અનુયાયીઓ

સોમવાર, 3 ઑગસ્ટ, 2015

જેતપુર ના વાણીજ્ય વેરા અધિકારી નો વિદાયસમાંરભ યોજાયો

જેતપુરના વાણીજ્ય વેરા અધિકારીને વિદાયમાન અપાયું 

જેતપુર તા.

જેતપુર ખાતે આવેલ વાણીજ્ય વેરા કચેરી ના અધિકારી તરીકે ફરજ બજાવતા   કે.પી.વ્યાસ વય  મર્યાદાને કારણે નિવૃત થતા હોઈ તેથી તમને  અહીની  વાણીજ્ય વેરા સ્ટાફ તેમજ ટેક્ષ કન્સલ્ટ આસો.દ્વારા તેમને વિદાય આપવામાં આવી હતી 

            વિદાય સમારંભ માં વેચાણ વેરા વિભાગ માં અધિકારી  દેસાઈચીચ્યા ,ધોળિયા,  હઠીલા,  શાહ ,  મામલદાર  ભોરણીયા , નીખીલ મેહતા,  તેમજ ટેક્ષ આસો. ના પ્રમુખ  મુકેશભાઈ મેર ઉપસ્તિત રહ્યા હતા અને વિદાયમાન   વ્યાસને શાલ ઓઢાડી સન્માન કરી તેમની યાદગીરી રૂપી મોમેન્ટો આપેલ હતો. પત્રકારત્વ કરી વાણીજ્ય વેરા તંત્રમાં ક્લાર્ક થી માંડી એક અધિકારી સુધી પહોચેલા વ્યાસે પોતાની ફરજને વાગોળીફરજ દરમિયાન સાથ અને સહકાર આપનાર તમામ કર્મીઓ અભાર માની હજુ પણ કોઈ કામ હોય તો હાકલ કરવા અનુરોધ કર્યો હતો.

 

 

જેતપુર ચેમ્બરમાથી બે  અગ્રણિ ઉધ્યોગપતિઓના 

અચાનક રાજીનામાથી શહેરભરમા ચક્ચાર 
જેતપુર તા 3
જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સની તાજેતરમાજ રચાયેલી ન​વી બોડીમા શહેરના મોટા ગજાના બે અગ્રણી ઉધ્યોગ્પતિઓ રાજુભાઇ પટેલ અને જયંતીભાઈ રામોલિયાણી પણ નિમણુંકો  થઇ હતી. 
બિજીબાજુ કોઇ રાજ્કીય સમીકરણો રચાયા હોય કે જે હોય તે પણ ઉપરોક્ત બન્ને ખમતિધર ઉધ્યોગપતિઓ અચાનક રાજીનામાં  ધરી દેતા શહેરભરમા એવી ચર્ચાઓ જાગી છે કે શહેરની વ્યાપારી સંસ્થા  એવી ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફ્થી પોત પોતાના મોઢા ફેરવી લેવામા આ મોટા ગજાના માથાઓને ક્યા પરિબળો અસર કરી ગયા કે તેઓને આમ અચાનક રાજીનામા ધરી દેવા પડ્યા ??
કે કઇ બાબતોએ તેઓને આમ કર​વા મજ્બુર કર્યા ?
જો કે આ વાતનુ સત્ય ખાળ​વા કરાયેલ સંપર્ક  દરમિયાન ઉધ્યોગપતિ જયંતિભાઈ રામોલિયાએ જણાવેલ કે જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સમા હાલ પટેલ ઉમેદ્વારોની સંખ્યા  વધી હોય તેમજ અન્ય ઉમેદ્વારોને તક મળે તે માટે તેઓએ રાજીનામા ધરી દિધા છે. શહેરીજનોમા ચર્ચાતી એક અન્ય ચર્ચા મુજબ ઉપરોક્ત બન્ને માન્ધાતાઓએ વર્તમાન પ્રમુખથી નારાજ થઇને રાજીનામા આપ્યા છે ?! 
પણ આ વાતને અસમર્થન આપી બન્ને ઉધ્યોગપતિઓ રાજુભાઇ અને જયંતીભાઈએ જણાવેલ કે ના ભાઇ એવુ કાઇ નથી. અત્રે એ પણ નોંધનીય છે કે આ બંને ઉદ્યોગપતિઓના રાજીનામાથી ખાલી પડેલી જગ્યાઓ પર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરીંગ એશો.ના સભ્ય હરેશભાઈ ગાંધી અને પ્લાઈવુડ એશો.ના સભ્ય જયેશભાઈને રૈયાણીને આમંત્રિત સભ્યો તરીકે નિમાયા હોવાનું ચેમ્બર મંત્રી હરેશ ગઢિયાએ જણાવ્યું છે.

જેતપુરની ભાદર નદીમાંથી રેતી ચોરવાનો સિલસિલો જારી 

વધુ શખ્શો રેતી  ચોરી કરતા પકડાયા 

જેતપુર તા.3

જેતપુરની ભાદર નદીમાં બેરોકટોક રેતીની ચોરીની સંબંધિત ખાણ ખનીજ તંત્રને અનેક વખત ફરિયાદો કરાઈ હોવા  છતાં કોઈએ રેતી ચોરી અટકાવી નહોતી. બીજીબાજુ આ ફરિયાદ સ્થાનિક ડીવાયએસપીને કરાતા તેઓએ રવિવારની રાત્રીના ભાદર નદીમાં ચેકિંગ હાથ ધરતા ત્યાં વરસાદી પાણીથી તણાઈને આવેલી રેતીનો મોટો જથ્થો ચોરતા દેવશી પાલાભૂપત રાણા અને ભીખુ રણમલ સહીત ચાર શખ્શો રેતી ચોરતા ટ્રેકટરો સમેત પકડાઈ જતા તમામ સામે ખનીજ ચોરીનો શહેર પોલીસ દફતરે ગુનો નોંધાવ્યો હતો. સ્થાનિક એસપી જાતે રેતી ચોરીનો મામલો પકડી પાડી કડક કાર્યવાહી કરતા આવી ખનીજ ચોરી સાથે સંકળાયેલ તત્વો ભયભીત બન્યા છે.

જેતપુરના અગ્રણી વેપારીને ભુમાફીયાએ 

આપી જાનથી મારી નાખવાની ધમકી

જેતપુર તા.3

જેતપુરના એક અગ્રણી વેપારીને જુનાગઢના એક ભુમાફીયાએ મોબાઈલ ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ અહી અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા દયાનંદ એન્જીનીયરીંગવાળા પ્રવીણભાઈ મનુભાઈ ગજેરાની જેતપુરની સીમમાં આવેલી જમીન બાબતે લાંબા સમય થયા તકરારો થતી આવે છે.

બીજીબાજુ જુનાગઢના યુવરાજ ગોવાળિયા નામના કોઈ યુવાને સાટાખત કરી દેજે નહીતર જાનથી મારી નાખીશ તેવી પ્રવીણભાઈ ગજેરાને મોબાઈલ ઉપર ધમકી દેતા આ વેપારીએ શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવરાજની શોધખોળ આદરી છે.

 

 

 

 

 

જેતપુરના યુવાને ઝેરી દવા પિતા દવાખાને

જેતપુર તા.3

જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં રહેતા પ્રજાપતિ યુવાન નીલેશ રમેશભાઈએ કોઈ અકળ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે અહીના દવાખાને ખસેડેલ છે. પોલીસે દવાખાને દોડી જઈને નિલેશની પૂછપરછ હાથ ધરી હતી.

KASHYAP JOSHI JETPUR JETALSAR 99742 6282

 

 

 

 

જેતપુર ના વાણીજ્ય વેરા અધિકારી નો વિદાયસમાંરભ યોજાયો

જેતપુરના વાણીજ્ય વેરા અધિકારીને વિદાયમાન અપાયું 

જેતપુર તા.

જેતપુર ખાતે આવેલ વાણીજ્ય વેરા કચેરી ના અધિકારી તરીકે ફરજ બજાવતા   કે.પી.વ્યાસ વય  મર્યાદાને કારણે નિવૃત થતા હોઈ તેથી તમને  અહીની  વાણીજ્ય વેરા સ્ટાફ તેમજ ટેક્ષ કન્સલ્ટ આસો.દ્વારા તેમને વિદાય આપવામાં આવી હતી 

            વિદાય સમારંભ માં વેચાણ વેરા વિભાગ માં અધિકારી  દેસાઈચીચ્યા ,ધોળિયા,  હઠીલા,  શાહ ,  મામલદાર  ભોરણીયા , નીખીલ મેહતા,  તેમજ ટેક્ષ આસો. ના પ્રમુખ  મુકેશભાઈ મેર ઉપસ્તિત રહ્યા હતા અને વિદાયમાન   વ્યાસને શાલ ઓઢાડી સન્માન કરી તેમની યાદગીરી રૂપી મોમેન્ટો આપેલ હતો. પત્રકારત્વ કરી વાણીજ્ય વેરા તંત્રમાં ક્લાર્ક થી માંડી એક અધિકારી સુધી પહોચેલા વ્યાસે પોતાની ફરજને વાગોળીફરજ દરમિયાન સાથ અને સહકાર આપનાર તમામ કર્મીઓ અભાર માની હજુ પણ કોઈ કામ હોય તો હાકલ કરવા અનુરોધ કર્યો હતો.

 

 

જેતપુર ચેમ્બરમાથી બે  અગ્રણિ ઉધ્યોગપતિઓના 

અચાનક રાજીનામાથી શહેરભરમા ચક્ચાર 
જેતપુર તા 3
જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સની તાજેતરમાજ રચાયેલી ન​વી બોડીમા શહેરના મોટા ગજાના બે અગ્રણી ઉધ્યોગ્પતિઓ રાજુભાઇ પટેલ અને જયંતીભાઈ રામોલિયાણી પણ નિમણુંકો  થઇ હતી. 
બિજીબાજુ કોઇ રાજ્કીય સમીકરણો રચાયા હોય કે જે હોય તે પણ ઉપરોક્ત બન્ને ખમતિધર ઉધ્યોગપતિઓ અચાનક રાજીનામાં  ધરી દેતા શહેરભરમા એવી ચર્ચાઓ જાગી છે કે શહેરની વ્યાપારી સંસ્થા  એવી ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફ્થી પોત પોતાના મોઢા ફેરવી લેવામા આ મોટા ગજાના માથાઓને ક્યા પરિબળો અસર કરી ગયા કે તેઓને આમ અચાનક રાજીનામા ધરી દેવા પડ્યા ??
કે કઇ બાબતોએ તેઓને આમ કર​વા મજ્બુર કર્યા ?
જો કે આ વાતનુ સત્ય ખાળ​વા કરાયેલ સંપર્ક  દરમિયાન ઉધ્યોગપતિ જયંતિભાઈ રામોલિયાએ જણાવેલ કે જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સમા હાલ પટેલ ઉમેદ્વારોની સંખ્યા  વધી હોય તેમજ અન્ય ઉમેદ્વારોને તક મળે તે માટે તેઓએ રાજીનામા ધરી દિધા છે. શહેરીજનોમા ચર્ચાતી એક અન્ય ચર્ચા મુજબ ઉપરોક્ત બન્ને માન્ધાતાઓએ વર્તમાન પ્રમુખથી નારાજ થઇને રાજીનામા આપ્યા છે ?! 
પણ આ વાતને અસમર્થન આપી બન્ને ઉધ્યોગપતિઓ રાજુભાઇ અને જયંતીભાઈએ જણાવેલ કે ના ભાઇ એવુ કાઇ નથી. અત્રે એ પણ નોંધનીય છે કે આ બંને ઉદ્યોગપતિઓના રાજીનામાથી ખાલી પડેલી જગ્યાઓ પર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરીંગ એશો.ના સભ્ય હરેશભાઈ ગાંધી અને પ્લાઈવુડ એશો.ના સભ્ય જયેશભાઈને રૈયાણીને આમંત્રિત સભ્યો તરીકે નિમાયા હોવાનું ચેમ્બર મંત્રી હરેશ ગઢિયાએ જણાવ્યું છે.

જેતપુરની ભાદર નદીમાંથી રેતી ચોરવાનો સિલસિલો જારી 

વધુ શખ્શો રેતી  ચોરી કરતા પકડાયા 

જેતપુર તા.3

જેતપુરની ભાદર નદીમાં બેરોકટોક રેતીની ચોરીની સંબંધિત ખાણ ખનીજ તંત્રને અનેક વખત ફરિયાદો કરાઈ હોવા  છતાં કોઈએ રેતી ચોરી અટકાવી નહોતી. બીજીબાજુ આ ફરિયાદ સ્થાનિક ડીવાયએસપીને કરાતા તેઓએ રવિવારની રાત્રીના ભાદર નદીમાં ચેકિંગ હાથ ધરતા ત્યાં વરસાદી પાણીથી તણાઈને આવેલી રેતીનો મોટો જથ્થો ચોરતા દેવશી પાલાભૂપત રાણા અને ભીખુ રણમલ સહીત ચાર શખ્શો રેતી ચોરતા ટ્રેકટરો સમેત પકડાઈ જતા તમામ સામે ખનીજ ચોરીનો શહેર પોલીસ દફતરે ગુનો નોંધાવ્યો હતો. સ્થાનિક એસપી જાતે રેતી ચોરીનો મામલો પકડી પાડી કડક કાર્યવાહી કરતા આવી ખનીજ ચોરી સાથે સંકળાયેલ તત્વો ભયભીત બન્યા છે.

જેતપુરના અગ્રણી વેપારીને ભુમાફીયાએ 

આપી જાનથી મારી નાખવાની ધમકી

જેતપુર તા.3

જેતપુરના એક અગ્રણી વેપારીને જુનાગઢના એક ભુમાફીયાએ મોબાઈલ ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ અહી અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા દયાનંદ એન્જીનીયરીંગવાળા પ્રવીણભાઈ મનુભાઈ ગજેરાની જેતપુરની સીમમાં આવેલી જમીન બાબતે લાંબા સમય થયા તકરારો થતી આવે છે.

બીજીબાજુ જુનાગઢના યુવરાજ ગોવાળિયા નામના કોઈ યુવાને સાટાખત કરી દેજે નહીતર જાનથી મારી નાખીશ તેવી પ્રવીણભાઈ ગજેરાને મોબાઈલ ઉપર ધમકી દેતા આ વેપારીએ શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવરાજની શોધખોળ આદરી છે.

 

 

 

 

 

જેતપુરના યુવાને ઝેરી દવા પિતા દવાખાને

જેતપુર તા.3

જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં રહેતા પ્રજાપતિ યુવાન નીલેશ રમેશભાઈએ કોઈ અકળ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે અહીના દવાખાને ખસેડેલ છે. પોલીસે દવાખાને દોડી જઈને નિલેશની પૂછપરછ હાથ ધરી હતી.

KASHYAP JOSHI JETPUR JETALSAR 99742 6282

 

 

 

 

જેતપુર ના વાણીજ્ય વેરા અધિકારી નો વિદાયસમાંરભ યોજાયો

જેતપુરના વાણીજ્ય વેરા અધિકારીને વિદાયમાન અપાયું 

જેતપુર તા.

જેતપુર ખાતે આવેલ વાણીજ્ય વેરા કચેરી ના અધિકારી તરીકે ફરજ બજાવતા   કે.પી.વ્યાસ વય  મર્યાદાને કારણે નિવૃત થતા હોઈ તેથી તમને  અહીની  વાણીજ્ય વેરા સ્ટાફ તેમજ ટેક્ષ કન્સલ્ટ આસો.દ્વારા તેમને વિદાય આપવામાં આવી હતી 

            વિદાય સમારંભ માં વેચાણ વેરા વિભાગ માં અધિકારી  દેસાઈચીચ્યા ,ધોળિયા,  હઠીલા,  શાહ ,  મામલદાર  ભોરણીયા , નીખીલ મેહતા,  તેમજ ટેક્ષ આસો. ના પ્રમુખ  મુકેશભાઈ મેર ઉપસ્તિત રહ્યા હતા અને વિદાયમાન   વ્યાસને શાલ ઓઢાડી સન્માન કરી તેમની યાદગીરી રૂપી મોમેન્ટો આપેલ હતો. પત્રકારત્વ કરી વાણીજ્ય વેરા તંત્રમાં ક્લાર્ક થી માંડી એક અધિકારી સુધી પહોચેલા વ્યાસે પોતાની ફરજને વાગોળીફરજ દરમિયાન સાથ અને સહકાર આપનાર તમામ કર્મીઓ અભાર માની હજુ પણ કોઈ કામ હોય તો હાકલ કરવા અનુરોધ કર્યો હતો.

 

 

જેતપુર ચેમ્બરમાથી બે  અગ્રણિ ઉધ્યોગપતિઓના 

અચાનક રાજીનામાથી શહેરભરમા ચક્ચાર 
જેતપુર તા 3
જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સની તાજેતરમાજ રચાયેલી ન​વી બોડીમા શહેરના મોટા ગજાના બે અગ્રણી ઉધ્યોગ્પતિઓ રાજુભાઇ પટેલ અને જયંતીભાઈ રામોલિયાણી પણ નિમણુંકો  થઇ હતી. 
બિજીબાજુ કોઇ રાજ્કીય સમીકરણો રચાયા હોય કે જે હોય તે પણ ઉપરોક્ત બન્ને ખમતિધર ઉધ્યોગપતિઓ અચાનક રાજીનામાં  ધરી દેતા શહેરભરમા એવી ચર્ચાઓ જાગી છે કે શહેરની વ્યાપારી સંસ્થા  એવી ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફ્થી પોત પોતાના મોઢા ફેરવી લેવામા આ મોટા ગજાના માથાઓને ક્યા પરિબળો અસર કરી ગયા કે તેઓને આમ અચાનક રાજીનામા ધરી દેવા પડ્યા ??
કે કઇ બાબતોએ તેઓને આમ કર​વા મજ્બુર કર્યા ?
જો કે આ વાતનુ સત્ય ખાળ​વા કરાયેલ સંપર્ક  દરમિયાન ઉધ્યોગપતિ જયંતિભાઈ રામોલિયાએ જણાવેલ કે જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સમા હાલ પટેલ ઉમેદ્વારોની સંખ્યા  વધી હોય તેમજ અન્ય ઉમેદ્વારોને તક મળે તે માટે તેઓએ રાજીનામા ધરી દિધા છે. શહેરીજનોમા ચર્ચાતી એક અન્ય ચર્ચા મુજબ ઉપરોક્ત બન્ને માન્ધાતાઓએ વર્તમાન પ્રમુખથી નારાજ થઇને રાજીનામા આપ્યા છે ?! 
પણ આ વાતને અસમર્થન આપી બન્ને ઉધ્યોગપતિઓ રાજુભાઇ અને જયંતીભાઈએ જણાવેલ કે ના ભાઇ એવુ કાઇ નથી. અત્રે એ પણ નોંધનીય છે કે આ બંને ઉદ્યોગપતિઓના રાજીનામાથી ખાલી પડેલી જગ્યાઓ પર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરીંગ એશો.ના સભ્ય હરેશભાઈ ગાંધી અને પ્લાઈવુડ એશો.ના સભ્ય જયેશભાઈને રૈયાણીને આમંત્રિત સભ્યો તરીકે નિમાયા હોવાનું ચેમ્બર મંત્રી હરેશ ગઢિયાએ જણાવ્યું છે.

જેતપુરની ભાદર નદીમાંથી રેતી ચોરવાનો સિલસિલો જારી 

વધુ શખ્શો રેતી  ચોરી કરતા પકડાયા 

જેતપુર તા.3

જેતપુરની ભાદર નદીમાં બેરોકટોક રેતીની ચોરીની સંબંધિત ખાણ ખનીજ તંત્રને અનેક વખત ફરિયાદો કરાઈ હોવા  છતાં કોઈએ રેતી ચોરી અટકાવી નહોતી. બીજીબાજુ આ ફરિયાદ સ્થાનિક ડીવાયએસપીને કરાતા તેઓએ રવિવારની રાત્રીના ભાદર નદીમાં ચેકિંગ હાથ ધરતા ત્યાં વરસાદી પાણીથી તણાઈને આવેલી રેતીનો મોટો જથ્થો ચોરતા દેવશી પાલાભૂપત રાણા અને ભીખુ રણમલ સહીત ચાર શખ્શો રેતી ચોરતા ટ્રેકટરો સમેત પકડાઈ જતા તમામ સામે ખનીજ ચોરીનો શહેર પોલીસ દફતરે ગુનો નોંધાવ્યો હતો. સ્થાનિક એસપી જાતે રેતી ચોરીનો મામલો પકડી પાડી કડક કાર્યવાહી કરતા આવી ખનીજ ચોરી સાથે સંકળાયેલ તત્વો ભયભીત બન્યા છે.

જેતપુરના અગ્રણી વેપારીને ભુમાફીયાએ 

આપી જાનથી મારી નાખવાની ધમકી

જેતપુર તા.3

જેતપુરના એક અગ્રણી વેપારીને જુનાગઢના એક ભુમાફીયાએ મોબાઈલ ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ અહી અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા દયાનંદ એન્જીનીયરીંગવાળા પ્રવીણભાઈ મનુભાઈ ગજેરાની જેતપુરની સીમમાં આવેલી જમીન બાબતે લાંબા સમય થયા તકરારો થતી આવે છે.

બીજીબાજુ જુનાગઢના યુવરાજ ગોવાળિયા નામના કોઈ યુવાને સાટાખત કરી દેજે નહીતર જાનથી મારી નાખીશ તેવી પ્રવીણભાઈ ગજેરાને મોબાઈલ ઉપર ધમકી દેતા આ વેપારીએ શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવરાજની શોધખોળ આદરી છે.

 

 

 

 

 

જેતપુરના યુવાને ઝેરી દવા પિતા દવાખાને

જેતપુર તા.3

જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં રહેતા પ્રજાપતિ યુવાન નીલેશ રમેશભાઈએ કોઈ અકળ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે અહીના દવાખાને ખસેડેલ છે. પોલીસે દવાખાને દોડી જઈને નિલેશની પૂછપરછ હાથ ધરી હતી.

KASHYAP JOSHI JETPUR JETALSAR 99742 6282

 

 

 

 

રવિવાર, 2 ઑગસ્ટ, 2015

KASHYAP JOSHI JETPUR JETALSAR

જેતપુર ચેમ્બરમાથી બે  અગ્રણિ ઉધ્યોગપતિઓના અચાનક રાજીનામાથી શહેરભરમા ચક્ચાર
>> જેતપુર તા ૨
>> જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સની તાજેતરમાજ રચાયેલી ન​વી બોડીમા શહેરના મોટા ગજાના બે અગ્રણી ઉધ્યોગ્પતિઓ રાજુભાઇ પટેલ અને જયન્તીભાઇ રામોલિયાણી પણ નિમ્ણુકો થઇ હતી.
>> બિજીબાજુ કોઇ રાજ્કીય સમીકરણો રચાયા હોય કે જે હોય તે પણ ઉપરોક્ત બન્ને ખમતિધર ઉધ્યોગપતિઓ અચાનક રાજિનામા ધરી દેતા શહેરભરમા એવી ચર્ચાઓ જાગી છે કે શહેરની વ્યાપારી સન્સ્થા એવી ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફ્થી પોત પોતાના મોઢા ફેરવી લેવામા આ મોટા ગજાના માથાઓને ક્યા પરિબળો અસર કરી ગયા કે તેઓને આમ અચાનક રાજીનામા ધરી દેવા પડ્યા ??
>> કે કઇ બાબતોએ તેઓને આમ કર​વા મજ્બુર કર્યા ?
>> જો કે આ વાતનુ સત્ય ખાળ​વા કરાયેલ સમ્પર્ક દરમિયાન ઉધ્યોગપતિ જયન્તિભાઇ રામોલિયાએ જણાવેલ કે જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સમા હાલ પટેલ ઉમેદ્વારોની સન્ખ્યા વધી હોય તેમજ અન્ય ઉમેદ્વારોને તક મળે તે માટે તેઓએ રાજીનામા ધરી દિધા છે.
>> શહેરીજનોમા ચર્ચાતી એક અન્ય ચર્ચા મુજબ ઉપરોક્ત બન્ને માન્ધાતાઓએ વર્તમાન પ્રમુખથી નારાજ થઇને રાજીનામા આપ્યા છે ?!
>> પણ આ વાતને અસમર્થન આપી બન્ને ઉધ્યોગપતિઓ રાજુભાઇ અને જયન્તીભાઇએ જણાવેલ કે ના ભાઇ એવુ કાઇ નથી.
KASHYAP JOSHI JETALSAR JETPUR 99742 62812

શનિવાર, 1 ઑગસ્ટ, 2015

પાલિકાને ચોરો સમજો છો શું ? જેતપુર પાલિકાના પ્રમુખનો આકરો ધ્રુજારો ! ખબરદાર જો સુધરાઈ સભ્ય સિવાય કોઈએ પાલિકામાં અડીંગો જમાવ્યો છે તો !!? કામો માટે અમોને મળો !!!

જેતપુરમાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ 

જેતપુર તા.1

જેતપુરના ગુજરાતી વાડી વિસ્તારમાં રહેતા વિજય મનસુખ ગુજરાતી ના મકાનમાં દેશી દારુ બનતો હોવાની બાતમી પરથી આજે રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાન્ચના ફોજદાર ઉનડકટ, ભુરાભાઈ માલીવાડ, નારણ આહીર, નીલેશભાઈ, નરેન્દ્રસિંહ વિગેરેએ વિજયના ઘર પર છાપો મારતા ત્યાંથી દેશી દારુ, દારુ બનાવવાના સાધનો, દારૂનો આથો વિગેરે મળી રૂપિયા 18830/- નો મુદામાલ હાથ લાગતા ફરિયાદી ભુરાભાઈ સહિતની પોલીસે વિજય ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 



પાલિકાને ચોરો સમજો છો શું જેતપુર પાલિકાના પ્રમુખનો આકરો ધ્રુજારો !

ખબરદાર જો સુધરાઈ સભ્ય સિવાય કોઈએ પાલિકામાં 

અડીંગો જમાવ્યો છે તો !!? કામો માટે અમોને મળો !!!

જેતપુર તા.1

જેતપુર નવાગઢ નગર પાલિકામાં લાંબા સમય થયા સુધરાઈ સભ્યો સિવાયના અડીંગો જમાવી બેસી રહેતા ખાનગી લોકોની આંખો ઉઘડે તે માટે જારી કરેલ એક પરિપત્રની શહેરભરમાં ચર્ચાઓ જાગી છે.

આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ આજે આકરા મિજાજ વચ્ચે જે.મ્યુ.જા.નં.276 - ''કાર્યાલય આદેશ'' કરી એક પરિપત્ર જારી કર્યો છે કે, તેઓના ધ્યાને આવ્યું છે કે અમુક સુધારાઈ સભ્યોના પતિદેવો, કુટુંબીજનો નગર પાલિકામાં દરેક શાખાઓમાં રૂબરૂ જઈને શાખા વડાઓને સીધા હુકુમો કરે છે, આખો દિવસ પાલિકા કચેરીમાં કે કચેરીની શાખાઓમાં બેસી રહે છે અને પાલિકાની કામગીરીમાં વિક્ષેપ કરે છે. આ બધું બંધ કરી સુધારાઈ સભ્ય સિવાય કે તેમના કોઈ સગાવહાલાઓએ નગર પાલિકામાં કામ વગર બેસવું નહિ, કે સત્તા વગર કોઈ રોફ નાં જમાવવો, અને આવા આદેશસમા પરિપત્રની તમામ સુધરાઈ સભ્યો, શાખાના વડાઓ અને ચીફ ઓફિસરને નકલ મોકલી છે. 

કહેવાનું તાત્પર્ય એ છે જેતપુર પાલિકા પ્રમુખે કદાચ મનોમન એવું વિચારી આવો પરિપત્ર જારી કર્યો છે કે પાલિકાને શું સુધરાઈ સભ્યોના સગાવહાલાઓ ચોરો સમજે છે ?? ખબરદાર જો સુધરાઈ સભ્યો સિવાય કોઈએ પાલિકામાં અડીંગો જમાવ્યો છે તો ? કામો હોય તો પાલિકા પ્રમુખ અથવા મુખ્ય અધિકારીને મળો !  આ બાબતે જે હોય તે પણ નગર પાલિકા પ્રમુખના આવા પરિપત્રની શહેરભરમાં સારી ચર્ચા જાગી છે.


ડેડરવા ગામના વૃદ્ધનું શંકાસ્પદ મોત

જેતલસર તા.1

જેતલસર પંથકના ડેડરવા ગામના નંદકિશોર રણછોડભાઈ ભાયાણી (ઉ.વ.65) આજે અચાનક તેમના ઘરે બેભાન થઇ જતા તેમને જેતપુરની સરકારી હોસ્પીટલે ખસેડવા તજવીજ હાથ ધરાઈ હતી. પણ  નંદાભાઇનું રસ્તામાંજ મોત થતા જેતપુર તાલુકા પોલીસના જમાદાર મજ્નુંભાઈ મનાતે વધુ તપાસ હાથ ધરી છે.


ટીંબડીના દેવીપુજક ઉપર હુમલો 

જેતલસર તા.1

પંથકના આરબ ટીંબડી ગામે પ્રવીણ વશરામ દેવીપુજક યુવાનને અગમ્યો કારણોસર ઢોર માર મારનાર હરસુખ અને રણજીત નામના શખ્શો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જમાદાર મજનુંભાઈએ તપાસ હાથ ધરી છે.

કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812




 

 

AVSAAN NONDH JETASLAR અવસાન નોંધ


​અવસાન નોંધ :
જેતલસર : ડેડરવા નિવાસી નંદકિશોરભાઈ રણછોડભાઈ ભાયાણી (ઉ.વ.65) તે પરેશભાઈ, મહેશભાઈના પિતા તા.1 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.3 ના રોજ, સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન, ડેડરવા ખાતે રાખેલ છે.
કશ્યપ જોશી જેતલસર-99742 62812

ગુરુવાર, 30 જુલાઈ, 2015

જેતપુરના દેરડી ગામે નાલ ઉઘરાવી રમાડાતા જુગારધામ પર તાલુકા પોલીસ ત્રાટકી રોકડ રૂ.44700 સાથે 10 પંટરો પકડાયા

જેતપુરના દેરડી ગામે નાલ ઉઘરાવી રમાડાતા જુગારધામ પર 
તાલુકા પોલીસ ત્રાટકી રોકડ રૂ.44700 સાથે 10 પંટરો પકડાયા
જેતપુર તા.30
જેતપુર તાલુકાના દેરડી ગામે એક મકાનમાં લાંબા સમય થયા જુગાર રમાડાતો હોવાની બાતમી પરથી ગત મોડી રાત્રીના તાલુકા ફોજદાર કરમટીયાએ સ્ટાફને સાથે રાખી જુગાર દરોડો પાડતા મકાન માલિક સહીત 10 શખ્શો રોકડ રૂપિયા 44700/- સાથે ઝડપાઈ ગયા હતા.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના દેરડી ગામે અશોક ઉકા ઉંધાડ નામનો શખ્શ પોતાના ઘરે બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા ગઈકાલે જેતપુર તાલુકા ફોજદાર આર.એન.કરમટીયાએ સ્ટાફના મજનુંભાઈ મનાત, દિવ્યેશ આહીર, બાબુભાઈ, વિરમભાઇ વિગેરેને સાથે રાખી મોડી રાત્રીના અશોકના ઘરે જુગાર દરોડો પાડતા, જુગાર રમતા મકાન માલિક અશોક ઉકા, ચંદુ બાબુ તારપરા, કિશોર નાનજી ઉંધાડ, જયસુખ ભીમજી ગોંડલીયા, રાજેશ લીંબા ગોંડલીયા, કિશોર ઘેલા ગોંડલીયા, ભરત વેલજી તારપરા, દિનેશ વલ્લભ બરવાળીયા, મુકેશ વિઠ્ઠલ હદાણી, તથા ગિરધર છગન કોરાટ એમ દસેય શખ્શો રોકડ રૂપિયા 44700 સાથે ઝડપાઈ ગયા હતા. દરોડા દરમિયાન પોલીસને ફોડવા અમુક શખ્શોએ ભારે ઉધામા મચાવ્યા હતા પણ પીએસઆઈ કરમટીયાએ કોઈ મચક નાં આપતા અંતે ગુનો નોંધાયો હતો.
કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812                                      

કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812


જેતપુરના પીઠડીયા ગામે દિવંગત સેવાભાવીના માનમાં પ્રાર્થનાસભા, વૃક્ષારોપણ, બટુક ભોજન યોજાયા

જેતપુરના પીઠડીયા ગામે દિવંગત સેવાભાવીના માનમાં 
પ્રાર્થનાસભા, વૃક્ષારોપણ, બટુક ભોજન યોજાયા 
જેતપુર તા.30
જેતપુર તાલુકાના પીઠડીયા ગામના વૃજલાલભાઈ પટેલ નામના સેવાભાવીનું તાજેતરમાં અમદાવાદ ખાતે અવસાન થયું હતું. આ સેવાભાવી આત્માના માનમાં પીઠડીયામાં આવેલ શ્રી ખોડિયાર માતાજીના મંદિર ખાતે સદગતના મિત્રો ધીરુભાઈ ગોંડલિયા સહિતના ગ્રામજનો અને સરપંચ છગનભાઈ ગોંડલિયા, સહકારી મંડળીના પ્રમુખ ધીરુભાઈ વી દ્વારા પ્રાર્થનાસભા યોજાયેલ, જેમાં સેવાભાવીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી. આ સિવાય સેવાભાવીની સ્મૃતિરૂપે 20 વૃક્ષોનું રોપણ અને બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ એવું પણ જણાવેલ કે સેવાભાવી પિતા વૃજલાલભાઈની માદરે વતન એવા ગામ પીઠડીયામાં યોજાયેલા ઉપરોક્ત ત્રિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા પુત્ર તારક પટેલ અમેરિકાથી ખાસ પીઠડીયા આવી હાજર રહ્યો હતો.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 99742 62812

બુધવાર, 29 જુલાઈ, 2015

જેતપુરમાં ઠેકઠેકાણે ચાલતી-ચલાવાતી રૂપકડી સ્કીમોમાં લુંટાતા શહેરીજનો

જેતપુરમાં ઠેકઠેકાણે ચાલતી-ચલાવાતી રૂપકડી સ્કીમોમાં લુંટાતા શહેરીજનો
જેતપુરમાં આવી સ્કીમોના સંચાલકો કે સ્કીમો ઉપર કોઈ નિયંત્રણ નથી, બધાને મળી જતું હોય, સૌ મુક, બધીર અને સુરદાસોની ભૂમિકામાં ??!

જેતલસર(જેતપુર)તા,29
જેતપુર શહેરમાં અનેક જગ્યાએ ચાલતી અને ચલાવતી અનેકવિધ લોભામણી સ્કીમોમાં શહેરીજનો રીતસરના લુંટાતા અને છેતરાતા હોય લાગતા વળગતા સત્તાધીસોએ આવા સ્કીમ સંચાલકોને કાયદાનું ભાન કરાવવું જોઈએ તેવું છેતરાયેલા ગ્રાહકોમાં માંગ થઇ છે.
આ બાબતે શહેરીજનોમાં ચર્ચાતી વિગતો મુજબ જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં અમુક કાયદેશર સ્કીમ સંચાલકોને બાદ કરતા અમુક સ્કીમ સંચાલકોએ તો તેઓની ટીકીટોમાં બ્રાન્ડ વગરના ટીવી, કેમેરા, કોમ્પ્યુટર, વોશિંગ મશીન, વિગેરે વસ્તુઓ ટીકીટમાં એવી પ્રિન્ટ કરાવી છે કે લોકો આવી આકર્ષક ટીકીટો તને તેમાંના ફોટો જોતાજ અંજાઈ જઈ સભ્યપદ નોંધાવવા દોડી રહ્યા છે. પણ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે તેવી કહાવતો આવી સ્કીમોમાં સાબિત થતી હોય જેતપુરના મામલતદાર, સેલ્સટેક્સ ડીપાર્ટમેન્ટ, પોલીસ તંત્ર વેગેરે લાગતા વળગતા સત્તાધીસોએ આવા સ્કીમ સંચાલકોને કાયદાનું ભાન કરાવવું જોઈએ તેવું ગ્રાહકોમાં ચર્ચાઈ રહ્યું છે. જેતપુરના એક ગ્રાહકે તો ત્યાં સુધી કહ્યું કે પોતાને એક બ્રાન્ડેડ કેમેરો ઇનામમાં લાગ્યો છે, સંચાલકો કહે છે કે આ કંપની બંધ થઇ ગઈ છે, રોકડા પૈસા લઈલો, પણ કેમેરાના પૈસા આપવા બાબતે પણ સ્કીમ સંચાલકો પડતર ભાવ એટલેકે ગ્રાહકને નુકશાન જાય તેવું વળતર આપતા હોય, ગ્રાહકોમાં બોકાસો બોલી રહ્યો છે. તો એક ગ્રાહકે થોડા સમય પહેલાજ કાયદાની બીક બતાવતા અમુક સ્કીમ સંચાલકો રીતસરના ગ્રાહકના ઘુટણિએ પડી જઈ ગ્રાહકે માંગ્યા મુજબનું લેપટોપ લઇ દેવું પડ્યું હોવાની ઘટના પણ અહી બની હતી. કહેવાનું તાત્પર્ય એ કે જેતપુરમાં બધાને બધું મળી જતું હોય સંબંધિતો મુક, બધીર સુરદાસોની ભૂમિકામાં રાચતા હોવાનો ગ્રાહકોનો આક્ષેપ છે. 

બોક્સ: કોઈ ફરિયાદ કરે તો કાર્યવાહી થાય !
જેતપુર : જેતપુર શહેરમાં આવી ચાલતી અને ચલાવાતી સ્કીમોના જાણકારો કહે છે કે તેઓ કોઈને તેઓની ટીકીટો લેવા કંકોત્રી નથી લખતા, સરળ હપ્તે ઘરેલું ચીજો લેવા સ્કીમો બનાવાતી હોય છે, ગ્રાહકો આવી સ્કીમો સાથે જોડાય ત્યારે ટિકિટમાં તમામ પ્રકારના નિયમો અને બંધનો આલેખાયેલા હોય છે. ગ્રાહક આ બધું સ્વીકારીને સ્કીમમાં જોડાતો હોય છે, પછી પાછળથી કોઈ વાંધા વચકાઓ કાઢે તો સ્કીમ સંચાલકો શું કરે ? પણ આમ છતાં કોઈ ગ્રાહક પોતે છેતરાયો હોવાની ગ્રાહક સુરક્ષામાં પોલીસ, મામલતદાર, ડેપ્યુટી કલેકટર, કલેકટર, કે સેલ્સટેક્સ તંત્રને ફરિયાદો કરે તો કાયદો કાયદાનું કામ કર્યા વગર  ના રહે એ વાત પણ સ્કીમ સંચાલકોએ ભૂલવી નાં જોઈએ તેવું શાણા ગ્રાહકો જણાવે છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812



મંગળવાર, 28 જુલાઈ, 2015

જેતપુરમાં આખો દિવસ દરમિયાન 17 મીમી

જેતપુરમાં આખો દિવસ દરમિયાન 17 મીમી 
જેતપુરમાં આજે આખો દિવસ ઝરમર ઝરમર 17 મીમી વરસાદ  પડ્યો હતો. જયારે તાલુકાના વીરપુર જલારામ, થાનાગાલોલ, જેતલસર, નવી જૂની સાંકળી, અકાળા, પીપળવા, ડેડરવા, ટીંબડી, રૂપાવટી, બાવાપીપળીયા, ભાટ્ગામ, જેતલસર જંકશન, પેઢ્લા, મેવાસા, બોરડી સમઢીયાળા, દેવકી ગાલોલ, ખારચિયા(સેન્જલીયા), ખારચિયા(વાંકુના), ભેડા પીપળીયા વિગેરે ગામોમાં પણ આજે આખો દિવસ વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલો મળ્યા હતા.
એક મળતી વિગતો ભાદર નદી કાંઠે વસતા કાયદેસર-ગેરકાયદેસર રહેણાંક મકાનો બાંધી રહેતા લોકોને વરસાદી માહોલ જોઇને સલામત સ્થળોએ ખસી જવા જેતપુરના લાગતા વળગતા સત્તાધીશોએ રીક્ષા દ્વારા માઈકથી જાહેરાત કરી છે. ખાસ કરીને આ બાબતે ભાદર નદી કાંઠે વસેલા ગોંડલ દરવાજા અને ગોંદરા વિસ્તારના માણસોએ સજાગ રહેવા તંત્રની અપીલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812


સોમવાર, 27 જુલાઈ, 2015

જેતપુરમાં કાલે ઇન્કમટેક્સ માર્ગદર્શન સેમીનાર યોજાશે


જેતપુરમાં કાલે ઇન્કમટેક્સ 
માર્ગદર્શન સેમીનાર યોજાશે
જેતપુર તા.27
જેતપુરમાં બુધવાર ને  તા.29.7. ના રોજ અહીના જુનાગઢ રોડ પર આવેલ રોટરી હોલ ખાતે ઇન્કમટેક્સના માર્ગદર્શન માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ આઈટી, જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો., ચેમ્બર ઓફ કોમર્સ તથા જેતપુર ટેક્સ પ્રેક્ટીશ્નરના સયુંકત ઉપક્રમે બપોરના 3-00 વાગ્યે યોજાનાર આ સેમિનારમાં સિઆઇટી રેંજ-1 ના એડીશનલ કમિશ્નર સીનોઈ ઇન્કમટેક્સ બાબતે વિસ્તૃત માહિતી પીરસનાર હોય શહેર તથા તાલુકાના વેપારીઓ હાજર રહેવા આયોજક સંસ્થાઓએ અનુરોધ કર્યો છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

જેતપુર શહેર અને પંથકમાં 2 ઇંચ

જેતપુર શહેર અને પંથકમાં 2 ઇંચ 
જેતપુર તા.27
જેતપુર શહેર અને પંથકના જેતલસર સહિતના ગામોમાં ગઈ રાત્રીથી ધીમી ધારે શરુ થયેલ વરસાદે 2 ઇંચ જેટલું પાણી વરસાવ્યાની વિગતો મળી રહી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ ગઈકાલે જેતપુર શહેરમાં ધીમી ધારે આખી રાત વરસાદ વરસતા 1.5 ઇંચ વરસાદ થયાનું સરકારી તંત્રોના ચોપડે નોંધાયું છે. જયારે સોમવારના સવારથી સાંજ સુધી 15 મીમી ઝરમર વરસાદ વરસ્યો હતો. આ સિવાય ભાદર ડેમની સપાટી હાલ 30.60 ફૂટ પર પહોચી છે. ડેમ વિસ્તારમાં નહીવત વરસાદ પડ્યો હતો. જયારે ભાદર ઈરીગેશન ક્રાઈટ અરિયામાં આવતો સાંકરોલી ડેમ આજે તેની 25.20 ફૂટ સપાટી વટાવીને છલકી ગયો હોવાનું જેતપુર સ્થિત ભાદર ઈરીગેશનસુત્રોએ જણાવ્યું હતું.
તાલુકાના જેતલસરમાં ગઈ રાતથી આજે સાંજ સુધીમાં દોઢ ઇંચ, અમરનગરમાં અઢી થી ત્રણ ઇંચ વરસાદ પડયાના અહેવાલો મળ્યા હતા.

જેતપુરમાં શરાબ-બીયર ભરેલી રેઢી કાર મળી !
રવિવારની મોડી રાત્રીના જેતપુરમાંથી વિલાયતી શરાબ અને બીયરના જથ્થા સાથે એક કાર પોલીસને મળી આવતા પોલીસે કાર માલિકની શોધખોળ આદરી છે.
મળતી વિગતો મુજબ ગઈ કાલે રાત્રીના જેતપુર શહેર પોલીસનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો ત્યારે અહીના તાકુડી પર વિસ્તારમાં આવેલ મહાદેવના મંદિર પાસે બંધ પડેલી જીજે 10 એફ 721 નંબરની શંકાસ્પદ કારને તપાસાતા તેમાંથી વિલાયતી શરાબની 228 બોટલ્સ અને બીયરના 48 ટીન મળી આવ્યા હતા. પોલીસે શરાબ-બીયર અને કાર મળી કુલ રૂપિયા 1.13 લાખનો મુદામાલ કબજે લઇ, કાર માલિકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

ગુજરાતમાં "બેનની" અને દિલ્હીમાં "ભાઈની" સરકારને ચાબખા મારતા કોંગ્રેસના આગેવાનો !! પ્રજા સમજી જાય !

જેતપુરમાં યોજાયેલ કોંગ્રેસના સશક્તિકારણ સંમેલનમાં 
ગુજરાતમાં "બેનની" અને દિલ્હીમાં "ભાઈની" સરકારને 
ચાબખા મારતા કોંગ્રેસના આગેવાનો !! પ્રજા સમજી જાય !
જેતપુર તા.27 (કશ્યપ જોશી દ્વારા)
ગઈકાલે જેતપુર ખાતે મળેલા કોંગ્રેસના સશક્તિકારણ સંમેલન દરમિયાન ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો, ધારાસભ્યોએ ગુજરાત અને દિલ્હી સરકાર પર વરસાદની જેમ ચાબખારૂપી તૂટી પડી ઉપસ્થિત લોકોને સમજાવ્યા હતા કે હજુ બહુ મોડું નથી થયું, કમળને રામ રામ કરી પંજાને સાથ દેવા માંડો !!
આ બાબતે મળતી વિગતો મુજબ રવિવારે અહીની પ્રખ્યાત ધાર્મિક જગ્યા ખાખામઢી હનુમાનજી મંદિર ખાતે  કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ પાંભરના ખરી જહેમત વચ્ચે મળેલ સશક્તિકરણ સંમેલનમાં કોંગી કાર્યકરો અને આગેવાનો ઉમટી પડ્યા હતા. વરસતા વરસાદ વચ્ચે પણ તાલુકાના ગામડાઓમાંથી જેતપુર દોડી આવેલા આગેવાનો, કાર્યકરોએ વર્તમાન ભાજપ સરકારની રીતિનીતિ પરત્વે ગજબનો રોષ ઠાલવ્યો હતો.
જેતપુરના જગાભાઇની હાકલ અને અનુરોધથી અહી દોડી આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માજી પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, જવાહર ચાવડા, સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારી રાઘવજીભાઈ પટેલ, માજી સાંસદ કુંવરજીભાઈ બાવળિયા, રાજકોટના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ દિનેશ ચોવટિયા, સ્થાનિક કોંગી આગેવાનો સહેનાઝ્બેન બાબી, નીલેશ પંડયા, ચેતના પારધી , શારદા વેગડા વિગેરે પ્રસંગોચિત વકતવ્યોમાં વર્તમાન સરકારની જાટકણી કાઢી હતી. 
ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, 100 દિવસમાં કાળું નાણું ભારતમાં  લાવવાની વાતોના વડા કરનાર  વર્તમાન સરકાર આ બાબતે આજે 420 દિવસેય  ફીફા ખાંડે છે. રાજકોટના ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવેલ કે નરેન્દ્ર મોદી જેવા ભાઈને દેશની મોટી ગાદી પર બેસાનાર ગુજરાતની પ્રજાને એવી આશા હતી કે તકલીફ પડશે તો ભાઈ આવશે, પણ આ ભાઈને અમેરિકા જવાનું બહુ ગમતું હોય, પીડાતી પ્રજાને ક્યાંથી મળવા આવે ?
અમરેલી પૂરપીડીતોનો કોઈએ ભાવ ના પુંછતા રાજ્યગુરુએ આવું તીર છોડ્યું હતું..
માજી સાંસદ કુવરજી બાવળીયાએ ખેતીપ્રધાન દેશ ભારતના ખેડૂતોને હેરાન કરવામાં વર્તમાન સરકાર કોઈ કચાસ નાં રાખતી હોવાનો આક્ષેપ કર્યો હતો.  તો માણાવદરના જવાહર ચાવડાએ પોતાની તેજાબી શૈલીમાં જણાવેલ કે ખેડૂતોને વીજ કનેક્ષનો મેળવામાં ધોળે દિવસે તારા દેખાડતા સંબંધિતો હમણાં કોઈ ઉદ્યોગપતિ વીજ કનેકશનો માંગે તો યુધ્ધના ધોરણે આપી દેવાય છે ! આવો ભેદભાવ શુકામ ? તેવો સવાલ ઉઠાવી વર્તમાન સરકાર પર ચાબખા માર્યા હતા. 
બોક્સ: સેંકડો ભાજપીઓ કોંગ્રેસમાં જોડાયા !
જેતપુર: જેતપુર ખાતે કોંગ્રેસના સશક્તિકારણ સંમેલનને સફળ બનાવવામાં મહત્વનો ફાળો ભજવનાર રાજકોટ જીલ્લ કોંગ્રેસ ઉપપ્રમુખ અને જાણીતા દાતા જગદીશભાઈ પાંભરે જણાવેલ કે, વર્તમાન સરકારની નીતિરીતી પ્રજા હવે જાણી ગયી છે. હવે લોકોને છેતરવામાં રસ નથી, લોકોમાં એક એવો સ્વયંભુ જુવાળ ખડો થયો છે કે ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આ વાતની પુષ્ટિ રૂપે રાજકોટ જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ચંદુભાઈ શિંગાળા, જેતપુર તાલુકા પંચાયત પ્રમુખના ભરથાર વિપુલ વૈષ્ણવ કે જેઓ નાની ઉમરથીજ ભાજપના ભગવામાં રંગાયેલ તેઓએ, જેતપુર તાલુકા ભાજપના આગેવાન પી.એલ.વસોયા, મંડલીક્પુર ના કિશોર પાદરીયા, કાળુભાઈ ગોહિલ સહીત મોટી સંખ્યામાં આગેવાનોએ ભાજપને તરછોડી કોંગ્રેસને અપનાવી લીધો હતો.  સંમેલનના પ્રમુખસ્થાન એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની ગેરહાજરી બાબતે જગદીશ પાંભરે જણાવેલ કે નરમ ગરમ તબિયતને હિસાબે સોલંકી આવી શક્યા નહોતા..
બોક્સ:  ઓળખી લો આ સુટ, બુટ અને ટાય સજ્જ સરકારને !
જેતપુર: રાજકોટ જીલ્લા ભાજપના માજી મહામંત્રી ચંદુભાઈ શિંગાળાએ રોષભેર જણાવેલ કે ખેડૂતોને પાયમાલી તરફ ધકેલી દેનારી વર્તમાન સરકાર શૂટ બુટ અને ટાયમાં સજ્જ છે, આ સરકાર ખેડૂતોની નહિ પણ માલેતુઝાર ઉદ્યોગપતિઓની છે, હું ખાતો નથી અને ખાવા દેતો નથી તે વાત માત્ર ને માત્ર ભ્રામક છે, લોભામણી વાતો કરના સરકારને પ્રજાની પડી નથી, અરે પ્રજા તો શું અમરેલીના ધારાસભ્ય કે જે વિધાનસભાના સદસ્ય છે અને દેશના વડાપ્રધાન માટે આવા સૌ મિત્રો સરકારના હાથ પગ કહેવાય છતાં, આવા ધારાસભ્યો છેક મરણ પથારી સુધીના આંદોલનો કરે તો ય તેની સામું નાં જોવાય તો આમાં બિચારી પ્રજા સામે કોણ જોવાનું ? તેઓએ કોંગ્રેસના એક વખાણ પણ દોહરાવ્યા હતા કે જયારે તેઓ ભાજપમાં હતા ત્યારે એક આંદોલનમાં રાજકોટમાં મનોહરસિંહ જાડેજા જેવી કોંગ્રેસની હસ્તીઓ ઉપવાસીઓની ખબર અંતર પુછવા આવતી, જયારે અમરેલીના ધારાસભ્ય એક વખત મોતના મુખમાં ધકેલાઈ જાય તે રીતે તાજેતરમાં પુર પીડિતો માટે આંદોલન છેડ્યું, પણ ભાજપનો કોઈ આગેવાન તેમની ખબર કાઢવા નાં ફરક્યો !! આવી સરકાર સાથે રહેવાની બદલે છેડો જ ફાડી નંખાય ! શાયદ આવી ભાવનાઓથી જ કોંગ્રેસમાં ભાજપના આગેવાનો જોડાઈ રહ્યા છે.
------------
ટૂંકમાં જેતપુર ખાતે યોજાયેલ કોંગ્રેસના સશક્તિકારણ સંમેલનમાં ગુજરાતમાં "બેનની" અને દિલ્હીમાં "ભાઈની" સરકાર પર ચાબખા મારવાની તક કોંગ્રેસના આવેવાનોએ ચુકી નહોતી તેવું કહેવું ઉચિત જણાય છે.

ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

શનિવાર, 25 જુલાઈ, 2015

અવસાન નોંધ : 25-7-2015 જેતપુર સરકારી સેવા 108 ના પાયલોટ દુર્ગેશભાઈના પિતાનું અવસાન

અવસાન નોંધ : 25-7-2015
જેતપુર સરકારી સેવા 108 ના પાયલોટ 
દુર્ગેશભાઈના પિતાનું અવસાન 

જેતપુર : વાસુદેવભાઈ રેવાચંદભાઈ મંગલાણી(ઉ.વ.79) તે રામદેવભાઈ તથા દુર્ગેશભાઈ(સરકારી એમ્બ્યુલન્સ 108 ના પાયલોટ)ના પિતા તેમજ મુલચંદભાઈ(વિશ્વામિત્ર વાળા) અને વિષ્ણુભાઈના મોટાભાઈ તા.25 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.27 ને સોમવારે, સાંજે 4 થી 6, સંત કંવરરામ મંદિર, લાદી રોડ, જેતપુર ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812





અમરનગરમાં કાલે ઉર્ષ શરીફ

અમરનગરમાં કાલે ઉર્ષ શરીફ 
જેતપુર તા.25
જેતપુર તાલુકાના અમરનગર ગામે આવતીકાલ તા.27.7.2015 ને સોમવારના રોજ  હ.લાડ્માઈમાં દરગાહ શરીફ ખાતે જશ્ને ઉર્ષ શરીફનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 10 કલાકે સંદલ શરીફ, સાંજે 4 કલાકે મિલાદ શરીફ તથા સવારના 11 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ન્યાઝ તકસીમ કરવામાં આવનાર હોય, જેતપુર શહેર તેમજ તાલુકાના ગામોમાં વસતા મુસ્લિમબિરાદરોએ ઉર્ષનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

જેતપુરમાં આજે કોંગ્રેસનું સંમેલન

જેતપુરમાં આજે કોંગ્રેસનું સંમેલન

 જેતપુર તા.રપ : જેતપુરમાં કોંગ્રેસ  આજે તા.ર૬ને રવિવારે સવારે ૯ વાગ્યે સશકિતકરણ મહાસંમેલન  અહીના ખાખીમઢી હનુમાનજી મંદિર ખાતે   યોજાશે.
   ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીના અધ્‍યક્ષ સાથે યોજાનાર આ સંમેલનમાં દીપ પ્રાગટ્ય વિધિ સિધ્‍ધાર્થ પટેલના હસ્તે થશે.
ધારાસભ્‍ય રાઘવજી પટેલ, જવાહર ચાવડા, પરેશ ધાનાણી, જાવેદ પીરજાદા, તેજશ્રીબેન પટેલ, ઇન્‍દ્રનીલ રાજયગુરૂ, ભોળા પટેલ, હર્ષદ રીબડીયા, પુવ સાંસદ કુંવરજી બાવળીયા, રાજકોટ જીલ્લા કોંગી પ્રમુખ દિનેશ ચોવટીયા હાજર રહેનાર હોય,  આ સંમેલનમાં  ખેડુતો , વેપારીઓને હાજર રહેવા રાજકોટ જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને જેતપુરના જાણીતા દાનવીર જગદીશભાઇ પાંભરે અનુરોધ કર્યો છે.

કશ્યપ જે. જોશી જેતપુર - જેતલસર 9974262812

કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર

  કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 


શુક્રવાર, 24 જુલાઈ, 2015

વર્તમાન પાલિકા પ્રમુખની અંતિમ હાજરી વાળી જેતપુર નગર પાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી

વર્તમાન પાલિકા પ્રમુખની અંતિમ હાજરી વાળી 
જેતપુર નગર પાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી 
જેતપુર તા.24  (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ તરીકે રમાબેન મકવાણાની અંતિમ હાજરી વચ્ચે આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં બહાલી આપવા અર્થે રજુ થયેલા એજેન્ડામાં અનેક વિકાસના કામો સૂચવાયા હતા.
જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ રમાબેન મકવાણાના પ્રમુખ પદની અવધી આગામી 25-8.15 ના રોજ પૂર્ણ થાય છે. નવા પ્રમુખની દાવેદારી માટે અમુક ચોક્કસ સભ્યોએ રાજકીય કાવાદાવા શરુ કરી દીધા છે. જેની આર્થિક સ્થિતિ મજબુત સાબિત થશે તે પ્રમુખ પદે બિરાજશે..આવી અટકળો અને માન્યતાઓ વચ્ચે આજે જેતપુર નગર પાલિકાની જનરલ બોર્ડની બેઠક મુખ્ય અધિકારી ભરતભાઈ વ્યાસના અધ્યક્ષ સ્થાને મળી હતી. 

જેમાં પ્રમુખ સ્થાનેથી રજુ થયેલા એજેન્ડામાં સૂચવાયેલી બાબતોમાં હેડકલાર્કને રહેમરાહે નોકરી આપવાની બંધ થયેલી પ્રથાને પુનઃ ચાલુ કરવા, ભાદર ડેમ ખાતે 315 કેવી નું ટ્રાન્સફોર્મર ક્રેઇનની મદદથી ફેરવવાનું થતું હોય તેનો ચાર્જ રૂ.10 હજાર મંજુર કરવા,  ડેમ ખાતે 200 એચપી પંપ બેસાડવાના વધારાના ખર્ચના રૂપિયા 330350-00 મંજુર કરવા, વરસાદી પાણીને સમયાંતરે દુર કરવા 3 બ્રીધીંગ ઓપરેટીંગ સેટ ખરીદવા, પાલિકાની ફોર્સ ઇલેક્ટ્રિક જીપનું એન્જીન ખરાબ થતા તેનો રીપેરીંગ ખર્ચ મંજુર કરવા, 

વાયરમેન હેરાન્જાએ ઉપાડેલ રકમ  જમા લેવા અને અમદાવાદની કંપની પાસેની લેણી રકમ વસુલવા, ટ્રેકટરોના નવા ટાયરટ્યુબ લેવાનો ખર્ચ મંજુર કરવા, ધારેશ્વર ફિલ્ટર પ્લાન્ટના સ્ટાર્ટર ખરીદવા, પાણી ફીમાં વધારો કરવા, સફાઈ ટેક્સ વધારવા, ગટર સફાઈવેરો દાખલ કરવા, એક દીવાની કેશ સબબ વકીલને રોકવા, મેઘવાળ જ્ઞાતિના સ્મશાન ગૃહમાં તેમજ હિંદુ સ્મશાન ગૃહમાં સ્ટીલના અક્ષરો લખવાનો ખર્ચ મંજુર કરવા, 

હિંદુ સ્મશાન પાસેની રજવાડી દીવાલ, પ્રાર્થના હોલ, દેરડી રોડ વિસામા દીવાલ પાસે તકતી બનાવવા અપેક્ષાએ મંજુર કરેલ ખર્ચ બહાલ રાખવા, દેવ સમાધિ, દેવ સમાધિ પ્રેવેશ દ્વાર, ચબુતરો વિગેરેનો ખર્ચ મંજુર કરવા, હિંદુ સ્મશાનગૃહમાં ગેસની ભઠ્ઠી શરુ કરવાના કામે જુદા જુદા થયેલા ખર્ચ મંજુર કરવા, ધોરાજી રોડ પર ધરમવાડી વિસ્તારમાં જુનો થયેલ હેન્ડ પંપ બદલીને સબમર્શીબલ પંપ મુકવા, દીવાબત્તી કર વધારવા, જેતપુર બાયપાસ રોડ ઉપર ઓવરબ્રીજ બાંધવા, વાહનોની સર્વિસ કરવાનો ચાર્જ મંજુર કરવા, એલઈડી લાઈટ ફીટીંગમાં થયેલ જરૂરી ખર્ચ મંજુર કરવા, 

સ્થાપના દિન નિમિત્તે પાલિકા કચેરીને શણગારવાનો થયેલ ખર્ચ મંજુર કરવા, વધુ પડતા વીજ બીલને ધ્યાને રાખીને એલઈડી લાઈટ ફીટીંગ બાબતે યોગ્ય નીતિ ઘડવા, ડેમ પર ટ્રાન્સફોર્મર રીપેરીંગ ખર્ચ મંજુર કરવા, ઉજડ્પ્પા વિસ્તારમાં પાણીના ટાંકા નીચેની જર્જરિત સીડીના ટપ્પા તથા પારાપેટ રીપેરીંગ કરવાના ખર્ચને મંજુર કરવા વિગેર્રે બાબતો સૂચવાઈ છે.

બોક્સ: એજેન્ડામાં બે-ત્રણ ખાસ બાબતો સૂચવાઈ 
જેતપુર : નગર પાલિકાના સદસ્ય અશોક મંગલાણીએ શહેરના ચાંદની ચોક વિસ્તારને આઝાદીના લડવૈયા હેમુ કાલાણી વિસ્તાર તરીકે જાહેર કરવાનું સૂચવ્યું છે. જોકે આ બાબતે આ વિસ્તારના લોકોએ સોગંદનામાં દ્વારા જબરો વિરોધ કર્યાની ચર્ચા સાંભળવા મળી છે.  જયારે સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેર વિસ્તારમાં સીસી રોડ બનાવવાના હતા પણ ભારે વરસાદને કારણે અમરનગર રોડ ફિલ્ટર પ્લાન્ટની કમ્પાઉન્ડ વોલ તેમજ ભાદર સામા કાંઠા વિસ્તારમાં જવાનો રોડ (ધાબી ) તૂટી ગઈ હોય, તેના ખર્ચના અનુક્રમે 7463000 તથા અને 4088000 ખર્ચ મંજુર કરવા માંગ દોહરાવી છે.

ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812

અવસાન નોંધ : 24-7-2015

અવસાન નોંધ : 24-7-2015
જેતપુર: મૂળ વડિયા,  હાલ જેતપુર નિવાસી બ્રહ્મક્ષત્રીય નાથાલાલ રૂગનાથ પડિયાના જમાઈ હરેશકુમાર કાન્તિલાલ આશરા(ઉ.વ.60) તા.21 ના રોજ અવસાન પામેલ છે. સાદડી તા.25 ને શનિવારે સાંજે 5 થી 6, બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિની વાડી, ફૂલવાડી ભાદર રોડ જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

બુધવાર, 22 જુલાઈ, 2015

જેતપુર શહેર અને પંથકમાં ધીમી ધારે 1 ઇંચ વરસાદ, સાંકળીમાં 1.5 ઇંચ


જેતપુર શહેર અને પંથકમાં ધીમી ધારે 1 ઇંચ વરસાદ, સાંકળીમાં 1.5 ઇંચ  
જેતપુર તા.22
જેતપુર શહેર અને પંથકના જેતલસર સહીત ગામોમાં આજે બપોરે અઢી વાગ્યા થી ગાજવીજ સાથે ધીમી ધારે શરુ થયેલ વરસાદ સાંજના ચાર વાગ્યા સુધી ચાલુ રહેતા 1 ઇંચ વરસાદ પડ્યો હોવાનું ભાદર ઈરીગેશન સુત્રો જણાવે છે. લાંબા સમય પછી આજે વરસેલા વરસાદથી ખેડૂત આલમ ખુશીથી ઝૂમી ઉઠી હતી. ખેડૂતોએ જણાવેલ કે આજના વરસાદનું પાણી બરાબર જમીનમાં ઉતરશે અને ઉભેલા ખેત પાકોને સારો એવો ફાયદો કરાવશે.
તાલુકાના જેતલસર પંથકના ડેડરવા, ટીંબડી,  અકાળા, પીપળવા વી ગામોમાં પણ અડધાથી એક ઇંચ વરસાદ વરસાદ પડ્યાના અહેવાલો મળે છે. જયારે નવી-જૂની સાંકળી ગામોમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હોય, ઉભેલા પાકને જીવતદાન મળ્યું હોવાનું ખેડૂત યુવાન મુકેશ લશ્કરીએ જણાવ્યું હતું.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812

અવસાન નોંધ :

અવસાન નોંધ :
જેતપુર: મૂળ મોટા ગુંદાળા, હાલ રાજકોટ નિવાસી દરજી ગુર્જર મચ્છુ કઠીયા બાબુભાઈ બચુભાઈ વાઘેલા(ઉ.વ.75) તે મીતેશભાઇ, કિશોરભાઈના પિતા, રાજેશભાઈ પ્રભુદાસભાઈ ચૌહાણ(બુધાભાઈ-જેતલસર જં.)ના સસરા તા.22 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.24 ને શુક્રવારે, સાંજે 4 થી 6, સહયોગ ગુરુકુળ પાછળ, ગુ.મ.ક.દરજી જ્ઞાતિની વાડી, રાજકોટ ખાતે રાખેલ છે.




કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812



કોણે કહ્યું આગામી ૧૩ માસ સુધી લગ્નોના મૂહુર્તો નથી ? ..... | News Saurashtra-Kutch | Akilanews.com

કોણે કહ્યું આગામી ૧૩ માસ સુધી લગ્નોના મૂહુર્તો નથી ? ..... | News Saurashtra-Kutch | Akilanews.com