અનુયાયીઓ

શુક્રવાર, 1 મે, 2015

જેતપુરમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સફાઈ ઝુંબેશ હાથ ધરાવતા રાજ્યમંત્રી રાદડિયા

જેતપુરમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે 
સફાઈ ઝુંબેશ હાથ ધરાવતા રાજ્યમંત્રી રાદડિયા 
શહેરના ખુલ્લા પ્લોટમાં એકત્ર થયેલા કચરાના ઢગલા તાત્કાલિક દુર કરવા સંબંધિતોને તાકીદ 
(કશ્યપ જોશી ) જેતપુર તા.1
આજે પહેલી મેં અને ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના મંત્રી જયેશ રાદડીયાએ અહીના સરદાર પટેલ ગાર્ડનથી 15 દિવસીય સ્વચ્છતા અભિયાનનો સુભારંભ કરાવ્યો હતો.
  સરદાર પટેલ બગીચા ખાતે સૌ પ્રથમ શ્રી સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી રાજ્ય મંત્રી જયેશ રાદડીયાએ જણાવેલ કે દેશભરમાં ચાલતા અને ચલાવાતા સ્વચ્છતા અભિયાને આગળ ધપાવવા પ્રત્યેક માણસે પોતાની જવાબદારી સમજવી પડશે, જ્યાં સુધી આપણું આંગણું ચોખું નહિ થાય ત્યાં સુધી બીજાની જગ્યામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવી કઠીન લાગશે, મંદિરમાં જેમ બુટ-ચપલ બહાર ઉતારીનેજ દર્શન કરીએ છીએ તેવો ધાર્મિક ભાવ સ્વચ્છતામાં કેળવાશે તો ક્યાય ગંદકી નહિ રહે.
માજી ધારાસભ્ય જસુબેન કોરાટ, જેતપુર નગર પાલિકાના ચીફ ઓફિસર વ્યાસ, ગોંડલના ડેપ્યુટી કલેકટર જાડેજા વિગેરેની હાજરી વચ્ચે રાદડીયાએ એ વાતની પણ સંબંધિતોને તાકીદ કરી હતી કે શહેરમાં જ્યાં જ્યાં ખુલ્લા પ્લોટ છે ત્યાં ગંદકીના ગંજ ખડકાયા હોવાની ફરિયાદો મળી રહી હોય, આવા પ્લોટોમાંથી તાકીદે ગંદકી હટાવી લેવી, તેવીજ રીતે શહેરના જાહેર, સરકારી, બિનસરકારી ક્ષેત્રોમાં પણ સંબંધિતો સ્વચ્છતા કેળવે તે જરૂરી છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર 9974262812

ગુરુવાર, 30 એપ્રિલ, 2015

ફર્નીચરનું કામ કરતા 2 પરપ્રાંતિય યુવાનોને વીજશોક લાગતા એકનું મોત, 1 ગંભીર




જેતપુરના પેઢલા નજીકની ધવલ નામની શાળામાં 
ફર્નીચરનું કામ કરતા 2 પરપ્રાંતિય યુવાનોને 
વીજશોક લાગતા એકનું મોત, 1 ગંભીર  
જેતપુર તા.20
જેતપુરના પેઢલા નજીકની એક ખાનગી શાળામાં ચાલતા ફર્નીચરના કામકાજ દરમિયાન બનેલા વીજ શોકના બનાવમાં એક યુવાનું ઘટના સ્થળેજ મોત થયું હતું, જયારે અન્ય એકને ગંભીર ઈજાઓ સાથે રાજકોટ રીફર કરાયો હોવાનું પોલીસ જણાવે છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર પેઢલા ગામ પાસે તત્કાલ હનુમાન મંદિરથી આગળ આવેલ  ધવલ નામની શાળામાં હાલના દિવશોમાં પરચુરણ ફર્નીચર કામ ચાલે છે.
જેમાં ગોંડલના ભનુભાઇના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા બે પરપ્રાંતીય યુવાનો મનોહર શર્મા ઉ.વ. 37 તથા સંદીપ દયારામ ઉ.વ.19 આજે સ્કુલ ગેઇટ બહાર લોખંડનો ઘોડો લઇ જતા હતા ત્યારે અચાનક આ ઘોડો ઉપરથી પસાર થતી વીજ કંપનીની 11 કેવી લાઈનને અડકી જતા સર્જાયેલ વીજ શોકના બનાવમાં માંનોહરનું ઘટના સ્થળેજ મોત થયું હતું, જયારે વીજ શોકથી ગંભીર રીતે ઘવાયેલા સંદીપને પ્રાથમિક સારવાર જેતપુર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે. બનાવની જાણ પરથી સ્કુલે દોડી ગયેલા જેતપુર તાલુકા પોલીસ જમાદાર મજનુંભાઈ મનાતે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

બુધવાર, 29 એપ્રિલ, 2015

ઉપલેટાથી રાજકોટ જતું મેટાડોર પોલીસની હડફેટે !!
જેતપુરના પેઢલા  નજીકથી શંકાસ્પદ કઠોળ 
ભરેલા મેટાડોરને પકડતા એસપી દેસાઈ
પોલીસે રૂ.170750 નું અનાજ અને રૂ.2.50 લાખનું મેટાડોર કબજે કર્યું  
જેતપુર તા.29
જેતપુર તાલુકા પેઢલા ગામ પાસે ચેકિંગમાં ઉભેલા જેતપુરના એસપી દેસાઈએ શંકાશ્પદ કઠોળ-અનાજ ભરેલા એક મેટાડોરને પકડી  પાડી તપાસનો દૌર ચાલુ કર્યો છે.
મળતી માહિતી મુજબ જેતપુરના એસપી દેસાઈ આજે સાંજે તાલુકાના પેઢલા નજીક  ચેકિંગ માટે ઉભા હતા ત્યારે ઉપલેટાથી ગોંડલ-રાજકોટ જતા જીજે 3વાય 9026 ને રોકી ડ્રાઈવર રમેશ જાદવ(રહે.રાજપીપળા) ની પૂછપરછ કરતા રમેશે સંતોષકારક જવાબ જવાબ આપ્યો નહોતો અને મેટાડોરમાં ભરેલ અનાજ-કઠોળના કટ્ટાના બીલો પણ નાં હોય સૌ પ્રથમ એસપી એ 14/1 ડી મુજબ મેટાડોર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી. 
દરમિયાન તાલુકા પોલીસ મથકે લઇ જવાયેલ મેટાડોર માં રહેલ રૂ.170750/-00 નું અનાજ-કઠોળ અને રૂ.2.50 લાખના મેટાડોરને કબજે લઇ આઈપીસી 102 મુજબ (શક પડતી માલમત્તા) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના તપાસનીસ જમાદાર મજનુંભાઈ મનાતે જણાવેલ કે ઉપલેટા યાર્ડમાંથી દલાલોએ ખરીદેલ આ માલ ગોંડલ-રાજકોટની યાર્ડમાં વેંચવા લઇ જવાતો હતો. હવે આ કઠોળ-અનાજના માલિક કોણ છે તે તપાસ દરમિયાન બહાર આવશે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

નજીવી બાબતે 2 શખ્શોનો આધેડ ઉપર છરી-લાકડીથી હુમલાની પોલીસમાં રાવ

જેતપુરનાલુણાગરી ગામનો બનાવ 
નજીવી બાબતે 2 શખ્શોનો આધેડ ઉપર 
છરી-લાકડીથી હુમલાની પોલીસમાં રાવ 
જેતપુર તા.29
જેતપુરના લુણાગરી ગામે સામાન્ય બોલાચાલી દરમિયાન બે શખ્શોએ એક આધેડ ઉપર છરી અને લાકડી વતી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ તાલુકાના લુણાગરી ગામે રહેતા વણકર રસિક રામજી ડાભીના પત્ની સાથે બોલાચાલી કરનાર તે જ ગામના બે શખ્શો ઘુસા ભીખા સરવૈયા અને હરેશ રવજી સરવૈયાને ટપારવા ગયેલા રસિક રામજી ઉપર ઉગ્રાવેશ ધારણ કરી બંને ખાંટ શખ્શોએ છરી તેમજ લાકડી વતી હુમલો કરી ઈજા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કશ્યપ જોશી જેતપુર જેતલસર - 9974262812

kashyap joshi - jetpur court nirdosh chhutkaare-376

જેતલસરના ચર્ચાસ્પદ દુષ્કર્મ ફરિયાદના 
વકીલ સહિતના ચારેય આરોપીઓને 
નિર્દોષ છોડતી જેતપુરની કોર્ટ 
જેતલસર તા.29

આજથી 16 મહિના પહેલા જેતલસરની એક મહિલાએ ગામના એક વકીલ સહીત ચાર યુવાનો સામે દુષ્કર્મની નોંધાવેલી ફરિયાદનો કેઇશ આજે જેતપુરની કોર્ટમાં ચાલ્યો તે દરમિયાન જજ દવેએ ચારેયને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.
બનાવની મળેલી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેતલસર ગામની એક ખાંટ મહિલાએ તે જ ગામના પીયુષ પરસોત્તમ વૈષ્ણવ, મનોજ પરષોત્તમ વૈષ્ણવ, હરેશ ગાંડુ વૈષ્ણવ(વકીલ) તથા અરવિંદ જસમત પોલરા એમ ચારેય સામે જેતપુર તાલુકા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
મહિલાએ ફરિયાદમાં જણાવેલ કે  ઉપરોકત ચારમાના ત્રણ તહોમતદારોએ તેણીને પીયુષ સાથે જવા અને નાં જાય તો માં-દીકરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા તેની ડરી જઈને પીયુષની સાથે બસમાં ચાલી નીકળી હતી. દરમિયાન પીયુશે અમદાવાદ અને શ્રીનાથજીના ગેસ્ટહાઉસોમાં તેની પર દુશ્કર્મ આચર્યું હતું, વળતા પણ વીરપુર ખાતે  ઉપરોક્ત તમામ તહોમતદારોએ તેઓની મરજી મુજબનું નિવેદન આપવાની ધમકી આપતા મહિલાએ પોતાની મરજીથી પરબ વિગેરે ધાર્મિક સ્થળોએ ફરવા ગઈ હોવાનું નિવેદન આપતા પોલીસ મુંજાઈ હતી. પોલીસે પરણિત મહિલાને જુનાગઢ શિશુમંગલમાં મોકલ્યા બાદ પીયુષ ત્યાંથી પણ ભગાડીને તેના માસીને ઘેર લઇ ગયો હતો. જ્યાંથી ભાગીને મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ મતલબનો કેઇશ આજે જેતપુરની સેસન્શ કોર્ટમાં ચાલ્યો ત્યારે જેતલસરની ખાંટ મહિલા પોતાની મરજીથી જુનાગઢના શિશુમંગલમાંથી નીકળી ગઈ હોય તેમજ પીયુષ સાથે 3 વર્ષ થયા પ્રેમસંબંધ હોવાનું ફલિત થતા, વકીલો આર.આર.ત્રિવેદી, ભાવેશ ત્રિવેદી, જે.જી.વાઘેલા, અને કુમારી પી.જી.સિંઘવડ વિગેરેની દલીલો ગ્રાહ્ય રાખી જેતલસર ગામના વકીલ સહીત ચારેય આરોપીઓને સેસન્શ જજ કે.એમ.દવેએ નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરતા જેતલસરના ચારેય યુવાનોને બદનામ કરવા મથતા તત્વોની બોલતી બંધ થઇ ગઈ છે.

કશ્યપ જોશી જેતલસર 9974262812

મંગળવાર, 28 એપ્રિલ, 2015

જેતપુરમાં વોર્ડ-5 માં પ્રાથમિક સુવિધાઓના અભાવે ત્રસ્ત લાત્તાવાસીઓનું પાલિકાના મુખ્ય અધિકારીને આવેદન 
તા.15.5. સુધીમાં ઘટતું નાં થાય તો આંદોલનની ઉચ્ચારાયેલી  ચીમકી 
જેતપુર તા.28
જેતપુરના ધોરાજી રોડ પરના વિરશક્તિ મંદિર વિસ્તારના પ્રજાજનો એ પાલિકા કચેરી પર દોડી આવી તેઓના વિસ્તાર પ્રત્યે દાખવાતા ઓરમાયા વર્તનની પાલિકાના મુખ્ય અધિકારીને રજુઆતો કરી હતી.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુરના વોર્ડ નંબર-5 માં આવેલ વિરાશક્તિ મંદિર વિસ્તારમાં વર્ષો થયા મૂળભૂત પ્રાથમિક પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા , લાઈટ, પાણી, ગટર વ્યવસ્થા વિગેરે બાબતે પાલિકાના સંબંધિત સદસ્યો તથા સત્તાધીશો વહાલા દવલાની નીતિ અખત્યાર કરતા હોય, આજે આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં પાલિકા કચેરીએ દોડી આવી ઉક્ત પ્રશ્નો તાકીદે નિવારવાની માંગો દોહરાવતા સુત્રોચ્ચાર કરી કચેરીને ગજવી મૂકી હતી.
લત્તાવાસીઓના આગેવાનોએ આક્ષેપો કર્યા હતા કે તેઓનો વિસ્તાર પાકિસ્તાનમાં આવેલો હોય તેવું વર્તન દાખવી પાલિકાના સત્તાધીસો કોઈ સુવિધાઓ આપવા જાગતા જ નથી, જયારે અન્ય વોર્ડોમાં સુધરાઈ સદસ્યોના ઈશારે નાચતા સત્તાધીશો તાત્કાલિક સુવિધા પૂરી પાડવા કે સુધારવા દોડી જાય છે.
અમો પાલિકાને તમામ પ્રકારના કરવેરા ભરતા હોવા છતાં સુધાઓ પૂરી પાડવામાં પાલિક કેમ રસ દાખવતી નથી ? આ પ્રશ્નો બાબતે આગામી 15.5.2015 સુધીમાં પાલિકા તંત્ર વિરાશક્તિ મંદિર વિસ્તારના પ્રશ્નો હલ નહિ કરે તો પાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન છેડવામાં આવશે તેવી ઉક્ત લત્તાવાસીઓએ આવેદનમાં ચીમકી ઉચ્ચારી છે.

ફોટો અને સમાચાર - કશ્યપ જોશી જેતપુર 9974262812j

સોમવાર, 27 એપ્રિલ, 2015

જેતપુરમાં સિંધી પરિવારના મકાનમાં ખાબકેલા તસ્કરો 1.90 લાખની મત્તા ઉસેડી ગયા !!

જેતપુરમાં સિંધી પરિવારના મકાનમાં ખાબકેલા 
તસ્કરો 1.90 લાખની મત્તા ઉસેડી ગયા !!
જેતપુર તા.27
જેતપુરના જુનાગઢ રોડ પર ત્રણ દિવસ બંધ રેઢા પડેલા સિંધી પરિવારના મકાનમાં ખાબકેલા તસ્કરો આરામથી રૂપિયા 1.90 લાખની મત્તા ઉસેડી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુરના જુનાગઢ રોડ પર હોટેલ ઉત્સવ પાછળ રહેતા સતુભાઈ વાધવાની નામના સિંધી ગૃહસ્થ પ્રસંગ સબબ તા.24.4. બહાર ગામ ગયા હતા.
દરમિયાન આજે તા.27.4. ના રોજ ઘરે પરત આવી જોતા કોઈ તસ્કરો રૂમનો દરવાજાના નકુચા તોડી, અંદર પ્રવેશી, કબાટ તોડી રોકડ રકમ રૂપિયા 10.000 તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.1 લાખ 90 હજારની મત્તા ઉસેડી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે ડોગ સ્કવોડ અને લોકલ ક્રાઈમ બ્રાંચની મદદ વચ્ચે તસ્કરોના સગડ મેળવવા કવાયત આદરી છે.
અત્રે એ નોંધનીય છે કે જેતપુર શહેરમાં તસ્કરોને હવે પોલીસનો કોઈ ભય હોય તેવું જણાતું નથી. અહી વાહન ચોર ગેંગ, ખિસ્સાકાતરુ ગેંગ અને ઘરફોડ તસ્કર ગેંગ રાત્રીના પેટ્રોલિંગ કરતી હોય પોલીસ ઊંઘતી ઝડપાઈ રહી છે. ત્યારે શહેરીજનો વધુ અસલામતી અનુભવે તે પહેલા નાના ધંધાર્થીઓ અને રેંકડી ચાલકોને ધંધા રોજગાર વગરના કરી મુકનાર એસપી દેસાઈ કાયદો અને વ્યવસ્થાની જેતપુરમાં કથળેલી સ્થિતિ સુધારે તે જરૂરી છે.

કશ્યપ જોશી જેતપુર 9974262812

રવિવાર, 26 એપ્રિલ, 2015

પલટી ટ્રકની :


પલટી ટ્રકની :
જેતલસર થી તત્કાલ હનુમાન જેતપુર જવાના બાઈપાસ પાસે સિંગદાણા ભરેલ એક ટ્રક અકસ્માતે પલટી ખાઈ ગયો હતો. જોકે ડ્રાઈવરે સમયસચુકતા વાપરી કુદકો મારી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.
ફોટો: કશ્યપ જોશી જેતલસર 


સભાસદોને ભેટ અર્પણ !

સભાસદોને ભેટ અર્પણ !
જેતપુરમાં આજે ધી કો. ઓપ.બેંક લી.દ્વારા તેમના થાપણદારો, સભાસદોને મેનેજર વિનુભાઈ સોજીત્રા  સહિતના  સ્ટાફે ભેટ  અર્પણ કરી હતી. (ફોટો: કશ્યપ જોશી)

KASHYAP JOSHI JETALSAR સાંકરોળાના યુવા સરપંચ લગ્ન સમયે લેશે 3 વાતોના શપથ !


સાંકરોળાના યુવા સરપંચ લગ્ન સમયે લેશે 3 વાતોના શપથ !
સ્ત્રીભૃણ હત્યા નહિ  કરું, વ્યસનો મુકાવીશ, 
માતા-પિતાને સદાય સાથે રાખીશ !
(કશ્યપ જોશી) જેતલસર તા.26
નાની વયેજ ગામના મુખી તરીકે ચૂંટાયેલા અને નાની મોટી ફરજો-સેવાઓ માટે કાયમી ખડે પગે રહેનાર સાંકરોળાના યુવાન સરપંચ પ્રવીણભાઈ કરશનભાઈ સોજીત્રા આવતીકાલે ગળથ ખાતે લગ્નગ્રંથીથી જોડાશે ત્યારે ત્રણ વાતોના તેમના સપથ સમાજને રાહ ચિંધનાર નીવડશે તેવું કહેવું ઉચિત  જણાય છે.
   ભેસાણ તાલુકાના સાંકરોળાના ગામના ખેડૂત કરશનભાઈ ધરમશીભાઈ સોજીત્રાના પુત્ર પ્રવીણભાઈ સોજીત્રાના આવતીકાલ તા.28.4.2015 ના રોજ ગળથ(બરવાળા) ખાતે હરસુખભાઈ શંભુભાઈ ડોબરિયાની પુત્રી સોનલબેન સાથે લગ્ન ગોઠવાયા છે. 
ગુજરાત યુનીવર્સીટીમાં પોલીટીક્સ સાયન્સનો અભ્યાસ કરી રહેલા અને સાંકરોળાના વર્તમાન સરપંચ તરીકેની 3 વર્ષની સુપેરે ફરજ-સેવા અદા કરી ચુકેલા પ્રવીણભાઈ  પોતાનો લગ્ન પ્રસંગ અન્યો માટે રાહ ચિંધનારો બની રહે તે માટે ચોરીના ફેરા ફરતા ફરતા 3 વાતો-સેવાના સપથ લેશે ! 
   એક..બેટી બચાવો સરકારના અભિયાનને સમર્થન આપતી વાત એટલેકે...જીવન પર્યત સ્ત્રીભ્રુણ હત્યા નહિ કરું, અને સદાય દીકરો-દીકરીને સમાન ગણીશ., બીજી.. પોતે તો નિર્વ્યસની છે, સાથે સાથે તેમના પરિવારજનો ઉપરાંત  સમસ્ત ગામમાંથી વ્યસનને તિલાંજલી આપવાના સતત પ્રયાસો  કરશે..
જ્યારે ત્રીજી સેવા એ અદા કરશે કે આજે સાંપ્રત સમાજમાં દરેક વર્ગના ઘણા માતા પિતાઓ વૃધ્ધ્શ્રમોમાં પીડાઈ રહ્યા છે, તે વાતનું દુખ બતાવતા આ યુવા સરપંચ કહે છે કે જેમણે તમને પાળ્યા-પોષ્યા ને મોટા કર્યા તે ચાર ધામ સમાન માં-બાપને આવી હાલતમાં મુકવા સંસ્કૃતિના અધઃપતનની વાત ગણાવી પોતે માતા-પિતાને સદાય પોતાની સાથે રાખશે !
   આ ત્રણેય સેવાઓના સપથ પ્રવીણભાઈ ચોરીના ફેરા દરમિયાન લઈને સમાજ તેમજ અન્યોને રાહ ચિંધશે. ત્યારે આ ખેડૂતપુત્ર અને સરપંચ પ્રવીણ સોજીત્રાની સેવા ભાવનાને બિરદાવવી ઉચિત જણાય છે.
બોક્સ: ગામના વિધવાને રાશન અપાશે !!
જેતલસર: સાંકરોલાના સરપંચ પ્રવીણ સોજીત્રાએ એવું પણ જણાવેલ છે કે પોતાના ગામમાં બીમારી સબબ મોતને ભેટલા પતિ પાછળ વિધવા તરીકે જીવન ગાળતા એક ચાર સંતાનોના માતાને બાળકોના લાલન-પાલનમાં થોડી મદદ કરવાના હેતુસર દર મહીને તેમને પુરતું રાશન પહોંચાડવાનો નિર્ણય પણ લગ્નમંડપ વચ્ચે લેવાશે..

ફોટો અને સમાચાર-કશ્યપ જોશી જેતલસર જેતપુર 
9974262812


શનિવાર, 25 એપ્રિલ, 2015

મોટાભાઈને 1 વર્ષની સખત કેદની સજા રૂ.1 હજારનો દંડ ફટકારતી જેતપુરની કોર્ટ

આજથી 9 વર્ષ પહેલા નાનાભાઈ ઉપર ખરપિયા વતી હુમલો કરનાર 
મોટાભાઈને 1 વર્ષની સખત કેદની સજા 
રૂ.1 હજારનો દંડ ફટકારતી જેતપુરની કોર્ટ 
વિરપુરના બે ભાઈઓ વચ્ચે વાડી-ખેતર બાબતે ડખ્ખો થયો હતો.
જેતપુર તા.25
આજથી નવ વર્ષ પહેલા જેતપુરના વીરપુર જલારામ ગામે ખેતરમાં નાના ભાઈ ઉપર હુમલો કરનાર મોટાભાઈને આજે ચાલેલ કેશની સુનાવણી દરમિયાન જેતપુરની કોર્ટે 1 વર્ષની સખત કેદની સજા અને રૂ.1000 નો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળે છે.
આ બાબતે મળી વિગતો મુજબ જેતપુર તાલુકાના વીરપુર જલારામ ગામની સીમમાં વાડી ધરાવતા ખાંટ મોહન ખીમા સરવૈયાના પત્ની શાંતાબેન વાડીમાં કામ કરતા હતા ત્યારે મોહનભાઈનો મોટો ભાઈ મનજીભાઈ ખેતરમાં દોડી આવી, હું આ ખેતરમાં 20 વર્ષથી વાવેતર કરું છું, અહીંથી ભાગી જાઓ તેવું જણાવી બીભત્સ ગાળો બોલવા લાગતા મોહનભાઈએ તેમને સમજાવવા પ્રયત્ન કરેલ, પણ મનજીએ ઉશ્કેરાઈ જઈ નાનાભાઈ મોહન ઉપર લોખંડના ખરપિયા વતી હુમલો કરતા તે વખતે જેતપુર તાલુકા પોલીસમાં ફ.ગુના રજી. નંબર 105/06 થી 323,324,504,506(2) મુજબ મનજી સરવૈયા સામે ગુનો નોંધાયો હતો.
દરમિયાન પોલીસે તહોમતદાર વિરુદ્ધ તમામ પુરાવાઓ સાથે જેતપુર ની કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા, મેઈન જ્યુડી.મેજી.ફ.ક. ડી.જે. રાજપૂતે સાહેદોના સાક્ષી પુરાવાઓ ધ્યાને લઇ, સરકારી વકીલ ડી.બી.પંચાલની દલીલો ગ્રાહ્ય રાખી આઈપીસી ની કલમ 324 ના ગુનામાં એક વર્ષ ની સખત કેદ અને રૂ.1000 નો દંડ અને દંડ નાં ભારે તો વધુ એક માસની સજા ફટકારતો હુકમ કર્યો હતો. માત્ર સામાન્ય હુમલાની આ ઘટનામાં સજાનો ચુકાદો જાહેર થતા વારંવાર વાડી ખેતરોમાં શેઢા તકરારો કે ઝગડાઓ કરવા ટેવાયેલા શખ્શોમાં ભયનો માહોલ સર્જાયો છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

વીરપુર ના ફોજદારો જોશી-મોરીની કામગીરી 
ઓલપાડના ધારાસભ્યની છબી ખરડાય તેવી પત્રીકાના 
સુત્રધ્ધાર એવા શેરડી-કનોજફળીનો સરપંચ પકડાયો !
જેતપુર તા.25
સુરત સ્થિત ઓલપાડના ધારાસભ્યને બદનામ કરવા અનેકવિધ આક્ષેપોવાળી પત્રિકા માર્કેટમાં તરતી મૂકી, નાસતા ફરતા ઓલપાડ પંથકના એક સરપંચને  વીરપુર જલારામ પોલીસના બંને નવા ફોજદારો જોશી-મોરીએ પકડી પાડી સુરત પોલીસને સોંપ્યા હોવાની વિગતો મળી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ સુરતના ઓલપાડ બેઠકના ધારાસભ્યની છબી ખરડાય તેવા આક્ષેપોવાળી પત્રિકા વહેતી કરવા સબબ ઓલપાડ તાલુકાના શેરડી-કનોજફળી ગામના સરપંચ જસવંત ડાયા પટેલ સામે ગુનો નોંધાયો હતો. દરમિયાન નાસ્તો ફરતો આ સરપંચ વિરપુરના કોઈ ગેસ્ટ હાઉસમાં રોકાયો હોવાની વીરપુર પોલીસના બે ફોજદારો જોશી અને મોરીને બાતમી મળતા આ બંને ફોજ્દારોએ સ્ટાફને સાથે રાખી જસવંતને દબોચી લઇ સુરત પોલીસ તરફ મોકલી દીધો છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812 

જેતપુરમાં સોમવારે ઉર્ષનું આયોજન

જેતપુરમાં સોમવારે ઉર્ષનું આયોજન 
જેતપુર તા.27
જેતપુરના મદીના યંગ ગ્રુપ, બહારપુરા મસ્જીદ તથા શામીશાહ મસ્જિદના યુવાન કાર્યકરો દ્વારા આગામી તા.27.4. ને સોમવારે ઉર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.
અહીના એમજી રોડ પર આવેલ અંજુમન મેમણ જમાત મેદાનમાં કરાયેલા આ ઉર્ષના કાર્યક્રમમાં સુન્ની દાવતે ઇસ્લામીના પ્રખ્યાત સૈયદ અમીનુલ કાદરી(માલેગાંવ) ના તકરીરનો કાર્યક્રમ યોજાશે. અહી  વર્ગ માટે અલાયદી વ્યવસ્થા કરાઈ હોય, હિંદુ-મુસ્લિમ બિરાદરોએ ઉર્ષનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

દાગીના ભરેલું પર્સ ગઠીયો ઉઠાવી જતા

જેતપુરના બસસ્ટેન્ડમાં આંગળીના ઈલમીઓનું સામ્રાજ્ય !
સ્ટેશન વાવડીની યુવતીની નજર ચૂકવી રૂપિયા 70 હજારના દાગીના ભરેલું પર્સ ગઠીયો ઉઠાવી જતા પોલીસમાં ફરિયાદ 
જેતપુર તા.25
જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં છેલ્લા દોઢેક મહિના થયા આંગળીના ઈલમીઓ  ધામા નાખી પડ્યા હોય તેમ ચાર મુસાફરોના ગજવા હળવા, તેમજ ડોક અળવી થયાના બનાવો બન્યા છે.
અગાઉ 3 બનાવોની ફરિયાદો યેનકેન પ્રકારે પોલીસમાં નોંધાઈ નથી. જયારે ગઈ કાલે તાલુકાના સ્ટેશન વાવડી ગામની એક યુવતીને ગઠીયો ભટકી ગયો હોય તેમ રૂ.70 હજારના સોનાના દાગીના ભરેલું પર્સ કોઈ ઉઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવવી છે.
જે બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામે રહેતી તૃપ્તિબેન આહીર  શહેરમાં હતાનું કરી પોતાના ગામ પરત જવા જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં આવી હતી.
દરમિયાન વડીયા રૂટની બસમાં ચડવા જતા તેણીના થેલામાંથી સોનાના દાગીના ભરેલ પર્સ કોઈ ગઠીયો સેવી ગયાનું માલુમ પડતા તૃપ્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા અનુસાર પર્સમાં સોનાની 4 વીંટી, એક ચેઈન અને એક પેડલ તથા મોબાઈલ હતા. જે ગઠીયો સેરવી ગયો હતો. પોલીસે યુવતીની ફરિયાદ પરથી તપાસ છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

શુક્રવાર, 24 એપ્રિલ, 2015

જેતપુરના એસટી બસસ્ટેન્ડમાંથી મહિલાનું સોનું ભરેલા પર્સની ઉઠાંતરી પોલીસની વિગતો આપવામાં રીતસરની સંતાકૂકડી !!




જેતપુરના એસટી બસસ્ટેન્ડમાંથી મહિલાનું સોનું ભરેલા પર્સની ઉઠાંતરી 
પોલીસની વિગતો આપવામાં રીતસરની સંતાકૂકડી !!
જેતપુર તા.24
જેતપુરના એસટી બસ સ્ટેન્ડમાંથી આજે એક મહિલાનું હજારો રૂપિયાનું સોનું ભરેલું પર્સ કોઈ આંગળીનો ઈલમી ઉઠાવી જતા મહિલાએ દેકારો કરી મુક્યો હતો. બીજીબાજુ આ બનાવની વિગતો આપવામાં પોલીસે સાંજના 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી સંતાકૂકડી રમવાનું ચાલુ રાખતા વિગતો મળવા પામી નથી.
જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં છેલ્લા એક મહિના થયા ખિસ્સાકાતરુ ગેંગ ધામા  નાખી બેઠી છે. અહી આવનારા અનેક મુસાફરો રોજબરોજ લુંટાઈ રહ્યા છે. છેલ્લા એક મહિના દરમિયાન 2 મુસાફરોના ગજવા હળવા થયાના તેમજ એક મહિલાની ડોક અળવી થઇ હોવાની ઘટનાઓ બની ગઈ છે. આ ત્રણેય બનાવોની ફરિયાદો થઇ નથી. તે વાતમાં અમુક ઘટનામાં પોલીસની બીકથી ફરિયાદો નથી થઇ.
જ્યારે આજે એક મહિલાનું સોનું ભરેલું એક પર્સ કોઈ આંગળીનો ઈલમી સેરવી ઉઠાંતરી કરી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પણ સાંજના 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી કોણ જાણે પોલીસને શું રમત સુજી કે સંતાકૂકડી વચ્ચે આ બનાવની વિગતો ના આપીને બનાવને ઢાંકવાનો પ્રયાસ કરતા પત્રકાર આલમમાં રોષ ફેલાયો છે.
સાંજના 5 થી 9 વાગ્યા દરમિયાન આ બનાવની વિગતો માટે કરાયેલા 5 ફોન દરમિયાન ફોન ઉપાડનાર પીએસઓ કે અન્ય પોલીસમેનોએ એવાજ જવાબો આપ્યા હતા કે સ્ટેશન ડાયરી સાહેબ પાસે પડી છે, રોલકોલ નો સમય છે, કલાક પછી ફોન કરો.
સમી સાંજની આ ઘટના રાત્રીના તો નોંધાઈ પણ તેની વિગતો દબાવવામાં પોલીસને કઈ કમજોર કડી નડી ગઈ તે તપાસનો વિષય છે.
અત્રે એ નોંધનીય છે કે છ મહિના પહેલા પણ જેતપુર ના બંને પોલીસસ્ટેશનોમાં પત્રકારોને માહિતી આપવામાં ફરજ પરના કે અન્ય ફોન ઉઠાવનારા પોલીસમેનો આડા અવળા અને ઉડાઉ જવાબો આપીને મહત્વના બનાવોની વિગતો છુપાવતા હોય, શહેરના અમુક પત્રકારોએ રાજકોટ જીલ્લા પોલીસ વડાને રજુઆતો કરતા થોડો સમય વિગતો સારી અપાતી હતી. પણ હવે પાછી વિગતો આપવામાં શહેર પોલીસમાં ધાંધિયા શરુ કરાતા પત્રકારોમાં રોષ છવાયો છે.

KASHYAP JOSHI JETPUR JETALSAR-9974262812


KASHYAP JOSHI - AKSMAT SRP JAVANNU MOT..ચોકી સ્થિત SRP ટ્રેનીંગ સેન્ટરના આસિસ્ટન્ટ ડ્રિલ ઈન્સ્ટ્રકટરનું મોત

 જેતલસર પાસે વિચિત્ર અકસ્માત, કારને હડફેટે લઇ ડમ્પર કાર ઉપર  પલટી જતા 
ચોકી સ્થિત SRP ટ્રેનીંગ સેન્ટરના આસિસ્ટન્ટ ડ્રિલ ઈન્સ્ટ્રકટરનું મોત
SRP જવાન પ્રતાપભાઈ ખુમાણ ઘંટેસ્વર ગ્રુપ-13-રાજકોટથી ચોકી ડેપ્યુટેશન પર મુકાયા હતા. માદરે વતન એવા અમરેલી        જીલ્લાના લુવારીયા ગામે તેમજ SRP ટ્રેનીંગ સેન્ટરમાં શોકનો માહોલ..ભાઈ-બહેને પિતાની છત્રછાયા ગુમાવી !
(કશ્યપ જોશી) જેતલસર તા.24
આજે સવારે એક ડમ્પર ચાલકે જેતલસર નજીક ચોકી સોરઠના એક એસઆરપી જવાનની કારને હડફેટે લીધા બાદ ડમ્પર કાર ઉપર પલટી જતા એસઆરપી જવાનનું કરુણ મોત થયું હતું.

વિચિત્ર અકસ્માતની મળતી વિગતો મુજબ આજે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ  જેતલસરના જંકશન રોડ પાસે જેતપુર તરફથી  પુરપાટ આવતા સિમેન્ટની કાંકરી ભરેલા જીજે 9વાય 6138 નંબરના ડમ્પર ચાલકે જુનાગઢ તરફથી આવતી જીજે 6 એબી 8648  નંબરની મારુતિ ઝેનને હડફેટે લીધા બાદ આ ડમ્પર તે જ કાર ઉપર પલટી જતા કાર માચીસની જેમ ચકદાઈ ગઈ હતી.

આવા  સમયે કારમાં બુરી રીતે ઘવાયેલા કાર ચાલકને લોહી લુહાણ હાલતમાં સાંકળીના મુકેશભાઈ લશ્કરી અને  જેતલસરના સેવાભાવીઓએ સરકારી  એમ્બ્યુલન્સ મારફતે  જેતપુર સરકારી  હોસ્પીટલે પહોચાડ્યા હતા. પણ કાર ચાલકને ફરજ પરના  મહિલા તબીબ નીકીતાબેન  પડીયાએ મૃત જાહેર કરેલ..
બીજીબાજુ તાલુકા  પોલીસના ફોજદાર આર.એન.કરમતિયા, ગૌત્તમ ત્રિવેદી વી. પોલીસ સ્ટાફે મૃતકની અંગજડતી લેતા,  મળી આવેલ આઈકાર્ડ, પાનકાર્ડ  પરથી બહાર આવ્યું હતું કે મૃતક ચોકી સોરઠ સ્થિત એસઆરપી ટ્રેનીંગ સેન્ટરના આસીસ્ટંટ ડ્રીલ ઈન્સ્ટ્રકટર ( એડીઆઈ) પ્રતાપભાઈ દડુભાઈ ખુમાણ (ઉ.વ.37) રહે. લુવારીયા ગામ, જીલ્લો અમરેલીના હતા. 
દરમિયાન બનાવની જાણ પરથી એસઆરપી ટ્રેનીંગ સેન્ટરના પીઆઈ મકવાણા, પીએસઆઈ રાણા, પીએસાઈ કાથડ, એએસઆઈ જાડેજા સહિતનો કાફલો જેતપુર સરકારી દવાખાને દોડી આવી સહકર્મચારીને મૃત હાલતમાં જોતાજ તમામ ભાંગી પડ્યા હતા.
હોસ્પિટલ ખાતે એસઆરપી અધિકારીઓ તેમજ સહ કર્મચારી ગોહિલ વિગેરે જણાવેલ કે પ્રતાપભાઈ મૂળ રાજકોટ સ્થિત એસઆરપી કેમ્પસના ઘંટેશ્વર ગ્રુપ-13 ના એડીઆઈ હતા. પણ તેઓને ડેપ્યુટેશન ઉપર ચોકીના એસઆરપી ટ્રેનીંગ સેન્ટરમાં નોકરીમાં હતા. 
મૃતક ત્રણ ભાઈઓમાના સૌથી નાના ભાઈ હતા, સંતાનમાં એક પુત્ર ત્રીજું ધોરણ ભણે છે, તેમજ એક પુત્રી એચકેજીમાં અભ્યાસ કરે છે. મૃતક એસઆરપી જવાન પાછળ માતા, પિતા, પત્ની અને બે સંતાનોને વિલાપ કરતા છોડી ગયા છે. 

બોક્સ: પાંચમાં અકસ્માતમાં પ્રતાપભાઈ કાળનો કોળીયો બની ગયા !!
જેતલસર : જેતપુર હોસ્પીટલે દોડી આવેલ ચોકી એસઆરપીના ગોહિલભાઈ સહિતના સહકર્મીઓએ ભીની આંખે જણાવેલ કે પ્રતાપભાઈ ખુમાણના અત્યાર સુધીમાં જુદા જુદા ચાર વાહનો કે જે તેમના મિત્રો બહાર ફરવા લઇ ગયા હોય અને અકસ્માતો થતા ગાડીના કાગળો માટે દોડધામ કરતા, અગાઉના ચાર અકસ્માતી વાહનો બદલી આ પાંચમી ઝેન કાર લઈને આજે પોતે ચોકીથી જેતપુર જવા નીકળ્યા ત્યારે જેતલસર નજીક કાળમુખા ડમ્પરની ટક્કરે અમારા સહકર્મીની જીંદગી ખલ્લાસ કરી નાંખી !!
સમાચાર અને ફોટો કશ્યપ જોશી જેતલસર જેતપુર 99742 62812


KAMLESH RAAVRAANI SULTAANPUR

Kamlesh raavraani SULTAANPUR

ગુરુવાર, 23 એપ્રિલ, 2015

APANG-ANDH-MANDBUDHDHI SEVA - KASHYAP JOSHI JETPUR

જેતપુરમાં અંધ-અપંગ-નિરાધારો-મંદબુદ્ધિના બાળકો માટે 
મફત રહેવા-જમવાની સેવા કરતુ 
માં ખોડલ વિકલાંગ સેવા ટ્રસ્ટ !!
(કશ્યપ જોશી ) જેતલસર  તા.23
સેવા અનેક પ્રકારની થતી કે કરાતી હોય છે. પણ કુદરતની લાઠીનો ભોગ બનેલા અને સાંપ્રત સમાજમાં પ્રથમ દ્રષ્ટીએ તિરસ્કાર પામનારા માણસ જીવોની સેવા એ ઉત્તમ સેવા ગણી શકાય..
બસ આવાજ શુભાશય સાથે જેતપુર શહેરમાં માં ખોડલ વિકલાંગ સેવા ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ શરુ કરાયેલ સેવાની શહેરીજનોમાં પ્રશંશા થઇ રહી છે.
આ બાબતે માહિતી આપતા આ ટ્રસ્ટના પ્રમુખ હરેશભાઈ સી. રાંક જણાવે છે તેઓના ટ્રસ્ટ દ્વારા જેતપુરમાં ગુજરાતીની વાડીના ભાવિકનગરમાં આવેલ શ્રીપાર્કના  બ્લોક નંબર 12 ખાતે અંધ, અપંગ, અને નિરાધારો માટે બિલકુલ મફત રહેવા તેમજ જમવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. મંદ બુદ્ધિના બાળકોને પણ અહી સ્થાન આપવાનું આયોજન છે, પણ માનવીને કુદરતે બક્ષેલી જીવનની રોજીંદી ક્રિયાઓ - લઘુશંકા તેમજ ગુરુશંકા સ્વમેળે કરી શકે તેવા જ મંદ બુદ્ધિના બાળકોને પ્રવેશ અપાશે.
આ મફત સેવાનો લાભ લેવા ઈચ્છતા અંધ, અપંગ , નિરાધાર અને મંદ બુદ્ધિના બાળકોના વાલી-વારષોએ ટ્રસ્ટ પ્રમુખ હરેશભાઈ રાંક(9727573446) તથા ઉપપ્રમુખ ગોવિંદભાઈ(7043572901)  નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

કશ્યપ જે.જોશી  જેતલસર જેતપુર 9974262812

બુધવાર, 22 એપ્રિલ, 2015

જીલ્લા પોલીસવડાની કડક કામગીરી જમાદાર ચાવડાને સસ્પેન્ડ કરતા ચકચાર

વિરપુરના પો.જમાદારને ભરખી જતું ક્રિકેટ સટ્ટા પ્રકરણ !
જીલ્લા પોલીસવડાની કડક કામગીરી 
જમાદાર ચાવડાને સસ્પેન્ડ કરતા ચકચાર 
જેતપુર તા.22
જેતપુર તાલુકાના પીઠડીયા ગામે તાજેતરમાં ક્રિકેટ પર ખેલાતો સટ્ટો પકડવા પામતા આ  વાતમાં જીલ્લા પોલીસવડાએ  બેદરકાર જમાદાર વરજાંગભાઈ ચાવડાને સસ્પેન્ડ કરી દેતા ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ ચાર દિવસ પહેલા જેતપુરના પીઠડીયા ગામે આઈપીએલ ક્રિકેટ પર ખેલાતા સટ્ટા પર ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ બ્રાંચે છાપો મારી વાડી માલિક સહીત 5 ને સવા લાખ રૂપિયાના મુદામાલ સાથે ઝડપી લેતા સંબંધિત તમામ પોલીસની નીંદ હરામ થઇ ગઈ હતી.
બીજીબાજુ કામગીરી ક્ષેત્રે કે આંખ મીચામણા વચ્ચે આવો ક્રિકેટ પર ખેલાતો સટ્ટો પકડાતા કડક કામગીરીના ભાગરૂપે જીલ્લા પોલીસ વડે વીરપુર પોલીસના સંબંધિત પોલીસ જમાદારને આ  જુગાર પરત્વે બેદરકાર માની સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ચકચાર જાગી છે. સસ્પેન્શનની નોટીસ બજવણીમાં વીરપુર પોલીસના ફોજદાર જાડેજા રોકાયા હોવાનું ફોન ઉપાડનાર રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
સમાચાર - કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812

AAVEDAN KASHYAP JOSHI JETPUR JETALSAR

પાલિકાની વિકાસના કામો પ્રત્યે ઘોર ઉદાસિનતાના વિરોધમાં 
જેતપુરમાં વોર્ડ-8 ના પ્રજાજનોએ પ્રતિક ઉપવાસ કરી 
પાલિકાસુત્રોને આપ્યું આવેદન : અનશન આંદોલનની ચીમકી 
જેતપુર તા.22
જેતપુર શહેરમાં વોર્ડ નંબર-8 માં પ્રજાકીય વિકાસના કામો પરત્વે સદંતર નિષ્ફળ ગયેલ પાલિકા સુત્રોની નીતિ-રીતી સામે ખુદ  વોર્ડના મહિલા સદસ્યા ચેતનાબેન મનોજભાઈ પારઘીએ પ્રજાજનોને સાથે રાખી, પાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ  યોજી,પાલિકા સુત્રોને એક આવેદન પાઠવી અણઉકેલ પ્રશ્નો હલ નહિ કરાય તો અનશન આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.
આવેદનમાં ફરિયાદ કરાઈ છે કે વોર્ડ-8 માં ખોડિયાર મંદિર સામેના અવેડા નજીકનો બંધ સબમર્સીબલ પંપને ચાલુ કરવા અનેક વખત લેખિત-મૌખિક ફરિયાદો કરી છે, છતાં સંબંધિતો આ બાબતે જાણી જોઇને ચલક ચલાણું રમતા હોય, પ્રજા કાળઝાળ ઉનાળામાં પાણી વગર ભટકે છે.
આ વોર્ડમાં આઝાદી પછી પણ રોડ-રસ્તાઓની હાલત સુધારાતી નાં હોય, કાચા-ધુલિયા રસ્તાઓથી પ્રજા ત્રાસી ગઈ છે. ખોડિયાર મંદિર વાળા વિસ્તારમાં પાણીની નવી પાઈપ લાઈનો નંખાઈ છે, પણ  મુખ્યલાઈનમાં  જોઈન્ટ આપવામાં તંત્રને છ મહિના થયા કોઈ સારું ચોઘડિયું મળતું નથી !  સ્ટ્રીટ લાઈટો નવી નાંખવાની માંગણી તો સ્વીકારાતી રાતી નથી, પણ બંધ છે તે રીપેર કરાતી ના હોય, રાત્રીના મહિલાવર્ગને કાયમ ભય ઓઢી હરવું ફરવું પડે છે.
આવેદનમાં ચેતનાબેન પારધીએ એવી પણ માંગ દોહરાવી છે કે, પાલિકા દ્વારા સેનિટેશન, પવડી અને વોટરવર્કસ શાખાઓ  અંતર્ગત ક્યાં ક્યાં  કોન્ટ્રાકટો અને કેટલા સમય માટે અપાયા છે તે  લેખિતમાં આપો.

 બોક્સ: મહિલા સદસ્યાનો  ખુલ્લો પડકાર,  
લોકમંચ પર આવો, ગેરરીતી સાબિત કરી  આપું !
જેતપુર :  પાલિકાના મહિલા સદસ્યા સદસ્યા  ચેતના પારઘીએ લેખિતમાં પાલિકાસુત્રો અને ચીફ ઓફિસરને ખુલ્લો પડકાર કરતા જણાવેલ છે કે લોકમંચ  ઉપર આવો, પાલિકામાં ચાલતા અને ચલાવાતા ભાસ્ત્રાચારને સાબિત કરી આપું અને જો આમ ના થાય તો રાજીનામું  આપી દઉં ! ત્યારે પાલિકાસુત્રો હવે આ વિસ્તારની પ્રજાની સમસ્યા હલ કરશે કે  કેમ ? તે સમય જ બતાવશે.. 
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812