સમાજમાં પોલીસના પ્રભાવની સાથે ગુનેગારોમાં પોલીસનો ભય પર હોવો જોઇએઃ નરોત્તમભાઇ પટેલ
સૂરત આજે મિનિ ભારત બની ગયું છે ત્યારે શહેરમાં શાંતિ જળવાય તે માટે પોલીસની જવાબદારી પણ વધી ગઇ છેઃ પર્યાવરણ મંત્રી મંગુભાઇ પટેલ
સૂરત શહેરના ૨૪માં ડુમસ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા પંચાયત મંત્રી
સૂરતઃ :- શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સાથે શાંતિનું વાતારણ રહે તે માટે સમાજ પર પોલીસનો પ્રભાવ હોવો ખૂબ જરૂરી છે. પોલીસની નજર પડતાની સાથે ગુનેગારો છટકીના શકે તેવી વ્યવસ્થા હોવાથી જોઇએ સાથે લોકોની સાથે નમ્રતાપૂર્ણ વ્યવહાર કરી લોકોમાં એક વિશ્વાસ પણ ઉભો કરવો જોઇએ. એવું રાજ્યના પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલે આજે સૂરત શહેરના ૨૪માં પોલીસ સ્ટેશન ડુમસનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું.
ઉમરા પોલીસ સ્ટેશનથી છુટુ પાડી ડુમસને એક અલગ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રીશ્રી પટેલે પોલીસને સૂચન કરતા જણાવ્યું કે, પોલીસનું સ્વરૂપ હંમેશા ઉપરથી કડક અને અંદરથી બિલકુલ નરમ પ્રકારનું હોવું જોઇએ. તેથી જ સમાજમાં એકતા અને શાંતિનું વાતાવરણ સર્જાઇ શકે છે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓને તેમના નીચેના અધિકારીઓને એવી રીતે તૈયાર કરવા જોઇએ જેથી તેઓ ઉચ્ચકક્ષાના અધિકારીઓની જેમ કામ કરી શકે ત્યારે પોલીસનું કામ સરળ અને વિશ્વાસપાત્ર બની શકશે. પોલીસની કામગીરી પર જ સરકારનો કેટલો કંટ્રોલ છે તેની તુલના થતી હોય છે. સરકારની ઇમેજ સારી રહે તે માટે પોલીસે રીયલ ઓફિસર બની પોતાની ફરજ બજાવવી જ જોઇએ.
આ પ્રસંગે મુખ્યમહેમાન તરીકે ઉપસ્થિ રહેલા પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલે જણાવ્યું કે, આજે સૂરતની વસ્તી ૫૦ લાખને પણ વટાવી ગઇ છે. સૂરતના વિકાસની સાથે સમગ્ર દેશમાંથી લોકો અહીં રોજી રોટી માટે આવે છે. સૂરત એક માત્ર એવું શહેર જ્યાં સમગ્ર દેશના લોકો જોવા મળે છે. જ્યારે વિવિધતા હોય ત્યાં ક્રાઇમ રેટ વધવાની સંભાવના રહે છે. ત્યારે શહેરમાં શાંતિનું વાતાવરણ બરકરાર રહે તે માટે પોલીસની જવાબદારી પણ વધી જાય છે. રાજ્ય સરકારે પાંચ વર્ષ સુધી ગામોમાં જો કોઇ ગુનો ન બને તો તેને તીર્થ ગામ જાહેર કરી તેને ઇનામ આપે છે. ત્યારે શહેરોમાં પણ લોકો પોતાની જવાબદારી સમજી ગુના ઓછો બને અને પોલીસ સ્ટેશનનો ઉપયોગ નહિવત થાય તેવી વ્યવસ્થા ઉભી કરવા સહયોગી બનવું જોઇએ.
રાજ્ય કુટીર ઉદ્યોગ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રીશ્રી રણજીતભાઇ ગીલીટવાલાએ કહ્યું કે, ગુજરાતનો વિકાસ શાંતિ, એકતા અને ભાઇચારાને કારણે થયો છે. સૂરતમાં શાંતિ છે તેમાં પોલીસનો ખૂબ મોટો ફાળો છે. દેશભારમાંથી લોકો સૂરતમાં શાંતિ જોઇને અહી વ્યવસાય કરવા રોજી કમાવવા માટે આવે છે. અસામાજિક તત્વો માટે ગુજરાતમાં કોઇ જગ્યા નથી એવું વાતાવારણ બની રહ્યું છે. તે પોલીસની યોગ્ય કામગીરીને આભારી છે.
આ પ્રસંગે શહેર પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થાનાએ જણાવ્યું કે, સૂરતમાં પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામેલા ડુમસમાં ઘણા લાંબા સમયથી પોલીસ સ્ટેશનની માંગણી થતી હતી. ત્યારે આજે પોલીસ સ્ટેશન બનવાથી લોકોએ તેનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે. સૂરતમાં અત્યાર સુધી ૨૧ પોલીસ સ્ટેશન એક ડીસીબી અને એક મહિલા પોલીસ સ્ટેશન મળી કુલ ૨૩ પોલીસ સ્ટેશન હતા હવે ડુમસમાં પોલીસ સ્ટેશન બની જતા સૂરતમાં પોલીસ સ્ટેશનની સંખ્યમાં ૨૪ થઇ ગઇ છે. ડુમસનું ખૂબ મહત્વ હોવાથી પોલીસ સ્ટેશન અહીએક પી.આઇ., પાંચ પીએસઆઇ સહિત કુલ ૫૦ પોલીસ કર્મચારીઓનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.
આ તકે મદદનીશ પોલીસ કમિશનર સુશ્રી વિધી ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ડીસીપી ઝોન -૨ શ્રી ડી.એન.પટેલે આભાર વિધી કરી હતી.
આ પ્રસંગે સૂરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ, શહેરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી રાજેન્દ્ર દેસાઇ, ધારાસભ્યો સર્વશ્રી કિશોરભાઇ વાંકાવાલા, કિરીટ પટેલ, કલેક્ટરશ્રી એ.જે.શાહ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી રેમ્યા મોહન, રેન્જ આઇજી શ્રી હસમુખભાઇ પટેલ, જોઇન્ટ પોલીસ કમિશનર રેન્જ-૧ શ્રી ઇ રાધાકૃષ્ણન, જોઇન્ટ પોલીસ કમિશનર રેન્જ -૨ શ્રી સંજય શ્રીવાસ્તવ, સૂરત જિલ્લા પોલીસવડા શ્રી પિયુષ પટેલ સહિત પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યાં હતા.
ફાજલ જમીનના નિકાલ માટેની બેઠક
સૂરતઃ ઓલપાડ તાલુકામાં ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી જમીનના નિકાલના કામે લેન્ડ કચેરીની મિટિંગ ઓલપાડ મામલતદાર કચેરી ખાતે તા. ૧૦મીના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે યોજવામાં આવી છે.
વિવિધ ગુનામાં કબજે કરાયેલા વાહનો છોડાવી લેશો અન્યથા હરાજી :
સૂરતઃ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુના હેઠળ છ ફોરવ્હીલર ગાડીઓ કબજે કરવામાં આવી છે. આ ગાડીઓના માલિકોએ પાંચ દિવસમાં પોતાના વાહનો છોડાવવા માટે જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે મહિધરપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. જો, આ સમયમર્યાદામાં કોઇ દાવેદાર નહીં આવે તો આ વાહનોની તા. ૮.૪.૨૦૧૨ના રોજ સચીન જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન ખાતે જાહેર હરાજી કરવામાં આવશે.
મિલકતદારો રેકર્ડ બાબતે વાંધા અરજી કરી શકે છેઃ
સૂરતઃ અડાજણની ટી.પી. સ્કીમ નંબર ૧૩ના ફાઈનલ પ્લોટ મુજબ સીટી સરવે રેકર્ડ નવેસરથી લખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તૈયાર થયેલી સીટી સરવે રેકર્ડનું પ્રમોલગેશન કરવાનું થતું હોવાથી, સીટી સરવે સુપ્રિન્ટેન્ડન્ટ(નગર આયોજન) સૂરતની કચેરી ( બહુમાળી મકાન, સી-બ્લોક, સાતમો માળ, નાનપુરા )માં તા. ૩.૫.૨૦૧૨ના રોજ રેકર્ડ પ્રમાણિત કરવામાં આવશે.
મિલકતદારોને તૈયાર થયેલા રેકર્ડ બાબતે વાંધો/ તકરાર હોય તો તેની લેખિત વાંધા અરજી આ નોટીસ પ્રસિધ્ધ થયાની તારીખથી રેકર્ડ પ્રમાણિત માટેની નક્કી થયેલી તારીખ સુધીમાં દસ્તાવેજી પુરાવા સાથે રજૂ કરી શકાશે. તૈયાર થયેલા રેકર્ડ જાહેર રજા સિવાયના દિવસમાં કચેરી સમય દરમિયાન સીટી સરવે સુપ્રિન્ટેન્ડન્ટ(નગર આયોજન) સૂરતની કચેરીએ જોવા મળશે.
વાપી ખાતે તા.૧૪મી એપ્રિલે સામાજિક જનજાગૃતિ કાર્યક્રમ મા-બાપને ભૂલશો નહીં યોજાશે :
ભાગદોડ ભરી જીંદગીમાં જ્યારે માનવીય મૂલ્યો મૃતઃપાય થઇ રહ્યા છે ત્યારે કૌટુંબિક સમરસતા જાળવી રાખવા માટે આગામી તા.૧૪મી એપ્રિલ, ર૦૧રનાં રોજ સામાજિક જનજાગૃતિ કાર્યક્રમ : મા-બાપને ભૂલશો નહીંનું આયોજન કરવામાં આવ્યું છે.
વાપી શહેરની સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તેમજ જુદા જુદા જ્ઞાતિ-સમાજના સંગઠનો દ્વારા આયોજિત મા-બાપને ભૂલશો નહીં કાર્યક્રમમાં આ વિષયે સમાજમાં અનોખી ચેતના જગવનારા શ્રી અશ્વિનભાઇ જોષી તેમના ગૃપ સાથે તેમની લાક્ષણિક શૈલીથી સામાજિક સંસ્કારોના પ્રેરણાદાયી અને હૃદયદ્રાવક પ્રસંગોથી પ્રેક્ષકોમાં સંસ્કારનું સિંચન કરશે. રૉફેલ કોલેજના પટાંગણમાં તા.૧૪/૪/ર૦૧રનાં રોજ રાત્રે ૯:૩૦ વાગે યોજાનારા આ કાર્યક્રમમાં વિનામૂલ્યે પ્રવેશ મેળવવા માટે શ્રી ભદ્રેશ પંડયા-મોબાઇલ નંબર-૯૮૨૫૧ ૪૮૬૩૨, વિક્રમભાઇ ટાચક-મોબાઇલ નંબર-૯૮૨૪૦ ૨૮૯૨૧ તથા શ્રીમતી અલ્પાબેન કોટડીયા-મોબાઇલ નંબર-૯૮૨૫૧ ૬૧૩૬૧ પર સંપર્ક સાધવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.
ધરમપુરના આંગણે રાગ ભૈરવીના ગીત સંગીતનો કાર્યક્રમ યોજાશે :
દેવેન ચેરીટેબલ ટ્રસ્ટ અને આરણ્યક ગોષ્ઠિ-ધરમપુરના સંયુક્ત ઉપક્રમે નવનિર્મિત સંસ્કાર કેન્દ્ર ખાતે સંસ્કારની ધૂરા, સાહિત્ય સંગીત શ્રેણી અંતર્ગતનો રાગ ભૈરવીમાં સંગીતજ્ઞ ચંદ્રકાંત મિષા, ખેરગામનો ગાયન વાદનનો એક કાર્યક્રમ તા.૬/૪/ર૦૧રનાં રોજ સાંજે ૪:૩૦ વાગે નારણ દેવજી લાયબ્રેરીની પાછળના સંસ્કાર કેન્દ્ર, ધરમપુર ખાતે યોજાયો છે. જેમાં સાહિત્ય, સંગીત પ્રેમીઓને પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આજે વલસાડ ખાતે સંકલિત બાળ સુરક્ષા અંગે સેમિનાર યોજાશે
તાજેતરમાં રાજયના તમામ જિલ્લાઓમાં સંકલિત બાળ સુરક્ષા યોજના દાખલ કરવામાં આવી છે. સામાજીક ન્યાય અને અધિકારી વિભાગની યોજના અંતર્ગત દરેક જિલ્લામાં કર્મચારીઓની નિમણુક પણ કરી દેવાઇ છે. આ યોજનાની વિસ્તૃત સમજ આપવા માટે જિલ્લા કલેકટર શ્રી એલ.સી.પટેલની અધ્યક્ષતામાં આજે તા.૩/૪/૨૦૧૨ના રોજ સવારે ૦૯:૩૦ થી સાંજના ૦૫:૦૦ કલાક દરમિયાન અદિના પેલેસ હોટેલમાં એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં રાજય કક્ષાની સંકલિત બાળ સુરક્ષા ટીમ સંકલિત બાળ સુરક્ષા અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે એમ જિલ્લા કલેકટર-વ- અધ્યક્ષ બાળ સુરક્ષા સમિતિ વલસાડ તરફથી જણાવાયું છે.
કાંજણહરી ગામની નહેર નજીકથી અજાણી લાશ મળી
ગત તા.૨૧/૩/૨૦૧૨ના રોજ ૧૮:૫૦ કલાકે કાંજણહરી ગામની નહેર કિનારે રોડની બાજુમાં આવેલા આંબાના ઝાડ નીચે એક અજાણ્યા ઇસમની કોહવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી છે. જેના વાલી-વારસની શોધખોળ કરતા મળી આવેલ નથી. અજાણ્યા મૃતકની ઉંમર આશરે ૫૦ વર્ષ, ઉંચાઇ આશરે પાંચ ફુટ ચાર ઇંચ ચહેરો લંબગોળ, શરીરે લાંબા બાંઇની જરસી તથા કમરમાં લીલા જેવા રંગનું પેન્ટ પહેરેલ આ ઇસમ શરીરે પાતળા બાંધાનો છે. જો આ અજાણી લાશના કોઇ વાલી વારસ હોય તો તેમણે તાત્કાલિક વલસાડ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરવો.
વલસાડ માર્ગ અને મકાન વિદ્યુત પેટાવિભાગના અધિક મદદનીશ ઇજનેર વિનુભાઇ પટેલને અપાયેલું વિદાયમાન
વલસાડ માર્ગ અને મકાન વિદ્યુત પેટાવિભાગમાં અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા શ્રી વિ.એન.પટેલ તા.૩૧/૩/૨૦૧૨ના રોજ વયનિવૃત થતા તેમને માર્ગ અને મકાન વિભાગના અધિકારી કર્મચારી ગણે ભાવભરી વિદાય આપી હતી.
જાન્યુઆરી ૧૯૮૧થી મધુબન ડેમ ખાતે સિંચાઇ વિભાગમાં અધિક મદદનીશ ઇજનેર તરીકેની કારકીર્દીની શરૂઆત કરનાર શ્રી પટેલે ૧૯૮૪થી ૧૯૯૬ સુધી વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના વિદ્યુત પેટાવિભાગ ખાતે પણ ફરજ બજાવી ચૂકયા છે. તેઓએ ૧૯૯૬થી ૨૦૦૩ દરમિયાન સુરત વિદ્યુત વિભાગની તેમની ફરજ દરમિયાન સુરત જિલ્લાના દરેક તાલુકા સહિત સુરત શહેરમાં પણ સેવા બજાવી હતી. ૨૦૦૩થી હાલ સુધી તેઓ વિદ્યુત માર્ગ અને મકાન પેટાવિભાગ વલસાડ ખાતે કાર્યરત હતા. ૩૧ વર્ષ અને ત્રણ માસની તેમની કારકીર્દી દરમિયાન તેમણે વિવિધ જગ્યાએ ફરજ બજાવી અંતે ૩૧/૩/૨૦૧૨ના રોજ વયનિવૃત થતા માર્ગ અને મકાન પેટાવિભાગ વલસાડના અધિકારી/કર્મચારીઓએ તેમને તેમની નિવૃત જિંદગી સુખમય પસાર થાય એવી શુભકામના સહ નિવૃતિ વિદાયમાન આપ્યું હતું.
હવે મળશે મારા સપનાને ઉંચી ઉડાનકન્યા કેળવણી નિધિની લાભાર્થીઃ સેવક ઋતા
રાજયની નારીશક્તિને બિરદાવવા માટે રાજયના દરેક જિલ્લામાં તાજેતરમાં યોજાયેલા શ્રેણીબદ્ધ મહિલા સંમેલનો પૈકી વલસાડ ખાતે યોજાયેલા મહિલા સંમેલનમાં માતા યોશોદા એવોર્ડ, મહિલા રમતવીરો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનવામાં આવી હતી. આ સંમેલન દરમિયાન ઉંમરગામની સેવક ઋતાબેન ઉમેશભાઇને પણ ધો.૧૦માં તાલુકા કક્ષાએ સૌથી સારો દેખાવ કરવા બદલ કન્યા કેળવણી નિધિ અંતર્ગત રૂા.૫૦૦૦નો ચેક આપી સન્માનિત કરવામાં આવી હતી.
આઇ.એ.એસ થવાનું લક્ષ્ય રાખતી સેવક ઋતાએ માહિતી ખાતાની ટીમ સાથે વાતચીત કરતા ગળગળા સાદે જણાવ્યું હતું કે, હવે મારા સપનાને ઉંચી ઉંડાન ભરવાની તક મળશે. કન્યા કેળવણી નિધિમાંથી મળેલા આ પાંચ હજાર રૂપિયાથી મને મારી મહત્વાકાંક્ષા સાકાર કરવાની તક મળશે. મને મળેલી આ રકમથી હું સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા પુસ્તકોની ખરીદી કરી અત્યારથી તૈયારી કરવા લાગી જઇશ. હવે મારા સ્વપ્નને સાકાર કરતા કોઇ રોકી શકશે નહિં.
જાહેરમાં થયેલા તેમના સન્માનથી ગૌરવની લાગણી અનુભવતી ઋતાએ આ તબક્કે રાજય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
તરમાલિયાના આંગણવાડી કાર્યકર નિર્મળાબેન પટેલે મેળવ્યો માતા યશોદા એવોર્ડ
તાજેતરમાં વલસાડ ખાતે યોજાયેલા મહિલા સંમેલન દરમિયાન જુદા જુદા ક્ષેત્રમાં વિશિષ્ઠ યોગદાન આપવા બદલ મહિલા પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવી હતી. આ મહિલા પ્રતિભાઓ પૈકી તરમાલિયા દેસાઇ ફળિયા આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતા નિર્મળાબેન પટેલને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ રૂા.૨૧૦૦૦નો માતા યશોદા એવોર્ડથી નવાજવામાં આવી હતી.
૧૯૭૮થી આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતા નિર્મળાબેને તેમની લાંબી કારકીર્દી દરમિયાન અનેક આદિજાતિ બાળકોને આંગણવાડીથી શાળાએ જતા કર્યા છે. તેમને મળેલા આ સન્માન બદલ માહિતી ખાતાની ટીમ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, રૂા. ૨૧૦૦૦ના મને મળેલા આ એવોર્ડથી ખુબ જ આનંદની લાગણી થાય છે. અમારા માટે પૈસા મહત્વની વસ્તુ નથી પરંતુ જાહેરમાં જે અમારૂં સન્માન કરવામાં આવ્યું એ મહત્વનું છે. જાહેરમાં આ પ્રકારનું સન્માન એ પણ આંગણવડી વર્કર જેવા સામાન્ય કાર્યકરનું સ્વપ્ન જેવી બાબત છે. આવા જાહેર સન્માન થકી અમારા જેવી અનેક બહેનોને સારામાં સારી કામગીરી કરવાની પ્રેરણા મળશે. બીજી બહેનો પણ આનાથી ખુબ પ્રોત્સાહિત થશે એ સૌથી મહત્વની વાત છે.
તેમણે રાજય સરકારનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, અદના કર્મચારીની પણ કામગીરીની નોંધ રાખતી રાજય સરકારે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે.
રમતગમત ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરેલ ઉમેદવારો નોંધે.
ભરૂચઃ
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર ધ્વારા કેન્દ્ર સરકાર ધ્વારા ચાલુ વર્ષ રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધિ મેળવી હોય તેવા નામાંકિત ખેલાડીઓને અર્જુન એવોર્ડ, તથા રાજીવગાંધી ખેલરત્ન એવોર્ડ અને સ્પોર્ટસ પર્શન તરીકે રાષ્ટ્રકક્ષાએ સેવાઓ આપી હોય તેવી વ્યક્તિને ધ્યાનચંદ એવોર્ડ ફોર લાઇફ ટાઇમ એચીવમેન્ટ ઇન સ્પોર્ટસ એન્ડગઇમ ૨૦૧૨ ના એવોર્ડ માટે યોગ્યતા ધરાવતા વ્યકિતઓએ નિયતનમુના પત્રકમાં અરજી તા.૫/૪/૨૦૧૨ સુધીમાં સ્પોર્ટસ ઓથોરોટી ઓફ ગુજરાત ગાંધીનગરને મોકલવાની રહે છે. જે અંગેની માહિતી માટે જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
ભરૂચ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતીની બેઠક મળશે
ભરૂચઃ
ભરૂચ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક તા. ૨૧/૪/૨૦૧૨ ના રોજ સવારના ૧૧.૦૦ કલાકે જિલ્લા કલેકટરશ્રી રૂપવંતસિંહના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભરૂચના સભાખંડમાં યોજાનાર છે. જેમાં ચર્ચાવામાં આવનાર કાયમી મુદ્દાઓની માહિતી ગત મીટીંગમાં ચર્ચા થયા મુજબ તા.૮/૪/૨૦૧૨ સુધીમાં કામ કરતા કર્મચારીઓ સાથે જ રૂબરૂમાં અત્રે મળી જાય તે પ્રમાણે મોકલી આપવા. ત્યારબાદ આવેલ પત્રકો ધ્યાને લેવામાં આવશે નહિ તેની ખાસ નોંધ લેવા જિલ્લા કલેકટરશ્રી ભરૂચની એક યાદીમાં જણાવાયું છે.
આાઇ.ટી.આઇ. ભરૂચ સ્વરોજગારી માટે માનવબળ પુરૂ પાડવા ભગીરથ કાર્ય કરે છે.
વડદલા ખાતે નવી આઇ.ટી.આઇ. નિર્માણ થવાથી ભૌતિક માળખાગત સુવિધામાં વધારો થશે.
ભરૂચ જિલ્લાના વડદલા ખાતે ૪.૧૪ કરોડના ખર્ચે આઇ.ટી.આઇ. બંધાશે.
ભરૂચઃ
રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હસ્તકના નિયંત્રણ હેઠળ રોજગાર અને તાલીમ ખાતા હેઠળ કામ કરતી ઔદ્યોગિક તાલીમ સંસ્થા છે. સમય સાથે બદલાતી જતી ટેકનોલોજી સાથે કદમ મિલાવી ચાલવા માટે તથા રોજગાર અને સ્વરોજગારી માટે પ્રેક્ટીકલ તાલીમ ઉપર ભાર મૂકતી અને તાલીમ આપતી સંસ્થા છે. સમગ્ર રાજ્યમાં ૨૫૩ સરકારી સંસ્થાઓમાં ૯૧૬૯૩ કરતાં વધુ બેઠકો છે. આ ઉપરાંત ૧૩૧ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ, ૩૦૧ જેટલી સેલ્ફ ફાઇનાન્સ ૧૯ જેટલી ટેકનીકલ ઇન્સ્ટીટયુટસ આ ખાતાની ભગીરથ કામગીરી કરે છે. આમ રાજ્યમાં કુલ ૧૨૪૦૯૮ ઉમેદવારોને માટે તાલીમ સગવડ માટે ઉપલબ્ધ છે.
ભરૂચ જિલ્લામાં ૯ સરકારી ઔદ્યોગિક સંસ્થાઓ, ૫ ગ્રાન્ટ ઇન એઇડ કેન્દ્રો તથા ૫ સ્વનિર્ભર કેન્દ્રો ખાતે જુદા-જુદા એન.સી.વી.ટી/એસ.સી.વી.ટી. વ્યવસાયમાં તાલીમ સુવિધા ઉપલબ્ધ છે.
રાજ્ય સરકાર ધ્વારા ઘર આંગણે તાલીમ મળી રહે તેવા શુભ હેતુથી અર્બન વિસ્તારોમાં ૩૦૦ જેટલા કૌશલ્ય વર્ધન કેન્દ્રોમાં વિવિધ વર્ગમાં ૨,૪૦,૦૦૦ ઉમેદવારોને તાલીમના લક્ષ્યાંક સાથે કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે.
જે પૈકી ભરૂચ જિલ્લામાં ૭ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. જ્યાં સ્થાનિક રોજગારીને ધ્યાને રાખી ટુંકાગાળના વર્ગોમાં તાલીમ ઉપલબ્ધ કરવામાં આવી છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભરૂચે આંતરરાષ્ટ્રિય ધારાધોરણ મુજબનું આઇ.એસ.ઓ પ્રમાણિત સંસ્થા તરીકે આગવી ઓળખ ઉભી કરી છે. જે સંસ્થાના આચાર્યશ્રી આઇ.એ.મન્સુરીના કુશળ અને કુનેહ વહીવટના લીધે રકય બનેલ છે.
ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે અગ્રેસર છે. ત્યારે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભરૂચના વિકાસ માટે ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલના જીલ્લા વહીવટ તંત્રના અથાગ પ્રયત્નોના લીધે અત્યાધુનિક આઇ.ટી.આઇ. ભરૂચનું મકાનનું બાંધકામની મંજુરી મળતાં ભરૂચ જિલ્લાના વડદલા ખાતે રૂા.૪.૧૪ કરોડના ખર્ચે બંધાનાર નવનિર્મિત આઇ.ટી.આઇ. સંકુલનું ભૂમિપૂજન રાજ્યના નાણાં, શ્રમ રોજગાર અને વાહનવ્યવહાર મંત્રીશ્રી વજુભાઇ વાળાએ ક્યર્ુે હતું. આ અવસરે રાજ્ય સભાના સાંસદશ્રી ભરતસિંહ પરમાર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના ચેરમેન શ્રીમતિ સીતાબહેન નાયક, વાહનવ્યવહાર કમિશનરશ્રી જે.પી.ગુપ્તા, જિલ્લા કલેક્ટરશ્રી રૂપવંતસિંહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી આદ્રા અગ્રવાલ, વડદલા ગામના સરપંચશ્રી ઇશ્વરભાઇ પરમાર આઇ.એમ.સી. સોસાયટી આઇ.ટી.આઇ ભરૂચના ચેરમેનશ્રી દિગર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ બનાવવા આઇ.ટી.આઇ. ભરૂચ આચાર્ય શ્રી આઇ.એ.મન્સુરી તેમજ કર્મચારીઓ અધિકારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
નવસારી નગરપાલિકાના રૂા.૧૪૩.૪૫ લાખના ખર્ચે આઠ માર્ગોના નવીનીકરણનો પ્રારંભ :
વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલે વિકાસકામોનું ભુમિપુજન કર્યુ :
નવસારીઃ
નવસારી નગરપાલિકા ઘ્વારા નવસારી શહેરના વધુ વિવિધ આઠ માર્ગોના માર્ગ મજબૂતીકરણ અને સ્વભંડોળ અંતર્ગત કામોનું રાજયના આદિજાતિ વિકાસ, વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલના હસ્તે ભુમિપૂજન કરી વિકાસકામોનો પ્રારંભ કરાયો હતો. આ આઠ માર્ગો રૂા.૧૪૩.૪૫ લાખના ખર્ચે તૈયાર થશે. આ પ્રસંગે નગરપાલિકાના એકઝીકયુટીવ સમિતિના ચેરમેન શ્રી પ્રેમચંદભાઇ લાલવાણી, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી હિંમતભાઇ પટેલ, મહેકમ સમિતિના શ્રી યોગેશભાઇ શાહ, અગ્રણી શ્રી પિયુષભાઇ દેસાઇ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
વનમંત્રીશ્રી મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે, નગરના વિકાસમાં આ માર્ગો ઘણા ઉપયોગી થશે. આ માર્ગો નવીનીકરણ થવાથી શહેરની રોનકમાં વધારો થશે અને શહેર સ્વચ્છ અને સુંદર બનશે અને લોકોની યાતાયાતની સુવિધા સરળ બનશે.
નગરપાલિકાના એકઝીકયુટીવ કમિટિના ચેરમેન શ્રી પ્રેમચંદભાઇ લાલવાણીએ માર્ગકામની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગોપાલ નગરનો રસ્તો રૂા.૩.૯૧ લાખ, નગરપાલિકા ઓફિસથી શહીદ ચોક થઇ પ્રજાપતિ આશ્રમથી એસ.ટી.ડેપો સુધીનો રસ્તો રૂા.૨૮.૩૩ લાખ, ચાંદની ચોકથી ગોલવાડ પોલીસ ચોકી સુધીનો રસ્તો રૂા.૭.૩૫ લાખ, બાળ ક્રિડાગણથી આશાનગર સર્કલ થઇ સાંઢકૂવા સુધીનો રસ્તો રૂા.૨૭.૬૪ લાખ, નગરપાલિકા ઓફિસની દિનદયાળ ચોક સુધીનો રસ્તો રૂા.૨૭.૮૦ લાખ, હવેલી મહોલ્લાનો રસ્તો રૂા.૩.૩૨લાખ, ઘેલખડીના માર્ગથી ભીમનગરનો રસ્તો રૂા.૮૭૨ લાખ અને બોદાલી રોડ પુર્ણેશ્વર મંદિર સુધીનો રસ્તો રૂા.૩૬.૩૮ લાખના ખર્ચે તૈયાર કરાશે.
આ પ્રસંગે શહેરના અગ્રણી શ્રી ઘનશ્યામભાઇ પટેલ, શ્રી કરસનભાઇ ટીલવા, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, શ્રીમતી ગીતાબેન, શ્રી કાળુભાઇ, શ્રી જીજ્ઞેશભાઇ શાહ, શ્રીમતી હેમલતાબેન, શાસકપક્ષના નેતા શ્રી ભગવાનદાસ પાંચોટીયા, નગરપાલિકા સભ્ય શ્રી નરેશભાઇ ઢીમ્મર, બાલુભાઇ રાઠોડ, પ્રકાશભાઇ પટેલ, હંસાબેન, છાયાબેન, કૌશિક ગોસ્વામી તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.
દુકાનો કે પેટ્રોલપંપો પર ગેરરિતી જણાય તો અધિકારીને જાણ કરશો
ગેરરિતી રોકવા પગલા લેવાશે : કલેકટરશ્રી
જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળી
નવસારીઃ
નવસારી જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.સી.ચૂડાસમાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં તોલમાપ વિભાગ અને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી અસરકારક બનવા અધિકારીઓને તાકીદ કરી હતી. કલેકટરશ્રીએ જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે, પેટ્રોલપંપ ઘ્વારા પેટ્રોલ, ડીઝલ અને દુકાનદાર ઘ્વારા કેરોસીન ઓછું આપવામાં આવે ઉપરાંત અન્ય કોઇ ગેરરિતી જણાય તો જિલ્લા પુરવઠા અધિકારીનો ફોન નંબર (૦૨૬૩૭)-૨૪૮૧૫૫ મો.નં-૯૭૨૩૦૨૮૭૨૨ પર જાણ કરવી ઉપરાંત દવાની દુકાનોને લગતી ફરિયાદ અથવા હોટલો કે રેસ્ટોરન્ટમાં કે ખાણીપીણી સ્થળે આરોગ્યની દ્ષ્ટિએ હાનિકારક ખોરાક-ચીજવસ્તુ ગ્રાહકને આપવામાં આવે તો ફ્રુડ અને ડ્રગ્સની કચેરીના ફોન નં (૦૨૬૩૭) ૨૮૦૦૦૪ પર જાણ કરશો. તેમજ દુકાનદારો ઘ્વારા વજનમાં ગેરરિતી થતી હોય તો તોલમાપની કચેરી (૦૨૬૩૨) ૨૪૮૭૬૪ પર ફરિયાદ કરશો. કલેકટરશ્રીએ લોકોની ફરિયાદને યોગ્ય ન્યાય મળે તે પ્રકારની કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
કલેકટરશ્રી અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જિલ્લામાં મોલધરા, કબિલપોર, મુનસાડ, કેસલીપાટી, બોડવાંક, કાકડવેરી, ખેરગામ-વડસાંગળ, આસણા ગામે વ્યાજબી ભાવની દુકાન શરૂ કરવા લાયકાત ધરાવતા ઉમેદવારોને નિયમોને આધિન મંજૂરી આપવામાં આવી હતી. જયારે કાંગવાઇ ગામે દસ્તાવેજી પુરાવા પુર્તતા બાદ મંજૂરી અપાશે અને ડાંભેલ ગામની વ્યાજબી ભાવની દુકાન માટે પુનઃ અરજીઓ મંગાવાશે.
બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કે.જે.રાઠોડે જણાવ્યું હતું કે, જિલ્લામાં ૨.૪૬ લાખ બારકોડેડ રેશનકાર્ડ તબકકાવાર ફાળવવામાં આવશે.
બેઠકમાં ખોરાક અને ઔષધ નિયામક, તોલમાપ વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી.
કલેકટરાલયના સભાખંડમાં મળેલી બેઠકમાં અધિકારીઓ અને સલાહકાર સમિતિ સભ્યો હાજર રહ્યા હતાં.
૭ એપ્રિલે પોલીયો અંગે બેઠક :
નવસારીઃ
નવસારી જિલ્લાકક્ષાની પલ્સ પોલિયો સ્ટીયરીંગ કમિટીની બેઠક તા.૭/૪/૨૦૧૨ ના રોજ સાંજે ૪-૦૦ વાગે સમિતિખંડ, જિલ્લા પંચાયત કચેરી, નવસારી ખાતે રાખવામાં આવી છે. જેમાં સબંધિતોને ઉપસ્થિત રહેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,