ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારને સુપ્રિમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. ગુજરાત સરકારની વિદ્યા સહાયક સ્કિમ સુપ્રિમ કોર્ટના નિશાના પર છે...
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
સોમવાર, 20 મે, 2013
વિદ્યા સહાયકોની ભરતી મુદ્દે મોદી સરકારને સુપ્રિમ કોર્ટની લપડાક
ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારને સુપ્રિમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. ગુજરાત સરકારની વિદ્યા સહાયક સ્કિમ સુપ્રિમ કોર્ટના નિશાના પર છે...
SHIRVAJGADHNA SEVABHAVINU MUBAI NAAZIKNA MAARG AKASMATMA MOT..METTER BY KASHYAP JOSHI JETALSAR-JETPUR
nurztøk...rþðhksøkZLkk Mkuðk¼kðeLkwt {wtçkE LkSf {køko yfM{kík{kt {kuík, yLÞ ºký ½kÞ÷..
Ãkuxk....rMkæÄktíkðkËe Lkkøkrhf LkhuLÿ Ãkxu÷Lku Ãkh{ r{ºk økw{kÔÞkLkku ðMkðMkku..
(suík÷Mkh çÞwhku) suík÷Mkh íkk.h0
økkUz÷ íkkçkuLkk rþðhksøkZLkk ðíkLke Mkuðk¼kðe surLík¼kE ð½kMkeÞkLkwt yksu {wtçkE LkSfLkk yuf {køko yfM{kík{kt {kuík ÚkÞkLke ½xLkk íku{Lkk økk{ yLku suíkÃkwh rMÚkík r{ºkku ÃkkMku
ÃknkU[íkk Mkki{kt øk{økeLke Vu÷kE nkuðkLkwt òýðkt {¤u Au.
yk çkkçkíku {krníke ykÃkíkkt MkËTøkíkLkk Ãkh{ r{ºk rMkæÄktíkðkËe Lkkøkrhf LkhuLÿ¼kE Ãkk½zkh(suíkÃkwh) yu sýkðu÷ fu {w¤ rþðhksøkZ(nk÷ ðMkE-{wtçkE) ¾kíku s{eLk ÷u-ðu[Lkk rçkÕzh íkhefu
SðLk Sðíkkt surLík¼kE ðu÷S¼kE ð½kMkeÞk (W.ð.Ãkh)ËhhkusLkk rLkíÞ¢{ {wsçk yksu ðnu÷e Mkðkhu ðMkEÚke ðkLkøkkW({wtçkE) ÃkkuíkkLke {kYíke rMk^x fkh{kt çku r{ºkku yLku zÙkEðhLku
÷ELku MkkEx Ãkh sE hÌkkt níkkt.
íÞkhu y[kLkf Lkzu÷kt {køko yfM{kík{kt surLík¼kELkwt ½xLkkMÚk¤us {kuík ÚkÞwt níkwt. ßÞkhu zÙkEðhLku økt¼eh Eòyku íkÚkk r{ºkkuLku LkkLke {kuxe Eòyku MkkÚku Mkkhðkh {kxu Ëðk¾kLku ¾MkuzkÞk Au.
rþðhksøkZLkk yk Mkuðk¼kðeLkk yðMkkLkLkk Mk{k[kh {¤íkkts yk økk{Lkk ÷kufkuyu ¼khu þkuf ÔÞõík fÞkuo níkku.
çkkuûk: ðíkLkLkwt Éý yËk fhðk{kt {knuh..
suík÷Mkh: MkËøkíkLkk r{ºk LkhuLÿ Ãkxu÷u yk ÷¾LkkhLku sýkðu÷ fu AuÕ÷kt ÃkktºkeMk ðhMk ÚkÞkt rþðhksøkZ AkuzeLku {wtçkE MÚkkÞe ÚkÞkt nkuðk Aíkkt surLík¼kEyu økk{Lke LkkLke {kuxe Mkk{kSf, Äkr{of Mkuðkyku
Ãkhíðu ðíkLkLkwt Éý yËk fhðk{kt fËe ÃkkAwt ð¤eLku òuÞwt Lknkuíkwt. íkuykuLke ykðe Mkuðk{kt økk{Lkwt hk{S {trËh, nkEMfw÷ yLku Mkókn suðe MkuðkykuLkku Mk{kðuþ ÚkkÞ Au.
çkkuûk: ÃkheðkhsLkkuLku rð÷kÃk fhíkkt Akuzâk..
suík÷Mkh: MkËøkík surLík¼kE ð½kMkeÞkLkk y[kLkf yðMkkLkÚke íkuyku íku{Lke ÃkkA¤ ÃkíLke sÞ©eçkuLk, Ãkwºkku fkirþf, rnhuLk, Ãkwºkeyku hr~{çkuLk yLku sÕÃkkçkuLk íku{s çku LkkLkk¼kEyku rðLkw¼kE yLku yhrðt˼kE
MkrníkLkk ÃkheðkhsLkkuLku rð÷kÃk fhíkkt Akuze økÞk Au.
MkËøkíkLkku Vkuxku Ãký E{uE÷{kt Mkk{u÷ Au.(f~ÞÃkfw{kh su.òu»ke-suík÷Mkh(suíkÃkwh)yðMkkLk LkkUÄ:
suíkÃkwh: {w¤ rþðhksøkZ(íkk.økkUz÷) nk÷ ðMkE({wtçkE)rLkðkMke surLík¼kE ðu÷S¼kE ð½kMkeÞk(W.ð.Ãkh) íku rðLkw¼kE yLku yhrðt˼kELkk {kuxk¼kE
íkÚkk fkirþf¼kE, rnhuLk¼kE, hr~{çkuLk yLku sÕÃkkçkuLkLkk rÃkíkk íkk.h0.Ãk.h013 Lkkhkus yðMkkLk Ãkk{u÷ Au.
(f~ÞÃkfw{kh su.òu»ke-suík÷Mkh(suíkÃkwh)
.METTER BY KASHYAP JOSHI JETALSAR-JETPUR
રવિવાર, 19 મે, 2013
JETALSAR PANTHAKNA AARAB TIMBADI GAAM NAZIKNA STONE CRUSHER NE DUR LAI JAVA MUKHYA MANTRI-VIPAKSHIONE RAJUAATO-METTER BY KASHYAP JOSHI JETALSAR-99742 62812- 99095 20812
nurztøk........MxkuLk¢þhLku nxkððk nðu {wÏÞ{tºkeLku rðÃkûkeyku {kuZðkrzÞk-økkurn÷Lku hswykíkku..
Ãkuxk..........yk ðkíkLku [qtxýe÷ûke {wËTku çkLkkðe {íkËkhkuLku ¼ksÃkÚke yk½k hnuðkt fhkþu nkf÷:hswykíkfíkko
(suík÷Mkh çÞwhku) suík÷Mkh íkk.19
suík÷Mkh ÃktÚkfLkk ykhçkxªçkze økk{Lke «ò {kxu Mk{MÞkYÃk Mxku¢þhLku íkkrfËu Ëwh fhkððkLke hswykík nðu {wÏÞ{tºke yLku rðÃkûkeyku þrõíkrMktn økkurn÷ yLku yswoLk {kuZðkzeÞkLku fhkE Au.
MxkuLk¢þhLkk ç÷krMxtøkÚke økk{Lkk yLkuf {fkLkkuLke rËðk÷ku ríkhkzku Ãkze sðe yLku ÃkkýeLkk xktfk Vkxe økÞkLke yLkuf hswykíkku yLku y¾çkkhe ynuðk÷ku çkkË Ãký fkuE Mkhfkhe íktºkkuyu Mktíkku»kfkhf
fkÞoðkne Lkk fhíkkt yk ðkíkLku ÷ELku {uËkLku Ãkzu÷k økk{Lkkts ykrþ»k hk{kýe Lkk{Lkk ÞwðkLku nðu yk ðkíkLkk LÞkÞ {kxu {wÏÞ{tºke LkhuLÿ {kuËe yLku rðÃkûkeyku þrõíkrMktn økkurn÷ yLku yswoLk {kuZðkzeÞkLku
÷ur¾ík íku{s {kir¾f hswykíkku fhe Au.
hswykík{kt yuðku ykûkuÃk fhkÞku Au fu ÄkhkMkÇÞLkk ÃkwºkLkk Lkk{u [k÷íkkt yk ¼hzeÞk çkkçkíku y¾çkkhe ynuðk÷ku ðnuíkkt Úkíkkt suíkÃkwhLkk {kse ÄkhkMkÇÞyu yuðku nwtfkh ÔÞõík fÞkuo Au fu y{khe ¼ksÃkLke Mkhfkh
Au, øk{u íÞkt hswykíkku fhku y{khku fkuE ðk¤ ðktfku Lkrnt fhe þfu..
çkkuûk: suíkÃkwhLkk {k{÷íkËkhLkwt ¼uËe {kiLk ?
suík÷Mkh: xªçkzeLkk yk ¼hzeÞku «ò {kxu Mk{MÞkYÃk çkLÞku nkuðkLkk y¾çkkhe ynuðk÷ku çkkË suíkÃkwhLkk {k{÷íkËkh xªçkze økk{u Ëkuze sE VheÞkËe íku{s yLÞ Ëþuf økúk{sLkkuLku MkkÚku hk¾eLku økk{{kt Mkðuo fhe
f÷uõxhLku heÃkkuxo fÞkuo Au. Ãký {k{÷íkËkhLke fk{økehe þtfkMÃkË sýktíkk VheÞkËe ykrþ»k hk{kýeyu {krníke yrÄfkhLkk fkÞËk nuX¤ xeçktze økk{u fhkÞu÷k Mkðuo, heÃkkuxoLke ¾he Lkf÷ ykÃkðkLke {ktøk ËkunhkÔÞkLku
yksuu {rnLkku Úkðkt ykÔÞku nkuðk Aíkkt fkuE sðkçk Lkk {éÞku nkuðkLke VheÞkËeLke hkð Au.
çkkuûk: ¼hzeÞkLke Mk{MÞkLku [wtxýe {wËTku çkLkkðe {íkËkhkuLku òøkúwík fhkþu..
suík÷Mkh: MxkuLk¢þhLkk ç÷krMxtøkÚke ¾¤¼¤e WXu÷kt xªçkze økk{Lke Mk{MÞkLku n÷ fhkððk {uËkLku Ãkzu÷k ÞwðkLk ykrþ»ku sýkðu÷ fu yk ðkíkLku [qxýeLkku {wËTku çkLkkðe, {íkËkhkuLku òøkúwík fhe ¼ksÃk Mkhfkh økk{Lke
yk Mk{MÞk n÷ fhkððkt ykt¾ ykzk fkLk fhíke nkuÞ, {íkËkhkuLku ¼ksÃkÚke yk½k hnuðkt nkf÷ fhkþu.
(f~ÞÃkfw{kh su.òu»ke-suík÷Mkh-{ku.9974h 6h81h-9909Ãk h081h)
nðuÚke Ëhuf Mk{k[khku ÃkwLk: yk heíku ykÃk©eLku {¤íkkt ÚkE sþu.JETALSAR PANTHAKNA AARAB TIMBADI GAAM NAZIKNA STONE CRUSHER NE DUR LAI
JAVA MUKHYA MANTRI-VIPAKSHIONE RAJUAATO
METTER BY KASHYAP JOSHI JETALSAR
99742 62812
99095 20812
શનિવાર, 18 મે, 2013
વિદ્યાર્થીનીઓના ટયુશન કલાસિસ માટે નિયત કરાયેલ સમય રાજકોટ
એસ.ટી.ડી. પીસીઓ ધારકે રજિસ્ટર નિભાવીનેસીસીટીવી વેબ કેમેરા લગાવવાના રહેશે
રાજયમાં આતંકવાદીઓ દ્વારા ખુન/ધાડ/લુંટ જેવા જધન્ય અપરાધ આચરવા માટે કોઇન બોક્ષ ટેલિફોન તેમજ પબ્લીક એસટીડી/પીસીઓ/આઇએસડી બુથથી ફોન કોલનો ઉપયોગ કરી ગુન્હો કરતા પહેલા કે આંતકવાદી કૃત્યને અંજામ આપતા પહેલા એકત્ર થવા અને આંતકવાદી કૃત્યને અંજામ આપ્યા બાદ ફરાર થઇ જવા માટે અને ગુન્હેગારો સાથે સંપર્ક જાળવી રાખવામાં સંદેશા વ્યવહાર માટે મોબાઇલની વ્યકિતગત ધોરણે સુવિધા હોવા છતાં ગુન્હો આચરવા માટે જ કોઇન કનેકશન બોક્ષ ટેલિફોન કે એસટીડી/પીસીઓનો ઉપયોગ કરી ખુન, અપહરણ, લુંટ જેવા ગંભીર અપરાધો અને આંતકવાદી કૃત્યો આચરી કાયદાની પહોંચથી દૂર રહી ગુન્હો કરીને જાહેર જનતાના જાનમાલની ખુવારી કરે છે.
વિશેષમાં આજ પ્રકારના કોઇન બોક્ષ અને એસટીડી/પીસીઓ સુવિધા ધરાવતાં પબ્લીક બુથ પરથી અફવાઓ ફેલાવવા ખોટા કોલ કરી ભીડભાડ વાળી જગ્યાઓ જેવી કે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો, મોલ, મલ્ટીપ્લેક્ષ, જાહેર સરકારી ઓફીસો, એકમો, બેંકો વગેરે જયાં જાહેર જનતા મોટા પ્રમાણમાં અવરજવર થતી હોય તેવી જગ્યાએ બોમ્બ મુકયાની ખોટી માહિતી આપી જાહેર જનતામાં ભય અને અસલામતિની લાગણી ઉભી કરે છે.
ઘણીવાર આવા હોકસ કોલ્સને લીધે સ્ટેમ્પેડ (ભાગદોડ) થવાની અને મોટી જાનહાની થવાની શકયતા નકારી શકાતી નથી. આ ઉપરાંત આવા એસટીડી/પીસીઓ અને કોઇન બોક્ષ પરથી કોલર (ફોન કરનાર વ્યકિત)ની ઓળખ છુપાવી શકાતી હોય સભ્ય સમાજના સ્ત્રી પુરૂષ તથા યુવતિઓને પણ અરૂચીકર કોલ કરી ત્રાસ આપી કાયદાની પહોંચથી દૂર રહેવામાં ગુન્હેગારો સફળ થાય છે. આવા કિસ્સાઓ મુખ્યત્વે કોઇન બોક્ષ અને એસટીડી/પીસીઓ પર (કોલ કરનાર) કોલરની ઓળખ માટે કોઇ વ્યવસ્થા ન હોવાને કારણે બનતા હોવાનું જણાઇ આવેલ છે. આવા હોકસ કોલની તપાસ કોઇન બોક્ષ કે એસટીડી/પીસીઓ સુધી જઇને અટકી જતી હોય છે આવા ગુન્હાઓ અટકાવવા રાજકોટના શહેરના પોલીસ કમિશનર શ્રી એચ.પી. સિંઘે તા. ૨૧/૫/૧૩ના રોજ એક
જાહેરનામું પ્રસિધ્ધ કરી (૧) કોઇન કલેકશન બોક્ષ એસટીડી/પીસીઓ/આઇએસડી ધારકો તથા સર્વિસ પ્રોવાઇડર્સ (૧) ભારત સંચાર નિગમ લી.(ર) રીલાયન્સ કોમ્યુનીકેશન લી. (૩) ભારતી એરટેલ લી.(૪)ટાટા ટેલી સર્વીસ લી. (પ) આઇડીયા સેલ્યુલર લીમીટેડ તથા અન્ય જે કોઇપણ કંપની ફ્રેન્ચાઇઝીથી એસટીડી/પીસીઓ/આઇએસડી અને કોઇન બોક્ષની સુવિધા પુરી પાડતી હોય તે કંપનીઓ તરફથી કોઇન બોક્ષ એસટીડી/પીસીઓ ઉપર ફોન કરવા આવનાર વ્યકિતની (કોલરની) ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે નીચે મુજબની વ્યવસ્થા કરવા ફરમાવેલ છે.
એસટીડી/પીસીઓ ધારકે તથા ફ્રેન્ચાઇસી હોલ્ડરે કોલર વ્યકિતનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. જેમાં કોલરનું નામ, સરનામુ અને તેના મોબાઇલ નંબર લખવાનો રહેશે અને તેણે કરેલ કોલના નંબર લખવાના રહેશે.
કોલર વ્યકિતના ફોટો, આઇ.ડી.પ્રુફ જેવા કે ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડ, પાસપોર્ટ લઇને વેરીફાઇ કરીને કોલરનું નામ, રજીસ્ટરે નોંધ કર્યા બાદ જ કોલ કરવા દેવાનો રહેશે. અને આ રજીસ્ટર એક વર્ષ સુધી સાચવી રાખવાનું રહેશે અને તપાસના કામે પોલીસ તરફથી માંગવામાં આવેથી ઉપલબ્ધ કરવાનું રહેશે.
સર્વિસ પ્રોવાઇડર્સે એસટીડી બુથ અને કોઇન બોક્ષ પર કોલ કરનાર વ્યકિતનો ચહેરો સીસીટીવી વેબ કેમેરાથી સ્પષ્ટપણે સંપૂર્ણ કવરેજ થયા તે માટે નાઇટ વિઝન તથા હાઇ રીઝોલ્યુશન વાળા સીસીટીવી વેબ કેમેરાની સગવડ ઉપલબ્ધ કરવાની રહેશે. અને સીસીટીવી વેબ ફુટેજ એક માસ સુધી જાળવી રાખવાનું રહેશે. આ જાહેરનામાનો અમલવારીનો વિસ્તાર રાજકોટ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર છે.
નારણહરી નર્મદા સિચાઇ સહકારી મંડળી હરીપુરા ને ફડચામાં લઇ જવાઇ
શ્રી નારાણહરી નર્મદા સિચાઇ સહકારી મંડળી હરીપુરા તાલુકો કડીને ૧૦ મે ૨૦૧૨ ના રોજ ફડચામાં લઇ જવાઇ છે. ફડચા અધિકારીનો ચાર્જ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૩ ના રોજ એમ.જે.પરમારે સંભાળેલ છે. આ સંસ્થાના લેણા કે દેવા બાબતે હિત સંબધીતોએ દિન ૩૦ માં ફડચા અધિકારીશ્રીનો સંપર્ક જરૂરી દસ્તાવેજો સાથે સાધવાનો રહેશે તેમ ફડચા અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.
કૃષિ મહોત્સવમાં ૪૦ ગુંઠાના વાવેતર માટે લાભાર્થી ખેડુતોને કીટ અપાશે
રાજ્યમાં નવમો કૃષિ મહોત્સવ ૧૮ દિવસ ચાલનાર છે. આ કૃષિ મહોત્સવમાં ખેતીવાડા ખાતના તજજ્ઞો ,કૃષિ વિશ્વ વિધાલયના વૈજ્ઞાનિકો આધુનિક ખેતી અંગે માહિતી આપનાર છે.પશુપાલન ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા પશુ આરોગ્ય કેમ્પ અને પશુ સાર સંભાળ માટે માર્ગદર્શન આપનાર છે. ગ્રામસભામાં યાદી મુજબના લાભાર્થી ખેડુતોના ૪૦ ગુંઠાના વાવેતર માટે વિનામુલ્યે કૃષિ કીટસનો લાભ કૃષિ રથ દરમિયાન આપનાર છે. લાભાર્થી ખેડુતોએ કૃષિ રથ રૂટના દિવસે યોજાતા માર્ગદર્શનમાં હાજર રહેવા સંયુક્ત ખેતી નિયામક મહેસાણાએ અપીલ કરી છે.
મહેસાણા જિલ્લા માટે હો.દિવેલા કીટસ સાથે યુરીયા ૫૦ કિલો ૧ થેલી ,ડી.એ.પી ૫૦ કિલો ૧ થેલી આપવાનું નક્કી કરેલ છે. તેમ એન.કે કાથડ સંયુક્ત ખેતી નિયામક મહેસાણા વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે,
ચૂંટણીને અનુલક્ષી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું."
ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે.તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.
(ક) શસ્ત્રો દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી લાકડી અથવા શારિરીક ઇજા પહોંચાડી શકાય તેવું કોઇપણ સાધન સાથે લઇ જવું નહીં. (ખ) કોઇ ક્ષયકારી કે સ્ફોટક પદાર્થ સાથે લઇ જવો નહીં. (ગ) પથ્થરો અથવા ફેંકી શકાય તેવી કોઇ વસ્તુઓ અથવા તો વસ્તુઓ ફેંકવાના ધકેલવાના યંત્રો અથવા સાથે લઇ જવાના નહીં. તથા એકઠા કરવા નહીં. (ઘ) અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સૂત્રો પોકારવા નહીં, અશ્લીલ ગીતો ગાવા નહીં. (ચ) અલંકારીક ભાષણો કરવાથી, ચાળા પાડવાથી નકલ કરવાથી તથા છબીઓ બતાવવાથી અથવા તેનો ફેલાવો કરવાની રુચિ અથવા નીતિનો ભંગ થતો હોય તેવું કૃત્ય કરવું નહીં.
શ્રી સુધીર બી. પટેલ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બનાસકાંઠા પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૭(૧) અન્વયે મળેલ સત્તાની રૂએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ કૃત્યો કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે. આ પ્રતિબંધ તા.૦૭/૦૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર ચૂંટણી મથક ઉભુ કરી શકાશે નહીં."
ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે. તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.
આ ચૂંટણી દરમિયાન જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તથા ચૂંટણી મુકત ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતી રહે, સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર તા. ૨/૦૬/૨૦૧૩ ના રોજ મતદાનના દિવસે મતદાન મથક નજીક ઉમેદવારો/રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી મથક ઉભુ કરવા ઉપર ભારતના ચૂંટણી પંચની સુચનાઓ મુજબ કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે.
શ્રી જે. જી. હિંગરાજીયા, (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠાને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ આથી ફરમાવું છું કે, ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી દરમ્યાન ઉમેદવારો/રાજકીય પક્ષો દ્વારા તા. ૨/૬/૧૩ ના રોજ મતદાનના દિવસે કોઇ શૈક્ષણિક સંસ્થા/હોસ્પિટલમાં કે તેને અડીને આવી હોય તેવી જગ્યામાં/કોઇપણ મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર કોઇ ટેબલ કે ખુરશીઓ કે કોઇ મંડપ કે તાડપત્રીના ટુકડા કે છત્રીની વ્યવસ્થા કરી ચૂંટણી મથક ઉભુ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
મતદાન મથકથી ૨૦૦ મીટરનું અંતર છોડીને સંબંધિત સ્થાનિક સત્તામંડળની લેખિત પરવાનગી મેળવીને ચૂંટણી મથક ઉભુ કરી શકાશે અને તેમાં બે વ્યકિતઓ બેસી શકશે. આવા મથક ખાતે ઉમેદવારનું નામ પક્ષ/ચૂંટણી પ્રતિક દર્શાવવા માટે એક બેનર (૩x૪ ૧/૨) મૂકી શકશે આ સ્થળે ટોળુ ભેગું થઇ શકશે નહિ. ઉપરોકત હુકમનો ભંગ કર્યે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર સામે પગલાં લેવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું તા. ૧/૦૬/૨૦૧૩ થી તા. ૨/૬/૨૦૧૩ સુધી બંને દિવસો સહિત ૨ બનાસકાંઠા સંસદીય મતવિસ્તારમાં સમગ્ર વિસ્તારને લાગુ પડશે.
બનાસકાંઠા સંસદીય મતવિસ્તાર બહારની વ્યકિત ચૂંટણી પ્રચાર પુરો થયા પછી બનાસકાંઠામાં હાજર રહી શકશે નહીં.’’
ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે. તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.
ચૂંટણી દરમિયાન પ્રચાર ઝુંબેશનો સમયગાળો પુરો થયા બાદ (મતદાન સમાપ્તિ પહેલાના-૪૮ કલાકથી શરૂ કરીને) મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને સબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય હોદ્દેદારોએ (Political Functionaries) સબંધિત મતદાર વિસ્તારમાં હાજર રહેવા ઉપર ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ પ્રતિબંધ મુકવા જરૂરી જણાય છે આથી શ્રી જે. જી. હિંગરાજીયા, (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠાને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ નીચેની વિગતે પ્રતિબંધ મુકવા હુકમ કરવામાં આવે છે.
(૧) ૨- બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાં પેટા ચૂંટણી અન્વયે પ્રચાર ઝુંબેશનો સમયગાળો પુરો થયા બાદ (મતદાન સમાપ્તિ પહેલાના ૪૮ કલાકથી શરૂ કરીને) મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને સબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય હોદ્દેદારો (Political Functionaries) સબંધિત મતદાર વિસ્તારમાં હાજર રહી શકશે નહીં. વધુમાં આ હુકમ સંબંધિત મતદાર વિભાગમાં ચૂંટણી લડતા ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા. ૨/૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.
ચૂંટણી પ્રચાર માટે પરવાનગી વિના વાહનોનો ઉપયોગ નહીં કરી શકાય.
ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે. તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.
ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવામાં આવતાં વાહનો ઉપર ભારતના ચૂંટણી પંચની સુચનાઓ ધ્યાને લેતાં કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે. આથી શ્રી જે. જી. હિંગરાજીયા, (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠાને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ નીચેની વિગતે પ્રતિબંધ મુકવા હુકમ કરવામાં આવે છે.
(૧) સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકસભા પેટા ચૂંટણી અન્વયે ચૂંટણીના પ્રચાર માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહન ચૂંટણી અધિકારી કે તેમણે અધિકૃત કરેલા સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વિના ઉપયોગમાં લઇ શકાશે નહીં. પરવાનગી મેળવેલ વાહનનો જે તે વિધાનસભા મતદાર વિસ્તારમાં જ તેનો ઉપયોગ કરી શકાશે. (૨) મતદાનના દિવસે ઉમેદવાર તેમના પોતાના માટે એક વાહન, ચૂંટણી એજન્ટ માટે એક વાહન અને પક્ષના કાર્યકરોનો ઉપયોગમાં એક વાહન મળી કૂલ ત્રણ જ વાહનો ચૂંટણી અધિકારી કે તેમણે અધિકૃત કરેલા સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી મેળવી ઉપયોગ કરી શકશે. આ જાહેરનામાનો ભંગ કનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા. ૨/૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.
‘‘ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૩ ’’ મેળવી લેવો :
નવસારીઃ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા સ્નાતક થયેલા શિક્ષિત યુવાનો માટે મહત્ત્વની કારકિર્દી ઘડવામાં માર્ગદર્શકરૂપ ગુજરાત રોજગાર સમાચાર '' કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૩'' માહિતીખાતા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. આ વિશેષાંક રૂા.૨૦/-ની છૂટક કિંમતે વહેલા તે પહેલાના ધોરણે જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવાસદન, એ/૩, બહુમાળી ભવન, જુનાથાણા, નવસારી ખાતેથી કચેરી સમય દરમિયાન મળી રહેશે.
માહિતીખાતા દ્વારા દર વર્ષે ધોરણ-૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓ અને સ્નાતકોને કારકિર્દી પસંદ કરવામાં સહાયરૂપ થવાના હેતુથી વિશેષાંક પ્રકાશિત કરવાની પ્રણાલી રહી છે. આ વર્ષે પણ વિવિધ વિષયો જેવાં કે, ધોરણ-૧૦ પછીના અભ્યાસક્રમો, ડિપ્લોમાં એન્જિનિયરીંગના અભ્યાસક્રમો, ધોરણ-૧૨ પછીના વિવિધ અભ્યાસક્રમો, સ્નાતક પછીના અભ્યાસક્રમો, સ્પર્ધાત્મક, પરીક્ષાઓ, વિવિધ પ્રવેશ પરીક્ષાઓ, સંરક્ષણ દળમાં પ્રાપ્ય રોજગારી જેવા વિષયોને આવરી લેતાં નિષ્ણાંત અને તજજ્ઞ લેખકો દ્વારા લખાયેલા ઉપયોગી લેખો-અદ્યતન સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંક વહેલા તે પહેલાના ધોરણે મેળવી લેવા માહિતી વિભાગ ઘ્વારા જણાવાયું છે.
નવસારી તાલુકા પંચાયતને શ્રેષ્ઠ તાલુકા પંચાયત એવોર્ડ :
નવસારીઃ ભારત સરકાર ઘ્વારા પંચાયતીરાજ સંસ્થાઓને પ્રોત્સાહન આપવાની યોજના હેઠળ ૨૦૧૧-૧૨ ના વર્ષમાં રાજયની શ્રેષ્ઠ નવસારી તાલુકા પંચાયત ને જાહેર કરવામાં આવી છે. દિલ્હી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હસુમતીબેન પટેલને ભારત સરકારના પંચાયત મંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર અને એવોર્ડ એનાયત કરાયો હતો. નવસારી તાલુકા પંચાયતને રૂા.૨૦ લાખનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરના અધ્યક્ષપદે જિલ્લા સંકલન સમિતિની મળેલી બેઠક
પ્રજાકીય સમસ્યાઓ - લોકપ્રશ્નોના વાજબી અને ઝડપી ઉકેલ દ્વારા પ્રજાજનોને લોકાભિમુખ વહિવટની પ્રતીતિ કરાવવા જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરનો અનુરોધ
સરકારી બાકી લ્હેણાંની વસુલાત ઘનિષ્ઠ બનાવવા સુચના
આકસ્મિક સંજોગો અને પૂર્વ મંજૂરી સિવાય ગેરહાજર રહેનાર અધિકારીઓ સામે સખ્તાઇના પગલાંનો દિશાનિર્દેશ
રાજપીપળા–
જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરે વિવિધ સરકારી વિભાગોમાં રજૂ થતી પ્રજાકીય સમસ્યાઓ - લોકપ્રશ્નોનો સમયમર્યાદામાં વાજબી અને ઝડપી ઉકેલ આવે તે દિશાના પ્રયાસોને વધુ સઘન બનાવી, નાગરિક અધિકારપત્ર મુજબ પ્રજાજનોને તેમના હક્ક પ્રાપ્તિની સાથે લોકાભિમુખ વહિવટની પ્રતીતિ થાય તે જોવા અમલીકરણ અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં તમામ અમલીકરણ અધિકારીઓને અચૂક હાજર રહેવાની કડક સુચના આપતા જણાવ્યું હતું કે, આ બેઠકમાં આકસ્મિક સંજોગો અને પૂર્વ મંજુરી સિવાય કોઇપણ અધિકારીની ગેરહાજરી કોઇપણ સંજોગોમાં સાંખી લેવાશે નહી અને આવા અધિકારીઓ સામે સખ્તાઇના પગલાં ભરવાનો પણ તેમણે દિશાનિર્દેશ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી એસ.છાકછુઆક, નિવાસી અધિક કલેક્ટર શ્રીમતી રંજનબેન વાળા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ઝાલા સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિને બેઠકને સંબોધતા શ્રી રાકેશ શંકરે દરેક વિભાગોની મુદ્દાવાર સમીક્ષા કરતાં બાકી સેન્સસ તુમારો અને લોકરજૂઆતો વગેરેનો સમયસર નિકાલ કરવાની ભારપૂર્વક હિમાયત કરી હતી.
વલસાડની ૩૫ વર્ષિય મહિલા ભાનુબેન પટેલ ગુમ થઇ :
વલસાડઃ વલસાડ શહેરના તીથલ રોડ સ્થિત ગુજરાત હાઉસીંગ બોર્ડ, બ્લોક નંબર-૪, રૂમ નંબર-૯૧ ખાતે રહેતી ૩૫ વર્ષિય મહિલા નામે ભાનુબેન દિલીપભાઇ અજયભાઇ કોળી પટેલ ગુમ થઇ છે. વલસાડના નાયબ પોલીસ અધિક્ષક તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ભાનુબેન દિલીપભાઇ અજયભાઇ કોળી પટેલ ઘરેથી કોઇને પણ, કંઇ પણ કહ્યા વિના કયાંક ચાલી જતા ગુમ થઇ છે, તે આજદિન સુધી મળી આવેલ નથી. ગુમ થનાર શરીરે મજબૂત બાંધાની, રંગે ઘંઉવર્ણી, ઊંચાઇ ૪ ફૂટ-૩ ઇંચ, મોઢુ લંબગોળ, આંખમાં રતાપણા છે. ગુમ થતી વખતે આ મહિલાએ કાળા રંગનો પંજાબી ડ્રેસ પહેરેલ હતો. તેણી ગુજરાતી ભાષા જાણે છે. આ વર્ણનવાળી મહિલાની ભાળ કે પત્તો મળે તો વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનનો ફોન નંબર : ૦૨૬૩૨-૨૪૪૨૩૩ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.
માહિતી ખાતા દ્વારા પ્રકાશિત કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૧૩ મેળવવા સંપર્ક કરો
સૂરતઃ ᅠધો.૧૦ અને ધો.૧૨ પછીના પરિણામો બાદ વિઘાર્થીઓ અને વાલીઓને પોતાના બાળકો માટે કારકિર્દીનું કયું ક્ષેત્ર પસંદ કરવું તે મૂંઝવણનો વિષય થઇ પડે છે. વૈશ્વિક સ્તરે ઉજજવળ કારકિર્દીના અનેક ક્ષેત્રો છે. અઘતન ટેકનોલોજી અને વૈશ્વિક કક્ષાએ બદલાતા સમયના પરિપ્રેક્ષ્યમાં રોજગારીના નવા ક્ષેત્રો વિકસ્યા છે. આવા નિર્ણાયક તબકકે વિઘાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને ઉપયોગી માહિતીની જરૂરિયાત હોય તે સ્વાભાવિક છે. આવા સમયે વિઘાર્થીઓને તેમની મનગમતી ઉજજવળ કારકિર્દી ઘડવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવા માટે રાજય સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ગુજરાત રોજગાર સમચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૧૩ તેમના માટે પથદર્શક બની રહેશે.
આજના આધુનિક યુગમાં રોજેરોજ નવા વ્યવસાયોની ઉપલબ્ધ થતી અઢળક તકોમાંથી યોગ્ય તક ઝડપવા યોગ્ય અભ્યાસની પસંદગી, વ્યકિતના વિકાસના દ્વાર ખોલવામાં પાયાનું પ્રદાન કરે છે. વાલીઓ અને વિઘાર્થી મિત્રો સમજદારીપૂર્વક ભાવિ કારકિર્દીની પસંદગી કરે એ વર્તમાન સમયમાં અતિ આવશ્યક છે. માહિતી વિભાગ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ પછીના ૨૬૦ પાનાના દળદાર વિશેષાંક અનુભવી તજજ્ઞ લેખકો દ્વારા તૈયાર કરાયેલ અઘતન માહિતી સાથે વૈવિધ્યસભર માર્ગદર્શન આપતા લેખો વિઘાર્થીઓ માટે ભાગ્યવિધાતા બની રહેશે. આ અંકમાં ધો.૧૦ અને ધો.૧૨ પછીના અભ્યાસક્રમો ઉપરાંત સ્નાતક, અનુસ્નાતક પછીના અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ આ ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૧૩ ની છૂટક વેચાણ કિંમત રૂપિયા ૨૦-૦૦ છે.આ અંક મેળવવા માટેᅠᅠદક્ષિણ ઝોન પ્રાદેશિક માહિતી કચેરી, સ્ટેટ બેંકની પાછળ,ᅠચોકબજાર ખાતેથી જાહેર રજાઓના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન મળી શકશે તેમ સંયુકત માહિતી નિયામક શ્રી મહેશચંદ્ર કટારાએ એક યાદી દ્વારા જણાવ્યું છે.
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર | |
| Posted: 16 May 2013 10:08 PM PDT પ્રાર્થના આત્માનું પાથેય પ્રાર્થના એ ભોજન કરતા કરોડગણી વધારે ઉ૫યોગી ચીજ છે. ખાવાનું ભલે ચૂકી જવાય, ૫રંતુ પ્રાર્થના ક્યારેય ચૂકવી ન જોઈએ. પ્રાર્થના તો આત્માનું ભોજન છે. જો આ૫ણે આખો દિવસ ઈશ્વરનું ચિંતન કર્યા કરીએ તો બહુ સારું, ૫ણ જો કે તે બધા માટે સંભવ નથી. એટલે આ૫ણે દરરોજ ઓછામાં ઓછું થોડાક સમય માટે ઈશ્વર […] |
| Posted: 16 May 2013 10:02 PM PDT મનોવિકાર આ૫ણા સૌથી મોટા શત્રુ આ૫ અભાવગ્રસ્ત છો. જરૂરિયાતોથી પીડાવ છો તો તેમાં ક્ષુબ્ધ અથવા અસંતુષ્ટ રહેવાનું શું કામ ? અસંતોષ આ૫ની આ પીડાઓનો ઉ૫ચાર નથી. તેનો ઉ૫ચાર છે – વધુમાં વધુ ૫રિશ્રમ અને પુરુષાર્થ. પૌરુષ અને શ્રમશીલતાની શકિત આ૫ને ઈશ્વર તરફથી મળી જ છે. તેનો ઉ૫યોગ કરો અને પોતાની પીડાઓથી મૂકત થઈ જાવ. જો […] |
| You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
જૈન તીર્થ, તિર્થંકરોની અથ થી ઇતી સુધીની માહિતી
જૈન તીર્થ, તિર્થંકરોની અથ થી ઇતી સુધીની માહિતી
નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ધર્માનુરાગી જૈન યુવાન ચિંતન મહેતાએ જૈન ધર્મને તિર્થોનું અને જૈનોના ૨૪ તીર્થંકરોની અથ થી ઇતિ સુધીની માહિતી આપતું જૈન લેગસી નામનું પ્રોજેકટ તૈયાર કરી લોન્ચ કર્યો છે. આ ઉપરાંત આ પ્રોજેકટમાં જૈન ધર્મના મેગેઝીન, તેમના લેખક, લેખકનો પરિચય વગેરે માહિતી તથા જૈન ઉત્સવો અને એ ઉત્સવ પાછળનું મહત્વ પણ સમાવિષ્ટ કર્યું છે. તેની અદંર મેપની મદદથી લોકેશનની માહીતી પુરી પાડવામાં આવી છે. જયારે લોકો કોઇ પણ તીર્થ સ્થળ ઉપર જવાનુ પસંદ કરશે ત્યારે તેમને ઘણી બધી મદંદ કરશે. મને બીજા કરતા કઈક અલગ કરવાનો વિચાર આવ્યો જેના કારણે મે આ બનાવ્યુ છે એને ભવિષ્યમાં પણ દરેક ધર્મના લોકોને મદદ કરી શકાય તેવુ કામ કરવાની ઈચ્છા છે. ચિંતને એવો પ્રોજેક્ટ બનાવ્યો છે કે જેનાથી ફોટોગ્રાફ્સ, ઇતિહાસ, જગ્યાનું સરનામું વગેરે માહીતી મળી રહેશે. આ પ્રોજેક્ટ વિન્ડો માટે અને વિન્ડો ૮ ડેસ્ટોપ ટેબલેટમાં ચલાવી શકાય. આમા માઈક્રો સોફટ અપલોડ કરી કુલ ૧૪૬ દેશની એપ્લીકેશન ડાઉન લોડ કરી શકાય છે. આનો મૂળ હેતુ જૈન પીપલ અને અન્યને પણ હેલ્પફૂલ થવાનો છે. આ અંગે ચિતન મહેતા કહે છે કે આ એપ્લીકેશનમાં જૈનતીર્થ વિશેની બધી માહીતી, બધા ફોટોગ્રાફ, તેનો ઈતિહાસ જગ્યાનુ સરનામુ વગેરે જેવી તમામ માહીતી જેતે તીર્થના મૂળ નાયક, ત્યાંની ધર્મશાળા અને આજુ બાજુના તીર્થ તેમજ તેની આજુ બાજુની નજીકનુ બસસ્ટેન્ડ તથા એરપોર્ટની તમામ સુવીધાઓ મુકવામાં આવી છે. ૨૪ તીર્થકર ભગવાનુ નામ તેમનુ ભૂતકાળનુ નામ ભવિષ્યનુ નામ જન્મ તારીખ તેમની દિક્ષા તારીખ, મોક્ષ તેમનો પરીચય, સ્વર્ગવાસ, તેમનુ નિર્માણ સ્થળ જેવી તમામ માહીતી પુરી પાડી છે. આમ પણ આપણા ગુજરાતમાં જૈનતીર્થ વધુ પ્રમાણમાં છે. કેટલાંક લોકો એવા પણ છે કે જેઓ આવા તીર્થધામની મુલાકાત લેવા ઇચ્છતા હોય છે. પણ માહીતીના અભાવે તેઓ મુલાકાત લઇ શકતા નથી. આ એપ્લીકેશન હેલ્પફૂલ બનશે.
MAANA LAKSHANO PUTRINE PAARNAMATHI..PHOTO CAPTION BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-9974262812-9909520812
PHOTO CAPTION BY KASHYAP JOSHI
JETALSAR-JETPUR
9974262812
9909520812
શુક્રવાર, 17 મે, 2013
સ્વામી નારાયણ મંદિરનો શત વાર્ષિક પાટોત્સવ યોજાયો
મહેસાણા જિલ્લાના મોટપ ખાતે સ્વામી નારાયણ મંદિર ખાતે શત વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો. ૧૨ થી ૧૬ મે દરમિયાન ચાલતા આ ભાગવદ સપ્તાહના પુર્ણાહુતિપ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રી રજનીકાન્ત પટેલે વિશેષ હાજરી આપી હતી.ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ સાથે પોથી પુજન કરી વિશેષ આરતી કરી હતી. તેમજ સ્વામી નારાયણ ભગવાનના આશિર્વચનમેળવ્યા હતા
રાજ્ય સરકારે સહકારી ક્ષેત્રે આગવી પ્રગતિ કરી છે. –-ગૃહમંત્રીશ્રી રજનીકાન્ત પટેલ
દુધસાગરડેરી હોલ ખાતે સહકારી શૈક્ષણિક સેમીનાર યોજાયો
કૃષિ મહોત્સવ થકી ખેડુતોસધ્ધર થતા બેન્કમાં થાપણો મુકતા થયા છે. -નાણા મંત્રીશ્રી નિતીનભાઇ પટેલ
મહેસાણા જિલ્લા દુધ સાગર ડેરી હોલ ખાતે ઉત્તર ગુજરાત અર્બન કો,ઓપ બેન્ક ફેડરેશન મહેસાણા દ્વારા સહકારી શૈક્ષણિક સમેનાર યોજવામાં આવ્યો હતો. ટેક્ષશન અને વીમા ચેક્સ અર્પણ કાર્યક્રમમાં નાણાં અને આરોગ્ય મંત્રીશ્રી નિતીનભાઇ પટેલ,ગૃહ રાજ્ય મંત્રીશ્રી રજનીકાન્ત પટેલ,પુર્વ મંત્રીશ્રી અનિલભાઇ પટેલ,નિવૃત એડીશનલ રજિસ્ટ્રારશ્રી જી.કે.પંડ્યા ચાર્ટડ એકાઉન્ટ હસમુખભાઇ દોશી સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રંસગે નાણા મંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડુતોને રાજ્ય સરકાર દ્વારા ઉત્તમ બિયારણ,રોટા વેટર,સ્પ્રીકલર ,ઓઇલ એન્જીન ,ટ્રકટર વગેરે ૧૫૦ કરોડના માત્ર યાંત્રિક સાધનો આપવાનું કામ કર્યું છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ખેડુતોની વિશેષ કાળજી લીધી છે. પરિણામે ખેડુતો સાધન સંપન્ન અને સુખી જીવન જીવતા થયા છે આજે ઉત્તર ગુજરાતના ખેડુતો ધિરાણ લેવાને બદલે બેન્કમાં થાપણો મુકતા થયા છે. તેનો શ્રેય બેન્કો ઉપારંત ઉત્તર ગુજરાતની સહકારી સંસ્થાઓને જાય છે. આજે ધિરાણની સાથે સેવાનો વિકલ્પ સહકારી સંસ્થાઓએ ઉપાડી લીધેલ છે તેના માધ્યમથી અકસમાત વિમા યોજના અંતર્ગત અસરગ્રસત ખેડુતોના પરિવારને ૧ લાખના ચેક તેમણે અર્પણ કર્યા હતા મંત્રીશ્રીએ ફ્લડ આઇ ટી ટુ યોજના અંતર્ગત કે.જી થી પી.જી ના વ્યાપમાં આવતા લાભાર્થી વિર્ધાર્થીઓને કોમ્પયુટર સાધન સહાય વિતરણ કર્યા હતા
રાધનપુર ખાતે મુખ્યમંત્રીશ્રીએ કૃષિ સ્ટોલ અને પશુ આરોગ્ય મેળાના ડોમની મુલાકાત લીધી
રાધનપુર ખાતે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ મહોત્સવ-૨૦૧૩નો પ્રારંભ કરાવ્યો હતો. તે પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના વિવિધ પ્રદર્શન સ્ટોલ અને પશુ આરોગ્ય મેળાના ડોમની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગૌ પુજન કર્યું હતું. તે સમયે મુખ્યમંત્રીશ્રીને પશુપાલન અને સહકાર તથા ગૌસેવા અને મત્સ્યદ્યોગના સેક્રેટરી દ્વારા ગાય-વાછરડીનું સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણાં મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, કૃષિ મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા તથા મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
પાટણ જિલ્લાનું ગૌરવ અમદાવાદ ખાતે અકાદમી સ્થાપના દિને પાટણના ગૌરવ પુરસ્કૃત કલાકાર મુગટલાલ નાયકનું વિશિષ્ટ સન્માન કરાયું
ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા અકાદમી સ્થાપના દિને ગુજરાતના ૧૨ કલાકારોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણના રહેવાસી ગૌરવ પુરસ્કૃત કલાકાર શ્રી મુગટલાલ અમથાલાલ નાયકનું જયસુંદરી નાટયગૃહ, અમદાવાદ ખાતે તાજેતરમાં ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના સચિવશ્રી ર્ડા. પ્રદિપ આઝાદના હસ્તે શિલ્ડ અને શાલથી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી મુગટલાલ નાયક ૧૫ વર્ષની ઉંમરથી તેમના વડીલોની જુની રંગભૂમિ ભવાઇમાં સ્ત્રી પાત્ર અનોખી રીતે ભજવતા હતા. કલાકારોની ભવાઇ મંડળ બનાવી ગુજરાત અને ગુજરાત બહારના રાજયોમાં કાર્યક્રમો રજુ કરી ગુજરાતની લોક સંસ્કૃતિને ઉજાગર કરી હતી. શ્રી નાયક સાત બેડા નૃત્ય નવરંગ ગરબો કરી લોકોના મન મોહી લેતા હતા.
કસબી કલાકાર શ્રી મુગટલાલની કલા ક્ષેત્રે ગૌરવપુર્ણ કામગીરીને લીધે તા. ૦૩/૦૯/૨૦૧૨ના રોજ પૂર્વ મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાના હસ્તે રૂ. ૫૧ હજારનો ચેક અને તાંબાના શીલ્ડથી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
પાલનપુર સરકીટ હાઉસ ખાતે ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી હરેન્દ્ર વીરસિંહને મળી શકાશે.’’
લોકસભા પેટા ચૂંટણી-૨૦૧૩ અન્વયે બનાસકાંઠા જીલ્લા માટે ભારતના ચૂંટણીપંચ તરફથી કામગીરીની દેખરેખ માટે ચૂંટણી નિરીક્ષકશ્રીઓ (ઓબ્ઝર્વરશ્રીઓ)ની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ૧૦-દાંતા, ૧૨-પાલનપુર, અને ૧૩-ડીસા વિધાનસભા મતદાર વિભાગના નિરીક્ષક(ઓબ્ઝર્વર) તરીકે શ્રી હરેન્દ્રવીરસિંહની નિમણુંક કરવામાં આવી છે. તેઓશ્રીનું પાલનપુરમાં આગમન થઇ ગયું છે. તેમના સંપર્ક માટેનો નંબર-૦૨૭૪૨-૨૫૩૩૮૬ છે અને મોબાઇલ નં. ૮૧૪૧૦ ૯૯૫૬૫ છે. તેઓશ્રી પાલનપુર સરકીટ હાઉસ ખાતે સવારના ૯ થી ૧૦ કલાક સુધી મુલાકાતીઓને મળી શકશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી બનાસકાંઠા ધ્વારા જણાવાયું છે.
ચૂંટણીને અનુલક્ષી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા હથિયાર પરવાનેદારો માટે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું.
ભારતના ચૂંટણી આયોગ ધ્વારા ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણીની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.૭/૬/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાની છે. આ ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જરૂરી પ્રબંધ કરવો આવશ્યક જણાય છે. જે ધ્યાને લેતા બનાસકાંઠા જિલ્લાના હથિયાર પરવાનેદારોએ ધારણ કરેલ હથિયારના સંદર્ભમાં કેટલાંક પ્રતિબંધ મૂકવાનું આવશ્યક જણાય છે.
શ્રી જે.જી.હિંગરાજીયા(આઇ.એ.એસ.)જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ થી મળેલ સત્તાની રૂએ હુકમ ફરમાવાવમાં આવે છે. કે (૧) બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઇ વ્યકિતને શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ ની કલમ-૨ની વ્યાખ્યામાં આવતું કોઇપણ શસ્ત્ર ધારણ કરી ફરવુ નહિ. તેમજ હથિયાર પોતાના રહેઠાણના સ્થળે સેફ કસ્ટડીમાં રાખવા. (૨) નીચે દર્શાવ્યા મુજબના વ્યકિતઓએ ધારણ કરેલ હથિયાર પરવાના હેઠળના પરવાનેદારોના સંદર્ભમાં વ્યકિતગત અને વિગતવાર સમીક્ષા કરીને તેમના હથિયાર જે તે પોલીસ સ્ટેશનમાં જમા લેવા માટે પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠાને અધિકૃત કરવામાં આવે છે.(અ). જામીન ઉપર છોડેલી વ્યકિતઓ (બ). ફોજદારી ગુનાઓ કર્યાની ભૂમિકાવાળી વ્યકિતઓ (ક). હુલ્લડના ગુનામાં ખાસ કરીને ચૂંટણી સમય દરમ્યાન સંડોવાયેલ વ્યકિતઓ (ઙ) ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ વ્યકિતઓ (ઇ). મેળા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં બાધકરૂપ થાય તેમ હોય તેવા ઇસમો. સમય મર્યાદામાં નોટીસ બજાવી શકાય તેમ ન હોય અને સુનાવણી આપવાનું શક્ય ન હોઇ ઉપર પેરામાં જણાવેલ હુકમમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ જાહેર કરવામાં આવે છે. આ આદેશ કાયદો અને વ્યવસ્થાનો ચાર્જ સંભાળતા અધિકારીશ્રીઓ, સુરક્ષા કર્મચારીઓને લાગુ પડશે નહિ. આ આદેશનો ભંગ કનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા. ૭/૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.
ચૂંટણી દરમ્યાન ચાર કે તેથી વધુ વ્યકિતઓએ ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું.
ભારતના ચૂંટણી આયોગ ધ્વારા ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણીની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.૭/૬/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાની છે. આ ચૂંટણી દરમ્યાન ઉમેદવારો તથા તેમના કાર્યકરો દ્વારા પ્રચાર ઝુંબેશ માટે સભા,સરઘસ વિ.નીકળવાની શક્યતા હોવાથી બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓની કોઇ મંડળી-સરઘસની મનાઇ કરવાનું જણાય છે.
શ્રી જે.જી.હિંગરાજીયા(આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા-પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ ચૂંટણી હેઠળના બનાસકાંઠા જિલ્લાના સમગ્ર મતદાર વિસ્તારમાં તા. ૬/૫/૨૦૧૩ થી તા.૭/૬/૨૦૧૩ સુધી (બન્ને દિવસો સહિત) ચાર કે તેથી વધુ વ્યક્તિઓની કોઇ મંડળીને સભા ભરવા કે બોલાવવા તેમજ સરઘસ માટે મનાઇ ફરમાવવામાં આવે છે. આ હુકમ સરકારની નોકરીમાં તથા રોજગારમાં હોય તે વ્યકિતઓને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતઓને, કોઇ લગ્નના વરઘોડાને, કોઇપણ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
ચૂંટણી દરમ્યાન પોષડોડા પરવાનેદારોએ પોષડોડાનું વેચાણ બંધ રાખવું."
ભારતના ચૂંટણી આયોગ ધ્વારા ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણીની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.૭/૬/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાની થાય છે. બનાસકાંઠા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નજર સમક્ષ લેતાં જાહેર સુલેહ શાંતિ તેમજ જાહેર સુરક્ષા જાળવવા માટે બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ પોષડોડા પરવાનેદાર દ્વારા થતા પોષડોડાનું વેચાણ ચૂંટણી થતા સુધી બંધ રાખવું જરૂરી જણાય છે.
આ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિના ભાગરૂપે કેફી પદાર્થોનું વેચાણ બંધ રહે તે હેતુસર ગુજરાત પ્રોહીબેશન અધિનિયમ-૧૯૪૯ ની કલમ-૧૪૨ ની જોવાઇઓ અનુસાર બનાસકાંઠા જિલ્લાના તમામ પોષડોડા પરવાનેદારો દ્વારા તા. ૨૦/૦૫/૨૦૧૩ થી તા. ૫/૦૬/૨૦૧૩ સુધી (બંને દિવસો સહિત) પોષડોડાનું વેચાણ બંધ રાખવા ફરમાવવામાં આવે છે.
ચૂંટણી અધિકારીની કચેરીની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ત્રણથી વધુ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ."
ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે.તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.
ચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્રો ભરવા માટે ઉમેદવારો મોટી સંખ્યામાં ટેકેદારો તથા વાહનો સાથે આવતા હોય છે.જેના કારણે ચૂંટણી અધિકારીઓની કચેરીમાં તેમજ કમ્પાઉન્ડમાં અવ્યવસ્થા ઉભી થાય છે. આવી પરિસ્થિતી નિવારવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આ અંગે કરેલ અધતન સુચના મુજબ કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે.
શ્રી જે.જી. હિંગરાજીયા(આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા-પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ ચૂંટણી સંદર્ભે ઉમેદવારી પત્રો ભરવા આવનાર ઉમેદવાર, ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં વધુમાં વધુ ત્રણ વાહનો સાથે રાખી પ્રવેશી શકશે. ઉમેદવારીપત્ર ભરતી વખતે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં વધુમાં વધુ પાંચ વ્યકિતઓ (ઉમેદવાર સહિત) પ્રવેશી શકશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
ચૂંટણીને અનુલક્ષી કામચલાઉ ઝુંબેશ કચેરીઓ ઉપર કેટલાક પ્રતિબંધો મુકાયા."
ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ન રોજ યોજાનાર છે અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે.તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.
ચૂંટણી દરમિયાન જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તથા ચૂંટણી મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતી રહે, સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર વિવિધ રાજકીય પક્ષો કે અન્ય વ્યકિતઓ દ્વારા સ્થાનિક ઝુંબેશના હેતુસર ઉભી કરવામાં આવતી કામચલાઉ ઝુંબેશ કચેરીઓ ઉપર ભારતના ચૂંટણી પંચની સુચનાઓ મુજબ કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે.
શ્રી જે.જી.હિંગરાજીયા(આઇ.એ.એસ.)જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા-પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ આથી ફરમાવે છે કે, લોકસભા પેટા ચૂંટણી દરમ્યાન વિવિધ રાજકીય પક્ષો કે અન્ય વ્યકિતઓ દ્વારા સ્થાનિક ઝુંબેશના હેતુસર નીચે દર્શાવેલ શરતોને આધીન રહીને જ કામચલાઉ ઝુંબેશ કચેરી ઉભી કરવાની અને ચલાવવાની મંજૂરી સંબંધિત ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવશે.
(૧) આવી કચેરી કોઇ જાહેર કે ખાનગી મિલકત ઉપર દબાણ કરીને ખોલી શકાશે નહીં. (૨) આવી કોઇ પણ કચેરી કોઇ ધાર્મિક સ્થળોએ અથવા તેના પ્રાગણમાં ઉભી કરી શકાશે નહીં. (૩) આવી કોઇ પણ કચેરી કોઇ શૈક્ષણિક સંસ્થા/હોસ્પિટલની બાજુમાં ઉભી કરી શકાશે નહીં. (૪) આવી કોઇ પણ કચેરી કોઇ મતદાન મથકના ૨૦૦ મીટરની અંદર ઉભી કરી શકાશે નહીં. (૫) આવી કચેરીઓ પક્ષના પ્રતીક/ફોટાગ્રાફ સહિત ફકત એકજ પક્ષનો ધ્વજ અને બેનર પ્રદર્શિત કરી શકશે. (૬) આવી કચેરીઓમાં ઉપયોગમાં લેવામાં આવેલા બેનર્સનું કદ ૪x૮ થી વધુ ન હોવું જોઇએ અને સ્થાનિક કાયદા હેઠળ બેનર/હોર્ડિગ્સ વગેરે માટે આનાથી ઓછું કદ નિર્દિષ્ટ કરવામાં આવ્યું હોય તો બેનરનું કદ તેનાથી વધુ ન હોવું જોઇએ. ઉપરોકત હુકમનો ભંગ કર્યે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર સામે પગલાં લેવાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ધાર્મિક સ્થળોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરી શકાશે નહી."
ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે. તે અનુસાર ભારતના નિર્વાચન આયોગે બંધારણની કલમ-૩૨૪ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચાર સંહિતાનો અમલ કરવા મળેલ સુચનાઓ મુજબ ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચારના ઉપયોગ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.
ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી જાહેર જીવનને સમસ્યાઓ ઉભી થવા સંભવ છે. ચૂંટણીઓ મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચુંટણીતંત્ર પ્રયત્નશીલ છે. જેથી ધાર્મિક સ્થળોનો ચૂંટણીલક્ષી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે માટે નિયંત્રણો મુકવા જરૂરી છે.
શ્રી જે. જી. હિંગરાજીયા (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા-પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ આથી ફરમાવે છે કે, ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિસ્તારમાં આવેલ કોઇપણ મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારા અથવા કોઇપણ ધાર્મિક પ્રાર્થના સ્થળોનો ચૂંટણીલક્ષી ભાષણો કે ચૂંટણીના કોઇપણ પ્રકારના હેતુ માટે તા. ૬/૫/૨૦૧૩ થી તા. ૨/૬/૨૦૧૩ સુધીના સમયગાળા દરમિયાન ઉપયોગ કરી શકાશે નહિ. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
કૃષિ મહોત્સવ-૨૦૧૩ -ભિલોડા તાલુકાના ધંધાસણ ગામે કૃષિ મહોત્સવ યોજાયો.
સમગ્ર રાજયમાં ધરતીપુત્રોને કૃષિ સંશોધનોથી માહિતીગાર કરવા અને માર્ગદર્શન આપવા તાલુકે તાલુકે કૃષિરથનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આજ રોજ સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના ધંધાસણ ગામે કૃષિ મહોત્સવ યોજાયો હતો.
આ પ્રસંગે કૃષિ મહોત્સવના ઉદ્દઘાટક તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ગંજાનંદભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગામડાનો સર્વાગી વિકાસ કૃષિ વિના શકય નથી આથી ખેડૂતોએ સમૃધ્ધિમાં વધારો કરવા તેમજ કૃષિક્ષેત્રમાં આધૂનિક ખેત પધ્ધતિનો અને સુધારેલ ઓજારોથી કૃષિ વિષયક જાણકારી મેળવી આવકમાં બમણી કરવાનો અભિગમ રાજય સરકારનો છે જેથી ખેડૂતોએ કૃષિ ક્ષેત્રે ઝડપથી વિકાસ સાધવા ડ્રિપ ઇરિગેશન પધ્ધતિ અપનાવવા અનુરોધ કયો હતો.
પાલનપુર મુકામે ચૂંટણી ઓબ્ઝર્વરશ્રીઓની ઉપસ્થિતિમાં EVM મશીનોનું રેન્ડમાઇઝેશન કરાયું.'
બનાસકાંઠા સંસદીય વિસ્તારની પેટા ચૂંટણી આગામી તા. ૨ જી જુનના રોજ યોજવાની છે. જેની તૈયારીના ભાગરૂપે તંત્ર ધ્વારા સુંદર વ્યવસ્થાઓ ગોઠવાઇ છે. ગઇકાલે પાલનપુર મુકામે ચૂંટણી ઓબ્ઝર્વરશ્રીઓ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જે. જી. હિંગરાજીયા તથા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં EVM મશોનોનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં કૂલ-૨૨૨૯ બેલેટ યુનિટ અને ૨૨૨૯ કંન્ટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવી છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન. એલ. પાંડોરના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા સંસદીય મતવિભાગની દરેક વિધાનસભામાં ૧૨૭ % પ્રમાણે EVM મશીનોની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી ૧૨૦ ટકા ચૂંટણી કામ માટે અને ૭ ટકા EVM મશીનો તાલીમ માટે ફાળવાયાં છે. તેમણે જણાવ્યું કે, તા. ૧૭ અને ૧૮ મે ના રોજ મતદાન સ્ટાફને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ મતદાન સ્ટાફને તાલીમ અપાશે.
૧૭મી મે ના રોજ મોરઝીરા અને પીપલાઇ દેવી ખાતે કૃષિરથ તથા કિશાન સભા યોજાશે
વલસાડઃ ડાંગ જિલ્લા માં નવમાં કૃષિ મહોત્સવ-૨૦૧૩ની કરવામાં આવી રહેલી ઉજવણીના ભાગરૂપે આગામી તા. ૧૭/૫/૨૦૧૩ના રોજ કૃષિરથના નિયત થયેલા કાર્યક્રમ પ્રમાણે તાલુકા પંચાયત ટાકલીપાડા સીટના ગામોમાં પરિભ્રમણ કરશે. સવારે ૮-૩૦ કલાકે પીપલાઇદેવી ખાતે કિશાન સભા યોજાશે. જ્યારે ગડદ તાલુકા પંચાયત સીટ વિસ્તારના ગામોમાં કૃષિરથ પરિભ્રમણ કરશે તથા મોરઝીરા ખાતે કિશાન સભા યોજાશે. જેમા ખેતીવાડી અધિકારીઓ કૃષિ વૈજ્ઞાનિકો,તજજ્ઞો દ્વારા આધુનિક વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિઓ,સિંચાઇ પધ્ધતિઓ વાડી ઉછેર પ્રવૃતિ ,સોઇલ હેલ્થ કાર્ડ, પાક સંરક્ષક દવાઓનો ઉપયોગ, સિઝન પ્રમાણે વારાફરથી પાકની ફેરબદલી કરી સમયસર વાવેતર કરવુ, ઓછા ખર્ચે ઓછા પાણીએ વધુ સિંચાઇ વિસ્તારને આવરી લેતી ટપક સિંચાઇ પધ્ધતિથી થતા ફાયદા તથા ગુણવત્તા યુકત પાકોનું ઉત્પાદન મેળવી શકાય તે અંગેની જાણકારી આપવામાં આવશે. તથા જુદી-જુદી કૃષિ સહાય યોજના હેઠળ કિટસનુ વિતરણ કરવામાં આવશે. પશુપાલન વિભાગ દ્વારા પશુપાલન કેમ્પમાં ખેડુતોના પશુઓને આરોગ્ય સારવાર પુરી પાડવામાં આવશે. જેનો લાભ લેવા ખેડુતોને તથા પશુપાલકોને જણાવવામાં આવ્યું છે.
વલસાડનો ૪૫ વર્ષિય અસ્થિર મગજનો યુવક ઓમપ્રકાશ પાલીવાલ ગુમ થયો :
વલસાડઃ વલસાડ શહેરના રેલ્વે યાર્ડ, રૂમ નંબર-૫૧૯, ઇસ્ટ ખાતે રહેતો અને મૂળ તમીલનાડુનો ૪૫ વર્ષિય યુવક નામે ઓમપ્રકાશ હરીશંકર પાલીવાલ ગત તા.૨૭મી એપ્રિલ, ર૦૧૩નાં રોજથી ગુમ થયો છે. વલસાડ સિટી પોલીસ સ્ટેશન તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ઓમપ્રકાશ પાલીવાલ તા.૨૭/૪/ર૦૧૩નાં રોજ બપોરના ૧:૧પ વાગ્યાના સુમારે, વિનય મેડીકલ સ્ટોર્સની બાજુની ગલીમાં, કયાંક ચાલી જતા ગુમ થયો છે, તે આજદિન સુધી મળી આવેલ નથી. ગુમ થનાર શરીરે પાતળા બાંધાનો, રંગે ઘંઉવર્ણ, ઊંચાઇ ૫ ફૂટ-૬ ઇંચ, મોઢુ લંબગોળ, જમણા પગની જાંઘમાં કાળા તલનું નિશાન છે. ગુમ થનાર યુવક અસ્થિર મગજનો છે. તે હિન્દી તથા તાલીમનાડુની પ્રાદેશિક ભાષા જાણે છે. આ વર્ણનવાળા યુવકની ભાળ કે પત્તો મળે તો વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયુ છે.
તા. ૧૯મી મેના રોજ વલસાડ ખાતે કારકીર્દી માર્ગદર્શન શિબિર યોજાશે
વલસાડઃ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાંની સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓ હવે પછી શું?ની વિમાસણમાં મુકાઇ જતા હોય છે. વાલીઓ અને વિદ્યાર્થીઓની આ વિમાસણનો ઉકેલ લાવવા માટે આગામી તા. ૧૯/૦૫/૨૦૧૩ના રોજ નવચેતન ધોડિયા સમાજ,વલસાડ દ્વારા સવારે ૦૯:૩૦ કલાકે કારકીર્દી માર્ગદર્શન શિબિરનું આયોજન સમસ્ત ધોડિયા સમાજ સંચાલિત શ્રીમતી ગજરાબેન છગનલાલ પટેલ સાંસ્કૃતિક ભવન અટક પારડી, વલસાડ ખાતે કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ધો.૧૦ પછી શું? અને ધો.૧૨ પછી શું? વિષય પર માર્ગદર્શન પુરૂં પાડવામાં આવશે. રસ ધરાવતા વાલીઓ અને વિદ્યાર્થીઓને સમયસર હાજર રહેવા શ્રી ભરતભાઇ પટેલ, પ્રમુખ નવચેતન ધોડિયા સમાજ, વલસાડ તરફથી જણાવાયું છે.
આઇ.ટી.આઇમાં પ્રવેશ ઇચ્છુકો ધ્યાન આપે
વલસાડઃ વલસાડ જિલ્લામાં કાર્યરત તમામ આઇ.ટી.આઇ અને કૌશલ્ય વર્ધન કેન્દ્રો ખાતે એમ્પાવર યોજના અંતર્ગત પ્રવેશ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ નજીકના કૌશલ્ય વર્ધન કેન્દ્રોનો સંપર્ક કરી પ્રવેશ ફોર્મ મેળવી લેવું. વધુ વિગતો માટે નજીકની આઇ.ટી.આઇનો સંપર્ક કરવા આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પારડી તરફથી જણાવાયું છે.
વનરાજ કોલેજ ધરમપુર ખાતે આઇ.એ.એસ તાલીમ પ્રવેશ પરીક્ષા યોજાશે
વલસાડઃ ડૉ.સૌરભ જે.દેસાઇ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ખાતે ચલાવવામાં આવતા આઇ.એ.એસ તાલીમ વર્ગમાં પ્રવેશ માટેની પ્રવેશ પરિક્ષા તા. ૧૯/૦૫/૨૦૧૩ના રવિવારના દિને સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાકે દરમિયાન યોજાશે. આ પરિક્ષા બેસવા માટે કોલેજમાં નામ નોંધાવ્યા છે તેવા તમામ પરીક્ષાર્થીઓ તથા નામ ન નોંધાવ્યા હોય તેવા અન્ય કોઇપણ કોલેજ કે યુનિવર્સીટીના વિદ્યાર્થી ભાઇ-બહેનો પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહી શકશે. આ પૂર્વે જેમણે પરિક્ષા આપી છે તેવા તમામ વિદ્યાર્થી ભાઇ-બહેનો ફરીથી પરિક્ષા આપી શકશે. પરિક્ષા આપવા માંગતા તમામ પરિક્ષાર્થીઓને વનરાજ કોલેજ ધરમપુર ખાતે સમયસર ઉપસ્થિત રહેવા કોલેજ અને પરિક્ષાના આયોજકો તરફથી અનુરોધ કરાયો છે. વધુ વિગતો માટે મો.નં- ૯૯૯૮૨૫૯૪૨૩ અથવા મો. નં-૯૯૯૮૨૧૯૩૨૩ પર સંપર્ક કરવા શ્રી યોગેશભાઇ ભટ્ટ, આચાર્યશ્રી વનરાજ કોલેજ ધરમપુર તરફથી જણાવાયું છે.




























