લીલાધરભાઇ વાધેલા
ખેડા જિલ્લાના વિરપુર તાલુકાની વિવિધ શાળાઓમાં કુલ ૨૩૧ બાળકોનું શાળામાં
નામાંકન કરાયુ
માહિતી બ્યુરો
ગુજરાત રાજય સરકારના પરીણામલક્ષી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના
કાર્યક્રમના ભાગરૂપે ખેડા જિલ્લાના વિરપુરા તાલુકાની વિવિધ શાળાઓમાં આજે
કુલ ૨૩૧ બાળકોને નામાંકન કરાવતા શ્રમ અને રોજગાર રાજયમંત્રીશ્રી
લીલાધરભાઇ વાધેલાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજ ધડતર માટે પાયાની
જરૂરીયાત છે, આમ પાયાનું શિક્ષણ મજબૂત હશે તો જીવનની ઇમારત સંપૂર્ણપણે
ખીલી ઉઠશે.
મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણના ભણતરનું પ્રથમ પગથીયું
ભરતા બાળકોને પ્રોત્સાહન આપવા અને સમાજમાં શિક્ષણને વેગ આપવા તથા બાળકો
તેમનું શિક્ષણ અધવચ્ચેથી છોડી ના દે. તે અંગે જાગૃતતા લાવવા મુખ્ય
મંત્રીશ્રી, મંત્રીશ્રીઓ અને આઇ.એ.એસ તથા આઇ.પી.એસ કક્ષાનો અધિકારીગણ દર
વર્ષની જેમ આ વર્ષે પણ જોતરાઇ ગયા છે. તેના સારા પરીણામો આપણે મેળવી શકયા
છીએ અને રાજયનો શિક્ષણ દર વધ્યો છે. છેલ્લા દસ વર્ષમાં સાક્ષરતા દર વધ્યો
છે. રાજયને સો ટકા સાક્ષરતાએ લઇ જવું છે. આ ભગીરથ કામ રાજય સરકાર છેલ્લા
સતત દસ વર્ષથી સમાજ અને શિક્ષકોની મદદથી કરી રહી છે અને તેના પરીણામો
લોકોની નજર સમક્ષ છે ત્યારે સમાજે અને શિક્ષકોએ હજુ વધુ મહેનત અને દ્ઢન
વિશ્વાસથી આ કામ ઉપાડી લઇ આવનાર પેઢીને સંપૂર્ણ સાક્ષર બનાવવાની જવાબદારી
અદા કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ વિરપુર તાલુકાના ચીખલી વસાહત, ખાટા પંચાયતપ ખાટા,
નાન સલાઇ-૨ અને દુધેલા ગામ ખાતે ૮૭ આંગણવાડીના બાળકો અને ૧૪૪ ધોરણ-૧માં
પ્રવેશ મેળવતા કુલ ૨૩૧ બાળકોનું કુમકમ તિલક, દફતર કિટ અને ચોકલેટ આપી
પ્રવેશ અપાવ્યો હતો. જયારે સાત બાળાઓને વિઘાલક્ષ્મી બોન્ડ એનાયત કરવામાં
આવ્યા હતાં. આ પ્રસંગે દાતાઓ તરફથી દાનનો પ્રવાહ વહયો હતો. જયારે કુલ ૬૩
બાળાઓને સરસ્વતી સાધના અન્વયે સાયકલ આપવામાં આવી હતી. મંત્રીશ્રી તથા
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
હતું તેમજ શિષ્યવૃતિના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે પૂર્વ
ધારાસભ્યશ્રી પપ્પુભાઇ પાઠક, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પટેલ,
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, નાયબ
લેબર કમિશનરશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, બીટ કેળવણી
નિરીક્ષકોશ્રીઓ, આંગણવાડી સુપરવાઇઝરશ્રી, સીઆરસી/બીઆરસી કો-ઓર્ડીનેટરો,
પ્રાથમિક શાળાનો શિક્ષકવૃંદ, વાલીઓ અને વિશાળ સંખ્યામાં વિઘાર્થી સમુદાય
ઉપસ્થિત રહયો હતો.
સિવિલ હોસ્પીટલ નડિયાદ દ્વારા તબીબી સેવાયજ્ઞ યોજાયો
શ્રમિક પરિવારના ૩૦૦ દરદીઓએ લાભ લીધો
માહિતી બ્યુરો
ખેડા જિલ્લાના સમાહર્તાશ્રી એમ.વી.પારગી જિલ્લાના નાગરિકોના કલ્યાણ અને
વિકાસ માટે હરહંમેશ પ્રયત્નશીલ રહે છે. કલેકટરશ્રીની પ્રેરણા અને
માર્ગદર્શનથી સિવિલ સર્જન શ્રી એફ.જે.ગોહિલ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી
ર્ડા.બી.આર.પંચાલના ભગીરથ પ્રયત્નોથી અને જે. એમ. સી. પ્રોજેકટ ઇન્ડીયા
લી. ના સહયોગથી નડિયાદ શહેરમાં સરકાર દ્વારા ચાલતી લોક સુવિધા, વિકાસ અને
માળખાકીય સુવિધાઓના વિવિધ કામોમાં કામ કરતા સ્થળાંતરીત શ્રમિકો તથા તેમના
પરિવારો માટે જરૂરી તબીબી સેવાઓ પુરી પાડી સમાજના વિકાસમાં પાયારૂપ
ભૂમિકા અદા કરનાર શ્રમિકોની સાચા અર્થમાં સેવા કરી સરકારના મુખ્ય ઉદેશ્ય
એવા સૌનો સાથ સૌનો વિકાસ સારૂ આરોગ્ય સૌનો અધિકાર એ મંત્રને સિધ્ધ કરવાના
હેતુસર તબીબી સેવાના વિશિષ્ટ સેવાયજ્ઞનું આયોજન એન.સી.ડી.સેલ સિવિલ
હોસ્પીટલ નડિયાદ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં તબીબી અધિકારીઓ, જનરલ સર્જન, બાળકોનાં નિષ્ણાત, ડેન્ટલ સર્જન
સહિત લોહી-પેશાબની તપાસ, આંખોની તપાસ, દાંતની તપાસ, કેન્સર, ડાયાબિટીસ,
હ્રદયરોગ વિગેરે વિશે જનજાગૃતિ તેમજ પ્રદર્શન તથા દરદીઓને જરૂરી દવાઓનું
વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ કેમ્પમાં ૩૦૦ શ્રમિકો તથા તેમના
પરિવારજનોએ તબીબી સેવાનો લાભ લીધો હતો.
આવતીકાલના ભવિષ્યને ઉજાગર કરવા આજે ધ્યાન રાખવું પડશે -પ્રદિપસિંહ જાડેજા
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાની વિવિધ શાળાઓમાં કુલ ૩૭૦ બાળકોનું શાળા નામાંકન
માહિતી બ્યુરો
કાયદા રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા
કેળવણી મહોત્સવ નિમિત્તે ઠાસરા તાલુકાની આગરવા, રખિયાલ, ઢુણાદરા અને
પાંડવાણિયા પ્રાથમિક શાળામાં ધો-૧માં પ્રવેશપાત્ર બાળકો તથા આંગણવાડીના
ભૂલકાંઓને ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં પ્રવેશ અપાવ્યો હતો. શ્રી
જાડેજાએ આગરવા ગામે બે શાળાના ઓરડાઓનું લોકાણ્પર્ણ તથા બે ઓરડાઓનું
ખાર્તમુહૂર્ત કર્યું હતું.
મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણની
ગુણવત્તા સુધારણાની દિશામાં રાજય સરકારે સર્વગ્રાહી પગલા લીધા છે.
રાજયમાં વિઘાસહાયકોની ભરતી, ૮૦ હજારોની સંખ્યામાં નવા ઓરડા, શૌચાલયો તથા
પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ ઉભી કરવામાં આવી છે.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાનને પરિણામે સમાજમાં કન્યા
શિક્ષણનું પ્રમાણ વધ્યું છે તેનો સવિશેષ ઉલ્લેખ કરતાં શ્રી જાડેજાએ
ઉમેર્યું હતું કે, આજે શાળામાં દાખલ થનાર બાળકો અને અભ્યાસ કરતાં બાળકોએ
ભારતનું અને સમાજનું આવતી કાલનું ભવિષ્ય છે. તેને ઉજાગર કરવા સમાજને દરેક
વ્યકિતએ પોતાની સકારાત્મક ભૂમિક ભજવવી પડશે. શિક્ષણની અનુભૂતિ માટે
વિઘાર્થી, વાલી અને શિક્ષકનો ત્રિવેણી સેતુ સર્જાય તેવું સામાજિક
વાતાવરણ નિર્માણ કરવું પડશે.. જેથી શાળા સાથે સામાજિક સંવેદના જોડાશે અને
પરિણામલક્ષી કામગીરી થશે. શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોના આરોગ્યની
ચકાસણીની પણ રાજય સરકાર તકેદારી રાખે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
સમાજનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાનો અનુરોધ કરી
શિક્ષણ થકી જ સમાજનો સર્વાગી વિકાસ થશે તેમ જણાવ્યું હતું. બાળકોમાં
શિક્ષણની સાથે સંસ્કારોનું ધડતર કરવા તેમણે શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શ્રી જાડેજા તથા મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કિટ્સ,
આંગણવાડીના બાળકોને રમકડાં, ધો -૩ થી ૮ ના તેજસ્વી તારલાઓનું બહુમાન,
ઇન્દીરા આવાસ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ, કન્યાઓને સાયકલ વિતરણ તથા
દાતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રતિક્ષાબેન પરમાર, તાલુકા
વિકાસ અધિકારીશ્રી, પદાધિકારીઓ, બીટ નિરિક્ષકશ્રી, આંગણવાડી
સુપરવાઇઝરશ્રી, સીઆરસી/બીઆરસી કો-ઓર્ડીનેટરો, પ્રાથમિક શાળાનો
શિક્ષકવૃંદ, વાલીઓ અને વિશાળ સંખ્યામાં વિઘાર્થી સમુદાય ઉપસ્થિત રહયો
હતો.
ગામડાઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવી છે પંકજકુમાર દેસાઇ
કપડવંજ અને બાલાસિનોર તાલુકામાં મુખ્ય દંડકશ્રી દેસાઇના હસ્તે બાળકોનું
શાળા નામાંકન
માહિતી બ્યુરો
વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજકુમાર દેસાઇએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા
કેળવણી મહોત્સવ નિમિત્તે કપડવંજ તાલુકાના તોરણા, આંત્રોલી, સાલોડ, દહીઅપ,
સાવલી તથા બાલાસિનોર તાલુકાના સેલીયાવાડી,રળિયાતા, જનોડ, પીલોદરા અને
કઢૈયા પ્રાથમિક શાળામાં ધોરણ-૧ તથા આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને
પ્રવેશ અપાવ્યો હતો.
શ્રી પંકજકુમાર દેસાઇએ જણાવ્યું હતું કે વ્યકિત અને સમાજનો વિકાસ શિક્ષણ
થકી જ થશે. ધોરણ-૧ માં પ્રવેશપાત્ર એકપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહી
જાય તે જોવા તેમણે શિક્ષકો અને વાલીઓને તાકીદ કરી હતી શાળા પ્રવેશોત્સવ
કાર્યક્રમને પરિણામે ગામડાઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવી છે. એટલું જ
નહી કન્યા શિક્ષણની પણ અગત્યતા સમજાઇ છે. જેને કારણે સમાજમાં મહત્તમ
દિકરીઓ શિક્ષણ લેતી થઇ છે અને રાજયનો સાક્ષરતા દર વધ્યો છે. આ પ્રસંગે
શ્રી દેસાઇ તથા મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કિટ્સ, આંગણવાડીના
બાળકોને રમકડાં, ધો -૩ થી ૮ ના તેજસ્વી તારલાઓનું બહુમાન, ઇન્દીરા આવાસ
યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ, કન્યાઓને સાયકલ વિતરણ તથા દાતાઓનું
બહુમાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી,
પદાધિકારીઓ, બીટ નિરિક્ષકશ્રી, આંગણવાડી સુપરવાઇઝરશ્રી, સીઆરસી/બીઆરસી
કો-ઓર્ડીનેટરો, પ્રાથમિક શાળાનો શિક્ષકવૃંદ, વાલીઓ અને વિશાળ સંખ્યામાં
વિઘાર્થી સમુદાય ઉપસ્થિત રહયો હતો.
સાંપ્રત સમયમાં શિક્ષણ અનિવાર્ય જરૂરીયાત છે ઃ લીલાધરભાઇ વાધેલા
મહુધા તાલુકાના કડી ખાતે ૧૪૩ બાળકોનું શાળા નામાંકન
માહિતી બ્યુરો
રાજયમાં ચાલી રહેલા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી
મહોત્સવ અંતર્ગત આજે મહુધા તાલુકાના કડી મુકામે શ્રમ અને રોજગાર રાજય
મંત્રીશ્રી લીલાધરભાઇ વાધેલાએ જણાવ્યું હતું કે, સાંપ્રત સમયમાં શિક્ષણ
અનિવાર્ય છે. શિક્ષણ વગરની વ્યકિતનું જીવન નિરર્થક થાય છે અને અનેક
વ્યાધિઓ ગ્રસ્ત જીવન આખરે ભારરૂપ થઇ પડે છે.
એકવીસમી સદી એ શિક્ષણની સદી છે. જેની પાસે જ્ઞાન હશે તે તવંગર કહેવાશે
એટલે આજના જમાનામાં શિક્ષણની કેટલી જરૂરીયાત છે તે સમજી શકાય છે. નવ
યુવાનોને સંબોધતા તેઓશ્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં શૈક્ષણિક
કારકીર્દીની સાથે યુવાનો કૌશલ્ય વર્ધક તાલીમ મેળવી શકે તે માટે સરકારે
અનેક ટેકનીકલ સ્કૂલો, આઇ.ટી.આઇ શરૂ કરી છે અને એન્જીનીયરીંગ કોલેજ
કોલેજની સંખ્યા વધારી તેમાં પ્રવેશપાત્ર ઉમેદવારોની સંખ્યા પણ વધારી છે
ત્યારે યુવાનોએ કૌશલ્ય વર્ધક તાલીમ મેળવી રોજગારી ક્ષેત્રે સ્વનિર્ભર
થવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેઓશ્રીએ વિશેષમાં ઉમેર્યું હતું કે, આવા
કૌશલ્ય પ્રાપ્ત ઉમેદવારો માટે રાજય સરકાર ભરતી કેમ્પો યોજીને તેઓને
રોજગારીની તકો પણ પુરી પાડે છે. તેમજ જે યુવાનોને પોતાનો સ્વતંત્ર
વ્યવસાય શરૂ કરવો હોય તેવા યુવાનોને રાજય સરકાર આર્થિક સહાય પણ પૂરી પાડે
છે.
આ પ્રસંગે કડી મૂકામે પ્રાથમિક શાળાના પટાંગણમાં આંગણવાડીના ૭૭, ધો-૧ના
૨૩ અને ધો-૮માં ૪૩ બાળકો મળી કુલ ૧૪૩ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો
હતો. જયારે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કુમકુમ તિલક કરી, ચોકલેટ અને
શૈક્ષણિક કિટ્સ તથા તેજસ્વી તારલાઓને શિષ્યવૃતિ અર્પણ કરવામાં આવી હતી.
મંત્રીશ્રીએ ૧૧ બાળાઓને સરસ્વતી સાધના અન્વયે સાયકલોનું વિતરણ પણ કર્યું
હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્યો, નાયબ લેબર કમિશનરશ્રી ત્રિવેદી, તાલુકા
વિકાસ અધિકારીશ્રી, બીટ કેળવણી નિરીક્ષકોશ્રીઓ, આંગણવાડી સુપરવાઇઝરશ્રી,
સીઆરસી/બીઆરસી કો-ઓર્ડીનેટરો, પ્રાથમિક શાળાનો શિક્ષકવૃંદ, વાલીઓ અને
વિશાળ સંખ્યામાં વિઘાર્થી સમુદાય ઉપસ્થિત રહયો હતો.
બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાનો અનુરોધ કરતા કાયદા રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના જાનેત્રા (અનારા) મૂકામે શાળાના ઓરડાનું
લોકાપર્ણ કરાયું
માહિતી બ્યુરો ઃ
રાજય સરકારના અતિ મહત્વના શાળા મહોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના અંતિમ
દિવસે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ભાનેર પ્રાથમિક શાળાના પટાંગણમાં
ઉપસ્થિત વાલીઓ અને શિક્ષક વૃંદને સંબોધતાં કાયદા રાજય મંત્રીશ્રી
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આપણે જેટલા ઉત્સાહ અને આનંદ સાથે
છેલ્લા દસ વર્ષથી બાળકોને શાળામાં પ્રવેશ અપાવીએ છીએ ત્યારે આપણી પણ ફરજ
થઇ રહે છે કે પ્રવેશ મેળવનાર દરેક બાળક તેને ગમતા ક્ષેત્રમાં તેનો અભ્યાસ
પૂર્ણ કરે. બાળક અભ્યાસ સંપૂર્ણ કરે તેનાથી આપણી જવાબદારી પૂર્ણ થતી નથી
પરંતુ સાથે સાથે બાળકોમાં ઇતર પ્રવૃતિઓ અને રમત-ગમત, શરીર સૌષ્ઠવ અને
ભાઇચારો તથા માનવતાના ગુણો પણ વિકસે તે બાબતે ધ્યાન રાખવું જોઇએ. આમ
કરવાથી બાળકોનો સંપૂર્ણ વિકાસ થશે અને આવતી કાલનું ભારત સુરક્ષિત અને
શિક્ષિત થશે. જેનાથી આપણા સમાજ, રાજય અને દેશ તથા દુનિયાને પણ વિવિધ લાભો
પ્રાપ્ત થશે.
આ પ્રસંગે તેઓશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને કુમકુમ તિલક
અને ચોકલેટ તથા શૈક્ષણિક કિટ્સ આપી ધો-૧માં ૫૩ બાળકો તથા આંગણવાડી માં ૧૧
બાળકોને શાળમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેઓશ્રીએ વિશેષમાં જણાવ્યું
હતું કે, રાજય સરકાર પણ બાળકોના અભ્યાસમાં ધ્યાન રાખે છે તેથી છેલ્લા
દસકામાં રાજયમાં શાળાઓની સંખ્યા વધી છે, શાળામાં વિઘાસહાયકોની નિમણૂંકો
કરવામાં આવી છે, શાળાના ઓરડાઓ, બાળકોની પ્રાથમિક જરૂરીયાતો જેવીકે,
પીવાનું શુધ્ધ પાણી, શૌચાલયો, કોમ્પ્યુટરો, કુશળ તાલીમ બધ્ધ કોમ્પ્યુટરના
શિક્ષકો-તજજ્ઞો જેવી અનેક વિધ શૈક્ષણિક જરૂરીયાતો પૂરી પાડવામાં સરકારે
પાછી પાની કરી નથી. સાથે સાથે બાળકોમાં શારિરીક શૌષ્ઠવ ખીલે તે માટે ખેલ
મહાકુંભ, આરોગ્યની જાળવણી માટે શાળા આરોગ્ય ચકાસણી, અભ્યાસની ગુણવત્તા
સુધરે તે માટે ગુણોત્સવનો કાર્યક્રમ જેવા અનેક વિધ વિકાસલક્ષી કાર્યક્રમો
અમલમાં મૂકયા છે.
આ પ્રસંગે જાનેત્રા (અનારા) ખાતે શાળાના પટાંગણમાં નવા બનેલા શાળાના
ઓરડાનું લોકાપર્ણ પણ કરવામાં આવ્યું હતું તેમજ પ્રવેશ મેળવનાર બાળકોને
કિટ્સ તેમજ રમકડાં અર્પણ કરવામાં આવ્યા હતા. સરસ્વતી સાધના યોજના અન્વયે
સાયકલોનું વિતરણ તેમજ શિષ્યવૃતિ પણ અર્પણ કરવામાં આવી હતી. જયારે શાળામાં
અભ્યાસ કરી ગયેલ વયો વૃધ્ધોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી કનુભાઇ ડાભી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી
રાવજીકાકા, તાલુકા સદસ્યો, સરપંચશ્રી, પ્રાંત અધિકારીશ્રી પંડયા, નાયબ
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભાવસાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી, બીટ કેળવણી
નિરીક્ષકોશ્રીઓ, આંગણવાડી સુપરવાઇઝરશ્રી, સીઆરસી/બીઆરસી કો-ઓર્ડીનેટરો,
પ્રાથમિક શાળાનો શિક્ષકવૃંદ, વાલીઓ અને વિશાળ સંખ્યામાં વિઘાર્થી સમુદાય
ઉપસ્થિત રહયો હતો.
ગુણવત્તા સભર શિક્ષણ પર ભાર મૂકતાં પ્રભારી સચિવશ્રી રાજકુમાર
બાળકોના સર્વાગી વિકાસમાં શિક્ષકો અને સરકારની સાથે સમાજે પણ તેનું
યોગદાન આપવું પડશે - પ્રભારી સચિવ રાજકુમાર
માહિતી બ્યુરો
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના અંતિમ દિવસે નડિયાદ તાલુકા
હાથનોલી પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીમાં ૮ અને ધોરણ-૧ માં ૧૬ મળી કુલ ૨૪
બાળકોનું નામાંકન કરાવતા રાજયના અન્ન અને નાગરિક પુરવઠાના અગ્રસચિવ અને
ખેડા જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાજકુમારે જણાવ્યું હતું કે, બાળકોના
સર્વાંગી વિકાસમાં શિક્ષકો અને સરકારની સાથે સમાજે પણ પોતાનું યોગદાન
આપવું પડશે તો બાળકોનો વિકાસ ઝડપી થશે અને મજબૂત તેમજ શિક્ષિત સમાજનું
નિર્માણ થશે.
આ પ્રસંગે શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો ને સંબોધતા તેઓ શ્રીએ જણાવ્યું
હતું કે, બાળકો શિક્ષણ લે તે મહત્વનું નથી પરંતુ આ શિક્ષણ ગુણવત્તા સભર
અને પરિણામલક્ષી હોવું જોઇએ. શાળાના શિક્ષકોએ અભ્યાસની સાથે સાથે
બાળકોમાં મિત્રાચારી અને સદભાવનાના ગુણો વિકસે તે જોવાનું, વાલીઓએ બાળકો
ધરે આવે ત્યારે તેઓની સાથે થોડો સમય કાઢી સંસ્કાર અને સદાચારની સાથે સાથે
બાળકે આજે તેની શાળામાં શુ પ્રવૃતિઓ કરી છે તે જોવાનું રાખવું જોઇએ. આમ
કરવાથી બાળકોમાં શિક્ષકો અને વાલીઓ પ્રત્યે આત્મીયતા અને સદભાવનાના ગુણો
કેળવાશે અને એક સંસ્કારી-સુશિક્ષિત બાળકનું નિર્માણ થઇ શકશે. બાળકો કુસંગ
અને કુટેવોથી દૂર રહેશે. તેઓશ્રીએ દિકરીઓના ભણતર પર ભાર મૂકી જણાવ્યું
હતું કે, દિકરીઓ ભણશે તો તે બે ધરને તારશે.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રવેશ મેળવનાર બાળકોને કુમકુમ તિલક
કરી, મિઠાઇ અર્પણ કરવામાં આવી હતી તેમજ શૈક્ષણિક કિટ્સનું વિતરણ કરવામાં
આવ્યું હતું. તેઓશ્રીના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું
તેમજ શાળાની વિવિધ પ્રવૃતિઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે
ઉપસ્થિત વાલીઓ સાથે બાળકોના અભ્યાસ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.
આ સમારોહમાં મદદનીશ ભૂસ્તર શાસ્ત્રો શ્રી ધ્રુવ, બીટ કેળવણી
નિરીક્ષકોશ્રીઓ, આંગણવાડી સુપરવાઇઝરશ્રી, સીઆરસી/બીઆરસી કો-ઓર્ડીનેટરો,
પ્રાથમિક શાળાનો શિક્ષકવૃંદ, વાલીઓ અને વિશાળ સંખ્યામાં વિઘાર્થી સમુદાય
ઉપસ્થિત રહયો હતો.










