અનુયાયીઓ

મંગળવાર, 7 મે, 2013

રાજકોટ ગ્રામ્ય, જિલ્લા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવો બનવા ન પામે તે માટે શ્રી એ.બી.ગોર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લો, રાજકોટે એક હુકમ

રાજકોટ

ચાલુ માસમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં પરશુરામ જયંતિની ઉજવણી થનાર છે તેમજ વિવિધ રાજકીય પક્ષો દ્વારા જુદા-જુદા પ્રશ્ને આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવે છે, તે ધ્યાને લેતાં સમય દરમ્યાન રાજકોટ ગ્રામ્ય, જિલ્લા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવો બનવા પામે તે માટે શ્રી એ.બી.ગોર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લો, રાજકોટે એક હુકમ પ્રસિધ્ધ કરી તા. ૩૧-૫-૧૩ સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે.

        હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવા પર કે ધકેલવા પર અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા પર, જેનાથી સુરુચિ અથવા નીતિઓનો ભંગ થાય, તેવા ભાષણ કરવા પર તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા પર તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ, પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા પર તથા બતાવવા પર અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ મૂકયો છે.

પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેરની હકુમત સિવાયના રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં પ્રતિબંધ લાગુ પડશે જે અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યથા પ્રતિબંધનો ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે.

ભરૂચમાં તા.૧૫થી તા.૨૫ મે આર્મી ભરતી મેળો યોજાશે

રાજકોટ

રાજકોટ અમદાવાદ સ્થિત આર્મી રિક્રુટિંગ ઓફિસ દ્વારા ભરૂચમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા.૧૫થી તા.૨૫ મે દરમિયાન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોલ્જર જનરલ ડ્યુટી, ક્લાર્ક, ટેકનિકલ, નર્સિંગ આસિસ્ટન્ટ સહિતના વિભાગો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ભરતી મેળામાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના યુવાનો ભાગ લઇ શકશે. આ માટેની વધુ વિગતો માટે જિલ્લા રોજગાર કચેરીનો અથવા અમદાવાદની આર્મી રિક્રુટિંગ ઓફિસનો સંપર્ક સાધવા જણાવાયું છે. આ કેમ્‍પની જરૂરી વિગતો તાલીમ અને રોજગાર કચેરીના વેબસાઇટ www.talimrojgar.org ઉપરથી પર વિગતો જાણી શકાશે.

 


                    

                             

 

સુભાષનગરના ગુમ થયેલ પ્રૌઢ વિષે પત્તો આપવા સૂચના

રાજકોટ

રાજકોટના સુભાષનગર ખાતે રહેતા ૫૦ વર્ષના પ્રૌઢ ભરતભાઇ લાલજીભાઇ કોરાટ ગત તા.૩.૫.૨૦૧૩ના રોજ સવારે ૫.૦૦ વાગ્‍યે પોતાના ઘરેથી કોઇને કંઇ કહયા વગર જતા રહયા છે. મધ્‍યમ બાંધાના, વાને શ્‍યામવર્ણના પાંચ ફુટ છ ઇંચ ઉંચાઇ ધરાવતા આ ભાઇએ ગ્રે પેન્‍ટ અને શર્ટ પહેર્યા છે. અને આજ દિન સુધી ઘરે પાછા ફર્યા નથી. તેમનાં અંગે માહિતી મળે તો રાજકોટ શહેરના ભક્તિનગર પોલિસ સ્‍ટેશનને ૦૨૮૧-૨૩૯૧૦૫૮ નંબર પર જાણ કરવા જણાવાયું છે.

 

 

ભગવતીપરાનો તરુણ ખોવાયો

રાજકોટ

રાજકોટના ભગવતીપરા ખાતે રહેતો ૧૬ વર્ષનો તરૂણ પ્રૌઢ દિપુભાઇ લાલુભાઇ લોહાર ગત તા.૨૮.૪.૨૦૧૩ના રોજ બપોરે ૨.૦૦ વાગ્‍યે પોતાના ઘરેથી કોઇને કંઇ કહયા વગર જતા રહયા છે. પાતળા બાંધાના, વાને ઘઉંવર્ણના આ તરૂણે લાઇનીંગવાળું શર્ટ અને બ્‍લેક પેન્‍ટ પહેર્યા છે. અને આજ દિન સુધી ઘરે પાછા ફર્યા નથી. તેમનાં અંગે માહિતી મળે તો રાજકોટ શહેરના બી ડિવિઝન પોલિસ સ્‍ટેશનને ૦૨૮૧-૨૨૩૦૬૩૭ નંબર પર જાણ કરવા જણાવાયું છે.

 

                                                         

 

આશાપુરાનગરની ગુમ થયેલ યુવતી વિષે પત્તો આપવા સૂચના

રાજકોટ

રાજકોટના આશાપુરાનગર ખાતે રહેતી ૩૧ વર્ષની યુવતી સોનલબેન કિરીટભાઇ મકવાણા ગત તા.૨૯.૪.૨૦૧૩ના રોજ સાંજે ૭.૦૦ વાગ્‍યે પોતાના ઘરેથી કોઇને કંઇ કહયા વગર જતા રહયા છે. મધ્‍યમ બાંધાની, વાને શ્‍યામવર્ણની પાંચ ફુટની ઉંચાઇ ધરાવતી આ યુવતીએ જાંબલી કલરનો ડ્રેસ પહેર્યો છે. અને આજ દિન સુધી ઘરે પાછી ફરી નથી. તેમનાં અંગે માહિતી મળે તો રાજકોટ શહેરના ભક્તિનગર પોલિસ સ્‍ટેશનને ૦૨૮૧-૨૩૯૧૦૫૮ અથવા મોબાઇલ નંબર ૯૪૨૬૯૯૮૭૯૨ પર જાણ કરવા જણાવાયું છે.

 

                                                         


                    

 

 

                             

લોકસભા/વિધાનસભા પેટા ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્‍ધ

 

આદર્શ આચારસંહિતાની આજથી અમલવારી

અધિકારી/કર્મચારીઓની બઢતી, બદલી અને રજા પર પાબંદી

 

 

રાજકોટ

આજે ભારતના ચૂંટણી પંચે ગુજરાત રાજયમાં યોજાનાર પોરબંદર, જેતપુર તથા ધોરાજી લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે જાહેરનામું પ્રસિધ્‍ધ કરેલ છે.

        તદઅનુસાર પોરબંદર લોકસભા બેઠક તથા રાજકોટ જિલ્‍લાની જેતપુર અને ધોરાજી- વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી તા.૨ જુને યોજવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલ કાર્યક્રમ મુજબ આદર્શ આચારસંહિતાનો સમગ્ર રાજકોટ જિલ્‍લામાં અમલ કરવા તાકિદ કરેલ છે. જે અનુસાર બઢતી, બદલી અને રજાઓ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત સરકારી કાર્યક્રમો, વિકાસકામોના ઉદઘાટનો, ખાતમુહૂર્ત અને નવા વિકાસ કામની જાહેરાત કરવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવેલ છે તેમ જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી રાજકોટ દ્વારા જણાવાયું છે.

 

અમરનાથ યાત્રાનો એન્‍સાઇકલોપીડિયા

એટલે જીતુભાઇ લખતરીયા

યાત્રા અંગેની તમામ બાબતો અંગેનું તલસ્‍પર્શી અને

અનુભવસિધ્‍ધ જ્ઞાન અધરી યાત્રાને સહેલી બનાવવામાં મદદરૂપ

રાજકોટ

હિંદુ ધર્મમાં યાત્રા, તીર્થાટન અને ભ્રમણનો અનેરો મહિમા છે. બાર જયોતિર્લિંગ, ચાર ધામ, પશુપતિનાથ અને બાબા અમરનાથની યાત્રા સમગ્ર જીવન દરમ્‍યાન કરવાની દરેક હિંદુની મહેચ્‍છા હોય છે. આ તમામ યાત્રા પોતપોતાની રીતે અઘરી તો છે જ, પણે એટલે જ આ યાત્રાઓનો મહિમા પણ અનેરો છે.

       આવા જ એક યાત્રાપ્રેમી છે-રાજકોટના શ્રી જિતુભાઇ લખતરીયા. ૧૯૯૬ની સાલથી દર વર્ષે તેઓ તેમના પરિવાર સાથે અમરનાથની યાત્રા તો કરે જ છે. ઉપરાંત, જીતુભાઇ અમરનાથ યાત્રાના માર્ગમાં ભંડારો ખોલી યાત્રાળુઓની સેવા તદ્દન વિના-મૂલ્‍યે કરે છે. જયાં સુધી અમરનાથ યાત્રા પુરી ન થાય ત્‍યાં સુધી તેઓ આ ભંડારામાં નિવાસ કરી યાત્રિકોની તકલીફો નિવારવામાં જીજાનથી મચી પડે છે. બરફના થર પર લોખંડની પાટ નાખી જાતે અગવડ વેઠીને પણ તેઓ હજારો યાત્રાળુઓની યાત્રા સુગમ બનાવે છે. રાજયના મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જીતુભાઇને પ્રમાણપત્ર આપીને તેમની સેવાને બિરદાવી છે.

       વધુ ને વધુ લોકો બાબા અમરનાથની યાત્રા કરે અને તમામ યાત્રાળુઓને અમરનાથ યાત્રા અંગે જરૂરી તમામ પ્રકારની માહિતી મળી રહે, યાત્રિકોને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે, તે માટે શ્રી જિતુભાઇ લખતરીયાએ સ્‍વ-ખર્ચે ''અમર આસ્‍થા'' નામની બુકલેટ પ્રકાશિત કરી છે, જેમાં અમરનાથનું ધાર્મિક મહત્‍વ, ટ્રેઇનો અંગેની તમામ માહિતી, હેલીકોપ્‍ટરમાં યાત્રા કરવી હોય તો તે અંગેની જાણકારી યાત્રા દરમ્‍યાન સાથે રાખવાની જરૂરી વસ્‍તુઓની યાદી, યાત્રા દરમ્‍યાન ધ્‍યાનમાં રાખવાની બાબતો, યાત્રાના ભયસ્‍થાનો તથા અમરનાથ યાત્રા અંગેની છેલ્‍લામાં છેલ્‍લી હકીકતોનું બખૂબી વર્ણન કરવામાં આવ્‍યું છે. બાબા અમરનાથની યાત્રા કરવા માગતા સૌ કોઇ માટે આ બુકલેટ અતિ ઉપયોગી માહિતી પુરી પાડે છે. આ બુકલેટ મેળવવા તથા બાબા અમરનાથની યાત્રા અંગે કોઇ પણ પ્રકારની જાણકારી મેળવવા માટે શ્રી જીતુભાઇ લખતરીયા મો.નં.૯૯૦૪૨૨૪૮૧૯નો સંપર્ક સાધી શકાય છે.

 

 

ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીની થયેલી જાહેરાત

આદર્શ આચાર સંહિતાનો આજથી અમલ

રાજકોટ ભારતીય ચૂંટણી આયોગ નવી દિલ્‍હી દ્વારા ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચુંટણી યોજવાની આજરોજ તા. ૩-૫-૨૦૧૩ના રોજ જાહેરાત કરવામાં આવેલ છે. આ પેટા ચૂંટણી માટે તા. ૨-૬-૨૦૧૩ના રોજ મતદાન યોજાનાર છે.  આ ચૂંટણીમાં રાજકીય પક્ષો-ઉમેદવારો માટેની આદર્શ આચારસંહિતા સમગ્ર રાજકોટ જીલ્‍લામાં આજ તા. ૩-૫-૨૦૧૩થી અમલમાં આવેલ છે.

        ચૂંટણીમાં રાજ્ય સરકારના, પંચાયતોના સ્‍થાનિક સ્‍વરાજ્ય સંસ્‍થાઓ, બોર્ડ નિગમો વગેરેના વર્ગ-૧ થી લઇને વર્ગ-૪ સુધીના કર્મચારીઓની સેવાઓ ચૂંટણીના કામે ઉપલબ્‍ધ કરવી જરૂરી હોય, ચૂંટણી કામગીરી સંબંધમાં અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ તેમજ બદલી પર પ્રતિબંધ માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.

        ચૂંટણી દરમ્‍યાન સત્તાધારી પક્ષોને મદદરૂપ થાય તેવા હેતુથી રાજકીય સમાચારોને અને સિધ્‍ધિઓને પ્રચારની જાહેરાત વર્તમાનપત્રો તથા અન્‍ય પ્રચાર માધ્‍યમો દ્વારા સરકારી ખર્ચે જાહેરનાણા દ્વારા ન કરવામાં આવે તેમજ સરકારી માધ્‍યમોનો દુરુપયોગ ન થાય તે જોવાનું રહેશે.

        પ્રાથમિક, માધ્‍યમિક શાળાઓ, કોલેજોના તેમજ શિક્ષણ આપતા સંકુલોના મકાનો કે સ્‍થળનો રાજકિયપક્ષના ઉમેદવાર, ટેકેદારને કેન્‍દ્ર-રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ દ્વારા સામાન્‍ય સંજોગોમાં રાજકિય પ્રવૃત્તિ માટે ઉપયોગ કરી શકશે નહીં.

મંત્રીશ્રીઓ અને બીજા સત્તાધિકારીઓ કે સત્તાધારીના પક્ષની તરફેણમાં મતદારો પર વગ વધારે તેવા હેતુસર કોઇપણ રૂપમાં કોઇપણ જાતની નાણાકિય ગ્રાંટ અથવા તેના વચનોની જાહેરાત કરી શકશે નહીં. કોઇપણ વિકાસકામોના લોકાર્પણ-શિલારોપણ વિધિ કરી શકાશે નહીં. તેમજ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાના વચનો આપી શકાશે નહીં.

આ પેટા ચૂંટણી માટે જાહેર થયેલ કાર્યક્રમ અનુસાર નોટીફીકેશન તા. ૮-૫-૨૦૧૩ના રોજ બહાર પડશે, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્‍લી તારીખ ૧૫-૫-૨૦૧૩ તથા ઉમેદવારીપત્રો ચકાસણીની તા. ૧૬-૫-૨૦૧૩ અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તા. ૧૮-૫-૧૩ અને મતદાન તા. ૨-૬-૨૦૧૩ને રવિવારના રોજ સવારના ૮-૦૦ વાગ્‍યાથી સાંજના ૫-૦૦ કલાક સુધી થશે. તેમજ મતગણતરી તા.૫ જૂન ૨૦૧૩ના કરાશે.

આજે અધિક જિલ્‍લા કલેકટર શ્રી એ.બી. ગોરની અધ્‍યક્ષતામાં રાજકિય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને આદર્શ આચારસંહિતાના નિયમો, કાયદાઓ વિગેરેથી તેમને માહિતગાર કરાયા હતા. આ બેઠકમાં નાયબ પેટા ચૂંટણી અધિકારીશ્રી કેતનભાઇ ઠકકર અને સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહયા હતા.

 

ધોળકા શહેરમાં રૂા.58 કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહુર્ત કરતાં મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અંદાજે એક લાખ લોકોને યોજનાનો લાભ મળશે

ધોળકા શહેરમાં રૂા.58 કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું

ખાતમુહુર્ત કરતાં મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ

અંદાજે એક લાખ લોકોને યોજનાનો લાભ મળશે

મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે રૂા.58 કરોડના ખર્ચે નિર્માણ થનાર ધોળકા શહેરની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહુર્ત તથા વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતાં.

મહેસુલ મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, આ યોજનાથી ધોળકા શહેરના અંદાજે એક લાખ નાગરિકોને સ્‍વસ્‍થ આરોગ્‍ય મળવાની સાથોસાથ ખેડૂતોને પણ આર્ગેનીક ખાતર તથા પાણી પ્રાપ્‍ત થશે અને પાકની ઉપજમાં પણ વધારો થશે. જે ખેડૂતોના જીવનમાં નવો ઉજાસ લાવશે. મંત્રીશ્રીએ આ પ્રસંગે ધોળકાના લોકોને અને ખાસ કરીને મહિલાઓ યુવા દિકરીઓ, સગર્ભા મહિલાઓને રાજ્‍ય સરકારની સહાય લઇ શૌચાલયની સુવિધા પ્રાપ્‍ત કરવા ખાસ અનુરોધ કર્યો હતો.

મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે યુવકો અને યુવતીઓને તાલીમનું મહત્‍વ સમજાવતાં વધુમાં જણાવ્‍યું હતું કે, ''ઉમીદ''ના કાર્યક્રમોની તાલીમ લઇ તથા કૌશલ્‍યવર્ધન કેન્‍દ્રોનો ઉપયોગ કરી        યુવક-યુવતીઓને શહેરના ઉદ્યોગ ધંધા-રોજગારમાં પદાર્પણ કરવું જોઇએ જેનાથી બેરોજગારીની સમયસ્‍યાનું મહ્‌દ અંશે નિરાકરણ આવશે.

મહેસુલ મંત્રીશ્રીને આંગણવાડીઓની જરૂરિયાત પર ખાસ ભાર મુકી જણાવ્‍યું હતું કે, બાળકો જે આવતીકાલના નાગરીકો છે તેમને સંસ્‍કાર સહ ભોજન મળે તેવી સરકારની આ યોજનાથી એક તંદુરસ્‍ત નાગરીકનું નિર્માણ થાય છે જે રાષ્‍ટ્રના સર્વાંગી વિકાસમાં ખૂબ જ જરૂરી છે.

મંત્રીશ્રીએ ઇમ્‍પેકટ ફી કાયદાનો લાભ લઇ પોતાનું બાંધકામ નિયમીત કરી શહેરના નાગરિકોને નગરપાલિકાના વિકાસમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો.

શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહજી ચુડાસમાએ રાજ્‍ય સરકારની જુદી જુદી શહેર વિકાસની યોજનાઓની માહિતી આપી. ધોળકા નગરપાલિકાના વિકાસકામોની વિસ્‍તૃત જાણકારી આપી હતી. વિકાસના એક પણ કામ બાકી ન રહે તેવો સંકલ્‍પ દોહરાવતા મંત્રીશ્રીએ નાગરિકોને વિકાસના કામોમાં રાજ્‍ય સરકારને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

પ્રારંભમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઇ દેસાઇએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું. ચીફ ઓફીસર શ્રી અશોકભાઇ પંડયાએ આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્‍ય સર્વ શ્રી બાબુભાઇ પટેલ, શ્રી લાલજીભાઇ મેર, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઇ પટેલ, અગ્રણી શ્રી કમાભાઇ રાઠોડ સહિત મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ તથા નગરજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતાં.

 

 

 

 

સાયબર કાફેના સંચાલન અંગે જાહેરનામું બહાર પડાયું

સાયબર કાફેમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવાનાં રહેશે

આતંકવાદીઓ તેમના કૃત્‍યોને કોમ્‍પ્‍યુટર નેટવર્ક દ્વારા અંજામ આપે છે. સીમી જેવી પ્રતિબંધિત સંસ્‍થા તથા ભયજનક વ્‍યકિતઓ સંભવિત હરકતો માટે કોમ્‍પ્‍યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે. સાયબર કાફે ચલાવવા માટેનું લાયસન્‍સ કલેકટર કચેરી દ્વારા આપવામાં આવે છે તેથી સાયબર કાફેમાં નિયમોનું પાલન કરવામાં આવે, રાષ્‍ટ્રીય સુરક્ષા માટે આતંકવાદીઓ તથા તેને લગતી માહિતી કે હેરફેર માટેની પોલીસ તંત્રને માહિતી મળી શકે તે માટે પોલીસ કમિશનરશ્રી, અમદાવાદની હકુમત સિવાયના અમદાવાદ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ચાલતા સાયબર કાફે પર નિયંત્રણો જરૂરી હોઇ અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ, અમદાવાદ દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્‍યું છે.

આ જાહેરનામામાં સાયબર કાફેમાં આવતાં દરેક વ્‍યકિતની રજિસ્‍ટરમાં હસ્‍તાક્ષર, પુરૂષનું ડાબા હાથનું અંગુઠાનું અનેસ્ત્રીનું જમણા હાથનું નિશાન લેવાં, તેમની ઓળખ, ફોન નંબર, મોબાઇલ નંબર, સરનામુ, પરીચીતનું નામ, સરનામું સાયબર કાફેના રજિસ્‍ટરમાં નોંધવામાં આવે તે જરૂરી છે.

આ સિવાય સાયબર કાફેમાં આવતા દરેક વ્‍યકિતની ઓળખકાર્ડની નકલ સાયબર કાફેના દફતરમાં રાખવાની રહેશે. જેને લાયસન્‍સ આપ્‍યું છે તેના સિવાય અન્‍ય કોઇ સાયબર કાફેનું સંચાલન કરી શકશે નહીં. સાયબર કાફેની શાખા અન્‍ય સ્‍થળે હોય તો તેના મેનેજર/સંચાલકનું નામ, સરનામું, સંપર્ક નંબરની લેખિત માહિતી નિયત પત્રક-અ માં સંબંધિત પોલીસ સ્‍ટેશન, સંબંધિત સબ-ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ તથા એકિઝક્‍યુટીવ મેજિસ્‍ટ્રેટને ફરજિયાત આપવાની રહેશે.

આ સિવાય સાયબર કાફેમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવાના રહેશે. સાયબર કાફેમાં અધિકૃત અધિકારી તપાસણી કરવા આવે તો તેને તપાસ કરવા દેવાની રહેશે.

આ જાહેરનામું તા.30-5-2013 સુધી અમલમાં રહેશે તેનો ભંગ કરનાર વ્‍યકિત શિક્ષાને પાત્ર ઠરશે. તેવું જાહેરનામું શ્રી કે.કે.દુધાત, અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ, અમદાવાદ દ્વારા બહાર પાડવામાં આવ્‍યું છે.

 

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા બેટી વધાવો અભિયાન અંતર્ગત સ્ત્રી જન્મદર ઓછો ધરાવતા સરપંચોનું સંમેલન યોજ્યું

ગર્ભપરીક્ષણની ગૃપ્ત માહિતી  તંત્રને આપવા માટે સરપંચશ્રીઓને સન્માનીત અને પ્રોત્સાહીત કરાશે-કલેકટરશ્રી એચ.એન.ઠક્કર

સેકસ રેશિયો સૌથી વધું હોય તેવા ગામોના સરપંચોને સન્માનીત કરાશે                                     -કલેકટરશ્રી એચ.એન.ઠક્કર

બેટી વધાવો અભિયાન અંતર્ગત સરપંચશ્રીઓ,અધિકારીશ્રીઓ ,પદાધિકારીશ્રીઓએ પ્રતિજ્ઞા લીધી

મહેસાણા જિલ્લા આરોગ્યતંત્ર  તેમજ યંગસીટીઝન ગુર્પના સહયોગથી બેટી વધાવો અભિયાન અંતર્ગત જિલ્લાના નવ તાલુકાઓમાં સૌથી ઓછો સ્ત્રી જન્મદર ધરાવતા જિલ્લાના ૮૦ સરપંચશ્રીઓનું સંમેલન યોજી તેમને માર્ગદર્શીત કર્યા હતા. મહેસાણા જિલ્લામાં ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે સેક્સ રેશીયો માત્ર ૯૨૫ આવ્યો છે.સતત ઘટતા જતા સ્ત્રી જન્મદર એ સામાજિક સમસ્યા છે. આ સમસ્યા માત્ર કાયદાઓ બનાવવાથીજ નહી પરંતું સામાજિક જાગૃતિથી નિરાકણ આવી શકે છે  તે હતુથી સરપંચ સંમેલન યોજાવામાં આવ્યું હતું

મહેસાણા જિલ્લામાં વર્ષ ૨૦૧૧-૧૨માં ૪૬,૮૩૩ સર્ગભાઓ સ્ત્રીઓની નોંધણી કરવામાં આવી હતી.જેમાંથી૪૦૪૪૩ સ્ત્રીઓની પ્રસુતિ નોંધણી થઇ છે,બાકીની ૬૩૯૦ સ્ત્રીઓનો તફાવત આવેલછે.તેવીજ રીતે ૨૦૧૨-૧૩ માં ૪૬૭૫૭ સર્ગભા સ્ત્રીઓની નોંધણી કરવામાં આવી હતી.જેમાંથી ૩૮,૭૪૯ સ્ત્રીઓની પ્રસુતિની નોંધણી થઇ છે.જેમાં ૮૦૦૮ સ્ત્રીઓનો તફાવત આવેલો છે.આ તફાવસ સીધી રીતે ઓછા સ્ત્રીજન્મદરનું કારણ બન્યો છે.

 

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા બેટી વધાવો

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.એન.ઠક્કરે જણાવ્યું હતું કે માત્ર કાયદાથી સામાજિક જાગૃતા આવી શકે તેમ નથી આ માટે સમાજિક જન અભિયાન ચલાવવાની જરૂર છે.. જિલ્લામાં ભૃણહત્યા ,ગર્ભપરીક્ષણ કરાવતા દાક્તરો સમાજ સામે કાળી ટીલી સમાન છે.આવા ડોક્ટરો સામે સ્ટીંગ ઓપરેશન કરવા તંત્ર તમામ  પ્રકારનો સહયોગ આપશે  તેમ જણાવ્યુંહતું

.આ ઉપરાંત ગામડાઓમાં પણ આ પ્રકારના  દાકતરોના વચેયટીયાઓ છે આ વચેટીયાઓને ઓળખીને તેમની સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.આ ઉપરાંત ગામમાં આશા કાર્યકર બહેનો પણ સરપંચશ્રીઓને તમામ માહિતી આપશે તે પ્રકારનો પરિપત્ર કરવામાં આવશે તેમ જણાવ્યુંહતું.તેમને વધુમાં જણાવ્યું હતું કે દિકરીનો જન્મ થાય ત્યારે જેલબી નહી પણ પેંડા વેચીએ.તંત્ર દ્વારાપણ બેટી જન્મે તેમના માતા પિતાને પ્રશંસનીય પત્ર આપવામાં આવે છે.તેમજ  આર્થિક રીતે પણ મદદ થાય તે માટેની વિચારણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ્ં.

જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી વિષ્ણુંભાઇ પટેલે સુંદર રીતે બેટી બચાવો અભિયાનઅંતર્ગત સરપંચશ્રીઓને માર્ગદર્શન આપ્યુહતું.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લક્ષ્મીબેન ઠાકોર,જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી ભગવાનભાઇ ચૌધરી, યંગસીટીઝનના આયશાબેન પટેલ,યંગસીટીઝનના અમરભાઇ વ્યાસે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

આ સંમેલનમાં સરપચંશ્રીઓ,તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ ,પદાધિકારીશ્રીઓ,હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યોહતો.

 

જાતિય ગર્ભપરીક્ષણ અધિનિયમ ૧૯૯૪ ની સમજ 

ગર્ભધારણ પછી અને જન્મ પહેલાં જાતિય પરિક્ષણના પ્રતિબંધ અધિનિયમ ૧૯૯૪ અને તે પછી થયેલા સુધારો કરવામાં આવ્યા છે.કલમ-૫ અન્વયે સ્ત્રીની લેખિત સમંતિ સિવાય સોનાગ્રાફી કરાવી શકાય નહી.

કલમ ૦૬ મુજબ કોઇ પણ કેન્દ્ર અલટ્રાસોનોગ્રાફી સાહિત્યનું ગર્ભમાંની જાતિ જાણવા માટે હાથ ધરી શકશે નહી.કલમ ૧૭ અન્વયે આ અધિનિયમના અમલીકરણ માટે સત્તા અધિકારી તથા સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે.આ અધિનિયમના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવાની સત્તા અધિકૃત અધિકારીશ્રીનેઆપવામાં આવી છે.

કલમ ૧૯ અન્વયે નોંધણીનું પ્રમાણપત્ર સ્થળે દેખાઇ એવા ભાગમાં મુકવાનું રહેશે.કલમ ૨૨ મુજબ જાતિ પરીક્ષણ કરાવવા અન્વયે ત્રણ વર્ષ સુધીની કેદનીસજાઅને રૂપિયા ૧૦ હજાર સુધીનો દંડ થઇ શકે છે.તે પછી કોઇ ગુનેગાર ઠરે તો પાંચ વર્ષ સુધીની કેદ અને ૫૦ હજાર સુધીનો દંડ થઇ શકે છે.અદાલત દ્વારાતહોમતનામું ફરમાયેલ હોયતો કાઉન્સિલના રજિસ્ટરમાંથી તેનું નામ દુર કરવામાંઆવેછે.

કલમ ૨૪ મુજબ ગર્ભવતી સ્ત્રીને કોઇ પણ વ્યક્તિ જાતિ પરીક્ષણ કરવા માટે દબાણ કરેતો મદદગારી માટે પણ સજાને પાત્ર ગણાશે.કલમ ૨૭ મુજબ દરેક ગુનો પોલીસ અધિકારનો,બિનજામીનપાત્ર અને બિનસમાધાની હોય છે.કલમ ૨૯ અન્વયે તમામ રેકોર્ડસ,ફોર્મસ,રીપોર્ટસ,સમંતિપત્રો અન તમામ દસ્તાવજો નિર્દિષ્ટ કરાયા મુજબના સમયગાળા માટેજાળવવાનો હોય છે.

       

પાટણ યુનિવર્સિટી ખાતે રંગભવનમાં તા. ૦૮/૦૫/૧૩ના રોજ

રક્ષા શક્તિ યુનિવર્સિટી આયોજીત સેમિનાર "સુરક્ષા ક્ષેત્રમાં કારકિર્દીનું નિર્માણ"

ગુજરાત સરકાર દ્વારા સમાજમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી, શાંતિ અને સુસંવાદિતતા સુનિશ્ચિત કરવા માટે સક્ષમ તાલીમબધ્ધ વ્યવસાયિક માનવ શક્તિ પુરી પાડવા માટે રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરેલ છે. આ યુનિવર્સિટીના હેતુ, ઉદે્શો અને અભ્યાસક્રમ, પ્રવેશ પ્રક્રિયાની માહિતી માટે યુનિવર્સિટી દ્વારા "સુરક્ષા ક્ષેત્રમાં કારકિર્દીનું નિર્માણ" સેમિનારનું આયોજન તા. ૦૮/૦૫/૨૦૧૩, બુધવારના સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ કલાક, રંગભવન, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ મુકામે કરેલ છે. આ સેમિનારમાં ધોરણ-૧૨ તથા ગ્રેજયુએટ/સ્નાતક વિદ્યાર્થીઓ તથા વાલીઓ તેમજ નાગરિકોને ઉપસ્થિત રહેવા રક્ષા શક્તિ યુનિવર્સિટીના જિલ્લા કોર્ડિનેટરની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

 

શાળા આરોગ્ય કાર્યક્રમ યોજનાથી કોટના કનકસિંહ ઠાકોરને જીવનનું નવું આશાનું કિરણ દેખાયું

સિધ્ધપુર તાલુકાના કોટ ગામે ખેતમજુરી કરી ગુજરાન ચલાવતા અમરતબેન અને ગુલાબસિંહ ઠાકોરનો પરિવાર કિલ્લોલ કરતો હતો. તેમના ઘરમાં કનકસિંહ નામનું નાનકડા ફુલનું આગમન થયું. આ ખીલતા ફુલ પર કુદરત રૂઠી. બે વર્ષની ઉંમરે નાનકડા કનકસિંહને સતત તાવ આવવા માંડયો. પ્રાઇવેટ દવાખાનાઓમાં સારવાર અપાવવા છતાં તાવ ઉતરતો નહોતો. તપાસ કરતાં માલુમ પડયું કે નાનકડા દીકરાને લોહીનું કેન્સર છે. તેને વારંવાર લોહી ચડાવવું પડતું હતું. નહીંવત આવક સામે સારવારનો ખર્ચ ઘણો વધી ગયો. અને પરિવાર હતાશ થઇ ગયો.

કોટ ગામની આંગણવાડી બેન દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમમાં કનકસિંહની આરોગ્ય તપાસ કરવામાં આવી. કનકસિંહના માતા-પિતાને જાણ કરી કે આ બાળકની સારવાર વિનામુલ્યે સરકાર કરશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ભલામણથી કનકસિંહની સારવાર અમદાવાદની એમ.પી.શાહ કેન્સર હોસ્પીટલ ખાતે ચાર વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી. આ સારવારથી આર્થીક રીતે પરિવારને ઘણી જ રાહત થઇ.

કનકસિંહના પિતા ગુલાબસિંહે કહયું કે, પૈસાના અભાવે મારા દીકરાની સારવાર કરાવી શકત નહીં. મારું ફુલ કયારનુંય કરમાઇ ગયું હોત. મારા પુત્રની સારવાર ચાલુ છે. ઘણી વખત લોહી બદલવું પડે છે. તેની તબિયત સુધારા પર છે. હાલમાં અમારા બાળક માટે જીવનદાનનું નવું આશાનું કિરણ દેખાય છે. હાલમાં ધોરણ-૩માં અભ્યાસ કરે છે.

કનકસિંહને મળેલ જીવતદાન એ શાળા આરોગ્ય કાર્યક્રમને આભારી છે. ગંભીર રોગવાળા બાળકોની સારવારમાં ભુતપૂર્વ આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણભાઇ વ્યાસનો પણ સારો સહયોગ મળ્યો છે.આવા ગંભીર રોગથી પીડાતા બાળકોની મેડીકલ તપાસ કરાવી બાળકોને રોગમુકત બનાવીએ.

 

જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ ગણોત હકકે જમીન મેળવનાર ખેડુતોને જમીનની ખરીદ કિંમત ભરપાઇ કરવા માટે તાલુકે તાલુકે ખાસ ઝુંબેશ તા. ૭મી મેથી શરૂ કરાશે. 

ગાંઘીનગર જિલ્‍લાના જે ખેડૂત ખાતેદારોને ગણોત હક્કે જમીન મળી હોય અને ખરીદ કિંમત ભરપાઇ કરવાની બાકી હોય તેવા ખેડૂત ખાતેદારો માટે જિલ્‍લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ ખરીદ કિંમત સ્‍વીકારવાની ઝુંબેશ જિલ્‍લાના વિવિઘ તાલુકાઓમાં તા. ૭ થી ૧૦મી મે, ૨૦૧૩ દરમ્યાન યોજાનાર છે. આ ઝુંબેશમાં આવા ખેડૂત ખાતેદારો પોતાની ખરીદ કિંમત ભરી શકશે.

જે કોઇ ખેડૂત ખાતેદારોને ગણોત હકકે જમીન મળી હોય અને તેઓની ખરીદ કિંમત આજદિન સુઘી ભરપાઇ કરવામાં આવી નથી, તેવા ખેડૂત ખાતેદારો માટે રાજય સરકાર શ્રી દ્વારા તા. ૩૧/ ૦૮ /૨૦૧૩ સુઘીમાં ખરીદ કિંમત ભરપાઇ કરવાની મુદત વઘારવામાં આવી છે. ગાંઘીનગર જિલ્‍લામાં ગણોત હકકે જમીન મળી હોય તેવા ખેડૂતોને આવી રકમ ભરપાઇ કરવા જિલ્‍લા કલેકટર શ્રી બી.જે.ભટ્ટના માર્ગદર્શન હેઠળ તાલુકે તાલુકે આવી રકમ ભરપાઇ કરવાની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. જેમાં તા. ૭ મી મે- ૨૦૧૩ના રોજ કલોલ તાલુકામાં, તા. ૮મી મે- ૨૦૧૩ના રોજ ગાંઘીનગર તાલુકામાં, તા. ૯મી મે- ૨૦૧૩ના રોજ દહેગામ તાલુકામાં અને તા. ૧૦મી મે- ૨૦૧૩ના રોજ માણસા તાલુકામાં ગણોત હકકે જમીન મેળવનાર ખેડૂતો પોતાની રકમની ભરપાઇ કરી શકશે, તેવું જમીન સુઘારણા નાયબ કલેકટર શ્રી ગુણંવતસિંહ સોંલકીએ જણાવ્યું છે.

વઘુમાં નાયબ કલેકટરશ્રીએ જણાવ્યું છે કે, ખરીદ કિંમત ભરપાઇ કરવાની બાકી હોય તેવા ખેડૂત ખાતેદારોની યાદી દરેક તલાટી કમ મંત્રીશ્રી તેમજ મામલતદાર અને કૃષિપંચશ્રીની કચેરીએથી જોઇ શકશે. જે ખેડૂત ખાતેદારોની ખરીદ કિંમત તા. ૩૧/૦૮/૨૦૧૩ સુઘીમાં ભરપાઇ નહીં થાય, તેવા કિસ્સામાં જમીન સરકારશ્રી હસ્‍તક લેવાની કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્‍લામાં ગણોત હકકે જમીન મેળવનાર ખેડૂત ખાતેદારોને નિયત સમયમાં જમીનની ખરીદ કિંમત ભરવાની બાકી હોય તો સત્વરે આ ઝુંબેશમાં ભરી દેવા પણ જમીન સુઘારણા નાયબ કલેકટરશ્રીએ જણાવ્યું છે.

 

 

 

 

જાતિગત-આર્થિક ઉચ નીચના ભેદભાવ મિટાવવા સમૂલગ્ન જેવા કાર્યક્રમો યોજવા ખૂબ આવશ્‍યક છેઃ મંત્રીશ્રીમતિ આનંદીબેન પટેલ

જાતિગત-આર્થિક ઉચ નીચના ભેદભાવ મિટાવવા સમૂલગ્ન જેવા કાર્યક્રમો યોજવા

ખૂબ આવશ્‍યક છેઃ મંત્રીશ્રીમતિ આનંદીબેન પટેલ

સૂરતઃ સહારા માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટ-વાડી દ્વારા સૂરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે આજરોજ આયોજીત સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં ૨૧૧ જેટલા નવદંપતિઓએ લગ્નબંધને બંધાઈ પ્રભુતામાં પગલા માંડયા હતા.

સમાજમાં પ્રવર્તમાન જાતિગત-આર્થિક ઉચ નીચના ભેદભાવ મિટાવવા આ પ્રકારના સંસ્‍કારયુકત સમૂલગ્ન જેવા કાર્યક્રમો યોજવાની ખૂબ આવશ્‍યકતા છે.

ઉપર મુજબ રાજયના મહેસૂલ, માર્ગ-મકાન વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજરોજ માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે સહારા માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટ-વાડી દ્વારા આયોજીત સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમારોહ-૨૦૧૩ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા જણાવ્‍યું હતું.

સમાજના સંપન્ન પરિવારો પોતાના સંતાનોના લગ્નો સમૂહલગ્નના કાર્યક્રમમાં યોજી સમાજમાં ઉચનીચની ખાઈ પુરે તેવી અપેક્ષા વ્‍યકત કરતા શ્રીમતિ આનંદીબેન પટેલે આ સમૂહલગ્ન સમારોહમાં લગ્નબંધને બંધાયેલ નવદંપતિઓને પરસ્‍પર વિશ્વાસ ભરોસો રાખી દામ્‍પત્‍ય જીવનને સુમધુર બનાવવાની શીખ પણ આપી હતી.

મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને રાજય સરકારે આદિજાતિ માટે શિક્ષણના દ્વારો ખોલ્‍યા છે ત્‍યારે અત્રે લગ્નગ્રંથીથી જોડાનાર નવદંપતિ પોતાનો અભ્‍યાસ અધુરો ન છોડે અને વાલીઓ તેમનો અભ્‍યાસપૂર્ણ કરાવે તેવી અપેક્ષા પણ તેમણે વ્‍યકત કરી હતી.

આદિજાતિના સર્વાંગી ઉત્‍કષાર્થે પોતાનું અત્‍યાર સુધીનું જીવન ખર્ચનાર અને આ ખૂબ જ  અધરૂ કાર્ય આ વિસ્‍તારમાં મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, તેમના બંધુ શ્રી અમરસિંહ વસાવા અને વસાવા પરિવાર કરી રહ્યો છે. તેમાં દાતાઓનો હરહંમેશ સહયોગ મળ્‍યો છે. તેને સરાહતા મંત્રીશ્રીમતિ આનંદીબેન પટેલે આદિજાતિ ઉત્‍કર્ષના આ યજ્ઞકાર્યમાં સૌ સહયોગી બને તેને આવકારદાયક ગણાવી આયોજકોને, સુંદર વ્‍યવસ્‍થા બદલ તેમની ટીમને બિરદાવતા નવદંપતિઓને શુભ કામનાઓ આપી હતી.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષશ્રી આર.સી.ફળદુએ વનવાસીક્ષેત્રમાં વનવાસી સમાજ વિશે-તેમના વિકાસની ચિંતા કરી કાર્યો હાથ ધરવા અને ભવિષ્‍યની ભાવિપેઢીના હિતાર્થે લાભદાયક તમામ કાર્યો હાથ ધરવા બદલ સહારા માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટને સર્વપ્રથમ અભિનંદન આપતા ટ્રસ્‍ટે સમાજના ઉત્‍કર્ષની એક મિશાલ ઉભી કર્યાનું જણાવ્‍યું હતું.

સમાજ ઉત્‍થાનના વિવિધ પ્રકલ્‍પો સહારા માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટ-વાડી દ્વારા ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે અને આદિજાતિના યુવાનોમાં રહેલી ક્ષમતાઓને ઉજાગર કરી તેને પ્‍લેટફોર્મ પુરુ પાડવાનું, ગરીબ ખેડૂતોના આર્થિક ઉત્‍થાન માટે ૧૧(અગિયાર) હજાર ગાયોનું વિતરણ, ખેતકામ માટે ૦૪(ચાર) હજાર બળદની જોડીઓ આપવી, ગરીબોના, વિકલાંગોના જીવનમાં આરોગ્‍યલક્ષી સેવાઓ જેવી માનવતાલક્ષી ટ્રસ્‍ટની સેવાકીય સમાજલક્ષી પ્રવૃતિઓને પણ શ્રી ફળદુએ બિરદાવી હતી.

મુખ્‍યમંત્રીશ્રી સમાજ જીવનના તમામ વર્ગો-ક્ષેત્રોની ત્રુટિઓ દુર કરી સમાજના સર્વાંગી વિકાસના દ્વારો ચોતરફથી ખુલે અને ભાવિ પેઢી પણ સુખી-સંપન્ન બને તેવી દીર્ધદ્રષ્‍ટિથી કાર્ય કરી રહ્યા છે તેમ જણાવતા શ્રી ફળદુએ નવદંપતિઓને મંગલમય દામ્‍પત્‍ય જીવનની શુભેચ્‍છાઓ આપી હતી.

સાંસદ(રાજયસભા) શ્રી ભરતસિંહ પરમારે આદિજાતિ માટેની રાજય સરકારની સંવેદનશીલ વનબંધુ કલ્‍યાણ યોજનાનો લાભ લેવા આદિજાતિ સમાજને અનુરોધ કરી સહારા માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટ-વાડીની સમાજલક્ષી સેવાઓને બિરદાવતા નવદંપતિઓને શુભકામનાઓ આપી હતી.

કાર્યક્રમ પ્રારંભે વન-પર્યાવરણ, આદિજાતિ વિભાગના મંત્રીશ્રી અને સમૂહલગ્નના સંયોજક એવાશ્રી ગણપતસિંહ વસાવાએ સૌને આવકારતા સહારા માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટ-વાડી દ્વારા કરાતી ગૌસેવા-ગૌદાન, રમત-ગમત પ્રોત્‍સાહન, સંત મેળાવડા આયોજન, વિકલાંગ સહાય, સમૂહલગ્ન, આરોગ્‍ય સેવા, અન્ન દાન, વષાદાન, શૈક્ષણિક સેવા અને આફત સમયે રાહતકાર્ય જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની ટુંકમાં વિગતો આપી હતીે

આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, પૂર્વ ડી.એસ.પી.શ્રી અમરસિંહ વસાવા અને ટ્રસ્‍ટ-વાડીના પ્રમુખશ્રી રીતેશભાઈ વસાવાના હસ્‍તે સમૂહલગ્નના મુખ્‍ય દાતાઓને પુષ્‍પગૂચ્‍છ અર્પણ કરી શાલ ઓઢાડી સન્‍માન કરાયું હતું.             

આ પ્રસંગે ઉપસ્‍થિત કેવલજ્ઞાન પીઠ ગુરુગાદી સારસાપુરીના આચાર્યશ્રી અવિચલદાસજી, કડોદરા સ્‍વામી નારાયણમંદિરના મહંતશ્રી કે.પી.શાષાીજી, શ્રી કબીર મંદિર-વડોદરાના મહંતશ્રી પ્રિતમદાસજી, ભાથીજી સંપ્રદાય-વાડીના મહારાજશ્રી ગોવિંદભાઈ મધુદાસે નવદંપતિઓને આર્શીવચન આપ્‍યા હતા.

આ સમૂહલગ્ન સમારોહમાં પાણી-પુરવઠા રાજયમંત્રીશ્રી નાનુભાઈ વાનાણી, સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ,  ધારાસભ્‍યો સર્વશ્રી જનકભાઈ બગદાણાવાળા, ઈશ્વરભાઈ પરમાર, અજયભાઇ ચોકસી, પ્રફુલ્લભાઇ પાનસેરીયા, આર.સી.પટેલ, અરૂણસિંહ રાણા, મુકેશભાઈ પટેલ, કાંતિભાઈ ગામીત, કનુભાઇ દેસાઈ, પિયુષભાઈ દેસાઈ, જિલ્લા કલેકટરશ્રી જય પ્રકાશ શિવહરે, તાપીના કલેકટરશ્રી રંજીથકુમાર જે., જિલ્લા વિકાસ અધિકારી(તાપી)શ્રી ઉપાધ્‍યાય, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી સુરેશભાઇ પટેલ, પૂર્વ સાંસદશ્રી કાનજીભાઈ પટેલ, વર-વધુના વાલીઓ જિલ્લા/તાલુકા પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્‍યામાં ભાઈઓ-બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

ઝંખવાવ ખાતે આયોજીત સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમારોહ-૨૦૧૩માં દાતાઓએ લાખોના દાનની સરવાણી વહેવડાવીઃ

સૂરતઃ  સહારા માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટ વાડી દ્વારા માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે આયોજીત સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમારોહ-૨૦૧૩માં ૨૧૧ જેટલા નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયાં હતા. આ પ્રસંગને દિપાવતા અનેક મહાનુભાવઓએ લાખોના દાનની સરવાણી વહાવી હતી.

સમૂહલગ્નમાં હિમતભાઈ ખેની, જેન્‍તીભાઈ ઝરીવાલા, પ્રમોદભાઈ ચૌધરી, જયશેભાઈ દેસાઈ, મુકેશભાઈ પટેલ, કેપ્‍ટન નયુમ સૈયદ, રાજુભાઇ પાઠક, માનસિંગભાઈ પટેલ, શિવલાલ ગોહિલ, મિલનભાઈ ચોકસી, નિતેશભાઈ મૌવા, વિમલભાઇ જૈન,  પંકજભાઈ ગોપાણી, વિકાસભાઈ મિત્તલ, અશોકભાઈ ખૈની, પ્રદિપભાઈ જુનૈઝા, રાધેશ્‍યામગર્ગ, દિપટ્રસ્‍ટ નાની નરોલી, દુશ્‍યતભાઈ ત્રિવેદી, વિપુલભાઈ દેસાઈ, સુરેન્‍દ્રસિંહજી, હરેશભાઈ સાકરિયા જેવા અનેક મહાનુભાવોએ આ સમૂહલગ્નમાં દાનની સરવાણી વહાવી હતી. જયારે ગાયત્રી પરિવારે સમૂલગ્ન પ્રસંગે નિઃશુકલ સેવા બજાવી હતી.

 ડાઉન લોડ કરી શકાશે.

 

આગામી ૮મીએ ઔદ્યોગિક વિસ્‍તાર હજીરા ખાતે મોકડ્રીલ યોજાશેઃ

સૂરતઃ નેશનલ ડીઝાસ્‍ટ્રાર મેનેજમેન્‍ટ ઓથોરીટી અને ડીસ્‍ટ્રીક ડીઝાસ્‍ટર અને ઔદ્યોગિક એકમો હજીરા દ્વારા તા.૮મીએના રોજ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ મોકડ્રીલ નિવૃત બિગ્રેડીયર ડો. બી.કે.ખન્નાના માર્ગદર્શન હેઠળ યોજાશે. તેઓશ્રી તા.૬/૫/૧૩ના રોજ નવી દિલ્‍હીથી સુરત એરપોર્ટ ખાતે સાંજે ૫.૪૦ વાગે આવશે. અને તા.૮/૫/૧૩ના રોજ  રાત્રે ૮.૦૦ વાગે દિલ્‍હી જવા રવાના થશે.

 

વ્‍યારા નગરપાલિકા પ્રમુખ/ઉપપ્રમુખ ચૂંટણી સંદર્ભે ૭મીએ તરણકુંડ ખાતે બેઠક યોજાશેઃ

સૂરતઃ તાપી જિલ્લાા વ્‍યારા નગરપાલિકાની પ્રમુખ/ઉપપ્રમુખ ચૂંટણી સંદર્ભે સામાન્‍ય બેઠક તા.૭/૫/૧૩ના રોજ સવારે ૧૧.૦૦ વાગે તરણકુંડ વ્‍યારા ખાતે રાખવામાં આવી છે.

આ બાબતે ચુંટાયેલા તમામ ચુંટાયેલા સભ્‍યોને નોટિસ દ્વારા જાણ કરવામાં આવી છે. તેમજ સ્‍થાનિક નોટિસ બોર્ડ પણ પ્રસિધ્‍ધ કરવામાં આવી છે. ચૂંટણી સંદર્ભે નાયબ કલેકટરશ્રી વ્‍યારા પ્રાંત-વ્‍યારા જિલ્લો તાપીની પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ સંદર્ભે પ્રમુખ અને ઉપપ્રમુખની ઉમેદવારીની ઈચ્‍છા ધરાવનાર સભ્‍યોએ ઉમેદવારી પત્ર ભરી પ્રિસાઈડીંગ ઓફિસરની સમક્ષ રજુ કરવાના રહેશે.

 

નર્મદા જિલ્લામાં તા.૧૪ મી મે થી તા.૩૧ મી મે દરમિયાન યોજાનારા કૃષિમહોત્સવ અંતર્ગત ૭૦ ગામોમાં ૪ જેટલા કૃષિરથ પરિભ્રમણ કરશે

રૂ|.૩૦૭.૫૪ લાખના ખર્ચની ૧૬૦૯૨ લાભાર્થીઓને કૃષિ-બાગાયત-પશુપાલનની કિટસનું થનારૂ વિતરણ :

૮૦ હજાર પશુધનને રસીકરણ અને ૮૦૦ પશુઓને કૃત્રિમ બીજદાન કરાશે

ધરતીપુત્રો, પશુપાલકોને યોજનકીય કિટસના વિતરણ સાથે કૃષિ વૈજ્ઞાનિકો  દ્વારાઆધુનિક ખેત પધ્ધતિ અંગે માર્ગદર્શન આપી ધરતીપુત્રોના પ્રશ્નોનું નિરાકરણ કરાશે

જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉજવણીની પૂર્વ તૈયારીઓને અપાઇ રહેલો આખરી ઓપ

રાજપીપલાઃ આગામી તા.૧૪ મી મેથી તા.૩૧ મી  મે, ૨૦૧૩ દરમિયાન યોજાનારી રાજ્ય કૃષિ મહોત્સવની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ આ કૃષિ મહોત્સવને અસરકારક અને પરિણામદાયક બનાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરના માર્ગદર્શન તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી એસ.છાકછુઆકની રાહબરી હેઠળ આ ઉજવણીના આયોજનની પૂર્વ તૈયારીઓને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યોં છે.

નર્મદા જિલ્લામાં કૃષિ મહોત્સવ- ૨૦૧૩ ની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી એસ.છાકછુઆક જિલ્લાના કૃષિ-બાગાયત, પશુપાલન, સિંચાઇ, મત્સ્ય, વન અને આદિજાતી વિભાગ વગેરે સહિતના જિલ્લા વહિવટીતંત્રના લાઇન ડિપાર્ટમેન્ટના વિવિધ વિભાગોના સંકલન ઉપર દેખરેખ રાખી રહ્યાં છે અને આ ઉજવણી દરમિયાન લાભાર્થી ધરતીપુત્રો ખાસ ઉપસ્થિત રહે તે જોવા અને ઉપસ્થિત રહેનાર લાભાર્થીઓને જ કૃષિ, બાગાયત, પશુપાલન સહિતના અન્ય વિભાગની યોજનાકીય સહાયના કિટસનું વિતરણ થાય તેની ખાસ કાળજી રાખવા અમલીકરણ અધિકારીઓને સુચના અપાઇ છે.

નર્મદા જિલ્લામાં તા.૧૪ મી મે થી તા.૩૧ મી મે, ૨૦૧૩ સુધી કૃષિ મહોત્સવની ઉજવણી દરમિયાન જિલ્લાના નાંદોદ અને તિલકવાડા તાલુકા પંચાયતની ૧૮-૧૮ તેમજ  ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની ૧૭-૧૭ બેઠકો મુજબના જિલ્લાના કુલ ૭૦ જેટલા ક્લસ્ટર ગામોમાં ૪ જેટલા કૃષિરથ ગામેગામ ફરીને ખેડૂત ભાઇ-બહેનોને કૃષિ વૈજ્ઞાનિકો અને સંબંધિત અધિકારીઓ દ્વારા તાલુકાની થીમ આધારીત વૈજ્ઞાનિક ખેતપધ્ધતિ અંગેનું માર્ગદર્શન પુરૂં પાડશે.

આ કૃષિમહોત્સવની ઉજવણી દરમિયાન દરેક ગામે ખેતીવાડી ખાતના ૧૫ થી ૧૮ લાભાર્થીઓ, બાગાયત ખાતાના ૧૦ થી ૧૨ લાભર્થીઓ અને પશુપાલન ખાતાના ૫ લાભાર્થીઓને વિનામૂલ્યે અપાનારી કિટસનું વિતરણ કરવામાં આવશે, જેમાં રૂ|.૨૩૯.૫૮ લાખના ખર્ચે ૮૫૪૬ લાભાર્થીઓને કૃષિ કિટસ, રૂ|.૫૭.૯૬ લાખના ખર્ચે ૯૭૯૬ લાભાર્થીઓને બાગાયતી કિટસ અને રૂ|.૧૧ લાખના ખર્ચેની ૨૭૫૦ પશુપાલાન કિટસ આવરી લેવામાં આવી છે. તદઉપરાંત જિલ્લાના ૮૦ હજાર પશુધનને ગળસુંઠા અને ખરવામોવાસાનું રસીકરણ અને ૮૦૦ પશુઓને નિઃશુલ્ક કૃત્રિમ બીજદાન હેઠળ આવરી લેવાનું પણ આયોજન કરાયું છે. જે અન્વયે હાલમા જિલ્લામાં તા.૧ લી મે થી પશુઓને રસીકરણની પણ શરૂ કરી દેવામાં આવી છે અને આ કામગીરી ૩૧ મી મે, ૨૦૧૩ સુધી ચાલુ રહેશે.

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.એમ.પટેલના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં સારૂ ઉત્પાદન મેળવવા માટેના મુખ્યત્વે કપાસ, કેળ, શેરડી, તુવેર, ડાંગર, શાકભાજી, સોયાબીન, મકાઇ અને જુવાર જેવા પાકોની પસંદગી કરવામાં આવી છે. જિલ્લાના ચારેય તાલુકાઓ માટેના કૃષિરથો તાલુકાની થીમ આધારીત તૈયાર કરવામાં આવ્યા છે. નાંદોદ માટે કેળ, કપાસ, શેરડી, તુવેર, જુવાર જ્યારે તિલકવાડા તાલુકા માટે કેળ, કપાસ, તુવેર તેમજ ડેડીયાપાડા તાલુકા માટે તુવેર, ડાંગર અને નેટ હાઉસ અને સાગબારા તાલુકા માટે કપાસ, તુવેર, ડાંગર, સોયાબીન, નેટ હાઉસની થીમ ઉપરાંત આ તમામ તાલુકાઓમાં પશુપાલન, મત્સ્ય, શાકભાજી, મુલ્યવર્ધન તથા જળસંચય અને હાઇટેક ખેતી-બાગાયતની થીમ નક્કી કરવામાં આવી છે અને તે મુજબ ધરતીપુત્રોને તેમના ખેત ઉત્પાદન વધારવા માટે માર્ગદર્શન પુરૂ પડાશે.

નર્મદા જિલ્લાનાં પ્રત્યેક તાલુકાના કૃષિરથ સાથે બબ્બે ઝોનલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે અને તેઓ સમગ્ર ઉજવણી દરમિયાન કૃષિરથ સાથે તેમને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ નિભાવશે, તદઉપરાંત દરેક ક્લસ્ટર મુજબના ગામે આ ઉજવણી સંદર્ભે રાજ્યપત્રિત અધિકારીઓની પણ નોડલ અધિકારી તરીકે નિમણંક કરીને જે તે ગામ-સ્થળની જવાબદારીઓ પણ સુપ્રત કરવામાં આવી છે.

આ ઉજવણી દરમિયાન જે તે ગામોમાં પ્રગતિશીલ ખેડૂતનો વક્તવ્ય, જિલ્લા/તાલુકા ખેડૂત પ્રેરણા પ્રવાસ, સોઇલ હેલ્થકાર્ડનું વિતરણ, જે તે  ગામોમાં ખેડૂત સભાઓ યોજીને તેમના પ્રશ્નોની જાણકારી મેળવી કૃષિમહોત્સના કાર્યક્રમના દિવસે તેનું નિરાકરણ, કુપોષણ સામે જાગૃતિ કેળવવા આઇ.સી.ડીએસ. મારફત શાકભાજી વાવેતર અને ખોરાકમાં શાકભાજીનું મહત્વ વગેરેની જાણકારી સહિત જરૂરિયાતમંદોને કિચન-ગાર્ડન માટે શાકભાજી બિયારણનું વિતરણ તેમજ કૃષિમહોત્સવમાં હાજરી આપનાર ખેડૂતોને કૃષિ વિભાગની યોજનાના લાભમાં અગ્રિમતા આપવા ઉપરાંત કાર્યક્રમના સ્થળે લાભાર્થીની અરજી મંજુર કરવા તથા અગાઉથી આવેલ અરજી મુજબ સામગ્રી વિતરણ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તદઉપરાંત થીમ આધારીત જિલ્લામાં ખેત ઉત્પાદન વધારવા માટે આયોજન ઘડી કાઢી તે દિશામાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ છે.

જિલ્લામાં કૃષિમહોત્સવની ઉજવણીના પ્રારંભે તા.૧૪ મી ના રોજ સવારે નાંદોદ તાલુકાના ખડગદા, તિલકવાડા તાલુકાના ભાદરવા, ડેડીયાપાડા તાલુકાના કુંડીઆંબા અને સાગબારા તાલુકામાં અમીયાર ગામોએથી કૃષિમહોત્સવનો શુભારંભ થશે અને ત્યારબાદ જે તે તાલુકામાં તેના નિર્ધારીત રૂટ મુજબ આ કૃષિરથને જિલ્લા/તાલુકા/ગામ આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનોની હાજરીમાં પ્રસ્થાન કરાવાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કૃષિમહોત્સવનો આ કાર્યક્રમ સવારના ૮=૩૦ કલાકથી બપોરના ૧=૩૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન યોજાશે. જેમાં જે તે તાલુકા અને ગામોના ખેડૂત ભાઇ-બહેનો, પશુપાલકો અને ગ્રામજનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તેનો લાભ લેવા જિલ્લા વહિવટીતંત્ર તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.      

                                                        

ખોખરા ફળિયા પ્રાથમિક શાળા ખાતે નવા ઓરડાનું લોકાર્પણ :   

વલસાડઃ વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ખોખરા ફળિયા પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં નવા બંધાયેલા શાળાના ઓરડાનું લોકાર્પણ જિલ્લા પંચાયત અધ્‍યક્ષા શ્રીમતી મીનાબેન ચૌધરી દ્વારા કરાયુ હતું. આ વેળા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રી પ્રકાશભાઇ પટેલ, વલસાડના ધારાસભ્‍ય શ્રી ભરતભાઇ પટેલ વગેરેએ ખોખરા ફળિયા પ્રાથમિક શાળાની પ્રવૃત્તિઓને બિરદાવી, શાળા અને વિદ્યાર્થીઓના વિકાસ માટે સહયોગની ખાતરી આપી હતી. રાજ્‍ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે અમલી જુદી જુદી યોજનાઓનો લાભ લઇને, વિદ્યાર્થીઓને આગળ આવવા માટે ઉપસ્‍થિત મહાનુભાવોએ તેમના વાલીઓને અનુરોધ કર્યો હતો. અન્‍ય શાળાઓ માટે પ્રેરણારૂપ કામગીરી કરતી ખોખરા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી બી.ડી.પટેલ, કેળવણી નિરીક્ષક શ્રીમતી કુસુમબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ગોકુળભાઇ પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી ભુલાભાઇ પટેલ, ડાયેટના પ્રાચાર્યા શ્રીમતી કલ્‍પનાબેન ઉનડકટ, ગામના સરપંચ, એસ.એમ.સી.ના સભ્‍યો સહિત ગ્રામજનો વગેરે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. સાંસ્‍કૃતિક કાર્યક્રમોની રમઝટ વચ્‍ચે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન શાળા આચાર્ય શ્રી બિપીનભાઇ પટેલે મહાનુભાવોને આવકાર્યા હતા. જ્‍યારે કાર્યક્રમના અંતે ઉપશિક્ષક શ્રી જયેશભાઇએ મહેમાનોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

 

વલસાડ શહેરની ટ્રાફિક સમસ્‍યા નિવારવા માટે શહેરના ૧૧ વિસ્‍તારોને  નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા Ñ

વલસાડઃ પ્રાચીન શહેર એવા વલસાડ નગરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્‍યાને ધ્‍યાને લઇને શહેરના કેટલાક વિસ્‍તારોમાં નો પાર્કિંગ ઝોન જાહેર કરવાની આવશ્‍યકતાને અનુલક્ષીને વલસાડ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી જે.કે.ગઢવી દ્વારા નીચે જણાવ્‍યા મુજબના વિસ્‍તારોને નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરાયા છે.

એક જાહેરનામામાં જણાવ્‍યા મુજબ વલસાડ શહેર વિસ્‍તારમાં જાહેર જનહિતમાં ટ્રાફિક નિયમન માટે તેમજ કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી માટે વાહન ચાલકોને તેમના વાહનો પાર્ક ન કરવા, કે ઊભા નહીં રાખવા માટે જણાવાયું છે. આ વિસ્‍તારોમાં (૧) આઝાદ ચોકી ટાવરથી નવયુગ સ્‍ટોર ત્રણ રસ્‍તા સુધી, (ર) આઝાદ ચોકી ટાવરથી ભીડભંજન મંદિર સુધી, (૩) આઝાદ ચોકી ટાવરથી નાના તાઇવાડ મસ્‍જિદ સુધી, (૪) આઝાદ ચોકી ટાવરથી ગૌરવપથ રોડ હાલર ચાર રસ્‍તા સુધી, (૫) આઝાદ ચોકી ટાવરથી અદીના પેલેસ હોટલથી વલસાડ રૂરલ પોલીસ સ્‍ટેશન સુધી, (૬) રામરોટી ચોકથી ભીડમંજન મંદિર જવાના ત્રણ રસ્‍તા સુધી, (૭) નવયુગ ત્રણ રસ્‍તાથી ખત્રીવાડ ભીડભંજન મંદિર સુધી, (૮) હાલર ચાર રસ્‍તાથી તીથલ રોડ ગવર્મેન્‍ટ કોલોની સુધી, (૯) કલ્‍યાણ બાગથી એસ.પી.સર્કલ થી હાલર ચાર રસ્‍તા સુધી, (૧૦) કલ્‍યાણ બાગથી એસ.ટી.ડેપો થઇ તરણકુંડ પાવર હાઉસ સુધી, અને (૧૧) એલ.આઇ.સી. ઓફિસથી કસ્‍ટમ ઓફિસ સુધીનો અંદરનો હાલર ક્રોસ રોડ. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, એમ પણ વધુમાં જણાવાયું છે.

 

ગુંદલાવના માતા-પુત્રિ ગુમ થયા :           

વલસાડઃ વલસાડ તાલુકાના ગુંદલાવ ખાતે રહેતી ૩૮ વર્ષિય મહિલા નામે લીલાબેન પ્રવિણભાઇ હરીજન તથા તેમની ૧૦ વર્ષિય પુત્રી આરતી પ્રવિણભાઇ હરીજન ગત તા.૮મી માર્ચ, ર૦૧૩નાં રોજથી ગુમ થયા છે. જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્‍યા અનુસાર લીલાબેન તથા આરતી ગત તા.૮/૩/ર૦૧૩નાં રોજ ૩:૦૦ વાગ્‍યાના સુમારે ઘરેથી કોઇને પણ, કંઇ પણ કહ્યા વિના કયાંક ચાલી જતા ગુમ થયા છે તે આજદિન સુધી મળી આવેલ નથી. ગુમ થનાર મહિલા શરીરે મધ્‍યમ બાંધાના, રંગે ઘંઉવર્ણ, ગોળ મોઢુ, ઊંચાઇ ૫ ફૂટ જેટલી છે. જ્‍યારે આરતીની ઊંચાઇ ૩ ફૂટ, રંગે ઘંઉવર્ણી, બન્ને ગાલ પર કાળા ડાઘ છે. તેણીએ  ભુરા કલરનો સ્‍કૂલ યુનિફોર્મ પહેરેલ હતો. ગુમ થનાર મહિલા તથા તેની પુત્રી ગુજરાતી ભાષા જાણે છે. આ વર્ણનવાળી મહિલા તથા છોકરીની ભાળ કે પત્તો મળે તો વલસાડ રૂરલ પોલીસ સ્‍ટેશનનો ફોન નંબર : ૦૨૬૩૨-૨૪૪૨૯૮ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.

 

ગુજકેટની પરીક્ષા આપનાર પરિક્ષાર્થીઓ ધ્‍યાન આપે

વલસાડઃ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણબોર્ડની અખબારી યાદીમાં જણાવાયા અનુસાર આગામી તા. ૦૯/૦૫/૨૦૧૩ના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ (ગુજકેટ)-૨૦૧૩ની ફી રસીદમાં ફોટો આવેલ ન હોય કે સ્‍પષ્‍ટ દેખાય તેવો ન હોય તો ફી રસીદ (હોલ ટીકીટ)માં પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી શાળાના આચાર્યશ્રીના સહી-સિક્કા કરાવવા. ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ સિવાયના બોર્ડના વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય કે રાજયપત્રિત(ગેઝેટેડ) અધિકારીના સહી-સિક્કા કરાવીને વર્ગખંડમાં હોલ ટીકીટ લઇ જવી. આ હોલ ટીકીટની ઝેરોક્ષ કરાવી એક ઝેરોક્ષ નકલ ખંડ નિરીક્ષકને પરીક્ષા સમયે આપવાની રહેશે. અસલ ફી રસીદ ઉમેદવારે પોતે પોતાની પાસે રાખવી. જેઓની ફી રસીદમાં  શાળા ઇન્‍ડેક્ષ નંબર ખોટો આવેલ હોય તેવા ઉમેદવારોએ પરિશિષ્‍ઠ-૫ ભરીને બોર્ડમાં ગુજકેટ સેલ, ગાંધીનગરના સરનામે મોકલી આપવા ખાસ ફરજ પરના અધિકારી,ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર તરફથી જણાવાયું છે.

 

ભરૂચઃ   તા.૯/૫/૨૦૧૩ ના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ(ગુજકેટ)-૨૦૧૩ ની ફી રસીદમાં ફોટો આવેલ ન હોય કે સ્‍પષ્‍ટ દેખાય તેવો ન હોય તો ફી રસીદ(હોલ ટીકીટ)માં પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી શાળાનાં આચાર્યશ્રીના સહી-સિક્કા કરાવવા અને ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય કે રાજ્‍યપત્રિત(ગેઝેટેડ) અધિકારીના સહી સિક્કા કરાવીને વર્ગખંડમાં હોલટીકીટ લઇ જવી તેની ઝેરોક્ષ કરાવી એક ઝેરોક્ષ નકલ ખંડ નિરીક્ષકને પરીક્ષા સમયે આપવી. અસલ ફી રસીદ ઉમેદવારે પોતે પોતાની પાસે રાખવી. જેઓની ફી રસીદમાં શાળા ઇન્‍ડેક્ષ નંબર ખોટો આવેલ હોય તેવા ઉમેદવારોએ પરિશિષ્‍ટ-૫ ભરીને બોર્ડમાં નંબર ખોટો આવેલ હોય તેવા ઉમેદવારોએ પરિશિષ્‍ટ-૫ ભરીને બોર્ડમાં ગુજકેટ સેલ, ગાંધીનગરનાં સરનામે મોકલી આપવા ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની એક યાદીમાં જણાવ્‍યું છે.

 

 

૧૪ મી મે થી જિલ્લામાં કૃષિ મહોત્‍સવનો પ્રારંભ થશે.

ભરૂચઃ ભરૂચ જિલ્લામાં આગામી તા.૧૪/૫/૨૦૧૩થી તા.૩૧/૫/૨૦૧૩ સુધી કૃષિ મહોત્‍સવ-૨૦૧૩ની ઉજવણી થશે. ભરૂચ જિલ્લાના આઠ તાલુકામાંથી કુલ-૧૩૪ ગામોને તાલુકા પંચાયત બેઠક મુજબ પસંદ કરાયા છે. આ ગામોમાં સવારે ૮-૩૦ થી ૧૩-૦૦સુધી આજુબાજુના ગામો સહિતનાં પશુઓને રસીકરણ-સારવારનો કેમ્‍પ રખાશે અને ૮-૩૦થી ૧૩-૦૦કલાક સુધી એ જ સમયે જળ સંચય, કેનાલ સફાઇ, માઇક્રો ઇરીગેશન સિંચાઇના અધિકારીશ્રીઓ ઘ્‍વારા યોજનાકીય સમજણ અપાશે.

ત્‍યારબાદ પ્રગતિશિલ ખેડૂતો ઘ્‍વારા પોતાની સફળતાની વાત કરાશે. ૧૦-૩૦ થી ૧૨-૦૦ સુધી એલ.ઇ.ડી. ઘ્‍વારા ખેતી વિષયક ફિલ્‍મોનું પ્રસારણ અને માન.મુખ્‍યમંત્રીશ્રીનું ઉદ્‌બોધનનું પ્રસારણ કરાશે. ત્‍યારબાદ ગ્રામજનોને કૃષિ વૈજ્ઞાનિકો ઘ્‍વારા ખેતી વિષયક માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.

ચાલુ વર્ષે આ ઉપરાંત ડ્રીપ ઇરીગેશન,ટપક સિંચાઇ અને ગ્રીન હાઉસની ખેતી-બાગાયત-શાકભાજી ઉપર વિશેષ ઘ્‍યાન અપાયું છે.સીમ તલાવડી, ખેત તલાવડી,જમીન સમથળ કરવાના કાર્યક્રમ પણ હાથ ધરાશે.જિલ્લામાં મત્‍સ્‍ય ઉધોગ કચેરી ઘ્‍વારા ૫૫ જેટલા તળાવોમાં મત્‍સ્‍યબીજ ઉત્‍પાદન માટે કોન્‍ટ્રાકટ અપાયા છે.

કૃષિ મહોત્‍સવ દરમ્‍યાન છ હજાર જેટલા ખેડૂતોને કિસાન ક્રેડીટ કાર્ડ અર્પણ કરાશે. આ ઉપરાંત સુગર ફેકટરી,દૂધધારા ડેરસ એ એ.પી.એમ.સી. માર્કેટ ઘ્‍વારા અને ફાર્મસ કલબ બાગાયત કચેરી ઘ્‍વારા સેમીનારોનું આયોજન કરવામાં આવનાર છે.

ભરૂચ જિલ્લાના તમામ ખેડૂત ભાઇ-બહેનોને આ કૃષિ મહોત્‍સવ કાર્યક્રમમાં હાજર રહી પોતાની ખેતીને નફાલક્ષી બનાવવા જિલ્લા વહીવટી તંત્ર ઘ્‍વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.