અનુયાયીઓ

સોમવાર, 2 એપ્રિલ, 2012

ડો. મનોહર જોષીની જોષી કોહિનૂર ટેકનીકલ ઇન્સ્ટીટયૂટ (JKTI) ના ગુજરાતી મેગેઝીન “યશસ્વી”નું વિમોચન કરતા મુખ્યમંત્રીશ્રી ગુજરાતમાં JKTIના ૧૬ કેન્દ્રો ઃ વધુ ૯ શરૂ કરાશે મુખ્યમંત્રીશ્રી ગુજરાતમાં દર વર્ષે ૪૦૦ કૌશલ્ય વર્ધન કેન્દ્રોમાં ૪પ ટકા કન્યાઓ સહિત ૩ લાખ યુવાનો પ્રશિક્ષિત બને છે વિવેકાનંદ રોજગાર ભરતી મેળાનું


ડો. મનોહર જોષીની જોષી કોહિનૂર ટેકનીકલ ઇન્સ્ટીટયૂટ (JKTI) ના ગુજરાતી મેગેઝીન યશસ્વીનું વિમોચન કરતા મુખ્યમંત્રીશ્રી
ગુજરાતમાં JKTIના ૧૬ કેન્દ્રો ઃ વધુ ૯ શરૂ કરાશે મુખ્યમંત્રીશ્રી
ગુજરાતમાં દર વર્ષે ૪૦૦ કૌશલ્ય વર્ધન કેન્દ્રોમાં ૪પ ટકા કન્યાઓ સહિત લાખ યુવાનો પ્રશિક્ષિત બને છે
વિવેકાનંદ રોજગાર ભરતી મેળાનું આયોજન
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગાંધીનગરમાં ડો. મનોહર જોષી સંચાલિત મુંબઇની જોષી કોહિનૂર ટેકનીકલ ઇન્સ્ટીટયૂટ (JKTI)ના ગુજરાતી મેગેઝિન યશસ્વીનું વિમોચન કર્યું હતું.
ડો. મનોહર જોષી ૧૯૬૩થી JKTIની ટેકનીકલ શિક્ષણ સંસ્થાનું સંચાલન કરે છે જેમાં ૬૦ જેટલા ટેકનીકલ પ્રશિક્ષણ અભ્યાસક્રમોમાં દર વર્ષે ત્રણ લાખ વિઘાર્થીઓ વ્યવસાયલક્ષી કૌશલ્ય મેળવે છે.
ગુજરાતમાં ટેકનીકલ શિક્ષણની છેલ્લા એક દશકમાં વધેલી ગતિશીલ સુવિધાઓની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ અવસરે આપી હતી. JKTI ગુજરાતમાં ૧૬ કેન્દ્રો ચલાવે છે અને તે વધારીને રપ સુધી લઇ જવાની માહિતી CMD ST  ઉન્મેશ જોષીએ આપી હતી.
ગુજરાતના યુવાનો માટે ટેકનીકલ શિક્ષણને એક છત્ર નીચે લાવીને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી શરૂ કરી છે અને સમગ્ર રાજ્યમાં પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ૪૦૦ જેટલા કૌશલ્ય વર્ધન કેન્દ્રો ચાલી રહ્યા છે અને દર વર્ષે ૪પ ટકા કન્યાઓ સહિત લાખ યુવાનોને કૌશલ્ય વર્ધન પ્રશિક્ષણ આપીને રોજગાર-વ્યવસાયના અવસર મળે છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વર્ષે સ્વામી વિવેકાનંદજી દોઢસોમી જન્મજ્યંતીને યુવાશકિત વર્ષ તરીકે ઉજવીને ખાનગી ક્ષેત્રે સુનિતિ રોજગારીના વિવેકાનંદ રોજગાર ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું છે એની પણ મુખ્યમંત્રીશ્રીએ ભૂમિકા આપી હતી.
જોષી કોહિનૂર ટેકનીકલ ઇન્સ્ટીટયુટના પદાધિકારીઓ ગુજરાતમાં રોજગાર-કૌશલ્ય વર્ધન કાર્યક્રમોની સફળતાથી પ્રભાવિત થયા હતા.
પ્રસંગે કોહિનૂર ગૃપના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટરશ્રી ઉન્મેશ જોષી, ગૃપ ડાયરેકટશ્રી અતુલ કરંજકર તથા જનરલ મેનેજર ચંન્દ્રકાન્ત ધાગ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સ્વ. એન. કે. પી. સાલ્વેને મુખ્યમંત્રીશ્રીની  શ્રધ્ધાંજલિ
મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી એન. કે. પી. સાલ્વેના અવસાન અંગે ઉંડા આધાત અને દુઃખની લાગણી વ્યકત કરી છે.
સ્વ. એન. કે. પી. સાલ્વેના પુત્ર શ્રી હરિશ સાલ્વેને પાઠવેલા શોકસંદેશામાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વ. સાલ્વેના શોકસંતપ્ત પરિવારને સાંત્વના પાઠવતા જણાવ્યું છે કે ભારતે એક દ્રષ્ટિ  સંપન્ન અને સંનિષ્ઠ રાજપુરૂષ ગુમાવ્યા છે. સ્વ. સાલ્વેની પ્રખર રાષ્ટ્રભકિત અને દેશ સેવાની લગન પ્રેરણાસ્ત્રોત સમાન છે તેમ તેમણે શોક સંદેશામાં સ્વ. સાલ્વેને શ્રધ્ધાંજલિ પાઠવતા જણાવ્યું છે.
ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાશે
તા. ૧૧-૪-ર૦૧ર - સ્વ. કસ્તુરબા ગાંધી અને સરદારસિંહ રાણા
તા. ૧૪-૪-ર૦૧ર - સ્વ. ર્ડા. બાબાસાહેબ આંબેડકરના
તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાશે
ગાંધીનગરઃ સોમવારઃ ગુજરાત વિધાનસભાના મકાન વિઠ્ઠલભાઇ પટેલ ભવનમાં પ્રથમ માળે આવેલ પોડિયમમાં પૂજ્ય કસ્તુરબા તથા સરદારસિંહ રાણા અને ભારતના બંધારણના ધડવૈયા ર્ડા. બાબાસાહેબ આંબેડકરનાં તૈલચિત્ર મૂકવામાં આવેલ છે. પૂજ્ય કસ્તુરબા તથા સરદારસિંહ રાણાના આગામી જન્મદિવસે બુધવાર, તા. ૧૧-૪-ર૦૧રના રોજ અને ર્ડા. બાબાસાહેબ આંબેડકરના આગામી જન્મદિવસે શનિવાર, તા. ૧૪-૪-ર૦૧રના રોજ તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાશે.
બુધવાર, તા. ૧૧-૪-૧રના રોજ સવારના ૧૧-૦૦ વાગ્યે અને શનિવાર, તા.૧૪-૪-૧રના રોજ સવારના ૧૦-૦૦ વાગ્યે પુષ્પાંજલિ અર્પવા માટે ઉપસ્થિત રહેવા ગુજરાત વિધાનસભા, સચિવાલય દ્વારા જાહેર જનતાને વિનંતી છે.
હાઇકોર્ટમાં મહાવીર જયંતિના દિવસે વધારાની રજા જાહેર
ગાંધીનગરઃ સોમવારઃ રાજ્યની વડી અદાલતમાં તા. , એપિ્રલ, ર૦૧રને ગુરૂવારના દિને મહાવીર જયંતિની વધારાની રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યની હાઇકોર્ટ અને તેને સંલગ્ન કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે તેની સામે તા. ૧૬ જૂન, ર૦૧રને શનિવારના રોજ હાઇકોર્ટ અને સંલગ્ન કચેરીઓમાં અદાલતનું કામકાજ ચાલુ રહેશે તેમ રજીસ્ટ્રાર જનરલની યાદીમાં જણાવાયું છે.
લધુત્તમ વેતન અધિનિયમ હેઠળના ખાસ ભથ્થાની જાહેરાત
ગાંધીનગરઃ સોમવારઃ રાજ્ય સરકારે લધુત્તમ વેતન અધિનિયમ હેઠળ જે તે વ્યવસાય માટે નિયત કરેલા મૂળ પગારના દર ઉપરાંત જીવન નિર્વાહ આંક ઉપર આધારિત આપવાના ખાસ ભથ્થાના દર તા. ૧-૪-ર૦૧રથી તા. ૩૦-૯-ર૦૧ર સુધીના સમય માટે નક્કી કર્યા છે. તદ્દઅનુસાર ખાનગી સલામતી રક્ષક સેવાઓની રોજગારી માટે ખાસ ભથ્થાના દૈનિક દર રૂા. ૭૧.૮૦ તેમજ અગરબત્તી બનાવવાની રોજગારી સિવાયના દરેક વ્યવસાય માટે ખાસ ભથ્થાના દૈનિક દર રૂા. પ૧.૮૦ નક્કી કરવામાં આવ્યો છે. આમ, દરેક વ્યવસાયમાં ખાસ ભથ્થાના દૈનિક દરમાં રૂા. ૧૦.૬૦નો વધારો થયો છે તેમ નાયબ શ્રમ આયુક્ત, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય કલ્યાણ સમિતિ દ્વારા આયોજીત અનેકવિધ કાર્યક્રમો
તા. પ-૪-ર૦૧ર - બજેટ, ""ઇન્કમટેક્ષ પર અસરો-મૂડીરોકાણની તકો'' વિષય પર વ્યાખ્યાન
તા. ૧૦-૪-ર૦૧ર- તેજસ્વી વિઘાર્થીઓને પુરસ્કાર વિતરણ
તા. ૧૩-૪-ર૦૧ર - હૃદયરોગ સાવચેતી અને સારવાર ર્ડા. હિતેશ શાહનું વ્યાખ્યાન
ગાંધીનગરઃ સોમવારઃ ગાંધીનગરના સામાન્ય વહીવટ વિભાગની સચિવાલય કલ્યાણ સમિતિના અધ્યક્ષ શ્રી જશવંત ગાંધીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ કલ્યાણ સમિતિ દ્વારા માસમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. પ-૪-ર૦૧ર, ગુરૂવાર, બપોરે ૧-૩૦ કલાકે ઓડિટોરીયમ, બ્લોક નં. 1, ૯મોમાળ, નવાસચિવાલય ખાતે કેન્દ્રીય બજેટ-૧રના સંદર્ભમાં ઇન્કમટેક્ષ ઉપર અસરો અને મૂડીરોકાણની તકો ઉપર શ્રી યમલ વ્યાસ અને શ્રી કે.ડી. શાહનું વ્યાખ્યાન યોજાશે. તા. ૧૦-૪-ર૦૧રને મંગળવારના રોજ બપોરે ૧-૩૦ કલાકે ઓડિટોરિયમ ખાતે વાર્ષિક ઇનામ વિતરણ અને તેજસ્વી વિઘાર્થીઓને પુરસ્કાર વિતરણનો કાર્યક્રમ યોજાશે. તા. ૧૩-૪-ર૦૧રને શુક્રવારે બપોરે ૧-૩૦ કલાકે ઓડિટોરિયમમાં યુ. એન. મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજી ર્ડા. હિતેશ શાહનું વ્યાખ્યાન યોજાશે. પ્રેઝન્ટેશન અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ યોજાશે. વિષય છે ""હ્રદયરોગ સાવચેતી ને સારવાર''.
સમિતિ દ્વારા મહિલાઓ માટેના આરોગ્ય વિષયક કાર્યક્રમો, રક્તદાન, બ્લડ ડોનરની યાદીનું પ્રકાશન, અને  યોગના  વર્ગો પણ આયોજન કરાશે. સચિવાલય, બ્લોક નં. અને બ્લોક નં. ૧૧ના ભોયતળિયે, અઘત્તન સાધનો સાથેનું ફિટનેશ સેન્ટર કાર્યરત છે તેનો લાભ લેવા પણ યાદીમાં જણાવાયું છે.
વિકલાંગ માટે ધંધાકીય અને ઉચ્ચ શિક્ષણ માટે રૂા. ર૦.૦૦ લાખ સુધીની લોનો
ગાંધીનગરઃ સોમવારઃ ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા ગુજરાતમાં રહેતા તમામ જ્ઞાતિના વિકલાંગ લોકો માટે ધંધાકીય તેમજ ઉચ્ચ શક્ષણ માટે લોન આપવાનું આયોજન કરેલ છે. અંગે નિગમના ઉપાધ્યક્ષ શ્રી કાદરભાઇ સલોતે માહિતી આપતાં જણાવેલ કે, કોઇપણ જ્ઞાતિના ૪૦ ટકા કે તેનાથી વધુ વિકલાંગતા ધરાવતા લોકો માટે અલગ અલગ પ્રકારના ૩પ ધંધાઓ માટે લોનોની યોજના, તેમજ કોઇપણ જ્ઞાતિના વિકલાંગ ગુજરાત કે ભારતભરમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા હોય તો તેઓને રૂા. ૧૦.૦૦ લાખ સુધી ટકાના દરે અને વિદેશ ભણવા જવાનું હોય તો રૂા. ર૦.૦૦ લાખ સુધી વાર્ષિક વ્યાજ ટકાના દરે અને ધંધાકિય લોનો માટે વાર્ષિક વ્યાજ ટકા વ્યાજે વિકલાંગ બહેનો માટે દરેક લોનો માટે નિયત દર કરતાં 1 ટકા ઓછું વ્યાજ લેવામાં આવશે.
વિકલાંગ લોકો માટે લોનના ફોર્મ અને લોન વિશેની તમામ માહિતી ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ, બ્લોક નં. ૧૧, ર્ડા. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર, જિલ્લા મેનેજર અને જિલ્લા સમાજસુરક્ષા અધિકારીશ્રીની કચેરીએથી ગુજરાતભરમાંથી વિનામૂલ્યે ફોર્મ મળશે. વધુ માહિતી માટે ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ, ગાંધીનગરની કચેરી ફોન નં.-૦૭૯-ર૩રપ૩૮૪૩ અને ર૩રપ૭૦૪પ ઉપર સંપર્ક કરવો તેમ નિગમના ઉપાધ્યક્ષશ્રી કાદરભાઇ સલોતે જણાવેલ છે.


સૂરત શહેરના ૨૪માં ડુમસ પોલીસ સ્‍ટેશનનું ઉદ્‌ઘાટન કરતા પંચાયત મંત્રી


સમાજમાં પોલીસના પ્રભાવની સાથે ગુનેગારોમાં પોલીસનો ભય પર હોવો જોઇએઃ નરોત્તમભાઇ પટેલ
સૂરત આજે મિનિ ભારત બની ગયું છે ત્‍યારે શહેરમાં શાંતિ જળવાય તે માટે પોલીસની જવાબદારી પણ વધી ગઇ છેઃ પર્યાવરણ મંત્રી મંગુભાઇ પટેલ
સૂરત શહેરના ૨૪માં ડુમસ પોલીસ સ્‍ટેશનનું ઉદ્‌ઘાટન કરતા પંચાયત મંત્રી
સૂરતઃ :- શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સાથે શાંતિનું વાતારણ રહે તે માટે સમાજ પર પોલીસનો પ્રભાવ હોવો ખૂબ જરૂરી છે. પોલીસની નજર પડતાની સાથે ગુનેગારો છટકીના શકે તેવી વ્‍યવસ્‍થા હોવાથી જોઇએ સાથે લોકોની સાથે નમ્રતાપૂર્ણ વ્‍યવહાર કરી લોકોમાં એક વિશ્વાસ પણ ઉભો કરવો જોઇએ. એવું રાજ્‍યના પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલે આજે સૂરત શહેરના ૨૪માં પોલીસ સ્‍ટેશન ડુમસનું ઉદ્‌ઘાટન કરતા જણાવ્‍યું હતું.
ઉમરા પોલીસ સ્‍ટેશનથી છુટુ પાડી ડુમસને એક અલગ પોલીસ સ્‍ટેશન બનાવવામાં આવ્‍યું છે. ત્‍યારે આ પ્રસંગે ઉપસ્‍થિત જનમેદનીને સંબોધતા મંત્રીશ્રી પટેલે પોલીસને સૂચન કરતા જણાવ્‍યું કેપોલીસનું સ્‍વરૂપ હંમેશા ઉપરથી કડક અને અંદરથી બિલકુલ નરમ પ્રકારનું હોવું જોઇએ. તેથી જ સમાજમાં એકતા અને શાંતિનું વાતાવરણ સર્જાઇ શકે છે. આ ઉપરાંત ઉચ્‍ચ અધિકારીઓને તેમના નીચેના અધિકારીઓને એવી રીતે તૈયાર કરવા જોઇએ જેથી તેઓ ઉચ્‍ચકક્ષાના અધિકારીઓની જેમ કામ કરી શકે ત્‍યારે પોલીસનું કામ સરળ અને વિશ્વાસપાત્ર બની શકશે. પોલીસની કામગીરી પર જ સરકારનો કેટલો કંટ્રોલ છે તેની તુલના થતી હોય છે. સરકારની ઇમેજ સારી રહે તે માટે પોલીસે રીયલ ઓફિસર બની પોતાની ફરજ બજાવવી જ જોઇએ.
આ પ્રસંગે મુખ્‍યમહેમાન તરીકે ઉપસ્‍થિ રહેલા પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલે જણાવ્‍યું કેઆજે સૂરતની વસ્‍તી ૫૦ લાખને પણ વટાવી ગઇ છે. સૂરતના વિકાસની સાથે સમગ્ર દેશમાંથી લોકો અહીં રોજી રોટી માટે આવે છે. સૂરત એક માત્ર એવું શહેર જ્‍યાં સમગ્ર દેશના લોકો જોવા મળે છે. જ્‍યારે વિવિધતા હોય ત્‍યાં ક્રાઇમ રેટ વધવાની સંભાવના રહે છે. ત્‍યારે શહેરમાં શાંતિનું વાતાવરણ બરકરાર રહે તે માટે પોલીસની જવાબદારી પણ વધી જાય છે. રાજ્‍ય સરકારે પાંચ વર્ષ સુધી ગામોમાં જો કોઇ ગુનો ન બને તો તેને તીર્થ ગામ જાહેર કરી તેને ઇનામ આપે છે. ત્‍યારે શહેરોમાં પણ લોકો પોતાની જવાબદારી સમજી ગુના ઓછો બને અને પોલીસ સ્‍ટેશનનો ઉપયોગ નહિવત થાય તેવી વ્‍યવસ્‍થા ઉભી કરવા સહયોગી બનવું જોઇએ.
રાજ્‍ય કુટીર ઉદ્યોગ અને વાહન વ્‍યવહાર રાજ્‍યમંત્રીશ્રી રણજીતભાઇ ગીલીટવાલાએ કહ્યું કેગુજરાતનો વિકાસ શાંતિએકતા અને ભાઇચારાને કારણે થયો છે. સૂરતમાં શાંતિ છે તેમાં પોલીસનો ખૂબ મોટો ફાળો છે. દેશભારમાંથી લોકો સૂરતમાં શાંતિ જોઇને અહી વ્‍યવસાય કરવા રોજી કમાવવા માટે આવે છે. અસામાજિક તત્‍વો માટે ગુજરાતમાં કોઇ જગ્‍યા નથી એવું વાતાવારણ બની રહ્યું છે. તે પોલીસની યોગ્‍ય કામગીરીને આભારી છે.
આ પ્રસંગે શહેર પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્‍થાનાએ જણાવ્‍યું કે,  સૂરતમાં પ્રવાસન સ્‍થળ તરીકે વિકાસ પામેલા ડુમસમાં ઘણા લાંબા સમયથી પોલીસ સ્‍ટેશનની માંગણી થતી હતી. ત્‍યારે આજે પોલીસ સ્‍ટેશન બનવાથી લોકોએ તેનું ઉત્‍સાહપૂર્વક સ્‍વાગત કર્યું છે. સૂરતમાં અત્‍યાર સુધી ૨૧ પોલીસ સ્‍ટેશન એક ડીસીબી અને એક મહિલા પોલીસ સ્‍ટેશન મળી કુલ ૨૩ પોલીસ સ્‍ટેશન હતા હવે ડુમસમાં પોલીસ સ્‍ટેશન બની જતા  સૂરતમાં પોલીસ સ્‍ટેશનની સંખ્‍યમાં ૨૪ થઇ ગઇ છે. ડુમસનું ખૂબ મહત્‍વ હોવાથી પોલીસ સ્‍ટેશન અહીએક પી.આઇ.પાંચ પીએસઆઇ સહિત કુલ ૫૦ પોલીસ કર્મચારીઓનો સ્‍ટાફ ફાળવવામાં આવ્‍યો છે.
આ તકે મદદનીશ પોલીસ કમિશનર સુશ્રી વિધી ચૌધરીએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું. જ્‍યારે ડીસીપી ઝોન -૨ શ્રી ડી.એન.પટેલે આભાર વિધી કરી હતી.
આ પ્રસંગે સૂરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશનવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલશહેરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી રાજેન્‍દ્ર દેસાઇધારાસભ્‍યો સર્વશ્રી કિશોરભાઇ વાંકાવાલાકિરીટ પટેલકલેક્‍ટરશ્રી એ.જે.શાહજિલ્લા વિકાસ અધિકારી સુશ્રી રેમ્‍યા મોહનરેન્‍જ આઇજી શ્રી હસમુખભાઇ પટેલજોઇન્‍ટ પોલીસ કમિશનર રેન્‍જ-૧ શ્રી ઇ રાધાકૃષ્‍ણનજોઇન્‍ટ પોલીસ કમિશનર રેન્‍જ -૨ શ્રી સંજય શ્રીવાસ્‍તવસૂરત જિલ્લા પોલીસવડા શ્રી પિયુષ પટેલ સહિત પદાધિકારીઓપોલીસ અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્‍યમાં ઉપસ્‍થિત રહ્યાં હતા.

ફાજલ જમીનના નિકાલ માટેની બેઠક
સૂરતઃ ઓલપાડ તાલુકામાં ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી જમીનના નિકાલના કામે લેન્‍ડ કચેરીની મિટિંગ ઓલપાડ મામલતદાર કચેરી ખાતે તા. ૧૦મીના રોજ સાંજે ૪:૦૦ વાગ્‍યે યોજવામાં આવી છે.

વિવિધ ગુનામાં કબજે કરાયેલા વાહનો છોડાવી લેશો અન્‍યથા હરાજી :
સૂરતઃ મહિધરપુરા પોલીસ સ્‍ટેશનમાં વિવિધ ગુના હેઠળ છ ફોરવ્‍હીલર ગાડીઓ કબજે કરવામાં આવી છે. આ ગાડીઓના માલિકોએ પાંચ દિવસમાં પોતાના વાહનો છોડાવવા માટે જરૂરી દસ્‍તાવેજી પુરાવા સાથે મહિધરપુરા પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્‍યું છે. જોઆ સમયમર્યાદામાં કોઇ દાવેદાર નહીં આવે તો આ વાહનોની તા. ૮.૪.૨૦૧૨ના રોજ સચીન જી.આઇ.ડી.સી પોલીસ સ્‍ટેશન ખાતે જાહેર હરાજી કરવામાં આવશે.

મિલકતદારો રેકર્ડ બાબતે વાંધા અરજી કરી શકે છેઃ
સૂરતઃ અડાજણની ટી.પી. સ્‍કીમ નંબર ૧૩ના ફાઈનલ પ્‍લોટ મુજબ સીટી સરવે રેકર્ડ નવેસરથી લખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તૈયાર થયેલી સીટી સરવે રેકર્ડનું પ્રમોલગેશન કરવાનું થતું હોવાથીસીટી સરવે સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ(નગર આયોજન) સૂરતની કચેરી ( બહુમાળી મકાનસી-બ્‍લોકસાતમો માળનાનપુરા )માં તા. ૩.૫.૨૦૧૨ના રોજ રેકર્ડ પ્રમાણિત કરવામાં આવશે.
મિલકતદારોને તૈયાર થયેલા રેકર્ડ બાબતે વાંધો/ તકરાર હોય તો તેની લેખિત વાંધા અરજી આ નોટીસ પ્રસિધ્‍ધ થયાની તારીખથી રેકર્ડ પ્રમાણિત માટેની નક્કી થયેલી તારીખ સુધીમાં દસ્‍તાવેજી પુરાવા સાથે રજૂ કરી શકાશે. તૈયાર થયેલા રેકર્ડ જાહેર રજા સિવાયના દિવસમાં કચેરી સમય દરમિયાન સીટી સરવે સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ(નગર આયોજન) સૂરતની કચેરીએ જોવા મળશે.
                                
          
વાપી ખાતે તા.૧૪મી એપ્રિલે સામાજિક જનજાગૃતિ કાર્યક્રમ મા-બાપને ભૂલશો નહીં યોજાશે :
 ભાગદોડ ભરી જીંદગીમાં જ્‍યારે માનવીય મૂલ્‍યો મૃતઃપાય થઇ રહ્યા છે ત્‍યારે કૌટુંબિક સમરસતા જાળવી રાખવા માટે આગામી તા.૧૪મી એપ્રિલર૦૧રનાં રોજ સામાજિક જનજાગૃતિ કાર્યક્રમ : મા-બાપને ભૂલશો નહીંનું આયોજન કરવામાં આવ્‍યું છે.
વાપી શહેરની સામાજિક સંસ્‍થાઓશૈક્ષણિક સંસ્‍થાઓધાર્મિક સંસ્‍થાઓ તેમજ જુદા જુદા જ્ઞાતિ-સમાજના સંગઠનો દ્વારા આયોજિત મા-બાપને ભૂલશો નહીં કાર્યક્રમમાં આ વિષયે સમાજમાં અનોખી ચેતના જગવનારા શ્રી અશ્વિનભાઇ જોષી તેમના ગૃપ સાથે તેમની લાક્ષણિક શૈલીથી સામાજિક સંસ્‍કારોના પ્રેરણાદાયી અને હૃદયદ્રાવક પ્રસંગોથી પ્રેક્ષકોમાં સંસ્‍કારનું સિંચન કરશે. રૉફેલ કોલેજના પટાંગણમાં તા.૧૪/૪/ર૦૧રનાં રોજ રાત્રે ૯:૩૦ વાગે યોજાનારા આ કાર્યક્રમમાં વિનામૂલ્‍યે પ્રવેશ મેળવવા માટે શ્રી ભદ્રેશ પંડયા-મોબાઇલ નંબર-૯૮૨૫૧ ૪૮૬૩૨વિક્રમભાઇ ટાચક-મોબાઇલ નંબર-૯૮૨૪૦ ૨૮૯૨૧ તથા શ્રીમતી અલ્‍પાબેન કોટડીયા-મોબાઇલ નંબર-૯૮૨૫૧ ૬૧૩૬૧ પર સંપર્ક સાધવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.
ધરમપુરના આંગણે રાગ ભૈરવીના ગીત સંગીતનો કાર્યક્રમ યોજાશે :
 દેવેન ચેરીટેબલ ટ્રસ્‍ટ અને આરણ્‍યક ગોષ્‍ઠિ-ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે નવનિર્મિત સંસ્‍કાર કેન્‍દ્ર ખાતે સંસ્‍કારની ધૂરાસાહિત્‍ય સંગીત શ્રેણી અંતર્ગતનો રાગ ભૈરવીમાં સંગીતજ્ઞ ચંદ્રકાંત મિષાખેરગામનો ગાયન વાદનનો એક કાર્યક્રમ તા.૬/૪/ર૦૧રનાં રોજ સાંજે ૪:૩૦ વાગે નારણ દેવજી લાયબ્રેરીની પાછળના સંસ્‍કાર કેન્‍દ્રધરમપુર ખાતે યોજાયો છે. જેમાં સાહિત્‍યસંગીત પ્રેમીઓને પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.
આજે વલસાડ ખાતે સંકલિત બાળ સુરક્ષા અંગે સેમિનાર યોજાશે
તાજેતરમાં રાજયના તમામ જિલ્લાઓમાં સંકલિત બાળ સુરક્ષા યોજના દાખલ કરવામાં આવી છે. સામાજીક ન્‍યાય અને અધિકારી વિભાગની યોજના અંતર્ગત દરેક જિલ્લામાં કર્મચારીઓની નિમણુક પણ કરી દેવાઇ છે. આ યોજનાની વિસ્‍તૃત સમજ આપવા માટે જિલ્લા કલેકટર શ્રી એલ.સી.પટેલની અધ્‍યક્ષતામાં આજે તા.૩/૪/૨૦૧૨ના રોજ સવારે ૦૯:૩૦ થી સાંજના ૦૫:૦૦ કલાક દરમિયાન અદિના પેલેસ હોટેલમાં એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સેમિનારમાં રાજય કક્ષાની સંકલિત બાળ સુરક્ષા ટીમ સંકલિત બાળ સુરક્ષા અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે એમ જિલ્લા કલેકટર-વ- અધ્‍યક્ષ બાળ સુરક્ષા સમિતિ વલસાડ તરફથી જણાવાયું છે.

કાંજણહરી ગામની નહેર નજીકથી અજાણી લાશ મળી
ગત તા.૨૧/૩/૨૦૧૨ના રોજ ૧૮:૫૦ કલાકે કાંજણહરી ગામની નહેર કિનારે રોડની બાજુમાં આવેલા આંબાના ઝાડ નીચે એક અજાણ્‍યા ઇસમની કોહવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી છે. જેના વાલી-વારસની શોધખોળ કરતા મળી આવેલ નથી. અજાણ્‍યા મૃતકની ઉંમર આશરે ૫૦ વર્ષઉંચાઇ આશરે પાંચ ફુટ ચાર ઇંચ ચહેરો લંબગોળશરીરે લાંબા બાંઇની જરસી તથા કમરમાં લીલા જેવા રંગનું પેન્‍ટ પહેરેલ આ ઇસમ શરીરે પાતળા બાંધાનો છે. જો આ અજાણી લાશના કોઇ વાલી વારસ હોય તો તેમણે તાત્‍કાલિક વલસાડ ગ્રામ્‍ય પોલીસનો સંપર્ક કરવો.

વલસાડ માર્ગ અને મકાન વિદ્યુત પેટાવિભાગના અધિક મદદનીશ ઇજનેર વિનુભાઇ પટેલને અપાયેલું વિદાયમાન
વલસાડ માર્ગ અને મકાન વિદ્યુત પેટાવિભાગમાં અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા શ્રી વિ.એન.પટેલ તા.૩૧/૩/૨૦૧૨ના રોજ વયનિવૃત થતા તેમને માર્ગ અને મકાન વિભાગના અધિકારી કર્મચારી ગણે ભાવભરી વિદાય આપી હતી.
જાન્‍યુઆરી ૧૯૮૧થી મધુબન ડેમ ખાતે સિંચાઇ વિભાગમાં અધિક મદદનીશ ઇજનેર તરીકેની કારકીર્દીની શરૂઆત કરનાર શ્રી પટેલે ૧૯૮૪થી ૧૯૯૬ સુધી વલસાડનવસારી અને ડાંગ જિલ્લાના વિદ્યુત પેટાવિભાગ ખાતે પણ ફરજ બજાવી ચૂકયા છે. તેઓએ ૧૯૯૬થી ૨૦૦૩ દરમિયાન સુરત વિદ્યુત વિભાગની તેમની ફરજ દરમિયાન સુરત જિલ્લાના દરેક તાલુકા સહિત સુરત શહેરમાં પણ સેવા બજાવી હતી. ૨૦૦૩થી હાલ સુધી તેઓ વિદ્યુત માર્ગ અને મકાન પેટાવિભાગ વલસાડ ખાતે કાર્યરત હતા. ૩૧ વર્ષ અને ત્રણ માસની તેમની કારકીર્દી દરમિયાન તેમણે વિવિધ જગ્‍યાએ ફરજ બજાવી અંતે ૩૧/૩/૨૦૧૨ના રોજ વયનિવૃત થતા માર્ગ અને મકાન પેટાવિભાગ વલસાડના અધિકારી/કર્મચારીઓએ તેમને તેમની નિવૃત જિંદગી સુખમય પસાર થાય એવી શુભકામના સહ નિવૃતિ વિદાયમાન આપ્‍યું હતું.

હવે મળશે મારા સપનાને ઉંચી ઉડાનકન્‍યા કેળવણી નિધિની લાભાર્થીઃ સેવક ઋતા
 રાજયની નારીશક્‍તિને બિરદાવવા માટે રાજયના દરેક જિલ્લામાં તાજેતરમાં યોજાયેલા શ્રેણીબદ્ધ મહિલા સંમેલનો પૈકી વલસાડ ખાતે યોજાયેલા મહિલા સંમેલનમાં માતા યોશોદા એવોર્ડમહિલા રમતવીરો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને રોકડ પુરસ્‍કાર આપી સન્‍માનવામાં આવી હતી. આ સંમેલન દરમિયાન ઉંમરગામની સેવક ઋતાબેન ઉમેશભાઇને પણ ધો.૧૦માં તાલુકા કક્ષાએ સૌથી સારો દેખાવ કરવા બદલ કન્‍યા કેળવણી નિધિ અંતર્ગત રૂા.૫૦૦૦નો ચેક આપી સન્‍માનિત કરવામાં આવી હતી.
આઇ.એ.એસ થવાનું લક્ષ્ય રાખતી સેવક ઋતાએ માહિતી ખાતાની ટીમ સાથે વાતચીત કરતા ગળગળા સાદે જણાવ્‍યું હતું કેહવે મારા સપનાને ઉંચી ઉંડાન ભરવાની તક મળશે. કન્‍યા કેળવણી નિધિમાંથી મળેલા આ પાંચ હજાર રૂપિયાથી મને મારી મહત્‍વાકાંક્ષા સાકાર કરવાની તક મળશે. મને મળેલી આ રકમથી હું સ્‍પર્ધાત્‍મક પરીક્ષાને લગતા પુસ્‍તકોની ખરીદી કરી અત્‍યારથી તૈયારી કરવા લાગી જઇશ. હવે મારા સ્‍વપ્નને સાકાર કરતા કોઇ રોકી શકશે નહિં.
જાહેરમાં થયેલા તેમના સન્‍માનથી ગૌરવની લાગણી અનુભવતી ઋતાએ આ તબક્કે રાજય સરકાર પ્રત્‍યે આભારની લાગણી વ્‍યકત કરી હતી.

તરમાલિયાના આંગણવાડી કાર્યકર નિર્મળાબેન પટેલે મેળવ્‍યો માતા યશોદા એવોર્ડ
 તાજેતરમાં વલસાડ ખાતે યોજાયેલા મહિલા સંમેલન દરમિયાન જુદા જુદા ક્ષેત્રમાં વિશિષ્‍ઠ યોગદાન આપવા બદલ મહિલા પ્રતિભાઓને સન્‍માનિત કરવામાં આવી હતી. આ મહિલા પ્રતિભાઓ પૈકી તરમાલિયા દેસાઇ ફળિયા આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતા નિર્મળાબેન પટેલને તેમની શ્રેષ્‍ઠ કામગીરી બદલ રૂા.૨૧૦૦૦નો માતા યશોદા એવોર્ડથી નવાજવામાં આવી હતી.
૧૯૭૮થી આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતા નિર્મળાબેને તેમની લાંબી કારકીર્દી દરમિયાન અનેક આદિજાતિ બાળકોને આંગણવાડીથી શાળાએ જતા કર્યા છે. તેમને મળેલા આ સન્‍માન બદલ માહિતી ખાતાની ટીમ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્‍યું હતું કેરૂા. ૨૧૦૦૦ના મને મળેલા આ એવોર્ડથી ખુબ જ આનંદની લાગણી થાય છે. અમારા માટે પૈસા મહત્‍વની વસ્‍તુ નથી પરંતુ જાહેરમાં જે અમારૂં સન્‍માન કરવામાં આવ્‍યું એ મહત્‍વનું છે. જાહેરમાં આ પ્રકારનું સન્‍માન એ પણ આંગણવડી વર્કર જેવા સામાન્‍ય કાર્યકરનું સ્‍વપ્ન જેવી બાબત છે. આવા જાહેર સન્‍માન થકી અમારા જેવી અનેક બહેનોને સારામાં સારી કામગીરી કરવાની પ્રેરણા મળશે. બીજી બહેનો પણ આનાથી ખુબ પ્રોત્‍સાહિત થશે એ સૌથી મહત્‍વની વાત છે.
તેમણે રાજય સરકારનો આભાર વ્‍યકત કરતા જણાવ્‍યું હતું કેઅદના કર્મચારીની પણ કામગીરીની નોંધ રાખતી રાજય સરકારે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે.

રમતગમત ક્ષેત્રે સિધ્‍ધિ હાંસલ કરેલ ઉમેદવારો નોંધે.
ભરૂચઃ 
સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર ધ્‍વારા કેન્‍દ્ર સરકાર ધ્‍વારા ચાલુ વર્ષ રમતગમત ક્ષેત્રે આંતરરાષ્‍ટ્રીય કે રાષ્‍ટ્રીય કક્ષાએ સિધ્‍ધિ મેળવી હોય તેવા નામાંકિત ખેલાડીઓને અર્જુન એવોર્ડતથા રાજીવગાંધી ખેલરત્‍ન એવોર્ડ અને સ્‍પોર્ટસ પર્શન તરીકે રાષ્‍ટ્રકક્ષાએ સેવાઓ આપી હોય તેવી વ્‍યક્‍તિને ધ્‍યાનચંદ એવોર્ડ ફોર લાઇફ ટાઇમ એચીવમેન્‍ટ ઇન સ્‍પોર્ટસ એન્‍ડગઇમ ૨૦૧૨ ના એવોર્ડ માટે યોગ્‍યતા ધરાવતા વ્‍યકિતઓએ નિયતનમુના પત્રકમાં અરજી તા.૫/૪/૨૦૧૨ સુધીમાં સ્‍પોર્ટસ ઓથોરોટી ઓફ ગુજરાત ગાંધીનગરને મોકલવાની રહે છે. જે અંગેની માહિતી માટે જિલ્લા પ્રશિક્ષણ કેન્‍દ્ર ભરૂચ  કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

ભરૂચ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતીની બેઠક મળશે
ભરૂચઃ 
ભરૂચ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક તા. ૨૧/૪/૨૦૧૨ ના રોજ સવારના ૧૧.૦૦ કલાકે જિલ્લા કલેકટરશ્રી રૂપવંતસિંહના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરી ભરૂચના સભાખંડમાં યોજાનાર છે. જેમાં ચર્ચાવામાં આવનાર કાયમી મુદ્દાઓની માહિતી ગત મીટીંગમાં ચર્ચા થયા મુજબ તા.૮/૪/૨૦૧૨ સુધીમાં કામ કરતા કર્મચારીઓ સાથે જ રૂબરૂમાં અત્રે મળી જાય તે પ્રમાણે મોકલી આપવા. ત્‍યારબાદ આવેલ પત્રકો ધ્‍યાને લેવામાં આવશે નહિ તેની ખાસ નોંધ લેવા જિલ્લા કલેકટરશ્રી ભરૂચની એક યાદીમાં જણાવાયું છે.
આાઇ.ટી.આઇ. ભરૂચ  સ્‍વરોજગારી માટે માનવબળ પુરૂ પાડવા ભગીરથ કાર્ય કરે છે.
વડદલા ખાતે નવી આઇ.ટી.આઇ. નિર્માણ થવાથી ભૌતિક માળખાગત સુવિધામાં વધારો થશે.

ભરૂચ જિલ્લાના વડદલા ખાતે ૪.૧૪ કરોડના ખર્ચે આઇ.ટી.આઇ. બંધાશે.
ભરૂચઃ 
 રાજ્‍ય સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હસ્‍તકના નિયંત્રણ હેઠળ રોજગાર અને તાલીમ ખાતા હેઠળ કામ કરતી ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા છે. સમય સાથે બદલાતી જતી ટેકનોલોજી સાથે કદમ મિલાવી ચાલવા માટે તથા રોજગાર અને સ્‍વરોજગારી માટે પ્રેક્‍ટીકલ તાલીમ ઉપર ભાર મૂકતી અને તાલીમ આપતી સંસ્‍થા છે. સમગ્ર રાજ્‍યમાં ૨૫૩ સરકારી સંસ્‍થાઓમાં ૯૧૬૯૩ કરતાં વધુ બેઠકો છે. આ ઉપરાંત ૧૩૧ ગ્રાન્‍ટ ઇન એઇડ સંસ્‍થાઓ૩૦૧ જેટલી સેલ્‍ફ ફાઇનાન્‍સ ૧૯ જેટલી ટેકનીકલ ઇન્‍સ્‍ટીટયુટસ આ ખાતાની ભગીરથ કામગીરી કરે છે. આમ રાજ્‍યમાં કુલ ૧૨૪૦૯૮ ઉમેદવારોને માટે તાલીમ સગવડ માટે ઉપલબ્‍ધ છે.
ભરૂચ જિલ્લામાં ૯ સરકારી ઔદ્યોગિક સંસ્‍થાઓ૫ ગ્રાન્‍ટ ઇન એઇડ કેન્‍દ્રો તથા ૫ સ્‍વનિર્ભર કેન્‍દ્રો ખાતે જુદા-જુદા એન.સી.વી.ટી/એસ.સી.વી.ટી. વ્‍યવસાયમાં તાલીમ સુવિધા ઉપલબ્‍ધ છે.
રાજ્‍ય સરકાર ધ્‍વારા ઘર આંગણે તાલીમ મળી રહે તેવા શુભ હેતુથી અર્બન વિસ્‍તારોમાં ૩૦૦ જેટલા કૌશલ્‍ય વર્ધન કેન્‍દ્રોમાં વિવિધ વર્ગમાં ૨,૪૦,૦૦૦ ઉમેદવારોને તાલીમના લક્ષ્યાંક સાથે કેન્‍દ્રોની સ્‍થાપના કરવામાં આવી છે.
જે પૈકી ભરૂચ જિલ્લામાં ૭ કેન્‍દ્રો સ્‍થાપવામાં આવ્‍યા છે. જ્‍યાં સ્‍થાનિક રોજગારીને ધ્‍યાને રાખી ટુંકાગાળના વર્ગોમાં તાલીમ ઉપલબ્‍ધ કરવામાં આવી છે. ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા ભરૂચે આંતરરાષ્‍ટ્રિય ધારાધોરણ મુજબનું આઇ.એસ.ઓ પ્રમાણિત સંસ્‍થા તરીકે આગવી ઓળખ ઉભી કરી છે.  જે સંસ્‍થાના આચાર્યશ્રી આઇ.એ.મન્‍સુરીના કુશળ અને કુનેહ વહીવટના લીધે રકય બનેલ છે.
ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે અગ્રેસર છે. ત્‍યારે ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા ભરૂચના વિકાસ માટે ભરૂચના ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલના જીલ્લા વહીવટ તંત્રના અથાગ પ્રયત્‍નોના લીધે અત્‍યાધુનિક આઇ.ટી.આઇ. ભરૂચનું મકાનનું બાંધકામની મંજુરી મળતાં ભરૂચ જિલ્લાના વડદલા ખાતે રૂા.૪.૧૪ કરોડના ખર્ચે બંધાનાર નવનિર્મિત આઇ.ટી.આઇ. સંકુલનું ભૂમિપૂજન રાજ્‍યના નાણાંશ્રમ રોજગાર અને વાહનવ્‍યવહાર મંત્રીશ્રી વજુભાઇ વાળાએ ક્‍યર્ુે હતું. આ અવસરે રાજ્‍ય સભાના સાંસદશ્રી ભરતસિંહ પરમારગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના ચેરમેન શ્રીમતિ સીતાબહેન નાયકવાહનવ્‍યવહાર કમિશનરશ્રી જે.પી.ગુપ્તાજિલ્લા કલેક્‍ટરશ્રી રૂપવંતસિંહજિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી આદ્રા અગ્રવાલવડદલા ગામના સરપંચશ્રી ઇશ્વરભાઇ પરમાર આઇ.એમ.સી. સોસાયટી આઇ.ટી.આઇ ભરૂચના ચેરમેનશ્રી દિગર વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ બનાવવા આઇ.ટી.આઇ. ભરૂચ આચાર્ય શ્રી આઇ.એ.મન્‍સુરી તેમજ કર્મચારીઓ અધિકારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.      

નવસારી નગરપાલિકાના રૂા.૧૪૩.૪૫ લાખના ખર્ચે આઠ માર્ગોના નવીનીકરણનો પ્રારંભ :
વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલે વિકાસકામોનું ભુમિપુજન કર્યુ :
નવસારીઃ 
 નવસારી નગરપાલિકા ઘ્‍વારા નવસારી શહેરના વધુ વિવિધ આઠ માર્ગોના માર્ગ મજબૂતીકરણ અને સ્‍વભંડોળ અંતર્ગત કામોનું રાજયના આદિજાતિ વિકાસવન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલના હસ્‍તે ભુમિપૂજન કરી વિકાસકામોનો પ્રારંભ કરાયો હતો. આ આઠ માર્ગો રૂા.૧૪૩.૪૫ લાખના ખર્ચે તૈયાર થશે. આ પ્રસંગે નગરપાલિકાના એકઝીકયુટીવ સમિતિના ચેરમેન શ્રી પ્રેમચંદભાઇ લાલવાણીબાંધકામ સમિતિના ચેરમેનશ્રી હિંમતભાઇ પટેલમહેકમ સમિતિના શ્રી યોગેશભાઇ શાહઅગ્રણી શ્રી પિયુષભાઇ દેસાઇ પણ ઉપસ્‍થિત રહ્યા હતાં.
વનમંત્રીશ્રી મંગુભાઇ પટેલે જણાવ્‍યું હતું કેનગરના વિકાસમાં આ માર્ગો ઘણા ઉપયોગી થશે. આ માર્ગો નવીનીકરણ થવાથી શહેરની રોનકમાં વધારો થશે અને શહેર સ્‍વચ્‍છ અને સુંદર બનશે અને લોકોની યાતાયાતની સુવિધા સરળ બનશે.
નગરપાલિકાના એકઝીકયુટીવ કમિટિના ચેરમેન શ્રી પ્રેમચંદભાઇ લાલવાણીએ માર્ગકામની વિગતો આપતાં જણાવ્‍યું હતું કેગોપાલ નગરનો રસ્‍તો રૂા.૩.૯૧ લાખનગરપાલિકા ઓફિસથી શહીદ ચોક થઇ પ્રજાપતિ આશ્રમથી એસ.ટી.ડેપો સુધીનો રસ્‍તો રૂા.૨૮.૩૩ લાખચાંદની ચોકથી ગોલવાડ પોલીસ ચોકી સુધીનો રસ્‍તો રૂા.૭.૩૫ લાખબાળ ક્રિડાગણથી આશાનગર સર્કલ થઇ સાંઢકૂવા સુધીનો રસ્‍તો રૂા.૨૭.૬૪ લાખનગરપાલિકા ઓફિસની દિનદયાળ ચોક સુધીનો રસ્‍તો રૂા.૨૭.૮૦ લાખહવેલી મહોલ્‍લાનો રસ્‍તો રૂા.૩.૩૨લાખ,  ઘેલખડીના માર્ગથી ભીમનગરનો રસ્‍તો રૂા.૮૭૨ લાખ અને બોદાલી રોડ પુર્ણેશ્વર મંદિર સુધીનો રસ્‍તો રૂા.૩૬.૩૮ લાખના ખર્ચે તૈયાર કરાશે.
આ પ્રસંગે શહેરના અગ્રણી શ્રી ઘનશ્‍યામભાઇ પટેલશ્રી કરસનભાઇ ટીલવાવિવિધ સમિતિના ચેરમેનશ્રીઓશ્રીમતી ગીતાબેનશ્રી કાળુભાઇશ્રી જીજ્ઞેશભાઇ શાહશ્રીમતી હેમલતાબેનશાસકપક્ષના નેતા શ્રી ભગવાનદાસ પાંચોટીયાનગરપાલિકા સભ્‍ય શ્રી નરેશભાઇ ઢીમ્‍મરબાલુભાઇ રાઠોડપ્રકાશભાઇ પટેલહંસાબેનછાયાબેનકૌશિક ગોસ્‍વામી તેમજ નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતાં.

દુકાનો કે પેટ્રોલપંપો પર ગેરરિતી જણાય તો અધિકારીને જાણ કરશો
ગેરરિતી રોકવા પગલા લેવાશે : કલેકટરશ્રી
જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળી
નવસારીઃ 
નવસારી જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક ઇન્‍ચાર્જ કલેકટર અને જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી જે.સી.ચૂડાસમાના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી. જેમાં તોલમાપ વિભાગ અને ફ્રુડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગની કામગીરી અસરકારક બનવા અધિકારીઓને તાકીદ કરી હતી. કલેકટરશ્રીએ જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્‍યું હતું કેપેટ્રોલપંપ ઘ્‍વારા પેટ્રોલડીઝલ અને દુકાનદાર ઘ્‍વારા કેરોસીન ઓછું આપવામાં આવે ઉપરાંત અન્‍ય કોઇ ગેરરિતી જણાય તો જિલ્લા પુરવઠા અધિકારીનો ફોન નંબર (૦૨૬૩૭)-૨૪૮૧૫૫ મો.નં-૯૭૨૩૦૨૮૭૨૨ પર જાણ કરવી ઉપરાંત દવાની દુકાનોને લગતી ફરિયાદ અથવા હોટલો કે રેસ્‍ટોરન્‍ટમાં કે ખાણીપીણી સ્‍થળે આરોગ્‍યની દ્‌ષ્‍ટિએ હાનિકારક ખોરાક-ચીજવસ્‍તુ ગ્રાહકને આપવામાં આવે તો ફ્રુડ અને ડ્રગ્‍સની કચેરીના ફોન નં (૦૨૬૩૭) ૨૮૦૦૦૪ પર જાણ કરશો. તેમજ દુકાનદારો ઘ્‍વારા વજનમાં ગેરરિતી થતી હોય તો તોલમાપની કચેરી (૦૨૬૩૨) ૨૪૮૭૬૪ પર ફરિયાદ કરશો. કલેકટરશ્રીએ લોકોની ફરિયાદને યોગ્‍ય ન્‍યાય મળે તે પ્રકારની કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
કલેકટરશ્રી અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં યોજાયેલી બેઠકમાં જિલ્લામાં મોલધરાકબિલપોરમુનસાડકેસલીપાટીબોડવાંકકાકડવેરીખેરગામ-વડસાંગળઆસણા ગામે વ્‍યાજબી ભાવની દુકાન શરૂ કરવા લાયકાત ધરાવતા ઉમેદવારોને નિયમોને આધિન મંજૂરી આપવામાં આવી હતી. જયારે કાંગવાઇ ગામે દસ્‍તાવેજી પુરાવા પુર્તતા બાદ મંજૂરી અપાશે અને ડાંભેલ ગામની વ્‍યાજબી ભાવની દુકાન માટે પુનઃ અરજીઓ મંગાવાશે.
બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કે.જે.રાઠોડે જણાવ્‍યું હતું કેજિલ્લામાં ૨.૪૬ લાખ બારકોડેડ રેશનકાર્ડ તબકકાવાર ફાળવવામાં આવશે.
બેઠકમાં ખોરાક અને ઔષધ નિયામકતોલમાપ વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી.
કલેકટરાલયના સભાખંડમાં મળેલી બેઠકમાં અધિકારીઓ અને સલાહકાર સમિતિ સભ્‍યો હાજર રહ્યા હતાં.
૭ એપ્રિલે પોલીયો અંગે બેઠક :
નવસારીઃ 
 નવસારી જિલ્લાકક્ષાની પલ્‍સ પોલિયો સ્‍ટીયરીંગ કમિટીની બેઠક તા.૭/૪/૨૦૧૨ ના રોજ સાંજે ૪-૦૦ વાગે સમિતિખંડજિલ્લા પંચાયત કચેરીનવસારી ખાતે રાખવામાં આવી છે. જેમાં સબંધિતોને ઉપસ્‍થિત રહેવા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી

કશ્યપ જે.જોશી, જેતલસર(જેતપુર) ૯૯૦૯૫ ૨૦૮૧૨

suík÷Mkh stõþLkLkk ©e Lkf÷tfÄk{ yk©{ ¾kíku
©e hk{ËuðÃkehLkk çkkhÃknkuhk ÃkkxkuíMkðLkwt ykÞkusLk..
ºký rËðMk [k÷Lkkhk ÃkkxkuíMkð MÚk¤u hkus hkºkeLkk Mktíkðkýe
suík÷Mkh(suíkÃkwh) íkk.3
suík÷Mkh stõþLk ¾kíku çkk÷fuïh Lkøkh{kt ykðu÷ ©e Lkf÷tfÄk{ yk©{ ¾kíku íkk.4 Úke 6 yur«÷ yu{ rºkrËðMkeÞ ©e hk{ËuðÃkeh çkkÃkkLkk {tzÃk {nkuíMkð íkÚkk çkkhÃknkuhk ÃkkxkuíMkðLkwt ykÞkusLk fhðk{kt ykÔÞwt Au.
rîríkÞ ðkr»kof Ä{o {nkuíMkðLkk yk ykÞkusLk Ëhr{ÞkLk økkËeÃkrík nhuþçkkÃkw(çkktxðkðk¤k), zk÷eçkkE rn{kLke SíkuLÿ¼kE {kY, fkuxðk¤ ©e hkò ¼økík(fwríkÞkýk) íkÚkk ©e {kunLk ¼økík(su.st) nksh hnuþu.
Mkk{krsf íku{s hksrfÞ ykøkuðkLkku íku{s Mktíkku {ntíkkuLke nkshe{kt ÞkuòLkkh yk rºkrËðMkeÞ çkkh Ãknkuhk {nkuíMkðLkku ÷k¼ ÷uuðk yk©{Lkk {ntík©e ntMkkçkk økwY©e nMkwçkkÃkwyu Ä{o«u{e sLkíkkLku yLkwhkuÄ fhu÷ Au.

કશ્યપ જે.જોશી,
જેતલસર(જેતપુર) 
૯૯૦૯૫ ૨૦૮૧૨ 


ગુજરાતના માલી સમાજનો ગરિમાપૂર્ણ વાર્ષિકોત્‍સવ સંપન્ન સમાજ વિકાસ માટેની શિરમોર સેવા શિક્ષણની પ્રાથમિકતાની પ્રવૃત્તિ છેઃ નરેન્‍દ્રભાઈ મોદી


વિકાસમાં સૌની ભાગીદારીથી જ સમાજ સશક્‍ત બને છે
મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગાંધીનગરના કોબામાં ગુજરાતના માલી સમાજના વાર્ષિકોત્‍સવને અતિથિવિશેષપદેથી સંબોધતાં જણાવ્‍યું હતું કે, સમાજના સર્વાંગી વિકાસ માટે સૌથી શિરમોર સેવા શિક્ષણની પ્રાથમિકતા છે. વિકાસ માટે ગુજરાતે સૌને સાથે રાખીને નવો મંત્ર આપ્‍યો છે, એમ તેમણે જણાવ્‍યું હતું.
ગુજરાત અને રાજસ્‍થાનની સ્‍થિતિની તુલના કરતા મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, ગુજરાતે દશ વર્ષમાં કૃષિ વિકાસ, જળવ્‍યવસ્‍થાપન અને માનવ સંસાધન વિકાસ દ્વારા સમાજજીવનને સશક્‍ત બનાવ્‍યું છે.
મહાત્‍મા જયોતિબા ફૂલે સેવા સંસ્‍થાનના ઉપક્રમે ગુજરાત સહિત રાજસ્‍થાન અને દેશના વિવિધ રાજ્‍યોમાંથી ઉત્‍સાહ-ઉમંગથી માલી કોમના વિવિધ સમાજોના પરિવારો આ વાર્ષિકોત્‍સવમાં ઉપસ્‍થિત રહ્યા હતા. મુખ્‍ય મંત્રીશ્રીના હસ્‍તે ગુજરાત માલી સમાજ ફેડરેશન દ્વારા સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓને ઇનામો આપી પુરસ્‍કૃત કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે યોજાયેલા સમાજના શિક્ષણ જાગૃતિ સંમેલનને સંબોધતાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું કે, સમાજોના ઉત્‍થાન માટેની અનેક સેવા પ્રવૃત્તિઓ થતી રહે છે એમાં શિરમોર સેવા ગરીબને શિક્ષણ આપવાની છે. ગરીબ શિક્ષિત હશે તો સમાજ ઉપર બોજ બન્‍યા વગર પોતાના પગ ઉપર નિર્ભર રહેશે. શિક્ષણ જ બધી મુસીબતોમાંથી બહાર આવવાનું ઉત્તમ સાધન છે અને જયોતિબા ફુલેએ શિક્ષણથી  સમાજ ઉત્‍થાન, દલિતો, પીડિતો, શોષિતોને શિક્ષિત બનાવવા અંગ્રેજોના ગુલામીકાળમાં સંગઠ્ઠિત કરીને ક્રાંતિ કરી હતી. આ જ પરંપરાને ગુજરાતના માલી સમાજે શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ સર્જીને જાળવી છે.
મહારાષ્‍ટ્રમાં મહાત્‍મા જયોતિબા ફુલેએ સામાજિક સુધારાની ક્રાંતિ કરી હતી એવા માલી સમાજમાં તેમના ધર્મપત્‍ની સાવિત્રીબાઇ ફુલેએ પણ શિક્ષિત કન્‍યા માટેની જયોત જગાવેલી તેનો ઉલ્લેખ કરી મુખ્‍ય મંત્રીશ્રીએ માલી સમાજની કન્‍યાઓને શિક્ષિત બનાવીને તેનું સશક્‍તિકરણ કરવા અનુરોધ કર્યો હતો.
ગુજરાત સરકાર મહાત્‍મા જયોતિબા ફુલેની અને તેમના ધર્મપત્‍ની સાવિત્રીબાઇની સ્‍મૃતિમાં દલિત પત્રકાર અને દલિત મહિલાને ખાસ એવોર્ડ આપે છે, એમ તેમણે જણાવ્‍યું હતું.
વિકાસ માટે ગુજરાત સરકારે જે સામાજિક ચેતનાનું આંદોલન જગાવ્‍યું છે તેની ભૂમિકા આપી મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, સૌના વિકાસમાં સૌના સાથનો મંત્ર ભારત જોડવાનો સંકલ્‍પ સાકાર કરે છે. નર્મદા યોજનાથી રાજસ્‍થાનને કેનાલના પાણી પહોંચાડીને રાજ્‍યો-રાજ્‍યો વચ્‍ચે નદીના પાણીના ઝઘડા સામે પાણી વિકાસની શક્‍તિ બને તેવો સંકલ્‍પ પૂર્ણ કર્યો છે.
પ્રારંભમાં ગુજરાત માલી ફેડરેશનના શ્રી ગંગારામ ગેહલોતે આવકાર પ્રવચનમાં સમાજના વિવિધ સેવા કાર્યોની રૂપરેખા આપી હતી. મુખ્‍ય મંત્રીશ્રીને માલી સમાજ દ્વારા રૂા. ૧.પ૧ લાખનો ચેક આ અવસરે અર્પણ કરવામાં આવ્‍યો હતો. શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વિધવા બહેનોને સહાય યોજના અન્‍વયે પ્રતિકરૂપે સિલાઇ મશીનનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે રાજ્‍ય આયોજન પંચના ઉપાધ્‍યક્ષ શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્‍યો શ્રી અનિલભાઈ માળી અને શ્રી ભરતભાઈ બારોટ, રાજસ્‍થાનના પૂર્વ મંત્રી શ્રી રાજેન્‍દ્ર ગેહલોત સહિત ગુજરાત-રાજસ્‍થાનના માલી સમાજના અગ્રણીઓ તથા પરિવારો ઉપસ્‍થિત રહ્યા હતા.