અનુયાયીઓ

બુધવાર, 11 એપ્રિલ, 2018

પડધરી બાયપાસ પાસે જીનીંગમાં આગથી ૫ કરોડનો ૧૦૦ ગાડી કપાસ બળીને ખાક


આગનું કારણ શોધવા તંત્રની કવાયત : કોઈ જાનહાની નહિ ! 
રાજકોટ તા.૧૧
આજે વહેલી સવારે પડધરી બાયપાસ પાસે એક જીનીંગના કારખાનામાં લાગ ભભૂકી ઉઠતા આશરે ૯૫ થી ૧૦૦ જેટલી ગાડીનો એટલેકે રૂપિયા પાંચેક કરોડનો કપાસ બળીને ભસ્મી ભૂત થઇ ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે. આગની જાણ પરથી રાજકોટ ખાતેથી ૩ ફાયર ફાયટર સ્ટાફે દોડી જઈને આગને કાબુમાં લઇ લીધી છે. છતાં અંદર ખાતે આગ પ્રજ્જ્વલ્લિત હોવાનું દેખાય છે.



બનાવમાં કોઈ જાનહાની નથી. રાજકોટના રહીશ અને પટેલ કોટન જીનીંગ કારખાનાના માલિક વસંતભાઈ જીણાભાઇ ગોટીની જાણ પરથી સંબંધિત સત્તાધીશોએ, સરકારી તંત્રોએ ઘટના સ્થળે દોડી જઈને આગનું કારણ જાણવા મથામણ ચાલુ કરી છે. 
મળતી વિગતો મુજબ રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રહેતા અને પડધરી બાયપાસ પાસે પટેલ કોટન નામનું જીનીંગનું કારખાનું ધરાવતા વસંતભાઈ જીણાભાઇ પટેલની માલિકીના ઉપરોક્ત સ્થળે આજે વહેલી સવારે ૩-૦૦ વાગ્યાથી ૪-૦૦ વાગ્યા દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતા ત્યાં રાતવાસો કરતા માણસોએ વસંતભાઈને જાણ કરી બનાવ સ્થળે બોલાવ્યા હતા.
માલિકે સૌ પ્રથમ રાજકોટ ફાયર તંત્રને જાણ કરી કોટન કારખાને પહોચ્યા હતા. થોડી વારમાં આવી પહોચેલ રાજકોટ ફાયર બ્રિગેડ સ્ટાફે પાણીનો સખત મારો ચલાવી આગને સંપૂર્ણ કાબુમાં લઇ લીધી છે. છતાં કપાસના ઢગલામાં અંદર ખાતે આગના લબકારા ચાલુ છે. આ બાબતે વસંતભાઈ ગોટીએ “સાંજસમાચાર”ને જણાવેલ કે, પોતાની જીનીંગ મિલમાં આશરે ૯૫ થી ૧૦૦ ગાડી(ટ્રક) જેટલો કપાસનો જથ્થો પડ્યો હતો. એક ગાડીની કીમત આશરે સાડા પાંચ લાખ ગણીએ તો આશરે પાંચેક કરોડનો કપાસ આગમાં બળીને ખાક થઇ ગયો હોવાની દહેશત સેવાઈ રહી છે.
બનાવની જાણ પરથી સંબંધિત સરકારી સુત્રોએ ઘટના સ્થળે દોડી જઈને આગનું કારણ જાણવા મથામણ શરુ કરી છે. બનાવ સમયે કોઈ જાનહાની થવા પામી નથી પણ માલિકને કરોડોનું નુકશાન સહવાની નોબત આવી હોવાની વાત નકારી શકાતી નથી.

મંગળવાર, 10 એપ્રિલ, 2018

સૌથી વ્યસ્ત એરપોર્ટના લિસ્ટમાં ભારતનું એરપોર્ટ 16મા સ્થાને



ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ(IGI)થી યાત્રા કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જેના લીધે તેને દુનિયાના ટોપ 20 વ્યસ્ત એરપોર્ટની લિસ્ટમાં જગ્યા મળી છે. યાત્રીઓની સંખ્યાના મામલામાં તેણે ન્યૂ યોર્કના જ્હોન એફ કેનેડી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને પાછળ છોડી દીધું છે. એરપોર્ટ કાઉન્સીલ ઈન્ટરનેશનલ(ACI)ની 2017ના રિપોર્ટ પ્રમાણે સૌથી વ્યસ્ત એરપોર્ટની લિસ્ટમાં ભારતનું IGI 16મા સ્થાને છે. કાઉન્સીલના કહેવા પ્રમાણે કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લોર અને ચેન્નાઈ એ એરપોર્ટમાં સામેલ છે જેમાં ગયા વર્ષની સરખામણીએ યાત્રીઓની સંખ્યામાં સારો વધારો થયો છે.

ACI દુનિયાના એરપોર્ટનો વ્યાપાર સંઘ છે, જેણે વર્ષ 2017મા દુનિયાભરના 1202 એરપોર્ટના ડેટાને ભેગા કર્યા હતા, જેમાં ભારત અને ચીનમાં સતત પેસેન્જર ટ્રાફિક વધતો જોવા મળી રહ્યો છે. ACIએ કહ્યું છે કે, જે રીતે ઓછા સમયમાં ભારતમાં ઉડ્ડયન માર્કેટ વધી રહ્યું છે તેના પરથી નક્કી છે કે આવનારા વર્ષોમાં તે દુનિયાનું સૌથી મોટું ઉડ્ડયન માર્કેટ બની જશે.

ACIએ પૂર્વાનુમાન લગાવ્યું છે કે આવનારા સમયમાં પેસેન્જર ટ્રાફિકના મામલે ચીન અને અમેરિકા પછી ભારત દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું ઉડ્ડયન માર્કેટ બની જશે. ACI એરપોર્ટ 2016મા 22મા સ્થાન પર હતું, જે 6 ક્રમ આગળ જઈને 16મા ક્રમે પહોંચ્યું છે. પેસેન્જર ટ્રાફિકના મામલે દિલ્હી દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે, જેમાં દર વર્ષે 14.1%થી યાત્રીઓની સંખ્યા વધી રહી છે.

ગતવર્ષના ધો.12ના નાપાસ થયેલ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની હોલ ટીકીટ કાલે વિત૨ણ થશે


ગુજ૨ાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષ્ાણ બોર્ડ, ગાંધીનગ૨ની અખબા૨ યાદીમાં જણાવે છે કે, ઉ.મા.પ્ર. પ૨ીક્ષ્ાા વિજ્ઞાન પ્રવાહના સેમેસ્ટ૨ -૧ થી ૪ ની પ૨ીક્ષ્ાાના તમામ વિષ્ાયોમાં ઉપસ્થિત ૨હ્યા બાદ અનુતીર્ણ (એન.આઈ.) થયેલ તથા જુલાઈ ૨૦૧૭ અને તે પહેલાની જુલાઈ પૂ૨ક પ૨ીક્ષ્ાામાં અનુતીર્ણ (એન.આઈ.) થયેલ ઉમેદવા૨ોની ખાસ પ૨ીક્ષ્ાા એપ્રિલ-૨૦૧૮ ની હોલ-ટીકીટ વિત૨ણ જિલ્લાના વિત૨ણ સ્થળે તા.૧૨/૦૪/૨૦૧૮ ના ૨ોજ સવા૨ે ૧૧:૦૦ થી ૧૬:૦૦ કલાક દ૨મ્યાન વિત૨ણ થના૨ છે. તો ૨ાજયની ઉ.મા.શાળાના આચાયર્ર્ઓએ પોતાની શાળાની હોલ-ટીકીટ મુખત્યા૨ પત્ર ૨જુ ક૨ી મેળવી લેવાની ૨હેશે. નિયત ક૨ેલ વિત૨ણ કેન્ોની યાદી બોર્ડની વેબસાઈટ www.gseb.org  ઉપ૨ મૂક્વામાં આવેલ છે.

બ્રહ્મદેવ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવ નીમીતે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન

રાજકોટ તા.9
તા.18/4/2018ને બુધવારના રોજ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના પૂર્વજ એવા ભગવાન પરશુરામના જન્મ ઉત્સવ નિમિતે બ્રહ્મદેવ સમાજ, રાજકોટના યુવા અને મહિલા પાંખ દ્વારા દર વર્ષ કરતા આ વર્ષે એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.13થી તા.17 સુધી ભવ્ય પંડાલ તેમજ રોજ સાંજે 8 કલાકે કિશાનપરા ચોક, રાજકોટ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તા.14ને શનિવારના રોજ 40 કલાકારો દ્વારા ભગવાન પરશુરામના જીવન ચારિત્ર પર જીવંત નાટક રજુ કરવામાં આવશે.
 ત્યારબાદ તા.15ને રવિવારના સાંજે 4 કલાકે વેદ માતા ગાયત્રીધામ, કાલાવડ રોડ, રાજકોટ ખાતેથી કિશાનપરા ચોક સુધી ઐતિહાસીક ભવ્ય બાઈક રેલીનું આયોજન રાખવામાં આવ્યું છે તેમજ રાત્રે 8 કલાકે કિશાનપરા ચોક ખાતે 1008 દિવડાની મહાઆરતી સુપ્રસિધ્ધ અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ ધરાવતા મનોજભાઈ મહાઆરતી દ્વારા કરવામાં આવશે. રાત્રે 9 કલાકે મહાપ્રસાદનું રાખેલ છે. તા.16ના સોમવારના રોજ મહિલા પાંખ દ્વારા ડાંડીયા રાસ તા.17ના બહેનો દ્વારા રંગોળી તથા મહાઅન્નકુટ દર્શન તેમજ રાત્રે 9 કલાકે સંતવાણી ભરતભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.
 સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહાસચીવ મીલનભાઈ શુકલ તથા ગુજરાત અધ્યક્ષ ભારતભાઈ જાની, યુવા ઉપપ્રમુખ વિરલભાઈ ભારદ્વાજ દ્વારા તથા ક્ધવીનર બંકીમભાઈ મહેતા, નિલેશભાઈ મહેતા તથા બ્રહ્મદેવ સમાજના ખજાનચી લલીતભાઈ ઘાંધીયા તથા બ્રહ્મદેવ સમાજના તમામ યુવા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

આટકોટની સીમમાં જૂની બોલાચાલી મુદ્દે પ્રૌઢ પર ૭ શખ્શોનો હુમલો : બંને હાથ-પગ ભાંગી નાખ્યા !

આટકોટની સીમમાં જૂની બોલાચાલી મુદ્દે પ્રૌઢ પર ૭ શખ્શોનો હુમલો : બંને હાથ-પગ ભાંગી નાખ્યા !
આટકોટ પોલીસે ૭ શખ્શો સામે રાયોટીંગનો ગુનો નોંધી તમામની ધરપકડ માટે શરુ કરી કવાયત 
રાજકોટ તા.૧૦ 
આટકોટ ગામની સીમમાં ગઈકાલે એક ભરવાડ પ્રૌઢ પર સાત શખ્શોએ જૂની બોલાચાલીનો ખાર રાખી હિચકારો હુમલો કરી, બેય હાથ અને બેય પગ ભાંગી નાખતા પ્રોઢને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા છે.
મળતી વિગતો મુજબ જસદણ તાલુકાના ગુંદાળા જામ ગામે  રહેતા હમીરભાઈ ચોથાભાઇ ઝાપડા નામના ૫૦ વર્ષીય ભરવાડ પ્રોઢ ગઈકાલે આટકોટ ગામની સીમમાં જેશાભાઈ હિરપરાના ખેતરમાં હતા ત્યારે ગુંદાળાના ૭ સખ્શોએ ઇકો કારમાં ઘસી આવી 
ધોકા વડે આડેધડ હુમલો કરી હમીરભાઈના બંને હાથ અને બંને પગ ભાંગી નાખ્યા હતા. ફરિયાદી હમીરભાઈએ આટકોટ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી વીસ દિવસ પહેલા લાખા ભવાન ઝાપડા સાથે બોલાચાલી થઇ હોય, તે વાતનો ખાર રાખી ગઈકાલે લાખા ભવાન, બીમ પોપટ ઝાપડા, ભાયા મખા ઝાપડા, અનીલ મૂળા ઝાપડા, મૂળા કાના ઝાપડા, મખા ચના ઝાપડા અને મૈયા ભવાન ઝાપડા એમ સાતેય શખ્શોએ સૌ પ્રથમ હમીરભાઈની રીક્ષા ઉભી રખાવી હુમલો કરતા, હમીરભાઈ પોતાનો જીવ બચાવવા વાડી ખેતરમાં ભાગવા લાગ્યા હતા.
પણ હુમલાખોરોએ પાછળ દોડી આડેધડ ધોકા વડે ફટકારી હમીરભાઈ ઉપર જીવલેણ હુમલો કરી નાશી છૂટ્યા હતા. બીજીબાજુ બંને હાથ અને બંને પગમાં ફ્રેકચર જેવી ઈજાઓ સાથે હમીરભાઈને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા. પોલીસે હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત હમીરભાઈના નિવેદન પરથી ઉપરોક્ત સાતેય શખ્શો સામે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૩૨૪, ૩૨૫, ૧૪૩, ૧૪૭,૧૪૮, ૧૪૯, જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી હુમલાખોરોને પકડવા આટકોટ પોલીસના પીએસઆઈ એ.વી.જાડેજાએ તપાસ હાથ ધરી છે.
મોટી પાનેલીનો શખ્શ દેશી તમંચા સાથે ઝડપાયો 
ભાયાવદર પોલીસના પીએસઆઈ જે.યુ.ગોહિલે ગઈકાલે સાંજે મોટી પાનેલી ગામથી ઉપલેટા જતા રોડ પરથી સંજય વલ્લભ ફળદુ(રહે.આરાધના સોસાઈટી, મોટી પાનેલી)ને લોખંડના દેશી બનાવટના તમંચા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ફોજદાર ગોહિલે જણાવેલ કે રૂપિયા ૫ હજારની કિમતનું આ અગ્નિસસ્ત્ર શા માટે સાથે રાખીને સંજયભાઈ ફરતા હતા ? તે અંગે તપાસ હાથ ધરાઈ છે.

જેતપુરની ખોડીયારધારમાં જુગાર દરોડો રોકડ ૧૦ હજાર સાથે ૭ તાસપ્રેમી ઝડપાયા


જસદણમાંથી જુગાર રમતા ૨ ઝડપાયા : જેતલસર નજીકથી દેશી દારૂ સાથે રીક્ષા ઝડપાઈ : ગોંડલનો શખ્શ ચોકીધાર પાસેથી દારૂની બોટલ સાથે પકડાયો : જેતપુરમાં હોન્ડામાં ધોકા ફટકારી નુકશાન કર્યાની પોલીસમાં ફરિયાદ : વાસાવડમાં વરલી જુગાર 
રાજકોટ તા.૧૦ 
જેતપુર શહેર પોલીસે ગઈકાલે બપોરે ખોડિયાર ધાર નવાગઢ વિસ્તારમાં બાતમીના આધારે જુગાર દરોડો પાડી ૭ સખ્શોને રોકડ રૂપિયા ૧૦૨૭૦/- સાથે તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર શહેર પોલીસને બાતમી મળી હતી કે નવાગઢના ખોડિયાર ધાર વિસ્તારમાં રોજ મોટાપાયે તીનપત્તીનો જુગાર રમાય છે. આવી બાતમી પરથી ગઈકાલે શહેર પોલીસના પીઆઈ રાણાની સુચનાથી જમાદાર એસ.એન.પરમારે સ્ટાફના લખુભા ગંભીરસિંહ રાઠોડ વિગેરે પોલીસ કાફલાને સાથે રાખી ખોડિયારધાર વિસ્તારમાં જુગાર દરોડો પાડતા ત્યાં જુગાર રમતા ૭ શખ્શો ઝડપાઈ ગયા હતા.
જેમાં સાગર વેલજી સાંગાણી, બહાદુર બચું ચાવડા(સરધારપુર), દિલીપ લાલજી કોળી, યોગેશ ઉર્ફે મન્નો ભીખુ ભાયાણી(સરધારપુર), કિશન ભીમજી માયાણી(જાગૃતીપરા), રણછોડ ગોકળ જીન્જુવાડીયા(બળદેવધાર) તથા મનસુખ વીરા પરમાર(સેન્ટફ્રાન્સીસ સ્કુલ પાસે)નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા સમયે રોકડ ૧૦૨૭૦/- કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જસદણમાંથી જુગાર રમતા ૨ પકડાયા 
જસદણમાં ચંદ્રકાંત ટોકીઝની સામે, શહેનશાહ પીરની દરગાહની દીવાલ પાસે, ખુલ્લા પ્લોટમાંથી તીનપત્તીનો જુગાર રમતા ૨ ઇસમોને જમાદાર આર.એ.વાકાતરે રોકડ રૂપિયા ૩૪૨૦/- સાથે ઝડપી લીધા હતા. પકડાયેલા શ્ખ્શોમાં સુરેશ ભનુ મકવાણા(જસદણ-વિંછીયા રોડ, બાપા સીતારામના ઓટા પાસે) તથા વીનું રામજી કોળી(વાજસુરપરા શેરી નંબર-૧)નો સમાવેશ થથો હોવાનું પોલીસ જણાવે છે.
જેતલસર નજીકથી દેશી દારૂ ઝડપાયો 
જેતપુર તાલુકા પોલીસ જમાદાર ભુરાભાઈ માલીવાડે ગઈકાલે જેતલસર નજીક, જુનાગઢ રોડ પરથી નીકળેલી જીજે ૦૩ ડબ્લ્યુ ૩૬૩ નંબરની અતુલ શક્તિ રીક્ષા રોકાવી હતી. રીક્ષા ચાલક રીક્ષા રેઢી મૂકી નાશી છૂટ્યો હતો. તપાસ દરમિયાન રીક્ષામાંથી રૂપિયા ૪૦૦૦ નો ૦૦ લીટર દેશી દારૂ પકડાવા પામ્યો હતો. પોલીસે રૂપિયા ૨૦ હજારની રીક્ષા પણ કબજે લઇ, રીક્ષા નંબરના આધારે રીક્ષા ચાલક-માલિકની શોધખોળ આદરી છે.
ગોંડલનો શખ્શ ચોકીધાર પાસેથી 
દારૂની બોટલ સાથે પકડાયો
ગોંડલમાં જેલચોક, ભોજપરામાં રહેતો રીક્ષા  ડ્રાઈવર ગૌરવ અરુણ જેઠવા કારડીયા રાજપૂત યુવાન ગઈકાલે સાંજે પોણા છ વાગ્યે પોતાની ઓટો રીક્ષા લઈને જુનાગઢ રોડ પર ચોકી ધાર પાસેથી નીકળ્યો ત્યારે તેને થોભાવી તપાસ કરાતા તેમની પાસેથી અંગ્રેજી દારૂની એક શીલપેક બોટલ મળી આવી હતી. આ સમયે પોલીસ જમાદાર ભુરાભાઈ માલીવાડે રૂપિયા ૧ લાખની રીક્ષા, રૂપિયા ૩ હજારનો મોબાઈલ અને ૩૦૦ રૂપિયાની દારૂની બોટલ કબજે કરી ગૌરવ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેતપુરમાં હોન્ડામાં ધોકા ફટકારી 
નુકશાન કર્યાની પોલીસમાં ફરિયાદ 
જેતપુર શહેરમાં ખોડપરા, શેરી-૬ માં રહેતા દિનેશ રામજી ચાવડા નામના યુવાનના હોન્ડામાં લાકડાના ધોકા ફટકારી મુખ્તાર મુસાણી નામના શખ્શે હોન્ડામાં રૂપિયા ૧૦ હજારનું નુકશાન પહોચાડ્યાની  સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તા.૧.૪.ના રોજ લક્ષ્મીનગર, બાવાવાળાપરા વિસ્તારમાં બનેલી આ ઘટનાની વધુ તપાસ એ.એસ.આઈ.એન.વી.સોલંકીએ હાથ ધરી છે.
વાસાવડમાં વરલી જુગાર રમતો ઝડપાયો 
હરેશ શંભુ બાવળિયા-કોળી (રહે.ઈશ્વરભાઈ મીયાત્રાની વાડીએ) વાળા શખ્શને ગોંડલ તાલુકા પોલીસના એ.એસ.આઈ. ડી.એ.પાનસેરિયાએ વસાવડ બસસ્ટેન્ડ વિસ્તારમાં જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતો અને રમાડતો રોકડ રૂપિયા ૧૩૧૦/- સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખંભાળા-ઈશ્વરીયા વચ્ચે ટ્રેક્ટરે છકડો રિક્ષાને હડફેટે લેતા મહિલાનું મોત : ૭ ઘાયલ


વીરડા-વાજડી ગામેથી પિતૃકાર્ય કરી પરત ફરતા પડધરીના ચારણ-ગઢવી પરિવારને નડેલો અકસ્માત

રાજકોટ તા.૧૦ 
ગત રાત્રીના ખંભાળા-ઈશ્વરીયા વચ્ચે એક ટ્રેક્ટર ચાલકે છકડો રિક્ષાને હડફેટે લેતા એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્ત ૭ લોકોને નાની મોટી ઈજાઓની સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે.
મળતી વિગતો મુજબ જામનગર રોડ પર રેડિયો સ્ટેશન પાસે, બાઘીના પાટિયા પાસે પડધરી રહેતા ચારણ-ગઢવી પરિવારના ૮ સભ્યો ગઈકાલે વીરડા-વાજડી ગામેથી પિતૃકાર્ય પતાવી, છકડો રીક્ષામાં બેસી પરત ફરી રહ્યા હતા.
ત્યારે રાત્રીના આઠેક વાગ્યે એક ટ્રેક્ટર ચાલકે છકડો રિક્ષાને હડફેટે લેતા રીક્ષામાં બેઠેલા બાળકો સહિતના ૮ ચારણ-ગઢવી પરિવારના સભ્યોને નાની મોટી ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.
જ્યાં ખીમીબેન ભોળાભાઈ વાલા-ચારણ-ગઢવી (ઉ.વ.૨૨) નું સારવાર દરમિયાન રાત્રીના બારેક વાગ્યાની આસપાસ મૃત્યુ થયું હતું. જ્યારે નારણ રાયદે વાલા(ઉ.વ.૧૪), મુલું હરદાસ વાલા(ઉ.વ.૧૪), બુદ્ધિબેન ખીમાભાઈ વાલા(ઉ.વ.૮), દેવાભાઈ ભોળાભાઈ વાલા(ઉ.વ.૦૨), દેવીબેન હરદાસભાઈ માલાણી(ઉ.વ.૧૬), ભીખાભાઈ રાયદેભાઈ વાલા(ઉ.વ.૧૫) તથા રાજશીભાઇ ગોવિંદભાઈ વાલા(ઉ.વ.૨૫) એમ તમામને ઈજાઓની સારવાર અપાઈ રહી છે.
પોલીસસુત્રો પાસેથી મળતી વિગતો મુજબ મૃતક મહિલાનું પિયરીયું લીલાખા(તા.ગોંડલ) છે. અને તેણી ઈજાગ્રસ્ત કિશોર ભીખાભાઈના ભાભી થાય છે. તેમજ મૃતક ખીમીબેનને એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાનો છે. જે બંને બાળકોએ અચાનક માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
બનાવથી પડધરી અને લીલાખાના ચારણ-ગઢવી પરિવાર-સમાજમાં શોકનું મોજું ફેલાયું છે. સબંધિત પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પૂર્વ ઝોનના એસીપીની મિસિંગ ટીમે ૩ વર્ષ થયા નાસતા-ફરતા આરોપીને પકડી પાડ્યો


આંબાવાડીનો શખ્શ બી-ડીવીઝન પોલીસના અપહરણના ગુનામાં ભાગતો ફરતો'તો ! 
રાજકોટ તા.૧૦ 
બી-ડીવીઝન પોલીસમાં આજથી ત્રણેક વર્ષ પહેલા નોંધાયેલા એક અપહરણના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા એક આરોપીને ગઈકાલે એસીપી પૂર્વ ઝોન મિસિંગ ટીમના કાફલાએ પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ સને ૨૦૧૫ દરમિયાન બી ડીવીઝન પોલીસમાં આંબાવાડી સોસાયટીમાં રહેતા કાનજી ઉર્ફે કાનો રમેશભાઈ માનસુરીયા જાતે-કોળી સામે અપહરણનો ગુનો નોંધાયો હતો. ત્યારથી એટલેકે છેલ્લા ૩ વર્ષથી ભાગતા ફરતો કાનજી પોલીસને હાથ તાળી આપતો હતો.
પણ ગઈકાલે એસીપી પૂર્વ ઝોન  મિસિંગ ટીમના પ્રોબેશનલ ફોજદાર એમ.એમ.ઝાલા, જમાદાર જયુભા પરમાર અને મનીષભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે કાનજીને રાત્રીના પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ચુનારાવાડ ચોકમાંથી ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો


ડીસીબીએ વાહનચોરની હાથ ધરી પૂછપરછ 
રાજકોટ તા.૧૦ 
ભૂતકાળમાં દારૂ પીવાના, દારૂ વેંચવાના અને ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા રામનાથપરાના શખ્શને વધુ એક વખત ગઈકાલે ડીસીબીને ચોરાઉ બાઈક સાથે ઝડપી લઇ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
મળતી વિગતો મુજબ ગઈકાલે ડીસીબી પોલીસ કાફલો ગુનેગારોને શોધવાની કવાયતમાં હતો ત્યારે જમાદાર ભરતભાઈ વનાણી, પુષ્પરાજસિંહ પરમાર અને યુવરાજસિંહ ઝાલાને બાતમી મળી હતી કે, રામનાથપરાનો વસીમ અશરફભાઈ મુલતાની નામનો શખ્શ એક ચોરાઉ બાઈક સાથે નીકળવાનો છે.
આવી બાતમી બાદ વોચમાં રહેલી ડીસીબી પોલીસ સ્ટાફે ચુનારાવાડ ચોકમાંથી પસાર થયેલા વસીમને બાઈક સાથે ઝડપી લઇ તપાસ કરતા તેમની પાસેથી પકડાયેલું બાઈક ચોરાયા અંગેની પ્રદ્યુમન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હોય, બાઈક ચોરીનો આ ગુનો ઉકેલાઈ ગયાનું ડીસીબીના પીઆઈ એચ.એમ.ગઢવી જણાવે છે.

મારામારીના અનેક ગુનામાં સંડોવાયેલ આનંદનગરના શખ્શને પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલાયો


રાજકોટ તા.૧૦ 
શહેરમાં મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલ આનંદનગરના એક શખ્શને ગઈકાલે ભક્તિનગર પોલીસે પાસા તળે પકડી પાડી અમદાવાદ જેલ હવાલે કર્યો હોવાની વિગતો મળી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે ભક્તિનગર પોલીસ સ્ટાફ મારામારીના બનાવો સાથે સંકળાયેલા તત્વોની શોધખોળમાં હતા. આવા સમયે કોઠારિયા રોડ પર, આનંદનગર ક્વાટર્સમાં રહેતા અંકિત ઉર્ફે નાનો કાળીયો ઉર્ફે લાલો અશોક મગ્ન હાડા જાતે ખવાસ સામે પાસાનું વોરંટ ઇસ્યુ થતા તેમને પકડવા કવાયત આદરાઈ હતી.
આવા સમયે ભક્તિ નગર પોલીસના પીઆઈ ગઢવી, પીએસઆઈ ધાખડા સહિતના સ્ટાફે અંકિતને પકડી પાડી, પાસા વોરંટની બજવણી કરી તેમને અમદાવાદ જેલમાં ધકેલી દેવાયો હોવાનું પોલીસ જણાવે છે.
જેતપુર-જસદણ-શાપરમાં જુગાર દરોડા
રૂ.૭૬૫૦ સાથે ૧૪ તાસપ્રેમી ઝડપાયા

રાજકોટ તા.૯
રાજકોટ જીલ્લા વિસ્તારમાં જેતપુર, જસદણ અને શાપર(વેરાવળ) પોલીસે જુગાર દરોડા પાડી કુલ ૧૪ તાસપ્રેમીને રોકડ રૂપિયા ૭૬૫૦/- સાથે ઝડપી લઇ ધોરણસરની
કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ જેતપુર શહેર પોલીસે નવાગઢ ખાટકીવાસમાં આવેલ અનાજના ગોડાઉન પાછળ મોટાપાયે જુગાર રમાતો  હોવાની બાતમીના આધારે જુગાર દરોડો
પાડતા ત્યાંથી તીનપત્તીનો જુગાર રમતા ૫ શખ્શો રોકડ ૧૮૬૦/- સાથે પકડાઈ ગયા હતા.

Jજેમાં વાલજી દાના પરમાર, આમદ સુલેમાન મતવા, અશરફ ગફાર સૈયદ, ગફાર હુસેન ચૌહાણ, તથા ઇકબાલ જુસબ સુમાંરાનો સમાવેશ થાય છે. સરકાર તરફે
ચેતનભાઈ ઠાકોરે જુગારીઓ સામે ફરિયાદી બન્યા હતા જે બનાવની વધુ તપાસ જમાદાર એસ.એન.પરમારે હાથ ધરી છે.

જસદણ પોલીસે તાલુકાના વનાળા ગામે જુગાર દરોડો પાડી તીપત્તીનો જુગાર રમતા ૪ શખ્શોને રોકડ રૂપિયા ૩૨૯૦/- સાથે પકડી પાડ્યા હતા. જેમાં જશા નાગજી ખેતરીયા, વિનોદ પીઠા ગોહેલ, વિનોદ ખોડીદાસ બાવાજી, તથા લાખ પાલા ખેતરીયાનો સમાવેશ થાય છે. બનાવની વધુ તપાસ જસદણ પોલીસના પ્રોબેશનલ
એ.એસ.આઈ. જે.એસ.ઝાપડીયાએ હાથ ધરી છે.

જયારે ત્રીજા જુગાર દરોડામાં શાપર વેરાવળ પોલીસે શીતળા માતાજીના મંદિર પહેલા જાહેરમાં જુગાર રમતા ૫ સખ્શોને જુગાર રમતા રોકડ રૂપિયા ૨૫૦૦/-સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ જુગાર દરોડામાં પકડાયેલા તત્વોમાં અતુલ ભીખા મકવાણા(રહે.માંડાસણ, તા.જામજોધપુર), રાકેશ નુરજી નીનામા(શાપર), કાળું મનુ ડામોર(શાપર), ધનરાજ કાનજી

સોમવાર, 9 એપ્રિલ, 2018

રાજકોટ શહેરની શાળા નં.૬૫નું સર્વગ્રાહી મૂલ્યાંકન કરતા મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય

રાજકોટ શહેરની શાળા નં.૬૫નું સર્વગ્રાહી મૂલ્યાંકન કરતા મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય

શાળામાં અભ્યાસ કરતા બાળકોની વાંચન, ગણન અને લેખનની ક્ષમતા ચકાસી

રાજ્યની પ્રાથમિક શાળાનું મૂલ્યાંકન કરી શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન ગુણોત્સવની આઠમી શ્રૃખંલા અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયે શહેરમાં શ્રમજીવી સોસાયટી સ્થિત પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં. ૬૫નું સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યું હતું. મેયર ડો. ઉપાધ્યાય ઉક્ત શાળામાં પહોંચી ગયા હતા અને પ્રથમ બાળકો સાથે સંવાદ સાધ્યો હતો. 


તેમણે જણાવ્યું કે પ્રવર્તમાન સમયના અગ્રગણ્ય અધિકારીઓ, પદાધિકારીઓ, તબીબો, વકીલો સહિતની વ્યક્તિ સરકારી પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરીને આગળ આવી છે. તેઓના ઘડતરમાં પ્રાથમિક શાળાઓની ભૂમિકા મહત્વની છે. ત્યારે, રાજ્ય સરકાર પણ સરકારી પ્રાથમિક શાળાઓ માટે કરોડો રૂપિયા ફાળવે અને તેમાં ગુણાત્મક પરિવર્તન આવે તે માટે સતત પ્રયત્નશીલ છે. વિશેષમાં મેયરશ્રીએ જણાવ્યું કે પાયાથી જ શિક્ષણ મજબુત થાય તે ખુબજ જરૂરી છે. અને આ માટે ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ, બેટી બચાઓ બેટી પઢાઓ તેમજ ગુણોત્સવ જેવા કાર્યક્રમો આપી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ લાવેલ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ શિક્ષણને મજબુત કરવા તેમજ ગરીબ વર્ગના વિદ્યાર્થી પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે તેવા પગલાઓ લઈ રહેલ છે. આ અવસરે વિદ્યાર્થીઓને અત્યારથીજ અભ્યાસમાં ધ્યાન આપવા અને શિક્ષકોએ આ પાયાનું શિક્ષણ વધુ મજબુત બને અને ગુરૂની ભૂમિકા નિષ્ઠાપૂર્વક ભજવે તે જરૂરી છે. મેયર શ્રીએ વધુમાં કહ્યું બાળકો કોઇ પણ પ્રકારના ખોટા વ્યસન ન કરે તે જરૂરી છે. કોઇ ખોટી સોબતમાં વ્યસન ના લાગી જાય તે બાબતની તકેદારી રાખવા તેમણે બાળકોને ટકોર કરી હતી. તેમણે બાળકો પાસે પાઠ વાંચન કરાવ્યું હતું. ગણિતના દાખલા ગણાવ્યા હતા અને લેખન પણ કરાવ્યું હતું. 

બાળકોને મુખપાઠ ઉપરાંત રાજકોટ શહેરને લગતા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછ્યા હતા. જે બાળકોએ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યા હતા. બાળકોની ક્ષમતા અંગે મેયરશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. શાળા નંબર ૬૫માં ૯૧ છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે, મેયરશ્રીએ શિક્ષકોને સૂચન કર્યું હતું કે શાળામાં પ્રવેશપાત્ર બાળકોના વાલીઓનો સંપર્ક કરી, કોઇ બાળક શાળામાં પ્રવેશથી વંચિત ન રહે તેવું આયોજન કરવું જોઇએ.  આ વેળાએ શાળાના આચાર્યશ્રી, સીઆરસી શ્રી હિમંતભાઇ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ જિલ્લાની વિકાસ વાટિકાનું વિમોચન કરતા પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

રાજકોટ જિલ્લાની વિકાસ વાટિકાનું વિમોચન કરતા પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલા વિકાસ કામોના દસ્તાવેજીકરણ સમાન પુસ્તિકા વિકાસ વાટિકા સંદર્ભ ગ્રંથ તરીકે કામ આવે તેવું સંપાદન

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત અને પ્રાદેશિક માહિતી કચેરી-રાજકોટ દ્વારા સંપાદિત પુસ્તિકા રાજકોટ જિલ્લાની વિકાસ વાટિકા-૨૦૧૭નું પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિમોચન કર્યું હતું. તેમણે આ તકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજકોટ જિલ્લાની વિકાસ વાટિકા પુસ્તિકા અભ્યાસુઓ માટે સંદર્ભ ગ્રંથ તરીકે ગરજ સારશે. રાજકોટમાં કાર્યરત રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી પ્રવૃત્તિને વિકાસ વાટિકામાં આલેખવામાં આવી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં થયેલા વિકાસ કામોના પરિણામસ્વરૂપ આપેલા ગુણાત્મક પરિવર્તનના અહેવાલો સચિત્ર આપવામાં આવ્યા છે અને સરકારની પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. 



આ વિકાસ વાટિકાનું સંપાદન કાર્ય પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. માહિતી પ્રદાન કરવામાં વિવિધ સરકારી કચેરીઓનો પણ સહયોગ સાંપડ્યો છે. ઉપરાંત, માહિતી ખાતાના કર્મયોગીઓએ ખૂબજ ચીવટ પૂર્વક આ પુસ્તિકાનું સંપાદન અને ભાષાદોષ શુદ્ધિકરણ કાર્ય કર્યું છે. આ વિમોચન વિવિધમાં પ્રભારી સચિવ શ્રી હારીત શુક્લા, કલેક્ટર શ્રી રાહુલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવસૈયા, જિલ્લા પોલીસ વડા શ્રી અંતરીપ સુદ, નિવાસી અધિક કલેક્ટર શ્રી હર્ષદ વોરા, સંયુક્ત માહિતી નિયામક શ્રી કે. એ. કરમટા, સહાયક માહિતી નિયામક શ્રી જગદીશ ત્રિવેદી, મેનેજર શ્રી દર્શન ત્રિવેદી, ઓપરેટર શ્રી દિનેશ નાકરાણી તથા શ્રી અરવિંદ વેકરિયા અને શ્રી ભરત નિમાવત ઉપસ્થિત રહ્યા હતા.
  

૧૪ એપ્રિલ એટલે બાહોશ અને નીડર વક્તા અને બંધારણનાં ઘડવૈયા ડૉ.આંબેડકર સાહેબનો જન્મદિવસ

૧૪ એપ્રિલ એટલે બાહોશ અને નીડર વક્તા અને બંધારણનાં ઘડવૈયા ડૉ.આંબેડકર સાહેબનો જન્મદિવસ

ડો. બાબા સાહેબ આંબેડકર માત્ર દલીતોના જ નહીં પરંતુ સમાજનાં દરેક વર્ગનાં મસીહા હતા. સંવિધાનનાં શિલ્પી, મુલ્યનિષ્‍ઠ રાજપુરૂષ ઉપરાંત સંનિષ્‍ઠ સમાજ સુધારકે પ્રાંભેલા કાર્યોને પૂર્ણ કરીએ એ જ એમનું યથોચિત સન્માન થયુ ગણાશે

૧૪ એપ્રિલ ૧૧૯૦નાં તત્કાલીન રાષ્‍ટ્રપતિશ્રી વૈંકટરામનનાં કરકમલોથી ડો. આંબેડકરજીનાં ધર્મચારીણી ડો.સવિતાદેવીને રાષ્‍ટ્રનો સર્વોચ્ચ ખિતાબ અર્પણ કરી ડો. બાબા સાહેબનું રાષ્‍ટ્રમાં ઉચિત સન્માન થયુ. ભારતની સંસદમાં ૧૨ એપ્રિલ ૧૯૯૦નાં રોજ બાબા સાહેબનું તૈલ ચીત્ર પણ મુકવામાં આવ્યુ છે. ભારતનાં લોકો આપણાં બાબા સાહેબને બંધારણનાં ઘડવૈયા તરીકે પણ ઓળખે છે. ભારતનાં પદદલીતો એમનાં પોતાનાં મુક્તીદાતા માનીને યાદ કરે છે. વિદ્વાનોની દ્રષ્‍ટીએ ડો. આંબેડકર વિદ્યા પુરૂષ હતા, રાજનિજ્ઞોની દ્રષ્‍ટીએ તેઓ લોકશાહીનાં સાચા પ્રવાહક હતા, ચિંતકોની દ્રષ્‍ટીએ તે સમાજ સુધારક હતા તો ધાર્મિક જનોની દ્રષ્‍ટીએ તેઓ ધર્મ પુરૂષ હતા.

ડો. બાબા સાહેબ બહુરંગી પ્રતિભાનાં સ્‍વામી હતા. કુશળ ધારાશાસ્‍ત્રી, વિદ્વાન અધ્યાપક, સ્‍વતંત્ર વિચારક, મૈાલીક સર્જક, આજીવન સમાજ સુધારક, દ્રષ્‍ટીવાન શિક્ષણશાસ્‍ત્રી, નારી શોષણ મુક્તીનાં લડવૈયા, લડાયક મિજાજનાં વિદ્રોહી પુરૂષ હતા. દરેક લેખકે ગુણનાં સાગરને પોતાની દ્રષ્‍ટીએ અને પોતાનાં માપદંડોથી માપવાનો સમજવાનો પ્રયત્ન કર્યો છે. જેવી જેની દ્રષ્‍ટી તેવુ તેનું દર્શન  લાગ્યુ. આ મહામાનવનાં જીવનનું મુલ્યાંકન દરેકે ભલે પોતાનાં માપદંડથી કર્યુ હોય પણ એક વાત નિશ્વિત છે કે ડો. બાબા સાહેબ આંબેડકર આધુનિક ભારતનાં અને સાંપ્રત સમયનાં મહાપુરુષ હતા. ભારતનો આર્થીક સમાજીક અને ધાર્મિક અને રાજનૈતિક વિચારોનો અને ચળવળોનો ઇતિહાસ જ્યારે પણ લખાશે ત્યારે અનિવાર્યપણે અગ્રતાક્રમે બાબાસાહેબના નામોલ્લેખ  કરવો જ પડશે. કરોડો લોકોનાં જીવનમાં પ્રકાશપુંજ પાથરી દેનાર ભારતનાં મહાનસુપુતે સમયનાં વહેણને બદલી દીધુ હતુ. ડો. બાબાસાહેબ જે યુગે આ ધરા પર અવતર્યા તે યુગ પરીવર્તનનો હતો. ભારત સહિત સમગ્ર વિશ્વમાં પોતાની આઝાદી માટે લડત ચલાવતા હતા. મહારાષ્‍ટ્રનાં કોંકણ વિસ્‍તારમાં લોકમાન્ય તિલક, ગોપાલકૃષ્‍ણ ગોખલે, બેરીસ્‍ટર સાવરકર જેવી મહાન હસ્‍તીઓ જે પ્રદેશે જન્મ ધારણ કરતી હોય તેવા રત્નાગીરી જીલ્લાનાં અમ્બવડે જેવા નાનકડા ગામનાં રહેવાસી દાદા માલોજીરાવ કે જે શકપાલ મહાર જાતીનાં આગેવાન હતા તેમનાં પુત્ર રામજીરાવનાં ૧૪માં સંતાનરત્નરૂપી ભીમરાવે જન્મ ધારણ કર્યો હતો. ફોઇ મીરાબાઇ એ લશ્કરી છાવણીમાં માતા ભીમાબાઇનાં લાડકોડ વચ્ચે ધાર્મિક પરીવારો સાથે ધાર્મિક ભજન કિર્તનનાં સંસ્‍કારનાં વારસા સાથે દાપોલી ગામમાં પ્રાથમિક શિક્ષણ સંપન્ન કર્યુ. ચતુર, બળવાન, અને સ્‍વાભિમાની ભીમરાવનાં અભ્યાસકાળે અશ્પૃશ્યતાનો તિરસ્‍કાર ભારોભાર સહન કર્યો. બાળપણથી જ અન્યાય, બુરાઇનો સામનો કરવાની પ્રકૃતિવાળા ભીમરાવ હમેંશા પોતાને સાચુ લાગે તેમ ડર વિના કહી દેવાની ઈચ્છાશક્તી ધરાવતા હતા. વિદ્યાભ્યાસની તીવ્ર ઝંખનાં સમજણશક્તિ વધતા અભ્યાસ પરત્વે ચિત્ત ખેંચાતા મન-ચિત્ત અભ્યાસમાં પરોવી દીધુ તેજસ્‍વીતા તો હતી. જ, તે સમયની અસ્પૃશ્યતાની અસરકારકતા  ભીમરાવનાં જીવનને સ્‍પર્શવામાં કઇં બાકી રાખ્યુ ના હતુ. આમ છતા ભીમરાવની અભ્યાસ પ્રત્યેની તલપે મક્કમ મનોબળને મહારાજ ગાયકવાડ ત્રીજાએ પચીસ રૂપીયાની છાત્રવૃતી આપીને બી.એ.ની પદવી સુધી પહોંચવા મદદ કરી હતી.ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્યારે માતા ભીમાબાઈનું અવસાન થયું ભીમરાવ રામજી આંબેડકર કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા. તેઓ બાબાસાહેબ ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુર્નજાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી હતા.

ભીમરાવે પ્રાથમિક કેળવણી મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી હતી. પિતાને મુંબઈમાં રહેવાનું થતાં હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફીન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન રમાબાઈ સાથે થયા. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવથા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી.સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. તા. ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ પિતા રામજી સક્પાલનું નિધન થતાં ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાનું મૃત્યુના કારણે ભિમરાવને ખુબ જ દુ:ખ થયુ. આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. આમ સને ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં ભારતનો એક ગ્રામીણ બાળક વિદ્યાના ગહન શિખરો શર કરવા ન્યુયોર્ક પહોચી ગયો. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પી.એચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી દીધો, અને સર્વોચ્ચ એવી પી.એચ.ડી.ની ડીગ્રી મેળવવા ભાગ્યશાળી બન્યા. આમ આંબેડકર હવે ડૉ. આંબેડકર બની ગયા.

એક ગરીબ મહાર પરિવારમાં જન્મેલા ભીમરાવ રામજી આંબેડકર શરૂઆતના ગણ્યાગાંઠ્યા દલિત સ્નાતકોમાના એક હતા. તેમને તેમના કાયદાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રના સંશોધન માટે કોલમ્બિયા યુનિવર્સિટિ અને લંડન સ્કુલ ઑફ ઇકોનોમિક્સ દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આમ એક વિદ્વાન તરીકે નામના કાઢ્યા પછી તેઓએ થોડા સમય માટે વકીલાત કરી હતી. ત્યારબાદ તેઓએ ભારતના દલિતોના રાજનૈતિક હકો અને સામાજિક સ્વતંત્રતા માટે લડત આદરી હતી. હજુ એમની જ્ઞાન માટેની ભુખ સંતોષાયેલી નહોતી. સને ૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું . ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી હત

ડૉ.આંબેડકર હિંમત હારી જાય તેવા પોચા નહોતા. તેમના પ્રયત્નોને સફળતા મળી ૧૯૧૮માં, મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. આર્થીક ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો. ડૉ.આંબેડકરની ઇંગ્લેન્ડની સફર પહેલા તેમના પત્ની રમાબાઈની કુંખે ઇ.સ.૧૯૨૦માં બાળરત્ન યશવંતનો જન્મ થયો. ૧૯૨૩માં ડૉ.આંબેડકર બેરિસ્ટર થયા. આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ રૂપિયાનો પ્રશ્ન એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ ડૉક્ટર ઓફ સાયન્સની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ.આંબેડકર જર્મની ગયા, અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું.

જુન ૧૯૨૮ માં ડૉ.આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા.તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય થયા .આ સમયે સાયમન કમિશન ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી.તા.૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે ડૉ.આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા.મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ.આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો.તા.૨૩ ઓક્ટોબર ૧૯૨૮ મા ડૉ.આંબેડકર સાયમન કમિશન સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી.મજુર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા,અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણાજ પ્રયત્નો કર્યા. ડૉ.આંબેડકર નું નામ દેશભરમાં જાણીતું થઇ ગયું હતું.

ભારતના ઇતિહાસમાં અન્ય અગત્યની સાલોની માફક ૧૯૩૦ ની સાલ ઘણી જ અગત્યની છે. ૧૯૩૦ માં સાયમન કમિશન નો રીપોર્ટ બહાર પડ્યો અને બ્રિટીશ સરકાર અને ભારતના રાજકીય નેતાઓની વચ્ચેની લડતની શરૂઆત થઇ પ્રાંતીય સ્વાયત્તા પ્રતિ દેશ આગળ વધે એવા ચિન્હો જણાતા હતા. બ્રિટીશ સરકારે લંડનમાં બધા જ પક્ષોના નેતાઓની એક ગોળમેજી પરિષદ બોલાવી.તા ૬ ડીસેમ્બર ૧૯૩૦ માં ભારતના વાઈસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડૉ.આંબેડકરને આમંત્રણ મળ્યું. આ પરિષદમાં ડૉ.આંબેડકરે ભારતના અનેક પ્રશ્નોની વિશદ(ઉંડાણપુર્વક) અને તલસ્પર્શી રજૂઆત કરી તેમને ખાસ કરીને ગ્રામીણ પછાત અને અશિક્ષીત લોકોનાં  રાજકીય અને સામાજિક હક્કો માટે બ્રિટીશ સરકાર પાસે બાહેધરી માંગી. ડૉ.આંબેડકરની રજુઆતે પરિષદના પ્રતિનિધિઓ ઉપર ઊંડી અસર પડી. ડૉ.આંબેડકર એક બાહોશ અને નીડર વક્તા હોય કડવું પણ સત્ય બોલતા. ડૉ.આંબેડકર ભારત પાછા ફર્યા અને તેમના કાર્યમાં મશગુલ બની ગયા.

બાર કાઉન્સીલની ચુંટણીમાં રાજકોટના દિલીપ પટેલ પ્રથમ ક્રમે વિજેતા જાહેર

બાર કાઉન્સીલની ચુંટણીમાં રાજકોટના દિલીપ પટેલ પ્રથમ ક્રમે વિજેતા જાહેર
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં ત્રીજી વખત દિલીપભાઇની જીત: સતત બીજી ટર્મમાં પ્રથમ ક્રમે વિજેતા બન્યા
રાજકોટ,તા.૯
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠાભરી ચુંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ શનિવારથી મતગણતરીનો પ્રારંભ થયો હતો અને આજરોજ પ્રથમ પરિણામ જાહેર થયું છે. જેમાં પ્રથમ ક્રમે રાજકોટના દિલીપભાઈ પટેલ વિજેતા જાહેર થયા છે. દિલીપભાઈ પટેલ સતત બીજી ટર્મમાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર થતા તેમના સમર્થકો તથા રાજકોટના વકિલોમાં ખુશીની લહેર જોવા મળી છે. 
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ૨૫ સભ્યો માટેની ચુંટણીનું ગત તા.૨૮ માર્ચના રોજ મતદાન થયું હતું. ચુંટણીમાં ૯૯ ઉમેદવારોએ પોતાનું ભાવી અજમાવ્યું છે. જેમાં રાજકોટના પાંચ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. તા.૨૮ના ચુંટણી યોજાયા બાદ ગત શનિવારથી મતગણતરીનો પ્રારંભ થયો હતો. એકડા બગડાની આ અટપટી ચુંટણીમાં અંદાજીત ૧૦ થી ૧૨ દિવસ મતગણતરી પ્રક્રિયામાં થતા હોય છે ત્યારે આજરોજ સમીસાંજના બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં પ્રથમ પરિણામ જાહેર થયું છે.જેમાં રાજકોટના એડવોકેટ દિલીપભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો. 
એડવોકેટ દિલીપભાઈ પટેલ સતત ત્રીજી વખત બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સભ્યપદ પર ચુંટાઈ આવ્યા છે. તેઓ વર્ષ ૨૦૦૬માં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં સાતમાં ક્રમે ચુંટાયા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૨માં તેઓ પ્રથમ ક્રમે ચુંટાયા હતા અને હવે વર્ષ ૨૦૧૮માં પણ સતત બીજી વખત તેઓ પ્રથમ ક્રમે ચુંટાયા છે. 
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં રાજકોટમાંથી પાંચ તથા સૌરાષ્ટ્રમાંથી ૧૦ ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. જેમાં રાજકોટના પાંચ ઉમેદવારો પૈકી દિલીપભાઈ પટેલનો પ્રથમ ક્રમે ભવ્ય વિજય થતા રાજકોટના વકિલો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. રાજકોટમાં આ ઉપરાંત એડવોકેટ જીજ્ઞેશ જોષી, સિદ્ધરાજસિંહ જાડેજા, રાજેશ વોરા તથા જયંત પંડયાએ ઉમેદવારી નોંધાવી છે. આગામી દિવસોમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા એક બાદ એક પરીણામ જાહેર કરવામાં આવશે. ત્યારે રાજકોટના અન્ય ઉમેદવારોને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મોભેદાર સભ્યપદમાં સ્થાન મળે છે કે કેમ ? તેના પર રાજકોટના તથા સૌરાષ્ટ્રના વકીલો મીટ માંડીને બેઠા છે. 

સૌરાષ્ટ્રના શિક્ષણમાં જગતમાં કિડ્સ ગ્રેજ્યુએશન ડે સેલિબ્રેશન નવતર પ્રયાસ સંપન્ન

સૌરાષ્ટ્રના શિક્ષણમાં જગતમાં કિડ્સ ગ્રેજ્યુએશન
ડે સેલિબ્રેશન નવતર પ્રયાસ સંપન્ન

યુનિવર્સીટીઓની ફેકલ્ટીઓમાં ગ્રેજ્યુએટ થતા વયસ્થ વિદ્યાર્થીઓને દીક્ષાંત સમારોહમાં ગ્રેજ્યુએટની ડિગ્રીઓ રાજ્યપાલના
નામે ભવ્ય સમારોહમાં એનાયત કરવામાં આવે જયારે સૌરાષ્ટ્રની નામાંકીત સીબીએસસી અફીલીયેડ ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ જેતપુરમાં
ઉપસ્ક્ષિત પેરેન્ટસ  અને પ્રિન્સીપાલશ્રીઓની હાજરીમાં કિન્ડરગાર્ટન એટલે કે કેજીમાં અભ્યાસ કરતાં ચારથી પાંચ વર્ષના ભૂલકાઓને
ગ્રેજ્યુએસન ડે સેલિબ્રેશનમાં પદવીદાન આપવામાં આવી.

આ સમારોહમાં વયસ્થ વિદ્યાર્થીઓને સેલિબ્રેશન જેવો માહોલ ધવલ ઇન્ટરનેશનલ સ્કુલના કેમ્પસમાં "ટીની ટોટસ"ને ગાઉન અને કેપમાં સજ્જ થયેલા ભૂલકાઓને હાયર કેજીની ડિગ્રીઓને એનાયત કરવામાં આવી. આ પ્રસંગે ભારતીય સેનના નિવૃત મેજર સુમેરસિંહ બુગલીયાએ આ બાળકોને પદવી એનાયત કરતા જણાવેલ કે વીસ વર્ષ પછી ભારતનું ભવિષ્ય જેના હાથમાં છે, તેવા ભાવિ નાગરિકોએ ડિસીપ્લીનના અને વતનપરસ્થના પાઠની સાથે પર્સનલ ડેવેલોમેન્ટનું ધડતર કરવું પડશે. આ
નવતર પ્રયોગ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આયોજન કરવાનો શ્રેય ધવલ ઇન્ટરનેશનલ સ્કુલના કેમ્પસના પ્રિ.પ્રાઈમારી પ્રિન્સીપાલ કુમારી અનિતા મેડમ અને તેમની
ટીમને આપી સીઈઓ હિતેશ પટેલએ પ્રિન્સીપાલશ્રીઓને અભિનંદન પાઠવ્યા. સંસ્થાના "ટીની ટોટસ"  અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત
પેરેન્સ વિદ્યાર્થીઓ સાથે કુમારી ખિયાના ભુવાના હસ્તે અધતન અમ્યુઝમેન્ટ પાર્ક ખુલ્લુમાં આવેલ તે બદલ સંસ્થાના મેનેજીંગ ડીરેક્ટર દિનેશભાઈ ભુવાએ ધવલ ઇન્ટરનેશનલ સ્કુલના આ   "ફન વિથ લર્ન"  કન્સેપ્ટને ઉજાગર કરેલ હતો.




રાજકોટમાં ડબલ મર્ડર..

રાજકોટ ધીંગાણામાં ઇજાગ્રસ્ત વેજા ખીમાં ભરવાડનું પણ મોત
ઘટના ડબલ મર્ડરમાં ફેરવાઈ
3 આરોપીઓ કાર સાથે ગિરફ્તાર
ભરવાડ સમાજમાં શોક સાથે રોષ

રવિવાર, 8 એપ્રિલ, 2018

રાજકોટમાં ચોરાઉ હોન્ડા સાથે ઝડપાયો





TISARI AANKHગોંડલની ગોંડલી નદી માંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી...જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા...પોલીસ ધટના સ્થળ પર..ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડ અને સામાજિક કાર્યકર પ્રફુલ્લભાઈ રાજ્યગુરૂએ મૃતકની લાશને ગોંડલ સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડયા બાદ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી.

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક અંતરીપ સૂદની સુચનાથી જેતપુર સીટી પી.આઈ  રાણાના માર્ગદર્શન હેઠળ ગઈકાલે જેતપુર સીટી પો.સ્ટે.ના HC સંજયભાઈ પરમાર , PC ઘમભા જેઠવા , ભાવેશભાઈ ચાવડા , ચેતનભાઈ ઠાકોર , લખુભા રાઠોડ , દિવ્યેશભાઈ સુવા ,  નારણભાઈ પંપાણીયાને મળેલ હકિકત આઘારે જેતપુર નાજાવાળા ચોકડી પાસે યાજ્ઞીક સુભાસભાઈ અગ્રાવત તથા હર્ષદ ચંદુગીરી ગોસાઈ રે બંને પેઢલા તા.જેતપુર વાળા ને ઇગ્લીશ દારૂ ની અલગ અલગ બ્રાન્ડ ની બોટલ નંગ ૧૮ કુલ કી રુ ૫૪૦૦/- તેમજ મોસા કિ.રુ ૧૦,૦૦૦/- સાથે મળી કુલ રુપીયા ૧૫,૪૦૦ સાથે પકડાઈ ગયા હતા.

LOKCHARCHA NEWS AND STORY BY KASHYAP JOSHI (JOURNALIST): RAJKOTMA BHARVAD AADHEDNI HATYA

RAJKOTMA BHARVAD AADHEDNI HATYA

રાજકોટમાં આજે ઢોલરા ચોકડી પાસે ઘાસચારા મુદ્દે 2 ભરવાડ જૂથો વચ્ચેની બઘડાટીમાં એકની લોથ ઢળી ગઈ હતી. સ્થાનિક ફ્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસે આ હત્યાના બનાવમાં ત્રણ શખ્સોની કાર સાથે ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગુરુવાર, 22 ફેબ્રુઆરી, 2018

1 માર્ચથી  Paytm અને Freecharge જેવા મોબાઇલ વૉલેટ્સ યુઝર્સ મુકાશે મુશ્કેલીમાં !

મોબાઇલ વૉલેટ કંપનીઓને તેમના યુઝર્સના KYC સબમિટ કરાવવામાં નિષ્ફળ ?

મોદી સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા કેશલેશના અભિયાનને કારણે હવે Paytm, mobikwik, payumoney,  Freecharge વગેરે જેવા મોબાઇલ વૉલેટ્સ યંગસ્ટર્સની બેઝિક જરુરિયાત બની ગયા છે.

પરંતુ ‘રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા’એ દર્શાવેલી નોટીસ પ્રમાણે આ મોબાઇલ વૉલેટ્સની સામે સમસ્યા ઉભી થઈ છે. ગયા વર્ષે RBI એ તમામ મોબાઇલ વૉલેટ કંપનીઓને તેમના યુઝર્સના KYC સબમિટ કરાવવા માટે આદેશ કર્યો હતો, જેમાં દર મહિને  10 હજાર રૂપિયા કરતાં વધુ ટ્રાન્ઝેક્શન કરતા  યુઝર્સે તેમનું KYC આપવું ફરજિયાત છે, જેનામાટેની છેલ્લી ડેડલાઇન 28 ફેબ્રુઆરી, 2018 છે. પરંતુ સ્થિતિ એ છે કે મોબાઇલ વૉલેટ કંપનીઓએ RBIના આ આદેશનું પાલન કર્યું નથી.

KYC સબમિટ કરાવનારા યુઝર્સની સંખ્યા ફક્ત 9% જેટલી જ છે એટલે કે 91% યુઝર્સે પોતાનાં KYC સબમિટ કર્યાં નથી. જો RBI તેના KYC ની મુદ્દત નહીં લંબાવે તો 91% યુઝર્સ માટે મોબાઇલ વૉલેટના ઉપયોગ પર ભયંકર પાબંદી આવી જશે અને  તેઓ 10 હજાર રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન જ નહીં કરી શકે અને 10 હજારથી વધુ રકમ તેઓ મોબાઇલ વૉલેટમાં રાખી પણ નહીં શકે. એક રિપોર્ટ પ્રમાણે મોબાઇલ વૉલેટ્સ દ્વારા ડિસેમ્બર, 2017માં 12 હજાર કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું. યૂઝર્સે KYC લિંક કરવા તેમના મોબાઇલ વૉલેટને આધાર કાર્ડ અને પાનકાર્ડ સાથે લિંક કરાવવાનું ફરજિયાત છે.
લક્ષ્મીજી અવતર્યા ! ચેતેશ્વર પુજારા ડેડી બન્યા !

દિલ્હી ક્રિકેટ રમતા ચેતેશ્વરને પરિવારજનોએ સમાચાર આપ્યા
" જલેબી ઉત્સવ" ઉજવવા ચેતેશ્વર દિલ્હીથી રાજકોટ આવવા રવાના

ભારતીય ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના લક્ષ્મીજી અવતર્યા છે.  ગુરુવારે સાંજના સમય પત્ની પૂજાએ પુત્રીને જન્મ આપ્યો. પૂજારા ક્રિકેટ રમવા માટે દિલ્હી હોઈ તેને પરિવારજનો દ્વારા ફોન પર આ ખબર આપવામાં આવી હતી. આવા શુભ સમાચાર સાંભળતાજ તે દિલ્હીથી રાજકોટ આવવા માટે રવાના થયો હતો.

ચેતેશ્વર પૂજારા રાજકોટ આવી માતા-પુત્રીને મળીને "જલેબી ઉત્સવ" આટોપી ફરી પાછો દિલ્હી જશે. સૌરાષ્ટ્રની ટીમ વિજય હઝારે ટ્રોફીની સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે જેથી તેને ટીમ સાથે જોડાવું પડશે. માતા-પુત્રી બંને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 30 વર્ષીય પૂજારાએ 2013માં પૂજા પાબારી સાથે લગ્ન કર્યા હતા અને આ તેમનું પ્રથમ સંતાન છે. પુત્રીના આગમનથી પૂજારા પરિવાર સહિત તેના ફેન્સ ખુબ જ ખુશ છે અને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો છે.

સોમવાર, 9 ઑક્ટોબર, 2017

WILL WILL FINE WAY

ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને સસ્ક્રુત ભાશામા 
આપના અભ્યાસના પેપરો વ્યાજબી ભાવે
ટાઇપ કરી આપીશુ. આજે જ સમ્પર્ક કરો.
૯૧ ૫૭ ૮૧૨ ૮૧૨

સોમવાર, 18 સપ્ટેમ્બર, 2017

અંગ્રેજી ટાઈપિંગ વર્ક

આપની જરૂરિયાત મુજબનું ગુજરાતી, અંગ્રેજી ટાઈપિંગ વર્ક સંતોષકારક રીતે નિયમિત કરી આપીશું. અમારો સંપર્ક કરો. 91 57 812 812
kkumarjoshi@gmail.com 

Atul N. Chotai: candidate required for work

Atul N. Chotai: candidate required for work: કશ્યપભાઈ જે. જોશી જેતલસર - જેતપુરના પત્રકાર છે. જેઓ ન્યુઝ પેપરના કામકાજ જેમ કે ટાઈપીંગ - લખાણ - રિપોર્ટિંગ જેવી બાબતોના ૨૦ વર્ષના અનુભવી છે...

ગુરુવાર, 30 માર્ચ, 2017

જેતસરના પત્રકાર કશ્યપ જોશીનો આજે જન્મદિન..... | Birthday | Akilanews.com

જેતસરના પત્રકાર કશ્યપ જોશીનો આજે જન્મદિન..... | Birthday | Akilanews.com

પ્રેમલગ્ન કરનારા યુગલને હિંસા સામે રક્ષણ આપવાની રાજ્યની ફરજ : હાઇકોર્ટ...

પ્રેમલગ્ન કરનારા યુગલને હિંસા સામે રક્ષણ આપવાની રાજ્યની ફરજ : હાઇકોર્ટ...: પ્રેમલગ્ન કરનારા યુગલને હિંસા સામે રક્ષણ આપવાની રાજ્યની ફરજ : હાઇકોર્ટ.....

આ છે મુંબઇનું કલ્ચર?...

આ છે મુંબઇનું કલ્ચર?...: br /આ છે મુંબઇનું કલ્ચર?.....

શનિવાર, 11 માર્ચ, 2017

ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઇઝ યુનિયન ગોંડલ ડિવિઝનની જનરલ મિટિંગ કાલે રીબડામાં...

ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઇઝ યુનિયન ગોંડલ ડિવિઝનની જનરલ મિટિંગ કાલે રીબડામાં...: ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઇઝ યુનિયન ગોંડલ ડિવિઝનની જનરલ મિટિંગ કાલે રીબડામાં.....

કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં હોલીકા દહનઃ સોમવારે ધુળેટી...

કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં હોલીકા દહનઃ સોમવારે ધુળેટી...: કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં હોલીકા દહનઃ સોમવારે ધુળેટી.....

ગોંડલમાં પ દુકાનો તૂટતા - ચેઇનની ચીલઝડપ થતા વેપારીઓ રોષે ભરાયાઃ ચક્કાજામ કર્યો...

ગોંડલમાં પ દુકાનો તૂટતા - ચેઇનની ચીલઝડપ થતા વેપારીઓ રોષે ભરાયાઃ ચક્કાજામ કર્યો...: ગોંડલમાં પ દુકાનો તૂટતા - ચેઇનની ચીલઝડપ થતા વેપારીઓ રોષે ભરાયાઃ ચક્કાજામ કર્યો.....

ગુરુવાર, 2 ફેબ્રુઆરી, 2017

સાન્દીપની શ્રી હરિમંદિરે અન્નકુટ દર્શન કરતા કોકીલાબેન અંબાણી...

સાન્દીપની શ્રી હરિમંદિરે અન્નકુટ દર્શન કરતા કોકીલાબેન અંબાણી...: સાન્દીપની શ્રી હરિમંદિરે અન્નકુટ દર્શન કરતા કોકીલાબેન અંબાણી.....

પ્રત્યેક મનુષ્યમાં ઇશ્વરનો અંશ : પૂ. રમેશભાઇ ઓઝા...

પ્રત્યેક મનુષ્યમાં ઇશ્વરનો અંશ : પૂ. રમેશભાઇ ઓઝા...: પ્રત્યેક મનુષ્યમાં ઇશ્વરનો અંશ : પૂ. રમેશભાઇ ઓઝા.....

લ્યો કરો વાત ગાય મોબાઇલ ગળી ગઇ ...

લ્યો કરો વાત ગાય મોબાઇલ ગળી ગઇ ...: લ્યો કરો વાત!! ગાય મોબાઇલ ગળી ગઇ!!.....

મંગળવાર, 17 જાન્યુઆરી, 2017

ખોડલધામનાં મુખ્ય દાતા તરીકે ચમારડીના ગોપાલભાઇ વસ્તરપરા...

ખોડલધામનાં મુખ્ય દાતા તરીકે ચમારડીના ગોપાલભાઇ વસ્તરપરા...: ખોડલધામનાં મુખ્ય દાતા તરીકે ચમારડીના ગોપાલભાઇ વસ્તરપરા.....

જુનાગઢમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન...

જુનાગઢમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન...: જુનાગઢમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન.....

'આપા ગીગાના ઓટલા'ની સેવા પ્રવૃત્તિઓ નિહાળી શ્રી પ્રેમગીરીજીબાપુએ આશિર્વાદ વરસાવ્યા...

'આપા ગીગાના ઓટલા'ની સેવા પ્રવૃત્તિઓ નિહાળી શ્રી પ્રેમગીરીજીબાપુએ આશિર્વાદ વરસાવ્યા...: 'આપા ગીગાના ઓટલા'ની સેવા પ્રવૃત્તિઓ નિહાળી શ્રી પ્રેમગીરીજીબાપુએ આશિર્વાદ વરસાવ્યા.....

કાગવડ શ્રી ખોડલધામ મંદિરનો અદ્ભૂત નજારો : રાજકોટ -ગોંડલ હાઇ-વે ઉપર કલાત્મક રંગાળી...

કાગવડ શ્રી ખોડલધામ મંદિરનો અદ્ભૂત નજારો : રાજકોટ -ગોંડલ હાઇ-વે ઉપર કલાત્મક રંગાળી...: કાગવડ શ્રી ખોડલધામ મંદિરનો અદ્ભૂત નજારો : રાજકોટ -ગોંડલ હાઇ-વે ઉપર કલાત્મક રંગાળી.....

મવડી ચોકડીએ શોભાયાત્રાની વચ્ચેથી વાહનો નીકળવા માંડ્યાઃ દસેક મિનીટ યાત્રા થંભી ગઇ...

મવડી ચોકડીએ શોભાયાત્રાની વચ્ચેથી વાહનો નીકળવા માંડ્યાઃ દસેક મિનીટ યાત્રા થંભી ગઇ...: મવડી ચોકડીએ શોભાયાત્રાની વચ્ચેથી વાહનો નીકળવા માંડ્યાઃ દસેક મિનીટ યાત્રા થંભી ગઇ.....

રાજકોટ- ગોંડલ હાઇ-વે ઉપર એક તરફ શોભાયાત્રા- બીજી તરફ વાહનવ્યવહાર...

રાજકોટ- ગોંડલ હાઇ-વે ઉપર એક તરફ શોભાયાત્રા- બીજી તરફ વાહનવ્યવહાર...: રાજકોટ- ગોંડલ હાઇ-વે ઉપર એક તરફ શોભાયાત્રા- બીજી તરફ વાહનવ્યવહાર.....

૪૦૦૦ મોટરકાર, ૧૦,૦૦૦ બાઇક માર્ગો પર ખોડિયાર માતાનો જયજયકાર...

૪૦૦૦ મોટરકાર, ૧૦,૦૦૦ બાઇક માર્ગો પર ખોડિયાર માતાનો જયજયકાર...: ૪૦૦૦ મોટરકાર, ૧૦,૦૦૦ બાઇક માર્ગો પર ખોડિયાર માતાનો જયજયકાર.....

ઐતિહાસિક ખોડલધામ મહોત્સવનો મંગલારંભ...

ઐતિહાસિક ખોડલધામ મહોત્સવનો મંગલારંભ...: ઐતિહાસિક ખોડલધામ મહોત્સવનો મંગલારંભ.....

સોમવાર, 16 જાન્યુઆરી, 2017

બગદાણામાં પૂ. બજરંગદાસબાપાની પૂણ્યતિથીઃ દોઢ લાખ ભાવિકો ઉમટ્યા...

બગદાણામાં પૂ. બજરંગદાસબાપાની પૂણ્યતિથીઃ દોઢ લાખ ભાવિકો ઉમટ્યા...: બગદાણામાં પૂ. બજરંગદાસબાપાની પૂણ્યતિથીઃ દોઢ લાખ ભાવિકો ઉમટ્યા.....

પોરબંદર સાન્દીપનીમાં ક્રિકેટ રમતા પૂ.રમેશભાઇ ઓઝા - પૂ. જેન્તીરામબાપા...

પોરબંદર સાન્દીપનીમાં ક્રિકેટ રમતા પૂ.રમેશભાઇ ઓઝા - પૂ. જેન્તીરામબાપા...: પોરબંદર સાન્દીપનીમાં ક્રિકેટ રમતા પૂ.રમેશભાઇ ઓઝા - પૂ. જેન્તીરામબાપા.....

ગોંડલના દેરડી (કુંભાજી) રૂદ્રાક્ષ વિદ્યાલયમાં યુવા દિનની ઉજવણી...

ગોંડલના દેરડી (કુંભાજી) રૂદ્રાક્ષ વિદ્યાલયમાં યુવા દિનની ઉજવણી...: ગોંડલના દેરડી (કુંભાજી) રૂદ્રાક્ષ વિદ્યાલયમાં યુવા દિનની ઉજવણી.....

શુક્રવાર, 13 જાન્યુઆરી, 2017

ખંભાલીડામાં જામ્યો પતંગોત્સવ : કુલ ૩૫ પતંગવીરોએ ગગન રંગબેરંગી પતંગોથી છલકાવી દિધુ : પવન પણ અનુ કૂળ...

ખંભાલીડામાં જામ્યો પતંગોત્સવ : કુલ ૩૫ પતંગવીરોએ ગગન રંગબેરંગી પતંગોથી છલકાવી દિધુ : પવન પણ અનુ કૂળ...: ખંભાલીડામાં જામ્યો પતંગોત્સવ : કુલ ૩૫ પતંગવીરોએ ગગન રંગબેરંગી પતંગોથી છલકાવી દિધુ : પવન પણ અનુ કૂળ.....

જેતલસર આરડીસી બેંકને તાળાબંધી : ગ્રાહકોનો મીજાજ જોઇને બેંકનો સ્ટાફ ભાગી ગયો...

જેતલસર આરડીસી બેંકને તાળાબંધી : ગ્રાહકોનો મીજાજ જોઇને બેંકનો સ્ટાફ ભાગી ગયો...: જેતલસર આરડીસી બેંકને તાળાબંધી : ગ્રાહકોનો મીજાજ જોઇને બેંકનો સ્ટાફ ભાગી ગયો.....

મંગળવાર, 10 જાન્યુઆરી, 2017

ટીબીના કેમ્પેનમાં સહકાર આપવા બદલ બિગ બીને અમેરિકન એમ્બેસીએ એવોર્ડ આપ્યો...

ટીબીના કેમ્પેનમાં સહકાર આપવા બદલ બિગ બીને અમેરિકન એમ્બેસીએ એવોર્ડ આપ્યો...: br /ટીબીના કેમ્પેનમાં સહકાર આપવા બદલ બિગ બીને અમેરિકન એમ્બેસીએ એવોર્ડ આપ્યો.....

ઉપલેટામાં ચોરાઉ બે ટ્રેકટર અને ખેત ઓજારો સાથે બે શખ્સોને ઝડપી લેતી રૂરલ એલસીબી...

ઉપલેટામાં ચોરાઉ બે ટ્રેકટર અને ખેત ઓજારો સાથે બે શખ્સોને ઝડપી લેતી રૂરલ એલસીબી...: ઉપલેટામાં ચોરાઉ બે ટ્રેકટર અને ખેત ઓજારો સાથે બે શખ્સોને ઝડપી લેતી રૂરલ એલસીબી.....

સોમવાર, 9 જાન્યુઆરી, 2017

વડાપ્રધાનનો બે દિ'નો કાર્યક્રમ...

વડાપ્રધાનનો બે દિ'નો કાર્યક્રમ...: વડાપ્રધાનનો બે દિ'નો કાર્યક્રમ.....

આખુ વર્ષ દોરો પાઇને ગુજરાન ચલાવતાં કાનપુરના મિથુનભાઇએ આઠ વર્ષથી ભાવ વધારો નથી કર્યો...

આખુ વર્ષ દોરો પાઇને ગુજરાન ચલાવતાં કાનપુરના મિથુનભાઇએ આઠ વર્ષથી ભાવ વધારો નથી કર્યો...: આખુ વર્ષ દોરો પાઇને ગુજરાન ચલાવતાં કાનપુરના મિથુનભાઇએ આઠ વર્ષથી ભાવ વધારો નથી કર્યો.....

ખોડલધામ કાગવડ ઈતિહાસ બનવા જઈ રહ્યુ છેઃ નરેશભાઈ પટેલ...

ખોડલધામ કાગવડ ઈતિહાસ બનવા જઈ રહ્યુ છેઃ નરેશભાઈ પટેલ...: ખોડલધામ કાગવડ ઈતિહાસ બનવા જઈ રહ્યુ છેઃ નરેશભાઈ પટેલ.....

અકસ્‍માતમાં જેતપુરના પીઠડીયા ગામના મનસુખભાઇ ધડુકના મોતથી અરેરાટી...

અકસ્‍માતમાં જેતપુરના પીઠડીયા ગામના મનસુખભાઇ ધડુકના મોતથી અરેરાટી...: અકસ્‍માતમાં જેતપુરના પીઠડીયા ગામના મનસુખભાઇ ધડુકના મોતથી અરેરાટી.....

બુધવાર, 23 નવેમ્બર, 2016

૮૦ જેટલી ચીજવસ્તુઓ ઉપર નહી લાગે GST...

૮૦ જેટલી ચીજવસ્તુઓ ઉપર નહી લાગે GST...: ૮૦ જેટલી ચીજવસ્તુઓ ઉપર નહી લાગે GST.....

જનધન-નાની બચત ખાતામાં જુની નોટ જમા કરવા ઉપર પ્રતિબંધ...

જનધન-નાની બચત ખાતામાં જુની નોટ જમા કરવા ઉપર પ્રતિબંધ...: જનધન-નાની બચત ખાતામાં જુની નોટ જમા કરવા ઉપર પ્રતિબંધ.....

જેતપુરમાં ઘાતકી શખ્સોએ ૧૦ શ્વાનને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધા...

જેતપુરમાં ઘાતકી શખ્સોએ ૧૦ શ્વાનને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધા...: જેતપુરમાં ઘાતકી શખ્સોએ ૧૦ શ્વાનને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધા.....

ગુરુવાર, 8 સપ્ટેમ્બર, 2016

વિરપુર (જલારામ) નજીકના પીઠડીયા ટોલનાકા પાસે સ્વયંભુ ગણેશજી મંદિરે ઉમટતા ભાવિકો...

વિરપુર (જલારામ) નજીકના પીઠડીયા ટોલનાકા પાસે સ્વયંભુ ગણેશજી મંદિરે ઉમટતા ભાવિકો...: વિરપુર (જલારામ) નજીકના પીઠડીયા ટોલનાકા પાસે સ્વયંભુ ગણેશજી મંદિરે ઉમટતા ભાવિકો.....

જામકંડોરણાના મોટા ભાદરમાં મગફળીના પાકમાં મૂંડાના રોગથી ખેડુતો ચિંતીત...

જામકંડોરણાના મોટા ભાદરમાં મગફળીના પાકમાં મૂંડાના રોગથી ખેડુતો ચિંતીત...: જામકંડોરણાના મોટા ભાદરમાં મગફળીના પાકમાં મૂંડાના રોગથી ખેડુતો ચિંતીત.....

જામકંડોરણાના મોટા ભાદરમાં મગફળીના પાકમાં મૂંડાના રોગથી ખેડુતો ચિંતીત...

જામકંડોરણાના મોટા ભાદરમાં મગફળીના પાકમાં મૂંડાના રોગથી ખેડુતો ચિંતીત...: જામકંડોરણાના મોટા ભાદરમાં મગફળીના પાકમાં મૂંડાના રોગથી ખેડુતો ચિંતીત.....

બુધવાર, 3 ફેબ્રુઆરી, 2016

વીરપુર નજીક વીજપોલ સાથે ટેન્કર અથડાયું બનાવ સ્થળેથી મળી અજાણ્યા યુવાનની લાશ

વીરપુર નજીક વીજપોલ સાથે ટેન્કર અથડાયું 
બનાવ સ્થળેથી મળી અજાણ્યા યુવાનની લાશ 
જેતપુર તા.૩
આજે સવારે જેતપુરના વીરપુર જલારામ નજીક એક ખાલી ટેન્કર વીજપોલ સાથે અથડાયું ત્યારે બનાવ સ્થળેથી એક અજાણ્યા યુવાનની લાશ પણ મળતા વીરપુર પોલીસના ફોજદાર ગોહિલે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરથી વીરપુર જતા વચ્ચે આવતા શ્રી ગણપતિબાપાનાં મંદિર સામે આજે સવારે રાજકોટ થી જેતપુર તરફ આવતા જીજે૧૮ એક્સ ૩૮૬૫ નંબરનું એક ખાલી ટેન્કર રોડ નીચે ઉતારી જઈ ધડાકાભેર એક વીજપોલ સાથે અથડાતા આજુબાજુનો વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. અને ટેન્કર ચાલક નાશી છૂટ્યો હતો.
બીજીબાજુ બનાવની જાણ થતાજ ઘટના સ્થળે પહોચેલી વીરપુર પોલીસના ધ્યાને એક અજાણ્યા પુરુષની લાશ આવી હતી. બનાવ બાદ વીજશોકથી આ યુવાનનું મોત થયું છે કે ટેન્કર અકસ્માતથી ? મૃતક ટેન્કરનો ક્લીનર છે કે કોઈ રાહદારી ? વિગેરે બાબતોની તપાસ વીરપુર પોલીસના પીએસઆઈ ગોહિલે હાથ ધરી છે. પોલીસના જણાવ્યાં અનુસાર અજાણ્યા મૃતકની લાશ હાલ વિરપુરના સરકારી દવાખાનામાં કોલ્ડ સ્ટોરેજમાં રખાઈ છે. કોઈ વાલી વારસો હોય તો વીરપુર સરકારી દવાખાનાનો સંપર્ક કરવા પોલીસનો અનુરોધ છે.

વીરપુરની પરિણીતાએ એસીડ પી લેતા ગંભીર 
જેતપુર તા.૩
વીરપુરની એક પરિણીતાએ આજે કોઈ અગમ્યો કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતા પ્રાથમિક સારવાર વીરપુર અપાવી વધુ સારવાર માટે ગંભીર હાલતમાં રાજકોટની સરકારી હોસ્પીટલે ખસેડાઈ હોવાનું વીરપુર પોલીસે જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ વિરપુરના દેવપરા વિસ્તારમાં રહેતા નીલેશભાઈ બાબુભાઈ દેગામાની પત્ની ભારતીબેન(ઉ.વ.૨૮) એ આજે કોઈ અગમ્યો કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર માટે વીરપુર સરકારી હોસ્પીટલમાં ખસેડાઈ હતી. દરમિયાન ત્યાં ભારતીબેનની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. એક વર્ષનો લગ્ન ગાળો ધરાવતી ભારતીએ એસીડ પીવા પાછળ કોઈ ગૃહકંકાશ કારણભૂત છે કે બીજું કોઈ કારણ ? તે અંગે ફોજદાર ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨ 

લાયન્સ કલબ રોયલ જેતપુર દ્વારા પશુ રોગ નિદાન કેમ્પ યોજાયો

લાયન્સ કલબ રોયલ જેતપુર દ્વારા
પશુ રોગ નિદાન કેમ્પ યોજાયો 
જેતપુર તા.૩
લાયન્સ કલબ જેતપુર રોયલ દ્વારા તાલુકાના રેશમડી ગાલોળ ગામે પશુરોગ નિદાન અને સારવાર, શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સંસ્થાના કાર્યવાહકોની જહેમત વચ્ચે ડો.રૂપાપરા, ડો.અસારી, ડો.સાવલિયા વી વેટરનરી તબીબોની સેવા દ્વારા ગામ તેમજ આજુબાજુના પશુ પાલકો પોત પોતાના બીમાર પશુની સારવાર તેમજ શસ્ત્રક્રિયા કરાવી હોવાનું પ્રમુખ રાણપરીયા, પ્રોજેક્ટ ચેરમેન આંબલીયા, ધીરુભાઈ રાણપરીયા વિગેરે જણાવ્યું હતું.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 



અવસાન નોંધ : ૩-૨-૨૦૧૬

અવસાન નોંધ : ૩-૨-૨૦૧૬
જેતપુર : દશા સોરઠિયા વણિક સ્વ.શાંતિલાલ જીવણરામ વિરાણીના પુત્રી દીનાબેન ભાનુરાય બાબરિયા (રાજકોટ-ઉ.વ.૬૪) તે દીપકભાઈ વીરની(સ્ટેટ બેંક-નવાગઢ), કલાબેન(ગોંડલ), અંજનાબેન, કવિતાબેન(મુંબઈ)ના બહેન તા.૨૯ ના રોજ અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા.૪ ને ગુરુવારે, સાંજે ૪ થી ૬, "શ્રીનાથજી", એ-૫૮, પંચવટી સોસાઈટી, ધોરાજી રોડ, જેતપુર ખાતે રાખેલ છે.
                                                                                                કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 

જેતપુર : લાભુબેન તુલસીભાઈ માંડવીયા(ઉ.વ.૯૭) તે કાન્તીભાઈ, ગીરધરભાઈના માતા, જીતુભાઈ, રાજેશભાઈ, યોગેશભાઈના દાદીમાં, ગીરીશભાઈ અને ગોપાલભાઈ હંસરાજભાઈ માંડવીયાના કાકી તા.૩ નારોજ અવસાન પામેલ છે. બેસણું તા.૫ ને શુક્રવારે, સાંજના ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન, ડોબરિયવાડી, અમરનગર રોડ, હરીવીલા એપાર્ટમેન્ટની બાજુમાં, જેતપુર ખાતે રાખેલ છે.
                                                                                                 કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 




જેતપુરના કણકિયા પ્લોટમાં સત્સંગ હોલ વાળો રોડ બનાવવામાં તંત્રની વ્હાલાદવલાની નીતિ...

જેતપુરના કણકિયા પ્લોટમાં સત્સંગ હોલ વાળો રોડ 
બનાવવામાં તંત્રની વ્હાલાદવલાની નીતિ...
જેતપુર તા.૩(કશ્યપ જોશી દ્વારા) 
જેતપુરના કણકિયા પ્લોટનો એક રોડ બનાવવા પાલિકા તંત્ર વર્ષો થયા જાણે મુહુર્ત શોધતું હોય તેમ તે રોડ બનાવાતો જ ના હોય આ રોડ પરના વેપારીઓ રોષ સાથે અસંતોષની લાગણી ફેલાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુરના કણકિયા પ્લોટમાં બસસ્ટેન્ડ રોડને સંલગ્ન સત્સંગ હોલ વાળો રોડ લાંબા સમય થયા અત્યંત જર્જરિત ને ધૂળિયો બની ગયો હોય મેડીકલવાળા જીતુભાઈ સહિતના વેપારીઓએ અનેક વખત જેતપુર નગર પાલિકાના લાગતા વળગતા સત્તાધીશોને લેખિત, મૌખિક રજુઆતો કરી છે.
પણ સંબંધિત તંત્ર આ સમસ્યા પરત્વે આંખ આડા કાન કરતા હોવાનો વેપારીઓને આક્ષેપ છે. ફરિયાદી વેપારીઓ એમ પણ જણાવે છે કે આ રોડ સામેનો નાગરિક બેંકવાળો રોડ તાજેતરમાં બીજી વખત બનાવીને તંત્રએ સત્સંગ હોલ વાળા રોડ પરના વેપારીઓ, હોસ્પિટલસુત્રો અને ધંધાર્થીઓ  સાથે ઓરમાયું વર્તન દાખવ્યું હોવાનું સાબિત થઇ રહ્યું છે. આ વાતના ફરિયાદી વેપારીઓએ એવી પણ ચીમકી ઉચારી છે પાલિકા તંત્ર આ બાબતે કઈ જલ્દી નિર્ણય નહિ લ્યે તો વેપારીઓને ના છુટકે  આંદોલન
છેડવું પડશે. પ્રસ્તુત તસ્વીરમાં સત્સંગ હોલ વાળો ધૂળિયો રોડ દેખાય છે.
ફોટો : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

૩૦૦૦ અને ૧૫૦૦ મીટર દોડમાં રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલી નવાગઢની વિપ્ર વિદ્યાર્થીની ખેલ મહાકુંભમાં પણ ઝળકી

૩૦૦૦ અને ૧૫૦૦ મીટર દોડમાં રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલી 
નવાગઢની વિપ્ર વિદ્યાર્થીની 
ખેલ મહાકુંભમાં પણ ઝળકી 
કુ.આસ્થા જીલ્લા કક્ષાએ પણ દોડમાં મેદાન માર્યું !
જેતપુર તા.૩
જેતપુરના નવાગઢમાં રહેતી અને અહીની કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી કુ.આસ્થા હિતેશભાઈ રાવલે અગાઉ તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં તેજસ્વી દેખાવ કર્યા  બાદ કેન્દ્રીય  વિદ્યાલય સંગઠન દ્વારા યોજાયેલ  દોડ સ્પર્ધામાં ૩૦૦૦ અને ૧૫૦૦ મીટર દોડમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી, ગ્વાલિયર(મધ્યપ્રદેશ) ખાતે રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી બ્રહ્મસમાજ, શાળા અને જેતપુર નવાગઢનું ગૌરવ વધાર્યું હતું.
તો તાજેતરમાં ગોંડલની એશિયાટિક કોલેજ ખાતે જીલ્લા કક્ષાની ૧૫૦૦ મીટર દોડમાં પ્રથમ અને ૮૦૦ મીટર દોડમાં તૃતીય નંબરો મેળવી પુનઃ આગામી ખેલમહાકુંભમાં જોડાવાની પાત્રતા હાંસલ કરતા કેન્દ્રીય વિદ્યાલય તેમજ જેતપુર-નવાગઢ શહેર અને બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે. કુ.આસ્થા રાવલે દોડ સ્પર્ધા ક્ષેત્રે વખતો વખત પોતાની ચિત્તા સ્ટાઈલ દોડ સાબિત કરવાનું ચાલુ રાખતા જેતપુર બ્રહ્મસમાજના ભામાશા વી.આઈ.પંડ્યા, બ્રહ્મસમાજના આગેવાનો કમલેશભાઈ પંડ્યા, કાળુભાઈ જોશી, કશ્યપ જોશી વિગેરેએ આસ્થાને અભિનંદન પાઠવ્યા છે.
ફોટો : કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 

લ્હાવો દરિયાઈ પ્રજાતિઓનો..

લ્હાવો દરિયાઈ પ્રજાતિઓનો..
પંચજન્ય પર્યાવરણ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ મરીન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.  જેમાં આ વર્ષે જેતપુરના પેઢલાની ધવલ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.અરબી સમુદ્રમાં ડની આઈલેન્ડ પોઈન્ટ પર રાખવામાં આવેલ આ કેમ્પ દરમિયાન વિવિધ દરિયાઈ પ્રજાતિઓ જેવી કે ઓક્ટોપસ, ડોલ્ફિન, કોરલ્સ, શંખ કરપ્સ, લાઈવ શટલફીશએગ અને પફર ફીશ વિગેરેનો નજરોનજર લહાવો લઈને અભ્યાસ કર્યો હતો.
આ  મરીન એક્સપર્ટ અને એનજીઓ ના મેનેજીંગ ડીરેક્ટર રવિ વાઢેરે દરિયાઈ વનસ્પતિ શેવાળ અને પરવાળા વિષે પણ વિસ્તૃત માહિતી આપી હતી. (ફોટો : કશ્યપ જે. જોશી - જેતપુર )

મંગળવાર, 2 ફેબ્રુઆરી, 2016

ભાજપના 13 સભ્યો વિરુદ્ધ ગાંધીનગર ખાતે મોવડી મંડળ સમક્ષ રીપોર્ટ કરતા પાલિકા પ્રમુખ અને શહેર ભાજપના આગેવાનો !

જેતપુર પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં વિકાસના કામોનો વિરોધ કરનારા 
ભાજપના 13 સભ્યો વિરુદ્ધ ગાંધીનગર ખાતે મોવડી મંડળ સમક્ષ 
રીપોર્ટ કરતા પાલિકા પ્રમુખ અને શહેર ભાજપના આગેવાનો !
પક્ષની જે થાળીમાં સાથે જમવાનું હોય તેમાં પક્ષનોજ માણસ થુંકે તે વાત કેમ ચલાવી લેવાય ? પા.પ્રમુખ બારોટ 
જેતપુર તા.2
થોડા દિવસો પહેલા જેતપુર નવાગઢ નગર પાલિકાની મળેલી જનરલ બોર્ડની બેઠકમાં પાણીની ટાંકી બનાવવા સહિતના પ્રજા વિકાસના કામો સામે વિરોધ કરનારા ભાજપના 13 સભ્યો સામે સ્થાનિક ભાજપ પ્રમુખ અને જેતપુર પાલિકા પ્રમુખ શારદાબેન બારોટે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપના આગેવાનો(મોવડી મંડળ)ને રીપોર્ટ કર્યાની વાતથી પાલિકાના રાજકારણમાં ઠંડી ઉડાડતો ગરમાવો આવ્યો છે.

મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલીકાની તાજેતરમાં યોજાયેલ જનરલ બોર્ડની બેઠક દરમિયાન બાર-તેર પ્રશ્નોનો ઉપસ્થિત સદસ્યોમાના 13 ભાજપના અને 2 અપક્ષો મળી 15 સદસ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ભાજપના પાલિકા પ્રમુખ શારદાબેન હરસુરભાઇ બારોટે સમસમી જઈને શહેર ભાજપ કિશોરભાઈ શાહને આ વાત બતાવતા તેઓ પણ મનોમન " જે પક્ષની થાળીમાં સાથે બેસીને જમવું જોઈએ અને પક્ષનો માણસ જ આ થાળીમાં થુંકે" ત્યારે આ વાત સહવી કઠણ સમજીને જેતપુર શહેર ભાજપ પ્રમુખ અને પાલિકા પ્રમુખે ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપના આગેવાનોને રૂબરૂ મળીને રીપોર્ટ કર્યાની વાત શહેરમાં ફરતી થતા પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
મૌખિક સુચના છતાં સભ્યો વિરુધ્ધમાં ગયા !
જેતપુર : નગર પાલિકાના પ્રમુખે દુખ સાથે જણાવ્યું હતું કે, જનરલ બોર્ડની બેઠક પહેલા રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ સખીયા અને પોરબંદરના સાંસદ રાદડીયાએ ભાજપના પાલિકા સદસ્યોને મૌખિક સૂચનાઓ આપી હતી કે, કોઈ પ્રશ્નનો વિરોધ કરવાનો નથી, તમારા જે પ્રશ્નો હશે તે બેઠક બાદ વિચારશે અને હલ કરવા પ્રયાશો કરાશે.. આમ છતાં પાલિકાના 13 ભાજપના સભ્યોએ તેરેક પ્રશ્નનો વિરોધ કરી જે મતિનું પ્રદર્શન કર્યું તે ભાજપ માટે દુખદ હોવાનું  પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.
શિસ્તભંગના પગલા તોળાશે કે કેમ ? મોવડી મંડળ જાણે !!
જેતપુર: જેતપુર પાલિકાના ભાજપના 13 સભ્યોએ વિકાસના કામોમાં આડો પગ કરી પક્ષની પ્રતિભા ખરડાવવા કરેલા પ્રયાસની વાતમાં વિરોધ કરનારા રાજેશ ઉસદડિયા, સુરેશ સખરેલીયા, અરવિંદ વણઝારા, અશોક મંગલાણી, બટુક સાકરિયા, ગોપાલ ડોબરિયા, દિલીપ વડાલીયા, મહેશ ભડેલીયા, રમાબેન મકવાણા, વિજયાબેન બરવાળીયા, પ્રભાબેન આંબલીયા, રમાબેન સરવૈયા, કંચનબેન વોરા, કંચનબેન લુણાગરિયા તથા ગીતાબેન રાઠોડ વિગેરે સામે શું શિસ્તભંગના પગલા તોળાશે કે કેમ ? તેવા પ્રશ્નના જવાબમાં પાલિકા પ્રમુખે જણાવેલ કે અમોએ આ વાત મોવડી મંડળને લેખિત અને મૌખિક બહુ સારી રીતે જણાવી દીધી છે. હવે શું નિર્ણય લેવો ? તે મોવડીમંડળના હાથમાં છે !!
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812