કલેકટર શ્રી પી. સ્વનરૂપે લીલી ઝંડી આપી પ્રસ્થાલન કરાવી
તા.પમી જૂન-૨૦૧૨ વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી નિમિત્તે ગુજરાત પ્રદૂષણ
નિયંત્રણ બોર્ડ, ગાંઘીનગર અને ગુજરાત ઇકોલોજી કમિશન, ગાંઘીનગરના સંયુકત્ત
ઉપક્રમે આજરોજ સવારે ૮.૦૦ કલાકે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું
હતું. આ રેલીને ઉઘોગભવન ખાતેથી જિલ્લાસ કલેકટર શ્રી પી. સ્વ રૂપે લીલી
ઝંડી આપીને પ્રસ્થા ન કરાવી હતી. નગરજનોમાં પર્યાવરણને લગતા વિવિઘ
મુદાઓ, ટકાઉ વિકાસ અંગે અને પર્યાવરણને નડતી સમસ્યાઓ દૂર કરવાના વિવિઘ
ઉપાયો અંગેની લોક જાગૃતિ કેળવાય તેવા ઉમદા આશયથી આજરોજ વિશ્વ પર્યાવરણ
દિન નિમિત્તે સાયકલ રેલી યોજાઇ હતી. જેમાં વિવિઘ સ્થાઓનિક સરકારી
કચેરીઓના અઘિકારીશ્રીઓ, સામાજિક તથા ઔઘોગિક સંગઠનો, શૈક્ષણિક સંસ્થાાઓ
સહિત પર્યાવરણપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલીને ઉઘોગ ભવન
ખાતેથી જિલ્લાિ કલેકટર શ્રી પી. સ્વ્રૂપે લીલી ઝંડી આપીને પ્રસ્થાંન
કરાવી હતી. ત્યાંથી આ રેલી નગરના ઘ-૪, ઘ-૩, ચ-૩, ચ-૪ સર્કલથી વળીને
ઉઘોગભવન પરત આવી હતી. રેલીમાં જોડાયેલ સર્વે નગરજનોએ પર્યાવરણ અંગેની
લોકજાગૃતિ કેળવતા સૂત્રો પોકાર્યા હતા. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર
શ્રી સી.આર. ખરસાણ, જિલ્લાૂ પોલીસ વડા શ્રી અર્ચના શિવહરે, ગુજરાત
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ,ગાંઘીનગરના પ્રાદેશિક અઘિકારી શ્રી સી.એ.શાહ અને
નિર્સર્ગ કોમ્યુનીટી સાયન્સ સેન્ટરના ટ્રસ્ટીત શ્રી અનિલભાઇ પટેલ સહિત
અનેક મહાનુભાવો ઉપસ્થિાત રહયાં હતાં.
ગાંઘીનગર જિલ્લામાં કૃષિ મહોત્સવ અંતર્ગત ૯૫ ગામોમાં કૃષિ મહોત્સવના
કાર્યક્રમ યોજાયા, ૫૩૮૪ લાભાર્થીઓને કીટનું વિતરણ કરાયું
ગાંઘીનગર જિલ્લાીમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ તા.૬ મે-૨૦૧૨ના રોજ ઉનાવા
ખાતેથી થયો હતો. તા.૩૧મી મે-૨૦૧૨ સુઘીમાં જિલ્લાષના ૯૫ ગામોમાં કૃષિ
મહોત્સવના કાર્યક્રમ યોજાયા છે. કૃષિ મહોત્સવ અંતર્ગત કુલ ૫૩૮૪
લાભાર્થીઓને કૃષિ, બાગાયત અને પશુપાલનની કિટૂસનું વિતરણ કરવામાં આવ્યું
છે. ૯૫ પશુ આરોગ્ય મેળાઓ યોજીને ૩૬૧૬૭૭ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું
હતું. જેમાં કુલ-૫૦,૫૧૧ પશુઓની તપાસ કરવામાં આવી છે.૯૩૨૩ પશુઓનું કૃત્રિમ
બીજદાન કરવામાં આવ્યું છે. તેમજ કૃષિ મહોત્સવ કાર્યક્રમ દરમ્યાન
કૃષિક્ષેત્રે લોકજાગૃતિ કેળવાય તેવા ૨૭૨૫ ભીંતસૂત્રો લખવામાં આવ્યા છે.
જિલ્લામ પ્રભારી મંત્રી શ્રી જયસિંહ ચૌહાણની ઉપસ્થિળતિમાં તા.૬
મે-૨૦૧૨ ના રોજ ગાંઘીનગર તાલુકાના ઉનાવા ગામ ખાતે જિલ્લા કક્ષાના કૃષિ
મહોત્સવનો પ્રારંભ થયો હતો. તા. ૩૧ મે-૨૦૧૨ સુઘીમાં દરેક તાલુકામાં
તાલુકા પંચાયતની સીટમાંથી એક ગામ પસંદ કરી ત્યાં કૃષિ મહોત્સવનો
કાર્યક્રમ યોજાયો છે.કૃષિ મહોત્સવ અંતર્ગત દહેગામ તાલુકામાં કૃષિની -
૬૬૯, બાગાયતની-૫૯૬, પશુપાલનની-૪૭૦, ગાંઘીનગર તાલુકામાં કૃષિની-૪૮૭,
બાગાયતની-૪૪૧, પશુપાલનની-૩૬૫, કલોલ તાલુકામાં કૃષિ-૪૯૨, બાગાયતની-૪૩૩,
પશુપાલનની-૩૫૦ અને માણસા તાલુકામાં કૃષિ-૩૮૬, બાગાયતની-૩૬૫,
પશુપાલનની-૩૩૦ કિટૂસનું વિતરણ કરવામાં આવ્યું છે. ગાંઘીનગર તાલુકામાં
૪૦ સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ ગાંઘીનગર,
કલોલ,દહેગામ અને માણસા તાલુકા માંથી સોઇલના કુલ- ૨૨૫૬૦ નમુના લેવામાં
આવ્યા છે.૧૦૧૩૮ સોઇલ હેલ્થે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત
દહેગામ તાલુકામાં ૩૬૯, કલોલ તાલુકામાં ૬૭, ગાંઘીનગર તાલુકામાં ૬ અને
માણસા તાલુકામાં ૪૫૧ મળીને કુલ-૮૯૩ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા
છે. બેંકેબલ યોજના હેઠળ કુલ-૩૨ ને લાભ આપવામાં આવ્યો છે. પશુ આરોગ્ય
મેળામાં દહેગામ તાલુકામાં ૧,૧૬,૧૮૬ , ગાંઘીનગર તાલુકામાં ૧,૨૦,૨૦૭, કલોલ
તાલુકામાં ૪૪,૧૦૭ અને માણસામાં ૮૧,૧૭૭ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
તેમજ દહેગામ તાલુકામાં ૧૪૯૪, ગાંઘીનગર તાલુકામાં ૨૯૧૫, કલોલ તાલુકામાં
૧૩૭૪ અને માણસામાં ૩૫૪૦ પશુઓનું કૃત્રિમ બીજદાન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત કૃષિ મહોત્સવ અંતર્ગત દહેગામ તાલુકામાં ૮૮૦, ગાંઘીનગર તાલુકામાં
૯૪૨, કલોલ તાલુકામાં ૪૧૭ અને માણસામાં ૪૮૬ લોક જાગૃતિ કેળવાય તે માટે
ભીંત સૂત્રો લખવામાં આવ્યા છે. ૬૮ ગામોમાં ગામ શુશોભન, ૩૭ ગામોમાં
પરંપરાગત માઘ્યમના સાંસ્કૃતતિક કાર્યક્રમો અને ૬૯ ગામોમાં કૃષિની
સાઘનસામગ્રીનો ડેમો કરવામાં આવ્યો હતો. આ કૃષિ મહોત્સવ દરમ્યાન કૃષિ
વૈજ્ઞાનિકો-તજજ્ઞો, પ્રગતિશીલ ખેડૂતોએ કૃષિલક્ષી માહિતી-માર્ગદર્શન
આપ્યાહ હતા. કૃષિ રથ સાથે પ્રદર્શિત કૃષિ પ્રદર્શનનો લાભ ગ્રામજનોએ બહોળી
સંખ્યામાં લીઘો હતો.સ્થાશનિક પદાઘિકારીઓ, અગ્રણીઓ, ખેડૂતો, મહિલાઓએ કૃષિ
મહોત્સવનો લાભ લીઘો હતો.
સાંતલપુર સેકશનના ૧૯ ગામોને પીવાના પાણીની સુવિધા માટે વધુ પગલા લેવાયા.''
સાંતલપુર જૂથ યોજનાના સાંતલપુર સેકશનના ૧૯ ગામોને પીવાના પાણીની તકલીફ
દૂર કરવા માટે ધારાસભ્ય શ્રી શંકરભાઇ ચૌધરીની મંત્રીશ્રી પાણી પુરવઠાને
કરેલ રજુઆત અન્વમયે પાણી પુરવઠા બોર્ડના મુખ્યભ ઇજનેર કક્ષાના અધિકારીઓની
ટીમ મોકલીને તાત્કાીલીક પાણીનો જથ્થો વધુ પુરો પાડવા માટેના પગલાઓ સુચવેલ
અને તેનો અમલ બોર્ડ દ્વારા શરૂ કરાવેલ છે. જેમાં બોર્ડના હયાત પાતાળકુવાઓ
ઉપર મશીનરી બદલીને ૯૦ લાખ લીટર પાણીનો જથ્થો વધારેલ છે. રાધનપુર-સાંતલપુર
મુખ્ય પાઇપલાઇન ઉપરના કાયદેસર અને ગેર કાયદેસર ખાનગી કનેક્શનો બંધ કરાવેલ
છે. સાંતલપુર હેડ વર્કસમાં ૧૯ ગામોમાં પાઇપલાઇનથી પાણી પુરવઠો જાળવવા
માટે વારાહી હેડ વર્કસમાં ઇન્ટરમીડીએટ પંપીંગ શરૂ કરવા માટે ૪૫૦ મીટર
પાઇપલાઇનનું કામ ફક્ત ત્રણ દિવસમાં પૂર્ણ કરાવેલ છે, જેનાથી સાંતલપુર
સેક્શનમાં પાણીનો જથ્થો વધશે.
દરમ્યાન બોર્ડના અને ભાડાના ટેન્કરો, પાઇપથી ખુટતો જથ્થો મેળવવામાં જયાં
મુશ્કેલી હોય ત્યાં પુરો પાડવાની વ્યવસ્થા શરૂ કરાવેલ છે. વારાહી હેડ
વર્કસ ઉપર એક વધુ પાતાળકુવો શરૂ કરાવીને વધારાનો પાણીનો જથ્થો ઉપલબ્ધ
કરાવેલ છે. રાધનપુર શહેર માટે સાતુન રોડ ઉપરનો પાતાળકુવો શરૂ કરવાની
કાર્યવાહી પ્રગતિમાં છે. લાંબાગાળાના આયોજન તરીકે એક્ષપ્રેસ લાઇનની
મંજૂરી આપવામાં આવેલ છે. વાવ તાલુકાના કટાવ જૂથ યોજનાના છેવાડાના ૮
ગામોમાં પુરતો જથ્થો મળી રહે તે માટે નવિન પંપીંગ મશીનરી શરૂ કરીને પાણી
પુરવઠો વધારેલ છે તેમજ ધ્રેણચા ખાતેના જી.ડબલ્યુ.આર.ડી.સી નો પાતાળકુવો
મેળવીને વધારાનો પાણીનો જથ્થો મેળવેલ છે. તેમજ વાવ-થરાદ તાલુકા માટે જરૂર
જણાયે ખાતાના ચાર ટેન્કર, સ્ટેન્ડ બાય વ્યવસ્થા માટે રાખવામાં આવેલ છે
તેમ કાર્યપાલક ઇજનેરશ્રી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ જલભવન-રાધનપુર
દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
ડિપ્લોનમાં ઇન હેન્ડલુમ ટેકનોલોજી કોર્ષમાં પ્રવેશ મેળવવા અંગે.
ભારત સરકાર સંચાલિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ હેન્ડલુમ ટેકનોલોજી, જોધપુર
(રાજસ્થાન) ખાતે જુલાઇ-૨૦૧૨ થી શરૂ થતાં ત્રણ વર્ષના ડિપ્લોટમાં ઇન
હેન્ડલુમ ટેકનોલોજી કોર્ષના પ્રથમ વર્ષમાં દાખલ થવા ઇચ્છતા તથા નીચે
મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ સાદા અરજી પત્રકમાં જરૂરી પ્રમાણપત્રોની
નકલો સાથે કમિશનર, કુટીર અને ગ્રામોધોગ, બ્લોક નં.૭/૧, ઉધોગભવન, ઘ-૪,
સેક્ટર-૧૧, ગાંધીનગરની કચેરીને તા.૧૩/૬/૨૦૧૨ સુધીમાં મળી જાય તે રીતે
અરજી મોકલી આપવાની રહેશે. અરજી કરનાર ઉમેદવારે પોતાનો મોબાઇલ નંબર અવશ્ય
લખવાનો રહેશે.
જેના માટે જરૂરી લાયકાત આ પ્રમાણે છે. ઉમેદવારે ધોરણ-૧૦ અંગ્રેજી વિષય
સાથે ૪૫ ટકા માર્કસ સાથે પાસ કરેલ હોવું જોઇએ, ગણિત વિજ્ઞાનના વિષયોમાં
ઓછામાં ઓછા ૫૦ ટકા માર્કસ મેળવેલ હોવા જોઇએ. અનુસૂચિત જાતિ, અનુ.જનજાતિના
ઉમેદવારો માટે ૫ ટકાની છુટછાટ આપવામાં આવશે. ઉમેદવારની વય મર્યાદા
તા.૧/૭/૨૦૧૨ના રોજ ૧૫ થી ૨૧ વર્ષ હોવી જોઇએ. તથા અનુ.જાતિ અને
અનુ.જનજાતિના ઉમેદવારો માટે ૧૫ થી ૨૩ વર્ષની હોવી જોઇએ. ત્રણ વર્ષના
કોર્ષ માટે પસંદ થયેલ ઉમેદવારને તેની નિયમિતતા અને કામગીરી ધ્યાને લઇ
પ્રથમ વર્ષ રૂા.૪૦૦/-, બીજા વર્ષે રૂા.૪૫૦/-, અને ત્રીજા વર્ષે રૂા.૫૦૦/-
લેખે માસિક શિષ્ય.વૃતિ સંસ્થા તરફથી ચૂકવવામાં આવશે. પસંદગી પામેલ
ઉમેદવારે સ્ટાઇપેન્ડ બોન્ડ આપવાનું રહેશે. રૂબરૂ પસંદગી માટે બોલાવવામાં
આવે ત્યારે ઉમેદવારે પોતાના ખર્ચે હાજર રહેવાનું રહેશે. તેવું ટેક્ષ્ટા
ઇલ સંયુક્ત નિયામકશ્રી બી.એ.શાહએ જણાવ્યું છે.
શક્તિદૂત યોજના હેઠળ ચેમ્પિયન્સ તૈયાર કરવા અંગે.''
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જણાવ્યાં પ્રમાણે રાજયમાં
પ્રતિભાશાળી ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને ધ્યાને લઇને તેમને જરૂરીયાતના
ધોરણે (NEED BASE) રમતગમતની સંલગ્ન સુવિધાઓ પુરી પાડી EXCELLENCE તરફ લઇ
જઇ ચેમ્પિયન્સ તૈયાર કરવાનો આ યોજનાનો ધ્યેય છે. આ યોજના અંતર્ગત
રમતવીરને સહાય આપવા અંગે નીચે દર્શાવેલ લાયકાત હોવી જરૂરી છે. સ્કુલ
ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય રમતો, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન
ગેમ્સ તથા આફો એશિયન ગેમ્સ અને ઓલમ્પિક્સમાં સમાવિષ્ટ્ રમતોને માન્ય
ગણવામાં આવશે. ૧૨ થી ૨૦ વર્ષ સુધીની ઉંમર લક્ષમાં લેવામાં આવશે.(ઉંમરની
ગણતરી જે તે વર્ષની તા.૩૧ ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને ગણતરી કરવાની
રહેશે.) વધુમાં ઉંમરના કિસ્સામાં ખેલાડીઓના ગુણદોષના આધારે ખાસ કિસ્સા
તરીકે સરકારશ્રીની મંજુરીને આધીન સહાય આપવા વિચારણા કરી શકાશે. માન્ય ઓલ
ઇન્ડિયા ફેડરેશન દ્વારા યોજાતી ઓપન વિભાગની જુનિયર/સબ જુનિયર સ્પર્ધાઓમાં
વિજેતા થનાર ખેલાડીઓને તેમની સિધ્ધિની અગ્રતાના ધોરણે આ યોજનામાં
સમાવિષ્ટબ કરવામાં આવશે. આ યોજના માટે પસંદગી પામતા ખેલાડીની અગાઉ બે
વર્ષની રમતગમતની સિધ્ધિઓ ધ્યાને લેવામાં આવશે. અરજદારે ઓન-લાઇન અરજી
કરવાની રહેશે. અરજીપત્રક તથા વિશેષ માહિતી કચેરીની વેબસાઇટ
www.sycd.gujarat.gov.in પર રાખવામાં આવેલ છે. ઓન-લાઇન અરજી તા.૧/૬/૨૦૧૨
થી તા.૩૦/૬/૧૨ દરમ્યાન રાત્રીના ૧૧.૫૯ સુધી કરી શકાશે. અરજદારે ઓન-લાઇન
અરજીપત્રકમાં સંપૂર્ણ વિગતો ભરીને તેની પ્રિન્ટ મેળવીને અરજીપત્રકમાં
દર્શાવ્યા પ્રમાણેની વિગતો મુજબના જરૂરી પ્રમાણપત્રો, આધાર-પુરાવા સાથે
સામેલ રાખીને અરજીપત્રક સંબધિત જિલ્લાના સિનિયર કોચ, જિલ્લા રમત
પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીને તા.૧૫/૭/૨૦૧૨ સુધીમાં પહોંચાડવાની રહેશે.
સમયમર્યાદામાં ન મોકલેલ અરજી કોઇપણ સંજોગોમાં સ્વીકારવમાં આવશે નહીં.
જેની ખાસ નોંધ લેવા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવશ્રી એમ.એ.પંડ્યાએ
જણાવ્યું છે.
નિરાધાર પૂર્વ સૈનિકો/દિવંગત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ માટે મર્યાદિત
સંખ્યામાં આશ્રય સ્થાન.''
ગુજરાતના નિરાધાર પૂર્વ સૈનિકો/ દિવંગત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ માટે
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટ અને વડોદરા ખાતે
મર્યાદિત સંખ્યામાં આશ્રય સ્થાન બનાવવાની યોજના વિચારણા હેઠળ હોઇ નિરાધાર
પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ કે જેઓને દેખભાળ કરવા માટે
કોઇ પુત્ર ન હોય તેવાઓએ નીચે મુજબની માહિતી, જિલ્લા સૈનિક કલ્યાણ અને
પુનર્વસવાટ કચેરી, હિંમતનગર ખાતે નીચે જણાવેલ માહિતી સાથે જરૂરી આધાર
પુરાવા જેવા કે પી.પી.ઓ, ડિસ્ચાર્જ બુક, બેંકની પાસબુક, ઓળખપત્ર વગેરે
સાથે રૂબરૂ મુલાકાત લઇ તા.૧૫/૦૭/૨૦૧૨ સુધી નોંધણી કરાવી શકાશે. જેના માટે
આઇ કાર્ડ નંબર, સર્વિસ નંબર, રેન્ક, નામ, રેજીમેન્ટ/કોર, જન્મ તારીખ,
ભરતી તારીખ, છુટા થયાની તારીખ, સરનામું, બેંક ખાતાની વિગત, બ્લડ ગૃપ,
મોબાઇલ નંબર, ટુંકમાં તબીબી ઇતિહાસ, રીમાર્કસ વગેરે અંગના કોલમમાં વિગતો
ભરી મોકલવાની રહેશે.
વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી પ્રસંગે અંબાજી ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા.''
કલીન અને ગ્રીન અંબાજી બનાવવા હાથ ધરાયેલ અભિયાન.''
પર્યાવરણનું સરસ રીતે જતન કરીને પૃથ્વી ઉપરના સંકટને દૂર કરીએ.----
ચેરમેનશ્રી મહેન્દ્ર્ભાઇ ત્રિવેદી
પ્રસિધ્ધા તીર્થસ્થાનન અંબાજી મુકામે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી પ્રસંગે
યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રીભાઇ ત્રિવેદીના હસ્તેમ
વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અંબાજી તીર્થસ્થાટનને કલીન અને ગ્રીન
બનાવવા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યુસ છે. ઉલ્લે્ખનીય છે કે અંબાજી
ખાતે સ્વજચ્છટતા ખુબ સરસ રીતે જળવાય તથા નિયમિત રીતે એકત્ર કરાતા કચરાને
યોગ્યવ પધ્ધયતિ વડે નિકાલ કરીને વેસ્ટસમાંથી બેસ્ટી બનાવીને વાર્ષિક રૂ.
૧ કરોડની આવક અંબાજી મુકામેથી મેળવવાનું સુનિશ્ચિત આયોજન પણ કરવામાં
આવ્યુંત છે. આ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેનશ્રી
મહેન્દ્રસભાઇ ત્રિવેદીએ જણાવ્યુંુ હતુ કે, પર્યાવરણનું સરસ રીતે જતન
કરીને પૃથ્વી ઉપરના સંકટને દૂર કરીએ શ્રી ત્રિવેદીએ કહ્યું હતુ કે પાણીનો
કાળજીભર્યો ઉપયોગ તેમજ વૃક્ષોનો ઉછેર કરીને તથા સ્વેચ્છશતા જાળવીને
પર્યાવરણ જાળવવાની આપણી સૌની ફરજ છે. અંબાજી ખાતે સ્વનચ્છતા માટે હાથ
ધરાયેલ પ્રોજેકટ અંગે પ્રસન્નીતા વ્યવકત કરતાં તેમણે કહ્યું કે, આ
અભિયાનથી અંબાજી તીર્થસ્થાથન દેશભરમાં પ્રેરણાદાયી બનશે. સમગ્ર બનાસકાંઠા
જીલ્લાીમાં ગામડે ગામડે બાયોગેસ પ્લાઅન્ટ્સજ બનાવવા પણ તેમણે ભારપૂર્વક
જણાવ્યુંદ હતુ. શ્રી ત્રિવેદીએ કહ્યુ કે સ્વાચ્છાતા માટે અંબાજી ખાતે
યજ્ઞનો પ્રારંભ થયો છે તેમણે કહ્યું કે, અંબાજી મુકામે કચરાના યોગ્યુ
નિકાલથી વાર્ષિક રૂ. એક કરોડની આવક થશે. જેનો લાભ આ કામ સાથે સંકળાયેલ
સખી મંડળની બહેનોને મળશે. કલેકટર શ્રી જે. બી. વોરાએ જણાવ્યુંક
હતુ કે સ્વેચ્છ તા માટેના આ વિશેષ અભિયાનથી અંબાજીમાં સ્વ ચ્છતા સારી
રીતે જળવાશે. કલેકટરશ્રીએ ટ્રસ્ટર દ્વારા અંબાજી ખાતે હાથ ધરાયેલ કરોડો
રૂપિયાના વિકાસકીય પ્રોજેકટની વિગતો જણાવી હતી. તેમણે કહ્યું કે બહુ
નજીકના સમયમાં અંબાજી તીર્થસ્થા્ન સમગ્ર દેશમાં અને વિદેશોમાં પણ
શ્રધ્ધાીળુઓના આકર્ષણનું કેન્દ્રક બનશે. જીલ્લાક વિકાસ અધિકારી
શ્રી બી. જે. ભટ્ટએ જણાવ્યુંટ કે અંબાજી ખાતે સ્વઞચ્છુતા માટે
પધ્ધનતિસરનું સુદ્રઢ આયોજન અને સરસ વ્યકવસ્થા્ કરવામાં આવી છે. તેમણે
ઉમેર્યુ કે આ અભિયાન અંતર્ગત અંબાજી ગામમાંથી એકત્ર કરાતા કચરાનો યોગ્ય
નિકાલ કરી તે ખાતરના ઉપયોગ માટે જીલ્લાા વન વિભાગને રૂ. એક કરોડ સુધી
વેચાણ કરવામાં આવશે. જેનો લાભ તે કામ સાથે સંકળાયેલ બહેનોને મળશે.
જીલ્લાર વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યુંા કે બનાસકાંઠામાં ભૂગર્ભ ગટર
યોજનાના કામો ઝડપભેર હાથ ધરવામાં આવ્યાંવ છે અને આ કામ સંતોષજનક રીતે
ચાલી રહ્યા છે. આ પ્રસંગે અંબાજી ખાતે ચાર સ્થયળોએ શૌચાલયનું
ખાતમુર્હત, સદ્દભાવના વન ખાતે વૃક્ષારોપણ, એસ. એલ. આર સાઇટ અનાવરણ અને
ટુલ એકઝીબેશન યોજાયા હતા. તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી્ અને જીલ્લાટ
વનવિભાગ દ્વારા કચરાની સ્લેારીના વેચાણ માટે રૂ. ૧ કરોડના એમ. ઓ. યુ
કરવામાં આવ્યાએ હતા.
બેઠકમાં CCF શ્રી ટી. આર એમ પ્રસાદ, વહીવટદારશ્રી એમ. એચ. જોષી, નાયબ વન
સંરક્ષકશ્રી એમ. એ. ચાવડા, અને શ્રી જે. બી. વ્યા સ, નિવાસી અધિક
કલેકટરશ્રી સુધીર પટેલ, સરપંચ શ્રીમતિ રાધાબેન તેરમા, અગ્રણીઓ, ગ્રામ
પંચાયતના સભ્યલશ્રીઓ વગેરે સારી સંખ્યાશમાં ઉપસ્થીધત રહ્યાં હતા.
























