અનુયાયીઓ

મંગળવાર, 12 ઑગસ્ટ, 2014

આઇટી રિટર્ન ફાઇલ કરો

આઇટી રિટર્ન ફાઇલ કરવાં છતાંય તમને મળી શકે છે નોટિસ

નવી દિલ્હી: શું તમે તમારું ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ કરી દીધું છે? જો હા
તો ય તમને ઇનકમ ટેક્સ વિભાગની નોટિસ મળી શકે છે. ઇનકમ ટેક્સ કલેકશનમાં
વધારો કરવાના સરકારના નિર્દેશને ધ્યાનમાં રાખતા આઇટી વિભાગ ટેક્સ ચોરી
કરનારની ઓળખ કરવામાં લાગી ગયા છે. તેના માટે તમારા આઇટી રિટર્ન અને
નાણાંકીય લેવડ-દેવડની તપાસ કરાઇ રહી છે. જો તપાસમાં કોઇપણ પ્રકારની ખામી
નીકળી તો નોટિસ મોકલાશે. ગયા
વર્ષે 12 લાખ નોટિસ મોકલી હતી.

આઇટી વિભાગ શું ચેક કરી રહ્યું છે :

- બેન્ક સ્ટેટમેન્ટ, ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ
- ફોર્મ 16
- તમારી સાથે રહેનાર કુંટુબના સભ્યોની માહિતી
- બેન્કોમાંથી નીકાળેલ અને ખર્ચેલ નાણાં
- ક્રેડિટ કાર્ડથી કરાયેલ ખર્ચ
- તમારા દ્વારા ચૂકવવામાં આવેલ વ્યાજ મુક્ત લોન

આવક 2 લાખથી વધુ તો રિટર્ન ફાઇલ કરો

કેટલાંય ટેક્સ ભરનારને લાગે છે કે તેમના પગારમાંથી ટીડીએસ કપાઇ જાય છે
આથી તેમને રિટર્ન દાખલ કરવાની જરૂર નથી. આ યોગ્ય નથી. જો તમારી આવક 2 લાખ
રૂપિયા (નાણાંકીય વર્ષ 2013-14 માટે) વાર્ષિકથી વધુ છે તો તમારે તમારું
રિટર્ન ફાઇલ કરવું પડશે. જો તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધુ છે અને
ઇનકમ ટેક્સ છૂટની કલમ 80સી ની અંતર્ગત ટેક્સ દેણદારી શૂન્ય પણ છે તો પણ
રિટર્ન દાખલ કરવું પડશે. ટેક્સ
વસૂલી માટે સરકાર આ લોકોની ઓળખને અગત્ય માની રહ્યા છે જે ઇનકમ ટેક્સ
રિટર્ન દાખલ કરી રહ્યા નથી.

આઇટીઆર 5 ની કોપી પોસ્ટથી મોકલવી જરૂરી

ટેક્સની રેન્જમાં હોવા છતાંય ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ ન કરનારાઓને જ આઇટી
વિભાગની નોટિસ મળશે નહીં પરંતુ જો તમે અધૂરું રિટર્ન દાખલ કર્યું તો પણ
તમને નોટિસ મળી શકે છે. ટેક્સ એક્સપર્ટના મતે કેટલાંય લોકો ઑનલાઇન ટેક્સ
રિટર્ન દાખલ કર્યા બાદ આઇટીઆર ફાઇલની કોપી પોસ્ટ દ્વારા આઇટી વિભાગને
મોકલતા નથી. જ્યાં સુધી તમે આઇટીઆર ફાઇલની કોપી મોકલતા નથી ત્યાં સુધી
તમારું રિટર્ન અમાન્ય
ગણાશે.

તમારા ફોટાની પોસ્ટ સ્ટેમ્પ

ગાંધી આશ્રમમાં અનોખી સુવિધા, ગાંધીજી સાથે તમારા ફોટાની પોસ્ટ સ્ટેમ્પ

૧પ ઓગસ્ટથી ગાંધી આશ્રમના મુલાકાતીઓ માટે અનોખી સુવિધા

અમદાવાદ: પોસ્ટથી મળતાં પત્રો પર લાગેલા પાંચ રૂપિયાના પોસ્ટલ સ્ટેમ્પ પર
વિવિધ સ્મારકો અને મહાનુભાવોની તસવીરો તમે જોઈ હશે, પરંતુ હવે તમે ગાંધી
આશ્રમમાં ગાંધીજીની પ્રતિમા સાથે તસવીર ખેંચાવીને તમારી પોતાની પોસ્ટલ
સ્ટેમ્પ તૈયાર કરી શકશો. ઈન્ડિયા પોસ્ટ (પોસ્ટ વિભાગ) અને ગાંધી આશ્રમ
સંચાલક મંડળ સાથે મળીને ૧પમી ઓગસ્ટથી આશ્રમમાં એક નવું કાઉન્ટર શરૂ કરી
રહ્યાં છે, જ્યાં
મુલાકાતીઓએ આશ્રમમાં લીધેલા તેમના ફોટોગ્રાફ્સની પોસ્ટલ સ્ટેમ્પ બનાવી
શકશે. એટલું જ નહીં આ સ્ટેમ્પને પોસ્ટ પણ કરી શકાશે અને તેના પર આશ્રમની
પોસ્ટ ઓફિસ દ્વાર ચરખાનું ચિહ્ન ધરાવતો સિક્કો પણ મારવામાં આવશે. ૧પમી
ઓગસ્ટથી શરૂ થઈ રહેલા આ પ્રોજેક્ટ વિશે વાત કરતાં ગાંધી આશ્રમનાં નિયામક
પ્રો. ત્રિદીપ સુહૃદે જણાવ્યું કે, '૧પમી ઓગસ્ટથી શરૂ થઈ રહેલા કાઉન્ટરથી
આશ્રમનાં
મુલાકાતીઓ માટે તેમની મુલાકાત યાદગાર બનાવવાની એક અનોખી સુવિધા ઊભી થશે.
અત્યાર સુધી આશ્રમમાં મહાત્મા ગાંધીને સંલગ્ન વિવિધ પોસ્ટકાર્ડ મળતાં
હતાં અને તેને આશ્રમમાં મૂકેલી ટપાલ પેટીમાંથી પોસ્ટ કરવામાં આવે તો તેના
પર ચરખાનાં ચિહ્નનો સિક્કો (કટિંગ માર્ક) લગાવવામાં આવતો હતો. હવે
મુલાકાતીઓ આશ્રમની મુલાકાત સમયે લીધેલા તેમનાં ફોટોગ્રાફ્સને પોસ્ટલ
સ્ટેમ્પ સ્વરૂપે
આશ્રમમાં જ તૈયાર કરાવી શકશે અને તેમની મુલાકાત માટે પોતાની વિશષ્ટિ
યાદગીરી બનાવી શકશે.' તેમણે વધુમાં કહ્યું કે, 'આ સુવિધા પોસ્ટલ સ્ટેમ્પ
એકઠી કરવાનાં શોખ ધરાવતાં ફિલાટેલિસ્ટ્સ માટે પણ ઉપયોગી બનશે. અમને
અપેક્ષા છે કે, આશ્રમમાં આવતાં અમદાવાદ અને દેશભરના મુલાકાતીઓ આ સુવિધાનો
લાભ લેશે.' પોસ્ટલ વિભાગનાં ગુજરાત સર્કલના પોસ્ટમાસ્ટર જનરલ (બિઝનેસ
ડેવલપમેન્ટ) અંબરિશ
ઉપાધ્યાયે જણાવ્યું કે, 'પોસ્ટ વિભાગની 'મેક માય ઓન સ્ટેમ્પ' સુવિધા હવે
૧પ ઓગસ્ટથી ગાંધી આશ્રમમાં જ ઉપલબ્ધ બનશે. મહાત્મા ગાંધીના નિવાસસ્થાન
રહેલાં આશ્રમ સાથે જોડાવું એ સમગ્ર પોસ્ટ વિભાગ માટે ગૌરવની બાબત છે. આ
સુવિધાથી મુલાકાતીઓ માટે તેમની મુલાકાતને યાદગાર બનાવવા પર્સનાલાઇઝ્ડ
મેમોરેબિલિયા બનશે.' આ વિશે વધુ માહિ‌તી આપતાં પોસ્ટલ સેવા ડિરેક્ટર
રામચંદ્ર જયાભાયેએ
કહ્યું કે, 'આ સુવિધા આ પ્રકારનાં પ્રવાસન સ્થળ પર ઉપલબ્ધ બનવાથી
મુલાકાતીઓ તેનો વિશષ્ટિ લાભ લઈ શકે છે. આ પ્રકારની સુવિધા સોમનાથ અને
દ્વારકા જેવા પ્રવાસન સ્થળોની પોસ્ટ ઓફિસ અને જનરલ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ
છે.'

આ રીતે બનાવો તમારી પોસ્ટલ સ્ટેમ્પ

- તમારા મનગમતા ફોટોગ્રાફ્સને પોસ્ટલ કાઉન્ટર આપો
- રૂ. ૩૦૦માં રૂ.પનાં મૂલ્યની ૧૨ સ્ટેમ્પ મળશે જેમાં તમારો ફોટોગ્રાફ્સ પણ હશે.
- આ સ્ટેમ્પ અન્ય કોઈ પણ સ્ટેમ્પની જેમ પોસ્ટ કવર પર તેનાં મૂલ્યની જેમ
ચોંટાડી પોસ્ટ શકાશે.
- ગાંધી આશ્રમમાંથી પોસ્ટ કરવામાં આવતાં પત્રો પર ચરખાનું કટિંગ ચિહ્ન પણ
મારવામાં આવે છે

શુક્રવાર, 8 ઑગસ્ટ, 2014

LOKCHARCHARCHA UPDATES AROUND THE SAURASHTRA




ઈરાકમાં હવાઈ હુમલા કરવાની ઓબામાએ સત્તા આપી

ઈરાકમાં હવાઈ હુમલા કરવાની ઓબામાએ સત્તા આપી

વોશિંગ્ટન – ઉત્તરીય ઈરાકમાં ઈસ્લામી ઉગ્રવાદીઓથી અમેરિકન નાગરિકોને બચાવવાની જરૂર પડે તો ટાર્ગેટવાળા સ્થાનો પર હવાઈ હુમલા કરવાની યૂએસ પ્રમુખ બરાક ઓબામાએ પેન્ટેગોનને સત્તા આપી છે.

ઈરાકમાં ઉગ્રવાદીઓએ બાનમાં પકડેલા નાગરિકોનું રક્ષણ કરવામાં ઈરાકી લશ્કરને મદદ કરવાનું પણ ઓબામાએ પેન્ટેગોનને કહ્યું છે.

તેમની આ જાહેરાતથી ઈરાકમાં વર્ષોથી ચાલતા સાંપ્રદાયિક યુદ્ધમાં અમેરિકાની નવેસરથી લશ્કરી દરમિયાનગીરીની શક્યતા વધી છે.

ઓબામાની આ જાહેરાતનું ગઈ કાલે રાતે સમગ્ર અમેરિકામાં ટીવી નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. અમેરિકન નાગરિકોનો જાન જોખમમાં હોય તો તેમનું રક્ષણ કરવા આપણે પગલા લેવા જ પડે. કમાન્ડર-ઈન-ચીફ તરીકે મારી આ જવાબદારી બને છે.

ઈરાકના ઉત્તર ભાગમાં આવેલા ઈરબીલ શહેરમાં ફરજ બજાવતા અમેરિકન સૈનિકો તરફ ઈસ્લામી ઉગ્રવાદીઓ આગેકૂચ માંડશે અને ત્યાંની યૂએસ કોન્સ્યૂલેટ ઉપર હુમલો કરે એવી સંભાવના વધી જતાં ઓબામાએ હવાઈ હુમલાનો આદેશ આપ્યો છે.

ઈરાકમાં લગભગ એક દાયકા સુધી યુદ્ધ સામેલ થયા બાદ અમેરિકાએ ૨૦૧૧માં પોતાના લશ્કરી દળોને ઈરાકમાંથી હટાવી લીધા હતા.

ઈરાકની સરકારની વિનંતીથી અમેરિકાએ ઘણા ઉગ્રવાદી હિંસા-ગ્રસ્ત વિસ્તારોમાં ફસાઈ ગયેલા નાગરિકો માટે પીવાના પાણીના અને ખાદ્યપદાર્થોના હજારો પેકેટ્સ ડિલીવર કર્યા છે. ઓબામાએ કહ્યું કે આજે આપણે ઈરાકની મદદે આવ્યા છીએ.

ઈસ્લામી ઉગ્રવાદી જૂથે યાઝદી સંપ્રદાયના લોકોને ઈસ્લામ ધર્મ અંગીકાર કરવાની મહેતલ આપી હોવાથી જરથુસ્ત (ઝોરાસ્ટ્રીયન) ધર્મ પાળતા હજારો યાઝદી લોકો જાન બચાવવા માટે તેમના ઘર છોડીને ભાગી નીકળ્યા છે.

ભાજપના પૂર્વ નેતા જસવંત સિંહ ICUમાં દાખલ, હાલત ગંભીર

ભાજપના પૂર્વ નેતા જસવંત સિંહ ICUમાં દાખલ, હાલત ગંભીર

rનવી  દિલ્હી – પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ વરિષ્ઠ નેતા જસવંત સિહ ગત મોડી રાતે તેમના ઘરમાં પડી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે આર. આર. હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરાયું હતું. હાલ તેઓ આઇસીયુમાં છે અને તેમની હાલ નાજુક હોવાનું ડક્ટરોએ જણાવ્યું હતું.

પ્રાથમિક અહેવાલો પ્રમાણે તેઓ ગત મોડી રાતે ૧૧ વાગ્યાની આસપાસ તેમના ઘરમાં બેહોશ મળી આવ્યા હતા. ૭૬ વર્ષિય નેતા ઘરમાં લપસી પડ્યા હોવાની ધરાણા છે, જેને પગલે તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

જે બાદ તેમને દિલ્હીની આર.આર. આર્મી હોસ્પિટલ ખસેડાયા હતા.

આર.આર. હોસ્પિટલના ડોક્ટરોએ તેમના મગજમાં આંતરિક રક્તસ્ત્રાવ બંધ થાય તે માટે ઓપેશન કર્યું હતું. આમ છતાં તેમની હાલત હજી પણ નાજુક છે.

મહત્વનું છે કે લોકસભા ચૂંટણી દરમિયાન બાડમેરથી ટિકીટ નહીં ફાળવાતા જસવંત સિંહે વર્ષો જૂની પાર્ટીનો સાથ છોડ્યો હતો. તેઓ બાડમેરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને હારી ગયા હતા.
સિંહ લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયીની સૌથી નજીક હતા.

અગાઉની એનડીએ સરકારમાં તેઓ નાણા, સંરક્ષણ અને વિદેશ મંત્રાલય સહિતના ખાતા સંભાળી ચૂક્યા હતા.

ગુરુવાર, 31 જુલાઈ, 2014

MyGov eNewsletter



-


My Gov Header
MyGov (http://mygov.nic.in) has been launched by the Hon'ble Prime Minister to facilitate Citizen Engagement for Good Governance and present a wonderful opportunity to move towards Surajya.
It invites you to contribute to build a strong, glorious and inclusive India through your contribution in the various tasks (both online and offline) as well as the discussions that the platform offers.
The Motherland has given so much to each one of us... let us give back to our Motherland by actively participating in the movement for good governance.
Launch of MyGov by the
Hon'ble Prime Minister
Featured Video on
MyGov
Logon to MyGov and join the mass movement to transform India's development journey!!!

.