કોઠારીયા રોડ પર શ્રીરામ પાર્કમાં દંપતિ
પર છ શખ્સોનો હિચકારો હુમલો
ઘાયલ દંપતિ ખાનગી હોસ્પિટલમાં દાખલ: કારમાંથી ઉતરી દંપતિ પર ધોકા, તલવારથી તૂટી પડયા: ઘરમાં ટીવી-ગાડીના કાચ તોડી આતંક મચાવ્યો : ઘટનાસ્થળે દોડેલી ભકિતનગર પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ સીસી ફૂટેજના આધારે તપાસ : હુમલાનો ભોગ બનેલ દંપતિ "નિર્દોષ” કુટાઈ ગયાનું પોલીસનું અનુમાન: દંપતિને કોઈની સાથે વેરઝેર નથી! : બપોરના 12/00 વાગ્યે ફિલ્મી સ્ટાઈલમાં કારમાં ધસી આવેલા છ અજાણ્યા શખ્સોના આતંકથી પટેલ દંપતિ ભયભીત: સારવાર હેઠળ
રાજકોટ તા.19
શહેરના કોઠારીયા રોડ પરના શ્રીરામ પાર્કમાં રહેતા એક પટેલ દંપતિ ઉપર છ અજાણ્યા શખ્સો બપોરના બાર વાગ્યાના ટકોરે ધોકા- તલવારથી હિચકારો હુમલો કરતા નાની મોટી ગંભીર ઈજાઓ સાથે દંપતિને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ છે. હુમલાખોર શખ્સોએ જતા જતા ઘરનું ફર્નીચર, ટીવી, ગાડીના કાચ વિગેરે તોડીફોડી આતંક મચાવી નાશી છૂટયા હતા. બનાવથી પડોશી વર્ગ પણ ભયભીત બન્યો છે. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સીસી ટીવી ફૂટેજના આધારે હુમલાખોરો સુધી પહોંચવાની કવાયત આદરી છે.
ભેદી રીતે પટેલ દંપતિ પર થયેલા હુમલાની મળતી વિગતો મુજબ શહેરના કોઠારીયા મેઈન રોડ પર આવેલ શ્રીરામ પાર્કની શેરી નં.3માં રહેતા મનસુખભાઈ નાગજીભાઈ વોરા (ઉ.55) અને તેમના પત્ની ભાનુબેન મનસુખભાઈ વોરા (ઉ.50) એમ દંપતિ આજે પોતાના ઘરે હતું.
ત્યારે બપોરના 12 વાગ્યે ફિલ્મી સ્ટાઈલથી ધસી આવેલી એક અજાણી કારમાંથી ઉતરેલા છ શખ્સો મનસુખભાઈના ઘરમાં ઘુસી-તલવાર અને ધોકા વડે મનસુખભાઈ અને ભાનુબેન પર તૂટી પડયા હતા.
આવા સમયે ‘તમે કોણ છો?’ ‘તમે કયાંથી આવો છો?’, ‘તમો શું કામ અમારા પર હુમલો કરી મારો છો?’ વિગેરે પ્રશ્ર્નોના બુમ બરાડા વચ્ચે પણ મનસુખભાઈ અને ભાનુબેન ઉપર મરણતોલ હુમલો કરતા છએ શખ્સોએ કંઈ પણ બોલ્યા વગર, ઘરમાં ટીવી, ટેબલ, ટીપોઈ, ગાડીના કાચ વિગેરે પર તલવાર અને ધોકાના ઘા કરી તોડફોડ કરી નાશી છૂટયા હતા.
બીજી બાજુ લોહીલુહાણ દંપતિને પડોશીઓની મદદથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી પોલીસને જાણ કરાતા ભકિતનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
ભકિતનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સહિતના કાફલાએ બનાવ સ્થળે નિરીક્ષણ કરી સીસી ફૂટેજ કબજે કરતા આતંક મચાવનાર શખ્સો ખુલ્લા મોઢાએ ધોકા, લાકડી, તલવાર જેવા હથિયારો સાથે મનસુખભાઈ વોરાના મકાનમાં પ્રવેશતા જોવા મળ્યા હોય હુમલાખોરો પકડાઈ જવાની પોલીસે આશા સેવી છે.
બનાવ સંદર્ભે હુમલાનો ભોગ બનેલા દંપતિના સગા વ્હાલાઓએ વધુ વિગતો આપી હતી કે મનસુખભાઈ પોતાના ઘર નજીક જ ચોકમાં ઈગલ પાન નામની દુકાન ધરાવે છે. સિધીલીટીમાં જીવન જીવનાર વ્યકિત છે. મનસુખભાઈને બે સંતાનોમાં 1 પુત્ર અને 1 પુત્રી છે. જે બન્ને પરણીત છે.
પુત્ર સંદીપભાઈ ચાટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) હોય તે આ વ્યવસાયની શહેરમાં ઓફીસ ધરાવે છે. અચાનક હુમલાના બનાવથી મનસુખભાઈ અને તેમના પત્ની પ્રભાબેન ભયભીત બની ગયા છે. હાલ બન્ને મધુરમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ ઘટનામાં તમામ પ્રકારના પાસાઓને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પુત્રવધુ પડોશીઓને બોલાવવા દોડયા ત્યાં હુમલાખોરો નાશી ગયા!
ભર બપોરે દિનદહાડે શ્રીરામ પાર્કમાં પટેલ દંપતિ પર હિચકારો હુમલો થયો ત્યારે ઘરમાં માત્ર ત્રણ સભ્યો હાજર હતા. સાસુ અને સસરા પર થઈ રહેલા હુમલાની અને છ શખ્સોની આતંકની ઘટના સમયે હાજર મિતલબેન સંદિપભાઈ વોરા નામના પુત્રવધુ પડોશીઓની મદદ માટે ઘર બહાર દોડયા હતા પણ ત્યાં સુધીમાં હુમલાખોરો આતંક મચાવી નાસી છૂટયા હોવાનું મિતલબેને જણાવ્યુ હતું.
નિર્દોષ દંપતિ પર હુમલો થઈ ગયાનું પોલીસનું અનુમાન
રાજકોટ શહેરની પોલીસ માટે પડકાર સમાન આજની પટેલ દંપતિ પરની હુમલાની ઘટનાથી શ્રીરામ પાર્ક વાસીઓ ભયભીત બની ગયા છે. અહીં પોલીસની ધાક ભોંમા ધરબાઈ ગઈ છે તો ગુનેગારોનો ખૌફ સારાયે શહેરમાં ગમે ત્યાં, ગમે ત્યારે આતંક મચાવી રહ્યો હોય પોલીસને મહદઅંશે કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ સુધારવાનો સમય પાકી ગયો હોવાનું જાણકારો કરે છે.
બીજી બાજુ આજની ઘટનામાં નિર્દોષ પટેલ દંપતિ કુટાઈ ગયાનું પોલીસ અનુમાન કરી તપાસનો દૌર આગળ ધપાવ્યો છે.
હુમલાખોરો ઘર ભૂલ્યા કે દંપતિનું જુનુ વેરઝેર કારણભૂત?
પોલીસને દ્દઢ શંકા: આવો હુમલો કેમ થઈ શકે?
શ્રીરામ પાર્કમાં મનસુખભાઈ અને પ્રભાબેન પટેલ એમ દંપતિ પર હિચકારા હુમલામાં પોલીસ પણ ચકરાવે ચડી છે. વગર વાંકે આવી રીતે દંપતી પર કેમ હુમલો થઈ શકે? હુમલાખોરો શા માટે હુમલો કરે? હુમલાનું કારણ શું? કે હુમલાખોરો ‘ઘર’ ભૂલી નિર્દોષને હુમલાનો ભોગ બનાવી ગયા? તો પટેલ દંપતિને કોઈ ઝઘડો થયો છે? પૈસાની લેતી દેતી કારણભૂત છે કે બીજા કોઈ વેરઝેરના લીધે તેઓ હુમલાનો ભોગ બન્યા? વિ. બાબતોની પોલીસે તપાસ હાથ ધરી છે.
પર છ શખ્સોનો હિચકારો હુમલો
ઘાયલ દંપતિ ખાનગી હોસ્પિટલમાં દાખલ: કારમાંથી ઉતરી દંપતિ પર ધોકા, તલવારથી તૂટી પડયા: ઘરમાં ટીવી-ગાડીના કાચ તોડી આતંક મચાવ્યો : ઘટનાસ્થળે દોડેલી ભકિતનગર પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ સીસી ફૂટેજના આધારે તપાસ : હુમલાનો ભોગ બનેલ દંપતિ "નિર્દોષ” કુટાઈ ગયાનું પોલીસનું અનુમાન: દંપતિને કોઈની સાથે વેરઝેર નથી! : બપોરના 12/00 વાગ્યે ફિલ્મી સ્ટાઈલમાં કારમાં ધસી આવેલા છ અજાણ્યા શખ્સોના આતંકથી પટેલ દંપતિ ભયભીત: સારવાર હેઠળ
રાજકોટ તા.19
શહેરના કોઠારીયા રોડ પરના શ્રીરામ પાર્કમાં રહેતા એક પટેલ દંપતિ ઉપર છ અજાણ્યા શખ્સો બપોરના બાર વાગ્યાના ટકોરે ધોકા- તલવારથી હિચકારો હુમલો કરતા નાની મોટી ગંભીર ઈજાઓ સાથે દંપતિને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ છે. હુમલાખોર શખ્સોએ જતા જતા ઘરનું ફર્નીચર, ટીવી, ગાડીના કાચ વિગેરે તોડીફોડી આતંક મચાવી નાશી છૂટયા હતા. બનાવથી પડોશી વર્ગ પણ ભયભીત બન્યો છે. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સીસી ટીવી ફૂટેજના આધારે હુમલાખોરો સુધી પહોંચવાની કવાયત આદરી છે.
ભેદી રીતે પટેલ દંપતિ પર થયેલા હુમલાની મળતી વિગતો મુજબ શહેરના કોઠારીયા મેઈન રોડ પર આવેલ શ્રીરામ પાર્કની શેરી નં.3માં રહેતા મનસુખભાઈ નાગજીભાઈ વોરા (ઉ.55) અને તેમના પત્ની ભાનુબેન મનસુખભાઈ વોરા (ઉ.50) એમ દંપતિ આજે પોતાના ઘરે હતું.
ત્યારે બપોરના 12 વાગ્યે ફિલ્મી સ્ટાઈલથી ધસી આવેલી એક અજાણી કારમાંથી ઉતરેલા છ શખ્સો મનસુખભાઈના ઘરમાં ઘુસી-તલવાર અને ધોકા વડે મનસુખભાઈ અને ભાનુબેન પર તૂટી પડયા હતા.
આવા સમયે ‘તમે કોણ છો?’ ‘તમે કયાંથી આવો છો?’, ‘તમો શું કામ અમારા પર હુમલો કરી મારો છો?’ વિગેરે પ્રશ્ર્નોના બુમ બરાડા વચ્ચે પણ મનસુખભાઈ અને ભાનુબેન ઉપર મરણતોલ હુમલો કરતા છએ શખ્સોએ કંઈ પણ બોલ્યા વગર, ઘરમાં ટીવી, ટેબલ, ટીપોઈ, ગાડીના કાચ વિગેરે પર તલવાર અને ધોકાના ઘા કરી તોડફોડ કરી નાશી છૂટયા હતા.
બીજી બાજુ લોહીલુહાણ દંપતિને પડોશીઓની મદદથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી પોલીસને જાણ કરાતા ભકિતનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
ભકિતનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સહિતના કાફલાએ બનાવ સ્થળે નિરીક્ષણ કરી સીસી ફૂટેજ કબજે કરતા આતંક મચાવનાર શખ્સો ખુલ્લા મોઢાએ ધોકા, લાકડી, તલવાર જેવા હથિયારો સાથે મનસુખભાઈ વોરાના મકાનમાં પ્રવેશતા જોવા મળ્યા હોય હુમલાખોરો પકડાઈ જવાની પોલીસે આશા સેવી છે.
બનાવ સંદર્ભે હુમલાનો ભોગ બનેલા દંપતિના સગા વ્હાલાઓએ વધુ વિગતો આપી હતી કે મનસુખભાઈ પોતાના ઘર નજીક જ ચોકમાં ઈગલ પાન નામની દુકાન ધરાવે છે. સિધીલીટીમાં જીવન જીવનાર વ્યકિત છે. મનસુખભાઈને બે સંતાનોમાં 1 પુત્ર અને 1 પુત્રી છે. જે બન્ને પરણીત છે.
પુત્ર સંદીપભાઈ ચાટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) હોય તે આ વ્યવસાયની શહેરમાં ઓફીસ ધરાવે છે. અચાનક હુમલાના બનાવથી મનસુખભાઈ અને તેમના પત્ની પ્રભાબેન ભયભીત બની ગયા છે. હાલ બન્ને મધુરમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ ઘટનામાં તમામ પ્રકારના પાસાઓને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પુત્રવધુ પડોશીઓને બોલાવવા દોડયા ત્યાં હુમલાખોરો નાશી ગયા!
ભર બપોરે દિનદહાડે શ્રીરામ પાર્કમાં પટેલ દંપતિ પર હિચકારો હુમલો થયો ત્યારે ઘરમાં માત્ર ત્રણ સભ્યો હાજર હતા. સાસુ અને સસરા પર થઈ રહેલા હુમલાની અને છ શખ્સોની આતંકની ઘટના સમયે હાજર મિતલબેન સંદિપભાઈ વોરા નામના પુત્રવધુ પડોશીઓની મદદ માટે ઘર બહાર દોડયા હતા પણ ત્યાં સુધીમાં હુમલાખોરો આતંક મચાવી નાસી છૂટયા હોવાનું મિતલબેને જણાવ્યુ હતું.
નિર્દોષ દંપતિ પર હુમલો થઈ ગયાનું પોલીસનું અનુમાન
રાજકોટ શહેરની પોલીસ માટે પડકાર સમાન આજની પટેલ દંપતિ પરની હુમલાની ઘટનાથી શ્રીરામ પાર્ક વાસીઓ ભયભીત બની ગયા છે. અહીં પોલીસની ધાક ભોંમા ધરબાઈ ગઈ છે તો ગુનેગારોનો ખૌફ સારાયે શહેરમાં ગમે ત્યાં, ગમે ત્યારે આતંક મચાવી રહ્યો હોય પોલીસને મહદઅંશે કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ સુધારવાનો સમય પાકી ગયો હોવાનું જાણકારો કરે છે.
બીજી બાજુ આજની ઘટનામાં નિર્દોષ પટેલ દંપતિ કુટાઈ ગયાનું પોલીસ અનુમાન કરી તપાસનો દૌર આગળ ધપાવ્યો છે.
હુમલાખોરો ઘર ભૂલ્યા કે દંપતિનું જુનુ વેરઝેર કારણભૂત?
પોલીસને દ્દઢ શંકા: આવો હુમલો કેમ થઈ શકે?
શ્રીરામ પાર્કમાં મનસુખભાઈ અને પ્રભાબેન પટેલ એમ દંપતિ પર હિચકારા હુમલામાં પોલીસ પણ ચકરાવે ચડી છે. વગર વાંકે આવી રીતે દંપતી પર કેમ હુમલો થઈ શકે? હુમલાખોરો શા માટે હુમલો કરે? હુમલાનું કારણ શું? કે હુમલાખોરો ‘ઘર’ ભૂલી નિર્દોષને હુમલાનો ભોગ બનાવી ગયા? તો પટેલ દંપતિને કોઈ ઝઘડો થયો છે? પૈસાની લેતી દેતી કારણભૂત છે કે બીજા કોઈ વેરઝેરના લીધે તેઓ હુમલાનો ભોગ બન્યા? વિ. બાબતોની પોલીસે તપાસ હાથ ધરી છે.

















