આગનું કારણ શોધવા તંત્રની કવાયત : કોઈ જાનહાની નહિ !
રાજકોટ તા.૧૧
આજે વહેલી સવારે પડધરી બાયપાસ પાસે એક જીનીંગના કારખાનામાં લાગ ભભૂકી ઉઠતા આશરે ૯૫ થી ૧૦૦ જેટલી ગાડીનો એટલેકે રૂપિયા પાંચેક કરોડનો કપાસ બળીને ભસ્મી ભૂત થઇ ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે. આગની જાણ પરથી રાજકોટ ખાતેથી ૩ ફાયર ફાયટર સ્ટાફે દોડી જઈને આગને કાબુમાં લઇ લીધી છે. છતાં અંદર ખાતે આગ પ્રજ્જ્વલ્લિત હોવાનું દેખાય છે.
બનાવમાં કોઈ જાનહાની નથી. રાજકોટના રહીશ અને પટેલ કોટન જીનીંગ કારખાનાના માલિક વસંતભાઈ જીણાભાઇ ગોટીની જાણ પરથી સંબંધિત સત્તાધીશોએ, સરકારી તંત્રોએ ઘટના સ્થળે દોડી જઈને આગનું કારણ જાણવા મથામણ ચાલુ કરી છે.
બનાવમાં કોઈ જાનહાની નથી. રાજકોટના રહીશ અને પટેલ કોટન જીનીંગ કારખાનાના માલિક વસંતભાઈ જીણાભાઇ ગોટીની જાણ પરથી સંબંધિત સત્તાધીશોએ, સરકારી તંત્રોએ ઘટના સ્થળે દોડી જઈને આગનું કારણ જાણવા મથામણ ચાલુ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રહેતા અને પડધરી બાયપાસ પાસે પટેલ કોટન નામનું જીનીંગનું કારખાનું ધરાવતા વસંતભાઈ જીણાભાઇ પટેલની માલિકીના ઉપરોક્ત સ્થળે આજે વહેલી સવારે ૩-૦૦ વાગ્યાથી ૪-૦૦ વાગ્યા દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતા ત્યાં રાતવાસો કરતા માણસોએ વસંતભાઈને જાણ કરી બનાવ સ્થળે બોલાવ્યા હતા.
માલિકે સૌ પ્રથમ રાજકોટ ફાયર તંત્રને જાણ કરી કોટન કારખાને પહોચ્યા હતા. થોડી વારમાં આવી પહોચેલ રાજકોટ ફાયર બ્રિગેડ સ્ટાફે પાણીનો સખત મારો ચલાવી આગને સંપૂર્ણ કાબુમાં લઇ લીધી છે. છતાં કપાસના ઢગલામાં અંદર ખાતે આગના લબકારા ચાલુ છે. આ બાબતે વસંતભાઈ ગોટીએ “સાંજસમાચાર”ને જણાવેલ કે, પોતાની જીનીંગ મિલમાં આશરે ૯૫ થી ૧૦૦ ગાડી(ટ્રક) જેટલો કપાસનો જથ્થો પડ્યો હતો. એક ગાડીની કીમત આશરે સાડા પાંચ લાખ ગણીએ તો આશરે પાંચેક કરોડનો કપાસ આગમાં બળીને ખાક થઇ ગયો હોવાની દહેશત સેવાઈ રહી છે.
બનાવની જાણ પરથી સંબંધિત સરકારી સુત્રોએ ઘટના સ્થળે દોડી જઈને આગનું કારણ જાણવા મથામણ શરુ કરી છે. બનાવ સમયે કોઈ જાનહાની થવા પામી નથી પણ માલિકને કરોડોનું નુકશાન સહવાની નોબત આવી હોવાની વાત નકારી શકાતી નથી.



































