મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા
ટ્રસ્ટ (SVPRET) ની બેઠકમાં મહત્વાકાંક્ષી પ્રોજેકટના નિર્માણમાં
મહત્વના નિર્ણયો
છ મહત્વના અભ્યાસ સ્ટેર્ન પૂર્ણ ઃ સાતમો પર્યાવરણલક્ષી અભ્યાસ પ્રગતિમાં
સરદાર સરોવર બંધના સાનિધ્યમાં આકાર લેશે ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી
સરદાર સરોવર બંધથી ભરૂચ સમૂદ્રકાંઠા સુધી નર્મદાના બંને કાંઠાનો
આંતરરાષ્ટ્રીય પ્રવાસન તરીકે વિકાસ થશે ગરૂડેશ્વર વિયરના બાંધકામનો
વર્કઓર્ડર અપાયો
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને મળેલી "સરદાર વલ્લભભાઇ
પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ'ની બેઠકમાં નર્મદા નદી ઉપર સરદાર સરોવર બંધના
સાંનિધ્યમાં સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચી ૧૮ર મીટર ઉંચાઇની વિશાળતમ
પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રાષ્ટ્રીય સ્મારકના પ્રોજેકટનું નિર્માણ
કાર્ય, આગળ વધારવાનો મહત્વાકાંક્ષી નિર્ધાર કરવામાં આવ્યો હતો. આ હેતુસર
પ્રોજેકટ મેનેજમેન્ટ એન્ડ કન્સ્ટ્રકશન મેનેજમેન્ટ માટે વિશ્વકક્ષાના
કન્સ્લટન્ટને કામગીરી સોંપવામાં આવશે.
ભારતની એકતાના શિલ્પી સરદાર પટેલની સ્મૃતિ યુગો સુધી જીવંત રાખવા અને
ગુજરાતની અસ્મિતાની શાન વિશ્વમાં પ્રસ્થાપિત કરે એ હેતુથી આ સ્ટેચ્યુ ઓફ
યુનિટીનો પ્રોજેકટ હાથ ધરવા મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક માર્ગદર્શન આપ્યું
હતું.
મુખ્યમંત્રીશ્રીએ સૂચિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ભવ્ય રાષ્ટ્રીય સ્મારકના
નિર્માણની સાથોસાથ સરદાર સરોવર બંધની ભરૂચના દરિયાકાંઠા સુધીના બંને
બાજુના નર્મદા નદીના કાંઠાને કેનાલ ટુરિઝમ તરીકે આંતરરાષ્ટ્રીય પ્રવાસન
આકર્ષણ રૂપે વિકસાવવાનું પ્રેરક સૂચન કરેલું તેના અનુસંધાને ગરૂડેશ્વર
વિઅરના નિર્માણ બાંધકામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલો છે. આ ઉપરાંત
ભાડભૂત કેનાલ સહિત ભરૂચના સમૂદ્રકાંઠા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા
બંધથી શરૂ કરીને બંને કાંઠે પ્રવાસન પ્રવૃત્ત્િાનો આંતરરાષ્ટ્રીય ધોરણે
વિકાસ કરવામાં આવશે.
સૂચિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામ નિર્માણ માટેના મહત્વના છ સ્ટડી
સર્વે પૂર્ણ કરવામાં આવ્યા છે જેમાં (૧) ટોટલ સ્ટેશન સર્વે, (ર) વેરીએશન
ઇન વોટર લેવલ એન્ડ હાઇ ફલડ લેવલ, સર્વે (૩) વિન્ડ એન્ડ વોટર
વેલોસીટી-સર્વે (૪) સેસ્મીક સ્ટડી સર્વે (પ) જીઓલોજીકલ સર્વે અને (૬)
મોડેલ સ્ટડી-મેથેમેટીકલ એનાલિસીસ-પૂણેનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યા
છે જ્યારે પર્યાવરણલક્ષી અસરોનો એન્વાયર્નમેન્ટ ઇમ્પેકટ એસેસમેન્ટ
સ્ટડી-અભ્યાસ સર્વે હાલ પ્રગતિમાં છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદાર પટેલ પ્રતિમા અને રાષ્ટ્રીય સ્મારકના આ
મહત્વાકાંક્ષી પ્રોજેકટનો અંદાજિત ખર્ચ રૂા. રપ૦૦ કરોડનો આકારવામાં આવેલો
છે અને તેમાં જનભાગીદારીનું યોગદાન મેળવવામાં આવશે. પ્રોજેકટ કન્સ્ટ્રકશન
મેનેજમેન્ટમાં સ્ટેચ્યુ અને સ્મારક ઉપરાંત બ્રીજ, રાષ્ટ્રીય સ્મારકથી
કેવડીયા સુધીનો પાકો માર્ગ, મેમોરિયલ અને કન્વેન્શન સેન્ટર, મેમોરિયલ
ગાર્ડન, એમ્યુઝમેન્ટ પાર્ક, હોટેલ સહિતના પ્રવાસન વિકાસનું પણ મહત્વનું
આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં, દરરોજના એક લાખ પ્રવાસીઓની
મૂલાકાત સંખ્યાને ધ્યાનમાં રાખીને વડોદરાથી કેવડીયા મેટ્રો રેઇલ તથા છ
માર્ગીય ધોરીરસ્તાનું ભવિષ્યનું આયોજન પણ વિચારણામાં લીધું છે.
લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે સરદાર સરોવર નર્મદા યોજનાને સાકાર કરવાનો
સંકલ્પ કરેલો અને અનેક આંટીધૂંટીઓના વિવાદમાંથી રાજકીય ઇચ્છાશકિત તથા
ન્યાયિક સંધર્ષ કરીને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા દશ
વર્ષમાં સરદાર સરોવર ડેમની ઊંચાઇ ૧ર૧.૯ર મીટરના નિર્ણાયક તબક્કે પહોંચાડી
છે, ૧૯પ૦ મેગાવોટના જળવિઘુત પ્રકલ્પ રાષ્ટ્રને ચરણે કાર્યાન્વિત કરેલા છે
અને ૪પ૮ કી.મી.ની વિશ્વની સૌથી લાંબી મુખ્ય નહેરનું નિર્માણ સંપન્ન
કરેલું છે.
ગુજરાતમાં નર્મદે સર્વદેનો મંત્ર આપનારા મુખ્યમંત્રીશ્રીએ રર૦૦ કી.મી.ની
પીવાના પાણીની પાઇપલાઇનથી નર્મદા આધારિત કેનાલ દ્વારા હરણફાળ ગતિથી આગળ
ધપાવેલું છે અને હાલ નર્મદા કેનાલ નેટવર્કના બ્રાન્ચ, માઇનોર અને સબ
માઇનોર ડિસ્ટ્રીબ્યુટરીના કામો નિર્ધારિત સુધારેલા સમયપત્રક પ્રમાણે આગળ
ચાલી રહ્યા છે. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ દુનિયાના અજોડ એવા કેનાલ
સોલાર પાવર પેનલનો પાઇલોટ પ્રોજેકટ સાકાર કરીને દેશ અને દુનિયાને નવો રાહ
બતાવ્યો છે.
આ ટ્રસ્ટની બેઠકમાં મહેસૂલમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શહેરી વિકાસ
જળસંપત્ત્િા મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, મુખ્યમંત્રીશ્રીના સલાહકારશ્રી
બી. એન. નવલાવાલા, મુખ્યસચિવશ્રી એ. કે. જોતી, સરદાર સરોવર નર્મદા નિગમના
મેનેજિંગ ડિરેકટરશ્રી એસ. જગદીશન અને વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા
હતા.
રાજયની નગરપાલિકાઓને પગાર ભથ્થા અનુદાન (ગ્રાન્ટ)માં ધરખમ વધારો કરતી રાજય સરકાર
શહેરની વસતી મુજબ માથાદીઠ રૂા. ૬૦/- લેખે ગ્રાન્ટ મળશેઃ દર વર્ષે અંદાજે
રૂા. ૭પ કરોડથી વધુ રકમના અનુદાનો નગરપાલિકાઓને પગાર ભથ્થા માટે મળશે
ગુજરાત રાજયની ૧૫૯ નગરપાલિકાઓના શહેરી વિસ્તારોમાં ગુજરાત સરકારે પીવાના
પાણી, ભૂગર્ભ ગટર વ્યવસ્થા, રસ્તાઓ, બાગ-બગીચા, ગરીબો માટેના આવાસો અને
સ્વચ્છ, સુંદર શહેરો બનાવવા માટેના પ્રજાલક્ષી કામો માટે કરોડો રૂપિયાનું
અનુદાન આપ્યું છે જેનો લાભ નગરપાલિકાના લાખો નાગરિકો મેળવી રહયા છે. તેમજ
નગરપાલિકાઓની કામગીરીમાં સતત સુધારો અને વધારો થઇ રહયો છે ત્યારે
નગરપાલિકાઓ તેમના કર્મચારીઓના વધતા જતા પગાર ભથ્થાના ખર્ચને પહોંચી વળે
તે માટે અને આર્થિક રીતે નગરપાલિકાઓને સધ્ધર કરવા શહેરી વિકાસ વિભાગે
અત્યાર સુધી નગરપાલિકાઓને પગાર ભથ્થા અનુદાન પેટે શહેરની વસતીના માથાદીઠ
રૂા.૩૫ની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી તેમાં ધરખમ વધારો કરીને હવે ર૦૧૧ની
વસતી ગણતરી મુજબ દરેક શહેરોને રૂા.૩૫ના બદલે રૂા.૬૦ની ગ્રાન્ટ રાજય સરકાર
આપશે એમ શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે.
મંત્રીશ્રીએ ઉમર્યુ કે, આ વધારો થવાથી દરેક નગરપાલિકાઓને નગરપાલિકાના
કર્મચારીઓના પગાર ભથ્થા ખર્ચને પહોંચી વળવામાં વધુ મદદરૂપ થશે. શહેરી
વિકાસ વિભાગે નગરપાલિકાઓ પોતાના સ્વ ભંડોળની આવક પણ સારી રીતે વધારો કરે
અને જે વેરાઓ નગરપાલિકા ધ્વારા ઉઘરાવવામાં આવે છે તેમાં સારી વસુલાત કરે
તેને પ્રોત્સાહન આપવાનું પણ શહેરી વિકાસ વિભાગે નકકી કર્યુ છે.જે પ્રમાણે
નગરપાલિકાઓ વેરાની વસુલાત સારી રીતે કરે તે વસુલાતની ટકાવારીના ધોરણો
મુજબ પગાર ભથ્થા ગ્રાન્ટની ગણતરી કરતાં જે રકમ વધારે હશે તે મુજબ
નગરપાલિકાઓને રાજય સરકાર ધ્વારા પગાર ભથ્થા માટેનું અનુદાન અપાશે જેમાં,
જે નગરપાલિકાઓ કરવેરાની ૮૦ ટકા કરતાં વધુ વસુલાત કરશે તેમને મહેકમ ખર્ચના
પગાર ભથ્થાની પ૦ ટકા જેટલી રકમ અનુદાન તરીકે રાજય સરકાર આપશે. આ વધારો
થવાથી રાજયની ૧૫૯ નગરપાલિકાઓને મળતા પગાર ભથ્થા અનુદાનમાં દર વર્ષે
અંદાજે રૂા. ૭૫ કરોડથી વધુ રકમની મદદ રાજય સરકાર નગરપાલિકાઓને આપશે.
જાહેર આરોગ્ય સામે મુખ્ય સમસ્યા
ઍનોફિલીસ માદા મચ્છર કરડવાથી થતો વાહકજન્ય રોગ મેલેરિયા
મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ અમલીકરણ બાદ ભારતમાં અને ગુજરાતમાં
મેલેરિયાના કેસો ધટી રહ્યા છે
ગુજરાતમાં ખાસ કરીને પી. વાઇવેક્ષ અને પી.ફાલ્સીપેરમ પ્રકારનો મેલેરિયા જોવા મળે છે
ફિવર સર્વેલન્સ હેઠળ લોહીના નમૂનાઓના નિદાન થકી મેલેરિયાની સંપૂર્ણ સારવાર
મેલેરિયાથી જોખમી ગામો-વિસ્તારોમાં જંતુનાશક દવા છંટકાવ આ વર્ષે ૫૮.૫૬
લાખની વસ્તીને આવરી લેવાશે
દવાયુક્ત ૨૫.૪૭ લાખ મચ્છરદાની ૫,૯૬,૭૦૦ નંગ લોંગ લાસ્ટીંગ ઇમ્પ્રીગ્નેટેડ
બેડ નેટ્સનું વિતરણ
જનસમુદાયને આરોગ્ય શિક્ષણના માધ્યમોથી માહિતગાર કરવાની કામગીરી
આલેખન ઃ ભાનુપ્રસાદ દવે
ભારત જેવા ઉષ્ણ કટીબંધમાં આવતાં દેશોમાં વાહકજન્ય રોગો ખાસ કરીને મચ્છરો
દ્વારા ફેલાતો મેલેરિયાનો રોગ ""જાહેર આરોગ્ય'' સામે એક મુખ્ય સમસ્યા છે.
મેલેરિયા એ એનોફિલીસ નામના મચ્છર દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં
ફેલાતો રોગ છે. એનોફિલીસ માદા મચ્છર મેલેરિયાના દર્દીને કરડે ત્યારે
તેનામાંથી "પ્લાઝમોડિયમ' નામના પરોપજીવી જંતુને લોહી સાથે ચૂસી લે છે. આ
મચ્છર જ્યારે તંદુરસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે તેને મેલેરિયાનો ચેપ
લાગે છે અને તંદુરસ્ત વ્યક્તિને મેલેરિયા થાય છે.
ઇ.સ. ૧૯૫૦ પહેલાં ભારતમાં મેલેરિયા જાહેર આરોગ્યનો પ્રથમ નંબરનો પ્રશ્ન
હતો. દર પ વ્યક્તિમાંથી 1 વ્યક્તિને મેલેરિયા થતો હતો અને દર વર્ષે ૮ લાખ
મૃત્યુ તો માત્ર મેલેરિયામાંથી થતા હતા. વર્ષે ૭૫૦ લાખ મેલેરિયાના કેસો
નોંધાતા હતા. મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ અમલી બન્યા બાદ આ કેસોની
સંખ્યા ધટીને ૨૦ થી ૩૦ લાખ વચ્ચે થયા. ગુજરાતમાં પણ હાલમાં 1 લાખથી ૧.૫
લાખ કેસો નોંધાય છે.
મેલેરિયા રોગના લક્ષણો ઃ
મેલેરિયાના દર્દીને સખત ઠંડી લાગે છે, ધ્રુજારી આવે છે, જે અડધો કલાકથી
બે કલાક ચાલે છે. ૮ થી ૧૨ કલાક તીવ્ર તાવ આવે છે. તાવ દરરોજ અથવા એક
દિવસના આંતરે આવે છે. માથું, શરીર દુઃખે છે, કળતર, ઉબકા, ઉલટી થાય છે.
તાવ ઉતરે ત્યારે ખૂબ જ પરસેવો વળે છે.
જવાબદાર એનોફિલીસ મચ્છર ઃ
એનોફિલીસ મચ્છર મેલેરિયા માટે જવાબદાર છે. ચોખ્ખા પાણીમાં ઇંડા મૂકે છે.
દર ત્રીજા દિવસે માનવશરીરમાંથી લોહી ચૂસે છે અને વિકસીત ઇંડા મુકવા સક્ષમ
બને છે. "પ્લાઝમોડિયમ' જેવા પરોપજીવી જીવાણું મચ્છરના પેટમાં વિકાસ પામે
છે. આ મચ્છર તંદુરસ્ત વ્યક્તિને કરડે છે અને જીવાણું શરીરમાં દાખલ થાય
છે. આ જીવાણું અલગ-અલગ તબક્કામાંથી પસાર થઇને માણસના લીવરમાં વૃદ્ધિ પામે
છે. રોગનો ફેલાવો થતાં લગભગ ૨૧ દિવસનો સમય લાગે છે.
મેલેરિયા નિદાન ઃ
મેલેરિયાના નિદાન માટે લોહીની તપાસ કરાવવી ખુબ અગત્યનું છે. કારણ કે,
મેલેરિયાનું નિદાન, લક્ષણો અને ચિન્હોને આધારે ખાતરીપૂર્વક કરી શકાતું
નથી. જ્યારે તાવ આવે ત્યારે ગામના તાવ સારવાર કેન્દ્ર, આરોગ્ય કાર્યકર કે
મેલેરિયા કડી કાર્યકર અથવા નજીકના સરકારી દવાખાને લોહીની મફત તપાસ કરાવો
અને જો મેલેરિયાનો તાવ હોય તો સંપૂર્ણ સારવાર વિના મૂલ્યે આપવામાં આવે
છે. મેલેરિયાના માઇક્રોસ્કોપીક પરિક્ષણ દરમિયાન મેલેરિયાની કુલ ચાર જાતિ
માલુમ પડે છે. (૧) પ્લાઝમોડિયમ વાઇવેક્ષ, (૨) પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ,
(૩) પ્લાઝમોડિયમ મેલેરી અને (૪) પ્લાઝમોડિયમ ઓવેલ. ગુજરાતમાં ખાસ કરીને
પી. વાઇવેક્ષ અને પી. ફાલ્સીપેરમ પ્રકારના મેલેરિયા જોવા મળે છે. જેમાં
પી. ફાલ્સીપેરમ ગંભીર પ્રકારનો મેલેરિયા છે, તેનાથી મૃત્યુ પણ થઇ શકે છે.
મેલેરિયાની સારવાર અને સાવચેતી ઃ
કોઇ પણ તાવ મેલેરિયા હોવાની સંભાવનાને ધ્યાનમાં લઇ લોહીની તપાસ કરાવવી
અને પ્રાથમિક સારવાર રૂપે ક્લોરોક્વીન લેવી. માઇક્રોસ્કોપી પરિક્ષણમાં
મેલેરિયા માલુમ પડે તો આરોગ્ય કાર્યકરની સલાહ મુજબ મેલેરિયાની સારવાર
લેવી. મેલેરિયાની સારવાર માટે ઉંમર પ્રમાણે ક્લોરોક્વીન અને પ્રીમાક્વીન
આપવામાં આવે છે.
સગર્ભા માતા અને એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રાઇમાક્વીન આપવાની નથી.
દવા ખાલી પેટે લેવી નહીં. મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરવો. પાણી ભરેલા
તમામ વાસણો, પીપ, ટાંકા-ટાંકી વગેરેનો હવાચુસ્ત રીતે ઢાંકીને રાખો તેમજ
અઠવાડિયામાં એક વાર ખાલી કરી સાફ કરો. મચ્છરો સ્વચ્છ અને બંધિયાર પાણીમાં
ઇંડા મૂકે છે માટે, ધરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દો. નાના
ખાડા-ખાબોચિયાં પુરી દો, પાણી વહેવડાવી દો. જ્યાં પાણીનો નિકાલ ન થઇ શકતો
હોય તેવી જગ્યાઓ પર કેરોસીન કે બળેલા ક્રૂડ તેલ કે અન્ય ઉપલબ્ધ તેલનો
છંટકાવ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, ફુવારા, જળાશયો વગેરેમાં
પોરાભક્ષક ગપ્પી માછલીઓ મૂકો કે જે મચ્છરના પોરા ખાઇ જાય છે. સ્વબચાવ
માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાની વધુ
ઉપયોગી થઇ શકે. જંતુનાશક દવા છંટકાવ કરવી.
રાજ્ય સરકારે હાથ ધરેલાં પગલાં ઃ
દર વર્ષે રાજ્યની વસ્તીને ભારત સરકારના ધોરણોનુસાર ફિવર સર્વેલન્સ હેઠળ
આવરી લઇ તાવના કેસોના લોહીના નમૂનાઓના નિદાન થકી જાહેર થતાં મેલેરિયાના
કેસોને સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે. મેલેરિયાની પરિસ્થિતિના આધારે દર
વર્ષે જોખમી ગામો / વિસ્તારો અલગ તારવી તેમાં જંતુનાશક દવા છંટકાવ હેઠળ
આવરી લેવામાં આવેલ છે. ગત વર્ષે ૪૪.૨૦ લાખની જોખમી વસ્તીને જંતુનાશક દવા
છંટકાવ હેઠળ આવરી લીધેલ. જ્યારે વર્ષ ૨૦૧૨માં છંટકાવની કામગીરી શરૂ
કરવામાં આવેલ છે જેમાં મેલેરિયા માટે જોખમી એવી ૫૮.૫૬ લાખની વસ્તીને આવરી
લેવામાં આવશે.
મેલેરિયા માટેના જોખમી વિસ્તારોમાં જંતુનાશક દવા છંટકાવ ઉપરાંત
મચ્છરદાનીને દવાવાળી કરીને પૂરી પાડવાની કામગીરી પણ અમલી છે. વર્ષ
૨૦૧૧માં જનસમુદાયમાં ઉપલબ્ધ ૨૫.૪૭ લાખ મચ્છરદાનીને દવાયુક્ત કરવામાં આવી
હતી અને આ કામગીરી વર્ષ ૨૦૧૨માં પણ ચાલુ છે. સાદી મચ્છરદાની ઉપરાંત
૫,૯૬,૭૦૦ નંગ લોંગ લાસ્ટીંગ ઇમ્પ્રીગ્નેટેડ બેડ નેટ્સ પણ જોખમી
વિસ્તારોમાં પૂરી પાડવામાં આવેલ છે. રાજ્યના તમામ વિસ્તારોમાં મચ્છર
ઉત્પત્ત્િા નિયંત્રણ કામગીરી અઠવાડિક ધોરણે હાથ ધરવામાં આવે છે. રોગ
નિયંત્રણ કામગીરીમાં લોકોનો સહકાર પ્રાપ્ત થાય તે માટે જનસમુદાયને આરોગ્ય
શિક્ષણના જુદા જુદા માધ્યમો મારફતે માહિતગાર કરવામાં આવે છે.