From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Jan 6, 2016 8:43 PM
Subject: Beautiful India
To: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Cc:
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
જેતપુર પાલિકાના માજી પ્રમુખનો આઈફોન
ચોરનાર નજીકનોજ યુવાન નીકળતા ચકચાર
જેતપુર તા.5
બે દિવસ પહેલા જેતપુરમાં માજી પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાનો આઈફોન ચોરનાર તેમનોજ મદદનીશ યુવાન નીકળતા ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ જેતપુર પાલિકાના માજી પ્રમુખ અને વર્તમાન સદસ્યા રમાબેન રામજીભાઈ મકવાણાએ પોતાનો રૂ.32 હજારનો આઈફોન પોતાના મકાનની બારીમાં ચાર્જીંગ માટે રાખ્યો હતો.
દરમિયાન કોઈ શખ્સ આ ફોન બારીમાંથી ઉઠાવી જતા આ બારાની શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
બીજીબાજુ રમાબેનનો મોબાઈલ તેમનીજ સાથે નાના મોટા કામમાં મદદરૂપ બનતાં સાગર નામના યુવાને ઉઠાવ્યો હોવાનું બહાર આવતા રામબેને પોલીસને જાણ કરતા પોલીસે સાગરની પૂછપરછ હાથ ધરી હોવાનું એક ટેલિફોનિક મુલાકાતમાં રમાબેને જણાવ્યું હતું.
કશ્યપ જોશી જેતપુર
જેતપુરની યુવતી ભેદી સંજોગોમાં ગૂમ..
જેતપુર તા.5
અહીંના નાઝાવાળા પરા વિસ્તારમાં રહેતા જ્યોતિબેન ધીરુભાઈ ઝાલા નામની મહિલાએ પોતાની યુવાન પુત્રી હેતલ સવારે કુદરતી હાજતે ગયા બાદ પરત નહિ ફરતા, ગૂમ થયાની શહેર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે.જોશી જેતપુર
જેતલસર જંકશનમાં જુગાર દરોડો
જુગાર રમતા 5 પંટરો ઝડપાયા..
જેતપુર તા.5
જેતલસર જંક્શનના પોપટપરા વિસ્તારમાં આજે જાહેરમાં જુગાર રમતા જમાલ, હરેશ મનજી, નથુ પાલા, કાળું મનસુખ અને મુકેશ એમ 5 પંટરોને તાલુકા પોલીસ જમાદાર મજનુંભાઈ એ પકડી પાડ્યા હતા.
કશ્યપ જે. જોશી જેતપુર
જેતપુરમાં ચલણી નોટ નંબર પર જુગાર રમતા 3 પકડાયા.
જેતપુર તા.5
જેતપુરમાં આજે રાજકોટની લોકલ ફ્રાઇમ બ્રાંચે ચલણી નોટોના નંબર પર એકિબેકીનો જુગાર રમતા 3 ઇસમોને રોકડ રૂપિયા 26770 સાથે પકડી પાડ્યા હતા.
મળતી વિગતો મુજબ જેતપુરમાં કાણકિયા પ્લોટમાં આવેલ સવજીભાઈ કોરાટ શોપિંગ સેન્ટરમાં રોજ ચલણી નોટોના નંબર ઉપર જુગાર રમાતો હોવાની રાજકોટ લોકલ ફ્રાઇમ બ્રાન્ચના ભુરાભાઈ માલીવાડને બાતમી મળતા આજે તેઓએ શોપિંગ મોલમાં ત્રાટકતા ત્યાં ચલણી નોટોના નંબર પર પૈસાથી એકિબેકીનો જુગાર રમતા 3 શખ્સો પકડાઈ ગયા હતા..પકડાયેલ શખ્શોમાં બાવાજી ધર્મેશ ઉર્ફે કાનજી મગન ગોંડલિયા(રહે.આશાપુરા હોલ પાછળ, ગોંડલ), પટેલ જયેશ ઉર્ફે જલો રવજી ગોધસારા(રહે.નવાગઢ) તથા અશ્વિન નાનજી પંચાસરા(રહે.બોખલા દરવાજા, જેતપુર) નો સમાવેશ થતો હોવાનું ભુરાભાઈ માલીવાડે જણાવ્યું હતું.
કશ્યપ જે.જોશી જેતપુર
નવાગઢમાંથી વિદેશી શરાબની 172 બોટલ પકડાઈ
જેતપુર તા.5
ચોક્કસ બાતમીના આધારે જેતપુરના પોલીસ ઇન્સપેક્ટર વ્યાસે નવાગઢમાંથી વિલાયતી શરાબની 172 બોટલ પકડી પાડી હતી. જો કે વિક્રેતા નાશી છૂટવામાં સફળ થયો હોવાનું તપાસનીશ પીએસઆઈ સંઘાણીએ જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ નવાગઢના ખાટકીવાસ વિસ્તારમાં ફારૂક મહમદ ઘાચી-લાખાણીએ વેંચાણ માટે વિદેશી શરાબનો મોટો જથ્થો પોતાના ઘરમાં ઉતાર્યો હોવાની જેતપુર પોલીસના પીઆઇ એન.કે.વ્યાસને બાતમી મળતા તેઓએ પીએસઆઈ પી.બી.સંઘાણી સહિતના સ્ટાફને સાથે રાખી દરોડો પાડતા ફારુકના મકાનમાંથી રૂપિયા 51600 ની વિલાયતી શરાબની 172 બોટલ મળી આવી હતી. પોલીસે તે કબ્જે કરી ફારુકની શોધખોળ આદરી છે.. (કશ્યપ જે.જોશી જેતપુર)
જેતપુરમાં ગંદકીની માઝા યથાવત..તંત્રના કાગળ પર પડકારા..
જેતપુર તા.5
જેતપુર શહેરમાંથી ગંદકી હટવાનું નામ લેતી નથી..અગાઉ સ્વચ્છતા અભિયાનનું સૌએ ફોટો શેશન પૂરું કર્યું, હવે લત્તાવાસીઓ કચરો બતાવતા ફોટો પાડાવીને ગંદકી હટાવવાની માંગણીઓ દોહરાવી રહ્યા છે..ત્યારે ગંદકી હટાવ્યાના કાગળ પર હાકલા પડકારા કરનાર જેતપુર પાલિકાના સત્તાધીશો અહીંના કણકિયા પ્લોટમાં મહાકાળી ઇલેક્ટ્રિકવાળી શેરીમાં લટાર મારે તો ગંદકી હટાવવાની જેઓની જવાબદારી છે તેઓની બેદરકારી બહાર આવે તેમ છે..
(કશ્યપ જે.જોશી..જેતપુર)
અવસાન નોંધ..જેતપુર..4.1.16
જેતપુર : નવાગઢ નિવાસી બાજ ખેડાવાળ બ્રાહ્મણ અનિરુદ્ધભાઈ પોપટભાઈ દવે તે રોહિતભાઈ(મીનુભાઈ) તથા બાલકૃષ્ણભાઈ (બનાભાઈ)ના પિતા તા. 4 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.7 ને ગુરુવારે, સાંજે 4થી6, તેમના નિવાસસ્થાન, સ્વામી વિવેકાનંદ સોસાયટી, સ્ટેટ બેન્ક રોડ, નવાગઢ ખાતે રાખેલ છે..
કશ્યપ જોશી જેતપુર 99742 62812
જેતપુરમાં ભરવાડ યુવાન પર બિહારીનો તલવાર વતી હુમલો..
જેતપુરમાં તલવાર વતી બિહારી શખ્શનો ભરવાડ યુવાન પર હુમલો...
જેતપુર તા.3
જેતપુરમાં આજે વહેલી સવારે સામાન્ય બોલાચાલી દરમિયાન એક બિહારી શખશે એક ભરવાડ યુવાન પર તલવાર વતી હુમલો કર્યાની જેતપુર શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુરના ગોંદરા વિસ્તારમાં રહેતો યુવાન રાજુ હમીર ટોળિયા ઉ.વ.35 આજે સવારે પોતાના વિસ્તારમાંથી નીકળતો હતો ત્યારે સામે મળેલ શિવો બિહારીએ ભૂતકાળની બોલાચાલી અને ઝગડાને તાજો કરી રાજુને જમણા હાથ ઉપર તલવાર વતી હુમલો કરતા રાજુને લોહીલુહાંણ હાલતમાં પ્રાથમિક સારવાર જેતપુર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે.
પોલીસે ઘટના સ્થળે દોડી શિવાને પકડવા પ્રયત્નો કરેલ પણ તે નાશી છૂટ્યો હતો..બનાવથી ભરવાડ સમાજમાં રોષ ફેલાયો છે..અત્રે એ નોંધનીય છે કે જેતપુરના સાડી કારખાનાઓમાં હજારો પરપ્રાંતીય મજૂરો બેરોકટોક મજૂરી કરી રહ્યા છે.ઘણા સમાજ સેવકોએ અનેક વખત પોલીસને રજૂઆતો કરી છે કે અહીં કોઈ પરપ્રાંતીય મજૂરોની વિગતો રાખવામાં આવતી ના હોય, આવા તત્વો કોઈ પણ ગુનો કરતા જરાય અચકાતા ના હોવાની અનેક ઘટનાઓ બની રહી છે.ત્યારે સંબંધિત કારખાનેદારો પરપ્રાંતીય મજૂરોના રજીસ્ટર મેઇન્ટેન્ડ કરી પોલીસને પહોંચાડે તો પોલીસને ગુનેગારોને પકડવામાં સરળતા રહે..
કશ્યપ જે.જોશી જેતપુર
સમાચારમાં કરેક્શન..સુધારો..
આજે મારા દ્વારા કૃષિ મેળાના સમાચારમાં રાજ્ય મંત્રી જયેશ રાદડિયા ની અટકાયત એવું ભૂલથી લખાઈ ગયું હોવાનું મને અત્યારે માલુમ પડ્યું છે...
હકીકતમાં રાજ્ય મંત્રી જયેશ રાદાડિયાં ની હાજરીમાં કૉંગ્રેસી આગેવાનોની અટકાયત થઇ છે તેમ સમજવું..
હાજરીમાં શબ્દ ઉતાવળથી ભુલાઈ ગયો હતો..જે બદલ ક્ષમા બક્ષી હવેથી ધ્યાન રાખીશ તે વાત ધ્યાને લેવા વિનંતી છે.
કશ્યપ જોશી
જેતપુર..જેતલસર
જેતપુરમાં આજથી ક્રિકેટ ટુર્નામેન્ટ..
જેતપુરમાં આજથી રાત્રી પ્રકાશ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન...
જેતપુર તા.3
એકતા ક્રિકેટ કલબ જેતપુર દ્વારા આજે તા.4.1. થી અહીંના જીમખાના મેદાનમાં ઓપન રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ શરુ થશે.જેમાં સૌરાષ્ટ્ર ભરની ટિમો જોડાશે તેવું સંસ્થાના મિતેશ ચૌહાણ જણાવે છે..આયોજકોએ એવું પણ જણાવેલ છે કે ચાલુ મેચ દરમિયાન પણ કોઈ ટીમોએ જોડાવું હોય તો જોડાઈ શકશે.
કશ્યપ જે. જોશી....જેતપુર.
જેતપુરમાં પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત...
જેતપુર નગર પાલિકા શહેરમાં પીવાના પાણીની સારી વ્યવસ્થા થઇ શકે તે માટે ઘણી જગ્યાએ પાણીના સ્ટોરેજ માટે ટાંકીઓ ઉભી કરવામાં આવી રહી છે. જે સુવિધાના ભાગરૂપે આજે મહાત્મા ગાંધી રોડ પર આવેલા પોલીસ સ્ટેશન પાછળ આવેલ ખડપીઠ વિસ્તારમાં વધુ એક પાણીની ટાંકીના કામનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યમંત્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે કરાયું હતું. જે વેળાએ પાલિકા પ્રમુખ શારદાબેન હરસુરભાઈ બારોટ, માજી ધારાસભ્ય જશુબેન કોરાટ, પાલિકા ઉપપ્રમુખ પ્રમોદભાઈ ત્રાડા, અરવિંદ વણઝારા, જેસુખ ગુજરાતી તથા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા..
ફોટો : કશ્યપ જે.જોશી જેતપુર 99742 62812
જેતપુર : 30 થી વધુ કોન્ગી આગેવાનોની અટકાયત...
જેતપુરમાં યોજાયેલ કૃષિમેળામાં વિરોધ કરવા ગયેલા
15 કૉંગ્રેસી આગેવાનોની પોલીસે કરી અટકાયત....
(કશ્યપ જોશી) જેતપુર તા.3
જેતપુરમાં આજે અહીંની લાયન્સ સ્કૂલ ખાતે યોજાયેલ કૃષિ મેળામાં વિરોધવ્યક્ત કરવા ગયેલા શહેર તાલુકાના 30 થી વધુ કૉંગ્રેસી આગેવાનોની રાજ્ય મંત્રી જયેશ રાદડિયા ની શહેર પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
આ બાબતે મળતી વિગતો મુજબ આજે જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલ લાયન્સ સ્કુલ ખાતે કૃષિ મેળાનું આયોજન કરાયું હતું.
આ વાત જાણી ગયેલા જેતપુર શહેર અને તાલુકાના કૉંગ્રેસના આગેવાનો જગદીશભાઈ પાંભર, વિપુલ વૈષ્ણવ, જેતપુર તાલુકા પંચાયત સદસ્યા કિરણબેન ભુવાના પતિ સુરેશ ભુવા, કિશોર પાદરિયા વિગેરે રવિ કૃષિ મેળાની જગ્યાએ પહોંચી જઈ ખેડૂતોને પૂરતી વીજળી આપો, પૂરતું પાણી આપો, બિન ચુકવાયેલ પાક વીમો આપો, ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો આપો, આવા મેળા જેવા ખોટા દેખાડા બંધ કરો, જય જવાન, જય કિશન, જય જવાની ભાજપ જવાની જેવા સૂત્રોચ્ચાર કરી મેળાનું સ્થળ ગજવી મુકાતા
મેળા આયોજકો અને કાર્યવાહકો એક તબક્કે મુંજાય ગયા હતા.
જો કે આ સ્થળે ઉપસ્થિત પોલીસે કૉંગ્રેસના 25 થી વધુ આગેવાનોની જીપી એક્ટ 68 મુજબ અટકાયત કરી પોલીસ થાણે લઇ ગઈ હતી.પોલીસ થાણે પણ કોન્ગી આગેવાનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
બોક્સ : દ્વારકામાં પાટીદારો વિરુદ્ધ બોલનાર સીએમને જાકારો આપવા કોન્ગી આગેવાનનો અનુરોધ...
જેતપુર: જેતપુર પોલીસ મથકે કૉંગ્રેસના આગેવાન જગદીશ પાંભરે પત્રકારોને જણાવ્યું હતું કે પાટીદારની દીકરી એવા મુખ્યમંત્રી પાટીદારોની વિરુદ્ધ બોલી પાટીદારોની ચોર જેવી વાત સાથે સરખાવ્યા તે વાતની તેઓએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી ઉપસ્થિએ સૌ પાટીદારોને જણાવેલ કે, આપણી વિરુદ્ધ બોલનાર કોઈ આપણો હોઈ નાં શકે..પાટીદારોની વિરુદ્ધ બોલનારને બહુ ઝાઝો સમય સત્તા પર ના રહેવા દેવાય..જેમ તાલુકા જિલ્લા પંચાયતોમાં કૉંગ્રેસે બેઠકો ભાજપના હાથમાંથી ખૂંચવી લીધી તેમ આગામી ધારાસભામાં પણ ભાજપને પરાસ્ત કરવા પાટીદારોએ બમણી તાકાત કામે લગાડવી પાડશે.
બોક્સ: કોની કોની પોલીસે કરી અટકાયત ?
જેતપુર: જેતપુરમાં આજે રવિ કૃષિ મેળા સ્થળે કાળા વાવટા સાથે વિરોધ વ્યકત કરવા ગયેલા અને પોલીસે અટકાયતમાં લીધેલા કૉંગ્રેસી આગેવાનોમાં જગદીશ પાંભર, વિપુલ વૈષ્ણવ, શુરેશ ભુવા, કિશોર પાદરિયા, નારણ ઠૂંગા, અશોક વાલેરા, જગદીશ હિરપરા, વિનોદ રાદડિયા, વજુભાઈ તેજાભાઈ ઠુમર, રાજેશ કાનજી મૂળિયાં, રસિક ભીખા રાણપરિયા, ભગવાનજી રામજી જેઠવા, મોહન ભીખા વેકારીયા, ભાવેશ વેલજી કોટડિયા, કાંતિ લુણાગરા, છગન વેકારીયા, ધીરુ વાછાણી, રતિલાલ વેકારીયા, ભીમજી વેકરીયા, દેવજી વેકરીયા, રામજી બોરડ, રણછોડ મકવાણા, કાળા જેરામ, અને નરસી ભીખા વેકારીયાનો સમાવેશ થતો હોવાનું જેતપુર પોલીસ જણાવે છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર 99742 62812
ખેડૂતોને થતા રાત ઉજાગરા બંધ કરવા....આવેદન અપાયું...
ખેતીવાડીનો વીજપુરવઠો રાત્રીના ૧૩-૩૦
ને બદલે રાત્રીના ૮-૦ વાગ્યે આપવા માંગ..
૧૫ દિવસમાં ઘટતું ના કરાય તો થાણાગાલોલના ખેડૂતો આંદોલન છેડશે...
જેતપુર તા.૧ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના થાણાગાલોળ સહિતના ગામોના ખેડૂતોએ જેતપુર દોડી આવી વીજ તંત્રના નાયબ ઇજનેરને આવેદન આપી ખેતીવાડીના અપાતા વીજપુરવઠાને મોડી રાત્રીના બદલે વહેલી રાત્રીનો કરવા માંગ ઉઠી છે.
આ બાબતે રાજેશભાઈ સતાસિયા, ધીરુભાઈ, અનીલ ઉંધાડ, વિષ્ણુભાઈ સાવલિયા, ચંદુભાઈ ભુવા, વિનોદ ઉંધાડ,રમેશભાઈ માથુકીયા, જયેશ સેંજલિયા વિગેરે થાણાગાલોલના ખેડૂતોએ જેતપુર ખાતે પીજીવીસીએલ ગ્રામ્ય વિસ્તારના નાયબ ઇજનેરને એક આવેદન પાઠવી એવી માંગ દોહરાવી હતી કે, લાંબા સમય થયા થાણાગાલોળ અને મઢી ફીડર પર ખેતીવાડી વીજ પુરવઠો રાત્રીના ૧૨-૩૦ વાગ્યે અપાતો હોય, કડકડતી ઠંડીમાં, રાત ઉજાગરા વચ્ચે છેક સવાર સુધી જાગીને ખેત પાકોને પિયત કરવું પડે છે.
આ સમયને બદલે જો તંત્ર રાત્રીના ૮-૦૦ વાગ્યે વીજ પુરવઠો આપવાનું શરુ કરે તો ખેડૂતો વગર હાલાકીએ પોત પોતાના ખેતરોમાં જંગલી જાનવરોના ભય વગર વહેલાસર ખેતપાકોને પિયત કરી ઘરે જઈને આરામ કરી શકે. પરંતુ હાલ મોડી રાત્રીના મળતા વીજ પુરવઠાને લીધે થાકેલા પાકેલા ખેડૂતો બીજા દિવસે પોત પોતાની દૈનિક ચર્યામાં ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.
ખેડૂતોએ આવેદનમાં એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ પ્રશ્ન આગામી ૧૫ દિવસમાં હલ નહિ કરવામાં આવે તો ખેડૂતો જેતપુર ખાતે સંબંધિત વીજ કચેરીઓ સામે આંદોલનના મંડાણ કરશે.
(કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨)
રૂપિયા ૨૦૦ ના સામાનમાં રૂ.૧૦૦૦ની નોટ આપી, વેપારી છુટા ગોતતો હતો ત્યાં કળા કરી ગ્યા !
જેતપુરના જુનાગઢ રોડ ઉપર યુવાન વેપારીની નજર ચૂકવી
રૂ.૨૪૦૦૦ રોકડ સેરવી જતા બે અજાણ્યા શખ્શો !
જેતપુર તા.૨૯ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના જુનાગઢ રોડ પર આજે એક યુવાન વેપારીને ખરીદેલા સામાનનું બીલ ચુકવવા રૂપિયા એક હજારની નોટ આપી, વેપારીની નજર ચૂકવી રૂપિયા ૨૪૦૦૦ રોકડ સેરવી બે ગઠીયા રફુચક્કર થઇ ગયાની શહેર પોલીસ થાણે ફરિયાદ નોંધાતા ફોજદાર સંઘાણીએ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ અહીના જુનાગઢ રોડ પર રેલ્વે ફાટક પાસે આવેલ કૃષ્ણ સ્ટીલ એન્ડ સિમેન્ટ નામની દુકાને સવારે સાડા નવ વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઇસમોએ આવી સ્ટીલ વાયર તથા ખીલીઓ માંગતા દુકાન સંચાલક યુવાન વેપારી અંકિત સુરેશભાઈ બરવાળીયા(રહે.સમાધી રોડ, પીરવાળી શેરી, વીરપુર) અજાણ્યા શખ્શને વાયર તથા ખીલીઓ આપી હતી.
દરમિયાન બીલના રૂપિયા ૨૦૦ અંકિત માંગતા અજાણ્યા શખ્સે રૂપિયા ૧ હજારની નોટ આપતા, અંકિત રૂપિયા ૮૦૦ પરત આપવા પોતાના થેલામાંથી છુટા ગણતો હતો ત્યારે ટેબલના ખાનામાં પડેલા રૂપિયા ૨૪૦૦૦ રોકડ આવેલો અજાણ્યો શખ્શ સેરવી તેમની સાથેના અન્ય એક બાઈકચાલક સાથે રફુચક્કર થઇ જતા આ બારની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
બાઈક ચાલકો સીસી ફૂટેજમાં દેખાયા...
જેતપુર : આ બનાવના તપાસનીસ પીએસઆઈ સંઘાણીએ જણાવેલ કે, રૂપિયા ૨૪૦૦૦ રોકડ સેરવી નાશી છુટેલા બંને બાઈક ચાલકો સીસી કેમના ફૂટેજમાં દેખાયા છે. પણ હજુ પકડાયા નથી. તેમજ પૈસા સેરવી જનાર શખ્શે કોફી કલરનો ગરમ કોટ, ક્રીમ પેન્ટ અને ખાખી બુટ પહેર્યા હોવાનું ફરિયાદી વેપારી યુવાને જણાવતા આવા વર્ણનવાળા ઇસમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
આગામી ૧૨ મી જાન્યુઆરીએ યોજાનાર જેતપુર માર્કેટની ચુંટણી માટે
ખેડૂત પેનલની ૮ શીટ માટે ૨૧ ફોર્મ
વેપારી પેનલની ૪ શીટ માટે ૧૧ ફોર્મ ભરાયા
જયારે ખરીદ વેંચાણ સંઘની ૨ શીટ માટે ૪ ફોર્મ ભરાયા..આજે ફોર્મની ચકાસણી,
૨-૧૨ ના રોજ ફોર્મ પરત ખેંચવાનો દિવસ અને ૧૨-૧ ના રોજ ચુંટણી યોજાશે.
જેતપુર તા.૨૯ (કશ્યપ જોશી દ્વારા)
આગામી ૧૨-૧-૨૦૧૫ ના રોજ જેતપુર જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(માર્કેટ યાર્ડ)ની યોજના ચુંટણી માટે આજે ફોર્મ ભરવાના દિવસે કુલ ૩૬ ઉમેદવારોએ પોતપોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે માહિતી આપતા ચુંટણી અધિકારી જીલ્લા રજીસ્ટ્રાર જયસુખભાઈ ઠુંમર( યાર્ડ સેક્રેટરી)એ જણાવેલ કે માર્કેટ યાર્ડની મુખ્યત્વે ત્રણ પેનલોમાં ૩૬ ઉમેદવારોએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાં ખેડૂત પેનલની ૮ શીટ માટે ૨૧ ઉમેદવારોએ,
વેપારી પેનલની ૪ શીટ માટે ૧૧ ઉમેદવારોએ અને ખરીદ વેંચાણ સંઘ મંડળીની ૨ શીટ માટે ૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
ભરાયેલ આ તમામ ફોર્મ્સ તા.૩૦-૧૨. ના રોજ ચકાસાસે, તા.૨-૧-૧૫ ના રોજ ફોર્મ પરત ખેંચવા માટે અને તા.૧૨-૧-૧૫ ચુંટણી માટે નક્કી કરાઈ છે. ચુંટણી બાદ મત ગણના તા.૧૩ જાન્યુઆરીના રોજ થશે. જેતપુર યાર્ડની ચુંટણીમાં કેટલા સદસ્યો મતદાન કરશે ? તેવા સવાલનો જવાબ આપતા ચુંટણી અધિકારી જયસુખભાઈ ઠુંમરે જણાવેલ કે જેતપુર તાલુકાની લગભગ ૩૩ સહકારી મંડળીઓના ૪૬૨ સભ્યો પોત પોતાનો કીમતી મત પોત પોતાના માનીતા ઉમેદવારોને આપશે.
અત્રે એ નોંધનીય છે કે આજે ભરાયેલ ફોર્મમાં ખેડૂત પેનલમાં કોંગી અગ્રણી અને જાણીતા દાતા જગદીશ પાંભરે પોતાની પેનલ મેદાનમાં ઉતારી છે ત્યારે યાર્ડના ચેરમેન તેઓ બનશે કે માજી ચેરમેન રીપીટ થશે તે સમયજ બતાવશે.
જેતપુર માર્કેટ યાર્ડની ૧૨ જાન્યુઆરીએ ચુંટણી
આજે ઉમેદવારી ફોર્મ ભરાશે..
કોંગ્રેસમાં ઉમેદવારોને જવલંત વિજય અપાવનાર જગદીશ પામ્ભર ચેરમેન તરીકેની દાવેદારી નોંધાવશે, ૩૦ મીએ ચકાસણી અને ૧લી જાન્યુઆરીએ ફોર્મ પરત ખેંચવાનો દિવસ..જીલ્લા-તાલુકા પંચાયતની જેમજ ઉભો થઇ રહેલો માહોલ...
જેતપુર તા.૨૮
જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બઝાર સમિતિ પ્રેરિત જેતપુર માર્કેટિંગ યાર્ડની આગામી ૧૨ મી જાન્યુઆરી ના રોજ યોજાનાર ચુંટણી માટે આજે તા.૨૯ ના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થશે.
આ બાબતે માહિતી આપતા જગદીશભાઈ પાંભરે જણાવેલ કે જેમ તેઓના ટીમવર્ક દ્વારા જેતપુર તાલુકા અને જીલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસે જવલંત વિજય મેળવ્યો તેવીજ રીતે જેતપુર માર્કેટ યાર્ડમાં પણ પોતાની કોંગી પ્રેરિત ખેડૂત પેનલ સામેની તમામ પેનલો અને અપક્ષ ઉમેદવારોને ધોબી પછાડત આપવા તૈયાર થયા છે.
અને આ વાતની સાબિતી રૂપે તેઓએ(જગદીશભાઈએ ) જેતપુર યાર્ડના ચેરમેન તરીકેની દાવેદારી નોંધાવતું ઉમેદવારી ફોર્મ આજે ભરી પોતાની પેનલોને વિજય અપાવવા કવાયત આદરશે. જેતપુર તાલુકાની કુલ ૩૩ થી વધુ સહકારી મંડળીઓના ૫૦૦ થી ૬૦૦ સદસ્યો આ ચુંટણીમાં મતદાન કરશે. કોંગી પ્રેરિત ખેડૂત પેનલ સામે વેપારી પેનલ અને અપક્ષો ચુંટણી લડશે.
જેતપુરની યાર્ડમાં વર્ષો થયા ચાલતી સ્ટાફ, વાહનો વિગેરેમાં ચાલતી ગેરરીતિઓને ઉઘાડી પાડવા અને આજથી વર્ષો પહેલા જેમ યાર્ડ ચેરમેન સ્વ.રમણીકભાઈ પટેલ યાર્ડ સુધી પહોચવા રીક્ષાનો ઉપયોગ કરતા તેવી પ્રણાલીને જાળવી રાખવાના ઉદેશ સાથે જગદીશભાઈ પામ્ભારે ચેરમેન તરીકેની દાવેદારી નોંધાવી હોય જાણકારોમાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે !!
જ્યારે યાર્ડના વર્તમાન ચેરમેન દિનેશ ભુવાએ ૧૨ મી યોજાનારી ચુંટણીનું ચિત્ર કે વિગતો કાલે(મંગળવારે) ૧૧ વાગ્યે ખબર પડે તેવી વાત ટેલીફોનિક સંપર્ક દરમિયાન જણાવેલ.
કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨
સાડી એકમોની પેશકદમીથી એકદમ સાંકડો બની ગયેલ
જેતલસર જંકશનથી તત્કાલ જેતપુર સુધીનો
રોડ ૧૫ દિવસમાં રીપેર ના થાય તો આંદોલન કરાશે.
જંકશનના સરપંચ હનીફ બલોચની તમામ સત્તાધીશોને લેખિત રજુઆતો...
(કશ્યપ જોશી દ્વારા) જેતલસર તા.૨૮
જેતલસર જંકશનથી જેતપુરના તત્કાલ હનુમાન સુધી ધોરાજી રોડને જોડતો રોડ લાંબા સમય થયા એકદમ બિસ્માર બન્યો હોય, દિવસ ૧૫ માં રીપેર ના કરાય તો આંદોલન છેડવાની જેતલસર જંકશનના સરપંચ હનીફ બલોચે તમામ સત્તાધીશોને લિખિત રજુઆતો કરી છે.
રાજકોટ જીલ્લા કલેકટર, જેતપુરના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન ખાતાના રાજકોટ અને નવાગઢ સ્થિત ઈજનેરો વિગેરેને લેખિત રજુઆતો કરી જંકશનના સરપંચે જણાવ્યું છે કે જેતપુરના તત્કાલ હનુમાન(ધોરાજી રોડ) થી જેતલસર પહોચવાનો રોડ પંદરેક વર્ષ પહેલા બન્યો હતો.
જે રોડ આજદિન સુધી રીપેર કરવા કોઈએ તસ્દી લીધી ના હોય, એકદમ જર્જરિત હાલતમાં બિસ્માર બની ગયો હોય, નાના મોટા વાહન ચાલકો ત્રાસી ગયા છે. રજુઆતમાં એવું પણ જણાવાયું છે કે આ રોડ પર જેતપુરના અમુક સાડી એકમ સંચાલકોએ પોત પોતાના કારખાના એટલા વિકસાવ્યા કે રોડ બિલકુલ સાંકડો થઇ ગયો છે. એટલુજ નહિ સાડી એકમ સંચાલકો પોતાના કારખાના પાણી પણ આ રોડ પર છોડતા હોય રોડમાં મસમોટા ખાડા પડી ગયા છે.
આ વાતની અવારનવારની રજુઆતો પછી પણ સંબંધિત તંત્રના બહેરા કાને અથડાઈને આ ફરિયાદ પાછી ફરતી હોય, જંકશનવાસીઓમાં અને વાહન ચાલકોમાં રોષ જોવા મળે છે. રજુઆતમાં ચીમકી ઉચ્ચારાઈ છે કે આગામી પંદર દિવસમાં આ રોડનું મરામત કામ હાથ નહિ ધરાય તો જંકશનવાસીઓ આંદોલન છેડી ન્યાય માંગશે.
સરકારી તંત્ર શું કહે છે ?
જેતલસર : સરપંચ હનીફભાઈ બલોચનો આક્ષેપ છે કે જયારે તેઓ આ રોડની લાગતા વળગતાઓને રજૂઆત કરવા જાય છે ત્યારે સરકારી તંત્ર કહે છે કે, આ રોડ નોન પ્લાનમાં આવતો હોય, પહેલા સરકારના પ્લાનમાં લેવડાવવો જરૂરી છે, ત્યાં સુધી આ રોડમાં કોઈ કાઈ નહિ કરી શકે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે પંદર વર્ષ પહેલા બનેલો અને જંકશનથી જેતપુર આવવા માટેનો એકમાત્ર આ રોડ શું હજુ સરકારી ચોપડે નહિ ચડ્યો હોય ? અને આ રોડ સરકારી પ્લાનમાં લેવાની વિધિ હવે કરાય તો હજુ ખાસ્સો સમય વીતી જનાર હોય, તાકીદે માત્ર રીપેરીંગ કાર્ય હાથ ધરવું જરૂરી હોવાનું સરપંચનું કહેવું છે.
(કશ્યપ જે. જોશી જેતલસર )
જેતપુર તા.૨૮ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના વિદ્યાર્થી મંથન નિતેશભાઈ કપુરીયાએ પ્લાન્ટ મોલેક્યુલર એન્ડ બાયોટેકનોલોજી વિષય પર ડો.આર.એમ.ચૌહાણના માર્ગદર્શન તળે મહાનિબંધ તૈયાર કર્યો હતો. મંથને મોલેક્યુલર માર્કર એનાલીસીસ ફોર કોમન સ્કબ ઇન પોટેરો ટોપિક પર તૈયાર કરેલ આ મહાનિબંધને માન્ય કરી સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનીવર્સીટીએ તેમને પીએચડીની ઉપાધી(પદવી) સુપ્રત કરી હોવાનું જેતપુર બ્રહ્મ સમાજના અગ્રણી મુન્નાભાઈ દવેએ જણાવ્યું હતું.
(કશ્યપ જે. જોશી જેતપુર – ૯૯૭૪૨૬૨૮૧૨)
જેતપુર તા.૨૮ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના વિદ્યાર્થી મંથન નિતેશભાઈ કપુરીયાએ પ્લાન્ટ મોલેક્યુલર એન્ડ બાયોટેકનોલોજી વિષય પર ડો.આર.એમ.ચૌહાણના માર્ગદર્શન તળે મહાનિબંધ તૈયાર કર્યો હતો. મંથને મોલેક્યુલર માર્કર એનાલીસીસ ફોર કોમન સ્કબ ઇન પોટેરો ટોપિક પર તૈયાર કરેલ આ મહાનિબંધને માન્ય કરી સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનીવર્સીટીએ તેમને પીએચડીની ઉપાધી(પદવી) સુપ્રત કરી હોવાનું જેતપુર બ્રહ્મ સમાજના અગ્રણી મુન્નાભાઈ દવેએ જણાવ્યું હતું.
(કશ્યપ જે. જોશી જેતપુર – ૯૯૭૪૨૬૨૮૧૨)
અવસાન નોંધ : જેતલસર : ૨૮.૧૨.૧૫
જેતલસર: પીપળવા નિવાસી વિનોદરાય રેવાશંકર રાવલ(ઉ.વ.૬૪) તે રસિકભાઈ, હર્ષદભાઈ(જેતપુર)ના લઘુબંધુ, પરેશભાઈ, પ્રકાશભાઈ, સુનીલભાઈના પિતા, વસંતભાઈ(જુનાગઢ), જીતુભાઈ(જેતપુર), હરેશભાઈ(જુનાગઢ), વિજયભાઈ(જેતપુર), દિનેશભાઈ(જેતપુર)ના કાકા તા.૨૭ નારોજ અવસાન પામેલ છે. બેસણું તા.૩૧ ને ગુરુવારે, સાંજે ૩ થી ૬, તેમના નિવાસ સ્થાન, પીપળવા ખાતે રાખેલ છે.
(કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર – ૯૯૭૪૨ ૬૨૮૧૨)