અનુયાયીઓ

સોમવાર, 8 જૂન, 2015

જેતપુર પાલિકા દ્વારા આયોજિત 

રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટમાં મેદાન 

મારી જતી ઉપલેટાની ટીમ 

જેતપુર તા.8

જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા તાજેતરમાં યોજાયેલ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ઉપલેટાની યોગી ટીમનો વિજય થયો હોવાનું પાલિકાના રમ્મત ગમ્મત ચેરમેન અરવિંદ વણજારાએ જણાવ્યું હતું.

મળતી વિગતો મુજબ અહીના જીમખાના મેદાનમાં જેતપુર નગર પાલિકા દ્વારા ઓપન સૌરાષ્ટ્ર રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 દિવસ ચાલેલી ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની 40 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના ફાઈનલ મેચમાં ધોરાજીની શિવશક્તિ ઇલેવનના ખેલાડીઓએ નિર્ધારિત ઓવર્સમાં 106 રન બનાવ્યા હતા. જે લક્ષ્યાંકને પાર પાડવાની નેમ સાથે ઉતરેલ ઉપલેટાની યોગી ઈલેવનના ખેલાડીઓએ આસાનીથી 107 રન બનાવી લેતા તેનો વિજય થયો હતો.

દરમિયાન રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયા, ભાજપ અગ્રણી મનસુખભાઈ ખાચરીયા જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા વિગેરેની હાજરીમાં ફાઈનલ મેચ દરમિયાન જાહેર કરાયેલા મેન ઓફ ધી સીરીજ સંજય ડેર, બેસ્ટ બેટ્સમેં મજહરખાન, બેસ્ટ બોલર જયદીપસિંહ ઝાલાને પારિતોષિક ઇનામો એનાયત કરાયા હતા. ફાઈનલ મેચની વિજેતા ઉપલેટાની ટીમને રાજ્ય મંત્રી જયેશ રાદડિયા દ્વારા રોકડ રૂ.11000, તથા રનર્સઅપ ટીમને રોકડ રૂ.5000 અપાયા હતા. તકે પાલિકા પ્રમુખના સ્વર્ગીય પુત્ર દેવેન્દ્ર મકવાણાની યાદમાં શિલ્ડ તેમજ ઇનામો અપાયા હોવાનું અરવિંદ વણજારા જણાવે છે.

કશ્યપ જે. જોશી જેતલસર 99742 62812

 

 

 

જેતપુર ડાઈંગ એશો.- પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 

ભાટગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ 

જેતપુર તા.8

તાજેતરમાં જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો. તેમજ જેતપુર પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સુત્રો દ્વારા જેતલસર પંથકના ભાટગામ(સાડી ધોલાઈઘાટ ટ્રીટમેન્ટ)  ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તકે બંને સંસ્થાના પદાધિકારીઓ દ્વારા અનેક જગ્યાએ વૃક્ષરોપણ કરી અન્યોને વૃક્ષારોપણનો રાહ ચીંધ્યો હતો.

કશ્યપ જે. જોશી જેતલસર 99742 62812

 

 

ગૌસેવાના લાભાર્થે 

જેતલસર પંથકના રૂપાવટી ગામે આજે રામામંડળ 

જેતલસર તા.8

જેતલસર પંથકના રૂપાવટી ગામે કામધેનું ગૌ રક્ષક ગ્રુપ દ્વારા, ગૌશાળાના લાભાર્થે આજે તા.9.6. ને મંગળવારે રાત્રીના 9 વાગ્યે રામામંડળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નવા રણુજા જગ્યાના મહંત કરશનદાસબાપુરાજ્યમંત્રી જયેશ રાદડિયા, જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, જેતપુરમાં દાનવીર તરીકે જાણીતા જગદીશ પાંભર સહિતના અગ્રણી આગેવાનોની હાજરીમાં યોજાનાર ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આજુબાજુની ધર્મપ્રેમી જનતાને કામધેનું ગૌ રક્ષક ગ્રુપ કમિટી, રૂપાવટી દ્વારા અનુરોધ કરાયો છે.

કશ્યપ જે. જોશી જેતલસર 99742 62812

 

શુક્રવાર, 5 જૂન, 2015

જેતપુર શહેર પંથકમાં વરસાદના અમી છાંટણા

જેતપુર શહેર પંથકમાં વરસાદના અમી છાંટણા 
જેતપુર તા.5
જેતપુર શહેર અને પંથકમાં આજે બપોર સુધી પ્રજાને ગરમીએ અકળાવ્યા બાદ સાંજે એકાએક હવામાનમાં પલટો આવતા વાઝળી શરુ થઇ હતી. જોતજોતામાં આકાશમાં કાળા વાદળા અને વાતાવરણમાં ઠંડી લહેરકી પ્રસરી જતા શહેરીજનો જુમી ઉઠ્યા હતા. એક તબક્કે રસ્તે આવતા જતા રાહદારીઓ અને પ્રજાજનો આકાશ સામે મિટ માંડી જાણે મેઘરાજાને બોલાવી રહ્યા હોય અને મેઘાએ પણ જેતપુરવાસીઓના આવકારાને વધાવ્યો હોય તેમ અમી છાંટણાં ચાલુ કરતા સૌમાં રાજીપો છવાયો હતો. પંથકના જેતલસર ગામે પણ એક વરસાદી ઝાંપટાએ ગરમીથી અકળાઈને મકાનોની અગાશી ઉપર સુતા લોકોને ગાદલા ગોદળા નીચે ઉતારવા દોડાવ્યા હોવાની વિગતો મળી હતી.
કશ્યપ, જેતપુર-જેતલસર 

Fwd:

સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના પ્રમુખની માનવતા 
રૂ.8 હજારનો મળેલો મોબાઈલ 
મૂળ માલિકને શોધી પરત આપ્યો
રબારીકાના યુવાને કાળી મજુરી કરી મોબાઈલ ખરીદ્યો હતો.
જેતપુર તા.5
જેતપુર બ્રહ્મસમાજના પ્રમુખ જેન્તીભાઈ ઉર્ફે કાળુભાઈ જોષીએ નવાગઢ રોડ પરથી મળેલ રૂપિયા 8000 નો મોબાઈલ મૂળ માલિકને શોધી પરત આપી '' માનવતા મરી ના પરવારી હોવાની'' કહેવત સાબિત કરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના રબારીકા ગામે રહેતા અને સાડી ધોલાઈઘાટમાં મજુરી કરતા મુકેશ બચુભાઈ ભડલિયાનો ગત રાતીના મોબાઈલ ખોવાઈ ગયો હતો. પરસેવાની કમાણીમાંથી ખરીદેલુ સંદેશાવ્યવહારનું આ પ્રસાધન ખોવાઈ જતા મુકેશ હાંફળો ફાંફળો થઈને મોબાઈલ શોધતો હતો. પણ ક્યાંય મળ્યો નહોતો.
બીજીબાજુ પોતાના જીવનને સેવામાં સમર્પિત કરી દેનાર, વર્તમાન સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ અને જેતપુરમાં શ્રી હરિઓમ ટ્રસ્ટ સંચાલિત ભોજનાલય દ્વારા માત્ર 10 રૂપિયામાં ગરીબોને ભાવતું ભોજન પીરસતા જેન્તીભાઈ ઉર્ફે કાળુભાઈ ઉર્ફે જોશીબાપાને નવાગઢ નેશનલ હાઈવે પરથી આ મોબાઈલ મળતા તેઓએ ઉપરોક્ત મૂળ માલિકને શોધીને કોઈ પણ અપેક્ષા વગર મોબાઈલ પરત કરી બ્રહ્મસમાજમાં માનવતાના દર્શન કરાવ્યા હતા. કાળુભાઈએ ઉપરોક્ત યુવાનને માત્ર એક શીખ આપી હતી કે કોઈ પણ વસ્તુ તમોને મળે તો કુદરતનો ડર રાખી મૂળ માલિકને પહોચાડજો, ભગવાન તમને બદલો આપી દેશે..
ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર 

જેતપુરમાં બ્રહ્મસમાજના તેજસ્વી તારલાઓને સન્માન્વાનું આયોજન - સમસ્ત બ્રહ્મસમાજ જેતપુર દ્વારા 11-11 સમુહલગ્ન-યજ્ઞોપવીતનું આયોજન

જેતપુરમાં બ્રહ્મસમાજના તેજસ્વી 
તારલાઓને સન્માન્વાનું આયોજન
જેતપુર તા.5 
જેતપુર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના તેજસ્વી તારલાઓને સત્કારવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા.19.7.2015 ના રોજ યોજાનાર આ કાર્યક્રમનો લાભ લેવા ઈચ્છતા ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓના વાલીઓએ વિજય ઝેરોક્ષ - તીનબત્તી ચોક, સરસ્વતી બૂક સ્ટોર - સ્ટેન્ડચોક, અવધ વિદ્યાલય - ભાદર સામા કાંઠે, જેતપુર ખાતેથી ફોર્મ્સ મેળવી, ભરી તા. 8.7.2015 સુધીમાં પરત કરી જવા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ સહિતની કારોબારી સમિતિનો અનુરોધ છે.

સમસ્ત બ્રહ્મસમાજ જેતપુર દ્વારા 
11-11 સમુહલગ્ન-યજ્ઞોપવીતનું આયોજન
જેતપુર તા.5
સમસ્ત બ્રહ્મસમાજ, જેતપુર દ્વારા આગામી 6-12-2015 ના રોજ અહી માત્ર બ્રહ્મસમાજના 11 સમૂહલગ્ન તથા 11 બટુકોના યજ્ઞોપવીત(જનોઈ)નું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને કાર્યક્રમોનો લાભ લેવા ઈચ્છતા યુવક યુવતીઓના તેમજ બટુકોના વાલીઓએ પ્રમુખ જેન્તીભાઈ જોશી(9426900363), મંત્રી હિતેશભાઈ રાવલ(9426968307), કારોબારી સભ્યો પ્રવીણભાઈ વ્યાસ(9879683835), ઉપેન્દ્રભાઈ વ્યાસ(9979441244), તથા આશિષ પંડ્યા(9429474711) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

કશ્યપ જોશી જેતપુર (જેતલસર) 

 

ગુરુવાર, 4 જૂન, 2015

જેતપુર નાઝીક બાઈક સ્લીપ થતા અનીડાના પ્રૌઢનું મોત

જેતપુર નાઝીક બાઈક સ્લીપ થતા અનીડાના પ્રૌઢનું મોત 
જેતપુર તા. 4
ગઈકાલે સાંજે જેતપુરના જાંબુડી પાસે બાઈક સ્લીપની ઘટનામાં અનીડાના એક વણકર પ્રૌઢનું મોત થયાની ઘટના તાલુકા પોલીસ દફતરે નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ કોટડા સાંગાણી તાલુકાના અનીડા વાછાડાના વણકર કરશનભાઈ પોલોઅભાઈ વાઘેલા ગઈકાલે સાંજે કડિયા કામ પતાવી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમનું બાઈક જેતપુર ના જાંબુડી ગામ નજીક સ્લીપ થઇ જતા તેમને માથામાં ગંભીર ઈજાઓ સાથે સરકારી એમ્બ્યુલન્સ 108 માં જેતપુર સરકારી હોસ્પીટલે લઇ જવાતા હતા. પણ કરશનભાઈનો મૃતદેહ જ દવાખાને પહોંચ્યો હતો. સરકારી હોસ્પીટલે પીએમ માટે આવેલ આ ડેડબોડી અંગે હોસ્પિટલસુત્રોની જાણ પરથી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાની હાથ ધરી છે.

જેતપુરમાં ચોરીનો વિચિત્ર બનાવ !!
તસ્કરો રૂ.1.50 લાખની 3 ભેંસ ચોરી ગયા !!
જેતપુર તા.4
જેતપુરના ટાકુડીપરા વિસ્તારમાં એક વાડામાં બાંધેલી 3 ભેંસ કોઈ તસ્કરો હંકારી ઉઠાવી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસ પણ અચરજ પામી ગઈ છે.
અત્રેના ટાકુડીપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ મનજીભાઈ પાંભર નામના ખેડૂતે પોતાના વાડામાં બાંધેલી રૂપિયા 1 લાખ 50 હજારની ત્રણ ભેંસ કોઈ પશુચોર ગઈ મોડી રાત્રીના ખીલેથી છોડી, હંકારી, ઉઠાવી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા ફોજદાર જાડેજાએ નવતર ચોરની શોધખોળ આદરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 


''વિસામા'' પરની ભૂદેવની પ્રથમ અર્થીએજ યમરાજાને 24 કલાક કોઈની જીવાદોરી ના ખેંચવા દીધી !

જેતપુરના સ્મશાનગૃહમાં બનેલી અચરજભરેલી ઘટના !!
''વિસામા'' પરની ભૂદેવની પ્રથમ અર્થીએજ  યમરાજાને       24 કલાક કોઈની  જીવાદોરી ના ખેંચવા દીધી !
----------------------------------------------------------------
વિસામાના લોકાર્પણ બાદ 24 કલાક જેતપુરમાં કોઈનું  મૃત્યુ ના થતા આ વાતે પાછલા 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો ! સ્વભંડોળમાંથી ઉભી કરાયેલી સેવાનું ફળ મળ્યાનો પલીકાસુત્રોનો મત : પા.પ્રમુખ 
------------------------------------------------------------------------------------------------------------------
જેતપુર તા.5
જેતપુરમાં મુખ્ય સ્મશાનઘાટમાં બે દિવસ પહેલા ડાઘુઓ માટે  શરુ કરાયેલ ''વિસામા'' ની સેવા દરમીયાન આ સેવાનો લાભ સ્થાનિક ભૂદેવની અર્થીને લાભ મળ્યા બાદ આ સ્મશાન ગૃહમાં 24 કલાક સુધી કોઈની ડેડબોડી અંત્યેષ્ટિ માટે નહિ આવતા આ પ્રજા સુવિધાનું ફળ તાત્કાલિક મળી ગયાની એક આસ્થા જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાએ વ્યક્ત કરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલિકાએ સ્વભંડોળમાંથી અહીના ભાદર નદી કાંઠે આવેલ સ્મશાનગૃહમાં ડાઘુઓ માટે  ''વીસામો'' અને ચબૂતરાની રૂપિયા 3.70 લાખના ખર્ચે સેવાઓ ઉભી કરી છે. આ બંને સેવાઓ ગઈ તા.2-6-2015 ના રોજ વપરાશ માટે પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, ચીફ ઓફિસર ભરત વ્યાસ,  પવડી ચરમેન મંગલાણી, ઉપપ્રમુખ સુરેશ સખારેલીયા, વિગેરેની હાજરીમાં ખુલ્લી મુકાઈ હતી.
આવા સમયેજ શહેરના એક વયોવૃદ્ધ દિનકરભાઈ  પંડયાની ડેડબોડી અંત્યેષ્ટિ માટે આવતા આ પ્રથમ મૃતદેહ નવનિર્મિત વિસામા પર ડાઘુઓએ રાખી હતી. આ ઘટના સાથે આસ્થાની એક એ વાત વણાઈ ગઈ હતી કે વિસામા પર દિનકરભાઈનો મૃતદેહ  પછીની 24 કલાક સુધી કોઈની ડેડબોડી અંત્યેષ્ટિ માટે નહિ આવતા પાલિકા પ્રમુખ રમાબેને જણાવેલ કે દિનકરભાઈનો મૃતદેહ વિસામા ઉપર રખાયા બાદ યમરાજાએ 24 કલાક સુધી કોઈની જીવાદોરી નાં ખેંચી એટલેકે કોઈનું જેતપુરમાં મૃત્યુ ના થતા, આ એક  છેલ્લાં 25 વર્ષની પહેલી ઘટના હોવાની આસ્થા પાલિકા સુત્રોએ વ્યક્ત કરી હતી. 
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર 




પરશુરામજી ભગવાન બાબતે અભદ્ર ટીપ્પણી કરનાર તત્વોને શોધી સજા કરવા જેતપુર બ્રહ્મ સમાજની માંગ

ફેસબુક ઉપર બ્રહ્મસમાજના આરાધ્ય દેવ એવા 
પરશુરામજી ભગવાન બાબતે અભદ્ર ટીપ્પણી કરનાર 
તત્વોને શોધી સજા કરવા જેતપુર બ્રહ્મ સમાજની માંગ 
સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના આગેવાનોનું મામલતદારને આવેદન 
જેતપુર તા.5
કોઈ હરામખોર તત્વોએ બ્રહ્મ સમાજના આરાધ્યદેવ એવા શ્રી પરશુરામજી ભગવાન વિષે અભદ્ર ટીપ્પણી ફેસબુક પર ફરતી કરતા આ વાતને શખ્ત શબ્દોમાં વખોડી કાઢી કસુરવાર તત્વોને પકડી પાડી સજા સરાવવા સમસ્ત બ્રહ્મ સમાજના આવેવાનોએ આજે જેતપુરના મામલતદારને આવેદન આપ્યું હતું..
મળતી વિગતો મુજબ છેલ્લાં 2 દિવસ થયા ફેસબુક ઉપર '' ભારત એક રહસ્ય '' નામની આઈડી ઉપર કોઈ હરામખોર તત્વોએ ભૂદેવોના આરાધ્ય દેવ ઉપરાંત સકળ સૃષ્ટિ માટે પૂજનીય રામાવતાર શ્રી પરશુરામજી ભગવાનના ફોટો ઉપર અહી લખી નાં શકાય તેવા અભદ્ર શબ્દો લખી હિંદુ સમાજની ધાર્મિક લાગણી દુભાવી છે.
આવી બોગસ આઈડી બનાવી કોઈ પણ કોમ, સમાજ, દેવી-દેવતાઓને ઉતારી પાડવા કે તેઓ વિષે અભદ્ર વાણી વિલાસ કરવો તે સંબંધિત ધર્મ, સમાજ માટે દુઃખ-રોષના આંચકારૂપ  હોય, આવી ગુસ્તાખી કરી ધાર્મિક વિવાદ છેડનારને પકડી પાડી આકરી સજા કરવામાં આવે તેવી માંગ સાથે આજે સમસ્ત બ્રહ્મ સમાજ જેતપુરના પ્રમુખ જયંતીભાઈ(કાળુભાઈ)જોશી, હિતેશભાઈ રાવલ, પ્રવીણભાઈ વ્યાસ, અલ્પેશ વ્યાસ, ઉમાશંકર જોશી, નીલેશ જોશી, કશ્યપ જોશી(પત્રકાર) ઉપેન્દ્ર વ્યાસ, શુભાષ તેરૈયા, દીપક ત્રિવેદી, અશ્વિનભાઈ વ્યાસ, બ્રહ્મસમાજ મહિલા મંડળના  ક્રિષ્નાબેન તથા નીતાબેન મહેતા આગેવાનોએ મામલતદાર કચેરીએ દોડી મામલતદાર ભોરણીયાને આવેદન સુપ્રત કર્યું હતું..
ફોટો અને સમાચાર- કશ્યપ જોશી જેતપુર 



મંગળવાર, 2 જૂન, 2015

જેતપુરની ખાનગી સ્કુલે કરેલો રૂ.1000 ફી વધારો પાંછો ખેચાવ્યો !

જેતપુરના વાલીમંડળે સફળતાના કર્યા શ્રીગણેશ !!
જેતપુરની ખાનગી સ્કુલે કરેલો રૂ.1000 ફી વધારો પાંછો ખેચાવ્યો !
સ્પેસ સ્કુલના સંચાલકો બાળકોને લુંટવા માંગતાં હતા, પણ વાલીમંડળના આગેવાનો પહોચી ગયા. રૂ.1600 ના 2600 ફી કરી હતી પણ હવે માત્ર રૂ.1760/- ફી જ લેવા શાળા સંચાલકોની વાલી મંડળને ખાતરી અપાતા બાળકો-વાલીઓ ભારે ગેલમાં !!
જેતપુર તા.2
જેતપુર શહેરમાં ચાલતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓમાં કરાયેલ ફી વધારા બાબતે કોઈનો વિરોધ ના થાય તો બને તેટલા બાળકોને ફી બાબતે લુંટી લેવાની નીતિ અખત્યાર કરતા શાળા સંચાલકો સામે સ્ટેપ બાય સ્ટેપ પગલા ભરવા અને ભરાવવા કટ્ટીબદ્ધ જેતપુર નવાગઢ શહેર વાલીમંડળના આગેવાનોને આજે ગજબની સફળતા મળી હોવાનું જાણવા મળ્યું હતું..
જો કે ''ચમત્કાર વગર નમસ્કાર નહિ'' એવી કહાવત અક્ષરસઃ સાબિત થઇ હોય તેમ અહીની ખાનગી સ્કુલ સ્પેસના સંચાલકોએ અગાઉની નિયત ફી રૂપિયા 1600/- માં રૂપિયા 1000/- નો વધારો કરી ચાલુ સત્રથી રૂપિયા 2600/- તોતિંગ ફી વધારો વસુલવાનું નક્કી કરતા આ વાત જેતપુરના વાલીમંડળની અદાલતમાં આવી પહોચી હતી.
આ વાતનો ઉગ્ર વિરોધ નોંધાવવા અને ફી વધારો પાંછો ખેંચાવવાના આશય સાથે આજે આ શાળા પર વાલીમંડળના પ્રમુખ જીતેન્દ્રભાઈ લાડવા(એડવોકેટ), ઉપપ્રમુખ મહમદભાઈ, અન્ય હોદેદારો શૈલેશ સાવલિયા વિગેરે દોડી ગયા હતા. અને બાળકોને લુંટવાનું બંધ કરો, ફી વધારો પાંછો ખેંચો, વિગેરે વાતોનો સુત્રોચ્ચાર કરી શાળા પરિસરને ગુંજવી દેતા, શાળા સંચાલકો ભારે મુંજવણ ભરેલી સ્થિતિમાં આવી જઈ વાલીમંડળના આગેવાનો સાથે બેઠક કરી,, સહકારાત્મક અભિગમ વચ્ચે રૂપિયા 1000 નો ફી વધારો પાંછો ખેંચી, નિયત ફી માં માત્ર રૂ.160 વધારો સુચવી રૂ.1760/- જ ફી લેવા ખાતરી આપતા ઉપસ્થિત બાળકો અને વાલીઓમાં રાજીપો છવાયો હતો. આ તકે આવતીકાલ તા.4.6.15 ના રોજ સવારે 10 કલાકે સ્પેસ સ્કુલના પરિસરમાં જ વાલીમંડળે એક બેઠકનું આયોજન કર્યું હોય, વિદ્યાઓ વિદ્યાર્થી ઓને મળતી સેવાઓ અને પડતી અગવડતાઓ બાબતે ચર્ચા વિચારણા કરવાની હોય, આ શાળાના વાલીઓએ હાજર રહેવા અનુરોધ કરાયો છે.
હવે બીજી શાળાઓમાં ફી વધારો પાછો ખેચાવાશે !
જેતપુર: વાલિમંડળના આગેવાનોએ પોતાની સફળતાના શ્રીગણેશ કર્યા બાદ તે શાળામાં ઉપસ્થિત શાળા સંચાલકો અને વાલીઓને જણાવેલ કે જેતપુર નવાગઢની હજુ ઘણી શાળાઓમાં પાછલા બારણેથી ફી વધારો ઠોકી બેસાડયો હોવાની ફરિયાદો મળી છે. કોઈ વાંધો ના ઉઠાવે તો અસહ્ય ફી વધારો વસુલવા પાછીપાની નાં કરવી તેવી નીતિમાં રાચતા શાળા સંચાલકો સામે જરૂર પડ્યે આંદોલનાત્મક કાર્યક્રમો પણ રજુ કરતા વાલીમંડળ અચકાશે નહિ તેવી ચીમકી ઉચ્ચારાઈ છે.

સમાચાર અને ફોટો : કશ્યપ જે. જોશી જેતપુર 9974262812


સોમવાર, 1 જૂન, 2015

ભેદભરમના ઝાળાં વચ્ચે જેતલસરમાં મામાદાદાની જગ્યા પાછળથી માનવ ખોપડી-હાડકું મળી આવતા પોલીસ દોડી

ભેદભરમના ઝાળાં વચ્ચે જેતલસરમાં મામાદાદાની જગ્યા પાછળથી 
માનવ ખોપડી-હાડકું મળી આવતા પોલીસ દોડી 
જેતલસર તા.1
જેતલસરમાં જે જગ્યાએ દલિત યુવાન મહેશ જેન્તી ગોહેલને પતાવી દેવાયો તે જગ્યાએથી આજે રાત્રે એક માનવ ખોપડી અને હાડકું મળી આવતા તાલુકા પોલીસે દોડી જઈ તપાસને વેગ આપ્યો હોવાનું જાણવા મળે છે.
મળતી વિગતો મુજબ જેતલસરના દલિત યુવાનની પ્રથમ ગુમ થયાની પોલીસમાં જાહેરાત બાદ મહેશ જેન્તી ગોહેલને તેનાજ બે કૌટુંબિક ભાઈઓના સહારે જુનાગઢ પંથકના બે યુવાનોએ મોતને ઘાટ ઉતાર્યો હોવાની મર્ડરમિસ્ટ્રી બહાર આવ્યા બાદ પોલીસે અગાઉ મૃતક મહેશના લોહીવાળું ટીશર્ટ, ચપલ, છરી વિગેરે કબજે કરી સંડોવાયેલા 4 આરોપીઓને પણ ઝાલી લીધા હતા.
બાદમાં વારાફરતી પહેલા ત્રણ આરોપી સાગર, કિરણ અને જીતેસને રિમાન્ડ પર લઈને પોલીસે તપાસ કરી હતી. પણ આ ત્રિપુટી લાશ બાબતે ભેદી મૌન સેવી લેતા, રિમાન્ડ પૂર્ણ થતા ત્રણેયને જેલહવાલે કરવા કોર્ટે હુકમ કર્યો હતો.
જયારે પાછળથી પકડાયેલ ભુરીયાના આજે ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તે પણ જેલહવાલે કરાયો છે.
બીજીબાજુ મહેશ ગોહેલને જેતલસરમાં જે જગ્યાએ પતાવી દેવાયો હતો તેનાથી થોડે દુર એક ગોદામ પાસે એક માનવ ખોપડી અને હાડકા રખડતા હોવાની જાણ પરથી તાલુકા ફોજદાર આર.એન.કરમટિયા, સ્ટાફના ગૌત્તમભાઈ, મજનુંભાઈ, દિવ્યેશ આહીર, વિગેરેને લઇ જેતલસર પહોચી તપાસ કરતા ત્યાંથી એક લાંબુ હાડકું અને તૂટેલી અવસ્થામાં એક માનવ ખોપડી મળી આવતા, પોલીસે તે કબજે લઈને રાજકોટ ખાતે ફોરેન્સિક લેબો.સુત્રોને મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ તકે પીએસઆઈ કરમટિયાએ જણાવેલ કે મળેલ માનવ ખોપડી અને હાડકું મહેશ જેન્તું ગોહેલનું જ છે તે કહેવું અસ્થાને ગણાશે, પોલીસે આ અંગેની જીણવટભરી તપાસ હાથ ધરી છે. 
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર 9974262812

જેતલસરમાંથી માનવ ખોપડી - હાડકા મળ્યા !!! સમાચાર ફોટો સાથે 15 મીનીટમાં મોકલું છું. કશ્યપ જોશી જેતપુર 9974262812

 

જેતલસર ખૂન કેશના આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેનાર 
જેતપુર તાલુકા પોલીસની દલિત સમાજમાં સરાહના 
    જો કે મહેશની લાશ ઝંખતો ગોહેલ પરિવાર
એસપી સુધીર દેસાઈને પણ મૃતકના ભાઈ સહિતના પરિવારજનો મળ્યા
(કશ્યપ જોશી ) જેતલસર તા.1
જેતપુર તાલુકાના જેતલસર ગામના મહેશ જેન્તી ગોહેલની હત્યા કરનાર જુનાગઢના 2 અને   જેતલસરના 2 એમ ચારેય આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેનાર જેતપુર તાલુકા પોલીસના ફોજદાર આર.એન.કરમટિયા સહિતના સ્ટાફની સરાહના કરવા આજે મૃતક યુવાનના ભાઈ સહિતના દલિત સમાજના આગેવાનો જેતપુર તાલુકા પોલીસ અને એસપી સુધીર દેસાઈ ને મળવા દોડી આવ્યા હતા.
અમારા ભાઈની લાશ નહિ મળે તો આરોપીઓ છૂટીને પુનઃ દાદાગીરી કરવા લાગશે તેવી વાતનો ભય વ્યક્ત કરતા મૃતક મહેશના ભાઈ રોહિત ગોહેલ, ગામના દલિત સમાજના વકીલ શૈલેશભાઈ સહિતના દલિત આગેવાનોને સાંત્વના આપતા એસપી સુધીર દેસાઈ અને તાલુકા પીએસાઈ કરમટિયાએ જણાવેલ કે પોલીસ પોતાની કાયદેશરની કાર્યવાહી કે કામગીરીમાં કોઈ કચાશ છોડતી નથી. અને આ વાતનો પુરાવો ગણતરીની કલાકોમાં પકડેલા ચારેય આરોપીઓ છે. પોલીસે રસ નાં દાખવ્યો હોત તો આરોપીઓ આટલી ઝડપે ના પકડાયા હોત.
રિમાન્ડ દરમિયાન પણ લાશની કોઈ માહિતી નાં આપનાર આરોપીઓ પ્રત્યે પોલીસ કામગીરીમાં શંકા વ્યક્ત કરતા ઉપરોક્ત આગેવાનોએ જણાવેલ કે જો ફર્ધર રિમાન્ડની માંગ દ્વારા આરોપીઓને પાછા તપાસાય તો કૈક જાણવા મળે. તે વાતનો ઉત્તર વાળતી પોલીસે જણાવેલ કે પોલીસને સહકાર આપો અને લાશને બે મહિના જેવો સમય થઇ ગયો હોય મળવી મુશ્કેલ છે, આમ છતાં માણાવદર, પલાસવા તેમજ અન્ય શહેરોમાં મળેલી બીનવારશી લાશોને તપાસવા જેતપુર તાલુકા પોલીસ એસપી સુધીર દેસાઈની સુચનાથી વખતોવખત દોડી ગઈ છે.
લાશ ના મળે તો આરોપીઓ નિર્દોષ જાહેર થાય તે વાત દિમાગમાંથી હટાવી પોલીસને સહકાર આપવા તાલુકા ફોજદાર કરમટીયાએ જણાવેલ..
સમાચાર અને ફોટો : કશ્યપ જોશી જેતલસર જેતપુર -9974262812

જેતપુરવાસીઓ આનંદો...ભાદર ડેમમાં જુલાઈ-15 સુધી ચાલે તેટલું પાણી છે !!

>
પાલિકા પ્રમુખે લીધી ભાદર ડેમની મુલાકાત 
જેતપુરવાસીઓ આનંદો...ભાદર ડેમમાં 
જુલાઈ-15 સુધી ચાલે તેટલું પાણી છે !!
જેતપુર તા.1
જેતપુર શહેરમાં પ્રવર્તી રહેલ પાણી સમસ્યાથી ચિંતિત જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ રમાબેન મકવાણા ગઈકાલે ભાદર ડેમની મુલાકાત લઈને ડેમમાં કેટલો જળ જથ્થો છે તેની જાત માહિતી લીધી હતી.
બાબતે જેતપુર પાલિકા પ્રમુખ રમાબેને જણાવેલ કે તેઓની ભાદર ડેમની મુલાકાત દરમિયાન જેતપુરવાસીઓએ હરખાવા જેવી તે વાત બહાર આવી હતી કે આગામી જુલાઈ માસ સુધી ચાલે તેટલો જળજથ્થો છે. તેઓએ મેળવેલ આંકડાકીય માહિતીઓમાં હાલ સાડા તેર ફૂટ જેટલી પાણીની સપાટીમાંથી ત્રણેક ફૂટ કાંપનો અંદાજ કરીએ તો 10 ફૂટ પાણીની સપાટી ભાદર ડેમની જણાતી હોય, જેતપુર રાજકોટને જુલાઈ માસ સુધી ચાલે તેટલું પાણી છે, અને ત્યાં સુધીમાંતો મેઘરાજાની મહેર થઇ જશે એટલે બંને શહેરોનું જળ સંકટ મહત્તમ હળવું થઇ જશે. જેતપુર શહેર અને રાજકોટ હાલના દિવસોમાં પાણીનો કેટલો જથ્થો ઉપાડી રહ્યા છે ? તેવા સવાલના જવાબમાં જેતપુર પાલિકા પ્રમુખે જણાવેલ કે રાજકોટ દ્વારા 2.26 એમસીએફટી અને જેતપુર દ્વારા 5.74 એમસીએફટી જળ રાશી મેળવાઈ રહી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812

શનિવાર, 30 મે, 2015

પાંચપીપળાના ખેડૂત પાસેથી રૂ.3 લાખ આંચકી જતા ચકચાર જેતપુરના ધોરાજી રોડ પરની ઘટના બાદ પોલીસની નાકાબંધી

એ..ભાઈ.. ઉભા રહો તો કહી બાઈક થોભાવી 2 અજાણ્યા બાઈક સવારો 
પાંચપીપળાના ખેડૂત પાસેથી રૂ.3 લાખ આંચકી જતા ચકચાર
જેતપુરના ધોરાજી રોડ પરની ઘટના બાદ પોલીસની નાકાબંધી 
પણ બાઈકસવારો હવામાં ઓગળી ગયા..તાલુકા પોલીસે શંકા સાથે શરુ કર્યો તપાસનો ધમધમાટ
જેતપુર તા.30
જેતપુર તાલુકાના પાંચપીપળા ગામના એક ખેડૂત જેતપુર બેંકમાં પૈસા જમા કરાવે તે પહેલાજ ધોરાજી તરફથી આવતા બે અજાણ્યા બાઈકસવારોએ, ખેડૂતને થોભાવી, થેલીમાં બ્લેડનો છરકો મારી રૂ.3 લાખ રોકડા આંચકી છું થઇ ગયાની ઘટનામાં પોલીસે જિલ્લાભરમાં નાકાબંદી કરી ચીલઝડપકારોને પકડવા કવાયત આદરી હતી પણ તે નાકામિયાબ નીવડી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢમાં ગાયત્રી પ્રોવિઝન નામની કરિયાણાની દુકાન ધરાવતા, 28 વીઘાના ખાતેદાર ખેડૂત ડોબરિયા રમેશભાઈ  પુનાભાઈ પટેલ પોતાના પાંચપીપળા ગામ સ્થિત ઘરેથી રૂપિયા 3 લાખ રોકડા લઈને જેતપુર ખાતે રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકમાં જમા કરાવવા માટે આજે સવારે 8 વાગ્યે નીકળ્યા હતા.
દરમિયાન જેતપુરના ધોરાજી રોડ પર જયશ્રી જીન્નીંગ મિલ પાસે ધોરાજી તરફથી પુરપાટ ઝડપે બાઈક પર આવેલા 2 અજાણ્યા બાઈકસવારોએ રમેશભાઈને '' એ ભાઈ ઉભા રહો તો '' તેવો સાદ કરી ઉભા રખાવ્યા હતા. આવા સમયે પલકવારમાં એક બાઈક સવારે રમેશભાઈની આરપાર દેખાય તેવી થેલીમાં બ્લેડથી છરકો મારી, રૂપિયા ત્રણ લાખ આંચકી જઈ જેતપુર તરફ નાશી છૂટતા રમેશભાઈએ રોડ પર રાડા રાડ કરી મૂકી હતી.
આ બનાવની જાણ થતાજ જેતપુર તાલુકા પીએસાઈ આર.એન.કરમટિયા, સ્ટાફના ગૌત્તમભાઈ ત્રિવેદી, અનિલભાઈ વિગેરેને લઈને ઘટના સ્થળે દોડી જઈ જિલ્લાભરના રોડ પર નાકાબંધી કરાવી હતી. પણ ચીલઝડપકાર એવા બંને બાઈક સવારો હવામાં ઓગળી જતા પોલીસની મહેનત એળે ગઈ હતી. 
પોલીસના અને ફરિયાદીના જણાવ્યા પ્રમાણે બંને બાઈક સવારો પાસે સ્પ્લેન્ડર હોન્ડા, મોઢે રૂમાલ બાંધેલા, કાળા પેન્ટ પહેરેલ અને પાતળા બાંધાનું શરીર ધરાવતા હતા. જયારે ગુમાવેલી રૂપિયા 3 લાખ રકમમાં ખેત પાકોના વેંચાણના અને કરિયાણાની દુકાનના વકરાના પૈસા હતા. આ પૈસા ધિરાણ રૂપે જેતપુરની આરડીસી બેંકમાં જમા કરવાના હતા. પોલીસે શંકાસ્પદ સ્થિતિમાં આ બનાવનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

જેતલસર ખૂન કેશનો ચોથો આરોપી ચાર દિવસના રિમાન્ડ પર 
અન્ય 3 ને જેલભેગા કરવા હુકમ કરતી જેતપુરની કોર્ટ
જેતલસર તા.30 
જેતલસરના દલિત યુવાન મહેશ ગોહેલ ની હત્યામાં પકડાયેલ ચોથા આરોપીને ગઈકાલે જેતપુર તાલુકા પોલીસે રીમાન્ડની માંગ સાથે જેતપુર કોર્ટમાં રજુ કરતા પોલીસે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જ્યારે અગાઉ પકડાયેલ 3 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા, અત્રેની કોર્ટમાં રજુ કરતા, કોર્ટે ત્રણેયને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હોવાનું ફોજદાર કરમટિયા જણાવે છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ જેતાલ્સરના મહેશ જેન્તી ગોહેલની હત્યામાં પકડાયેલ સાગર, જીતેશ અને કિરણ એમ ત્રણેય આરોપીના આજે રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે અહીની કોર્ટમાં રજુ કરતા, કોર્ટે ત્રણેયને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. જયારે ગઈ કાલે પકડાયેલ ભુરીયાને રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. ભુરીયાએ જે છરીના 17 ઘા મારી મહેશને પતાવી દીધો તે છરી ગઈ કાલેજ પોલીસે કાઢી દીધી છે. તે હજુ જોઈએ તેવું મોઢું ખોલતો નથી. તેમજ લાશ નહિ મળે તો નિર્દોષ છૂટી જશે તેવી વાતોનું ખંડન કરતી તાલુકા પોલીસે જણાવેલ કે જેતલસર પંથકનાં જ રૂપાવટી ગામે એક મહિલાને બાળી નાખ્યા પછી ગુનો ડિટેકટ થયો હતો આમ છતાં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી કાયદાનું ભાન કરાવ્યું તે લોકોએ ના ભૂલવું જોઈએ..

જેતપુરના અમરનગર ગામે જુગાર દરોડો 
રૂ.33 હજાર રોકડ સાથે 10 ઝડપાયા 
જેતપુર તા.30
ગત મોડી રાત્રીના જેતપુર તાલુકા પોલીસે અમરનગર ગામે જુગાર દરોડો પાડી 10 તાસપ્રેમીઓને રોકડ 
રૂ.33770/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર ગામે કોશોર ડાયા મોરબીયા પોતાના ઘરે નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા તાલુકા ફોજદારે સ્ટાફના રામજીભાઈ બગડા, મજનુભાઈ મનાત, પંકજસિંહ જાડેજા, દિવ્યેશ આહીર વિગેરેને સાથે રાખી ગઈ મોડી રાત્રીના કિશોરના ઘરે છાપો મારતા મકાન માલિક કિશોર સહીત 10 શખ્શો રોકડ રકમ 33770/- સાથે જુગાર રમતા પકડાઈ ગયા હતા. પકડાયેલા શખ્શોમાં અમરનગરના મુકેશ બગજી મોરબીયા, નટુ રાણા કુંભાર, મહેશ જસુ લીંબડીયા, મુકેશ ધીરુ કુંભાર, શૈલેશ હરસુખ કુંભાર, વિપુલ બાબુ મકવાણા, ગિરધર વજુ વસોયા, શૈલેશ મનસુખ વડાલીયા તથા કિશન બહાદુર લાલકિયા નો સમાવેશ થતો હોવાનું ફોજદાર કરમટીયાએ જણાવેલ..

જેતલસર નજીક મારુતિ પલટી જતા એકનું મોત 
જેતલસર તા.30
ચાર દિવસ પહેલા જેતલસર ગામ નજીક પલટી ગયેલી કારના બનાવમાં એકનું મોત થતા તાલુકા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ લાઠી તાલુકાના શેખપીપળીયા ગામના પ્રતાપભાઈ કાનાભાઈ બોદર (ઉ.વ.37) મિત્ર જાદવ રામાભાઈ બારડ(રહે.ગાભા, તા.તાલાલા) ની મારુતિ કાર જીજે 12એકે 5147 માં બેસી ખાંભાથી અમદાવાદ જવા તા.26.5.15 ના રોજ નીકળ્યા હતા. દરમિયાન જેતલસર નજીક અકસ્માતે પલટી ખાઈ ગયેલી કારમાં પ્રતાપભાઈ બોદરનું ઘટના સ્થળેજ કાર નીચે દબાઈ જવાથી મોત થયું હતું, જયારે ચાલક જાદવ રામાને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. તાલુકા જમાદાર મજનુભાઇ મનાતે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

શરાબ વાહક યુવાન પાસે રૂ.17 હજારનો તોડ કરનાર 
પોલીસમેન સામે ગુનો નોંધાતા જેતપુરના એસપી દેસાઈ 
જેતપુર તા.30
જેતપુરના એસપી સુધીર દેસાઈએ બાતમીના આધારે એક શરાબની બોટલ સાથે પકડાયેલ યુવાન પાસેથી રૂપિયા 17 હજારનો તોડ કરના પોલીસમેન સામે ગુનો નોધી શિક્ષાત્મક કામગીરી કરતા પોલીસબેડામાં ચકચાર જાગી છે.
મળતી વિગતો અનુસાર જેતપુરના જુનાગઢ રોડ પર ઉભી કરાયેલ ચેક પોસ્ટ પાસેથી પસાર થયેલ બે બાઈક સવારોને શંકાસ્પદ હાલતમાં રોકી તપાસતા તેઓ પાસેથી વિદેશી શરાબની એક બોટલ મળી આવી હતી. આવા સમયે શરાબની બોટલ કબજે લેનાર પોલીસમેન મહેન્દ્રસિંહ ભીખુભાઈ ચુડાસમાએ મહેશ ભૂરા પાસે રૂ.50 હજારની માંગ કરી  નાશી છુંટેલા સતીશ બચું ખાંટને હાજર કરવા જણાવ્યું હતું..
આ બનાવની ઉપરોક્ત યુવાનોએ સ્થાનિક એસપી સુધીર દેસાઈને જાણ કરતા, એસપીએ તપાસ કરતા ઉક્ત પોલીસમેન પાસેથી રોકડ રૂ.17 હજાર કબજે કરાયા હતા. આ ઘટનામાં એસપીએ સરકાર તરફી ફરિયાદી બની, લાંચ સ્વીકારવાનો ગુનો નોંધી એસીબી તંત્રને જાણ કરતા અત્રેના પોલીસબેડામાં ચકચાર જાગી છે.

જેતપુરમાંથી સગીરાનું અપહરણ 
જેતપુર તા.30
જેતપુરના અમરનગર રોડ પર રહેતી એક સગીરાને પાડોશી રાજેશ બાબુ નામનો યુવાન લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી અપહરણ કરી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાતા પોલીસે રાજેશની શોધખોળ આદરી છે.

વિદેશી શરાબની 1 બોટલ સાથે 2 પકડાયા 
જેતપુર તા.30
જેતપુરના મંડલીકપુર રોડ પરથી પસાર થયેલા ધર્મેશ લાભુ સાગલાની તથા ધર્મેશ રાઠોડ એમ બંનેને રોકી તાલુકા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી એક વિદેશી શરાબની બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.300 ની બોટલ અને રૂ.40 હજારનું બાઈક કબજે લઇ ધોરણસરની વિધિ હાથ ધરી છે.

જેતપુરમાં જુગાર દરોડો 6 તાસપ્રેમી ઝડપાયા 
જેતપુર તા.30
જેતપુર તાલુકાના જેપુર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી વીરપુર પોલીસના ફોજદાર જોશી સહિતના કાફલાએ જેપુર ત્રાટકી જુગાર રમતા 6 શખ્શોને રોકડ 8950/- સાથે પકડી પાડ્યા હતા. પકડાયેલા તાસપ્રેમીઓમાં ભરત ભાણજી બાટવીયા, ભગવાનજી નાથા ગુજરાતી, સવજી કનું સરવૈયા, હરસુખ જેરામ ગુજરાતી, કમલેશ વજુ મકવાણા રહે. તમામ જેપુર તથા લુનીવાવના ભાવેશ પ્રભુદાસ ગોંડલિયા નો સમાવેશ થતો હોવાનું પોલીસ જણાવે છે.
 કશ્યપ જોશી જેતપુર - 9974262812