, રાજવી મુળુબાપુ, મહાત્મા ગાંધીજી, કસ્તુરબા, અને દેવચંદ ઓતમચંદ પારેખ દેખાય છે. આ શિવાય જેતપુરમાં સેવાઓની હારમાળા સર્જી સેવાના ભેખધારી તરીકે પંકાયેલા ડોક્ટર દિનશા સાહેબ(ઉભેલાઓમાં પારસી ટોપી પહેરેલ) પણ અન્યો દેશપ્રેમીઓ સાથે હાજર હતા. આ ઈતિહાસિક તસ્વીર મેળવવામાં અને જાળવવામાં જીતુભાઈ ધાધલને કહેવાય છે કે પગે પાણી આવી ગયા હતા.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
અહી રોકાયા હતા જેતપુરમાં ગાંધીજી...
જેતપુરમાં દેવચંદ ઓતમચંદ પારેખનું મકાન કે જ્યાં ગાંધીજીએ રાતવાસો કર્યો હતો. આજે આ જગ્યાએ મંદિર બની ગયું હોય, ગાંધીજીની મુલાકાત સ્થળ વિષે આજની તારીખે શહેરીજનો અજાણ છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812
શનિવાર, 17 જાન્યુઆરી, 2015
કોર્ટની 2 વર્ષ ની સજા જેતપુર કશ્યપ જોશી
અરજન્ટ સમાચાર કશ્યપ જોશી જેતલસર
ગુરુવાર, 15 જાન્યુઆરી, 2015
Urgent news kashyap joshi jetalsar
Kashyap joshi jetalsar
9974262812
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: 15-Jan-2015 11:03 am
Subject: Urgent news kashyap joshi jetalsar
To: "akiladailyphoto" <akiladailyphoto@gmail.com>, "kkumarjoshi" <kkumarjoshi@gmail.com>
Cc:
સોમવાર, 12 જાન્યુઆરી, 2015
JETALSAR LAAAAASH MALI. Kashyap joshi
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: 12-Jan-2015 12:35 pm
Subject: LAAAAASH
To: "akiladailyphoto" <akiladailyphoto@gmail.com>, "kkumarjoshi" <kkumarjoshi@gmail.com>
Cc:
Kashyap joshi jetalsar
રવિવાર, 11 જાન્યુઆરી, 2015
પતંગ મહોત્સવનો પ્રારંભ
અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આજે સવારે અમદાવાદના રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ વખતે પતંગોત્સવમાં ૧૫૦ જેટલા વિદેશી અને ૨૨૮ દેશી પતંગબાજો ભાગ લીધો હતો. ગુજરાત સરકાર આ વખતે ૨૭ મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવા જઈ રહી છે. જો કે અગાઉની માફક આ વખતે ગુજરાત સરકાર દિલ્હી અને મુંબઈ ખાતે પતંગોત્સવનું આયોજન નહીં કરે. સાબરમતી રિવરફ્રન્ટ પર ખુલ્લો મુકાનાર પતંગોત્સવ આગામી તા.૧૩ સુધી ચાલશે. આ મહોત્સવમાં કુલ ૨૯ દેશોના ૧૫૦ વિદેશી પતંગબાજો તથા ગુજરાત સહિત ૧૦ રાજ્યોના ૨૨૮ પતંગબાજો સામેલ થયા છે . આંતરરાષ્ટ્રીય પતંગબાજો તેમની અવનવી પતંગોને ચગાવીને અમદાવાદના આકાશને આજે રંગીન બનાવી દીધું હતું. આ પતંગબાજોને જોવા આજે ભારે મેદની જોવા મળી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદની વિવિધ શાળાઓના 2000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાતમાં પતંગોત્સવની શરૂઆત પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ પહેલીવાર છે જ્યારે તેમના વિના પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગમહોત્સવની સાથે સાથે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અનેક આકર્ષણો રાખવામાં આવ્યા છે જેમાં આદિત્ય સ્તુતિ, સૂર્યનમસ્કાર, થિમ પવેલિયનનો સમાવેશ થાય છે. સાબરમતી નદીના કિનારે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ પર્વે ૨૦૦૦ બાળકોનો સૂર્યનમસ્કારનો અભિનવ કાર્યક્રમ રહ્યો હતો. સવારે બે હજાર બાળકો દ્વારા સુર્ય નમસ્કાર કાર્યક્રમે આકર્ષણ જમાવ્યું હતુ. આ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની થીમ પણ આપણી સંસ્કળતિની ઝલક સાંસ્કૃતીક કાર્યક્રમ દ્વારા રજુ કરાઇ હતી આ મહોત્સવનું આયોજન રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રી સૌરભ પટેલ, રાજ્યકક્ષાના પ્રવાસન મંત્રી જયેશ રાદડિયા અને પ્રવાસન નિગમના ચેરમેન કમલેશ પટેલની ઉપસ્થિતિમાં આ પતંગોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વિદેશી પતંગબાજો જૂથમાં તા.૧૩ મીએ રાજકોટ, ભાવનગર, સુરત ખાતે પતંગોત્સવ ઉજવશે. જ્યારે તા.૧૪મીએ આ પતંગબાજો અમદાવાદની પોળોમાં જઈને ઉજવણી કરશે.
એસટીનું ઉચ્ચ તંત્ર જેતપુરના સ્ટોલધારકની વહારે નહિ આવે તો વેપારીને ગુજરાન ચલાવવું કઠીન બનશે !!
જેતલસર તા.11 (કશ્યપ જોશી )
જેતલસર (કશ્યપ જોશી ) 99742 62812
શુક્રવાર, 9 જાન્યુઆરી, 2015
Fwd: જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા
જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય
નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા
જેતપુર તા.9
જેતપુરની માર્કેટ યાર્ડમાં રાજ્યમંત્રી જયેશ રાદડિયાના માર્ગદર્શન અને યાર્ડ ચેરમેન દિનેશ ભુવાની રાહબરી તળે આજે ભાજપમાં સભ્ય નોંધણી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના વલ્લભ શેખલિયા, હરદેવસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, પ્રકાશ ડોબરિયા, વસંત પટેલ, તથા પ્રવીણ ગજેરા વિગેરે ની જહેમત વચ્ચે ખેડૂતો, શ્રમિકો, અને વેપારીઓ મળી 1000 લોકોએ બીજેપીની વિચારસરણીને આવકારી પાર્ટી સાથે જોડાયા હોવાનું જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશ ભુવાએ જણાવેલ
જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા
જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય
નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા
જેતપુર તા.9
જેતપુરની માર્કેટ યાર્ડમાં રાજ્યમંત્રી જયેશ રાદડિયાના માર્ગદર્શન અને યાર્ડ ચેરમેન દિનેશ ભુવાની રાહબરી તળે આજે ભાજપમાં સભ્ય નોંધણી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના વલ્લભ શેખલિયા, હરદેવસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, પ્રકાશ ડોબરિયા, વસંત પટેલ, તથા પ્રવીણ ગજેરા વિગેરે ની જહેમત વચ્ચે ખેડૂતો, શ્રમિકો, અને વેપારીઓ મળી 1000 લોકોએ બીજેપીની વિચારસરણીને આવકારી પાર્ટી સાથે જોડાયા હોવાનું જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશ ભુવાએ જણાવેલ







































