રાજકોટ ખાતે રેસકોર્સ ગ્રાઉન્ડમાં તા. ૩૧ માર્ચના રોજ જિલ્લા કક્ષાનું
મહિલા
૧૧૮ બહેનોને મહિલા સંમેલનમાં માતા યશોદા એવોર્ડ, ૨૦૫
બહેનોને કન્યા કેળવણી
નિધિ સહાય અને ૯૮ મહિલા ખેલાડીઓને
પુરસ્કારો અપાશે
રાજકોટ,
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે
આવતી કાલે જિલ્લા સ્તરીય મહિલા સંમેલન
યોજાશે, જેમાં ગ્રામવિકાસ
રાજ્યમંત્રી શ્રી મોહનભાઇ કુંડારીયાના હસ્તે જિલ્લા તથા શહેરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને
માતા યશોદા એવોર્ડ
તથા મહિલા વિકાસ પુરસ્કાર અપાશે. તથા મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી
નિધિ સહાય અને મહિલા ખેલાડીઓને પુરસ્કાર/એવોર્ડ
આપવામાં આવશે.આ સંમેલનમાં રાજય સરકાર
દ્વારા મહિલા
સશકિતકરણના હેતૂથી વિવિધ
ક્ષેત્રે સેવા
આપી રહેલી મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે તેમજ રમતગમત ક્ષેત્રમાં પણ આગ ળ વધી પોતાની ખેલપ્રતિભાનો પરિચય કરાવનાર મહિલા ખેલાડીઓને
સન્માનિત કરવામાં આવશે. રાજકોટ જિલ્લાની આવી ૯૮ મહિલા ખેલાડીઓને ખેલકૂદક્ષેત્રે ઉજ્જવળ
દેખાવ બદલ આ સંમેલનમાં સન્માનવામાં આવશે.
જયારે માતૃ-બાલકલ્યાણના મંદિર સમી આંગણવાડીઓમાં નોંધપાત્ર સેવા આપનાર મહિલા
આંગણવાડી વર્કર તેમજ મદદનીશોને માતા-યશોદા એવોર્ડ આપી સન્માનવામાં આવશે.
જિલ્લા કક્ષાના ૩ આંગણવાડી કાર્યકર બહેનો અને ૩ આંગણવાડી
તેડાગર બહેનોને તથા જિલ્લા કક્ષાએ મહાનગરપાલિકા ની
૩ આંગણવાડી કાર્યકર બહેનો અને ૩ આંગણવાડી તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ એનાયત કરાશે. તાલુકા
કક્ષાએ ૪૨ આંગણવાડી કાર્યકર બહેનો અને ૪૨ આંગણવાડી તેડાગર બહેનોને, નગરપાલિકા
કક્ષાએ ૬ આંગણવાડી કાર્યકર બહેનો અને ૬ આંગણવાડી તેડાગર બહેનોને, મહાનગરપાલિકા
કક્ષાએ ૫ આંગણવાડી કાર્યકર બહેનો અને ૫ આંગણવાડી તેડાગર બહેનોને, અને એવોર્ડપાત્ર
૫૯ આંગણવાડી કાર્યકર બહેનો અને ૫૯ આંગણવાડી તેડાગર બહેનોમળી કૂલ ૧૧૮ બહેનોને કૂલ
રૂ. ૨૦ લાખ ૮
હજારની રકમના માતા યશોદા એવોર્ડ આપવામાં આવશે. જયારે મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિ અન્વયે ૨૦૫ કન્યાઓને કૂલ રૂ. ૧૦,૬૬ લાખની
સહાય અને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનાર ૯૮ જેટલી મહિલા
ખેલાડીઓને કૂલ રૂ. ૪,૨૭,૨૦૦/ના પુરસ્કાર/એવોર્ડ આપવામાં આવશે. મહિલા સશક્તિકરણના
આ કાર્યક્રમ માં
કુલ ૪૨૧ બહેનોને
રૂ.૩૫,૦૧ લાખની રકમના પુરસ્કારો એનાયત કરાશે. આ પ્રસંગે મેયરશ્રી, જિલ્લા પંચાયત
પ્રમુખશ્રી, સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ મહિલા સંમેલનના કાર્યક્રમ દરમિયાન અમદાવાદ ખાતેથી માન. મુખ્યમંત્રીશ્રીની
પ્રેરક ઉપસ્થિતિમાં
યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ
થશે.
રાજકોટ
જિલ્લાના નવ ગામોની લોક વ્યવસ્થાપિત પાણીપુરવઠા યોજનાઓને અપાયેલ વહીવટી મંજૂરી
રાજકોટ,
જીલ્લા જળ અને
સ્વચ્છતા સમિતિ, રાજકોટ(વાસ્મો)ની નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી.ગોરની અધ્યક્ષતામાં
કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં રાજકોટ જિલ્લાના નવ ગામોની લોક વ્યવસ્થાપિત
પાણી પુરવઠા યોજનાઓને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જયારે બે ગામોની રીવાઇઝડ પાણી
પુરવઠા યોજનાઓને પણ આ બેઠકમાં વહીવટી મંજૂરી અપાઇ હતી.
આ બેઠકમાં ઉપલેટાના કુંઢેચ ગામની
૧૩૧૩ની વસ્તી માટે રૂ.૨૧,૧૪,૪૦૦ની રકમની સ્વજલધારા પાણી પુરવઠા યોજનાને વહિવટી મંજૂરી અપાઇ હતી જયારે પડધરી
તાલુકાના સાલપીપળીયા ગામની ૧૯૯૪ની વસ્તી માટે રૂ.૩૦,૧૦,૪૦૦ની રકમની અને કેરાળા
ગામની ૮૩૮ની વસ્તી માટે રૂ.૧૩,૭૧,૬૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને, જસદણ તાલુકાના
આંબરડી ગામની ૪૪૯૪ની વસ્તી માટે રૂ.૫૧,૬૩,૬૨૦ની રકમની પાણી પુરવઠા યોજનાને,
જામકંડોરણા તાલુકાના તરકાસર ગામની ૮૧૮ની વસ્તી માટે રૂ.૭,૬૯,૫૦૦ની રકમની પાણી
પુરવઠા યોજનાને, ગોંડલ તાલુકાના લીલાખા ગામની ૧૨૭૭ની વસ્તી માટે રૂ.૧૨,૫૯,૧૦૦ની
રકમની પાણી પુરવઠા યોજનાને અને સાજડીયાળી ગામની ૯૫૩ની વસ્તી માટે રૂ.૧૧,૦૩,૭૦૦ની
રકમની પાણી પુરવઠા યોજનાને, મોરબી તાલુકાના જસમતગઢ ગામની ૭૬૧ની વસ્તી માટે
રૂ.૩,૬૪,૦૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને અને ટંકારા તાલુકાના મેઘપરઝાલા ગામની
૧૪૮૮ની વસ્તી માટે રૂ.૧૧,૩૭,૪૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને વહીવટી મંજૂરી અપાઇ હતી. આ કામો પૂર્ણ થતાં કૂલ
૧૩૯૩૬ ની વસ્તીને પીવાનું પર્યાપ્ત પાણી મળી શકશે. આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી
નોંધને બહાલી આપવામાં આવી હતી. પડધરી તાલુકાના થોરીયાળી ગામની રૂ.૪૫,૦૦,૩૦૦
રીવાઇઝડ કિંમતની અને ઉપલેટા તાલુકાના મેલીમજેઠી ગામની રૂ.૧૮,૩૨,૬૦૨ રીવાઇઝડ
કિંમતની રીવાઇઝડ પાણી પુરવઠા યોજનાઓને પણ આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.
બેઠકમાં વાસ્મોના કાર્યપાલક ઇજનેરશ્રી
પી.એમ.ઠાકર, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી એન.પી.ત્રિવેદી, જિલ્લા એપિડેમિક ઓફિસર
ડો. એન.એમ.રાઠોડ, વાસ્મોના આસીસ્ટન્ટ કો-ઓર્ડીનેટર્સ, તથા અન્ય સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ
નિયામકશ્રી,
સરકારી મુદ્રણ
અને લેખન સામગ્રી, ગાંધીનગરના તાબા હેઠળના સરકારી પુસ્તક ભંડાર, અમદાવાદ,વડોદરા,
રાજકોટ અને ભાવનગર ખાતે તા. ર-૪-૧૨ થી તા. ૨૧-૪-૧૨ સુધી સરકારી પ્રકાશનોની ભૌતિક ચકાસણીની કામગીરી હાથ ધરવાની હોવાથી
પ્રકાશનોના વેચાણની કામગીરી બંધ
રહેશે. જેની જાહેર
જનતા તેમજ અધિકૃત એજન્ટોએ નોંધ લેવા જણાવાયું છે.
સૌરાષ્ટ્ર-કચ્છના
લશ્કરી ભરતી
મેળાના સુવ્યવસ્થિત આયોજન
માટે રાજકોટમાં મળેલી બેઠક
લશ્કરી
ભરતી પૂર્વે
ઉમેદવારો માટે તાલીમ
વર્ગો શરૂ થશે
રાજકોટ
રાજકોટ
ખાતે રેસકોર્સ નજીકના પોલીસ
હેડકવાટર્સના મેદાનમાં આગ ામી તા.
૧૮/૪/૧૨ થી તા. રપ/૪/૧૨ સુધી યોજાનારા સૌરાષ્ટ્ર-કચ્છ કક્ષાના લશ્કરી ભરતી મેળાના સુવ્યવસ્થિત આયોજન માટેની બેઠક અધિક નિવાસી કલેકટરશ્રી એ.બી.ગોરના
અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં ઉપસ્થિત જામનગરની લશ્કરી ભરતી કચેરીના ભરતી
નિયામકશ્રી કર્નલ
સુધીર ભોલાએ જણાવ્યું હતુ કે દરરોજ
પાંચ હજાર જેટલા ઉમેદવારો આવે તેવી શકયતા છે. નિવાસી અધિક કલેકટરશ્રી એ.બી.ગોરે
ભરતી મેળાની તમામ કાર્યવાહી
સરળતાપુર્વક થાય તે માટે વહિવટીતંત્રનાં અધિકાર ી ઓને
જરુરી પુર્વ તૈયારીઓ કરી જરૂરી
તમામ વ્યવસ્થાઓ ઉભી કરવા સૂચનાઓ આપી હતી.
અધિક નિવાસી કલેકટરશ્રીએ ભરતી
દરમ્યાન પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવા, સાફ-સફાઇ તથા લાઇટ-પાણી, સેનીટેસન, પબ્લીક
એડ્રેશ સીસ્ટમની ગોઠવણી
તેમજ પીવાના પાણીની વ્યવસ્થાઓ વગેરે
તમામ વ્યવસ્થા ગોઠવવા તથા ઉમેદવારો માટે ભોજન, સ્થાળ પર તાકિદની તબિબી અને આર ો ગ્ય-વ્યવસ્થાઓ
ઉભી કરવા તેમજ લશ્કરી ભરતી અધિકારીઓ માટે વહીવટી દ્રષ્ટિએ જરૂરી સુવિધાઓ પુરી પાડવા જિલ્લાના
વહિવટીતંત્રના અધિકારીઓને જણાવ્યુ હતું.
આ બેઠકમાં રાજકોટના પ્રાંત અધિકારીશ્રી
એમ.જે.દીક્ષીત તેમજ રોજગાર ખાતાના સંયુકત નિયામકશ્રી સંચાણીયા તેમજ પોલીસ, માર્ગ અને મકાન, શિક્ષણ, પાણી પૂરવઠા, રાજકોટ મ્યુનિ.
કોર્પોરેશન, જિલ્લા જેલ ,
આર ો ગ્ય અને હોસ્પીટલ વગેરે વિભાગ ના અધીકારીઓ ઉપસ્થિત રહ્યા
હતા અને વિવિધ
મુદા અંગેની ચર્ચાવિચારણામાં ભાગ લઇ સૂચનો કર્યા હતા.
હાલારમાં અખાત્રીજથી કૃષિ મહોત્સવનો પ્રારંભ થશે
તાલુકા પંચાયતની સીટ મુજબ ૧૭૪ ગામમાં કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ શિબિર
૪૫૭૦ કૃષિ કિટ, ૪૩૨૫ બાગાયત કિટ અને ૩૩૫૫ પશુપાલન કિટનું વિતરણ
કરાશે
તાલુકા થીમ મુજબ ખેડૂતોને તેમના પ્રશ્નો
અંગે માર્ગદર્શન
અપાશે
અખાત્રીજ અક્ષય અને તૃતિયા આ બે શબ્દો છે. અક્ષય અર્થાત જેનો ક્ષય નથી તે અને
તૃતિયા એ તીથી ક્રમ
છે. અખાત્રીજના આ પવિત્ર
તહેવારોનું ખેડૂતો માટે ખૂબ
મહત્વ છે. આથી આ
પવિત્ર દિવસે રાજયમાં કૃષિ
ક્ષેત્રે લોક ચેતના જાગૃત
કરીને લોક ભાગીદારીથી ગ્રામકક્ષાએ કૃષિ ઓજારોનું આધુનિક રણ, આધુનિક કૃષિ પધ્ધતિઓ,
જળ સંચય સહિતના
કાર્યક્રમો ખેડૂતો સુધી પહોંચે તેવો રાજય સરકારનો અભિગમ છે. ઉપરાંત સપ્રમાણ ખાતર,
દવા અને બયારણનું
વાવેતર, ડ્રીપ ઇરીગેશન સીસ્ટમ સહિતની બાબતોથી કૃષી શિબિરના માધ્યમથી ખેડુતોને માહિતગાર કરાશે. જામનગર જીલ્લામાં
તા. ૨૪ એપ્રીલથી કૃષિ શિબિરોનો પ્રારંભ
થશે.
જામનગર જિલ્લામાં દરેક ગામે કૃષિ શિબિર ના બદલે આ વખતે નવા
ફોર્મેટમાં તાલુકા પંચાયતની સીટ મુજબ
૧૭૪ કૃષિ શિબિર યોજાશે. જેમાં જામનગર તાલુકામાં ૨૭, જોડિયા, ધ્રોલ, ભાણવડ અને
દ્વારકામાં ૧૫, કાલાવડ અને લાલપુરમાં ૧૭ તેમજ ખંભાળિયા અને કલ્યાણપુરમાં ૧૯ એમ કુલ ૧૭૪ કૃષિ શિબિર યોજાશે.
મહિલા સંમેલનમાં હાલારની ૧૧૩
વિધાર્થિનીઓને રૂ.૫.૭૨ લાખના પુરષ્કાર
અપાશે
જામનગર જિલ્લાની ધો. ૧૦ અને ૧૨ માં દરેક તાલુકામાં
૧ થી ૩ નંબરે ઉતિર્ણ થયેલ ૧૧૩ તેજસ્વી વિધાર્થિનીઓને મુખ્યમંત્રી કેળવણીનીધી અંતર્ગત રૂ.૫.૭૨ લાખના પુરષ્કાર
અપાશે.
જિલ્લા શિક્ષણ ાધિકારીશ્રી બી.બી. રાઠોડના જણાવ્યાનુસાર તા.
૩૧ માર્ચના રોજ ઓસવાળ સેન્ટર જામનગરમાં જિલ્લા સ્તરના મહિલા સંમેલનમાં ઉચ્ચ
અને ટેકનીકલ શિક્ષણ રાજયમંત્રી શ્રીમતી
વસુબેન ત્રિવેદી તથા અન્ય મહાનુભાવોના હસ્તે આ
વિધાર્થિનીઓને પારીતોષિકનું વિતરણ કરાશે.
વિજ્ઞાનપ્રવાહ, સામાન્ય પ્રવાહના ધો. ૧૦ અને ૧૨ તથા
તેજસ્વી વિકલાંગ વિધાર્થિનીઓને પણ આ પુરષ્કારમાં આવરી લેવાયેલ છે. કન્યા
કેળવણીને પ્રોત્સાહન આપવા આ પુરષ્કાર આપવામાં આવે છે તેમ શ્રી રાઠોડે વધુમાં
જણાવ્યુ હતુ.
મહિલા સંમેલનમાં આંગણવાડી કાર્યકર
મહિલા અને બાળ
કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા મહિલા
અને બાળ વિકાસ રાજયમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને તા.૩૧ માર્ચના રોજ
જામનગર સ્થિત ઓશવાળ સેન્ટરમાં બપોરે ૧ થી ૫ દરમિયાન વિશાળ મહિલા સંમેલન યોજાશે
આ મહિલા સંમેલનમાં જિલ્લાભરના આંગણવાડી કાર્યકર તથા આંગણવાડી હેલ્પર
મહિલાઓને માતા યશોદા એવોર્ડથી સન્માનીત કરાશે. ઉપરાંત મુખ્યમંત્રી શ્રી કન્યા કેળવણી નિધિ તેમજ વિવધ રમતોમાં શ્રેષ્ડ
દેખાવ કરનાર
મહિલા ખેલાડીઓનું સન્માન મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદીના હસ્તે કરાશે.
આ તકે મેયરશ્રી અમીબેન પરીખ, જિલ્લા પંચાયતના પ્રમુખ ડો. વસોયા, સંસદ સભ્ય, ધારાસભ્યશ્રીઓ, બોર્ડ નિગમના ચેરમેનશ્રીઓ,
કલેકટરશ્રી સંદિપકુમાર, જામનગર મહાનગર
પાલિકાના કમિશનરશ્રી અનુપમ, જિલ્લા વિકાસ
અધિકારીશ્રી અજયકુમારની ઉપસ્થિત રહેશે.તેમ એક યાદીમાં જણાવાયુ છે.
એસટી ડેપોના પરિવહનના પ્રશ્નો રજૂ કરવા અધિકારીઓની
નિમણુક કરાઇ
જામનગર વિભાગ હસ્તકના જામનગર, જામજોધપુર, દ્વારકા, ખંભાળિયા
અને ધ્રોલ ડેપોના પરિવહન
સંચાલનને લગતા તેમજ વ્હીકલ પોઝીશનના પ્રશ્નો અંગે અધિકારીશ્રી એન.એમ રાજયગુરૂ (વિભાગીય નિયામક, વિભાગીય
યંત્રાલય, કાલાવડ રોડ, જામનગર) અને શ્રી જયદેવભાઇ કોતરા (વિભાગીય પરિવહન
અધિકારીશ્રી, પરિવહન શાખા, કાલાવડ રોડ, જામનગર)ની નિમણૂક થઇ છે. લોકોએ પોતાના
પ્રશ્નો અંગે ઉકત સરનામે અધિકારીઓના નામે પત્ર વ્યવહાર કરવા વિભાગીય નિયામકશ્રી, એસટી,
રાજકોટની યાદીમાં જણાવાયુ છે.
જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક
સ્વજલધારા સેકટર રિફોર્મ યોજના અન્વયે જિલ્લા જળ અને
સ્વચ્છતા સમિતિની બેઠક
તા.૩/૪/૧૨ના બપોરે ૧૨ કલાકે જિલ્લા
કલેકટરશ્રીની અધ્યક્ષતામાં કલેકટરશ્રી, જામનગરની ચેમ્બરમાં મળશે. તેમ સભ્ય
સચિવશ્રી, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, જામનગરની યાદીમાં જણાવાયુ છે.
વાયબ્રન્ટ
ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટમાં થયેલ એમ.ઓ.યુ.ના અમલકરણ અંગેની બેઠક સંપન્ન થઇ
અમરેલી
જિલ્લા
કલેકટરશ્રી ડી.એ સત્યાના અધ્યક્ષતા હેઠળ અમરેલી જિલ્લામાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ
ઇન્વેસ્ટર્સ સમીટ સને ૨૦૦૭,૨૦૦૯ અને ૨૦૧૧ના વર્ષમાં થયેલ એમ.ઓ.યુ.ના અમલીકરણ
અંગેની જિલ્લા કક્ષાની બેઠક
સંપન્ન થઇ હતી.
અમરેલી જિલ્લામાં સને ૨૦૦૭ના
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટમાં કુલ ૯ એકમોએ રૂ.૨૧,૨૧૧ કરોડના એમ.ઓ.યુ. કરવામાં
આવેલ જે પૈકી ૩ એકમોએ રૂ.૧૩૨૮ કરોડના મૂડી
રોકાણ કરી ઉત્પાદન શરૂ કરીને ૨,૩૦૦ જેટલી રોજગારીનું સર્જન કરેલ છે.
જ્યારે સને ૨૦૦૯માં રૂ.૩૯૮૯ કરોડના પ
એકમોએ એમ.ઓ.યુ કરેલ જે પૈકી એક એકમે
રૂ.૧૮૫ કરોડનું મૂડી રોકાણ કરી ઉત્પાદન પણ શરૂ કરેલ છે તદઉપરાંત ૧૩ લઘુ ઉદ્યોગના
એકમોએ રૂ.૨૩૧૭ લાખના એમ.ઓ..યુ. કરવામાં આવેલ જે પૈકી ૧૧ એકમોએ રૂ.૨૦૧૦ લાખનું
રોકાણ કરી એકમો કાર્યવિન્ત થતાં રોજગારી
તકો ઉભી થઇ છે.
૨૦૧૧ના વર્ષમાં ૪૬ એકમોએ
રૂ.૩૪,૨૪૪,૧૮ કરોડના એમ.ઓ.યુ થયેલ છે જેના થકી અમરેલી જિલ્લામાં ૨૨,૪૩૪ જેટલી
માનવ રોજગારી ઉભી થશે.
અમરેલી જિલ્લામાં ઔદ્યોગિક એકમો ખૂબ ઝડપથી શરૂ થાય અને અમરેલી જિલ્લો
ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધે તે માટે ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે મુશ્કેલીઓ તથા
પ્રશ્નો હલ કરવામાં વહીવટી
તંત્ર દ્વારા પૂરતો સહયોગ કરવામાં આવશે તેમ અધ્યક્ષ
સ્થાનેથી જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. વધુમાં ઔદ્યોગિક એકમો સાથે સતત સંર્પકમાં રહી પ્રશ્નોના
ઝડપી નિકાલ કરવાની દિશામાં કાર્ય કરવા પણ અનુરોધ કર્યો હતો.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી આલોક પાંડે,
અમરેલી જિલ્લા ઉદ્યોગ
કેન્દ્રના જનરલ મેનેજર તથા સમિતીના સભ્યો
ઉપસ્થિત રહયા હતા..
કૃષિ-સહકારમંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણીનો અમરેલી
જિલ્લાનો પ્રવાસ
કાર્યક્રમ
અમરેલી
રાજયના કૃષિ-સહકાર અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી
દિલીપભાઈ સંઘાણી આગામી
તા.૩૧ માર્ચ-૨૦૧૨ના રોજ અમરેલી જિલ્લાના પ્રવાસમાં આવનાર છે. મંત્રીશ્રી
તા.૩૧-૦૩-૧૨ના રોજ ૯-૧૫ કલાકે સર્વ શિક્ષા
અભિયાન મિશન અમરેલી આયોજિત મહિલા જાગૃતિ
કાર્યક્રમમાં, ૧૧-૦૦ કલાકે અમરેલી જિલ્લા
મધ્યસ્થ સહકારી બેંક લિ.ની બોર્ડ ઓફ ડિરેકટરર્સની બેઠકમાં, ૧૩-૦૦ કલાકે
માતા યશોદા એવોર્ડ, કન્યા કેળવણી નિધિ સહાય વિતરણ તેમજ મહિલા ખેલાડીઓને પુરસ્કાર
વિતરણ કાર્યક્રમમાં, ૧૮-૦૦ કલાકે ધારી તાલુકાના જીરા ખાતે ટીફીન બેઠકમાં તથા
તા.૧-૪-૧૨ના રોજ સવારે ૮-૦૦ કલાકે શ્રી દ્વારકેશલાલજી હવેલી ખાતે છાશ વિતરણ કેન્દ્રના
ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે.
અગરીયા કલ્યાણકારી
યોજનાઓ અંગેની સમિતીની બેઠક
યોજાઇ
અમરેલી અમરેલી જિલ્લામાં મીઠા ઉદ્યોગમાં કામગીરી કરતા અગરીયાઓ માટે
કલ્યાણકારી યોજનાઓ અંગેની સમિતી બેઠક
જિલ્લા કલેકટર ડી.એ સત્યના અધ્યક્ષતા હેઠળ યોજાઇ હતી.
બેઠકમાં ચાંચ બંદર ખાતે મીઠા કામના અગરિયાઓ માટે ૫૦૧ સ્વર્ણિમ આવસ કોલોની કામગીરી આખરી તબકકામાં
છે. ત્યારે પીવાના પાણીની સુધિધા ઉપલ્બધ કરાવવા પણ જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી આલોક પાંડે, અમરેલી જિલ્લા ઉધોગ
કેન્દ્રના જનરલ મેનેજર તથા સમિતીના સભ્યો ઉપસ્થિત રહયા હતા.
સાવરકુંડલાના લુવારા ગામે આરોગ્ય પ્રત્યે જનજાગૃત્તિ કેળવાય તેવા હેતુથી
સાવરકુંડલાના લુવારા ગામે બાઢડા આર ો ગ્ય
પ્રાથમિક
કેન્દ્ર દ્વારા
આરોગ્ય સર્વેલન્સની કામગીરી
હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થળ પર જ તાવના કેસોની લોહી તપાસ હાથ ધરી જરૂરિયાત મંદોને સારવાર આપવામાં આવી હતી. આ
ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય પ્રત્યે જનજાગૃત ્તિ કેળવાય તેવા હેતુથી
આરોગ્ય-શિક્ષણની પ્રવૃત્તિ તથા પોરાનાશક, એબેટની કામગીરી કરવામાં આવી હતી, તેમ
બ્લોક હેલ્થ ઓફિસરશ્રી ડૉ. યજ્ઞેશ ઇસનાવાની યાદીમાં જણાવાયુ છે.
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ) તથા જય યોગેશ્વર કેળવણી
તા.પમી એપ્રિલના રોજદોલતી ખાતે સમાજ શિક્ષણ શિબિરનું આયોજન
જિલ્લા સમાજ
કલ્યાણ અધિકારી
(વિકસતી જાતિ) તથા જય યોગેશ્વર કેળવણી
મંડળ-દોલતીના સંયુક્ત
ઉપક્રમે સમાજ શિક્ષણ
શિબિરનું આયોજન
કરવામાં આવ્યુ છે. તા.પમી એપ્રિલને ગુરૂવારના રોજ સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગની વિવિધ
યોજનાકીય જાણકારી આપતી આ શિબિરમાં સાવરકુંડલા ધારાસભ્ય શ્રી કાળુભાઇ વિરાણી, જિલ્લા
વિકાસ અધિકારીશ્રી આલોકકુમાર પાંડે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
વોકીટોકી જેવા સાધનો વાપરવા ઉપર પ્રતિબંધ
અમરેલી
અમરેલી જિલ્લામાં ૨૬-સરસિયા બેઠકની જિલ્લા પંચાયત પેટા
ચૂંટણી ૨૦૧૨ અન્વયે,
ચૂંટણી દરમિયાન પ્રચારના
હેતુસર લાઉડ
સ્પીકરનો ઉપયોગ
કરી અવાજના પ્રદુષણને રોકવા અને ધ્વનિ
પ્રદુષણથી લોકોની તંદુરસ્તીને વિપરીત
અસર ન પહોંચે,
લાઉડ સ્પીકરના ઉપયોગથી સામાન્ય
જનતાને ખલેલ ન
પડે તે હેતુથી અધિક
જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રીએ જાહેરનામ ું
બહાર પાડ્યું
છે.
જેમાં કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા સક્ષમ
અધિકારી શ્રીની
પરવાનગી
સિવાય જાહેર માં
લાઉડ સ્પીકર વગાડી શકશે નહી. પરવાનગી વિના
ચૂંટણી પ્રચાર કે વાહન પર માઈક/લાઉડ સ્પીકર રાખી
વગાડી શકશે નહિં. ઉમેદવારે કે કાર્યકરે પરવાનગી અંગેની જાણ ચૂંટણી અધિકારી અને સ્થાનિક
પોલીસને કરવાની રહેશે. પરવાનગી મેળવ્યા બાદ લાઉડ સ્પીકર સવારના-૦૬-૦૦ થી રાત્રીના
૧૦-૦૦ કલાક સુધી જાહેર જનતાને નુંકશાન ન પહોંચે તે રીતે વગાડવાનું રહેશે. મતવિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલ સમય પૂર્વે ૪૮ કલાક દરમ્યાન વાહન
પર ગોઠવેલ કે અન્ય પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહિ. ઉપરોક્ત હુકમનો ભંગ
કરનાર તેમજ મદદગારી કરનાર સામે
ચૂંટણી આયોગની સુચનાઓના ઉલ્લંઘન
બદલ મુંબઇ પોલિસ
અધિનિયમ -૧૯૫૧ આંક ૨૨ માની કલમ-૧૩૧ હેઠળની
શિક્ષાને પાત્ર
થશે.
અમરેલી
અમરેલી જિલ્લામાં ૨૬-સરસિયા બેઠકની જિલ્લા
પંચાયત પેટા ચૂંટણી
૨૦૧૨ અન્વયે, ચૂંટણી
પ્રક્રિયા
દરમ્યાન આદર્શ
આચાર સંહિતાનો અમલ કરવા આપેલ સુચનાઓ મુજબ રાજકીય પક્ષો, કાર્યકરો કે ઉમેદવારોએ નીચેના સ્થળોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા પ્રતિબંધ ફરમાવેલ છે.
અમરેલી જિલ્લામાં આવેલ સરકારી, અર્ધ સરકારી, સહકારી સહિત તમામ આર ામ ગૃહ,
ડાક બંગલાઓ, વિશ્રામગૃહો તેમજ જાહેર
સ્થળો હોય તેવા ગૃહોનો ચૂંટણી
વિષયક પ્રચારના હેતુસર
ઉપયોગ કરી શકશે
નહિં. ઉપરોકત સ્થળોએ રાજકિય પ્રવૃત્તિમાં રાજકિય ચર્ચા, ટેલિફોન ઉપર વાર્તાલાપ અને મુલાકાતી સહિતની બાબતોનો સમાવેશ થશે. આ પ્રતિબંધ તારીખ ૧૦/૦૪/૨૦૧૨
સુધી અમલમાં
રહેશે તેમજ હુકમનો ભંગ
અથવા ઉલ્લધંન કરનાર ભારતીય દંડ
સંહીતાની કલમ-૧૮૮ મુજબ
સજાને પાત્ર
થશે.
પાડવા ઉપર પ્રતિબંધ
અમરેલી જિલ્લા પંચાયતની ૨૬-સરસિયા બેઠકની પેટા
ચુંટણી-૨૦૧૨ અન્વયે આદર્શ
આચાર સંહિતા અમલમાં આવેલ છે. ચુંટણીમાં
ઉમેદાવારી પત્રક
ભરવાની તારીખથી મતગણતરી
સુધી રાજકીય
પક્ષોના ઉમેદવારો અને ટેકેદારો દ્વારા
સભાઓ યોજી તેમજ અન્ય પ્રકારે ચૂંટણી
પ્રચાર થનાર
છે. જેથી આદર્શ આચાર સંહિતાના અમલી
માટે અધિક
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ અમરેલી જિલ્લાના સમ્રગ વિસ્તારમાં તારીખ ૦૮ થી ૧૦ એપ્રિલ
૨૦૧૨ સુધી અમલી આવે તે હેતુથી જાહેરનામું
પ્રસિધ્ધ કર્યું છે.
જેમાં ઉમેદાવારો કે સંગઠનો તેમજ અન્ય કાર્યકરો, સમર્થકો સહિત
દરેકને ચૂંટણી
પ્રક્રિયા
દરમિયાન છટાદાર
ભાષણ આપવા, ચાળા
પાડવા, નકલ
કરવાની ચિત્રો, નિશાનીઓ અથવા અન્ય કોઇ પણ રીતે સુરૂચિ અથવા નીતિનો ભંગ થતો હોય તેમજ તેનાથી સુલેહ શાંતિ કે રાજ્યની સલામતી જોખમાતી હોય તેવુ વર્તન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. આ
હુકમનો ભંગ કરનાર કે તેની મદદગારી કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર ઠરશે.
જિલ્લા પંચાયતની ૨૬-સરસીયા બેઠકની પેટા ચૂંટણી દરમિયાન
અમરેલી જિલ્લામાં હથિયાર સાથે રાખવા ઉપર પ્રતિબંધ-હથિયાર જમા
કરાવવાના રહેશે
જિલ્લા પંચાયતની ૨૬-સરસીયા બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે.
શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ-૨ની વ્યાખ્યામાં આવતું કોઇપણ હથિયાર કરી ફરવું નહિ,
૨૬-સરસિયા બેઠક
વિસ્તારમાં વસવાટ
કરતા હોય અને તેઓએ જિલ્લા બહારથી મેળવેલ હથિયાર પરવાના ધારણ કરનારે તેમજ હથિયાર
પોતાના રહેઠાણના સ્થળે પોતાની સેફ કસ્ટડીમાં રાખવાનું રહેશે. જિલ્લાના સંસ્થાકીય
સિવાયના ગ્રામ્ય વિસ્તારના વ્યક્તિગત પ્રકારના હથિયાર પરવાના ધારકો તથા જિલ્લા
બહારથી મેળવેલ હથિયાર પરવાના ધારણ કરનાર વ્યક્તિઓ કે જેઓ હાલ અમરેલી જિલ્લા
પંચાયતની ૨૬અસરસીયા બેઠક વિસ્તારમાં વસવાટ કરતા હોય તેવા તમામ હથિયાર
પરવાનેદારોને તેમના હથિયાર સંબંધિત
પોલિસ સ્ટેશનમાં જમા
કરાવવાના રહેશે. જામીન
પર છોડેલી વ્યક્તિઓ, ફોજદારી
ગુન્હાઓ કર્યાની ભૂમિકાવાળી વ્યક્તિઓ, હુલ્લડના ગુન્હામાં ખાસ કરીને ચૂંટણી સમય દરમ્યાન સંડોવાયેલા વ્યક્તિઓ,
ગંભીર ગુનામાં
સંડોવાયેલા વ્યક્તિઓએ તેમના હથિયાર પોલિસ સ્ટેશનમાં જમા લેવા માટે જિલ્લા પોલિસ
અધિક્ષકશ્રી-અમરેલીને અધિકૃત
કરવામાં આવેલ છે.
કાયદો-વ્યવસ્થાનો ચાર્જ સંભાળતા અધિકારીશ્રી-સુરક્ષા
કર્મચારી-ચૂંટણીપંચે નિમેલા નિરિક્ષકોને લાગુ પડશે નહિ.
આ આદેશ
તા.૧૦મી એપ્રિલ સુધી અમલમાં
રહેશે.
આદેશનો ભંગ
કરનાર કે મદદગારી કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર ઠરશે.