સુરત: 10 વર્ષ બાદ સિટી પોલીસની હદમાં ફેરફાર થશે સુરત: શહેર પોલીસની વહીવટી પ્રક્રિયા સરળ બને તે માટે વર્ષ 2008માં સુરતમાં પોલીસ સ્ટેશનની સંખ્યા વધારી હદમાં ફેરફાર કર્યાના 10 વર્ષ બાદ ફરી વખત ફેરફાર કરાયો છે. અત્યારે મદદનીશ સીપીની 7 કચેરી કાર્યરત છે તેમાં એકનો ઉમેરો થશે એટલે કે આઠ થશે.તમામ ફેરફાર તા. 1-12-18થી લાગુ થઈ જશે
મોદી સરકારને ઝટકો : વિકાસનો પરપોટો ફૂટી ગયો, જાહેર થયો GDP નો આ આંક દેશના વિકાસ દરમાં બીજા ત્રિમાસીકમાં મોટું ગાબડું પડ્યું છે. સરકારના તાજા આંકડા મુજબ હાલના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપી પાછલા ત્રિમાસિકના સરખામણીમાં ગગડીને 7.1 ટકા થઈ ગયો છે. પહેલા ત્રિમાસિકમાં દેશનો જીડીપી 8.2 ટકા નોંધાયો હતો. જે પ્રમાણે માત્ર ત્રણ મહિનામાં જ જીડીપીમાં 1.1 ટકાનો ઘટાડો નોંધાયો છે. વિકાસ દરમાં ઘટાડાનું મુખ્ય કારણ ડોલરની સામે રૂપિયો સતત નબળો પડતાં અને ગ્રામીણ માગોમાં આવેલી કમી છે. બીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસદર ઘટીને 7.1% થયો છે.
ત્રણેય રાજ્યોમાં પહેલાથી વધુ સીટ આવશેઃ અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પર પોતાનું મંતવ્ય જણાવ્યું. એમણે કહ્યું કે ભાજપ ત્રણેય રાજ્યોમાં સરકાર બનાવશે. અમિત શાહે કહ્યું કે, મેં બધા રાજ્યોનો પ્રવાસ કર્યો. કાર્યકર્તાઓમાં જોશ છે અને અમે જીતીને દેખાડીશું. મુખ્યમંત્રીઓ સાથે મતભેદ અને ટકરાવના સવાલ પર તેમણે કહ્યું કે આ મીડિયાએ બનાવેલી વાત છે.
સરકારે નર્મદા કેનાલ બંધ કરતાં સૌરાષ્ટ્રના ખેડૂતોનું આંદોલન આ વર્ષે ચોમાસું અતિશય નબળું રહ્યું છે, અને તેને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં અતિશય વધારો થયો છે. મોટાભાગના વિસ્તારોના ખેડૂતોનો પહેલો ફાલ નકામો ગયો છે, જૂનાગઢમાં તો વાવણી પર ભારે વરસાદ થતાં પાક પર બબ્બે વાર પાણી ફરી વળ્યું હતું. હવે ખેડૂતોએ માંડ કરીને પાક ઉગવ્યો છે ત્યાં પાણીની અછત તેમને મારી રહી છે. પાણીની અછતને કારણે સરકારે નર્મદા કેનાલ પણ બંધ કરી દીધી
વિવિધ માંગણીઓ સાથે ખેડૂતો સંસદ સુધી કૂચ કરશે દિલ્હીમાં પોતાની માંગણીઓ લઇને હજારો ખેડૂતો રામલીલા મેદાનમાં એકત્ર થયા છે. અહીંથી તેઓ સંસદ ભવન સુધી માર્ચ કરશે. ખેડૂતોએ કેન્દ્ર સરકાર પાસેથી સંપૂર્ણ દેવા માફી, પાકના ખર્ચના દોઢ ગણા પૈસાની માંગણી રજૂ કરી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી દિલ્હી આવી પહોંચેલા અંદાજે 1 લાખ ખેડૂતોએ બ્રિજવાસનથી રામલીલા મેદાન તરફ કૂચ કરી હતી.
NRI પતિને પોતાની પત્નીઓને છોડવું હવે ભારે પડશે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે એક મોટું એલાન કર્યું છે તેમને કહ્યું કે સંસદના આવનારા સત્રમાં તેઓ એક બિલ લઈને આવશે જેમાં એવી મહિલાઓને સુરક્ષા આપવામાં આવશે. જેમના એનઆરઆઈ પતિએ લગ્ન પછી તેમને છોડી દીધી છે. તેમને કહ્યું કે આ બિલ ઘ્વારા તેઓ એવી બધી જ મહિલાઓને સુરક્ષા આપવાનો પ્રત્યન કરશે જેઓ એનઆરઆઈ વ્યક્તિ સાથે લગ્ન કરે છે.
પહેલીવાર 50 ડૉલર પ્રતિ બેરલથી નીચે આવી કિંમત, ભારત માટે લાભ ગ્લોબલ ક્રૂડ ઓઈલ માર્કેટમાં ઓપેક દેશ હાલ કોઈ આવાં પગલાં નથી ભવા જઈ રહ્યો જેનાથી ઓઈલની કિંમતો પ્રભાવિત થાય, માટે આ વર્ષે પહેલીવાર આવું જોવા મળ્યું છે જ્યારે ન્યૂયોર્કમાં ઓઈલની કિંમતો 50 ડૉલર પ્રતિ બેરલથી પણ નીચે ચાલી ગઈ હોય. હવે સૌની નજર અર્જેન્ટીનામાં થવા જનાર જી20 સંમેલન પર છે જ્યાં ઓઈલ ઉત્પાદક દેશો વાતચીત કરશે.
રાફેલની જેમ નોટબંધી પણ મોટું કૌભાંડ છેઃ રાહુલ ગાંધી નોટબંધી પર પૂર્વ મુખ્ય સલાહકાર અરવિંદ સુ્બ્રમણ્યનના નિવેદન બાદ રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે નોટબંધી પણ રાફેલની જેમ જ એક મોટું કૌભાંડ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તપાસ કરાવીને દોષિતોને સજા આપવી જોઈએ. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જ્યારે અરવિંદ સુબ્રમણ્યને રાજીનામું કેમ ન આપ્યું.
2019માં મધ્યમ વર્ગ વચ્ચે પકડ જમાવવા કોંગ્રેસનો ‘ખાસ પ્લાન લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. આગામી લોકસભા ચૂંટણી માટે મધ્યમ અને વ્યવસાયી વર્ગ વચ્ચે પોતાની પકડ મજબૂત બનાવવા માટે કોંગ્રેસની તૈયારી ચાલી રહી છે. આ ક્રમમાં પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજન અને પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમાર જેવા મોટા ચહેરાઓ ઉપરાંત અલગ અલગ વિચારધારા સાથે જોડાયેલા લોકોને એકજૂથ કરવામાં આવી રહ્યા છે.
ભારતમાં આવનારા 2-3 વર્ષમાં સાઉદી અરબ મોટું રોકાણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી20 સમિટમાં ભાગ લેવા માટે આર્જેન્ટિના પહોંચી ચુક્યા છે. અહીં તેમને યોગા ફોર પીસ કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે તેઓ અર્જેન્ટિનાની ટીમને વિશ્વ્ હોકી કંપની પહેલી મેચ જીતવા માટે અભિનંદન આપે છે. પીએમ મોદીએ કહ્યું કે યોગ આપણે માનસિક શાંતિની સાથે સાથે શારીરિક શાંતિ પણ આપે છે.
ફિલ્મ ઝીરોના સેટ પર લાગી આગ, બચી ગયો શાહરૂખ ખાન ગોરેગાંવ ફિલ્મસિટીના સ્ટુડિયોમાં શાહરુખની આગામી ફિલ્મ ઝીરોના સેટ પર આગ ફાટી નીકળી હતી. આ હોનારતમાં શાહરૂખ માંડ માંડ બચ્યો હતો. સ્ટુડિયોને ઘણું નુકસાન પહોંચ્યુ હતું. ફિલ્મ સિટીની બુકિંગ મેનેજરે જણાવ્યું કે આગ એક કલાકમાં કાબુમાં લેવાઈ ગઈ હતી. સ્ટુડિયો આખો કવર કરાયેલો હોવાથી અંદર ખાસ્સો ધૂમાડો થઈ ગયો હતો. આ કારણે આગ કાબુમાં લાવેમાં પણ વાર લાગી હતી.
તેલંગાણામાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો : દર વર્ષે એક લાખ લોકોને મફતમાં આપશે ગાય ભાજપે ગુરુવારે તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ઢંઢેરામાં વચન અપાયાં છે કે સત્તામાં આવશે તો ખેડૂતોનું રૂપિયા 2 લાખ સુધીનું દેવું માફ કરશે. સ્નાતકોને મફતમાં લેપટોપ આપશે. દારૂનું વેચાણ નિયમિત કરવામાં આવશે. આ સાથે દર વર્ષે એક લાખ કુટુંબોને મફતમાં ગાય આપવાનો વાયદો પણ કર્યો છે. તેલંગાણામાં 7 ડિસેમ્બેર મતદાન યોજાશે.
ડીસામાં પુત્રના લગ્ન કરીને પરત ફરી રહેલા માતા-પિતા સહિત 5 ત્રિપલ અકસ્માતમાં ભડથું ડીસા મંડાર હાઇવે પર ગુરૂવારે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વિફ્ટ કાર અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા વાહનોમાં આગ લાગી હતી. જેના કારણે લગ્નમાંથી પરત ફરી રહેલા વરરાજાના માતા-પિતા સહિત 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. ડીસા મંડાર હાઇવે પર કૂચાવાડા ટોલ પ્લાઝા પાસે આ દૂર્ઘટના સર્જાઇ હતી
નિપાહ વાયરસ અંગે કેરળમાં ફરીથી એલર્ટ 17 લોકોએ જીવ ગુમાવ્યા કેરળ સરકારે નિપાહ વાયરસ માટે સંક્રમણ નિયંત્રણ પ્રક્રિયાઓનું કડક રીતે પાલન કરવા માટે બધા જિલ્લા ચિકિત્સાલય અધિકારીઓ (ડીએમઓ) ને એલર્ટ કરી દીધા છે. એડિશનલ ડાયરેક્ટર (પબ્લિક હેલ્થ) ડૉ. મીનાક્ષીએ કહ્યુ કે બધા ડીએમઓને ચેતવણી આપી છે કે બધી સરકારી હોસ્પિટલોએ સંક્રમણ નિયંત્રણ પ્રેકટીસનું કડક રીતે પાલન કરવાનું છે. નિપાહ વાયરસને કારણે આ વર્ષે 17 લોકોના જીવ ગયા હતા
રામલીલા મેદાનમાં બોલ્યા દેવગૌડા; ખેડૂતો સરકારને સજા આપશે કેન્દ્ર સરકારને ઘેરવા માટે દેશના વિવિધ ભાગમાં ખેડૂતો રાજધાની દિલ્હી સ્થિત રામલીલા મેદાનમાં એકઠા થઈ રહ્યા છે. આની વચ્ચે પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના નેતા એડી દેવગૌડા ખેડૂતોનું સમર્થન કરવા માટે દિલ્હીના રામલીલા મેદાન પહોંચ્યા હતા. જણાવી દઈએ કે ખેડૂતો પોતાના દેવાં માફી અને અન્ય લઘુત્તમ ટેકાના ભાવમાં યોગ્ય ભાવ મળે
ભાજપના ‘કુંવરજી’ પાસે છે કેટલી સંપત્તિ,છે જસદણ બેઠક જે હંમેશા કોંગ્રેસનો ગઢ રહી છે. પરંતુ આ ગઢમાં હવે કોંગ્રેસના બાવળીયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જસદણની પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા કુંવરજી બાવળીયા જસદણ પહોંચ્યા હતા. જ્યા તેમણે ઉમેદવારી નોંધાવતા પહેલ મંદિરમાં દર્શન કર્યા હતા. જે બાદ તેઓ મસ્જિદમાં પણ ગયા હતા. કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવા બાવળીયાએ જસદણમાં રેલી કરી શક્તિ પ્રદર્શન કર્યું હતુ ત્યાર બાદ કુંવરજી બાવળીયાએ જસદણ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા અને ભરત બોઘરા હાજર રહ્યા હતા. કુંવરજી બાવળીયાને સોગંદનામા પર નજર કરીએ તો, તેમની કુલ આવક 14 લાખ 78 હજાર 820 રુપિયા છે. હાથ પર રોકડ 50 હજાર અને બાવળીયા પાસે ફકત એક તોલા સોનું છે. બાવળિયાના પત્ની પાસે ચાર તોલા સોનું અને એક કરોડથી વધુની સ્થાવર-જંગમ મિલકત છે.
કોલસાકાંડ : કોલસા સચિવ સહિત 6ને થશે સજા,કોર્ટેનો ચૂકાદો દિલ્હી કોલસા કાંડમાં ભૂતપૂર્વ કોલસા સચિવ સહીત છ આરોપીઓને દિલ્હીની કોર્ટે દોષિત ઠેરવ્યા છે. આ તમામ દોષિતોને કસ્ટડીમાં લીધા છે. દિલ્હીની એક અદાલતે ભૂતપૂર્વ કોલ સેક્રેટરી એચ. સી. ગુપ્તાને કોલસા કાંડના એક મામલામાં ભ્રષ્ટાચાર અને ગુનાહિત ષડયંત્રના આરોપો હેઠળ દોષિત ઠેરવ્યા છે. આ મામલો પશ્ચિમ બંગાળમાં કોલ બ્લોકની ફાળવણી સાથે સંબંધિત છે.
સુરત બાદ ભાવનગરમાં 6 વર્ષની બાળકી સાથે બની દુષ્કર્મ ઘટના બોટાદના ભાંભણ રોડ પર છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. પોતાના ઘર પાસે રમતી બાળકીને હવસખોર ઇસમે પતંગ બતાવવાની લાલચ આપીને અજ્ઞાત સ્થળે લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. ઘટના બાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓના કાફલોએ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. તપાસ માટે ડોગ સ્કવોર્ડ અને એફએસએલની મદદ પણ લેવામાં આવી હતી. પોલીસે જનતાને અપીલ કરી હતી. અને કહ્યું હતું કે ઘટના કે આરોપી અંગે કોઇપણ પ્રકારની માહિતી કે જાણકારી હોય તો ડર્યા વિના પોલીસનો સંપર્ક કરે. જેથી આરોપી સુધી પહોંચવામાં સરળતા રહે.
દુબઈથી મુંબઈ સુધી દરિયામાં દોડશે સુપરફાસ્ટ ટ્રેન અબુધાબી- દુબઇથી મુંબઇ સુધીની દરિયાની અંદર સફર થાય તો તે એક અચરજ છે. નજીકના ભવિષ્યમાં આ પરિકલ્પના સાકાર થઇ રહી છે. આ બન્ને સ્થળોનું અંતર દરિયાનો પેટાળ નક્કી કરશે જ્યાં સુપરફાસ્ટ ટ્રેન ચાલશે અને મુસાફરોની અવરજવર થશે. હાઇપરલૂપ અને ડ્રાઇવરલેસ ફ્લાઇંગ કાર પછી યુએઇ એક વધુ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર વિચાર કરી રહ્યું છે, જે ભારત સાથે સંકળાયેલો છે. દુબઇ થી મુંબઇની વચ્ચે સમુદ્રની નીચે ટ્રેન દોડી શકે છે.
ગુજરાતના મંત્રીમંડળની દશા બેસી ગઈ છે પ્રદિપસિંહ બાદ નીતિનભાઈ પટેલ પહોંચ્યા હોસ્પિટલમાં ગુજરાતના મંત્રીમંડળની દશા બેસી ગઈ છે. એક પછી એક મંત્રીઓ સર્જરીઓ કરાવવા લાગ્યા છે, પ્રદીપસિંહ જાડેજા પર કેન્સરની સર્જરી થયા પછી હવે નીતિન પટેલ પણ ઘૂંટણની સર્જરી કરાવવા માટે મુંબઇ પહોંચી ગયા છે. સમગ્ર દેશમાં ગુજરાત 25,000 ઘૂંટણની સર્જરી સાથે પ્રથમ નંબરે છે. આવા સંજોગોમાં નાયબ મુખ્યમંત્રી અને જેમની પાસે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો પણ હવાલો છે તેવા નીતિન પટેલ મુંબઇ બ્રિચકેન્ડીમાં સર્જરી કરાવવા પહોંચ્યા છે. નાયબ મુખ્યમંત્રીના કાર્યલયે નીતિન પટેલ બે અઠવાડિયા સુધી સચિવાલય નહી આવે તેમ જણાવ્યુ હતુ. ગુજરાતના મંત્રી મંડળની હાલમાં માઠી દશા બેસી ગઈ છે
ગુજરાતના નકશામાંથી 7 જિલ્લા ગાયબ ગુજરાતના પાઠ્ય પુસ્તક મંડળની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. ગુજરાતના નકશામાંથી 7 જિલ્લા ગાયબ છે. ધોરણ-6ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાંવિદ્યાર્થીઓને મોડા મળેલા આ પુસ્તકમાં છબરડો દેખાયો છે. બોટાદ, અરવલ્લી, છોટાઉદેપુર, મહિસાગર જિલ્લાનો સીમાકંન નહીં. તેમજ તાપી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પણ સીમાંકનનો સમાવેશ નહીં.ધોરણ-6ના પાઠ્યપુસ્તકમાં છબરડાના મામલે GCERTના ડાયરેક્ટર ટી.એસ.જોશીએ નિવેદન આપ્યું છે. જોશીએ જણાવ્યું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ક્ષતિ હશે તો નવા પાઠ્યપુસ્તકમાં સુધારો કરાશે
ગુજરાતમાં પણ અમેરિકાની જેમ હથિયાર હવે લગભગ દરેક ઘરમાં થઇ જાય તો નવાઇ નહી હથિયાર રાખવું સ્ટેટ્સ સિમ્બોલ બન્યું, ગુજરાતના આ શહેરમાં છે સૌથી વધુ હથિયારધારકો ગુજરાતમાં પણ અમેરિકાની જેમ હથિયાર હવે લગભગ દરેક ઘરમાં થઇ જાય તો નવાઇ નહી. પહેલા લોકો સ્વરક્ષણ અને મોટા ભાગે ખેડૂતો પાક બચાવવા હથિયાર રાખતા હતા. પણ હવે હથિયાર રાખવું એક સ્ટેટ્સ સિમ્બોલ બની ગયુ છે. ગુજરાતના મધ્ય ગુજરાતમાં સૌથી વધુ પરવાનેદાર હથિયારધારકો છે.મધ્ય ગુજરાતના 8 શહેર જિલ્લામાં 14,629થી વધુ હથિયારધારકો છે. લોકો હવે સ્ટેટ્સ, સ્વરક્ષણ તેમજ પ્રભાવ પાડવા હથિયાર રાખવાનું ચલણ વધી રહ્યું છે. હથિયારનું લાયસન્સ મેળવવામાં દાહોદ બાદ વડોદરા શહેર મોખરે છે. દેશમાં સૌથી વધુ યુપીમાં 13 લાખ લાયસન્સ ધારકો છે. ગુજરાતના વડોદરા શહેરમાં 1956 અને જિલ્લામાં 602 સ્વરક્ષણ માટે લોકો હથિયારો રાખે છે. તેમજ ઘણા લોકો સ્વરક્ષણ અને પાકના બચાવ માટે હથિયારના લાઇસન્સ મેળવતા હોય છે.
હિંદુસ્તાન પેટ્રોલિયમ ફ્રીમાં પેટ્રોલ ભરાવવાની કંપની ઓફર નવી દિલ્હીઃ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ તમને 1 લીટર પેટ્રોલ મફતમાં મેળવવાની તક આપી રહી છે. પરંતુ સાથે જ એક શરત પણ મૂકવામાં આવી છે. શરત એ છે કે આના માટે આપને કંપનીની એચપી રીફ્યૂલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે.હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની વેબસાઈટ અનુસાર ફ્રી પેટ્રોલ આપવા માટે કસ્ટમરને HP રીફ્યૂલ એપ્લિકેશનથી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરવાનું રહેશે અથવા સિલિન્ડર રીફિલ કરાવવો પડશે.
2020 માં બીએસ-4 વાહનો ગણાશે ભંગાર- સુપ્રીમ દેશમાં વધી રહેલા પ્રદુષણને લઇને સુપ્રીમ કોર્ટે કડક નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે 1 એપ્રિલ 2020 પછી દેશમાં બીએસ-4 વાહનોના વેચાણ અને તેના રજિસ્ટ્રેશન પર રોક લગાવી દીધી છે. દેશમાં અત્યારે બની રહેલા આશરે તમામ વાહનો બીએસ-4 શ્રેણીમાં આવે છે. કોર્ટે ચુકાદો સંભળાવતા કંપનીઓને બીએસ-4 વાહનોનો સ્ટોક ખત્મ કરવા માટે એપ્રિલ 2020 સુધીનો સમય આપ્યો છે, ત્યારબાદ બીએસ-4 વાહનોનું વેચાણ અને રજિસ્ટ્રેશન નહીં કરાવી શકાય.
બાવળિયાએ શુભ મુહૂર્તમાં ભર્યું ફોર્મ કેન્દ્રિય મંત્રીઓ રહ્યાં હાજર જસદણ બેઠક પરથી પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ બેઠક પરથી કુંવરજી બાવળીયાએ ફોર્મ ભર્યુ છે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા અને ભરત બોઘરા હાજર રહ્યા હતા. બાવળીયાએ પક્ષ પલટો કરતા જસદણ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કુંવરજી બાવળીયાએ ફોર્મ ભરતા પહેલા જસદણમાં ભાજપના નેતાઓ સાથે મોટી રેલી કાઢી હતી. કુવરજી બાવળિયાએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસમાં હજુ નામ બાબતે ઠેકાણા પણ નથી.આ પહેલા ભાજપના નેતાઓએ સભા પણ સંબોધી હતી.
ભારતનું ભવિષ્ય અંધકારમાં ગ્લોબલ ન્યૂટ્રિશન રિપોર્ટ ભારતના બાળકો સંદર્ભે ગ્લોબલ ન્યૂટ્રિશન રિપોર્ટ-2018 દ્વારા ઘણાં ખતરનાક સંકેતો સાંપડી રહ્યા છે. બાળકોના પોષણ અને વિકાસના મામલે ભારત ઘણું પાછળ છે. અવિકસિત, અલ્પવિકસિત અને ઓવરવેટ બાળકોની સંખ્યા રિપોર્ટ પ્રમાણે ભારતમાં ઘણી વધારે છે. વિશ્વના અવિકસિત બાળકોમાંથી લગભગ એક તૃતિયાંશ બાળકો ભારતીય છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલ દુનિયામાં 150.8 મિલિયન બાળકો અવિકસિત છે અને તેમાના 46.6 મિલિયન બાળકો ભારતમાં છે. કુપોષણના મામલામાં પહેલા જ ભારતની સ્થિતિ ચિંતાજનક છે. આ રિપોર્ટ વધુ કેટલાક ખતરનાક સંકેતો આપી રહ્યો છે.
આહવા માહિતી ખાતાની કચેરી જર્જરીત ગમે ત્યારે તૂટી પડે તેવી હાલત આહવા હંમેશા સરકારી યોજનાઓ-સરકારી કાર્યક્રમો અને વિકાસનાં કામોની વાહવાહી કરતું આહવા માહિતી ખાતાની કચેરીની હાલત દિવાતળે અંધારા જેની છે. આજથી ૩૮ વર્ષ જુનું માહિતીનું બિલ્ડિંગ ગમે ત્યારે તુટી પડે તેવી હાલતમાં છે. ત્યાં ટોઈલેટ-બાથરૂમ પાણી વગર બંધ છે જ પરંતુ પીવાનું શુધ્ધ પાણી પણ મળતું નથી.તા.૨૦-૫-૧૯૮૧માં તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનાં બહસ્તે આહવાની માહિતી કચેરીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.(સાભાર : લોકાર્પણ)