અનુયાયીઓ

બુધવાર, 4 જુલાઈ, 2012

eMPOWER- કોમ્પ્યુટર સાક્ષરતાની તાલીમના અભિયાનનો શાનદાર પ્રારંભ

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજથી સમગ્ર ગુજરાતમાં યુવા પેઢી
માટેના eMPOWER- કોમ્પ્યુટર સાક્ષરતાની તાલીમના અભિયાનનો શાનદાર પ્રારંભ
કરાવતાં જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં કોઇપણ યુવાન કે યુવતિ
કોમ્પ્યુટરના જ્ઞાન અને હુન્નર કૌશલ્ય વગર અભણ રહી જાય તે આ સરકારને
મંજૂર નથી. હુન્નર વગર સફળતા શકય નથી અને કોમ્પ્યુટર જ્ઞાનથી મૂલ્યવર્ધન
થવાનું છે.
ટેકનોલોજીએ માનવજીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવી દીધું છે અને પછાતપણાના
ગ્રહણમાંથી મુકત થવા ટેકનોલોજીનું જ્ઞાન અનિવાર્ય જ છે, સમાજજીવનનું અંગ
બની રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું.

ફ્રાન્સ,જર્મની અને સ્વિટઝર્લેન્ડનું ઉઘોગજગત ગુજરાતમાં રોકાણની વિશાળ તકો અને નીતિના માળખાથી પ્રભાવિત

ફ્રાન્સ,જર્મની અને સ્વિટઝર્લેન્ડનું ઉઘોગજગત ગુજરાતમાં રોકાણની વિશાળ
તકો અને નીતિના માળખાથી પ્રભાવિત

ગુજરાત સરકાર અને ઉઘોગોના પ્રતિનિધિ મંડળની યુરોપની મુલાકાત સફળતા પુર્વક સંપન્ન
ગુજરાત સરકારના અધિકારીઓ અને ઔઘોગિક જૂથના ઉચ્ચ સ્તરિય પ્રતિનિધિ મંડળે
જર્મની, ફ્રાન્સ અને સ્વિટઝર્લેન્ડની મુલાકાત લીધી

રાજયમાં રોકાણની વિશાળ તકો, વાઇબ્રન્ટ ગુજરાત સમીટ-૨૦૧૩નું પ્રમોશન અને
ઇન્ડસ્ટ્રી અને કોમર્સ સાથે જોડાણની પહેલ

યુરોપિયન મંત્રીઓ સહિતના રાજકીય આગેવાનો અને શહેરી વહીવટીતંત્ર સાથે
સંબંધોને વધુ મજબૂત બનાવવા મુલાકાત
વિવિધ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સહિતના સંગઠનો સાથે ઔઘોગિક
સંબંધો અને લાંબાગાળાની સમજૂતી
૩ જુલાઇ ૨૦૧૨ ભારતીય બજારના વિશાળ કદ અને યુવાનોના મોટા વર્ગ સાથે
રોકાણના સૌથી મોટા કેન્દ્ર તરીકે ઉભરી આવેલા ગુજરાતમાં રાજય સરકારની
અસરકારક નીતિ, મજબૂત માળખાગત સુવિધાઓ,ઉઘોગોને સાનુકૂળ વાતાવરણ અંગે ત્રણ
યુરોપિયન દેશોની મુલાકાતે ગયેલા ગુજરાતના પ્રતિનિધિ મંડળે ત્યાંની ટોચની
નેતાગીરી અને ઔઘોગિક પ્રતિનિધિઓનું ધ્યાન ખેંચ્યું હતું.
ગુજરાત સરકારના અધિકારીઓ અને ઔઘોગિક જૂથના કુલ ૧૨ સભ્યોના ઉચ્ચ સ્તરિય
પ્રતિનિધિ મંડળે ૧૮ થી ૨૮ જૂન ૨૦૧૨ દરમિયાન યુરોપની મુલાકાત લીધી
હતી.૧૮મી જૂને હમ્બર્ગ પહોંચેલા પ્રતિનિધિ મંડળે કોર્પોરેટ્સ અને ઔઘોગિક
સંગઠનોની મુલાકાત લીધી હતી. બે પ્રદેશો વચ્ચે સરહદ પાર રોકાણની તકો અને
દ્વીપક્ષીય વેપાર માટે આર્થિક અને વાહનવ્યવહાર મંત્રી ફ્રેન્ક હોર્ચની
મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી વતી શ્રી એ.કે. શર્માએ ત્યાંના રાજકીય
નેતા, જર્મનીના કારોબારક્ષેત્રના અગ્રણીઓ,રોકાણકારો,કોર્પોરેશન,
શિક્ષણક્ષેત્રના આગેવાનો અને નીતિ ઘડવૈયાઓને ૧૧થી ૧૩ જાન્યુઆરી ૨૦૧૩
દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમીટ માટે આમંત્રણ આપ્યું હતું. યુરોપ
ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ,હેન્સેટિક ઇન્ડિયા ફોરમ અને હમ્બર્ગ ચેમ્બર ઓફ
કોમર્સ દ્વારા સંયુક્તપણે યોજાયેલી કોન્ફરન્સમાં રાજયના પ્રતિનિધિ મંડળે
પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં ૪૦ કરતાં વધુ કંપનીઓએ ભાગ લીધો હતો.
જિનિવાની મુલાકાત દરમિયાન હિન્દુજા જૂથે (યુરોપ)ે યોજેલા લંચ અને
મીટીંગમાં પ્રતિનિધિ મંડળે હાજરી આપી હતી, જેમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના
પ્રતિનિધિઓ, યુએનઓમાં ભારતના રાજદૂત સહિતના વૈશ્વિક સ્તરે અગ્રણી
વ્યક્તિઓ પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ સમારોહમાં ગુજરાતમાં
પુનઃપ્રાપ્ય ઉર્જા, નાણાકીય સેવાઓ, શિક્ષણ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને
મેડિકલ ટુરિઝમ સહિતના ક્ષેત્રોમાં રોકાણની તકો અંગે ચર્ચા થઇ હતી. આજ
દિવસે સ્વિસ ઇન્ડિયા બિઝનેસ ફોરમ અને જિનિવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત કોન્ફરન્સમાં પ્રતિનિધિ મંડળે પ્રેઝેન્ટેશન
કર્યું હતુ, જેમા ૨૫ કરતાં વધુ કંપનીઓએ હિસ્સો લીધો હતો.
જિનિવા બાદ પ્રતિનિધિ મંડળે ઝ્યુરિચની મુલાકાત લઇને સ્વિસ ઇન્ડિયા ચેમ્બર
ઓફ કોમર્સ (એસ.આઇ.સીસી) આયોજિત કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ગુજરાતના
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ.કે.શર્માએ માહિતીની આપ-લે, દ્વીપક્ષીય
રોકાણ, તાલીમ અને આર્થિક કામગીરી માટે કારોબાર અને એજન્સીઓ વચ્ચે
એક્સપર્ટ એક્સચેન્જ, કૌશલ્ય વિકાસ અને રોકાણને પ્રોત્સાહન સાથે વ્યાપારી
જોડાણ અને ઉપરોક્ત બાબતો માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇનવેસ્ટર્સ સમીટ
૨૦૧૩ના ઉપયોગ માટે એસઆઇસીસી સાથે ઔપચારિક ઇન્ટેન્ટ ઓફ કોઓપરેશન પર
હસ્તાક્ષર કર્યાં હતાં. પ્રતિનિધિ મંડળે સમાન પ્રેઝન્ટેશન અને મીટીંગ
સ્વિટઝર્લેન્ડના બેસલ શહેરમાં પણ કરી હતી.
ફ્રાન્સ પહોંચેલા પ્રતિનિધિ મંડળે ઉઘોગપતિઓ અને સીઇઓના સંમેલનમાં
ગુજરાતમાં રોકાણની વિશાળ તકો અંગે માહિતી આપી હતી. પેરિસમાં ભારતીય
દૂતાવાસ અને ફ્રાન્સ-ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા
આયોજિત સમાન કોન્ફરન્સમાં ફ્રાન્સની આશરે ૮૦ કંપનીઓ અને સંખ્યાબંધ
એનઆરજીએ હિસ્સો લીધો હતો, જેમાં ફ્રાન્સ ખાતે ભારતના રાજદૂત શ્રી રાકેશ
સુદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. વાઇબ્રન્ટ ગુજરાત સમીટ અને
રોકાણની તકોને પ્રોત્સાહન આપવામાં ફ્રાન્સ-ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રી વર્ષ ૨૦૧૦થી સક્રિય ભાગીદાર રહ્યું છે અને તેણે વાઇબ્રન્ટ
ગુજરાત-૨૦૧૩ને પણ પ્રમોટ કરવાની દિશામાં કામગીરીનો પ્રારંભ કર્યો છે.
પેરિસથી ફ્રેન્કફર્ટ પહોંચેલા પ્રતિનિધિ મંડળે જર્મની અને ગુજરાત વચ્ચે
પારસ્પરિક જોડાણ વધારાવા અંગે ચર્ચા કરી હતી, જેમાં ૭૫ કરતાં વધુ કંપનીઓએ
ભાગ લીધો હતો. અહીં ફ્રેન્કફર્ટના ડેપ્યુટી મેયર વોલ્કર હોફ સાથે
પ્રતિનિધિ મંડળની મુલાકાત થઇ હતી, જેમાં ગુજકાત અને ફ્રેન્કફર્ટ વચ્ચે
સંભવિત જોડાણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આજ દિવસે જર્મનીના આર્થિક
બાબતો, ક્લાઇમેટ પ્રોટેક્શન ઉર્જા મંત્રીશ્રી એલ્વીન લેમ્કેને મળીને
પ્રતિનિધિ મંડળે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૩ સમીટ માટે માનનીય
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી વતી આમંત્રણ પાઠવ્યું હતું તેમણે આમંત્રણ
સ્વિકારીને ગુજરાત આવીને મુખ્યમંત્રીશ્રી, ટોચના અધિકારીઓ સાથે મળીને
ક્લાઇમેટ પ્રોટેક્શન અને ઉર્જાક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા કરવા
આતુરતા દર્શાવી હતી.
દરેક કોન્ફરન્સમાં શ્રી એ.કે.શર્માએ વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું
હતું, જેને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યું હતું. પ્રતિનિધિ મંડળે ગુજરાતના
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કરાયેલી પહેલ અને નીતિ
સાથે રોકાણ અને ભાગીદારી માટે સર્જાયેલી તકો અંગે પણ જાણકારી આપી હતી.
સંખ્યાબંધ કંપનીઓએ ગુજરાતમાં રોકાણ માટે દર્શાવેલી ઇચ્છા આર્થિક પ્રદેશ
તરીકે ગુજરાતની મહત્વતા દર્શાવે છે.

eMPOWER યુવા પેઢીને માટે કોમ્પ્યુટર સાક્ષરતા અભિયાનનો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્ય મંત્રીશ્રી એક લાખથી અધિક ઓનલાઇન રજિસ્ટ્રેશન

૬ર૦ સંસ્થાઓમાં ૧૪ વર્ષથી વધુ ઉંમરના ધો. પ પાસ કોઇપણ વ્યક્તિ પ૦
રૂપિયામાં અનુકુળતાએ કોમ્પ્યુટરનો બેઝીક કોર્ષ કરી શકશે

મહિલા, દલિત, વનવાસી, પછાત વર્ગોના યુવક-યુવતિને સંપૂર્ણ વિનામૂલ્યે
કોમ્પ્યુટર તાલીમ
નરેન્દ્રભાઈ મોદી

કોમ્પ્યુટરના જ્ઞાન અને હુન્નર કૌશલ્ય વગર ગુજરાતનો યુવાન અભણ રહી જાય તે
આ સરકારને મંજૂર નથી

પછાતપણાના ગ્રહણથી મુકત થવા ટેકનોલોજીનું જ્ઞાન અનિવાર્ય

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજથી સમગ્ર ગુજરાતમાં યુવા પેઢી
માટેના eMPOWER- કોમ્પ્યુટર સાક્ષરતાની તાલીમના અભિયાનનો શાનદાર પ્રારંભ
કરાવતાં જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં કોઇપણ યુવાન કે યુવતિ
કોમ્પ્યુટરના જ્ઞાન અને હુન્નર કૌશલ્ય વગર અભણ રહી જાય તે આ સરકારને
મંજૂર નથી. હુન્નર વગર સફળતા શકય નથી અને કોમ્પ્યુટર જ્ઞાનથી મૂલ્યવર્ધન
થવાનું છે.
ટેકનોલોજીએ માનવજીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવી દીધું છે અને પછાતપણાના
ગ્રહણમાંથી મુકત થવા ટેકનોલોજીનું જ્ઞાન અનિવાર્ય જ છે, સમાજજીવનનું અંગ
બની રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત સરકારના રોજગાર અને શ્રમ વિભાગના ઉપક્રમે આ eMPOWER-કોમ્પ્યુટરના
બેઝીક તાલીમ કોર્સનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ માટે ઓનલાઇન
રજિસ્ટ્રેશન શરૂ થતાં જ ૧.૦૪ લાખ જેટલા યુવક-યુવતિઓએ રજિસ્ટ્રેશન કરાવી
લીધું છે. જેમાં ૮૪ ટકા ગ્રામ યુવક-યુવતિઓ અને ૩પ,૦૦૦થી વધુ મહિલાઓ
કોમ્પ્યુટર સાક્ષરતાના બેઝીક કોર્ષમાં જોડાઇ છે. રાજ્યમાં આઇ.ટી.આઇ.,
કૌશલ્ય વર્ધન કેન્દ્રો અને રોજગાર કચેરીઓમાં મળીને ૬ર૦ જેટલી સંસ્થાઓમાં
ધો.પ પાસ અને ૧૪ વર્ષથી વધુ ઉંમરના કોઇપણ વ્યક્તિ BCC-કોમ્પ્યુટર
સાક્ષરતા અભિયાનમાં જોડાઇ શકશે. આ eMPOWERકોર્સની ફી માત્ર રૂા. પચાસ
રાખી છે અને તેમાં પણ મહિલાઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિ, બીપીએલ, વિકલાંગ
તથા સામાજિક-શૈક્ષણિક આર્થિક પછાતવર્ગોના લોકો eMPOWERની તાલીમ સંપૂર્ણ
વિનામૂલ્યે લઇ શકશે. આઇટીની જગવિખ્યાત માઇક્રોસોફટ કંપનીના તાલીમ શિક્ષકો
eMPOWERની તાલીમ આપશે અને BCCનું પ્રમાણપત્ર પણ આપશે.
સ્વામિ વિવેકાનંદના ૧પ૦મી જન્મજયંતી વર્ષને મુખ્ય મંત્રીશ્રીએ યુવાશક્તિ
વર્ષ તરીકે ઉજવવાનો નિર્ધાર કરેલો છે અને તેમાં પણ ""સ્કીલ ડેવલપમેન્ટ''
કૌશલ્ય વિકાસને જ કેન્દ્રસ્થાને રાખીને હુન્નર કૌશલ્યના ૧ર૦૦ ઉપરાંત
પ્રશિક્ષણ કોર્ષ શરૂ કરેલા છે. eMPOWERની કોમ્પ્યુટર બેઝીક કોર્ષ BCCની
તાલીમમાં પ્રારંભિક તબક્કે ર.રપ લાખ યુવાનોને આવરી લેવામાં આવશે.
ચોથી જુલાઇએ સ્વામિ વિવેકાનંદજીનો ૧૧૦ વર્ષ પહેલાં દેહોત્સર્ગ થયો હતો
તેમનું સ્મરણ કરાવતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ૩૯ વર્ષની
ભરયુવાનીએ સમગ્ર વિશ્વને પ્રભાવિત કરીને સ્વામિ વિવેકાનંદે ચીરવિદાય
લીધેલી. પરંતુ તેમણે જન્મોજન્મ અવતરીને પોતાનું મિશન પૂર્ણ કરવા સંકલ્પ
રાખેલો તેમની પૂણ્યતિથીએ આજથી ગુજરાતમાં eMPOWERએ માત્ર કોઇ યોજનાનો અવસર
નથી પરંતુ વર્તમાન પેઢીને ઉજ્જવળ ભાવિ પેઢી સાથે જોડવાનો નવતર આયામ છે.
જગત બદલાઇ રહ્યું છે અને આ પરિવર્તનને નહીં સ્વીકારીએ તો આપણે કાળ બાહ્ય
થઇ જઇશું એમ તેમણે જણાવ્યું હતું.
બારસો વરસની ગુલામીની પછાતપણાનો ભોગ ફરીથી બનવું ના પડે તે માટે યુવાનો
સંકલ્પ કરે કે પોતાની ક્ષમતા અને શક્તિથી ભગીરથ, અવિરત પુરૂષાર્થ કરતા
રહે એવું આહ્વાપન તેમણે કર્યું હતું.
આપણા મહાપુરૂષ મનીષીઓના જીવનકાર્યથી જ સમાજજીવનની પેઢીઓ બદલાઇ છે અને આજે
પણ આઇટી, બાયોટેકનોલોજી, લાઇફ સાયન્સ જેવી ટેકનોલોજીએ વિશ્વની માનવજાતને
ભરડો લીધો છે ત્યારે ટેકનોલોજીથી અલિપ્ત કેવી રીતે રહી શકાય એવો પ્રશ્ન
ઉઠાવી મુખ્ય મંત્રીશ્રીએ ટેકનોલોજીને સમાજમાં હાથવગી બનાવવા, સરળ રીતે
સર્વસ્વીકૃત બનાવવાની વ્યવસ્થા ઉભી થઇ રહે તે જરૂરી છે એની રૂપરેખા
મોબાઇલ, બેન્કોના એટીએમની વ્યવસ્થાન દ્રષ્ટાંતો સાથે તેમણે આપી હતી.
ટેકનોલોજીને વિકાસના એક અવસર અને તક તરીકે અપનાવી લેવાનો અનુરોધ કરતાં
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ર૧મી સદી કોની હોય તેની સ્પર્ધા
હિન્દુસ્તાન અને ચીન વચ્ચે ચાલી રહી છે અને હિન્દુસ્તાન પાસે ૬પ ટકા
જેટલી યુવાશક્તિ યૌવનથી તરબતર છે ત્યારે આ દેશની યુવાશક્તિને અવસર મળશે
તો તેના સામર્થ્યની તાકાત વિશ્વને બતાવી શકશે.
ચીને બાળકો અંગ્રેજી શીખે તેનું અભિયાન ઉપાડેલું તેની દાદ અપાવવા શ્રી
નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાતમાં અંગ્રેજી ભાષામાં વાતચીત
માટેનું કૌશલ્ય શીખવવા સ્કોપનું અભિયાન ચલાવેલું છે તેનાથી ગુજરાતના લાખો
યુવાનો અંગ્રેજી બોલચાલમાં પારંગત બન્યા છે. જયોતિગ્રામ વીજળી દ્વારા
૧૮,૦૦૦ ગામડામાં ર૪ કલાક ઊર્જાશક્તિથી સમાજજીવનમાં ચેતના તો આવી જ છે અને
તેની સાથોસાથ કોમ્પ્યુટરની સુવિધા તથા બધા જ ગામોમાં બ્રોડ બેન્ડ
કનેકટીવિટીની ગુજરાતે ચાર વર્ષ પહેલાં સુવિધા આપી દીધી છે. ભારતના ૬ લાખ
ગામડામાંથી કેન્દ્ર સરકારે તો હજુ ત્રણ હજાર ગામડામાં આ સુવિધાનું બજેટ
બનાવ્યું છે તેની સામે ગુજરાતે કેટલી મોટી હરણફાળ ભરી છે તે સમજવા તેમણે
અનુરોધ કર્યો હતો.
eMPOWER અભિયાનને ગુજરાતના આ વર્ષના બજેટમાં કરેલી જોગવાઇથી શરૂ કરી
દીધું છે. જો કોઇને કોમ્પ્યુટર નહીં આવડતું હોય કે ઇન્ફર્મેશન ટેકનોલોજી
નહીં જાણતા બધા જ અભણ જ ગણાશે અને ગુજરાતમાં કોઇ આવી ટેકનોલોજીના જ્ઞાનથી
અભણ રહે એ મંજૂર નથી એમ પણ તેમણે જણાવ્યું હતું.
eMPOWER-કોમ્પ્યુટરની બેઝીક કોર્સ તાલીમ- BCCથી દરેક વ્યક્તિનું
મૂલ્યવર્ધન થવાનું જ છે એમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે,
ગામેગામથી ઓનલાઇન રજિસ્ટ્રેશન ૧.૦૪ લાખ ઉપર પહોંચી ગયું છે અને ૮૪ ટકા તો
ગામડાની વ્યક્તિઓ છે અને ૩૪ ટકા તો બહેનો છે જે ઉજ્જવળ ભવિષ્યનો સંકેત
આપે છે.
હુન્નર કૌશલ્ય વગર સફળતા સંભવ નથી એમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ હુન્નર
કૌશલ્ય અને કોમ્પ્યુટર ટેકનોલોજી જાણકાર યુવાનોને માટે સફળતા મળવાની છે
તેની રૂપરેખા આપી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, ગુજરાતમાં ટેકનીકલ શિક્ષણની કોલેજો
૪૪રમાંથી દશ વર્ષમાં ૧૭૦૦ ઉપર પહોંચી ગઇ છે. યુનિવર્સિટીઓ ૧૧માંથી ૪ર થઇ
ગઇ છે. ડિપ્લોમા ડિગ્રીની ઇજનેરી મેનેજમેન્ટની બેઠકો ર૩,૦૦૦ હતી તે દશ
વર્ષમાં ૧.ર૩ લાખ થઇ ગઇ છે. હવે આ વર્ષથી આઇટીઆઇનો બે વર્ષનો કોર્ષ
કરનારા યુવાન માટે તેના ઉચ્ચ શિક્ષણના સપના પાર કરવા માટે ધો.૧૦ અને
ધો.૧રની સાથે આઇટીઆઇ કોર્સને સમકક્ષ ગણી દીધા છે. હવે ડિપ્લોમા કે ડિગ્રી
ઇજનેરીમાં પ્રવેશ પરીક્ષામાં બેસી શકે તેવા આ નિર્ણયથી દરવાજા ખુલી ગયા
છે.
ગુજરાતના પોલીસ બેડામાં હવે ટેકનોલોજી સશક્ત યુવા પોલીસની ભરતી થઇ છે.
ગુજરાતના યુવાનોને સપના સાકાર કરવા પોતાની સમૃદ્ધિના હકકદાર બનો, ભાગીદાર
બનો તેનો આ અવસર છે. ગુજરાત સરકાર ઇલેકટ્રોનિક મેનપાવર તરીકે યુવાનોને
સક્ષમ બનાવવા eMPOWER અભિયાન યુવાનોને સમર્પિત કરે છે, એમ તેમણે ગૌરવભેર
જાહેર કર્યું હતું. આ સરકાર ગુજરાતના નવજવાનોના ભાગ્યને ધડવા, સપના સાકાર
કરવા સમર્પિત છે એમ જોશપૂર્વક તેમણે જણાવ્યું હતું.
રાજ્યના યુવાનોને કોમ્પ્યુટર ટેકનોલોજીથી તાલીમબદ્ધ કરવા માટેના eMPOWER
યોજનાના શુભારંભ પ્રસંગે રાજ્યના નાણા અને શ્રમ-રોજગાર વિભાગના મંત્રી
શ્રી વજુભાઈ વાળાએ આ તાલીમમાં જોડાઇને પોતાનું નામાંકન કરાવનારા સૌ
યુવાનોને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું
કે, યુવાનોએ સફળ થવા માટે સ્વામી વિવેકાનંદજીના વિચારોને પ્રેરણાસ્ત્રોત
બનાવવા પડશે.
આજે ૭૫૬ આઇ.ટી.આઇ. ગુજરાત રાજયમાં છે. ગ્રામ્ય વિસ્તારમાં ૩૦૦
કૌશલ્યવર્ધન કેન્દ્રો આવેલાં છે તેમાં ૪ લાખ ૧૧ હજાર તાલીમાર્થીએ તાલીમ
મેળવી છે. જેમાં ર લાખ પ૬ હજાર મહિલાઓ હતી એટલે કે પ૮ ટકા તાલીમ પ્રાપ્ત
કરનારી મહિલાઓ હતી. રાજ્યના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
યુવાનોને કૌશલ્યવાન બનાવવા ઝૂંબેશ ઉપાડી છે. યુવાનોને અંગ્રેજીમાં
કૌશલ્યવાન બનાવવા સ્કોપ કાર્યક્રમ અમલમાં મુકયો છે. આજે ઇન્ફર્મેશન
ટેકનોલોજીના ક્ષેત્રે વધુ કૌશલ્યવાન બનવા માટે યુવાનો માટે eMPOWER
કાર્યક્રમ અમલમાં મુકયો છે. કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી એમ જણાવી
મંત્રીશ્રીએ યુવાનોને કઠોર પરિશ્રમ દ્વારા કોમ્પ્યુટર ક્ષેત્રે પાવરફુલ
બનવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર વિભાગના રાજ્ય મંત્રી શ્રી લીલાધરભાઈ વાધેલાએ
યુવાનોના સશક્તિકરણ માટે આ કાર્યક્રમને મહત્વનો ગણાવ્યો હતો અને જણાવ્યું
હતું કે, સ્વામી વિવેકાનંદજીની ૧પ૦મી જન્મજયંતીને યુવા વર્ષ તરીકે
ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે આ કાર્યક્રમ યુવાનોના ભાવિ ઉત્કર્ષ અને
વિકાસ માટે મહત્વનો બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે, ર૧મી સદી જ્ઞાનની
સદી છે ત્યારે યુવાનોને કોમ્પ્યુટર ક્ષેત્રે કૌશલ્યવાન બનાવવા માટે રાજ્ય
સરકારનો આ મહત્વનો પ્રોજેકટ છે. તેમણે શ્રમ અને રોજગાર વિભાગ અંતર્ગત
મળતી વિવિધ તાલીમનો ઉલ્લેખ કરી સ્વરોજગાર ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ
દોહરાવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ શ્રી પી.
પનીરવેલે રાજ્યના બે લાખથી વધારે યુવાનોને કોમ્પ્યુટર તાલીમથી તાલીમબદ્ધ
કરી સશક્તિકરણ કરવાના eMPOWER પ્રોજેકટને સમગ્ર દેશનો આવો પ્રથમ પ્રોજેકટ
ગણાવી ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી શ્રી દિલીપ સંધાણી, શિક્ષણ મંત્રી શ્રી
રમણલાલ વોરા, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, ઉચ્ચ શિક્ષણ રાજ્ય
મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી ઉપરાંત રાજ્ય મંત્રી શ્રી વાસણભાઈ આહીર,
શ્રી જીતેન્દ્રભાઈ સુખડિયા, સાંસદ શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા, રાજ્ય
આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી કૌશિકભાઈ પટેલ,
ધારાસભ્યો ઉપરાંત મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ સહિત ઉચ્ચ અધિકારીઓ અને
અન્ય મહાનુભાવો તેમજ માઇક્રોસોફટ કંપનીના પબ્લીક સેકટરના ગ્રૃપ ડાયરેકટર
શ્રી રણવીરસિંહ અને તાલીમમાં જોડાયેલા મોટી સંખ્યામાં યુવાનો પણ ઉપસ્થિત
રહ્યા હતા

મંગળવાર, 3 જુલાઈ, 2012

ચિંતા મેં ચિતા બનાવી સળગાવી મેં,..

ચિંતા મેં ચિતા બનાવી સળગાવી મેં,..


પણ હજી ક્યાંક ધુમાડા સ્પર્શે છે મને,..


જાણતી નથી કે શું પજવે છે મને,..


કારણ ,કિસ્સા ,કોયડા,..


કંઈક તો છે જે તપવે મને,..


અંધકાર ના ઓરડા માં,


શીદ ને લજવે છે મને,,.??


ધોધમાર વરસાદ જાણે રીઝવે છે મને...


સરનામું જાણ્યા બાદ શોધે છે કને??


તારી આંખો ના નીર ને પૂછ,,,


કે કેવી રીતે રોજ ભીંજવે છે મને,..


                             -પૂજા મેહતા
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ વલસાડ તથા ભરૂચની મુલાકાતે :

તા.૬ઠૃીએ વલસાડ જિલ્લાની મુલાકાત
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ આગામી તા.૬ઠૃી જુલાઇ, ર૦૧રનાં રોજ
વલસાડ જિલ્લાના અભ્યાતસ પ્રવાસે આવી રહી છે.
ગુજરાત વિધાનસભાના સેકશન ઑફિસર શ્રી આર.એસ.પંડયા દ્વારા જારી કરાયેલા આ
સમિતિના પ્રવાસ કાર્યક્રમ મુજબ સમિતિના સભ્યોર તા.૪/૭/ર૦૧રનાં રોજ સવારે
૧૧:૩૦ કલાકે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સી.ઇ.ટી.પી.ની મુલાકાત લેશે.
ત્યા ર બાદ બપોરે ૩:૩૦ વાગે સૂરત જિલ્લાના હજીરાની મુલાકાતે જવા રવાના
થશે. માર્ગમાં સી.ઇ.ટી.પી. કડોદરાની પણ મુલાકાત લેશે. તા.પ/૭/ર૦૧રનાં રોજ
સવારે ૯ થી ૧૦ વાગ્યા દરમિયાન ઍસ્સાઇરની મુલાકાત તથા ૧૦ થી ૧ર દરમિયાન
રીલાયન્સન ઇન્ડ સ્ટ્રીિઝની મુલાકાત લઇ આ સમિતિ બપોરે ર વાગે વાપી જવા
રવાના થશે. માર્ગમાં સચિન, પાંડેસરા ટેક્ષટાઇલ મિલની મુલાકાત પણ લેશે.
તા.૬/૭/ર૦૧રનાં રોજ સવારે ૯:૦૦ વાગે વાપી સી.ઇ.ટી.પી.ની મુલાકાત, ૧૧ વાગે
વૅલસ્પાન એકમની મુલાકાત, બપોરે ર વાગે અન્ય૧ ઔદ્યોગિક એકમોની મુલાકાત બાદ
અનુラકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે.

ફલડ ડીઝાસ્ટ્ર અંગેની મોક એકસસાઈઝ હવે ૨૪ અને ૨૫મીએ યોજાશે.

સૂરતઃ
નેશનલ ડિઝાસ્ટ ર મેનેજમેન્ટન ઓથોરીટી દ્વારા યોજાનાર સેમીનાર તથા ફલડ
ડીઝાસ્ટંર અંગે મોક એકસસાઈઝનું આયોજન તા.૫ અને ૬/૭/૧૨ના રોજ કરવામાં
આવ્યું્ હતું. જેનું આયોજન હવે ફેરફાર કરીને આગામી તા.૨૪ અને ૨૫ના રોજ
રાખવામાં આવ્યુંા છે.


અનુસૂચિત જાતિના અતિ પછાત જાતિના વિદ્યાર્થીઓ માટે ખાસ શિષ્યનવૃતિઃ
સૂરતઃ
અનુસૂચિત જાતિઓ પૈકી અતિ પછાત જાતિના વાલ્મિ કી, હાડી, નાડિયા, સેનવા,
તુરી, ગરો, અનુસૂચિત જાતિના બાવા અને વણકર સાધુ વગેરેના ધો.૧ થી ૧૦માં
અભ્યાુસ કરતા વિદ્યાર્થીઓને તમામ ધોરણ માટે રૂા.૬૫૦ લેખે ખાસ
શિષ્યસવૃત્તિ આપવામાં આવે છે.


નાના ઉદ્યોગ સાહસિકોને દુકાન ખરીદવા માટે લોન/સહાયઃ
સૂરતઃ
નાના ઉદ્યોગ સાહસિકોને નગરપાલિકા અથવા નગરપંચાયતોએ બાંધેલ દુકાનો ખરીદવા
રૂા.૧૫૦૦૦ સહાય સાથે ૪ ટકા વ્યા જના દરે રૂા.૬૦,૦૦૦ સુધીની લોન આપવામાં
આવે છે. આ ઉપરાંત લાબી મુદ્દતના પટ્ટાના ધોરણે પણ દુકાનો માટે લોન
આપવામાં આવે છે. આ યોજના માટે લાભાર્થીઓની વાર્ષિક આવક મયાર્દામાં
રૂા.૫૦,૦૦૦ હોવી જોઈએ.


નારાયણ ઉર્ફે નંદુના પરિવારજનો સપર્ક સાધેઃ
સૂરતઃ
- તા.૧૫/૬/૨૦૧૨ના રોજ સ્વંોય સેવી સંસ્થાક હૈલ્પ આગરા ખાતે નારાયણ ઉર્ફે
નંદુ ને ભરતી કરવામાં આવ્યાા હતા. જેના માનસિક સ્વા૨સ્ય્ ર માં સુધારો
જણાતા તેઓના જણાવ્યાીનુસાર સરનામા પર કોન્ટેમક કરવામાં આવ્યો્ હતો.
પરંતું કોઈ જવાબ મળ્યો્ ન હતો. જેથી આ નારાયણે જુદા જુદા સરનામા જણાવ્યાા
છે જે પૈકી તેના પિતા શ્રી રાજુભાઈ તે રહે, ગામ.પોસ્ટઃ - સિતાલી, જિલ્લો
સુરત તેમજ ગામઃપોસ્ટઃા- અકલેરા તા.ચોર્યાસી જિ.સૂરત તથા ગામ. રાવરાની
પોસ્ટઃા નત્થયઈ જિલ્લોઃસૂરત એમ ત્રણ સરનામા જણાવ્યાવ છે. જેથી તેમના વાલી
વારસોને સંપર્ક સાધવા જણાવાયું છે.

ખ – ૪ થી ગાંઘીનગર રેલ્વે સ્ટે શન સુઘીનો રસ્તોક કલેકટરશ્રીએ પ્રતિબંઘિત જાહેર કર્યો

મહાત્મા મંદિરના ફેજ-૨ના બાંઘકામ વિસ્તા રમાં હયાત ખ – ૪ થી ગાંઘીનગર
રેલ્વે સ્ટેકશન સુઘીનો રસ્તોર બાંઘકામ વિસ્તાંરમાં આવતો હોઇ, આ રસ્તો હાલ
બંઘ કરવાનો હુકમ જિલ્લાલ કલેકરટ શ્રીએ કર્યો છે.
જે હુકમ અન્વયે આ માર્ગ પર જતા વાહન ચાલકો હવે પછી ખ-રોડથી બીજનિગમ થઇને
સીવીલ સપ્લાવય ગોડાઉનની ઓફિસ થઇને રેલ્વેને સમાંતર થઇ ગાંઘીનગર રેલ્વે
સ્ટેથશન જઇ શકશે. તેમજ હાલમાં હયાત ખ-રોડ ઉપરથી – મહાત્મા મંદિર
પાસેથી-રેલ્વે સ્ટેસશન ઉપર જતા રસ્તા ના ઉપયોગ જાહેર હિતમાં પ્રતિબંઘિત
કરવો જરૂરી હોય જિલ્લા્ કલેકટર અને જિલ્લા્ મેજીસ્રેય ટ શ્રી પી.
સ્વોરૂપે તેમને ગુજરાત પોલીસ અઘિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (ખ)થી મળેલ
સત્તાની રૂએ ઉપરોકત માર્ગના ઉપયોગ પર પ્રતિબંઘ મુક્યો છે. આ હુકમ બીજો
હુકમ ન થાય ત્યાં સુઘી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને
પાત્ર ઠરશે.

વિકલાંગતા ઘરાવતા શાળા, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાંઅમાં અભ્યાસ કરતાં વિઘાર્થીઓને વિકલાંગ શિષ્ય વૃતિ જોગ

સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત રાજય, ગાંઘીનગર દ્રારા પ્રતિ વર્ષ અસ્થિ.
વિષયક, દ્રષ્ટિિહીન, શ્રવણમંદ તથા મંદબુઘ્દ્રિ જેવી વિકલાંગતા ઘરાવતા
શાળા, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાંઅમાં અભ્યાસ કરતાં વિઘાર્થીઓને
વિકલાંગ શિષ્ય વૃતિ આપવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ-૨૦૧૨-૧૩ના વર્ષ માટે
જે વિકલાંગ વિઘાર્થીઓના વાલીની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા ૫૦,૦૦૦/- થી
ઓછી હોય તેવા વિકલાંગ વિઘાર્થીઓ વિકલાંગ શિષ્યઆવૃતિ યોજના અન્વયે નિયત
નમુનામાં અરજીઓ કરી શકે છે. આ અરજી ફોર્મ જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારીની
કચેરી, એમ.એસ.બિલ્ડીંગ, બી-બ્લોક, ભોયતળીયે, સેકટર-૧૧, ગાંઘીનગરની કચેરી
માંથી વિના મૂલ્ય શાળા- કોલેજના લેખિત આઘાર રજુ કરવાથી મળીશે. તેમજ ભરેલા
ફાર્મ મોડામાં મોડા તા. ૩૧મી ઓગષ્ટર-૨૦૧૨ સુઘીમાં પરત કરવાના રહેશે.
જિલ્લાા શિક્ષણ સમિતિ હસ્ત ક પ્રાથમિક શાળા ઘોરણ ૧ થી ૮ અભ્યાસ કરતા
વિઘાર્થીઓના ભરેલ અરજી ફોર્મ શાળાઓએ તેઓની પગાર કેન્દ્ર શાળા મારફતે તથા
ઘોરણ ૧ થી ૮ ગ્રાન્ટેડ/ખાનગી શાળાઓના તેમજ ઘોરણ-૯ કે તેથી ઉચ્ચ અભ્યાસ
કરતા વિઘાર્થીઓ ભરેલ અરજીફોર્મ શાળા/સંસ્થાત દ્રારા જિલ્લાર સમાજ સુરક્ષા
અઘિકારીની કચેરી, ગાંઘીનગરને મોકલી આપવાના રહેશે.
આ શિષ્યપવૃતિ યોજના અંતર્ગત ઘોરણ – ૧ થી ૭ સુઘી ના વિઘાર્થીને રૂપિયા
૧૦૦૦/-, ઘોરણ – ૮ થી ૧૨ અને સમકક્ષ આઇ.ટી.આઇ સુઘી ના
વિઘાર્થીને રૂપિયા ૧૫૦૦/- અને હોસ્ટેયલમાં રહેતા હોય તેવા વિઘાર્થીઓને
રૂપિયા ૨૦૦૦/-, બી.એ/ બી.કોમ/ બી.એસ.સી/ સમકક્ષ ડીગ્રી અભ્યાસક્રમ ના
વિઘાર્થીને રૂપિયા ૨૫૦૦/- અને હોસ્ટે લમાં રહેતાં હોય તેવા વિઘાર્થીઓ
માટે રૂપિયા ૨૫૦૦/-, બીઇ/ બી.ટેક/ એમ.બી.બી.એસ/ એલ.એલ.બી/
બી.એડ/ડિપ્લો૦માં ઇન પ્રોફેશનલ એન્ડ એન્જી. સ્ટ્ડી વિગેરે ઇન પ્લાતન્ટ
ટ્રેનીંગ ના વિઘાર્થીને રૂપિયા ૩૦૦૦/- અને હોસ્ટેએલમાં રહેતાં હોય તેવા
વિઘાર્થીઓને રૂપિયા ૪૦૦૦/-, એમ.એ/ એમ.એસ.સી/ એમ.કોમ/ એમ.એડ/ એલ.એલ.એમ/
એમ.એડના વિઘાર્થીને ૩૦૦૦/-, હોસ્ટેેલમાં રહેતા તેવા વિઘાર્થીઓને રૂપિયા
૪૦૦૦/- તથા અંઘ વ્યકિતઓ માટે રીડર એલાઉન્સ રૂપિયા ૧૦૦૦/- આપવામાં આવશે.

દહેગામ તાલુકાના ઝાલાના મુવાડા ગામે મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલના હસ્તેા મહાત્મા ગાંઘી ગ્રામ સચિવાલયનું ખાતમુહૂર્ત કરાયું

દહેગામ તાલુકાના મહિલા સમરસ ગામ ઝાલાના મુવાડા ખાતે તા. ૦૨ જુલાઇના રોજ
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી નરોત્તમભાઇ
પટેલના હસ્તેત મહાત્મા ગાંઘી ગ્રામ સચિવાલયનું ખાતમુહૂર્ત, શાળાની
કોમ્પ્યુીટર લેબ, અમૃતાલયમ તથા લાયબ્રેરીનું ઉદૂઘાટન કરવામાં આવ્યું
હતું. આ પ્રસંગે શિક્ષણ રાજય મંત્રી અને જિલ્લામ પ્રભારી મંત્રી શ્રી
જયસિંહ ચૌહાણ ઉપસ્થિંત રહયાં હતાં.
આ પ્રસંગે પંચાયત મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે જણાવ્યું હતું કે, દરેક
સમાજના વિકાસમાં શિક્ષણ એ પાયાની ભૂમિકા અદા કરે છે. આ જ્ઞાનની સદીમાં જે
સમાજનું યુવાઘન ભણેલું-ગણેલું હશે, તે સમાજમાં આમૂલ પરિવર્તન આવશે. કોઇ
પણ ગામનો સાચો વિકાસ જયાં સુઘી ગ્રામજનો નહિં, ઇચ્છે ત્યાં સુઘી શકય નથી.
આપનું ગામ સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાચી રીતે સમજી ગયું છે. જેનું
દષ્ટાં ત ગામમાં સમરસ મહિલા સરપંચની નિયુકત્તી છે. તેવું કહી મંત્રીશ્રીએ
રાજય સરકારની સમરસ ગ્રામ પંચાયત યોજનાની વિસ્તૃસત વાત કરી હતી. તે ઉપરાંત
ગામમાં ચાલતી ઘાર્મિક પ્રવૃતિના કારણે ગ્રામજનોના વિચારોમાં પરિવર્તન
આવ્યું છે.

ગુરુ પૂર્ણિમાના પવિત્ર પ્રસંગે સંતોના આશીર્વાદ મેળવતા મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલા

ભારતમાં પરંપરાથી ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. દરેકનાં જીવનમાં
ગુરુનું વિશેષ મહત્વા હોય છે. આજે ગુરૂપૂર્ણિમાના પવિત્ર પ્રસંગે
બનાસકાંઠા જિલ્લાંના વડગામ તાલુકાના ગામોમાં આવેલા વિવિધ મઠોના સંતો અને
મહંતશ્રીઓના આશીર્વાદ મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાએ મેળવ્યાં હતાં.
સામાજીક ન્યા્ય અને અધિકારીતા તથા રમત ગમત વિભાગના મંત્રી શ્રી ફકીરભાઇ
વાઘેલાએ નાગરપુરા ખાતે મહંત શ્રી અરવિંદગીરી મહારાજના આશીર્વાદ મેળવ્યાં
હતાં. વડગામના મહંતશ્રી સત્યશનારાયણપુરી મહારાજ, મગરવાડા મણિભદ્ર આશ્રમના
મહંતશ્રી વિજય સ્વમરૂપદાસજી, માલોસણાના નિરાંતપંથી સંતશ્રી બાબુભાઇ વૈધ,
અને કોટડીના નિરાંતપંથી સંતશ્રી પરથીરામ મહારાજે મંત્રીશ્રીને આર્શીવચન
પાઠવ્યાંબ હતાં. મંત્રીશ્રીએ મહંતોના આશ્રમની મુલાકાત લઇ ભગવાનના દર્શન
કરી ગુરુજીઓના ચરણસ્પબર્શ કર્યા હતાં.
આ પ્રસંગે મંત્રીશ્રી સાથે અગ્રણીઓ સર્વશ્રી ર્ડા. કે. એસ. મોગરા, શ્રી
ફલજીભાઇ ચૌધરી, શ્રી એન. ટી. રાઠોડ, શ્રી ચિમનભાઇ સાંલંકી, શ્રી
પ્રવિણસિંહ રાણા, શ્રી દૂધાભાઇ પરમાર, શ્રી અશ્વિન સકસેના, જિલ્લાણ પછાત
વર્ગ કલ્યાિણ અધિકારીશ્રી વી. એલ. જાદવ, વિ. જા. સમાજ કલ્યાનણ
અધિકારીશ્રી આર. એચ. પ્રજાપતિ, મામલતદારશ્રી આર. સી. લિમ્બામચીયા,
અધિકારીઓ તથા વિશાળ સંખ્યારમાં ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

ગુજરાતમાં મહેસુલી-જમીન સુધારા, ઇ-ધરા, ઇ-જમીન અને ઇ-ગ્રામ યોજનાથી પ્રભાવિત વિશ્વબેન્ક ટીમ વિશ્વબેન્કની ટીમે અમદાવાદ કલેક્ટર કચેરીની લીધેલી મુલાકાત

ગુજરાતમાં મહેસુલી અને જમીન સુધારા ક્ષેત્રે લેવાયેલા પગલાં અને સમગ્ર
રાજ્યમાં અમલી બનાવેલ ઇ-ધરા, ઇ-જમીન, અને વિશ્વગ્રામ-ઇ-ગ્રામ યોજનાથી
પ્રભાવિત થઇને વિશ્વબેન્કની ટીમના સભ્યોએ સરાહના વ્યક્ત કરી છે. દેશના
અન્ય રાજ્યોની મુલાકાત પછી ગુજરાતની મુલાકાતે આવેલ વિશ્વબેન્કની ટીમે
અમદાવાદમાં જિલ્લા કલેક્ટરશ્રી વિજય નહેરા સાથેની મુલાકાતમાં ગુજરાતે
મહેસુલી સુધારણા, ઇ-ગવર્નન્સ, લેન્ડ રેકર્ડ કમ્પ્યુટરાઇઝેશન, જમીન
સંપાદન, ટાઉન પ્લાનીંગ, અર્બન ડેવલપમેન્ટ, મિલકત દસ્તાવેજોની નોંધણી,
ઓનલાઇન મ્યુટેશન, લેન્ડ કન્વર્ઝનન્સ સહિતની બાબતોમાં પારદર્શતા સાથે
અમલમાં મુકેલા પ્રોજેક્ટની વિગતવાર માહિતી મેળવીને તેને બિરદાવ્યા હતા.
સરકારી દફ્તરે મિલ્કતના માલિકી હક્ક અને માલિકીની નોંધણી, મિલ્કતના
ખરીદ-વેચાણ, જમીન સંપાદનની પ્રક્રિયા વગેરે બાબતે પણ વિગતવાર જાણકારી
મેળવી હતી. વિશ્વબેન્કની ટીમે કલેક્ટર કચેરી ખાતેના ઇ-ધરા અને ઇ-જમીન
સેન્ટરની પણ રૂબરૂ મુલાકત લઇને થતી કામગીરી અંગે જાત માહિતી મેળવી હતી.
વિશ્વબેન્કની ટીમમાં સાઉથ એશિયા રિજીયનના સેક્ટર મેનેજર સુશ્રી મારીયા
સી. કોરીયા ઉપરાંત શ્રી આઇ.યુ.બી. રેડ્ડી, શ્રી વિક્રમ રાઘવન, શ્રી શંકર
નારાયણન અને શ્રી મૃદુલાસિંઘ જોડાયા હતા.

બેભાન અવસ્થામાં મળેલ અજાણ્યા પુરુષનું મરણ

વડોદરા
વડોદરા, ન્યાયમંદિર, સાધના ટોકિઝ પાસેના ફૂટપાથ પરથી તા.૨૬/૬/૨૦૧૨ના રોજ
૧૫-૨૧ વાગ્યા પહેલાં એક અજાણ્યા આશરે ૫૦ વર્ષની ઉંમરનો પુરુષ બેભાન
હાલતમાં મળી આવ્યો હતો. જેનું તા.૧/૭/૨૦૧૨ના રોજ સાંજે ૧૮-૩૦ વાગ્યે
એસ.એસ.જી. હોસ્પિટલમાં મૃત્યુ થયેલ છે. લાશનું પી.એમ. કરાવી કોલ્ડરૂમમાં
રાખવામાં આવી છે.
આ અજાણ્યો પુરુષ શરીરે મજબૂત બાંધાનો, રંગે ધઉંવર્ણો, મોઢું લંબગોળ, સફેદ
કલરનો ઝભ્ભો તથા કોફી કલરનો ચડ્ડો પહેરેલો છે. ઇસમની ઊંચાઇ ૫ ફૂટ ૬ ઇંચ
જેટલી છે. વાલીવારસોએ રાવપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

ટેકનિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા અંગે

વડોદરા
વડોદરા, દાંડિયાબજાર, સરકારી ટેકનિકલ હાઇસ્કૂલ ખાતે ચાલતા ટી.ઇ.બી.
પેટર્નના એક વર્ષના વિવિધ અભ્યાસક્રમો ચાલે છે. જેમાં ઈલેકટ્રોનિક્સ
એપ્લાયન્સીસ એન્ડ કોમ્પ્યુટર ટેકનિશિયન, ઇલેક્ટ્રિક મોટર રીવાઇન્ડિંગ
એન્ડ સર્વિસિંગ કોર્સનો સમાવેશ થાય છે. આ અભ્યાસક્રમો માટેની શૈક્ષણિક
લાયકાત ધો.૯ પાસ છે. પ્રવેશ માટેના અરજીપત્રકોનું વિતરણ તા.૭/૭/૨૦૧૨ સુધી
ચાલુ કામકાજના દિવસોએ સવારના ૧૧-૦૦થી ૪-૦૦ કલાક દરમિયાન કરવામાં આવશે તથા
ભરેલાં ફોર્મ સ્વીકારવામાં આવશે. આ અભ્યાસક્રમોમાં જૂજ જગ્યાઓ ખાલી હોઈ
વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે. જેની ઇચ્છુક ઉમેદવારોને નોંધ લેવા
આચાર્યશ્રીએ એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે.

બોઇલર એન્જિનીયરની પરીક્ષા ઓકટોબર-ર૦૧રમાં યોજાશે

ગાંધીનગરઃ
બોઇલર પરિચર(એટેન્ડન્ટ) વર્ગ-૧ અને વર્ગ-ર તથા બોઇલર ઓપરેશન એન્જીનીયરની
પરીક્ષા તા. ૧૩-૧૦-ર૦૧રથી યોજાનાર છે. રાજ્યની તમામ વિભાગીય નાયબ/મદદનીશ
નિયામકની કચેરીઓ તથા અમદાવાદ ખાતેની વડી કચેરીએથી નિયત અરજીપત્રકો તારીખ
૧૩-૭-ર૦૧ર થી તા. ૧૪-૮-ર૦૧ર સુધી વિનામૂલ્યે મળી શકશે. પરીક્ષા આપવા
લાયકાત ધરાવતા ગુજરાત રાજ્યમાં આવેલ સંસ્થાઓમાં નોકરી કરતા ઇચ્છુક
વ્યક્તિઓએ તારીખ ૧૪-૮-ર૦૧ર સુધીમાં કામકાજના દિવસોમાં અમદાવાદ ખાતેની
કચેરી, ૪થો માળ, શ્રમ ભવન, રૂસ્તમ કામા માર્ગ, ગનહાઉસની બાજુમાં ખાનપુર,
અમદાવાદ-૩૮૦૦૦૧ને નિયત અરજી મોકલી આપવી.

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આંતરરાષ્ટ્રીય પ્રતિભાને ""આપણો ભેરૂબંધ નરેન્દ્રમોદી'' પુસ્તક દ્વારા પ્રજા સમક્ષ મૂકવાનું આવકારપાત્ર કાર્ય થયું છેઃ નાણાં મંત્રી શ્રી વજુભાઇ વાળા રાજયનું વહીવટીતંત્ર-મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયની ગ્રામ

ગાંધીનગરઃ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આંતરરાષ્ટ્રીય પ્રતિભાને ""આપણો
ભેરૂબંધ નરેન્દ્રમોદી'' પુસ્તક દ્વારા પ્રજા સમક્ષ મૂકવાનું આવકારપાત્ર
કાર્ય થયું છે તેમ નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળાએ જણાવ્યું છે.
ર્ડા. જશભાઇ પટેલ લિખિત ""આપણો ભેરૂબંધ નરેન્દ્રમોદી'' પુસ્તકનું
ગાંધીનગર ખાતે વિમોચન કરતાં નાણાંમંત્રીશ્રી એ કહયું કે, મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળનું ગતિશીલ વહીવટી તંત્ર અને તેમના સબળ
રાજનૈતિક માર્ગદર્શનના પરિણામે રાજયના છેવાડાના નાગરિકો સુધી પ્રજાલક્ષી
યોજનાઓ સફળતાપૂર્વક પહોંચી છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતીય
સંસ્કૃતિના સંસ્કાર સંવર્ધનની સાથોસાથ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી
ગુજરાતનો વિકાસ કરવાનો ઉમદા સંકલ્પ રાખ્યો છે જે પરિણામલક્ષી બન્યો છે.
લેખકનું કાર્ય સંસ્કારી સમાજનું ધડતર કરવાનું છે તેમાટે લખવાનું છે તેમ
ભારપૂર્વક જણાવી મંત્રી શ્રી વજુભાઇ વાળાએરાજ્યમાં અમલી બનેલી સરકારની
કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત ઝલક આપી હતી. તેમણે ગુજરાતમાં મહિલા
શશક્તિકરણ માટે થઇ કરેલાં પ્રેરણાદાયી કાર્યોની રૂપરેખા આપીને
પુરાતનકાળના ઐતિહાસિક સ્ત્રીપાતરોમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.
ર્ડા. જશભાઇ પટેલને પુસ્તકના સર્જન બદલ હાર્દિક અભિનંદન પાઠવીને મંત્રી
શ્રી વજુભાઇ વાળાએ ગુજરાત ગ્રામીણ પ્રજા સમક્ષ રાજ્ય સરકારની કલ્યાણકારી
યોજનાઓ પહોંચાડવાના માધ્યમ આ પુસ્તક બની રહેશે.
યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી ફકીરભાઇ વાધેલાએ રાજ્યનું
વહીવટી તંત્ર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતની ગ્રામીણ
પ્રજા એમ ત્રણ આયામોને પુસ્તકના સ્વરૂપમાં ઉતરાવવાના લેખકના સફળ પ્રયાસ
બદલ અભિનંદન આપીને વિવિધ યોજનાઓનો લાભ ગ્રામીણ પ્રજા સમક્ષ પહોંચાડવાના
ઉત્તમ માધ્યમ તરીકે આ પુસ્તક વિશાળ વહીવટી તંત્ર માટે પ્રસ્તુત નીવડશે જ
એવી શ્રધ્ધા સાથે લેખકને અભિનંદન પાઠવ્યા હતા.
લેખક શ્રી જશભાઇ પટેલે કહ્યું કે શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર દ્વારા
થતી કામગીરી, યોજનાઓ અને પ્રજાલક્ષી કાર્યોનો હું પ્રત્યક્ષ સાક્ષી બન્યો
છું. આ ભગીરથ કાર્યકર્તા-વિચારદૃષ્ટા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી
વિશે લેખ લખી ભૂમિકા આપીને વિવિધ યોજનાઓનો લાભ મેળવનારા છેવાડાના
લાભાર્થીઓ માટે તો ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સૌના ભેરુબંધ છે તેવી
પુસ્તકના શીર્ષકની યથાર્થતા સમજાવી હતી તથા છેલ્લા દશ વર્ષમાં ગુજરાત
વિકાસ-પ્રગતિ અને સમૃદ્ધિ એ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળના રાજ્ય
સરકારનું ઉમદા પરિણામ તેમ જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને પુસ્તકનો રસાસ્વાદ કરાવતાં શ્રી
દિનેશ દેસાઇએ સમગ્ર સંચયમાં રજૂ થયેલી તમામ વાર્તાઓ વાંચકો- ભાવકોને
વાંચવામાં-માણવામાં રસપ્રદ નીવડશે તેમ જણાવી ચરોતરની ગ્રામ પરિવેશમાંથી
આવતાં લેખકની ચરોતરની ભાષાશૈલીમાં સ્વયં ખીલી ઉઠેલી વર્તાઓ અને ગ્રામીણ
પરિવેશમાં આકાર લેતી ધટનાઓને ઊંડી આંતરસૂઝથી શબ્દસ્થ કરીને આકારબધ્ધ
કરવાના ર્ર્ડા. જશભાઇના કાર્ય બદલ અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે શ્રી શાંતુભાઇ પટેલ, નીરવ પ્રકાશન, અમદાવાદ શ્રી નીરવ શાહ,
મદદનીશ જનસંપર્ક અધિકારી શ્રી હિતેશભાઇ પંડયા સહિત અધિકારીઓ-સાહિત્યરસિકો
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં આભારદર્શન શ્રી
હેમલભાઇ વ્યાસે કર્યું હતું.

ઇન્ડીયન નેશનલ આર્મી ડે-૬ ઠ્ઠી જુલાઇના રોજ અમદાવાદમાં નેતાજી સુભાષ બોઝ INA ટ્રસ્ટ આયોજિત "વીરત્વ કી યાદ મેં'' રાષ્ટ્રભકિતની ચેતના જગાવતો કાર્યક્રમ

શ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી પી. એ. સંગમા ખાસ મહેમાન તરીકે સંબોધન કરશે
ઇન્ડિયન નેશનલ આર્મી ડે (INA-DAY) ૬ ઠ્ઠી જુલાઇ ર૦૧રના રોજ અમદાવાદમાં
નેતાજી સુભાષ બોઝ સ્થાપિત આઝાદ હિન્દ ફોજની સ્મૃતિમાં "વીરત્વ કી યાદમે'
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
નેતાજી સુભાષ બોઝ-INA ટ્રસ્ટના ઉપક્રમે અમદાવાદના ટાગોર હોલમાં શુક્રવાર
૬ ઠ્ઠી જુલાઇની સાંજે યોજાનારા આ રાષ્ટ્રભકત આઝાદીના વીરસપૂતોની યાદમાં
કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અતિથિ વિશેષ
તરીકે અને લોકસભાના પૂર્વ અધ્યક્ષશ્રી પી. એ. સંગમા મુખ્યમહેમાન પદે તથા
વિધાનસભા અધ્યક્ષશ્રી ગણપતભાઇ વસાવા, આદિજાતિ કલ્યાણ મંત્રીશ્રી મંગુભાઇ
પટેલ, યુવા-સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાઓના મંત્રીશ્રી ફકીરભાઇ વાધેલા પણ
રાષ્ટ્રના વીર શહિદોને શ્રધ્ધાંજલિ અર્પતા પ્રેરક ઉદ્દબોધન કરશે.

કચ્છના રણમાં હેલીકોપ્ટરથી બચાવી લેવાયેલા૧૦ ભરવાડ પરિવારોએ સમયસરની મદદ માટે મુખ્યમંત્રીશ્રીને મળી આભારની લાગણી વ્યકત કરી

કચ્છમાં તાજેતરમાં એકાએક ભારે વરસાદના કારણે નાના રણમાં ફસાઇ ગયેલા ભચાઉ
તાલુકાના આધોઇ ગામના ૧૦ જેટલા રબારી ભરવાડ પશુપાલકોને મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદીની સમયસૂચકતાથી વાયુદળના હેલીકોપ્ટરની મદદની ઉગારી
લેવામાં આવ્યા તે અંગે મુખ્યમંત્રીશ્રીનો હાર્દિક આભાર માનવા આ અસરગ્રસ્ત
કચ્છી ભરવાડ પશુપાલકોના ૧૦૦ જેટલા પરિવારજનો ગાંધીનગર આવ્યા હતા.
ધારાસભ્યશ્રી જયંતિભાઇ ભાનુશાળીની આગેવાનીમાં શ્રી અરજણભાઇ રબારીએ આ
કચ્છી ભરવાડોના કુટુંબીજનોનો પરિચય કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કચ્છના વિનાશક ધરતીકંપ પછી રાજ્ય સરકારે આપત્ત્િા
વ્યવસ્થાપનનું સક્ષમ તંત્ર વિકસાવ્યું છે તેની ભૂમિકા આપી હતી અને કચ્છના
રણમાં ભારે વરસાદના કારણે ફસાઇ ગયેલા આ ભરવાડ કુટુંબોની પાસેથી ધટનાની
માહિતી મેળવી હતી.

રાજુલાના બાલાપર ખાતે મળી આવેલ બિનવારસી નવજાત બાળાને કાઠિયાવાડ બાલાશ્રમ-રાજકોટ ખાતે પુનઃસ્થાસપિત કરાઇ જિલ્લાર બાળ સુરક્ષા અને મહિલા વિકાસ મંડળની ઉદાહરણરૂપ કામગીરી

અમરેલી
રાજુલાના બાલાપર ગામે રાજુલા પોલિસ ટીમને એક નવજાત બાળકી મળી આવતા,
રાજુલા પોલિસ ઇન્પેાના ક્ટરશ્રી વોરાએ જિલ્લાત સમાજ સુરક્ષા અધિકારીશ્રી
ત્રિવેદીને જાણ કરી હતી. શ્રી ત્રિવેદીના માર્ગદર્શન મુજબ જિલ્લાલ બાળ
સુરક્ષા એકમ-અમરેલી દ્વારા બિનવારસી બાળાને શ્રી મહિલા વિકાસ મંડળ-અમરેલી
ખાતે તાત્કાલલિક પ્રવેશ અપાવવામાં આવ્યોઅ હતો. અમરેલી ખાતે શિશુગૃહની
સુવિધા ન હોવાથી જિલ્લાલ બાળ સુરક્ષા એકમ અને મહિલા વિકાસ મંડળના સ્ટાઆફ
સભ્યોો સર્વ શ્રી સજંયભાઇ સોલંકી, ભાવેશભાઇ ભાડ, અરૂણાબેન ભટ્ટ અને
મનિષાબેન પંડ્યા દ્વારા બિનવારસી નવજાત બાળાને રાજકોટ સ્થિ ત શ્રી
કાઠિયાવાડ બાલાશ્રમ શિશુગૃહ ખાતે રૂબરૂ જઇ પ્રવેશ અપાવી તેના
પુનઃસ્થાવપનની કામગીરી કરવામાં આવેલ છે, તેમ જિલ્લાર બાળ સુરક્ષા એકમના
અધિકારી શ્રી પી.બી. ભટ્ટની એક યાદીમાં જણાવાયુ છે.

અનુસૂચિત જન જાતિના યુવક-યુવતિઓએ અરજી કરવી સાહસિક પગપાળા વન વિસ્તાુર પરિભ્રમણ

અમરેલી
યુવક સેવા અને સાંસ્કૃવતિક પ્રવૃતિના ઉપક્રમે સાહસિક પગપાળા વન વિસ્તાસર
પરિભ્રમણ ઓગષ્ટય-૨૦૧૨ દરમ્યાેન ૧૦ દિવસનો કાર્યક્રમ વડોદરા જિલ્લાવમાં
યોજાનાર છે. જેમાં ગુજરાતના રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા
(તા.૩૦/૦૬/૨૦૧૨ના રોજ)હોય અને ભાગ લેવા ઈચ્છુમક અનુસૂચિત જન જાતિના
યુવક–યુવતિઓએ પુરૂં નામ, સરનામું, જન્મ/ તારીખ (પુરાવા સાથે), શૈક્ષણિક
લાયકાત, વ્યાવસાય, એન.સી.સી./પર્વતારોહણ, રમતગમત સ્પમર્ધામાં ભાગ લીધેલ
હોય તો તેની વિગત, શારિરીક તંદુરસ્તીવ અંગેનું દાકતરી પ્રમાણપત્ર, જાતિ
અંગેના દાખલાની નકલ, અગાઉ આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની
વિગતો, વાલીનો સમંતિપત્રક, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સાથે
તા.૩૧-૦૭-૨૦૧૨ સુધીમાં લેખિત અરજી જિલ્લાા રમત ગમત અધિકારીશ્રીની કચેરી,
વડોદરા ગ્રામ્ય, નર્મદા ભુવન, બ્લો ક-સી, ચોથે માળે, ઇન્દિારા એવન્યુઅ
રોડ,વડોદરાને મોકલી આપવા કમિશ્નેર, યુવક સેવા અને સાંસ્કૃીતિક પ્રવૃતિ
ગાંધીનગર અને જિલ્લાજ રમતગમત અધિકારીશ્રી-અમરેલીની સંયુક્ત યાદીમાં
જણાવાયુ છે.


અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓએ અરજી કરવી ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્સ
યુવક સેવા અને સાંસ્કૃનત્તિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર દ્વારા આગામી
ઓક્ટોબર-નવેમ્બાર દરમ્યાસન જુનાગઢ ખાતે દસ દિવસીય ખડક ચઢાણ બેઝિક તાલીમ
કોર્સ (અનુસૂચિત જાતિના ૧૪ થી ૩૫ વર્ષ વયમર્યાદા ધરાવતાં યુવક-યુવતીઓ
માટે ૧૦ દિવસીય) યોજાનાર છે. આ માટે રાજ્યના અનુસૂચિત જાતિના
તા.૩૦/૦૬/૨૦૧૨ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં હોય તેવા
યુવક-યુવતીઓ પાસેથી અરજીઓ મગાવવામાં આવે છે. પસંદ થયેલા ૧૦૦
યુવક-યુવતીઓને આ તાલીમમાં જોડાવાની તક સાંપડશે. અરજી સાથે (૧) પુરૂં
નામ, (૨) સરનામું, (૩) જન્મ-તારીખ, (૪) શૈક્ષણિક લાયકાત, (૫) રમતગમત
સ્પીર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, (૬) શારીરિક તંદુરસ્તીો ધરાવતાં
હોવાનું ડોક્ટરી પ્રમાણપત્ર, (૭) અનુસૂચિત જન જાતિનું પ્રમાણપત્ર, (૮)
વાલીનો સંમતિપત્ર, (૯) તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી
તા.૩૧/૦૭/૨૦૧૨ સુધીમાં જિલ્લાક રમતગમત અધિકારીશ્રી, બહુમાળી ભવન, સરદાર
બાગ, જુનાગઢને પહોંચતી કરવાની રહેશે. અધૂરી વિગતવાળી અરજી ધ્યાતને લેવાશે
નહી. પસંદગી પામેલ શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે, તેમ યુવક
સેવા અને સાંસ્કૃીત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગર અને જિલ્લાર રમતગમત
કચેરી-અમરેલીની સંયુક્ત યાદીમાં જણાવાયુ છે.

અખીલ ભારતીય મુલ્કી સેવા રમત – ગમત સ્પર્ધા ભાગ લેવા અંગે

અખીલ ભારતીય મુલ્કી સેવા રમત – ગમત સ્પર્ધા ભાગ લેવા અંગે

અખીલ ભારતીય મુલ્કી સેવા રમત–ગમત સ્પર્ધા ૨૦૧૨–૧૩ કેન્દ્ર સરકારનાં
સેન્ટ્રલ સીવીલ સર્વીસીસ કલ્ચરલ અને સ્પોર્ટસ બોર્ડ નવી દિલ્હી દ્વારા દર
વર્ષે યોજવામાં આવે છે. આ સ્પર્ધામાં ફક્ત રાજ્ય સરકારશ્રીનાં કર્મચારીઓ
જ ભાગ લઇ શકશે, બોર્ડ – નિગમનાં કર્મચારીઓ ભાગ લઇ શકશે નહિ. આ બાબતનાં
નિયમો સરકારશ્રીની વેબસાઇટ જી-સ્વાન ઉ૫ર મુકેલ છે જામનગર જિલ્લાઓના જે
કર્મચારી ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ વધુ માહિતી માટે જિલ્લા રમત – ગમત
અધિકારીની કચેરી, જામનગર ખાતે ફોન નંબર-૨૬૭૮૨૦૯ થી સં૫ર્ક કરી શકશે. જરૂર
પડ્યે જી-સ્વાન વેબસાઇટ ઉ૫ર ૧૧/૬/૨૦૧૨ નો સામાન્ય વહીવટ વિભાગનો પરિ૫ત્ર
જોઇ જવા વિનંતી.

લાલપુરના વિજયપુરમાં રૂ.૫.૩૫ લાખના ખર્ચે પાણી પુરવઠાના કામો થશે

વાસ્મો યોજના અંતર્ગત લાલપુર તાલુકાના વિજયપુર ગામે રૂ.૫.૩૫ લાખની ખર્ચે
પીવાના પાણીની સુવિધા માટે વિકાસકામો હાથ ધરાશે. જામનગર જિલ્લા જળ અને
સ્વચ્છતા સમિતિની તાજેતરમાં જામનગર ખાતે યોજાયેલ બેઠકમાં આ કામોને બહાલી
આ૫વામાં આવી છે. વાસ્મો યોજના અંતર્ગત ૧૦ ટકા લોકફાળો ગ્રામજનોએ ભરવાનો
થાય છે. આ વિકાસકામોમાં પંપીગ મશીનરી, પં૫ હાઉસ, ઉંચી ટાંકીની મરામત,
પાણી વિતરણ પાઇપ લાઇન, અવેડાનું સમારકામ સહિતના કામોનો સમાવેશ થાય છે.

પત્રકારત્વટને ધર્મ તરીકે અપનાવીએ. - કટારલેખકશ્રી જવલંત છાયા ’’મહાત્માક ગાંધીનું પત્રકારત્વઃ આજના પરિપ્રેક્ષ્યયમાં’’ વિષય પર પોરબંદર માં પ્રેસ સેમિનાર યોજાયો

પોરબંદર,
પોરબંદર માં ''મહાત્મા ગાંધીનું પત્રકારત્વઃજઆજના પરિપ્રેક્ષ્યનમાં'' ના
વિષય પર પ્રેસ સેમિનાર યોજાયો હતો.પ્રદેશિક માહિતી કચેરી-રાજકોટના
ઉપક્રમે અને જિલ્લાન માહિતી કચેરી પોરબંદરના સહયોગથી યોજાયેલા આ
સેમિનારનો પ્રારંભ કલેકટરશ્રી ગિરીશભાઇ શાહે મંગલદીપ પ્રગટાવીને કરાવ્યોા
હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ્ટ, જિલ્લાપ પોલીસ વડાશ્રી દિપન
ભદ્રન, કૂતિયાણા પ્રાંત અધિકારીશ્રી પંકજ ઔંધિયા, પ્રબુધ્ધબ નાગરિકો,
પત્રકાર મિત્રો તથા વિદ્યાર્થીઓ એ આ સેમિનારમાં ભાગ લીધો હતો.
જાણીતા કટાર લેખક અને પત્રકાર શ્રીજવલંત છાયાએ ચાવીરૂપ પ્રવચન કરતાં
પૂ.ગાંધીબાપૂની જન્મ્ભૂમિ પોરબંદરમાં આ વિષય પર સેમિનારના આયોજનને
બિરદાવતા કહ્યુ હતુ કે, ગાંધીજી નું પત્રકારત્વૂ આજે પણ માર્ગદર્શક
છે.ગાંધીજીના પરિપ્રેક્ષ્યામાં પત્રકારત્વતને આપણે ધર્મ માનીને અનુસરવું
જોઇએ.ગાંધીજીએ વર્ષ- ૧૯૦૪ થી ઇન્ડી.યન ઓપીનીયન થી શરૂ કરીને પત્રકારત્વર
ક્ષેત્રે આપેલા પ્રબળ યોગદાન નું વર્ણન કરતાં શ્રી છાયાએ કહ્યુ હતુ કે,
પત્રકાર તરીકે ગાંધીજી લોકોની લાગણીઓને વાચા આપતા.માત્ર વિષયને જ
સ્પનર્શતા નહિ, પરંતુ સમાજજીવન નો એકસ-રે રજૂ કરતા હતા.ગાંધી વિચારો
દિવાદાંડીની જેમ આજે પણ માર્ગદર્શક બની રહ્યા છે, જેને સમગ્ર વિશ્વ
અનુસરી રહ્યુ છે.
ગાંધીજીના પત્રકારત્વુની મુખ્યઅ ખાસિયત એ હતી કે, તેઓ ચોકસાઇના ખૂબ જ
આગ્રહી હતા. કોઇપણ માધ્યજમથી લોકો સમક્ષ રજૂ કરવાની તમામ બાબતોને તેઓ
ઝીણવટપૂર્વક મૂલવતા અને પછી જ પ્રસ્તૂ ત કરતા.ગાંધીજીનું પત્રકારત્વર
સત્યબના ઉદ્દેશ્ય્ને કેન્દ્રજમાં રાખીને જ પ્રસ્તૂ્ત થતું હતુ અને સૌનું
સારૂ કરવા માટેની ભાવના સાથે વણાયેલુ રહેતું.ગાંધીજી પત્રકાર ઉપરાંત સારા
પત્રો લખનાર સારા પત્ર-કાર પણ હતા.ગાંધીજીનું સાહિત્યત સત્ય્ અને
રાષ્ટ્રતભકિતની જીવંત પ્રેરણા આપતું, જે લોકોમાં પ્રબળ ચેતના જગાડતુ.
ગાંધી ચિંધ્યાા માર્ગે થતાં સત્યા્ગ્રહનો ઉલ્લે્ખ કરીને શ્રી છાયા એ
કહ્યુ કે, ગાંધી ચિંધ્યોા માર્ગ સીક્સ લેન હાઇ-વે નથી પણ કાંટાળો માર્ગ
છે.સત્ય્ માટે થતાં સત્યા ગ્રહ માં કયાંય હિંસાને સ્થાેન હોઇ ન શકે, તેમ
ગાંધીજી પ્રબળપણે માનતા હતા.
ગાંધીજીની ઘણી બાબતો અનુસરણીય છે.તેઓ નાના માં નાના કામો તથા માનવસેવા ને
પણ સમાન મહત્વસ આપતા, તેના દ્દષ્ટાંંતો આપીને શ્રી છાયાએ જણાવ્યુવ હતુ
કે, પત્રકારત્વર ક્ષેત્રમાં ચોકસાઇ, ચીવટ, ભાષાની લાવણ્યાતા અને સત્ય
તાપૂર્ણ પ્રસ્તૂીતિ જેવા ગુણોના ગાંધીજી આગ્રહી હતા, જે આજના
પરિપ્રેક્ષ્ય માં પણ એટલા જ પ્રસ્તૂાત છે.
રાજકોટના સંયુકત માહિતી નિયામકશ્રી નટુભાઇ પરમારે સ્વાીગત પ્રવચન અને
મુખ્યઆ અતિથિશ્રીઓનો પરિચય આપતા કહ્યું હતુ કે, ગાંધીજી નું પત્રકારત્વત
આજના સમયમાં પણ પ્રસ્તૂયત છે. ગાંધીબાપૂ નું સમગ્ર જીવન જુદા જુદા
ક્ષેત્રે પથદર્શક છે.ગાંધીયુગના ટાંચા સાધનો અને મર્યાદિત ટેકનોલોજીના
સમયમાં પણ ગાંધીજીએ પ્રબળ પત્રકારત્વન દ્વારા દેશપ્રેમની ભાવનાને લોકોમાં
પ્રબળ બનાવી હતી.જે આજના સમયમાં પણ અદ્યતન ટેકનોલોજીના માધ્યપમથી વધુ
અસરકારક બની શકે છે.
જિલ્લાન કલેકટરશ્રી ગિરીશભાઇ શાહ અને જિલ્લાશ વિકાસ અધિકારીશ્રી
કે.બી.ભટ્ટે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. ગાંધીજીના પત્રકારત્વલ વિશે
રસપ્રદ પ્રશ્નોત્તરી થઇ હતી જેમાં પત્રકારો, પ્રબુધ્ધ. નાગરિકો તથા
વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમના અંતે સહાયક માહિતી નિયામકશ્રી વિનોદ કોટેચાએ આભારદર્શન કર્યુ
હતું. કાર્યક્રમ નું સુંદર સંચાલન શ્રી ભાવિનીબેન શુકલએ કર્યુ હતુ.
કાર્યક્રમમાં સંદેશ-રાજકોટના પ્રતિનિધિશ્રી અમીતભાઇ રાડીયા, પ્રબુધ્ધુ
અગ્રગણ્ય નાગરિકો સર્વશ્રી પદુભાઇ રાયચુરા, ભરતભાઇ રાજાણી, ઉપેન્દ્ર
મહેતા, ગીગનભાઇ બાપોદરા, ડો.ભરડા, હિતેશભાઇ દત્તાણી સહિતના મહાનુભાવો
ઉપસ્થિેત રહ્યા હતા.
આ સેમિનારને સફળ બનાવવામાં રાજકોટના સહાયક માહિતી નિયામકશ્રી એ.પી.જોશી,
મેનેજરશ્રી જગદીશ ત્રિવેદી, શ્રી રાજકુમાર જેઠવા, રશ્મિન યાજ્ઞિક,
ડી.પી.નાકરાણી, શ્રી અરવિંદ વેકરીયા સહિત રાજકોટ તથા પોરબંદરના માહિતી
પરિવારની ટીમના સભ્યો.એ જહેમત ઉઠાવી હતી.

રૂડાની મુસદ્દારૂપ નગર રચનાને આખરી કરવા અધિકારીશ્રીની નિમણૂક

રાજકોટ
રાજય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરની
અધિસૂચના મુજબ નગર રચના યોજના નં-૧૮(મુંજકા) અને નં-૧૯(મુંજકા)ની નગર
રચના યોજનાઓને આખરી કરવા માટે નગર રચના અધિકારીશ્રી તરીકે શ્રી
જી.એ.પંડયાની નિમણૂક કરવામાં આવી છે. આ અંગેની નકલ નગર રચના
અધિકારીશ્રીની કચેરી, નગર રચના યોજના એકમ-૩, જૂનું રૂડા બિલ્ડીંગ, પ્રથમ
માળે, શારદાબાગ સામે, શ્રોફ રોડ, રાજકોટ (ફોન નં-૨૪૫૮૧૩૨) ખાતે જોઇ
શકાશે. તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જુલાઇ માસમાં પેન્શાનરોએ હયાતીની ખરાઇ કરાવી લેવી

જુલાઇ માસમાં પેન્શાનરોએ હયાતીની ખરાઇ કરાવી લેવી

રાજકોટ
રાજય સરકારનું પેન્શદન મેળવતા પેન્શકનરોએ ગુજરાત તિજોરી નિયમોની જોગવાઇ
મુજબ જુલાઇ માસમાં હયાતિની ખરાઇ માટે ઉપસ્થિ‍ત થવાનું રહે છે. રાજકોટ
જિલ્લાનમાં આવેલ જુદી જુદી બેંક મારફત પેન્શપન મેળવતા પેન્શ નરોના
હયાતિની ખરાઇ માટેના ફોર્મ પેન્શગનરોના નામવાર છપાવીને તેઓ જે બેંક મારફત
પેન્શાન મેળવે છે તેઓને પહોંચાડેલ છે. આઇ.આર.એલ.એ. યોજના હેઠળ પેન્શશન
મેળવતા તમામ પેન્શાનરોએ જુલાઇ માસ દરમ્યાછન સબંધિત બેંક મેનેજર સમક્ષ
ઉપસ્થિનત થઇ હયાતિની ખરાઇ કરાવી લેવી જુલાઇ માસ દરમ્યાએન સંજોગોવશાત
હયાતિની ખરાઇ ન કરાવી શકેલ પેન્શ નરો ઓગષ્ટત અને સપ્ટેખમ્બ ર મહિના
દરમ્યામન પણ જેતે બેંક મેનેજર સમક્ષ ઉપસ્થિાત થઇ હયાતિની ખરાઇ કરાવી
શકશે.
ઉકત સમયગાળા દરમ્‍યાન હયાતિની ખરાઇ માટે ઉપસ્થિસત નહિં થયેલ પેન્શખનરોનું
માહે ઓકટોબર માસનું પેન્શમન અટકાવવામાં આવશે.
કુટુંબ પેન્શશન મેળવતા પેન્શ નરોએ પુનઃલગ્ની નહીં કર્યા અંગેનું
પ્રમાણપત્ર જિલ્લાક/પેટા તિજોરી અધિકારી રૂબરૂ રજુ કરવાનું રહેશે પ૦
વર્ષથી મોટી ઉંમરના સ્ત્રી પેન્શયનરોને આવુ પ્રમાણપત્ર રજુ કરવામાં
મુકિત આપવામાં આવેલ છે. જેની સબંધકર્તા તમામ પેન્શાનરોએ નોંધ લઇ અમલવારી
કરવા શ્રેયાન તિજોરી અધિકારી રાજકોટની યાદીમાં જણાવાયું છે.

રાજકોટ જિલ્લામના અગિયાર ગામોની લોક વ્યસવસ્થાનપિત પાણીપુરવઠા યોજનાઓને અપાયેલ વહીવટી મંજૂરી

રાજકોટ,
જીલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, રાજકોટ(વાસ્મોસ)ની રાજકોટ જિલ્લાઅ કલેકટર
ડો. રાજેન્‍દ્રકુમારની અધ્યિક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં
રાજકોટ જિલ્લા‍ના અગિયાર ગામોની લોક વ્ય વસ્થાલપિત પાણી પુરવઠા યોજનાઓને
વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જયારે ચાર ગામોની રીવાઇઝડ પાણી પુરવઠા
યોજનાઓને પણ આ બેઠકમાં વહીવટી મંજૂરી અપાઇ હતી.
આ બેઠકમાં રાજકોટ તાલુકાના સાતડા ગામની રૂ.૧૧,૭૭,૮૦૦ની રકમની, ઢાંઢણી
ગામની રૂ.૧૨,૯૪,૦૦૦ની રકમની, ડુંગરપુર ગામની રૂ.૫,૯૦,૦૦૦ની રકમની અને
બારવણ ગામની રૂ.૧૪,૭૭,૮૦૦ની રકમની સ્વ,જલધારા પાણી પુરવઠા યોજનાને વહિવટી
મંજૂરી અપાઇ હતી જયારે મોરબી તાલુકાના લાલપર ગામની રૂ.૧૪,૯૫,૮૦૦ની રકમની
અને લખધીરપુર ગામની રૂ.૬,૭૪,૬૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને, માળીયા
તાલુકાના રાસંગપર ગામની રૂ.૧,૨૧,૬૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને, ટંકારા
તાલુકાના બેડી ગામની રૂ.૧૪,૯૭,૮૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને, ગોંડલ
તાલુકાના નાના સખપર ગામની રૂ.૧૩,૭૫,૭૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને,
ઉપલેટા તાલુકાના પડવલા ગામની રૂ.૧૪,૫૪,૮૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને
અને જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામની રૂ.૧,૦૦,૧૪,૧૩૦ની રકમની પાણી પુરવઠા
યોજનાને વહીવટી મંજૂરી અપાઇ હતી. આ કામો પૂર્ણ થતાં કૂલ ૩૧૬૧૫ ની
વસ્તીરને પીવાનું પર્યાપ્ત પાણી મળી શકશે. આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી
નોંધને બહાલી આપવામાં આવી હતી. ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની
રૂ.૧૩,૧૮,૬૦૦ રીવાઇઝડ કિંમતની, મોરબી તાલુકાના જસમતગઢ ગામની રૂ.૪,૨૧,૦૦૦
રીવાઇઝડ કિંમતની, અને પડધરી તાલુકાના સાલપીપળીયા ગામની રૂ.૫,૪૨,૨૯૦
રીવાઇઝડ કિંમતની અને કેરાળા ગામની રૂ. ૧૬,૮૭,૦૮૦ રીવાઇઝડ કિંમતની રીવાઇઝડ
પાણી પુરવઠા યોજનાઓને પણ આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.
બેઠકમાં વાસ્મોના કાર્યપાલક ઇજનેરશ્રી પી.એમ.ઠાકર, નિવૃત્તા રેન્જમ
ફોરેસ્ટન ઓફિસરશ્રી રાજપરા, યુનિટ મેનેજર શ્રી સી.એમ.વરસાણી, વાસ્મોંના
આસીસ્ટ ન્ટળ કો-ઓર્ડીનેટર્સ, તથા અન્યર સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત
રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીનો જુલાઇ-૨૦૧૨ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ

રાજકોટ
મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય તરફથી લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા
કક્ષાએ દર માસના ચોથા ગુરૂવારે "ફરિયાદ નિવારણ કાર્યક્રમ" યોજવામાં આવે
છે. જે મુજબ જુલાઇ-૨૦૧૨ માસનો "ફરિયાદ નિવારણ કાર્યક્રમ"
તા.૨૬-૦૭-૨૦૧૨નાં રોજ યોજાશે, જેમાં જિલ્લા કક્ષાનાં પ્રશ્નો- ફરિયાદો
તા. ૧૦-૦૭ -૨૦૧૨ સુધીમાં સબંધિત ખાતા- વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં
જે તે વડાને પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે. અરજીમાં
મથાળે " ફરિયાદ નિવારણ કાર્યક્રમ'' લખવાનું રહેશે. જયારે તાલુકા કક્ષાનો
ફરિયાદ નિવારણ કાર્યક્રમ જે-તે તાલુકામથકે તા.૨૫.૦૭.૨૦૧૨ના રોજ ૧૧.૦૦
કલાકે મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવશે. જેથી તાલુકા કક્ષાના પ્રશ્નોે
તાલુકા કક્ષાએ પહોંચતા કરવાના રહેશે. ગ્રામ સ્વાલગતમાં ગ્રામજનોએ પોતાના
પડતર પ્રશ્નોત/રજૂઆત અંગેની અરજી ''મારી અરજી તાલુકા સ્વાકગતમાં લેવી''
તેવા મથાળા હેઠળ સંબંધિત ગામના તલાટી/મંત્રીશ્રીને સંબોધીને
તા.૧૦.૦૭.૨૦૧૨ સુધીમાં આપવાની રહેશે. ગ્રામ સ્વાાગત કાર્યક્રમમાં
તા.૧૦.૦૭.૨૦૧૨ સુધીની અરજીઓ તા.૨૫.૦૭.૨૦૧૨ના તાલુકા સ્વાસગત કાર્યક્રમમાં
સમાવવાની રહેશે. તા.૧૦.૦૭.૨૦૧૨ પછી મળેલ અરજીઓ બીજા મહિનાના તાલુકા સ્વા
ગત કાર્યક્રમમાં લેવાની રહેશે.
મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો રાજકોટ જિલ્લા પુરતા જિલ્લા કલેકટર કચેરી,
રાજકોટ ખાતે તારીખ તા.૧૦-૦૭-૨૦૧૨ સુધીમાં રજુ કરવાનાં રહેશે. ત્યા ર બાદ
આવેલા પ્રશ્નો કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી. અન્ય ખાતાના
પ્રશ્નો હોય તો તે પ્રશ્નો જે તે ખાતાને જ મુદત હરોળ રજુ કરવા ખાસ નોંધ
લેવી. જયારે (૧) મહેસુલી તંત્ર (ર) જિલ્લા પંચાયત (૩) પોલીસ વિભાગ (૪)
ગુજરાત વિઘુત બોર્ડ (પ) એસ.ટી. (૬) પાણી પુરવઠા બોર્ડનાં પ્રશ્નો જિલ્લા
કલેકટર કચેરી, રાજકોટ ખાતે તારીખ ૨૬-૦૭-૨૦૧૨નાં રોજ સવારનાં ૧૧.૦૦ કલાકે
કચેરીનાં સભાખંડમાં સંબંધિત ખાતાનાં અધિકારી અને કલેકટરશ્રી સાંભળશે. આ
સિવાયના અન્ય ખાતાના પ્રશ્નોની ચર્ચા કલેકટર કચેરી ખાતે થશે નહી. આ
સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની
કચેરીમાં તે જ દિવસે ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા અધિકારીઓ
પ્રશ્નોનો નિકાલ કરશે. આ તારીખ વિત્યા પછીની કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ
રજૂઆતવાળી, એક કરતા વધુ શાખાનાં પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી,
નામ સરનામા વગરની કે વ્યકિતગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન
હોય તેવી તથા કોર્ટમેટર આંતરિક તકરાર સેવાને લગતી અરજી પર કોઇ કાર્યવાહી
થઇ શકશે નહી જેની અરજદારોએ ખાસ નોંધ લેવી તેમ અધિક કલેકટરશ્રી, રાજકોટ
દ્વારા જણાવાયું છે.

રાજય સરકારે જયોતિગ્રામ યોજના થકી ર૪ કલાક વીજળી આપી ગામડાના વિકાસના દ્વાર ખોલી નાખ્યાગ છે મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા જસદણના જીવાપર ખાતે ૬૬ કે.વી. વિજ સબ સ્ટેવશન અને રૂ. ૩૫/-લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક શાળાના ભવનનું લોકાર્પણ કરતા ગ્રામ વિકાસ મંત્ર

રાજકોટ
ગુજરાતના ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ આજે રાજકોટ
જિલ્લાૃના જસદણ તાલુકાના જીવાપર ગામે ત્રિવિધ કાર્યક્રમોની શ્રૃંખલામાં
અહીં ગુજરાત એનર્જી ટ્રાન્સકમીશન કોર્પો. દ્વારા સ્થા્પિત ૬૬ કે.વી. વિજ
સબ સ્ટેલશનનું લોકાર્પણ કર્યુ હતું અને બાદમાં આજે ગુરુપૂર્ણિમાના
શુભદિને ગામમાં રૂ. ૩૫/ લાખના ખર્ચે પૂનઃ નિર્મિત થયેલ પ્રાથમિક શાળાના
ભવનનું લોકાર્પણ વિશાળ સંખ્યાામાં ગ્રામજનો અને તાલુકાના અગ્રણીઓની
ઉપસ્થિિતિમાં કર્યુ હતુ. આ ઉપરાંત અહિં જળસ્ત્રા વ વીકાસ યોજના અંતર્ગત
ગ્રામજનોને પાણીની સુવિધા પુરી પાડવા ગામમાં બંધાયેલ પાણીના ટાંકાનું
લોકાર્પણ મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ કર્યુ હતું. આવા ત્રિવિધ પ્રસંગે
ગામમાં ભારે ઉત્સાંહનું વાતાવરણ પ્રવર્તતુ હતું.
મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ ૬૬ કે.વી. વિજ સબ સ્ટે્શનનું લોકાર્પણ
કરતા જણાવ્યુા હતુ કે ભૂતકાળમાં ગામડાના લોકો અંધારે વાળુ કરતા હતા અને
વિજળીની સુવિધા માટે તેઓની વર્ષો સુધીની પ્રતિક્ષા પછી મુખ્યનમંત્રીશ્રી
નરેન્દ્ર ભાઇ મોદીએ જયોતિગ્રામ યોજના હેઠળ ગામડાને ર૪ કલાક વીજળી આપવાનું
અભિયાન ઉપાડી માત્ર ૧૦૦૦ દિવસમાં રાજયના તમામ ૧૮ હજાર ગામડાઓમાં ર૪ કલાક
વીજળી પુરી પાડી ગામડાના અંધારા ઉલેચી તેના વિકાસના દ્વાર ખોલી નાખ્યાો
છે. જીવાપર ગામમાં નવનિર્મિત શાળાના લોકાર્પણને આજના ગુરુપુર્ણિમાના
મંગલ-દિને સાર્થક ગણાવી બાળકોને ભણાવવા તેમજ કોઇપણ સંજોગોમાં દિકરીને
ભણાવવાની સાથોસાથ દિકરા-દિકરીને સમાન ગણી તેઓને સમાન તકો આપવા વાલીઓને
અનુરોધ કર્યો હતો. સ્ત્રીલભૃણ હત્યાગ થાય નહિ તે માટે પ્રતિબધ્ધર બનવા
અનુરોધ કર્યો હતો.
જસદણના ધારાસભ્યોશ્રી ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્યુય હતુ કે ભૂતકાળમાં જસદણ
તાલુકાનાં ખેડુતો લો-વોલ્ટે જની સમસ્યાયઓથી ખૂબજ મુશ્કેઇલી અનુભવતા હતા
તેમાંથી આ રાજય સરકારની જહેમતથી છુટકારો મળ્યો છે. ભૂતકાળમાં ૪૦ વર્ષમાં
આ વિસ્તા રમાં માત્ર ૬૬ કે.વી.ના ૪ સબસ્ટેેશનો હતા જે આજે વધીને ૬ વિજ
સબસ્ટેાશનો થયા છે. આથી હવે ખેડુતોને પુરતા દબાણથી વીજળી મળે છે અને
ખેડુતોને ભુતકાળની જેમ આંદોલન કરવા પડતા નથી. ગુજરાત સરકારે જસદણ તાલુકા
વિસ્તાીરમાં કૂલ ૪૦૦ કરોડના વિકાસ કામો મંજુર કર્યા છે. જે પ્રગતિમાં છે
અને કેટલાક પૂર્ણ થયા છે. જિલ્લા૦ પંચાયત સહિતની યોજનાઓ હેઠળ કૂલ રૂ.
૧૭૦/ કરોડ વિકાસ કામો માટે ફાળવાયેલ છે. તેમણે ગામની નવનિર્મિત શાળાના
ભવ્યત ભવનના સદકાર્યને બિરદાવી આ ગામના આગેવાન અને જિલ્લાક પંચાયત
સદસ્યેશ્રી ભીખાભાઇ રોકડ તેમજ ગામની ટીમને બીરદાવ્યાવ હતા. ગામની આ
નવનિર્મિત શાળાના વિદ્યાર્થીઓને રમતગમત પ્રવૃતિ માટે રૂ. ૧/ લાખના સાધનો
આપવાની જાહેરાત તેમના તરફથી થઇ હતી.
આ પ્રસંગે જિલ્લાે પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેગી તેમજ ઉપપ્રમુખશ્રી
પ્રવિણભાઇ કીયાડાએ પ્રાસંગિક ઉદબોધન કરી શાળાના નવીનીકરણ અને શૈક્ષણિક
પ્રગતિ બદલ ગામ આગેવાનોને બિરદાવ્યા હતા. જિલ્લાવ પંચાયત કારોબારી
સમિતિના ચેરમેનશ્રી નાગદાનભાઇ ચાવડાએ જણાવ્યું હતુ કે રાજકોટ જિલ્લાત
પંચાયતે પારદર્શક વહિવટ પધ્ધતતિથી વિકાસ કામોને વેગ આપ્યો્ છે. જીવાપરની
આ શાળામાં ખાનગી શાળામાં ન હોય તેવી સુવિધા ઉભી કરી તે બદલ ગામના
આગવાનોને બિરદાવ્યા‍ હતા. જિલ્લાા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાિયે
પ્રાસંગિક ઉદબોધનમાં શાળામાં બાળકોને દાખલ કરવા ઉપરાંત શાળાનું શૈક્ષણિક
મુલ્યાં કન ઉત્તરોતર ઉચું આવે તથા બાળકની કારકીર્દી ખીલે તે ઉપર ભાર
મુકયો હતો. શ્રી દેવસીભાઇ ટાઢાણી પણ આ પ્રસંગે ઉપસ્થિઆત રહ્યા હતા. આ
પ્રસંગે ગામના આગેવાન અને જિલ્લાહ પંચાયત સદસ્યમશ્રી ભીખાભાઇ રોકડનું
મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાના હસ્તેગ ઉત્કૃાષ્ઠચ ગ્રામ-સેવા બદલ
સન્માનન કરાયું હતું. ગામના સરપંચશ્રી રેખાબેન બોદરનું પણ સન્મારન
તાડીઓના ગડગડાટ વચે મહાનુભાવોના હસ્તેઠ કરાયું હતું. જયારે પ્રાથમિક
શિક્ષક સંધના પ્રમુખશ્રી રતુભાઇ ચાવડાનું પણ સન્માગન કરાયું હતું.
સ્વાાગત પ્રવચન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યાક્ષા શ્રીમતિ મધુબેન
હીરપરાએ કર્યુ હતું. આભારદર્શન જિલ્લા પ્રા.શિ.અધિકારીશ્રી ચેતનાબેન
વ્યા સે કર્યુ હતું.
રાજકોટ જિલ્લા્ પંચાયતની વિવિધ સમિતિઓના અધ્યાક્ષશ્રીઓ તેમજ જિલ્લાા
પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યલશ્રીઓ તેમજ જસદણ શહેર અને તાલુકાના
આગવાનો અને જીવાપરના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિરત રહ્યા હતા. મોટી
સંખ્યાનમાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિંત રહ્યા હતા.
આ પ્રસંગે જેટકોના અધિક્ષક ઇજનેરશ્રી એ.આર.શાહ તેમજ નાયબ જિલ્લાર વિકાસ
અધિકારીશ્રીઓ શ્રી રાજપરા તથા શ્રી ધાનાણી તેમજ તાલુકાના અધિકારીશ્રીઓ
ઉપસ્થિ્ત રહ્યા હતા.

રેસકોર્ષ ગ્રાઉન્ડ માં તા. ૮મી ઓગસ્ટી થી તા. ૧૨મી ઓગસ્ટર સુધી સાંસ્કૃેતિક લોકમેળાનું આયોજન જિલ્લા્ કલેકટર ડો. રાજેન્દ્રગકુમારનાં અધ્ય ક્ષસ્થા૧ને મળેલી બેઠક

રેસકોર્ષ ગ્રાઉન્ડ માં તા. ૮મી ઓગસ્ટી થી તા. ૧૨મી ઓગસ્ટર સુધી
સાંસ્કૃેતિક લોકમેળાનું આયોજન
જિલ્લા્ કલેકટર ડો. રાજેન્દ્રગકુમારનાં અધ્ય ક્ષસ્થા૧ને મળેલી બેઠક

રાજકોટ
રાજકોટ જિલ્લાા વહીવટીતંત્ર દ્વારા દર વર્ષે જન્માુષ્ટતમીના તહેવારોને
અનુલક્ષીને યોજાતા સાંસ્કૃકતિક લોકમેળાનું ચાલુ વર્ષે રેસકોર્સ મેદાનમાં
તા. ૮મી ઓગસ્ટટ થી તા. ૧૨મી ઓગસ્ટ એમ કૂલ પાંચ દિવસ માટે આયોજન થયું છે.
જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રતકુમારના અધ્ય ક્ષસ્થાગને લોકમેળાના સુંદર
અને વ્યઆવસ્થિ્ત આયોજન માટે ચર્ચા-વિચારણા કરવા આજ-રોજ એક બેઠક મળી હતી.
જિલ્લામ કલેકટરશ્રીએ સાંસ્કૃવતિક લોકમેળાનું આયોજન કરવા માટે રચાયેલી
જુદી જુદી ૧૩ (તેર) સમિતિઓના અધ્યલક્ષશ્રીઓ અને સહઅધ્યકક્ષશ્રીઓની મળેલી
બેઠકમાં કાયદો વ્યાવસ્થા , ટ્રાફીક અને પાર્કીગ, યાંત્રિક રાઇડ ચકાસણી,
પાણી પૂરવઠો, સફાઇ, આરોગ્યક, વીજળી તથા ડ્રો-હરરાજી, ઉદધાટન કાર્યક્રમ
અને સાસ્કૃષતિક કાર્યક્રમો વગેરે આનુષિગીક બાબતોની કામગીરીનું સુનિશ્ચિ ત
આયોજન કરવા દરેક વિભાગ અને ખાતાએ પોતે શરૂ કરેલી કામગીરીની વિગતો સાથે
આગામી યોજાનારી રીવ્યુ બેઠકમાં વિગતો સાથે ઉપસ્થિતત રહેવા જણાવ્યુૂ
હતું.
બેઠકની શરૂઆતમાં નાયબ કલેકટરશ્રી રાજેન્દ્રી ગઢવીએ સૌને આવકારી બેઠકની
રૂપરેખા સમજાવી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી આર.એમ.પંડયા, જિલ્લાા પુરવઠા અધિકારીશ્રી
એમ.કે.ડામોર,જિલ્લાર શિક્ષણાધિકારીશ્રી જે.કે.વીછીયા, માર્ગ અને મકાન
વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી એમ.પી.ત્રિવેદી, જિલ્લાિ આયોજન અધિકારીશ્રી
પી.આર.શાહ વગેરે અધિકારીશ્રીઓ ઉપસ્થિ ત રહ્યા હતા.

"કંટાળાનું મનોવિજ્ઞાન -PSYCHOLOGY OF BOREDOM" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "કંટાળાનું મનોવિજ્ઞાન -PSYCHOLOGY OF BOREDOM" on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by i.j.saiyad.:
કંટાળાનું મનોવિજ્ઞાન ( psychology of Boredom )


કંટાળો આવવો કે BOREDOM એ આજના યુગની સર્વને સ્પર્શતી સમસ્યા બનતી જાય
છે .આજે આપણે એવા યુ...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A145470&xgs=1&xg_source=msg_share_post

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

કોઈ આકાશને ધ્રુસકે ધ્રુસકે રડાવો

કોઈ આકાશને ધ્રુસકે ધ્રુસકે રડાવો

વરિષ્ઠ અને તેમ છતાં પ્રમાણિક પત્રકાર અને ઉંચા દરજ્જાના લેખક-કવિ અનિલ
દેવપુરકરે આકાશને 'રડાવવા' એક લેખ લખ્યો..જે ફેસબુકના માધ્યમથી વાચકો
વચ્ચે ફરતો થયો. શબ્દેશબ્દ પર ગૌર ફરમાવવા જેવું છે. કારણ આવા
સાહિત્યસભર લેખ હવે જવલ્લે જ વાંચવા મળે છે. પ્રિન્ટ મીડિયા જે ગુમાવે છે
એ સોશિયલ મીડિયા મેળવી શકે છે એ સારી નિશાની છે. અનિલ દેવપુરકરના લેખનું
શિર્ષક છે : કોઈ આકાશને ધ્રુસકે ધ્રુસકે રડાવો..
મંગળવારે સવારથી વડોદરાના આકાશમાં છવાયેલા વરસાદી વાદળો સુધી આ શબ્દો
પહોંચ્યા હોત તો જાતે જ રડી પડ્યા હોત !!!
ખેડાઈને નિષ્પ્રાણ પડેલાં ખેતરો, આકાશમાંથી લૂ વરસાવતી ગરમી,ધુળના ઢગ
ઊડાડતાં ઉષ્ણ પવનની થપાટો અને વવાઈને ભરચક ડૂંડા થવાનું શમણું આંખોમાં
આંજીને પ્લાસ્ટીકની થેલીઓમાં ગૂંગળાઈ રહેલાં બિયારણો….
આકાશની છાતી ફાડીને અનંત વાદળોની ફોજે જ્યારે ધરતી પર મુશળધાર વરસાદરુપે
તૂટી પડવાનું હોય ત્યારે અષાઢના આ દિવસોમાં પણ આ સ્થિતી છે. જગતના તાતથી
માંડી તાજા જન્મેલાં નવજાત સુધીના તમામ જ્યારે ભીની માટીની સુગંઘ માણવા
ટળવળી રહ્યાં છે ત્યારે આકાશ આખું વિધવાની સેંથી જેવુ કોરુ ધાક્કોડ છે….
કાનના પડદા ફાટી જાય એવા વાદળોના ગડગડાટ અને ક્ષણ માટે પણઆંખો અંજાઈ જાય
એવા વીજળીના ચમકારાઓની જુગલબંધીની મોસમમાં રિસાઈને બેઠેલી ઋતુએ મેઘમલ્હાર
ગાવાનું માંડવાળ કર્યું છે…
વિકાસની આંધળી દોટે સર્જલી પર્યાવરણીય સમસ્યાનું આ તો હજી ટ્રેલર
છે.સુખસગવડોનાં સાધનોની સહજ અને સસ્તી ઉપલબ્ધીથી માનવીય જીવનનાં કષ્ટોમાં
કદાચ કપાત આવશે પરંતુ,સમૃધ્ધિના શિખરો પર બેસીને પણ કુદરતી મહેરબાની જેવા
વરસાદ માટે લાચારીથી જોયા કરવાનું તો માનવીના લલાટે લખાયેલું રહેશે.
વિકાસના સિક્કાની આ બીજી બાજુ છે.
ઋતુચક્ર ખોટકાઈ જાય અને કુદરતી સમતોલપણું ખોરવાઈ જાય એવી અનેક પ્રવ્રુતિઓ
કરીને આપણે સરજેલી આ સ્થિતીનીકિંમત આપણે જ ચૂકવી રહ્યા છીએ- અને આપણને એ
પરવડે એવી નથી એ એટલું જ સત્ય છે.
ઉષ્ણતામાનમાં વધારાથી બરફીલા પહાડો ઓગળી રહ્યા છે.રાસાયણિક ખાતરોના અણઘડ
અને અમાપઉપયોગને લીધે ધરતી એનું સત્વ ખોઈ રહી છે.રાસાયણિક પ્રક્રિયાના
ભાગરુપે વાતાવરણમાં ભળી રહેલાં ઝેરી વાયુઓએ કુદરતી શુધ્ધ વાયુઓને પણ
અભડાવી મુક્યાં છે.ગંદકી અને દૂષિત પાણીના નિકાલ કરીને કુદરતી
જળસ્ત્રોતોને પણ ગૂંગળાવી માર્યા છે અને ઈંધણરુપીઅ અગ્નિના ઉપયોગનો
અતિરેક કરી નાંખ્યો છે. પંચતત્વનાં ચાર-ચાર તત્વોનાં મુળમાં જ જ્યારે
કૂઠારાઘાત થયાં હોય ત્યારે પાંચમુ આકાશતત્વ વિલાપ ન કરે તો શું કર? અને
આકાશ જ્યારે વિલાપ કરે છે ત્યારે એની આંખના આંસુ સુકાઈ જાય છે.આકાશ
જ્યારે સુખ અનુભવે છે-આનંદિત થાય છે-હસે છે ત્યારે એની આંખોથી મુશળધાર
વરસાદ તૂટી પડે છે.
આવો આપણે આકાશને ધ્રુસકે ધ્રુસકે રડાવીએ.
-અનિલ દેવપુરકર.

- ઇન્દીરા ગાંધીએ ૧૪ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીને ગરીબ અને શ્રમજીવી વર્ગને બેંકમાં પ્રવેશવાનો અધિકાર આપ્યો હતો. - આ પગલાના કારણે બીજા દેશોની સરખામણીમાં ભારત દેશ મંદીના મારથી બાહર નીકળી શક્યો છે. - બેંકીંગ સેલ દ્વારા વિદ્યાર્થીઓને લોન લેવા માટેની જાણકાર

kashyap joshi jetpur

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812



NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

સોમવાર, 2 જુલાઈ, 2012

"શે'ર સાથે ''સાથે સતસંગ ''-૧૩ " on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "શે'ર સાથે ''સાથે સતસંગ ''-૧૩ " on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by i.j.saiyad.:

શે'ર સાથે ''સતસંગ ''-૧૩

'વાંસલડી ડૉટ કૉમ,મોરપિચ્છ ડૉટ કૉમ ,ડૉટ કૉમ વૃંદાવન આખું કાનની વેબસાઈટ
એટલી વિશાળ છે કે ક્યાં ક્યાં નામ એમાં રાખુ...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A145512&xgs=1&xg_source=msg_share_post

વાહ જનાબ વાહ

વાહ જનાબ વાહ

આખી જીન્દગી હું વારંવાર એક પાપ કરતો રહ્યો,ધૂળ મારા પર હતી ને હું
અરીસો સાફ કરતો રહ્યો.
કેવી અજીબ વાત બની ગઈ જીવનમાં મારી સાથે,ભૂલ મારી હતીને એ દોસ્ત હું તને
માફ કરતો રહ્યો.
ન્યાય દેવાવાળો મારી ઉપર બેઠો છે એ ભૂલીને,હું ન્યાયાલય ખોલીને બધાનો
ઇન્સાફ કરતો રહ્યો.
જે મારી વિરુદ્ધ હતા એમને મનાવવાના પ્રયત્નોમાં,જે મારી સાથે હતા એમને
મારી ખિલાફ કરતો રહ્યો.
ખુદ મારા વિષે તો રતીભારનુય જાણતો નહોતો,ને ખુદાના અસ્તિત્વ વિષે
વાદવિવાદ કરતો રહ્યો.
જીવન આખું
કેવળ હવામાં કિલ્લાઓજ બાંધ્યા,ને જે આંખ સામે હતું એ બધું બરબાદ કરતો રહ્યો.
ખુદ મનેજ સમજવામાં હું જબરી થાપ ખાઈ ગયો,ત્યાગના બહાને વરસોના વરસો
પ્રમાદ કરતો રહ્યો.
વર્તમાનમાં શું થઇ રહ્યું છે એનું ધ્યાન ના રહ્યું,ભવિષ્યમાં શું થશે એ
વિષે બહુ સંતાપ કરતો રહ્યો.
બીજાઓને પણ કૈક કહેવું છે એ સમજ્યા વગર,ખુદની સાથેજ આખુ જીવન વાર્તાલાપ
કરતો રહ્યો.
મારી કવિતાઓ ખુદ મનેજ કહી સંભળાવીને,હું ખુશ થઈને વાહ જનાબ, વાહ જનાબ
કરતો રહ્યો....

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

"જીંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ,,-unknown" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "જીંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ,,-unknown" on
GUJARATI-ગુજરાતી

Blog post added by jitendra:
નવસારીના પૂર્વપટ્ટી વિસ્તારના એક ગામમાં રહેતા કેવીનના
પરિવારમાં સ્વત્રન્ત્યસેનાની પિતા ઉપરાંત માતા તથા ભાઈ કિરણને
બહે...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A145342&xgs=1&xg_source=msg_share_post

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
તમારું લક્ષ્ય શું છે ? ઇષ્ટ શું છે ?

Posted: 01 Jul 2012 08:42 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/RlDxtFx0Fug/?utm_source=feedburner&utm_medium=email

દેવવાદનો મર્મ સમજો અને બોધ ગ્રહણ કરો. ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ,
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
તમારું લક્ષ્ય શું છે ? ઇષ્ટ શું છે ? તમારા ઇષ્ટદેવ કોણ છે ? મારા ઇષ્ટદેવ તો
હનુમાનજી છે. આનો શો મતલબ છે ? આનો મતલબ એ છે કે મારું લક્ષ્ય [...]

રવિવાર, 1 જુલાઈ, 2012

Narendra Modi blogs on making a difference through social media

Narendra Modi blogs on making a difference through social media

Social media has emerged as a great channel to bring about a
difference. It has lent voice to the common man and people from all
over the world are using it as a platform to do something constructive
for society and the nation.
Narendra Modi blogs on making a difference using social media. Fine
words from the King of Social Media.
Its not only Narendra Modi but also brands from Gujarat that are fast
becoming a hit on social media.
Gujarat Government's land policy has received kudos far and wide
despite that anti-Gujarat elements periodically raise malafide stories
with an aim to stall the development journey of Gujarat.
Now, the Gujarat HC rejects these charges. This brilliant essay charts
out the legal points and how the Honorable Courts upheld the land
allotment policy.
Gujarat is a land of opportunity. The brilliant people, stellar
infrastructure, absence of labour problems make it a dream destination
for investors.
Japanese companies lining up to invest in vibrant land of Gujarat.
Education is all about innovation and giving as much opportunities to
our children.
A Maritime University to come up in Gandhidham. This will truly
expand horizons for our students.

શનિવાર, 30 જૂન, 2012

અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓએ અરજી કરવી સાહસિક પગપાળા વન વિસ્તાધર પરિભ્રમણ કાર્યક્રમ

અમરેલી
યુવક સેવા અને સાંસ્કૃતતિક પ્રવૃતિના ઉપક્રમે સાહસિક પગપાળા વન વિસ્તા ર
પરિભ્રમણ ઓગષ્ટી-૨૦૧૨ દરમ્યાેન દાહોદ જિલ્લાકના જંગલોમાં ૧૦ દિવસનો
કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ગુજરાતના રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય
મર્યાદા (તા.૩૦/૦૬/૨૦૧૨ના રોજ)હોય અને ભાગ લેવા ઈચ્છુ ક યુવક–યુવતિઓએ
પુરૂં નામ, સરનામું, જન્મ તારીખ (પુરાવા સાથે), શૈક્ષણિક લાયકાત,
વ્યકવસાય, એન.સી.સી./પર્વતારોહણ, રમતગમત સ્પ્ર્ધામાં ભાગ લીધેલ હોય તો
તેની વિગત, શારિરીક તંદુરસ્તીથ અંગેનું દાકતરી પ્રમાણપત્ર, જાતિ અંગેના
દાખલાની નકલ, અગાઉ આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની વિગતો,
વાલીનો સમંતિપત્રક, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સાથે
તા.૨૫-૦૭-૨૦૧૨ સુધીમાં લેખિત અરજી જિલ્લાવ રમત ગમત અધિકારીશ્રીની કચેરી,
બહુમાળી ભવન, જિલ્લાી સેવા સદન, ભાગ-૨, પ્રથમ માળે, રૂમ નં.-૩૫ ગોધરા જિ.
પંચમહાલને મોકલી આપવા કમિશ્ન ર, યુવક સેવા અને સાંસ્કૃ તિક પ્રવૃતિ
ગાંધીનગર અને જિલ્લાજ રમતગમત અધિકારીશ્રી-અમરેલીની સંયુક્ત યાદીમાં
જણાવાયું છે.

સામાન્યિ જાતિના ૮ થી ૧૩ વર્ષ વયમર્યાદા ધરાવતા બાળકો ભાગ લઇ શકશે
ડાંગ જિલ્લાકમાં યોજાનાર એડવેન્ચીર કોર્સ
અમરેલી
યુવક સેવા અને સાંસ્કૃ ત્તિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર દ્વારા ડાંગ
જિલ્લાૃમાં ૭ દિવસીય એડવેન્ચાર કોર્સ નું આયોજન કરવામાં આવ્યુક છે.
આ માટે રાજ્યના સામાન્યછ જાતિના ૮ થી ૧૩ વર્ષ વયમર્યાદા (તા.૩૦/૦૬/૨૦૧૨ના
રોજ) ધરાવતા ૧૦૦ બાળકો ભાગ લઇ શકશે. અરજી સાથે (૧) પુરૂ નામ, (૨) સરનામુ
(ફોન નંબર સાથે), (૩) જન્મબતારીખ, (૪) શૈક્ષણિક લાયકાત, (૫) રમતગમત
સ્પનર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, (૬) શારીરિક તંદુરસ્તીન ધરાવતાં
હોવાનું ડોક્ટરી પ્રમાણપત્ર, (૭) વાલીનો સંમતિપત્ર, (૮) તાજેતરના
પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી તા.૨૫/૦૭/૨૦૧૨ સુધીમાં જિલ્લા
રમતગમત અધિકારીશ્રી, આશ્રમ રોડ, ડાંગ ક્લબ, આહવા જિ. ડાંગને મોકલી આપવાની
રહેશે. અધૂરી વિગતવાળી અરજી ધ્યાીને લેવાશે નહી. પસંદગી પામેલ
શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે, તેમ યુવક સેવા અને
સાંસ્કૃિત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગર તથા જિલ્લાર રમતગમત
અધિકારીશ્રી-અમરેલીની સંયુક્ત યાદીમાં જણાવાયુ છે.

કોઇપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર ચિંતિત છે
-કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી

અમરેલી શહેરની ૧૩ પ્રાથમિક શાળામાં ૧૪૬ કુમાર અને ૨૦૪ કન્યાેઓ સહિત ૩૫૦
બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યોઇ

અમરેલી
પટેલ વાડી-હિરામોતી ચોક-અમરેલી ખાતે શહેરી વિસ્તારરના શાળા
પ્રવેશોત્સાવમાં દીપ પ્રાગ્ટય કરી અમરેલી શહેરની ૧૩ પ્રાથમિક શાળાના ૧૪૬
કુમાર અને ૨૦૪ કન્યાાઓ સહિત ૩૫૦ બાળકોને પ્રવેશ આપતા કૃષિમંત્રીશ્રી
દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યુે હતુ કે, શાળા પ્રવેશની ઉંમરે કોઇપણ બાળક શાળા
પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર ચિંતિત છે.
મંત્રીશ્રીએ ઉર્મયુ હતુ કે, સરકાર તરફથી વિદ્યાર્થીઓને શાળામાં ભોજન,
પાઠ્યપુસ્તળક, ગણવેશ અને સાયકલ જેવી સુવિધા આપવામાં આવે છે તેમજ
શિક્ષકોને અપીલ કરતા મંત્રીશ્રી સંઘાણીએ કહ્યુ હતુ કે, સમાજમાં શિક્ષણ
માટે જાગૃત્તિ આવે અને વિદ્યાર્થીઓને વધુ સારુ શિક્ષણ મળી રહે તેવા
પ્રયાસો કરવાની આવશ્યકતા છે.
મંત્રીશ્રીએ જણાવ્યુિ હતુ કે, વિકાસના પાયામાં શિક્ષણનું મહત્વય છે
ત્યાતરે ગુજરાતના વિકાસની ધરોહરને વધુ મજબૂત બનાવવા બાળકોને શૈક્ષણિક
રીતે વધુ આગળ કરવા આવશ્યક રહે છે. આથી મુખ્યેમંત્રીશ્રી નરેન્દ્રભાઇ
મોદીના શાસન હેઠળની સરકાર છેવાડાના વિસ્તાકરમાં પણ શિક્ષણનું સ્તાર ઉંચુ
આવે તે માટે પ્રયત્નરશીલ છે.
શાબ્દિનક સ્વા ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-વ- માર્કેટ યાર્ડ ચેરમન શ્રી
પી.પી. સોજીત્રાએ તથા પ્રાસંગિક પ્રવચન જિલ્લાિ વિકાસ અધિકારી શ્રી
આલોકકુમાર પાંડેએ કર્યુ હતુ.

સ્કોમપ અંતર્ગત પાર્ટ ટાઇમ અંગ્રેજી તાલીમ વર્ગ યોજાશે

યુવાનોનું અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વં વધે તે માટે રોજગાર કચેરી દ્વારા
સ્કોેપ અંતર્ગત પાર્ટ ટાઇમ અંગ્રેજી તાલીમ વર્ગ યોજાશે. એસસી, એસટી,
બીપીએલ તથા મહિલા ઉમેદવારોને રૂ.૧૫૦૦ અને બક્ષી પંચ તથા જનરલ ઉમેદવારોને
રૂ.૧૦૦૦ સ્ટા,ઇપેન્ડ, આપવામાં આવશે.
રોજગાર કચેરીમાં નામ નોંધાવેલ ધો. ૧૦ પાસથી સ્નાાતક સુધીના ઉમેદવારો
અંગ્રેજી તાલીમ વર્ગના ફોર્મ મેળવીને અરજી કરી શકશે. તેમ રોજગાર
કચેરી(આઇટીઆઇ કેમ્પનસ, બસ સ્ટેાશન સામે), જામનગરની યાદીમાં જણાવાયુ છે.

શિક્ષણ વ્ય કિતના જીવનને ઉજાળે છે નાણાં મંત્રીશ્રી વજુભાઇ વાળા

વઢવાણ શહેરની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવતાં નાણાં મંત્રીશ્રી
સુરેન્દ્રરનગર,
સમગ્ર રાજયમાં યોજાયેલા શહેરી વિસ્તાોરના શાળા પ્રવેશોત્સણવ કાર્યક્રમના
અંતિમ દિવસે આજરોજ સુરેન્દ્રયનગર જિલ્લાવના પ્રભારી મંત્રીશ્રી અને
ગુજરાતના નાણાં મંત્રીશ્રી વજુભાઇ વાળાએ વઢવાણ શહેરની વિવિધ શાળાઓમાં
જઇને પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કિટ્સ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્યુંક હતું કે, બાળક શાળામાં
પ્રવેશ મેળવે તેનાથી મોટો કોઇ ઉત્સગવ નથી. રાજય સરકારે આ ઉત્સજવ સાથે
લોકોને જોડીને રાજયમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે શાળા પ્રવેશોત્સમવ
રૂપી યજ્ઞ છેલ્લાણ કેટલાય વર્ષોથી આરંભ્યોય છે.
તેમણે વધુમાં જણાવ્યુંપ હતું કે, શિક્ષણ વ્ય્કિતના જીવનને ઉજાળે છે,
ગુજરાતના પ્રત્યેસક સમાજના દિકરા-દિકરી ભણે, સુ-સંસ્કાેરીત શિક્ષણ મેળવે
તે માટે રાજય સરકાર કાર્ય કરી રહી છે, ત્યા રે વાલીઓએ પણ તેમને
દિકરા-દિકરીઓને અભણ ન રાખતા તે વધુ સારૂં શિક્ષણ મેળવી આગળ વધે તેવા
વાતાવરણનું નિર્માણ કરી બાળકોને પ્રોત્સા હિત કરવા પડશે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજના જ્ઞાનના યુગમાં પરિવાર પાસે
કેટલી મૂડી છે તે મહત્વાનું નથી, પરંતુ પરિવારમાં શિક્ષણનું પ્રમાણ
કેટલું છે તે મહત્વાનું છે.
આ પ્રસંગે ધારાસભ્યં શ્રીમતી વર્ષાબેન દોશીએ જણાવ્યુંછ હતું કે, શાળા અને
શિક્ષક એ એક બીજાના પૂરક છે, આજે શિક્ષકો બાળક શાળામાં આવીને
સુ-સંસ્કાીરિત શિક્ષણ મેળવે તે માટેનું કાર્ય કરી રહયાં છે, ત્યાપરે
વાલીઓએ પણ તેમનું બાળક સ્વવચ્છ- બની શાળામાં નિયમિત જાય તેની કાળજી લેવી
પડશે.
થોરાળા(રાજકોટ)ની ઘટના સંદર્ભે સ્થયળ મુલાકાત લેતા નેશનલ કમિશન ફોર
શેડયુલ્ડર કાસ્ટ ના સભ્યસશ્રી રાજુભાઇ પરમાર ઘટના સંદર્ભે પોલીસ
અધિકારીઓ-અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠકને સંબોધતા શ્રી રાજુભાઇ
પરમાર રાજકોટ

નેશનલ કમિશન ફોર શેડયુલ્ડા કાસ્ટક, નવી દિલ્હીંના સભ્યેશ્રી રાજુભાઇ
પરમારે આજે થોરાળા (રાજકોટ)ની દલિત હત્યા ની ઘટના સંદર્ભે સ્થ ળ મુલાકાત
લઇ, કલેકટર કચેરી સભાખંડ ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આ
કમિશનની અમદાવાદ કચેરીના શ્રી મુદલીયાર અને શ્રી મકવાણા ઉપરાંત જિલ્લાસ
કલેકટર ડો. રાજેન્દ્ર કુમાર, એડિ.સી.પી. શ્રી કે.એલ.એન.રાવ, પોલીસ
વડા-રાજકોટ શ્રી પ્રેમવીરસિંધ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિદત હતા.
થોરાળામાં શ્રી ગુણવંતભાઇ રાઠોડ નામક એક દલિતની હત્યા ના દુઃખદ બનાવ
સંદર્ભે એક આરોપીની ઘરપકડ બાદ બાકીના નાસતા ફરતા આરોપીઓની તાત્કાકલિક
ધરપકડ કરી તેઓ પર કડક કાનૂની કાર્યવાહી હાથ ધરીને તથા સમગ્ર વિસ્તા રમાં
દલિતોમાં જે ભયનું વાતાવરણ છે તેને નિષ્ઠાડભર્યા-ભેદભાવ વિનાના પગલાં લઇ
સત્વેરે દૂર કરવાનો પોલીસ અધિકારીઓને અનુરોધ કરતા શ્રી રાજુભાઇ પરમારે આ
વિસ્તા રમાં કાયમી શાંતિનું વાતાવરણ ઉભું થાય તે માટે સામાજીક આગેવાનોનો
પણ સહયોગ મેળવી, કોઇ એક વર્ગને ભેદભાવની લાગણી ન અનુભવાય તે રીતે
પોલીસતંત્રને નિષ્પુક્ષતાથી કામ કરવા સલાહ આપી હતી.
શ્રી રાજુભાઇ પરમારે થોરાળાની ઘટનામાં દલિતની હત્યા થયા પછી, પ૪ જેટલા
દલિત ભાઇ બહેનોની જે ધરપકડ કરવામાં આવી છે, તેની પુનઃ સમીક્ષા કરી તેમને
ન્યાછય આપવા, ખરા આરોપીઓ પકડવા ખાસ તાકીદ કરી, સમાજના અનુસૂચિત જાતિ સમાજ
તરફ ભેદભાવ દાખવનારા અધિકારીઓ સામે કડક પગલાં લેવા અને થોરાળા ઘટનાની
સ્વસતંત્ર ન્યારયિક તપાસ એક પંચ દ્વારા કરાવવામાં આવશે તેમ જણાવ્યુળ
હતું.
પ્રારંભે એડી. પોલીસ કમિશ્નરશ્રી કે.એલ.એન.રાવે સમગ્ર થોરાળા ઘટનાની
વિગતો આપી, નેશનલ કમિશન ફોર શેડયુલ્ડ કાસ્ટનના સદસ્ય શ્રી રાજુભાઇ
પરમારને ખાત્રી આપી હતી કે, આ ઘટનામાં તેઓ કોઇ પણ આરોપી પછી તે ગમે તે
વર્ગ-સમાજનો હશે તેને બક્ષવામાં નહીં આવે અને કોઇ શેહશરમ વિના તેઓ સાથે
કાનૂની પગલાં ભરવામાં આવશે.
જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રેકુમારે પણ સમગ્ર ઘટનાના દોષિતો સામે કડક
કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. ઉલ્લેેખનીય છે કે, સમાજ કલયાણ ખાતા
દ્વારા આ ઘટના સંદર્ભે ભોગ બનનાર દલિત યુવાનના માતુશ્રીને રૂ.
૩,૭૫,૦૦૦/-ની આર્થિક સહાય ચૂકવવામાં આવેલ છે.
આ બેઠકમાં એ.સી.પી. (વેસ્ટમ) શ્રી જે.ટી.ચુડાસમા, એ.સી.પી. (ઇસ્ટપ) શ્રી
વિશાલ વાઘેલા, એ.સી.પી. શ્રી રબારી, ડી.સી.પી. શ્રી આર.એમ.પાંડે, સમાજ
કલ્યાનણ કચેરીના શ્રી સિમોન ક્રિશ્ચયન, આગેવાનો સર્વશ્રી ડો. સુનિલ જાદવ,
વશરામભાઇ સાગઠિયા, બાબુભાઇ ડાભી, મનોજ ટિમાણીયા, નિવાસી અધિક કલેકટરશ્રી
એ.બી.ગોર, સંયુકત માહિતી નિયામકશ્રી પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિરત
રહ્યા હતા.

શાળા પ્રવેશોત્સથવ અને કન્યા‍ કેળવણી મહોત્સ વથી વાલીઓમાં બાળકના શિક્ષણ પ્રત્યેણ જાગૃતતા આવી છે - અનુસૂચિત જાતિ વિકાસ નિગમના અધ્ય ક્ષશ્રી ઝવેરભાઇ ચાવડા

રાજકોટ
શહેરના શ્રમજીવી વિસ્તાિરની શાળાઓમાં ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સલવ સંપન્ન રાજકોટ
છેલ્લા દશ વર્ષથી રાજયમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સાવ કન્યા‍ કેળવણી
મહોત્સ‍વથી વાલીઓમાં બાળકના શિક્ષણ પ્રત્યે ની જાગૃતતા આવી છે તેમ આજે
શહેરી વિસ્તાતરના શાળા પ્રવેશોત્સાવના છેલ્લાી દિવસે રાજકોટના પછાત
વિસ્તા્રની પ્રિયદર્શીની પ્રાથમિક શાળા નં.૯૬માં શાળા
પ્રવેશોત્સ્વ-૨૦૧૨ના યોજાયેલ કાર્યક્રમમાં રાજયના અનુસુચિતિ જાતિ વિકાસ
નિગમના અધ્યનક્ષશ્રી ઝવેરભાઇ ચાવડાએ જણાવ્યુ હતું. તેઓએ વધુમાં ઉમેર્યુ
કે. મુખ્યકમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ રાજયના સર્વાગી વિકાસ માટે
શિક્ષણની મહતા સમજી છેલ્લાધ ૧૦ વર્ષથી રાજયમાં શાળા પ્રવેશોત્સીવ અને
કન્યાર કેળવણી મહોત્સટવનું અભિયાન ઉપાડી રાજયનું એકપણ શાળા પ્રવેશપાત્ર
બાળક શાળા શિક્ષણથી વંચિત ન રહે તે માટેનું ધ્યેનય સેવ્યું છે અને આ
માટે શાળાઓને તમામ રીતે સુવિધાસભર બનાવી છે તેમ જણાવી દરેક વાલીઓ પણ
પોતાના બાળકને પુરતુ શિક્ષણ અપાવી રાજય સરકારના આ અભિયાનમાં સહયોગી બને
તેમ જણાવ્યુપ હતું. આ પ્રસંગે મહાનગરપાલીકા સ્થાહઇ સમિતિના ચેરમેન ડો.
જૈમનભાઇ ઉપાધ્યાીયે જણાવ્યુંમ હતુ કે આવનારો સમય જ્ઞાન અને શિક્ષણનો છે.
જીવનનો વિકાસ અને પ્રગતિ કરવી હશે તો શિક્ષણ અનિવાર્ય છે. માટે વાલીઓ
પોતાના બાળકના ઉજળા ભવિષ્ય માટે બાળકોને પુરતુ શિક્ષણ આપે તેમ જણાવ્યુન
હતું.
ગુજરાત રાજય અનુસુચિત જાતિ વિકાસ નિગમના અધ્યકક્ષ શ્રી ચાવડા તથા
ઉપસ્થિવત મહાનુભાવો દ્વારા શ્રમજીવી વિસ્તા ર દેવકીનંદન સોસાયટીની
પ્રિયદર્શીની પ્રાથમિક શાળા નં. ૯૬માં ૬૭ બાળકો તેમજ સરસ્વાતી પ્રાથમિક
શાળા નં. ૯૭ ડો. હોમી જહાંગીર ભાભા પ્રાથમિક શાળા નં. ૭૮, છત્રપતી શીવાજી
પ્રાથમિક શાળા નં. ૬૬, એકલવ્ય પ્રાથમિક શાળા નં. ૧૮ના બાળકોને કુમકુમ
તિલક કરી મોં મીઠા કરાવી શૈક્ષણીક કીટ અર્પણ કરી પ્રથમ ધોરણમાં શાળા
પ્રવેશ કરાવ્યોક હતો તથા દાતાઓ દ્વારા આંગણવાડીના બાળકો માટે મળેલ
રમકડાઓની કીટ આંગણવાડી વર્કરને અર્પણ કરી આંગણવાડીના નાના ભુલકાઓને પણ
આંગણવાડીમાં પ્રવેશ અપાયો હતો.
અધ્યરક્ષશ્રી ચાવડા તથા મહાનુભાવોના હસ્તેગ શિષ્ય વૃત્તિ વિતરણ તથા
ધોરણ-૪ થી ૭ના તેજસ્વીં બાળકોનું પુરસ્કા ર અને પુસ્તરકો આપી સન્માાન
કરાયું હતું. અધ્યપક્ષશ્રી ઝવરેભાઇ ચાવડા અને ઉપસ્થિાત મહેમાનોએ શાળાઓના
પરિસરમાં વૃક્ષારોપણ કર્યુ હતું.
શાળાના બાળકોએ સ્વારગત ગીત, દેશભકિતગીત, યોગાસનો અને ભવાઇના કાર્યક્રમો
રજુ કર્યા હતા.
શાળા પ્રવેશોત્સ્વના કાર્યક્રમમાં શાસનાધિકારીશ્રી મુનીયા, રૂટ
અધિકારીશ્રી ભુવાત્રા, નગરસેવક શ્રીગેલાભાઇ રબારી, શિક્ષણ સમિતિના સભ્યોર
સર્વશ્રી સતીષભાઇ સોલંકી, શ્રી નયનાબેન પેઢડીયા, શ્રી દિગ્વીતજયસિંહ
ગોહિલ, શ્રી દિલીપભાઇ ભટ્ટ તથા શ્રી સોમાભાઇ ભાલીયા, શાળાના આચાર્યશ્રી
બહાદુરસિંહ તથા શિક્ષકો, આંગણવાડી વર્કરો, વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિીત
રહ્યા હતા.
મિયાગામ - ઈટોલા સેકશનમાં કરજણ પાસેના લેવલ ક્રોસિંગ પરથી અવરજવર થતા
વાહનો માટે ડાયવર્ઝન

વડોદરા
વડોદરા જિલ્લાના મિયાગામ ઈટોલા સેકશનમાં કરજણ પાસેના લેવલ ક્રોસિંગ
નં.૨૧૩ ઉપર આર.ઓ.બી બનાવવનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ ક્રોસિંગ પરથી
પસાર થતા તમામ પ્રકારના વાહનોના વાહનવ્યવહાર માટે તા. ૨૬-૬-૧૨થી તા.
૧૫-૩-૨૦૧૩ સુધી કામ પુરું થાય ત્યાં સુધી વૈકલ્પિક રસ્તાઓનું ડ્રાયવર્ઝન
આપવા વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિનોદ રાવે જાહેરનામું બહાર પાડયું
છે. તદ્અાનુસાર પાદરા અણસ્તુ નેશનલ ઉપરથી નેશનલ હાઈવે તરફ નીકળતો વાહન
વ્યવહાર જલારામ ચોકડી પાસે થઈને કરજણ આમોદ રસ્તાના ત્રણ રસ્તા પાસે થઈને
નેશનલ હાઈવે ઉપર જશે. જયારે નેશનલ હાઈવે ઉપરથી અણસ્તુ પાદરા તરફ નીકળતો
વાહન વ્યવહાર કરજણ આમોદ રસ્તાના ત્રણ રસ્તા પાસે થઈને જલારામ ચોકડી પાસે
થઈ અણસ્તુ પાદરા રોડ ઉપર જશે. જેની વાહનચાલકો માલિકોએ નોંધ લેવી.

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આફરીન પઠાણના અપહરણનો ભેદ ઉકેલાયો

વડોદરા,
વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી સતીષ શર્માએ એક બેઠકમાં જણાવ્યું હતું કે,
વડોદરા શહેરના મકરપુરા ઈન્દિરાનગર ખાતે રહેતી કુ.આફરીન કાલુમીયા પઠાણ -
ઉમર વર્ષ ૭ (સાત)નું તા. ૧/૬/૧૨ના રોજ સાંજના ૭.૦૦ વાગ્યાના સુમારે વડસર
બિ્રજ નીચે ઝૂપડપટૃીમાં રહેતા કપીલ રામાશીશી મંડળ, ઉંમર વર્ષ-૨૨ જેને
આઈસ્ક્રીમ તથા ચોકલેટ આપવાના બહાને અપહરણ કર્યું હતું. જેની ફરિયાદ
મકરપુરા, પોલીસ સ્ટેશનમાં તા. ૨/૬/૧૨ના રોજ દાખલ કરવામાં આવી હતી.
ફરિયાદના આધારે ગુનાની તપાસ શરૂ થતાં જ કપિલ મંડળ રેલવે દ્વારા બિહાર
ભાગી ગયો હતો અને ત્યાંથી મૃતકના માતા-પિતાને દૂરસંચાર દ્વારા વારંવાર
ધમકી આપતો હતો. તેના આધારે ક્રાઈમ બ્રાંચના પી.આઈ.શ્રી એસ.એલ.ચૌધરીની
ટીમે આરોપીના ધર પુરુષોત્તમનગર તા.જિ.દરભંગા ખાતે પહોંચાડીને સતત નિગરાની
રાખી હતી. ત્યાંથી કપીલ બિહારના મધુબની જિલ્લાના મનહઈ ખાતે રહેલી માસીના
ધરે છુપાયો હોવાનું જાણ થતાં ત્યાંની સ્થાનિક પોલીસના સહયોગથી રેડ પાડીને
આરોપીને પકડી પાડયો હતો. જયાં સકરી પોલીસ સ્ટેશનમાં આરોપીની અટક કરી
પૂછપરછ કરતાં કપીલે કબુલ્યું હતું કે જે દિવસે આફરીનનું અપહરણ કર્યું તું
તેજ દિવસે તેના પર બળાત્કાર ગુજારી ગળુ દબાવી હત્યા કરી લાશને વડસર ગામની
ગૌચરવાળી જગ્યામાં ફેંકી દીધી હતી. આરોપી તપાસ હેઠળ છે અને આ હત્યા પાછળ
પ્રેમ પ્રકરણ હોવાનું આરોપી જણાવે છે.

કચ્છના નાના રણમાં ફસાયેલા રાપર તાલુકાના દસ માલધારીઓના બચાવ માટે રાજય સરકારની ત્વરિત કામગીરી બનાવની ગંભીરતાને ધ્યાને લઇને વહીવટી તંત્ર દ્વારા એર ફોર્સના હેલિકોપ્ટરની મદદ લઇને માલધારીઓને બચાવી લેવાયા

આપત્ત્િાના સમયે બનાવની ગંભીરતાને ધ્યાને લઇને ત્વરિત અને યોગ્ય પગલાં
ભરવામાં આવે તો આપત્ત્િાનો સામનો કરી શકાય છે અને મોટું નુકશાન થતું ટાળી
શકાય છે. રાજ્યના વહિવટી તંત્રે કચ્છના નાના રણમાં ફસાયેલાં દસ
માલધારીઓને સમયસર અને આયોજનબદ્ધ નક્કર પગલાં ભરીને માત્ર ત્રણ જ કલાકમાં
બચાવી લીધા હતા.
આ સમગ્ર બનાવની વિગત એવી છે કે, ગયા ગુરુવારે કચ્છના કલેક્ટરે બપોરના ચાર
વાગ્યાને એકવીસ મીનિટે રાહત કમિશનરશ્રીને ફોન કરી જાણ કરી હતી કે, તા.
૨૭/૦૬/૧૨ની રાત્રે ૧૦ લોકો પલાસવા ટીકર રણમાં ખોવાઇ ગયા છે તેમજ રણમાં
પાણી ભરાઇ ગયેલું હોઇ પોલીસને સ્થળ પર પહોંચવામાં મુશ્કેલી થઇ રહી છે. આ
ઉપરાંત રણમાં દલદલને કારણે તેમની પાસે પહોંચવામાં મુશ્કેલી હોઇ
હેલીકોપ્ટર દ્વારા રાહત બચાવની કામગીરી થાય તેવું સુચન કર્યુ હતું. કચ્છ
પૂર્વ વિભાગની પોલીસ દ્વારા આ અંગે શોધખોળ કરાવતાં અસરગ્રસ્ત પૈકી એક
વ્યકિત દવારા મોબાઇલ સંપર્ક કરેલ હોવાથી તે આધારે તપાસતાં સંભવિત જગ્યા
હળવદ તાલુકાના એંજાર ગામ (જિ.સુરેન્દ્રનગર) ની હદમાં જણાતાં, કલેકટરશ્રી
સુરેન્દ્રનગરને પણ બચાવ કામગીરી હાથ ધરવા જણાવવામાં આવ્યું હતું. બંન્ને
કલેકટરશ્રીઓએ સ્થાનિક મામલતદાર, પોલીસ, અને લોકોનો સહકાર મેળવી શોધખોળ
ચાલુ રાખી હતી.
દરમ્યાનમાં એક વ્યક્તિની ભાળ મળતા તેમની સાથે પાણી, ખોરાક લઈ પગપાળા શોધ
ટીમ રવાના કરવામાં આવી હતી. પરંતુ તેઓને અન્ય વ્યક્તિઓને શોધી શક્યા ન
હતાં. રાહત કમિશ્નરશ્રી દવારા ૧૬.૨૭ કલાકે ઈન્ડિયન એરફોર્સ ના વિંગ
કમાન્ડર શ્રી દિનેશ વાસવાણીનો સંપર્ક કરી હેલિકોપ્ટરની તૈયારી રાખવા
જણાવેલું હતું. દરમ્યાન મોબાઈલ સંદેશા દ્વારા સ્થળના અક્ષાંશ-રેખાંશ
મેળવી વિંગ કમાન્ડરશ્રીને આપવામાં આવ્યાં. દોઢ કલાકની શોધ બાદ સમિક્ષા
કરતા સફળતા મળી ન હોવાથી બંન્ને કલેકટરશ્રીઓ દ્વારા હેલિકોપ્ટોરની માંગણી
થતા રેસ્ક્યુ માટે બે હેલિકોપ્ટર એમઆઇ-૮ અને ચેતક ૧૭.૩૦ કલાકે જામનગરથી
રવાના કરી સંધ્યા પહેલા રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હેલિકોપ્ટરની માંગણી કરેલ ૯ અસરગ્રસ્તોને ખોડ ગામ નજીકના રણ માંથી એરીયલ
શોધ બાદ બચાવી લેવામાં આવ્યા હતાં એટલું જ નહીં પરંતુ આ શખ્સોની શોધમાં
ગયેલાં અન્ય ૫ વ્યક્તિઓ જે રણમાં ચાલી ચાલીને ખુબ થાકી ગયેલા હોવાથી તથા
વધુ ચાલી શકે તેમ ન હોવાથી તેમને પણ હેલિકોપ્ટર દ્વારા ૧૯.૧૯ કલાકે બચાવી
લેવામાં આવ્યા હતાં આ ૯ વ્યક્તિઓ પૈકી એકની તબિયત બગડેલી હોઈ તેને અને
તમામ અસરગ્રસ્તોને હળવદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં જરૂરી પ્રાથમિક
સારવાર આપી રજા આપવામાં આવી હતી ફસાયેલી આ વ્યક્તિઓમાં આધોઇ, પલાસવા અને
લખપત ગામના રહીશોમાં સવજી પાંચા ભરવાડ, રામજી વિરમ ભરવાડ,મહાદેવા દેવશી
ભરવાડ,લખમણ પબા ભરવાડ, ટપુ ગણેશા ભરવાડ, રામા ગણેશા ભરવાડ, બબા દેવા
ભરવાડ, રામા વિભા ભરવાડ, લક્ષ્મણ પબા ભરવાડનો સમાવેશ થાય છે. જ્યારે
અસરગ્રસ્તોની શોધમાં ગયેલા અને ચાલીને ખૂબ થાકી ગયેલા અધોઇ અને વેણું
ગામના પાંચ વ્યક્તિઓ હિન્દુભાઈ ડાહ્યાભાઈ ભરવાડ,મેરાભાઈ વાલાભાઈ ભરવાડ,
ભાબુભાઈ દેવાભાઈ ભરવાડ, જગાભાઈ ગણેસભાઈ ભરવાડ, સત્તાભાઈ દેવાભાઈ ભરવાડને
પણ હેલીકોપ્ટરથી બચાવી લેવામાં આવ્યા હતા.
આમ મોબાઈલ સંદેશા ના આધારે પ્રાપ્ત થયેલ અક્ષાંશ, રેખાંશની જાણકારી,
ભારતીય હવાઈ દળના બે હેલીકોપ્ટરની તાત્કાલીક મદદ, તથા સ્થાનીક વહીવટી અને
પોલીસ તંત્ર તથા બંન્ને જિલ્લાનાં કલેક્ટરશ્રીઓ અને રાજયના રાહત
કમિશ્નરશ્રીની સતત દેખરેખ અને દોરવણી હેઠળ કચ્છના નાના રણમાં ફસાયેલ
ઈસમોને બચાવી રાજય સરકારે નાગરીકોની સુરક્ષા માટે ખડે પગે સતત જાગ્રત અને
અસરકારક હોવાનું સેવાકીય ઉદાહરણ પુરુ પાડયુ હતું. રાજયના
મુખ્યમંત્રીશ્રી, રાજયના મહેસૂલ મંત્રીશ્રી, મુખ્યસચિવશ્રી વગેરે એ બચાવ
કામગીરીની સતત દેખરેખ રાખી તંત્રને સજાગ રાખ્યુ હતું.

અઘતન ટેકનોલોજી થકી રાજયને ઉચ્ચ ગુણવત્તાવાળા આંકડાશાસ્ત્રીઓ ઉપલબ્ધ બની શકેઃ શ્રી વી.એન.માયરા, અધિક મુખ્ય સચિવશ્રી

વિકાસના મૂુલ્યાંકન માટે આંકડાકીય માહિતી સમયમર્યાદામાં અને અઘતન મળવી જોઇએ
અમદાવાદ ખાતે સ્વ.પી.સી.મહાલાનોબીસની જન્મ જયંતી નિમિત્તે છઠ્ઠા
સ્ટેટીસ્ટીક્સ ડે ની ઉજવણી

ભારત સરકારે સ્વ. પી.સી.મહાલાનોબીસે આયોજન પ્રક્રિયા અને પંચવર્ષીય યોજના
ઘડવા માટે જરૂરી એવી આંકડાકીય માહિતી માટે કરેલ પ્રદાનના ભાગરૂપે તેમના
જન્મ દિવસ ૨૯ જૂનની કાયમી સ્મૃતિ રહે તે માટે સ્ટેટીસ્ટીક્સ ડે તરીકે
ઉજવવામાં આવે છે. રાજય સરકારની અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરી,
યુનિવર્સિટી તથા કોલેજોના અઘાપકો અને વિઘાર્થીઓના સહયોગથી આદાવાદ ખાતે
ગઇકાલે એક કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.
કોન્ફરન્સનું ઉદઘાટન કરતાં સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી
શ્રી વી.એન.માયરાએ સ્ટેટીસ્ટીક્સ ડેની ઉજવણીની સાથે મુખ્યત્વે આ વિષય તરફ
વિઘાર્થીઓ વધુને વધુ જોડાય અને રાજય તેમજ દેશની આયોજન પ્રક્રિયામાં
ભાગીદાર બને તે તરફ ખાસ ભાર મૂક્યો હતો અને યુનિવર્સિટીમાંથી ઉપસ્થિત
રહેલ વિભાગના વડા અને પ્રાઘાપકોને સૂચન કર્યુ હતું કે આંકડાશાસ્ત્ર
વિષયમાં ટેકનોલોજીકલ બદલાવ જેવી બાબતોનો સમાવેશ કરવો જરૂરી છે. અગાઉ
ભારતીય આંકડાકીય સેવાઓ માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યુ હતું જે
હાલમાં કાર્યરત નથી. તેને પુનઃ શરૂ કરવા માટે સઘન પ્રયત્નો કરવા જરૂરી છે
જેથી રાજયને ઉચ્ચ ગુણવત્તાવાળા આંકડાશાસ્ત્રીઓ ઉપલબ્ધ થઇ શકે તેમ છે. દર
વર્ષે સ્ટેટીસ્ટીક્સ ડે માટે ભારત સરકાર તરફથી એક ખાસ થીમ નક્કી કરવામાં
આવે છે. આ વર્ષે Industrial Statistics ઔઘોગિક આંકડા વિષય નક્કી કરવામાં
આવ્યો છે.
દહેજ સેઝના સી.ઇ.ઓ શ્રી આર.જે.શાહે પ્રાસંગિક પ્રવચનમાં ઔઘોગિક આંકડાની
મહત્તા, ઉઘોગોની વાર્ષિક મોજણીના પરિણામો પરથી મળતી માહિતી પરથી કરવામાં
આવતું પૃથ્થકરણ અને જયારે ગુજરાત ઔઘોગિક ક્ષેત્રે દેશમાં અગિ્રમ સ્થાન
પ્રાપ્ત કરે છે ત્યારે ઔઘોગિક ક્ષેત્રે થતા વિકાસની જાણકારી માટે
આંકડાકીય માહિતી સમયમર્યાદામાં અને અઘતન મળવી જોઇએ તેના ઉપર ભાર મૂક્યો
હતો. તેઓએ નાના, લઘુ અને મધ્યમ કક્ષાના ઉઘોગોની માહિતી માટે કરવામાં આવતા
સેન્સસ વિશે માહિતી આપી હતી. જે મુજબ ૩.૬૦ લાખ ઉઘોગો પૈકી ૨.૨૯ લાખ જેટલા
ઉઘોગો કાર્યરત છે અને ૧૨.૨૨ લાખ જેટલી રોજગારી પૂરી પાડે છે.
સી.ઇ.ડી. ઉઘોગ કમિશ્નરની કચેરીના નિયામકશ્રી ડૉ. ચંદન ચેટર્જી એ ઔઘોગિક
ક્ષેત્રના આંકડાઓના વિશ્લેષણ તરફ ભાર મૂકીને રાજયમાં કેવા પ્રકારના ઉઘોગો
સ્થાપી શકાય તે માટે આંકડાકીય માહિતીની અગત્યતા જણાવી હતી. જયારે
અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના નિયામક શ્રી આર.એન.પંડયા, રાજયમાં
આંકડાકીય માહિતીનું એકત્રિકરણ કરીને જુદા જુદા પ્રકાશનોમાં તેમજ વેબસાઇટ
ઉપર માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેની વિગતો પૂરી પાડી હતી તેમજ
રાજયમાં થતા વિકાસ તરફ ધ્યાન દોરીને જરૂરી માહિતી સમયસર ઉપલબ્ધ થાય તો જ
આયોજન પ્રક્રિયામાં મદદ મળી શકે તે તરફ ભાર મૂક્યો હતો.
આંકડાશાસ્ત્ર વિભાગ, ગુજરાત યુનિવર્સિટી તરફથી ઉપસ્થિત રહેલ આઘાપકોએ અને
વિઘાર્થીઓએ Industrial Statistics ઉપર વિવિધ માહિતીસભર પ્રેઝન્ટેશન આપ્યા
હતા. આ સેમીનારમાં વિઘાર્થીઓ સહિત રસ ધરાવતા લોકો ઉપસ્થિત રહયા હતા.

માહિતી ખાતાને બે નિષ્ઠાીવાન અધિકારીઓની ખોટ સાલશેઃ-સંયુકત માહિતી નિયામકશ્રી ડીંડોડ પાટણ જિલ્લાડ માહિતી કચેરીના બે અધિકારીઓ વય નિવૃત્તિ વિદાયમાન

જિલ્લાિ માહિતી કચેરી, પાટણના નાયબ માહિતી નિયામકશ્રી નવીનચંદ્ર આર.
ભગોરા તથા સિનિયર સબ એડીટર ર્ડા. પી.એ. પરમારને માહિતી પરિવારના તમામ
સભ્યોીએ વય નિવૃત્તિ વેળાએ ભાવભરી વિદાય આપી હતી. અમદાવાદના સંયુકત
માહિતી નિયામકશ્રી દિનેશકુમાર ડીંડોડના અધ્યક્ષસ્થા ને માહિતી ભવન ખાતે
યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષપદેથી બોલતાં શ્રી ડીંડોડે કહયું હતું કે,
પાટણ જિલ્લાે કચેરી ખાતેથી બે નિષ્ઠાષવાન અધિકારીઓ એક સાથે નિવૃત થઇ રહયા
હોઇ તેની ખોટ માહિતી ખાતાને કાયમ સાલશે. નાયબ માહિતી નિયામકશ્રી
એન.આર.ભગોરા અને સિનિયર સબ એડીટર શ્રી ર્ડા. પી.એ.પરમારે પાટણ જિલ્લાશની
કામગીરીને ઘણી ઊંચાઇ સુધી પહોંચાડી છે. બન્નેખ અધિકારીઓની વહીવટી સૂઝ,
ફરજ પ્રત્યેએની નિષ્ઠાઘ, કામ પ્રત્યે્નો લગાવ અને પ્રમાણિકતા એમના
સદૃગુણો રહયા છે. વય નિવૃત્તિ પછી બન્નેન નિવૃત્ત અધિકારીઓ તેમનો બાકીનો
સમય પરિવાર સાથે વિતાવે, સામાજીક પ્રવૃત્તિઓમાં જોડાય અને પોતાને યોગ્યં
લાગે તેવી સેવામાં કાર્યરત રહે એવી શુભકામના વ્યૃક્ત કરી હતી. પાટણ
જિલ્લાા સરહદનો સાદ દૈનિકના તંત્રી અને દૈનિક પત્રકાર સંઘના પ્રમુખશ્રી
રાજેશભાઇ સોની, નિભાવ દૈનિકના તંત્રીશ્રી અશ્વિનભાઇ જોષી, નોબલ મિત્ર
દૈનિકના તંત્રીશ્રી નિમેષ ગોલે, હમલોગ દૈનિકના તંત્રીશ્રી મનીષ ખમાર,
બુનિયાદ દૈનિકના તંત્રીશ્રી વિનોદભાઇ ઠક્કર વગેરેએ વિશેષ ઉપસ્થિિત રહીને
નાયબ માહિતી નિયામકશ્રી એન.આર.ભગોરા તથા ર્ડા. પી.એ.પરમારની કામગીરીને
બિરદાવી હતી તેમજ તેમના દીર્ધાયુ જીવન માટે શુભકામના વ્યતકત કરી હતી.
માહિતી પરિવારના તમામ સભ્યોતએ શ્રીફળ, સાકર અને ફૂલહારથી બહુમાન કરી
શુભેચ્છાહ પાઠવી હતી. પ્રતિભાવમાં નાયબ માહિતી નિયામકશ્રી ભગોરાએ કહયું
કે, આ કચેરીમાં તો હું કાર્યકારી તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ સ્ટાંફના
સભ્‍યોએ મનમૂકીને વિશ્વાસથી જે કામગીરી કરી છે તે સરાહનીય છે. તેમણે
પોતાના પરિશ્રમી જીવનની ખટ્ટી-મીઠ્ઠી યાદો રજૂ કરીને સરકારી સેવા કેટલી
નિષ્ઠાનપૂર્વક બજાવી તેના તાદ્રશ્ય ઉદાહરણો વ્યમકત કર્યા હતા. ર્ડા.
પી.એ.પરમારે પ્રતિભાવ આપતાં કહયું કે, તેમના જીવનનો કાર્યકાળ મોટાભાગે
અનેક પ્રકારની આપત્તિઓથી પ્રભાવિત હોવા છતાં સરકારશ્રીના કાર્યોને પૂરી
નિષ્ઠાનથી પૂર્ણ કર્યા છે. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ટેકનીકલ
આસીસ્ટનન્ટાશ્રી સુરેશભાઇ પટેલે કરી હતી. કાર્યક્રમના અંતે માહિતી પરિવાર
અને પત્રકાર મિત્રોએ નિવૃત્ત થનાર બન્નેે અધિકારીઓને ભાવભીની વિદાય આપી
હતી.
માહિતી પરિવારના શ્રી ડી.પી.પટેલ, શ્રી ડી.આર.વઢેર, શ્રી આર.કે.પરમાર,
શ્રી બી.પી.બુસા, શ્રી એસ.આર.રાવળ, શ્રી બી.એમ.રબારી, શ્રી પી.એલ.ઠાકોર,
શ્રી એલ.આર.આહીર, શ્રી ડી.ડી.પટેલ, શ્રી પી.બી.ઠાકોર, શ્રી ડી.એમ.દેસાઇ,
શ્રીમતી એમ.જી.ભીલ, શ્રી દલપતજી ઠાકોર તથા પાલનપુર માહિતી કચેરીના
કર્મચારીઓ ઉપસ્થિીત રહયા હતા.
તા.૩૦/૦૬/૨૦૧૨ જિલ્લાન સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લાણ
કલેકટરશ્રીએ ગાંઘીનગરમાં ઠેર-ઠેર થયેલા દબાણો દૂર કરવા આદેશ કર્યો

ગાંઘીનગર શહેરમાં ઠેર ઠેર થયેલા દબાણોને તાત્કાલિક દૂર કરવા આજે સંબિઘિત
કચેરીઓના અઘિકારીશ્રીઓને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં
જિલ્લા કલેકટર શ્રી પી. સ્વરૂપે આદેશ કર્યો હતો. આ દબાણ દૂર કરવાની
કાર્યવાહી આગામી સોમવારના રોજથી શરૂ કરવા ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું.
કલેકટરશ્રીએ ઉપસ્થિકત સર્વે અઘિકારીશ્રીઓને જિલ્લાવમાં કુપોષણથી પીડાતા
બાળકોને દત્તક લેવા પણ નમ્ર અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લાપ
કલેકટર શ્રી પી. સ્વરરૂપે જણાવ્યું હતું કે, ગાંઘીનગરના વિવિઘ સેકટરોમાં
ઝૂંપડા બનાવી અનેક રહીશો રહે છે. તેમજ ફોરેસ્ટસ અને પાટનગર યોજના વિભાગના
તાબા હેઠળની જમીનમાં પણ દબાણો વઘતા જાય છે. આવા દબાણમાં કટેલાક ગુનાહિત
પ્રવૃતિ સાથે સંકળાયેલા વ્યકિત કયારેક આશરો લે છે. જેથી સેકટરો અને અન્ય
જગ્યાએ વઘી ગયેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી કડક હાથે કરવા અને ફરથી આ
દબાણ ન થાય તે જેવા પણ સંબિઘિત કચેરીઓના અઘિકારીઓનું ઘ્યાન દોર્યું હતું.

જુન માસમાં ઓછા વરસાદને કારણે ઉપસ્થિત થયેલ પરિસ્થિતિને પહોંચી વળવા રાજય સરકારના પગલાં

રાજયમાં જુન મહીનામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાથી તથા વરસાદ વધુ લંબાય
તે સ્થિતીને પહોચી વળવા આગોતરુ આયોજન કરવા રાજયના મુખ્ય સચિવશ્રી
એ.કે.જોતિએ સંબંધિત વિભાગોના અગ્ર સચિવશ્રોઓ અને અધિકારીશ્રીઓની એક
તાકીદની બેઠક તા. ૩૦/૦૬/૨૦૧૨ ના રોજ બોલાવી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
રાજય સરકાર દવારા જુન માસમાં ઓછા વરસાદ તથા ચોમાસાના સંભવિત વિલંબથી
¬જાજનોને મુશ્કેલી ન પડે તે માટે આગોતરૂ આયોજન કરી જે જુદા જુદા પગલાઓ
હાથ ધર્યા છે તેની વિગતો રાહત કમિશ્નર શ્રી પી. કે. પરમારે આપી હતી.
રાહત કમિશ્નરશ્રીએ પાણી પુરવઠા ક્ષેત્રે લેવાયેલા પગલાંઓની વિગતો આપતા
જણાવ્યું કે રાજયમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા પીવાના પાણીના સંભવિત
સમસ્યાને પહોંચી વળવા આગોતરા આયોજન માટે ¬ત્યેક જિલ્લાના જિલ્લા
કલેકટરશ્રીઓ અને સ્થાનિક અધિકારીઓ સાથે સંબંધિત જિલ્લામાં પીવાના પાણીની
સમીક્ષા કરીને તંગીને પહોંચી વળવા માટે ૧૧ જિલ્લામાં રૂ.૨૧૭૫ લાખના કામો
માટેનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ૧૧ જિલ્લાઓમાં ૧૧૭૯ ગામોમાં
૨૧૭૫ લાખના કામોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ટેન્કર પુરવઠા ઉપરાંત
હેન્ડપંપ રીજયુવિનેશન, હેન્ડપંપ, બોર, ઉંડા પાતાળ કૂવા, વ્યકિતગત અને જૂથ
યોજના સુધારણા વગેરેનો સમાવેશ થાય છે.
હાલમાં જયાં તાત્કાલિક ધોરણે કાયમી પીવાનાં પાણીનાં સોર્સ ઉભા કરી ન શકાય
તેવા રાજયનાં ૭ જિલ્લામાં ૨૬૬ ગામો/પરાઓમાં ૨૩૭ ટેન્કર દ્વારા ૧૦૪૯
ફેરાથી પાણી પુરવઠો પુરો પાડવામાં આવી રહેલ છે. જુદા જુદા જિલ્લામાં
જિલ્લા તંત્ર દ્વારા અઠવાડીક પીવાનાં પાણીની બેઠકો યોજી સમિક્ષા કરીને
પીવાનાં પાણીની મુશ્કેલીને પહોંચી વળવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે
છે.
હાલમાં રાજયનાં જુદા જુદા ૨૬ જિલ્લાઓ પૈકી ૨૪ જિલ્લાઓમાં આવેલ ૧૨૯૮૩
ગામોમાં ૨૦૩૮૨૭ હેન્ડપંપોને કાર્યરત રાખવા માટે ૨૦૮ હેન્ડપંપ રીપેરીંગ
ટીમો કાર્યરત છે, જરૂર જણાયે તેમાં વધારો કરવામાં આવે છે.ચાલુ ઉનાળામાં
૯૫૧૫ ગામોમાં રૂ. ૨૪૬ લાખનાં ખર્ચે ૩૭૯૮૨ હેન્ડપંપો રીપેર કરવામાં આવેલ
છે.
સંભવિત પીવાનાં પાણીની તંગીને પહોંચી વળવા અર્થે ચાલુ ઉનાળામાં ૧૪૫૯
ગામોમાં રૂ.૨૩૯૮ લાખનાં ખર્ચે ૩૬૪૭ નવા હેન્ડપંપો/પાવર પંપો, તથા ૧૦૧
ગામોમાં રૂ.૬૪૨ લાખનાં ખર્ચે ૧૦૧ ઉંડા પાતાળ કુવાનાં સારકામ કરી તેનાં
ઉપર પંપો બેસાડી પાણી પુરવઠો ચાલુ કરવામાં આવેલ છે. જરૂર જણાય ત્યાં આવા
¬કારની કામગીરી ¬ગતિ હેઠળ છે. હાલમાં રાજયમાં પાણી પુરવઠા ગ્રીડ દ્વારા
૧૧૦૦૦ જેટલાં ગામો તથા નાના મોટા શહેરોની ૩૮૨ લાખ જેટલી વસ્તીને પાણી
પુરવઠો પુરો પાડવામાં આવેલ છે.જેનો રૂ.૪૨૫ લાખ સંચાલન અને નિભાવણી ખર્ચ
રાજય સરકાર કરે છે તેમ તેમણે જણાવ્યું હતું.
તદ્ઉરપરાંત "સ્વર્ણિમ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ વોટરગ્રીડ" અંતર્ગત કામગીરી
આશરે ૪૬૭ કી.મી બલ્ક પાઇપલાઇન અંદાજીત કિંમત રૂ. ૩૦૬૦ કરોડની કામગીરી હાથ
ધરેલ છે જેનાં માટે ચાલુ વર્ષે રૂ. ૧૯૦૦ કરોડનું આયોજન કરેલ છે.
ગામની આંતરિક પીવાનાં પાણીની વ્યવસ્થાના કામો લોકભાગીદારીથી
સ્વજલધારા/સેકટરીફોર્મ કાર્યક્રમ અંતર્ગત પાણી સમિતિઓ મારફતે આશરે ૧૨૦૦
જેટલા ગામોમાં કામો કરવાનું આયોજન કરવામાં આવેલ છે. ઉકત કામોને પહોંચી
વળવા માટે હાલમાં ૧૬૦૭ જેટલાં નાના-મોટા પંપો ઉપલબ્ધ છે. તથા અન્ય
માલસામાન જેવુ કે પાઇપો, કેબલ, પેનલ, હેન્ડપંપ સેટો, રીપેરીંગનાં સામાન
મળીને કુલ રૂ.૯૮૭ લાખ નો માલસામાન હાથ ઉપર રાખેલ છે. અને રૂ.૫૦૦ લાખનો
સામાન આવકમાં છે.આમ, પુરતાં માલસામાન ની તૈયારી કરવામાં આવેલ છે.
સિંચાઈ ક્ષેત્રે હાથ ધરાયેલા પગલાંઓની વિગતો આપતા રાહત કમિશ્નરશ્રીએ
જણાવ્યું કે રાજયમાં ઉનાળામાં કુલ બે લાખ બાવન હજાર હેક્ટરમાં સિંચાઈની
સુવિધાપૂરી પાડવામાં આવી હતી. જેમાં ઉત્તર ગુજરાતમાં ૧૧,૫૧૫ હેક્ટર, મધ્ય
ગુજરાતમાં ૧૭,૩૪૭ હેક્ટર, દક્ષિણ ગુજરાતમાં ૧,૩૪,૯૬૯ હેક્ટર અને
સોરાષ્ટમાં ૩૩,૪૭૯ હેક્ટરમાં સિચાઈ થયેલ છે.
રાજયની વિવિધ સિંચાઈ યોજનાઓ જેવી કે સરદાર સરોવર, ઉકાઈ-કાકરાપર, જુજ,
કેલીયા, વેર-૨, કડાણા, વાત્રક, માઝમ, મેશ્વો, સુખી, કરજણ, કરાડ, હાથમતી,
ગુહાઈ, ધરોઈ, દાંતીવાડા, ખારીકટ અને ફતેવાડી, ભાદર, મચ્છુ-૧, મચ્છુ-૨,
શેત્રુંજી, ઉંડ-૧, ધાતરવાડી, મુંજીયાસર, હેરણ, હિરણ-૨ મારફતે ઉપર્યુક્ત
સિંચાઈ કરવામાં આવેલ છે.
સરદાર સરોવર યોજનાની નહેરો મારફતે જુદા જુદા ૬૦ સ્થળોએ પાણી આપીને ૪૫,૦૦૦
હેક્ટર જેટલા વિસ્તારમાં સિંચાઈ થયેલ છે. જેમાં ઉત્તર ગુજરાતના ૨૬,
સૈરાષ્ટ્રના ૬ અને મધ્ય ગુજરાતના ૭ સ્થળોએ પાણી આપ્યાનો સમાવેશ થાય છે. આ
ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર શહેરો તથા સમગ્ર સોરાષ્ટ અને કચ્છ માટે
પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે.
સુજલામ સુફલામ નહેર અને સિંચાઈ યોજના અંતર્ગત છેલ્લા બે મહિનામાં રાજયના
જિલ્લાઓમાં ૬૦ તળાવો, પાટણમાં ૪૭ તળાવો, સાબરકાંઠાંમાં ૨૨ તળાવો,
ગાંધીનગરમાં ૨૪, અમદાવાદમાં ૭, પંચમહાલમાં ૨૩, વલસાડમાં ૨૧, સુરતમાં ૬૬,
ભરુચમાં ૧૧ અને નવસારીમાં ૩૨ મળીને કુલ ૩૧૩ તળાવો ભરાવામાં આવ્યા છે. આ
ઉપરાંત સરદાર યોજનાના કમાન્ડ વિસ્તારમાં ૧૦૫ તળાવો ભરવામાં આવ્યા છે.
જેનાથી ૩૦૦૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થવા પામેલ છે.
આમ રાજય સરકાર દ્વારા પૂર્વ આયોજન અને તકેદારીના પગલા લઈ ૨,૫૨,૦૦૦ હેક્ટર
વિસ્તારમાં ઉનાળુ વાવેતરને બચાવી લેવામાં આવેલ છે અને ધરૂવાડીયાની તૈયારી
માટે તથા મગફળી અને કપાસના વાવેતર માટે સિંચાઈનું પાણી પૂરૂં પાડી
કૃષકોને સહાયરૂપ થયેલ છે. કૃષિ ક્ષેત્રે હાથ ધરાયેલા આયોજન વિશે રાહત
કમિશ્નરશ્રીએ જણાવ્યું કે, ગુજરાત રાજયમાં ૨૦૧૨-૧૩ માં ચોમાસું ખેંચાયેલ
છે, અને વરસાદની પરિસ્થિતિ ચિંતાજનક છે. રાજય સરકાર તરફથી ખેતીવાડી બાબતે
ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરી વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે અને
તે મુજબ પૂર્વ તૈયારી કરવામાં આવેલ છે. રાજયમાં સૈરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત
અને કચ્છના આશરે ૮૫્રુ વિસ્તારમાં હજીસુધી ખેતીલાયક વાવણી થયેલ નથી.
ખેડુતોને બદલાયેલ પાકની પરિસ્થિતિ જોતા બિયારણ પુરતા ¬માણમાં ઉપલબ્ધ છે
અને રાજયના ૧૨૦૦ ઉપરાંત સીડસ કોપોરેશનની વિતરણ સંસ્થાઓ તેમ જ જિલ્લા ખરીદ
વેચાણ સંઘ, તાલુકા ખરીદ વેચાણ સંઘ, ખેડુતોની સહકારી મંડળીઓ તથા એગ્રો
સર્વિસ સેન્ટર, તથા બિયારણના સજિસ્ટ્રર્ડ વિક્રેતાઓ રાજયમાં દશ હજાર
ઉપરાંત છે, તેઓ પાસે પુરતા ¬માણમાં બીજ જથ્થો ઉપલબ્ધ છે. કોઈ જગ્યાએ
બિયારણની માંગ આવે તો ગુજરાતના કિસાન કોલ સેન્ટર ઉપર અથવા ખેતીવાડી
વિભાગના કોલ સેન્ટર ઉપર કોલ મળવાથી તાત્કાલિક બિયારણ ઉપલબ્ધ કરવામાં
આવશે. ઢોરના ઘાસચારા માટે રાજય સરકાર તરફથી ખાસ ઘાસ ઉત્પાદન માટે યોજના
તૈયાર કરવામાં આવેલ છે. પરિસ્થિતિ મુજબ ઘાસ ઉત્પાદન કરવા જરૂરી ¬ોત્સાહન
ખેડૂતોને આપવામાં આવેલ છે, જેથી લીલા ઘાસચારો અને ઘાસચારાને કોઈ અછત ન
રહે. ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં BT
કોટનના વધુ વાવેતરના કારણે લીલી ઘાસની જે કમી છે તે પૂર્ણ કરવા માટે
ઉપલબ્ધ પાણીથી ઉત્પન્ન કરવા રાજય સરકાર ¬ોત્સાહન આપે છે.
ઘાસ વ્યવસ્થા માટેના આયોજનની ભૂમિકા આપતા શ્રી પી. કે. પરમારે કહ્યું કે
રાજયમાં વન વિભાગનાં જુદા જુદા ગોડાઉનોમાં હસ્તક ખાવા લાયક ઘાસનો કુલ
જથ્થો ૨૧૦.૭૫ લાખ કિ.ગ્રામ ઉપલબ્ધ છે. જે પૈકી જામનગર ૨૭.૨ લાખ કિ.ગ્રામ,
રાજકોટ ૨૪.૧૧ લાખ કિ.ગ્રામ, ભાવનગર ૩૨.૩૧ લાખ કિ.ગ્રામ, સુરેન્દ્રનગર
૫.૫૬ કિ.ગ્રામ, પોરબંદર ૮.૬૭ લાખ કિ.ગ્રામ, જુનાગઢ ૪૨.૫૦ લાખ કિ.ગ્રામ,
અમરેલી (ગીર (પૂર્વ) ધારી) ૧૬.૯૯ લાખ કિ.ગ્રામ, દાહોદ(બારીઆ) ૨૭.૯૪ લાખ
કિ.ગ્રામ, ગોધરા ૯.૧૬ લાખ કિ.ગ્રામ, કચ્છ ૧૬.૪૯ લાખ કિ.ગ્રામ ધાસ ઉપલબ્ધ
છે. આ વિભાગોના ગોડાઉન પરથી હાલમાં વન વિભાગે ઠરાવેલ દરે ઘાસનું વિતરણ
કરવામાં આવી રહેલ છે. હાલમાં વન વિભાગના અમલીદર મુજબ ગોદામનું ધાસ
૨૦૧૦-૧૧નું રૂ.૪.૫૦ દરે, ૨૦૦૯-૧૦નું રૂ. ૪ ના દરે વિતરણ કરવામાં આવે છે.
રાજયના જિલ્લા કલેકટરશ્રોઓને જિલ્લાની ધાસની જરૂરિયાતની સમીક્ષા કરવા
સુચના આપવામાં આવેલ છે. વધુ વિતરણ કેન્દ્રો શરૂ કરવા તથા રાહતના દરે ધાસ
વિતરણ કરવા રાજય સરકારે સક્રિય વિચારણા હાથ ધરેલ છે.
સોરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની ધાસ, પાણીની સ્થિતિની
સમીક્ષા કરવા તથા વરસાદ લંબાય તો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટેના
આયોજન માટે કલેકટરશ્રોઓ, વિભાગીય ફોરેસ્ટ ઓફીસર્સ, ¬ાંત અધિકારીશ્રીઓ તથા
પાણી પુરવઠાના અધિકારીશ્રીઓની તાકીદની વીડીયો કોન્ફરન્સ બેઠક યોજી
સમીક્ષા કરવામાં આવનાર છે તેમ પણ રાહત કમિશનરશ્રીએ જણાવ્યું હતું.

રૂ.૬૬ લાખના ખર્ચે નિર્મિત થનાર રામદેવપીરજીના ટેકરા મ્યુ.શાળાનું ખાતમૂર્હુત

શ્રમિકોના સંતાનોમાં ખેલદિલી વિકસાવી પ્રતિભાઓ ખીલવીએ - મહેસુલ મંત્રી
શ્રીમતી આનંદીબને પટેલ

શિક્ષણ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે જેને સાર્થક કરવાનું વધુ એક પગલું
જુનાવાડજના વોર્ડમાં આરંભાયું છે. જૂનાવાડજ રામદેવપીરજી ટેકરા પર રૂા.૬૬
લાખના ખર્ચે નિર્મિત થનાર રામદેવપીરજી ટેકરા મ્યુ.શાળાનું ખાતમુહુર્ત
મહેસૂલ મંત્રી અને અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતી આનંદીબેન
પટેલના વરદ્‍ હસ્તે કરવામાં આવ્યું હતું.
શહેરના પヘમિઝોન વાડજ વોર્ડમાં મોટી સંખ્યામાં શ્રમજીવીઓ અને આર્થિક
સામાજિક રીતે પછાત નાગરિકોના વિસ્તારમાં બાળકોને સ્થાનિક સ્તરે શિક્ષણ
સુવિધા મળે તે માટે રાજ્ય સરકારે તાજેતરમાં રામદેવપીરજી ટેકરા મ્યુ.શાળા
ભાડાના મકાનમાં શરૂ કરી છે.
બી.આર.ટી.એસ. રૂટના કારણે શ્રમજીવી બાળકો માટે કરાયેલી આ વ્યવસ્થાને
કાયમી મકાન મળે તે માટે ચંદ્રભાગા ખાડા પાસે આજે મહેસુલ મંત્રીશ્રી અને
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ વોર્ડના કાઉન્સીલરો, સભ્યો, પદાધિકારીઓ
સાથે સ્થાનકિ નાગરિકો ખાતમુહૂર્ત વિધિ અને શાળા પ્રવેશોત્સવમાં મોટી
સંખ્યામાં જોડાયા હતા.
શ્રમિકોના સંતાનોને ફળ ટ્રાયસીકલ, રમકડાં, પુસ્તકો, દફતરો અને આરોગ્ય કીટ
વિતરણ કરી મંત્રીશ્રીએ બાળકોના શાળા અંગે શુભકામના વ્યકત કરી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્લમ વિસ્તારના શ્રમિકોના બાળકોને શિક્ષણ
આપવાના કાર્યને પ્રાથમિકતા અપાય છે. શિક્ષકોને અનુરોધ કરતા મંત્રીશ્રીએ
વધુમાં ઉમેર્યું હતું કે, શ્રમિકોના સંતાનોમાં ખેલદિલી વિકસાવી પ્રતિભાઓ
ખીલવી છે. અહીંના બાળકો સાથે સમજણ અને સહાનુભૂતિપૂર્વક શિક્ષણ આપવું
પડશે.

પાકિસ્તાનની જેલમાંથી છૂટીને ૩૧૧ માછીમારો આજે માદરે વતન આવી પહોંચતા તેમનું ભાવભીનું સ્વાગત નાનકડી વ્યાવસાયિક ભૂલની આવી સજા ભોગવવી પડશે તેનો અમને ખ્યાલ ન હતો - માછીમાર ભાઇઓ

બાયોમેટ્રિક કાર્ડ અને એમ.એમ.એસ. ટ્રાન્સપોન્ડર સેંન્સર દ્વારા
માછીમારોને દરિયાઇ સિમાની જાણ કરાશે

ગુજરાતના દરિયાકાંઠે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ માછીમારો કયારેક
જાણતા અજાણતા પાકિસ્તાનની દરિયાઇ સિમામાં જતા રહેતા હોય છે અને તેમાં
પકડાઇ જતા આટલી નાનકડી ભુલ માટે તેમને અને તેમાના પરિવારજનોને કેવી યાતના
સહન કરવી પડતી હોય છે તેનો ચિતાર આજે અમદાવાદ રેલ્વે સ્ટેશને જોવા મળ્યો.
ગુજરાતના ૨૭૯ અને દિવના ૩૨ મળી કુલ ૩૧૧ જેટલા માછીમારોને રાજ્ય સરકારની
ભારત સરકારને સતત રજૂઆત અને સધન પ્રયાસોના પરિણામે પાકિસ્તાન સરકારે મુકત
કરતા તેઓ ગઇકાલે પંજાબના વાધા બોર્ડર થઇને રેલવે દ્વારા આજે અમદાવાદ આવી
પહોંચ્યા હતા. છેલ્લા દોઢ બે વર્ષથી પાકિસ્તાનની જેલમાં યાતના ભોગવ્યા
બાદ આજે જ્યારે તેઓ તેમના પરિવારજનોને મળ્યા ત્યારે તેઓ ભાવવિભોર બની ગયા
હતા. પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા આ માછીમારોએ ગુજરાત સરકારે તેમને
છોડાવવા માટે કરેલા પ્રયત્નો બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.
આ ૩૧૧ ભારતીય માછીમારોને વાધા બોર્ડર, અમૃતસર (પંજાબ રાજ્ય)થી સ્વીકારીને
ગુજરાતમાં તેમના પરિવારો સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકારે વિશેષ
વ્યવસ્થા કરી મત્સ્યોઘોગ ખાતાની એક ટીમ વાધા બોર્ડર, અમૃતસર (પંજાબ
રાજ્ય) રવાના કરેલ હતી. આ ટીમે તા.૨૮-૬-૨૦૧૨ના રોજ ૩૧૧ ભારતીય માછીમારોને
સ્વીકારેલ છે. આ ૩૧૧ માછીમારોમાં ૨૭૬ માછીમારો ગુજરાત રાજ્યના, ૩૨
માછીમારો દિવના, ૧-મહારાષ્ટ્રના, ૧-ઓરિસ્સાના તથા 1 માછીમાર ઉત્તર
પ્રદેશના વતની છે. આ માછીમારોને ટ્રેઇન મારફતે વેરાવળ ખાતે પહોંચાડવામાં
આવશે. જ્યાં માછીમારોની સોંપણી તેમના કુટુંબીજનોને કરવામાં આવશે.
આ પ્રસંગે મત્સ્યોઘોગ સચિવ શ્રી ડી.એસ.બ્રહ્મભટ્ટ અને કમિશનર શ્રી દરબાર
ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે માછીમાર ભાઇઓને મળીને ખબરઅંતર પુછયા
હતા.
મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય સરકારશ્રીના ભારત સરકારશ્રી સમક્ષ કરેલ સધન
રજૂઆત/પ્રયત્નોને પરિણામે અત્યાર સુધીમાં કુલ ૪૪૯૬ માછીમારોને પાકિસ્તાન
ખાતેથી મુકત કરાવેલ છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના સાગરખેડૂ એવા ૧,૩૪,૦૦૦ માછીમારો અને તેમની
બોટની ઓળખ માટે વિજાણુ બાયોમેટ્રિક કાર્ડ દ્વારા નોંધણી થઇ રહી છે. તેનો
પ્રાયોગિક અમલ પોરબંદર ખાતે પાયલોટ પ્રોજેકટ દ્વારા કરાયેલ છે. જેમા
માછીમારોની બોટમાં એમ.એમ.એસ. ટ્રાંસપોંન્ડર સેન્સર લગાવવામાં આવે છે,
જેના કારણે બોટ દરિયામાં કયાં છે તેનું ટ્રેકિંગ કરીને માછેમાર ભાઇઓને
દરિયાઇ સિમા અને અન્ય જાણકારી આપી શકાશે. હાલમાં લગભગ બે હજારથી વધુ
બોટમાં આ પ્રયોગ સફળતાપૂર્વક કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત અને દિવ-દમણના માછીમારોને પાકિસ્તાન
સત્તાવાળા દ્વારા છેલ્લા ચાર મહિનામાં ત્રીજીવાર સમુહમા આ રીતે છોડવામાં
આવેલ છે અને હવે ગુજરાતના ૧૧૯ માછીમારો છુટવાના બાકી છે અને ૬૧૨ જેટલી
ગજરાતની બોટ પાકિસ્તાનના કબજામાં છે, જેને છોડાવવા માટેના રાજ્ય સરકારના
પ્રયાસો સતત ચાલુ છે.
પાકિસ્તાન સત્તાવાળા દ્વારા માછીમારની ધરપકડ થવાને કારણે, પકડાયેલ
માછીમારોનું કુટુંબ નિરાધાર બની જાય છે. તથા માછીમારોના કુટુંબને
રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આવા સંજોગોમાં ધ્યાને લઇને માછીમારના
કુટુંબને દૈનકિ સહાય ચૂકવવામાં આવે છે. આ માટે સરકારે સહાયની યોજના
અમલમાં મુકી છે. આ યોજનામાં માછીમાર જે તારીખે પકડાય તે તારીખથી તે
પાકિસ્તાન જેલમાંથી છુટીને વતન પરત આવે તે તારીખ સુધી માછીમારોના
કુટુંબીજનોને દૈનકિ આર્થિક સહાય પેટે રૂા.૫૦/- ચુકવવામાં આવે છે. વર્ષ
૨૦૦૪-થી વર્ષ ૨૦૦૧-૧૨ સુધીમાં રાજ્ય સરકારશ્રી દ્વારા કુલ ૪.૨૮ કરોડની
સહાય ચુકવવામાં આવેલ છે.