અનુયાયીઓ

બુધવાર, 18 નવેમ્બર, 2020

કેશોદની ઘરફોડ ચોરીના 2 આરોપીને દબોચતી જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ


કેશોદ ઉતાવળી નદિના કાંઠા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં દિવાળીના તહેવારોમાં બહાણામ ગયેલ રહિશના બંધ મકાનની રાત્રી દરમ્યાન તાળા તોડી ઘરફોડ ચોરી કરનાર ઇસમોને દબોચી લઇ વણશોધાયેલ ગુન્હાને ગણતરીની કલાકોમાં ડીટેકટ

કરી રોકડા રૂ.૧,૧૫૬૦૦/- નો મુદામાલ કબ્બે કરતી જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્ચ,

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દરસીંગ પવાર સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટી સાહેબ દ્વારા જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય.

જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના ઇ.ચા. પોલીસ ઇન્સ,  રાજદીપસિંહજી .કે.ગોહિલ તથા પો.સ્ટાફ જૂનાગઢ જિલ્લામાં ચોરીના ગુન્હા શોધી કાઢવા અને ગુન્હી બનતા અટકાવવા માટે સતત પ્રયતશીલ હતા.

દરમ્યાન તા.૧૬/૧૧/૨૦૨૦ ના બપોર પછી કલાક ચાર વાગ્યે થી તારીખ ૧૭/૧૧/૨૦૨૦ ના કલાક ૦૭/go વચ્ચે કોઇપણ સમયે ફરીયાદી અશોક ભનુભાઇ ડાભી રહે. ઉતાવળી નદિના કાંઠા પાસે વાળાના બંધ મકાનનું તાળુ તોડી બંધ મકાન માથી કુલ રોકડા રૂપીયા ૨,૦૨,૦૦૦/- તથા સાહેદ જીતેષભાઇ ભીખાભાઇ પરમાર જાતે દે.પુ. રહે.કેશોદ ૬૬ કે.વી. સબ સ્ટેશન પાછળ વાળાના રહેણાંક બંધ મકાનનું તાળુ તથા

દરવાજો તોડી રૂમમાં રાખેલ કુલ ૩૫,000/- મળી રોકડા કુલ રૂા. ૨,૩૭,000/- ની કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ ગયેલા અંગેની ફરીયાદ રજી થયેલ આ બનાવને ધ્યાને રાખી કાઇમ બ્રાન્ચ, જૂનાગઢ ઇચા.પો.ઇન્સ. રાજદીપસિંહજી.કે.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી ડી.જી.બડવા તથા પો.સ.ઇ. શ્રી ડી.એમ.જલુ તથા પો.હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા તથા પો.કોન્સ.સાહિલભાઇ સમા, જયદિપભાઇ કનેરીયા, ભરતભાઇ સોલંકી સહિતના પો.સ્ટાફના માણસો દિવાળી તહેવાર સબબ પેટ્રોલીંગમાં હતા

અને સદર બનાવ સ્થળની મુલાકાત લઇ આજુ-બાજુના સી.સી.ટી.વી. ક્રેઝ તથા ટાવર ડમ્પ તથા ખાનગી બાતમીદારો આધારે તપાસ કરતા હતા. જે તપાસ દરમ્યાન ઉપરોકત પો.સ્ટાફને સંયુકત યોકકસ હકિકત મળેલ કે, ઉપરોકત ગુન્હો કેશોદ ઉતાવળી નદીના કાંઠે રહેતા હુસેનશા ઉર્ફે હુસલો તથા સિંકદરશા ઉર્ફે સિકલો બંને ભાઇઓએ ચોરી કરેલ હોય જેથી તેઓના ઘરે તપાસ કરતા મળી આવતા બંનેની પુછપરછ માટે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવતા મજકુર બંનેની જડતી તપાસ કરતા બંને પાસેથી રોકડા રૂપિયા મળી આવતા બનેની વધુ પુછપરછ હાથ ધરતા ગઇ તા.૧૭/૧૧/૨૦ ના ચોરી કરેલ તે રૂપિયા હોવાનું જણાવેલ.
હુસેન ઉર્ફે હુસનો અચુશા રફાઇ, ફકીર ઉવ.૩૨ રહે. મેંદરડા સાતવડલા મણીનગર મુળ કેશોદ ઉતાવળી નદીના કાંઠે સબ સ્ટેશન પાસે મો.ફોન -૧ કિ.રૂ.પ૦૦/- તથા રોકડા રૂપિયા -૪૫,૦૦૦/ તેમજ  સિંકદર ઉર્ફે સિકલો અચુશા કાઇ, ફકીર ઉવ.૨૩ રહે. કેશોદ ઉતાવણી નદી કાંઠે સબ સ્ટેશન પાછળ

મો.ફોન -૧ કિ. રૂ.૧૦૦૦/- તથા રોકડા રૂપિયા – ૩૦, ૬૦૦/ કુલ મુદામાલ મો.ફોન-૨ તથા રોકડા રૂ.૧,૧૫,૬૦૦/
આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ હુસેન ઉર્ફ હુસલો અયુશા રફાઇ ફકીર

• કેશોદ પો.સ્ટે. ગુ.ર.ન. થર્ડ ૧૧/૨૦૧૭ પ્રોહી ક.ક.૬૬(૧)બી મુજબ

• કેશોદ પો.સ્ટે. ગુ.ર.નં. ફ. ૧૫૨/૧૯ ઇ.પી.કો.ક.કો.ક, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) ,૧૧૪ તથા

જી.પી.એકટ ક.૧૩૫ મુજબ

- સિંકદર ઉર્ફે સીકલો અયુશા રફાઇ ફકીર

કેશોદ પો.સ્ટે. ગુ.ર.ને. થર્ડ ૧૯૪/૧૬ પ્રોહી ક.ક.૬૫એઇ, ૧૧૬, ૮૧ મુજબ • શીલ પો.સ્ટે. ગુ.ર.નં.સે.૧૭/૧૮ ૧૮ જી.પી.એકટ ક. ૧૪ર મુજબ

કેશોદ પો.સ્ટે. ગુ.ર.નં.થર્ડ ૧૮૫/૧૮ પ્રોહી ક.૬૬(૧)બી મુજબ કેશોદ પો.સ્ટે. ગુ.ર.નં.સે. ૧૭૬/૧૯ ઇ.પી.કો.ક,૩૨૩, ૫૦૪ તથા જી.પી.એકટ ક,૧૩૫ મુજબ

કેશોદ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૩ ૦3૦૨૦૦૮૦૧/૨૦૨૦ ઇ.પી.કો.ક.૩ ૨૩, ૨૯૪ (ખ), ૧૧૪ મુજબ

કામગીરી કરનારા પો.અધિકારી/પો કર્મચારી
આ કામગીરીમાં કાઇમ બ્રાન્ચના ઇયા.પો.ઇન્સ.શ્રી રાજદીપસિંહજી .કે.ગોહિલ તથા પો.સ.ઇ. શ્રી ડી.જી.બડવા તથા પો.સ.ઇ.શ્રી ડી.એમ.જલ તથા પો.હેડ કોન્સ. વિ એન.બડવા, વિ.કે. ચાવડા, જીતેષ એચ. મારૂ, નિકુલ એમ. પટેલ તથા પો.કોન્સ. સાહિલ સમા, ભરતભાઇ સોલંકી, જયદિપભાઇ કનેરીયા, કરશનભાઇ કરમટા, ડાયાભાઇ કરમટા, દિનેશભાઈ કરંગીયા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોનારા, ભરતભાઇ ઓડેદરા વિગેરે પોલીસ સ્ટાફ રોકાયો હતો.

રવિવાર, 15 નવેમ્બર, 2020

રાજકોટની પદ્મ કુવરબા હિમોડાયાલિસિસ સેન્ટરમાં દર્દીનું ડાયાલિસીસ માટેનું ડાયાલાઈઝર ત્વરિત ચાલુ કરાવડાવ્યું

 

આરોગ્ય સેવા માટે સદાય તત્પર રૂપાણી સરકારનું ડેશ બોર્ડ

00000

સેન્ટરમાં એરકન્ડીશન અને ડાયાલાઈઝર બંધ પડી જતાં સી.એમ. ડેશ બોર્ડ દ્વારા અમારા સૂચનને ધ્યાને લઇ તુર્ત જ નિરાકરણ લાવી સુવિધામાં વધારો કરાવ્યો

-          લીનાબેન દીપકભાઈ યશવંતે (દર્દી)

રાજકોટની પદ્મા કુવરબા હોસ્પિટલ ખાતે હિમોડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે. જેમાં દર્દીઓની ડાયાલિસીસ પ્રક્રિયા કરવામાં આવે છે.

દર્દી લીનાબેન દીપકભાઈ યશવંતે આજ સેન્ટરમાં છેલ્લા ચાર વર્ષથી ડાયાલીસીસ કરાવે છે. ગત માસે તેમના પતિ દીપકભાઈ યશવંતેને ગાંધીનગર સ્થિત સી.એમ. ડેશ બોર્ડમાંથી સારવાર સુવિધા અંગે પૂછવામાં આવતા એ સમય દરમ્યાન અહીં ટેકનિકલ કારણોસર એસી તેમજ ડાયાલાઈઝર બંધ થઈ જતા હોવાનું હકારાત્મક સૂચન કરવામાં આવ્યું. પછી ગાંધીનગર ખાતેથી તવરિત રિસ્પોન્સ મળતા અહીં બંધ પડેલ એ.સી. તેમજ ડાયાલાઈઝર મશીન શરૂ કરી આપવામાં આવતા દીપકભાઈએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્યલક્ષી સેવા માં કોઈ કસર છોડી નથી. ખાનગી સ્થળે મળતી મોંઘી સુવિધા સામે અમને અહીં નિશુલ્ક ડાયાલિસિસ કરી આપવામાં આવે છે.


 

અન્ય એક દર્દી જૈન સાધ્વી અરુણાજી મહાસતી પહેલા ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવતા હતા, જેવો હવે અહીં નિયમિત આવે છે. તેઓ જણાવે છે કે તેમનો સ્ટાફ સરળ હૃદયનો છે. જે રીતે યોગદાન આપી રહ્યા છે તે લેખે લાગે છે. આટલા બધા દર્દીઓને સાચવી સારવાર કરે છે. તેમની કર્મદક્ષતા અમને ખૂબ ગમી ગઈ છે. અહીંયા ચોખ્ખાઈ ખૂબ સરસ છે, જેનાથી મન પ્રસન્ન રહે છે. ગુજરાત સરકાર ખૂબ સારી સુવિધા પુરી પાડી રહી છે જે માટે હું દિલથી તેમનો આભાર માનું છું 


 

અત્રે ઉલ્લેખનીય છે કે, આયુષ્માન ભારત યોજના હેઠળ તમામ દર્દીઓને રૂપિયા ૩૦૦ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ ચૂકવવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીઓને હિમોગ્લોબીનના એરીથ્રોકોએટીન  ઈન્જેક્શન નિઃશુલ્ક આપવામાં આવતું હોવાનું હેડ ટેકનિશિયન નયન શીશાંગીયા જણાવે છે. અમારા માટે ક્રેડિટ એ છે કે અહીં રાજકોટની ખ્યાતનામ ખાનગી હોસ્પિટલના દર્દીઓ પણ ટ્રાન્સફર થઇ ડાયાલિસીસ માટે આવતા હોવાનું આર.એમ.ઓ. ડો. નૂતન જણાવે છે.

સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય લક્ષી સેવાઓ વધુ ને વધુ સુદૃઢ બનાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર શુશ્રુષામા ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.

રાજકુમાર        

સરકારમાં સેવારત તમામ અધિકારી-કર્મચારીઓને ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ રાજ્ય સરકાર આપશે : CM VIJAYBHAI RUPANI

 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુજરાત સરકારના પાંચ લાખથી વધુ કર્મયોગીઓને દિપાવલી ભેટ

......

ડિજિટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહિત કરવા રૂ-પે કાર્ડ સ્વરૂપમાં અપાશે ફેસ્ટિવલ એડવાન્સની રકમ

-: અંદાજે રૂ. પ૦૦ કરોડ રૂપિયાની નાણાં જોગવાઇ :-

.....

Ø  દિપાવલીના તહેવારોમાં લોકોને ખરીદીમાં સરળતા મળશે

Ø  નાના વેપાર-ધંધા રોજગારને વેગ મળશે

Ø  રાષ્ટ્ર-રાજ્યના અર્થતંત્રમાં પ્રવર્તમાન સ્થિતીમાં નવી ગતિ મળશે

......

       મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારના પાંચ લાખથી વધુ અધિકારી કર્મચારીઓને દીપાવલી ભેટ રૂપે તહેવાર પેશગી આપવાનો ઉદાત્ત નિર્ણય કર્યો છે.

       મુખ્યમંત્રીશ્રીના આ કર્મયોગી હિતકારી નિર્ણયને પરિણામે રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દીપાવલી નૂતનવર્ષ તહેવારોના અવસરે ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે મળશે.

રાજ્ય સરકારે આ હેતુસર અંદાજે રૂ. પ૦૦ કરોડની નાણાં જોગવાઇ કરી છે.

       ડિજિટલ ટ્રાન્ઝેકશનને વધુ પ્રોત્સાહિત કરવા આ એડવાન્સની રકમ અધિકારીઓ કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે.

       અધિકારીઓ-કર્મચારીઓને મળનારી આ પેશગી રાજ્ય સરકાર દ્વારા વગર વ્યાજે ૧૦ માસિક સરખા હપ્તામાં પરત  લેવામાં આવશે.

       મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના આ ઉદ્દાત નિર્ણયને પરિણામે દીપાવલીના તહેવારોમાં લોકોને ચીજ વસ્તુઓની ખરીદીમાં સુગમતા રહેશે તેના પરિણામે નાના વ્યાપારીઓના વ્યવસાય રોજગારને વેગ મળશે.

        પ્રવર્તમાન સ્થિતીમાં દેશ તથા રાજ્યના અર્થતંત્રને પણ નવી ગતિ મળશે.

સી.એમ-પીઆરઓ/અરૂણ/ભરત ગાંગાણી....                                ......


રાજકોટ જિલ્‍લાના રાજકોટ તાલુકાના ઘંટેશ્‍વર ફાયરીંગ બટમાં અવર- જવર પર પ્રતિબંધ

 

રાજકોટ જિલ્‍લાના રાજકોટ તાલુકાના ઘંટેશ્‍વર એસ.આર.પી. જુથ- ૧૩માં આવેલ બફેલ રેન્‍જ ખાતે તા. ૨૧-૧૧-૨૦૨૦ થી ૫-૧૨-૨૦૨૦ સુધી રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી સોરઠ ખાતે તાલીમ લઈ રહેલ ૧૬૬ તાલીમાર્થીઓ મળી કુલ ૨૫૨ તાલીમાર્થીઓ માટે ઓટોમેટીક હથિયારોનું ફાયરીંગ પ્રેકટીસ કરાવવામાં આવનાર હોવાથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે આ ફાયરીંગ બટનો વિસ્તાર તથા આજુબાજુના વિસ્તાર તેમજ બટની પાછળના ભાગના વિસ્તારમાં અવરજવર પર તા. ૫-૧૨-૨૦૨૦ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ તથા ભારતીય ફોજદારી અધિનિયમ કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

પ્રિયંકા  

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જેતપુર ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ ૦૦૦૦૦૦ પ્રવેશ ફોર્મ આગામી તા.૧૭ નવેમ્બર પહેલાં રજીસ્ટર કરવાના રહેશે

 


૦૦૦૦૦૦


ઔદ્યોગિક તાલીમ સંસ્થા - જેતપુર ( વીરપુર )ની અખબારી યાદીમાં જણાવ્યાનુસાર, આઈ.ટી.આઈ. જેતપુર સંસ્થા ખાતે કોપા, ફિટર, સુઇંગ ટેકનોલોજી, વાયરમેન અને મિકેનિક ડીઝલ જેવા વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ કોર્સમાં પ્રવેશ મેળવવા અંગેની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. સંસ્થામાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૧૭ નવેમ્બર સુધીમાં સવારે ૯:૩૦ થી ૦૫:૦૦ કલાક દરમ્યાન ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પોલીસ સ્ટાફ ક્વાર્ટર સામે, માવતર વૃદ્ધાશ્રમની બાજુમાં, વીરપુર ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

શુભમ